________________
૮૦૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના ?
હેતુ અવ્યક્તવ્ય ?
૫૩
એકમાં પર્યવસાન શી રીતે થઈ શકે છે?
અથવા થતું નથી ?
વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે ?
܀܀܀܀܀
સ્વસ્થિતિ આત્મદશા સંબંધે વિચાર.
તથા તેનું પર્યવસાન ?
ત્યાર પછી લોકોપકારપ્રવૃત્તિ !
૫૪
લોકોપકારપ્રવૃત્તિનું ધોરણ.
વર્તમાનમાં (હાલમાં) કેમ વર્તવું ઉચિત છે ?
૫૫
[ હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૧૪ ]
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૫ ]
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૭ ]
આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાનો સંયમ સઉપયોગપણે કરવો ઘટે છે.
પ
[ હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૧૮ ]
ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે.
કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં.
પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે.
નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.
જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે. તે કોઈ દિવસ ચૈતન થાય નહીં.
૫૭
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૦ ]
હે યોગ,
૫૮
[ હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૨૧ 1
એક ચૈતન્યમાં આ સર્વ શી રીતે ઘટે છે ?
܀܀܀܀܀
૫૯
[ કાથનોંધ ૧. પૃષ્ઠ ૧૨૨ ]
જો આ જીવે તે વિભાવપરિણામ ક્ષીણ ન કર્યાં તો આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.
܀܀܀܀
90
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૪ ]
જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
વિષયાત્તપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે.