________________
૨૧૨
એ માટે ઉપદેશ અને લખાણ દ્વારા સમ્યગ જ્ઞાનને પ્રચાર કરવાની આવશ્યકતા છે. એ વાત સાચી છે કે સમ્યગ જ્ઞાન દ્વારા જ્યાં સુધી દેવનું યથાર્થ સ્વરૂપ સમજાય નહીં ત્યાં સુધી જોઈએ તે ભાવ આવે નહિ અને જોઈએ તે ભાવ આવે નહિ ત્યાં સુધી ક્રિયાની શુદ્ધિ થાય નહિ.
શંકા-શુદ્ધ ક્રિયા કરનારા પણ ભાવ વિનાના દેખાય છે. રોજ વિધિપૂર્વક ત્રિકાળ દેવદર્શન કરવા છતાં તેમના અંતરના પરિણામ સુધરતા નથી અને દેવદર્શન નહિ કરનાર કરતાં પણ તેમના જીવન વધારે અશુદ્ધ દેખાય છે, તેનું શું?
સમાધાન–એમાં કારણ તેમની શુદ્ધ ક્રિયા નથી પણ અજ્ઞાનતા અને લેભ વિગેરે છે. માયાથી, લેભથી અને અજ્ઞાનથી કરેલી શુદ્ધ ક્રિયા પણ શુભ ભાવનું કારણ બનતી નથી. ધર્મ ક્રિયાનું સર્વોત્તમ ફલ મેળવવા માટે જેટલી આવશ્યક્તા કિયાશુદ્ધિની છે, તેટલી જ આવશ્યક્તા ભાવશુદ્ધિની પણ છે. કઈ પણ પ્રકારના લૌકિક ફળની આકાંક્ષા વિના કેવળ કર્મક્ષયના ઈરાદે જેઓ ધર્મક્રિયા કરે છે, તેઓને શુભ ભાવની પ્રાપ્તિ થયા સિવાય રહેતી નથી અને શુભ ભાવથી નિયમ કર્મને ક્ષય થાય છે અને કર્મક્ષયથી નિયમ સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
શંકા–આજે તેવા શુદ્ધ દયથી કિયા કરનારા કયાં છે ?