________________
૫૨૧
,
બીજી બાજુ પણ છે. કઠેર તપ, વ્રતમાં અડેલ રહેવાનું સામર્થ્ય પ્રગટ થવામાં તેમની તે બીજી બાજુ ઘણું જ કારણભૂત હતી. ભગવાનમાં જ એવું અપૂર્વ સામાણ્ય પ્રગકહ્યું તેમાં મુખ્ય તત્વ એ હતું કે ભગવાનના આત્મામાં કરૂણું તત્ત્વ સૌથી અધિક હતું. ભગવાનના જીવનમાં કરૂણા એટલી અપાર હતી કે તેની સરખામણીમાં ઉભી શકે એ કેઈ પદાર્થ આ ચરીચર વિશ્વમાં મહાજ્ઞાની પુરૂષોને પણ ગોત્યે જડતું નથી અને તેથી “Sત્રાધાર પવિતા” “હે પ્રભુ! તમે ત્રણ જગતના આધાર છે અને કરૂણાના અવતાર છો ” “સ્વયં-ભૂરમણ સાગર કરતાં પણ આપની કપ અધિક છે.” એવી રીતે ભગવાનને સ્તવીને અટકી ગયા છે.
ભગવાન સૌથી શ્રેષ્ઠ ગણાય છે તેમાં ઘણા કારણે હોવા છતાં તેઓ કરૂણાના મહાસાગર છે એ કારણે મુખ્ય છે. ત્રણ ત્રણ ભવ સુધી ભગવાન સતત રીતે કરૂણાને વરસાદ વરસાવે છે અને તેથી જ ભગવાનના એ ભવે પણ ગણના તુલ્ય બન્યા છે. સિદ્ધત્વની સાધના એક ભવમાં પણ થઈ શકે છે, જ્યારે અરિહંતપણાની સાધના માટે ઓછામાં ઓછા ત્રણ ભવ જોઈએ. આમાં સિદ્ધત્વ કરતાં ભવ વધારે છે, છતાં એ વસ્તુ પ્રશંસા પાત્ર બને છે, તેનું કારણ એ છે કે એ ત્રણ ભેમાં ભગવાન કેવળ કરૂણાને જ વરસાદ વરસાવે છે અને તેથી જ જગતના અનેક ભવ્યજ ભવથી નિસ્તારને પામે એવી પરિસ્થિતિ જગતમાં