________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૧૯
ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાંખી છે; પણ જો આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી, ઝળહળતો અગ્નિ નથી. મફતનો જીવને ભડકાવી દીધો છે. જ્ઞાનીનાં વચન સાંભળી યાદ રાખવાં નથી, જીવને પુરુષાર્થ કરવો નથી; અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પોતાનો વાંક સમજવો. સમતાની, વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને તેમ મૂકી દેવી. જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી રહે.
સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે. જેમ કોઈ સો પચાસ ગાઉ વેગળો હોય, તો બેચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય ? તેમ આ જીવ કલ્યાણમાર્ગથી થોડો વેગળો હોય, તો તો કોઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે ?
દેહાદિનો અભાવ થવો, મૂર્છાનો નાશ થવો તે જ મુક્તિ. એક ભવ જેને બાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઈએ. અજ્ઞાન ગયા પછી એક ભવ કાંઈ વિસાતમાં નથી. લાખો ભવ ગયા ત્યારે એક ભવ તો શું ડિસાબમાં ?
હોય મિથ્યાત્વ ને માને છઠ્ઠું કે સાતમું ગુણસ્થાનક, તેનું શું કરવું ? ચોથા ગુણસ્થાનકની સ્થિતિ કેવી હોય ? ગણધર જેવી મોક્ષમાર્ગની પરમ પ્રતીતિ આવે એવી.
તરવાનો કામી હોય તે માથું કાપીને આપતાં પાછો હઠે નહીં. શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું કુલક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં, અને વીતરાગની વાત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વચ્છંદે કરી કહે છે; તો તે કેમ છૂટશે ?
મહાવીરસ્વામીના દીક્ષાના વરઘોડાની વાતનું સ્વરૂપ જો વિચારે તો વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા.
અવિરતિ શિષ્ય હોય તો તેની સરભરા કેમ કરાય જ રાગદ્વેષ મારવા માટે નીકળ્યો. અને તેને તો કામમાં આવ્યા ત્યારે રાગદ્વેષ ક્યાંથી જાય ? જિનનાં આગમનો જે સમાગમ થયો હોય, તે તો પોતાના ક્ષયોપશમ પ્રમાણે થયો હોય, પણ સદ્ગુરુના જોગ પ્રમાણે ન થયો હોય. સદ્ગુરુનો જોગ મળ્યે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેનો ખરેખરો રાગદ્વેષ ગયો.
ગંભીર રોગ મટાડવા માટે ખરી દવા તરત ફળ આપે છે. તાવ તો એક બે દિવસે પણ મટે,
માર્ગ અને ઉન્માર્ગનું ઓળખાણ થવું જોઈએ. ‘તરવાનો કામી’ એ શબ્દ વાપરો ત્યાં અભવ્યનું પ્રશ્ન થતું નથી. કામી કામીમાં પણ ભેદ છે.
પ્રશ્નઃ” સત્પુરુષ કેમ ઓળખાય ?
ઉત્તર- સત્પુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય. સત્પુરુષોનાં લક્ષણોઃ- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય રહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળા જેવાં લાગે, સદ્ગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ, સોનાની અને પીતળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તો કર્મ ટળે. સદ્ગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં