________________
૪૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
આ વેળાએ ઝેરરૂપ છે. તેથી જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા ઝેરતુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબૂલ થૂંકો, તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે.
સનતકુમારે એ પરીક્ષા કરી તો સત્ય હરી; પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનત્કુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગનો ભોગ થયેલી છે; જો ઈચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ ! કર્મરૂપી રોગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ છો રહ્યો." દેવતાએ કહ્યું, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. પછી સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે થૂંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગ વિનાશ પામ્યો; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્યું; ધન્યવાદ ગાઈ વંદન કરી પોતાને સ્થાનકે ગયો.
પ્રમાણશિક્ષાઃ- રકતપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદ્ગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે; જેના પ્રત્યેક રોમે પોણાબબ્બે રોગનો નિવાસ છે; તેવા સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્નાદિની ન્યુનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટકયું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે; તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે ! સનત્કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહીં પામર ! તું શું મોટું છે ? ‘એ મોફ મંગળદાયક નથી”.
આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે.
આત્માનાં શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી, પણ એનો મર્મ જુદો જ છે, જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શો ? એ બિચારાએ તો એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વનો મર્મ આમ છેઃ વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે. તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તોપણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.
ભાવનાબોધ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનતકુમારનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં.
દ્વિ ૭ આ પાઠા એ કિંચિત્ સ્તુતિપાત્ર નથી.' ૨. જુઓ, મોક્ષમાળા શિક્ષાપાઠ ૪ માનવદેહ