________________
૭૭૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (૩) જ્ઞાનચેતના- સિદ્ધપર્યાય અનુભવે છે.
૨૫ મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે.
૧૪
૧ પર્યાયાલોચન-એક વસ્તુને બીજી રીતે વિચારવી તે.
મોરબી, અષાડ વદ ૨, શનિ, ૧૯૫૬
૨ આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દૃષ્ટાંતઃ છ ઇંદ્રિયોમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે, અને તેની સંકલના કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇંદ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે; તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે.
મૂકે છે.
૩ જે પ્રદેશે વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે.
૪ જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને
૫ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે; અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉંદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે.
૬ એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે છે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને ખોરાક પણ તથાપ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે.
૭ પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી; પણ તેનું પરિણામવિશેષ જાણવામાં આવે છે, તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દૃષ્ટાંત કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે,
. અનાગાર જેને વ્રતને વિષે અપવાદ નહીં તે.
હું અણગાર-ધરવિનાના
૧૦ સમિતિ-સમ્યક્ પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદાસહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે.
૧૧ સત્તાગત ઉપશમાં
૧૨ શ્રમણ ભગવાન=સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન.
૧૩ અપેક્ષા=જરૂરિયાત, ઇચ્છા.
૧૪ સાપેક્ષ=બીજા કારણ, હેતુની જરૂરિયાત ઇચ્છે છે તે.
૧૫ સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ એકબીજાને લઈને
܀܀܀
૧૫
મોરબી, અસાડ વદ ૩, રવિ, ૧૯૫૬
૧ અનુપપન્ન નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય.
૧૬
શ્રાવકઆશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે.
રાત્રે