________________
નમસ્કાર.
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૮૦૮
૬૧૩
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩
સત્પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર
અવિષમ પરિણામથી જેમણે કાળફૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને
તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર.
܀܀܀܀܀
COC
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩
ઘણી વાર તમ વગેરેથી લિખિત પત્રો અમને મળ્યાં હોય છે; અને તેની પહોંચ પણ લખવાનું અશક્ય થઇ આવે; અથવા તો તેમ કરવું યોગ્ય ભાસે છે. આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે. તેવો પ્રસંગ બન્યું જીવન વિષે કંઇ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ સ્મરણ રાખવાને લખ્યું છે.
જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત્ પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથા
૮૧૦
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩
પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શક્યું નથી
જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત
રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.
લોકદૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે.
જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઇ દેખાતું નથી.
૮૧૧
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩
સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમાદૃષ્ટિ છે.
સત્પુરુષનો યોગ તથા સત્યમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પુરુષનો યોગ તથા સત્યમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે.
“શાંતસુધારસ” અને ‘યોગદૃષ્ટિસમુચ્ચય” ગ્રંથ હાલ વિચારવાનું રાખશો. એ બન્ને ગ્રંથ પ્રકરણરત્નાકરના ચોપડામાં છપાયેલા છે, એ
૮૧૨
કોઈ એક પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી.
મુંબઈ. આસો સુદ ૮, રવિ, ૧૯૫૩