Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 633
________________ ૫૬૯ આવે છે કે અમે સારા વિચાર કરવા બેસીએ છીએ પણ સારા વિચાર આવતા નથી અથવા તે વખતે ખરાબ વિચારે વગર તેડયા આવી પહોંચે છે. ત્યાં સમજવું જોઈએ કે દઢતા પૂર્વકના નિરંતર અભ્યાસથી જ માત્ર વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચારો પછી સારા હેય કે નઠારા હેય. સારા વિચારથી સારા વિચારની અને ખરાબ વિચારથી ખરાબ વિચારની શક્તિ વૃદ્ધિ પામે છે. વિચારની અધિકતા ઉપર મનના પ્રવાહની વૃદ્ધિને આધાર છે અને વિચારના ગુણ ઉપર તે ગુણની દઢતાને આધાર રહે છે. મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હોય તેમણે નિરંતર નિયમિત રીતે મનન કરવાને અભ્યાસ કરે અને પિતાની માનસિક શક્તિઓ સુધારવાનો નિશ્ચય લક્ષમાં રાખો. આ અભ્યાસ પૂર્ણ ફળદાયક થાય તે માટે પિતાને અધ્યાત્મ આદિ જે વિષય પ્રિય હેય, એવા કેઈ વિષયના સંબંધમાં કઈ ઉત્તમ પુરુષે રચેલું અને જેની અંદર પ્રતિભાજન્ય સુંદર અને અપૂર્વ વિચારે દાખલ થયા હોય તેવું એક પુસ્તક લેવું. તેમાંથી ડાં વાક્યો હળવે હળવે વાંચવાં. પછી વાંચેલ વાક્યો ઉપર દૃઢતાથી વિચાર કરે. જેટલા વખતમાં તે વાક્ય વાંચ્યાં હોય તેથી બમણુ વખત સુધી વિચાર કરો. વોચવાનું કારણ નવા વિચારો મેળવવાનું નથી પણ વિચાર શક્તિ પ્રબળ કરવાનું છે. શરુઆતમાં અડધી ઘડી વાંચવાનું બસ છે, કારણ કે વધારે વખત વાંચવાથી દૃઢતાથી ધ્યાન આપવાનું કામ શરુઆતમાં જરા વિશેષ પરિશ્રમ

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656