________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૩ મું
૩૪૧
૮૯૭
મોહમયી ક્ષેત્ર, કારતક સુદ ૫ (જ્ઞાનપંચમી), સં. ૧૯૫૬
પરમ શાંત શ્રુતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. શાંતિ
૮૯૮
મુંબઈ, કારતક સુદ ૫, બુધ, ૧૯૫૬
આ પ્રવૃત્તિવ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપનૈષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. તેમાં અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુવૃત્તિના જીવો શાંત રહી શકે. સ્વરૂપનૈષ્ઠિક રહી શકે એમ યથારૂપ નહીં પણ અમુક અંશે થવાને અર્થે જે કલ્યાણરૂપ અવલંબનની આવશ્યકતા છે, તે સમજાવાં, પ્રતીત થવાં અને અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવાં કઠણ છે. જો તેવો કોઈ યોગ બને તો અને જીવ શુદ્ધ નૈષ્ઠિક થાય તો, શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય એમ નિશ્ચય છે. પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે.
આ સંસારરણભૂમિકામાં દુષમકાળરૂપ ગ્રીષ્મના ઉદયનો યોગ ન વેઠે એવી સ્થિતિનો વિરલ જીવો અભ્યાસ
કરે છે.
܀܀܀
૮૯૯
મોમથી, કાર્તિક સુદ ૫, બુધ, ૧૯૫૬
સર્વ સાવદ્ય આરંભની નિવૃત્તિપૂર્વક બે ઘડી અર્ધ પ્રહાર પર્યંત 'સ્વામીકાર્તિકયાનુપ્રેક્ષા' આદિ ગ્રંથની પ્રત કરવાનો નિત્યનિયમ યોગ્ય છે. ચાર માસ પર્યંત)
મોહમયી, કારતક સુદ ૫, ૧૯૫૬
અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે.
ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માનો છો એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તો સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે.
જ્યાં સુધી અન્યોન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે.
૯૦૧
મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૫૬
'ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર
વૃત્તતપઘર, તનું નાનધર, વંદી વૃષસિરમોર.'
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી.
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે, એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે.