________________
૨૧૮
હોતું નથી. અનાભેગાદિ કારણે તેની પ્રવૃત્તિ વિરૂદ્ધ થઈ જાય તે પણ હૃદય અવિરૂદ્ધ હોવાથી તે વિરૂદ્ધ પ્રવૃત્તિ પણ મહાકલ્યાણને બાધક થતી નથી. અન્યદર્શનકારેએ એવા આત્માની અનાગ અને અવિધિવાની પ્રવૃત્તિને પણ સુપ્તમંડિતપ્રધદર્શન અને સુપ્તસમુદ્રતીર્થદર્શન ઈત્યાદિ ઉત્તમ ઉપમાઓ આપીને વખાણી છે. પ્રકૃતિને અધિકાર નિવૃત્તિ થયા વિના એવી સ્થિતિ આવતી નથી,એમ કપિલમતવાલા કહે છે. ભવ વિપાક પ્રાપ્ત થયા વિના એ દશા આવતી નથી, એમ સુગત-બુદ્ધ મતવાળા કહે છે. કર્મ રિથતિ લઘુ થયા વિના અથવા ભવસ્થિતિને પરિપાક થયા વિના એ દશા પ્રાપ્ત થતી નથી, એમ શ્રી જિનમતના જ્ઞાતાઓ કહે છે. એવા અપુનર્બન્ધક આત્માઓ જ તત્ત્વથી ધર્મના અધિકારી છે, અને તેઓના પ્રત્યે કરેલે ઉપદેશ જ પ્રાયઃ સફલ થાય છે, એમ શાસ્ત્રકારે ફરમાવે છે.”
શકા--જેઓએ અપુનર્બન્ધક અવસ્થા પ્રાપ્ત ન કરી હોય, તેઓએ ધર્મ ન કરે જોઈએ ?
૧. સૂતેલા માણસને કેાઈ આભૂષણદિ વડે અલંકૃત કરે અને પછી તે જાગ્રત થાય, ત્યારે પિતાને અલંકૃત થયેલ જોઈને આનંદ અનુભવે છે. તેની જેમ અનાભોગથી પણ વિચિત્ર ગુણો વડે પિતાને અલંકૃત થયેલ જોઈને સમ્યગુદર્શનાદિ લાભના કાળે આનંદ અનુભવે છે.
૨. નિદ્રામાં સૂતેલો કોઈ માણસ સમુદ્ર તરી ગયા પછી જાગ્રત થાય ત્યારે જેટલે વિસ્મય પામે તેટલે વિસ્મય સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ વખતે પૂર્વે કરેલી ધર્મક્રિયાઓને જાણીને સમ્યગ્દષ્ટિને થાય છે.