________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૩૮૭
એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મુઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે; પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો, નિર્વિકલ્પ જેવો કરી નાખવો.
હાલ તમને જે મુઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી; અને ધીરજ વગર જો વેદવામાં આવે છે, તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. માટે હાલ તો જેમ બને તેમ ‘ઈશ્વરેચ્છા’ અને ‘યથાયોગ્ય’ સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. મૌનપણાનો અર્થ એવો કરવો કે અંતરને વિષે વિકલ્પ, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન કરવા.
હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. દોહરા વિષે લક્ષમાં છે. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઇચ્છા આ કાળમાં રાખવા જેવી છે. વિશેષ આપનો કાગળ આવ્યેથી આ કાગળ વ્યાવહારિક પદ્ધતિમાં લખ્યો છે, તથાપિ વિચારવા યોગ્ય છે. બોધજ્ઞાન લક્ષ ઉપર છે.
પ્રણામ પહોંચે.
૪૭૪
મુંબઈ, આસો વદ, ૧૯૪૯
આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે,
૪૭૫
મુંબઈ, આસો વદ ૧૨, રવિ, ૧૯૪૯
આપનાં બે પત્ર ‘સમયસાર'ના કવિતસહિત પહોંચ્યાં છે. નિરાકાર-સાકાર ચેતના વિષેનું કવિત ‘મુખરસ’ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી; જે હવે પછી જણાવીશું.
“શુદ્ધતા વિચારે ધ્યાવુ, શુદ્ધતામે કેલિ કરે;
શુદ્ધતામેં સ્થિર વ્હે, અમૃતધારા
બરસે “
એ કવિતમાં 'સુધારસ'નું જે માહાત્મ્ય ક્યું છે, તે કેવળ એક વિસ્રસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે, જે અનુક્રમે સમજાશે.
૪૭૬
મુંબઈ, આશ્વિન, ૧૯૪૯
જે ઈશ્વરેચ્છા હશે તે થશે, માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં.
નિષ્કામ ય