________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૧ મું
૬૫
૮૩૯
મુંબઈ, અસાડ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૪
અપાર મહામો જળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
આત્મસિકિની પ્રત તથા કાગળ પ્રાપ્ત થયાં.
નિવૃત્તિયોગમાં સત્યમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે.
“આત્મસિસિ”ની પ્રત વિષે આ કાગળમાં તમે વિગત લખી તે સંબંધી હાલ વિકલ્પ કર્તવ્ય નથી. તે વિષે
નિર્વિક્ષેપ રહેવું.
લખવામાં વધારે ઉપયોગ હાલ પ્રવર્તાવો શક્ય નથી.
૮૪૦
મોહમયીક્ષેત્ર, શ્રા સુદ ૧૫, સોમ, ૧૯૫૪
'મોક્ષમાર્ગપ્રકાશ' ગ્રંથ વિચાર્યા પછી 'કર્મગ્રંથ' વિચારવાથી પણ સાનુકૂળ થશે.
દ્રવ્ય મન આઠ પાખંડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. ‘યોગશાસ્ત્ર’માં તેના ઘણા પ્રસંગો છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા યોગ્ય છે.
સમાધિ વિષે યથાપ્રારબ્ધ વિશેષ અવસરે
܀܀܀܀܀
૮૪૧
મોહમયીક્ષેત્ર, શ્રાવણ વદ ૪, શુક. ૧૯૫૪
૮૪૨
કાવિઠા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૪
ૐ નમઃ
શુભેચ્છાસંપન્ન, શ્રી વવાણિયા.
ઘણું કરીને મંગળવારને દિવસે તમારો લખેલો કાગળ એક મુંબઈ મળ્યો હતો. બુધવારની રાત્રિએ મુંબઈથી નિવૃત્ત થઇ ગુરુવારે સવારે આણંદ આવવાનું બન્યું હતું અને તે જ દિવસે રાત્રિના આશરે અગિયાર વાગ્યે અત્રે આવવું થયું.
અહીં દશથી પંદર દિવસ પર્યંત સ્થિતિ થવાનો સંભવ છે.
તમારી વૃત્તિ હાલ સમાગમમાં આવવા વિષે જણાવી, તે વિષે તમને અંતરાય જેવું થયું. કેમકે આ પત્ર પહોંચશે તે પહેલાં પર્યુષણનો પ્રારંભ લોકોમાં થયો ગણાશે. જેથી તમે આ તરફ આવવાનું કરો તો ગુણ-અવગુણનો વિચાર કર્યા વગર મતાગ્રહી માણસો નિંદે, અને તેવું નિમિત્ત ગ્રહણ કરી ઘણા જીવોને તે નિંદા દ્વારાએ પરમાર્થપ્રાપ્તિ થવાનો અંતરાય ઉત્પન્ન કરે; જેથી તેમ ન થાય તે અર્થે તમારે હાલ તો પર્યુષણમાં બહાર ન નીકળવા સંબંધી લોકપતિ સાચવવી યોગ્ય છે.
'વૈરાગ્યશતક', 'આનંદધન-ચોવીશી', 'ભાવનાબોધ' આદિ પુસ્તકો તમે તથા મહેતાજી વાંચવા વિચારવાનું કરીને જેટલો બને તેટલો નિવૃત્તિનો લાભ મેળવજો.
પ્રમાદ અને લોકપદ્ધતિમાં કાળ સર્વથા વૃધ્ધા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. બીજા શાસ્ત્રોનો યોગ બનવો કઠણ છે, એમ જાણી ઉપર જણાવેલાં પુસ્તકો લખ્યાં છે. જે પુસ્તકો પણ વિશેષ વિચારવા યોગ્ય છે. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણપૂર્વક સુખવૃત્તિમાં છે એમ જણાવશો.
અમુક વખત જ્યારે નિવૃત્તિને અર્થે કોઈ ક્ષેત્રે રહેવાનું થાય છે, ત્યારે ઘણું કરીને કાગળ પત્ર