________________
૪૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે. અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે.
દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યકૃપણે ઉત્પન્ન થાય છે.
તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે.
ચારિત્રમોહ, ચૈતન્યના-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે.
હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો.
બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદ્ઉપાય ન હોય તો તેમ કરશો.
જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર, ૐ શાંતિ
૯૦૨
દ્રવ્યનો સ્વભાવ વિન.
જડ ને ચૈતન્ય બન્ને સુપ્રતીતપણે બન્ને જેને સ્વરૂપ ચેતન નિજ
જડ
અથવા તે તૈય પણ
મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬
સમજાય છે સંબંધ માત્ર,
છે.
Audio
પદ્રવ્યમાંય છે.
ઉપાય છે.
૧
એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ પણ તેથી તેમ થાય છે: જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપની મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યની પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨
܀܀܀܀
૯૦૩
મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬
પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વીતરાગનો ધર્મ જ છે.
܀܀܀܀܀
૯૦૪
મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬
સંતજનો ! જિનવરેંદ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યાં છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ