________________
૪૦
છતાં જ્ઞાતિઓને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિવડે સહાય ન કરી હોય, તેમની અવજ્ઞા કરી હય, મતિ-શ્રેતાદિ પાંચ પ્રકારના જ્ઞાનની નિન્દા કરી હોય, ઉપહાસ કર્યો હોય અથવા ઉપઘાત કર્યો હોય. જ્ઞાનનાં સાધન-પુસ્તક, કાગળ, કલમ આદિની આશાતના કરી હોય, તે બધા જ્ઞાનના અતિચારે છે. તેની હૃદયથી માફી માગવી જોઈએ
એ જ રીતે દર્શનના અતિચારો, જેવા કે શ્રી જિનેશ્વરદેવ અને તેમના બિંબની ભાવથી ભક્તિ ન કરી હોય અગર અભક્તિ કરી હોય. શ્રી જિનભક્તિ નિમિત્ત ઉત્પન્ન કરેલા દ્રવ્યનો વિનાશ કર્યો હોય અગર વિનાશ થતો જોવા છતાં છતી શક્તિએ ઉપેક્ષા કરી હોય, શ્રી જિનમંદિર વિગેરેની આશાતના કરી હોય અગર આશાતના કરનારની ઉપેક્ષા કરી હોય, તેની ક્ષમા યાચવી જોઈએ.
ચારિત્રના અતિચારો, જેવા કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત ચારિત્રનું પાલન ન કર્યું હોય અગર પાલન કરનારની ભક્તિ ન કરી હોય, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય છે, કીડા, શંખ, છીપ, પુર, જલે, અલસીયા આદિ બેઈન્દ્રિય છે. કીડી, મ કેડી, જુ, માંકડ, લીખ, કુંથુઆ આદ તેઈદ્રિય છે. વળી, માંખ, મછર, ભ્રમર આદિ ચઉરિન્દ્રિય છે, અને પાણીમાં વસનાર, જમીન ઉપર રહેનાર કે આકાશમાં ઉડનાર પંચેન્દ્રિય જીવોની વિરાધના કરી હોય, ક્રોધથી, લેભથી, ભયથા, હાસ્યથી કે પરવશતાથી અસત્ય વચન ઉચ્ચાર્યા હૈય, માયાદિકનું સેવન