________________
૨૧૪
પુણ્ય કે ચિન્તામણિ પણ અપવર્ગને મોક્ષ ફળને આપ નાર થતા નથી, જ્યારે આપને કરેલ નમસ્કાર કલ્પનાતીત ફલને આપનારે થાય છે, સર્વ દુઃખરૂપી વિષને હણનારો થાય છે, તથા અનન્ત સુખના ધામરૂપ અપવર્ગને દેનાર થાય છે, તે પછી એ પદાર્થોની સાથે તેને કેમ સરખાવી શકાય? (૩)
શંકા–દેવદર્શનાદિથી શાસ્ત્રો કહે છે, તેવું ફળ મળતું હોય તે બધાને તે કેમ મળતું નથી ?
સમાધાન–દેવદર્શનાદિથી શાસ્ત્રો કહે છે તેવું ફળ મળે છે, એ નિર્વિવાદ છે, પરંતુ દરેક કિયા તેની વિધિપૂર્વક કરવામાં આવે તે જ યથાર્થ ફલને આપે છે. અવિધિથી, અપૂર્ણવિધિથી કે વિપરીત વિધિથી કરવામાં આવે તે ફળ ન આપે અથવા અપૂર્ણ કે વિપરીત ફલને પણ આપે. લેકમાં ખેતીકિયાદિ સઘળી ક્રિયાઓ વિધિયુક્ત કરવામાં આવે તે જ ફલદાયી થાય છે. એથી વિપરીત પણે, કરવામાં આવે તે ફળતી નથી, એ સર્વજન પ્રતીત છે.
કા–દેવદર્શનાદિ કરવાની શાસ્ત્રોક્ત વિધિ આજે શું સુલભ છે?
સમાધાન–અર્થી આત્મા માટે અવશ્ય સુલભ છે. દેવદર્શન, દેવવંદન, દેવપૂજન ઈત્યાદિ કરવાની શાસ્ત્રોક્તવિધિ પ્રાસંગિક આ પુસ્તકમાં દેવદર્શન નામના પુસ્તકમાં તથા વિસ્તારથી દેવવંદન ભાષ્ય વિગેરેમાં આપવામાં આવી છે. શાઓમાં એ સંબંધી ઘણે વિરતાર કરવામાં આવે છે.