________________
૨૧૫
પરંતુ તેને સમજવા અને અમલમાં મૂકવા માટે જેટલે પ્રયાસ થ જોઈએ, તેટલું થતું નથી. જે ગુરૂગમદ્વારા અગર આવા પુસ્તકાદિનાં સાધન દ્વારા તેને યથાર્થ સમજવા અને અમલમાં મૂકવા ગ્ય પ્રયાસ કરવામાં આવે તે ક્રિયા અને ભાવની શુદ્ધિ થયા વિના રહે નહિ. અને એ ઉભયની શુદ્ધિ થાય તે ફલને સાક્ષાત્કાર થયા વિના પણ રહે નહિ.
શંકા–દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ શું આજે પળાય છે?
સમાધાન-દેવદર્શનની શાસ્ત્રોક્તવિધિ આજે સર્વથા નથી પળાતી એમ નથી. અર્થી આત્માઓ આજે પણ શક્યવિધિનું પાલન કરી જ રહ્યા છે. જો કે શાસ્ત્રકારોએ એવો આગ્રહ રાખ્યો નથી કે દરેક ભૂમિકાવાળા જીવો શાસ્ત્રોક્તવિધિ મુજબ પરિપૂર્ણ વર્તન કરી શકે. અથવા શાસ્ત્રોક્તવિધિ મુજબ સંપૂર્ણ વર્તન કરી શકે તે જ દેવદર્શનાદિ કરવાના અધિકારી છે, એ પણ આગ્રહ રાખે નથી. શાસ્ત્રકારોએ તે માત્ર એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે જેઓ વિધિપૂર્વક અનુષ્ઠાન નથી કરી શકતા, તેઓએ પણ પ્રયત્ન તે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાને કરવો જોઈએ. કિન્તુ પિતાના અવિધિવાળાં અનુષ્ઠાનને જ વિધિયુક્ત અનુષ્ઠાન માનવા કે મનાવવાને આગ્રહ સેવે જોઈએ નહિ.
શકા–તમે કહે છે તેવી રીતે વર્તનારા આજે કેટલા છે?
સમાધાન–કેટલા છે અને કેટલા નથી, એની