________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૮૧
જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇંદ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઇંદ્રિય લબ્ધિ સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણૈન્તિપર્યંત સામાન્યપણે મનુષ્યપ્રાણીને પાંચ ઈન્દ્રિયની લબ્ધિનો યોપશમ હોય છે. તે ક્ષયોપશમની શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ-ઇંદ્રિયનો ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં; કેમકે ચક્ષુ-ઇંદ્રિયની ક્ષયોંપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે, અર્થાત્ ક્ષયોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોય તો ચક્ષુથી દેખાઈ શકતી નથી; તેમ બીજી ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયોંપશમશક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સુંધી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે.
બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, 'આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં, આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે, તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાનવડીએ સાંભળી શકાય છે. બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગોએથી ગંધ પરીક્ષા થાય; અમુક જગોએથી રસની પરીક્ષા થાય; જેમકે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી, પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે ?' તેનો સંક્ષેપમાં ઉત્તરઃ-
જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગટ્યાં હોય તો સર્વ પ્રદેશે તથાપ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું જ્ઞાયકપણું હોય; પણ જ્યાં ક્ષયોપશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયકપણું હોય. જે જીવને અત્યંત અલ્પ જ્ઞાનદર્શનની ક્ષયોપશમશક્તિ વર્તે છે, તે જીવને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાયકપણું હોય છે. તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત (પ્રગટ) થાય છે; તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તથા શબ્દને ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેન્દ્રિય સંબંધી ક્ષયોપશમ થાય છે. તથાપિ ક્ષયોપશમદશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેંદ્રિય સંબંધી જ્ઞાન, દર્શન, થતાં નથી, કેમકે શક્તિનું તેવું તારતમ્ય (સત્ત્વ) નથી, કે પાંચે વિષય સર્વાંગે ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, પણ અત્રે તો સામાન્ય ક્ષયોંપશમ, અને તે પણ દ્રિય સાપેક્ષ ક્ષયોપશમનો પ્રસંગ છે. અમુક નિયત પ્રદેશમાં જ તે ઇન્દ્રિયલબ્ધિનું પરિણામ થાય છે તેનો હેતુ ક્ષયોંપશમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે કે નિયત પ્રદેશે (અમુક મર્યાદા-ભાગમાં) અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય.
ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, ‘શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારુ તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે ? જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે.' તેનો સંક્ષેપમાં ઉત્તર-
તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે, અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમદ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાધ નામનો જીવસ્વભાવતથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીર્યંતરાયના ક્ષયોપશમનું સમવિષમપણું હોય છે.