________________
http://www.ShrimadRajchandra.org
€90
આત્યંતર પરિણામ અવલોકન
-હાથનોંધ-
વર્ષ ૨૨ થી ૩૪ પર્યંત
હાથનોંધ-૧
૧
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૧]
×
* પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે.
શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાત્મ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે.
* સંવત ૧૯૭૭ માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત તત્ત્વજ્ઞાન”, સાતમી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ, પણ મૂળ હસ્તાક્ષરની હાથનોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે.
૧
પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો.
૨
3
જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દૃશ્યમાન થાય છે તેનો વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે.
જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દેશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શકતા નથી પણ ઘ્રાણેંદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ.