________________
૫૭૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૭૫૧
ૐ સર્વજ્ઞાય નમઃ
થવાણિયા, કાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૩
“આત્મસિકિ’માં કહેલા સમકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે.
આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે-
(૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે.
(૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે.
(૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે.
પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજાં સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે.
કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમા ક્ષીણમોહગુણસ્થાનક પર્યંત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું ‘કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે; એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.
܀܀܀܀܀
૭૫૨
વવાણિયા, ફાગણ વદ ૧૧, વિ, ૧૯૫૩
લેશ્યાઃ- જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ, અધ્યવસાયઃ- લૈશ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ.
સંકલ્પઃ- કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય.
વિકલ્પઃ- કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય,
સંજ્ઞાઃ- કંઈ પણ આગળ પાછળની ચિંતવનશક્તિવિશેષ અથવા સ્મૃતિ.
પરિણામ:- જળના દ્રવણસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે
અવસ્થાંતરની વિશેષ ધારા, તે પરિણતિ.
અજ્ઞાનઃ- મિથ્યાત્વસહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તો તે ‘અજ્ઞાન'.
વિભંગજ્ઞાનઃ- મિથ્યાત્વસહિત અતીન્દ્રિયજ્ઞાન હોય તે ‘વિભંગજ્ઞાન’.
વિજ્ઞાન- કંઈ પણ વિશેષપણે જાણવું તે 'વિજ્ઞાન,
૭૫૩ (૧)
‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે. ભાંગે સાદિ અનંત.’ ઋષભ૦ ૧
વવાણિયા, ૧૯૫૩
નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થંકર તે મારા પરમ વહાલા છે; જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે નહીં જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. ૧
વિશેષાર્થઃ- જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે; જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ