________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨
૧૦ ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત.)
૧૧ સગર ચક્રવર્તીની કથા. (૬૦૦૦૦ પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય.)
૧૨ નમિરાજર્ષિની કથા. (મિથિલા બળતી દેખાડી વગેરે.)
૭૬૩
૨
મોરબી, અષાડ સુદ ૫, સોમ, ૧૯૫૬
૧ જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ(ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા, બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા, આથી કરી કંઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું,
ર આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યે વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા.
૩ ‘ઓસવાળ’ તે ‘ઓરપાક’ જાતના રજપૂત છે.
૪ ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં.
૫ આયુ કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય.
૬ અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે.
૭ દર્શન રોકાયે જ્ઞાન રોકાય.
૮ જ્ઞેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. વજન તેવાં કાટલાં,
૯ જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દૂરબીન આદિ પહેલા(પરમાણુ)નાં પ્રમાણ છે; અને અવધિ, મન પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, સ્મૃદ્ધિ વગેરે બીજા ચૈતન્યદ્રવ્યનાં પ્રમાણ છે.
3
મોરબી, અષાડ સુદ ૬, ભોમ, ૧૯૫૬
૧ ક્ષયોંપશમસમ્યકૃત્વને વૈદકસમ્યકત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યક્ત્વ તે વાસ્તવિક રીતે વેદકસમ્યક્ત્વ છે.
૨ પાંચ સ્થાવર એકેંદ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સુક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સુક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સુક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે.
૩ શ્રી તીર્થંકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં; તેમ જ પહેલું, બીજાં તથા ત્રીજાં પણ ન સ્પર્શે
૪ વર્ધમાન, હીંયમાન અને સ્થિત એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પરિણામની ધારા સમ્યકૃત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હોય; અને ચારિત્રઓશ્રી ભજના,
૫ ક્ષાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજો, ત્રીજાં અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે.
૬ ઉદય બે પ્રકારનો છે. એક પ્રદેશોદય; અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય (દેખીતી) રીતે વેદાય છે, અને પ્રદેશોદય અંદરથી વૈદાય છે.
વૈદાય.
૭ આયુષ્યકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે,
૮ આયુષપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. બીજી પ્રકૃતિઓ તે ભવમાં વેદાય, અને અન્ય ભવમાં પણ