________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨
૭૮૫
આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી ! મતલબ આ ચૈતન્યે કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી.
૧૫ સમ્યક્દૃષ્ટિ પુરુષો, કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોકવ્યવહાર નિર્દોષપણે લજ્જાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દેઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે.
૧૬ બીજા પદાર્થો ઉપર ઉપયોગ આપીએ તો આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તો સિદ્ધિ લબ્ધિ આદિ શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતો એ છે. એ શક્તિ બધી સાચી છે. ચૈતન્યમાં ચમત્કાર જોઈએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે. તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી; તે વૈદવામાં જ નિર્જરા સમજે છે.
૧૭ તમો જીવોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી.
૧૮ અશાતાનો ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાનીપુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે; કે જેથી તેનો ઉદય આવ્યે ચળે નહીં.
૧૯ સમ્યદૃષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે; તેમ જ્ઞાનીપુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદૃષ્ટિ ચૂકતા નથી.
૨૦ ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવા ન જોઈએ.
-
૨૧ વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય. શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે; અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુઃખનું ખરું કારણ કર્મ જ છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'માં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને ફરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતાં કેવો હર્ષ થાય છે ? તે પ્રમાણે પુદગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યક્પ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાનીપુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષીયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ; કારણ તે દીધા વગર છૂટકો થવાનો નથી.
નથી.
૨૨ સુખદુઃખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઇંદ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન
૨૩ ચરણાનુયોગમાં જ્ઞાનીએ અંતર્મુહૂર્ત આત્માનો અપ્રમત્ત ઉપયોગ માન્યો છે.
૨૪ કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે.
૨૫ ચરણાનુયોગમાં વ્યવહારમાં આચરી શકે તેનો સમાવેશ કર્યો છે.
૨૬ સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ કરણાનુયોગની અપેક્ષાએ નહીં; કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી.