________________
૭૯૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વૃદ્ધઃ- તમે ત્વરા ન કરો. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું.
વૃદ્ધઃ- આ “પ'ના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે. બાકી ૪'ના પ્રમાણે છે.
'' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે.
'હું' સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ન છે.
‘૮-૯-૧૦’ તેના કરતાં ક્રમે ઉજ્જ્વળ, પણ તે જ જાતિના છે. ‘૧૧’ના અંકવાળા પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે બારમે જ હું-હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશો.
પિતાજી, તમે મહાભાગ્ય છો.
આવા અંક કેટલા છે ?
હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫ |
વૃદ્ધઃ- ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાનું પણ તેમ જ. ‘૧૩-૧૪’ તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. ‘૧૩ યત્કિંચિત્ આવે; પણ 'પૂર્વક હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. ચૌદમાનું આગમનકારણ માગશો નહીં, કારણ નથી.
(નેપથ્ય) “તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરો. હું સહાયક થઉં છું."
ચાલો. ૪ થી ૧૧-૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીઓ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું; અને એ જ મારું પોતાનું લાગ્યું.
વૃદ્ધે મારા મનોગત ભાવ જાણીને કહ્યું- એ જ તમારો કલ્યાણમાર્ગ, જાઓ તો ભલે; અને આવો તો આ સમુદાય રહ્યો.
(સ્વવિચારભુવન, દ્વાર પ્રથમ)
܀܀܀܀܀
ઊઠીને ભળી ગયો.
હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૭ |
કાયાનું
નિયમિતપણું.
વચનનું સ્થાાદપણું.
મનનું
ઔદાસીન્યપણું
આત્માનું
મુક્તપણું.
(આ છેલ્લી સમજણ, )
હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૮
આત્મસાધન
દ્રવ્ય- હું એક છું. અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.
ક્ષેત્ર- અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું.
કાળ- અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ- શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
૧. પૂર્વકર્મ