________________
થાય છે તથા તેના પરિણામે ઉત્તરોત્તર શાંતિ અને સુખની વૃદ્ધિ અનુભવાય છે.
કરૂણા ભાવનાનાં પાત્ર છો પણ ચાર પ્રકારના હોય છે-(૧) વર્તમાનમાં દુઃખી અને ભવિષ્યમાં દુઃખી થાય તેવા પાપ માર્ગે જ પ્રવર્તનારા, (૨) વર્તમાનમાં આહર, વસ્ત્ર, શયન, આસન, ઔષધાદિ સામગ્રીના અભાવે દુઃખ ભેગવનારા, (૩) વર્તમાનમાં સુખી પણ હિંસાદિ પાપકર્મો કરીને દુર્ગતિનાં દુઃખે ઉભાં કરનારા તથા (૪) વર્તમાનમાં સુખી પણ મિથ્યાત્વાદિ પાપકર્મ કરીને ભાવિ દુઓને ઉત્પન્ન કરનારા.
એ રીતે દુઃખ અને તેના કારણભૂત પાપથી રીબાતા જેને તે બનેથી છોડાવવાની વૃત્તિ તે કરૂણ ભાવના છે.
દુખીનું દુઃખ દૂર થાઓ, કે ન થાઓ, પણ દુઃખ દૂર કરવાની ભાવના અને પ્રયત્ન કરનારને અવશ્ય લાભ મળે છે. એ રીતના પ્રયત્નથી નિકાચિત કર્મને ઉદય ન હેય તે સામાનું દુઃખ દૂર પણ થાય છે. દ્રવ્ય દુઃખો દૂર કરવાના પ્રયત્નો કરતી વખતે તે દુઃખના કારણભૂત. પાપકર્મોથી એને બચાવવાનું પણ લક્ષ્ય રહેવું જોઈએ. ભાવદયાના પરિણામે થનારી દ્રવ્યદયા અવશ્ય ધર્મસ્વરૂપ બને છે. દ્રવ્ય અને ભાવદુઃખેને અન્ય દર્શનકારેએ ત્રણ વિભાગમાં વહેચ્યાં છે.
(૧) આધ્યાત્મિ-શરીર અને મન સંબંધી દુઃખો.