________________
પ13
વ્યવહાર રત્નત્રયીથી નિશ્ચય રત્નત્રયી પ્રગટ થાય છે. આ રત્નત્રયી (જ્ઞાન-દર્શન-ચારિત્ર) વિના કઈને કઈપણ કાળે પિતાના પરમ શુદ્ધ ચિદ્રુપની પ્રાપ્તિ થતી નથી, એ જ્ઞાનિઓને દઢ નિશ્ચય છે.
સંયમ આચરણ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે. સંયમઆચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપાચરણ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણઠાણે જ હોય છે.
સર્વ નયને આશ્રય કરનારા મહાત્માએ કેવળ એકાંત નિશ્ચયમાં ખેંચાતા નથી, વ્યવહારને તજી દેતા નથી. જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ કિયાને અનાદર કરતા નથી, ઉત્સર્ગને આદરે છે પણ અપવાદ ભૂલી જતા નથી. ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે, એવી રીતે સાપેક્ષપણે અહર્નિશ વર્તન કરે છે.
નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઓને જે ક્રિયાઓ અતિ પ્રજનવાલી નથી, તેજ ક્રિયાઓ વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. અપુનબંધક દશાથી માંડી છઠ્ઠા ગુણઠાણ સુધી વ્યવહારની મુખ્યતા છે અને નિશ્ચયની ગણતા છે,
જ્યારે અપ્રમત્ત આદિ સાતમા ગુણસ્થાનકથી નિશ્ચયની મુખ્યતા છે.
વ્યવહારનયને જાણ્યા કે આદર્યા વિના નિશ્ચયનય આદરવાની ઈચ્છા કરવી એ અનુપગી છે. શુદ્ધ વ્યવહારમાં
ધ-૩૩