________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૫૭૧
યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ઘનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે.
અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અર્હત ભગવાનની ઉપાસના પણ કર્ત્તવ્ય છે, કેમકે તે ભગવાન સયોગીસિદ્ધિ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અર્હત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે.
પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે-
'जे जाणई अरिहंते, दव्व गुण पज्जवेहिं यः
सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं.'
જે ભગવાન અતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું.
ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે; તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન મનને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મનો પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતાં સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે.
તે અર્હત ભગવાનમાં જેઓએ 'તીર્થંકરનામકર્મ'નો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે 'તીર્થંકર ભગવાન' કહેવાય છે; જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહપુણ્યયોગના ઉદયથી આશ્ચર્યકારી શોભે છે, ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા ચોવીશ તીર્થંકર થયા: શ્રી ઋષભદેવથી શ્રી વર્ધમાન.
વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે, પણ 'ભૂતપ્રજ્ઞાપનીયનય'થી તેમને વિષે 'તીર્થંકરપદ'નો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયદૃષ્ટિથી તે ચોવીશ ભગવાનની સ્તવનારૂપે આ ચોવીશ સ્તવનોની રચના કરી છે.
સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદ સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અર્હત ભગવાનનું સ્વરૂપ મૂળદેષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અર્હત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થંકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અદ્વૈતપદ પ્રથમ મુકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે.
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થદૃષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. ‘સિદ્ધપ્રાભૂત'માં કહ્યું છે કેઃ-
'जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं;
तह्मा सिद्धंतरुई, कायव्वा भव्यजीवेहिं.'