________________
http://www.ShrimadRajchandra.org
૭૧૪
શ્રીમદ્ રાજચંદ્ર
જે સાધનો બતાવે તે તરવાનાં સાધનો હોય તો જ ખરાં સાધન. બાકી નિષ્ફળ સાધન છે. વ્યવહારમાં અનંતા ભાંગા ઊઠે છે, તો કેમ પાર આવે ? કોઈ માણસ ઉતાવળો બોલે તેને કષાય કહેવાય, કોઈ ધીરજથી બોલે તેને શાંતિ દેખાય, પણ અંતર્પરિણામ હોય તો જ શાંતિ કહેવાય.
જેને સૂવાની એક પથારી જોઈએ તે દશ ઘર મોકળાં રાખે તો તેવાની વૃત્તિ ક્યારે સંકોચાય ? વૃત્તિ રોકે તેને પાપ નહીં. કેટલાક જીવો એવા છે કે વૃત્તિ ન રોકાય એવાં કારણો ભેગાં કરે, આથી પાપ રોકાય નહીં.
૧૦
ભાદ્રપદ સુદ ૧૫, ૧૯૫૨
ચૌદ રાજલોકની કામના છે તે પાપ છે. માટે પરિણામ જોવાં. ચૌદ રાજલોકની ખબર નથી એમ કદાચ કહો, તોપણ જેટલું ધાર્યું તેટલું તો નક્કી પાપ થયું. મુનિને તણખલું પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું ગ્રહે તો તેટલું તેને પાપ છે.
જડ ને આત્મા તન્મયપણે થાય નહીં. સૂતરની આંટી સૂતરથી કાંઈ જુદી નથી; પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે; જોકે સૂતર ઘટે નહીં ને વધે નહીં. તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે.
સત્પુરુષ અને સત્શાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સદ્ગુરુ, સત્શાસ્ત્રરૂપ વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, પોતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સત્પુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ?
ઉપદેશજ્ઞાન અનાદિનું ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય.
જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય, વ્યવહારને નિષેધવો નહીં, એકલા વ્યવહારને વળગી રહેવું નહીં. આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હોવાપણું વિચારવામાં આવે તો અનુભવવામાં આવે; નહીં તો તેમાં શંકા થાય છે, જેમ એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણાને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ આત્માને સામાન્યપણે જાગૃતિ છે. આત્મા કેવળ ઊંધે નહીં; તેને આવરણ આવે. આત્મા હોય તો જ્ઞાન થાય. જડ હોય તો જ્ઞાન કોને થાય ?
પોતાને પોતાનું ભાન થવું, પોતે પોતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું.
ચૈતન્ય એક હોય તો ભ્રાંતિ કોને થઈ ? મોક્ષ કોનો થયો ? બધાં ચૈતન્યની જાતિ એક પણ પ્રત્યેક ચૈતન્યનું સ્વતંત્રપણું છે, જુદું જાદું છે. ચૈતન્યનો સ્વભાવ એક છે. મોક્ષ સ્વાનુભવગોચર છે. નિરાવરણમાં ભેદ નથી. પરમાણુ ભેળાં થાય નહીં એટલે કે આત્માને પરમાણુનો સંબંધ નહીં ત્યારે મુક્તિ, પરસ્વરૂપમાં નહીં મળવું તે મુક્તિ.
કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી; પણ જીવને પોતાપણું રાખવું છે. બંધ ક્યાં સુધી થાય ? જીવ ચૈતન્ય ન થાય ત્યાં સુધી. એકેંદ્રિયાદિક યોનિ હોય તોપણ જીવનો જ્ઞાનસ્વભાવ કેવળ લોપાઈ જાય નહીં, અંશે ખુલ્લો રહે છે. અનાદિકાળથી જીવ બંધાયો છે. નિરાવરણ થયા પછી બંધાતો નથી. ‘હું જાણું છું', એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું. આ જગતમાં બંધ ને મોક્ષ ન હોત તો શ્રુતિનો ઉપદેશ કોને અર્થે ? આત્મા સ્વભાવે કેવળ અક્રિય છે, પ્રયોગે ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જ અક્રિયપણું કહ્યું છે. નિર્વિવાદપણે વેદાંત વિચારવામાં અડચણ