________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૫૯૩
૧૧૧ તેમાં ત્રણ સ્થાવર છે. અલ્પ યોગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત ‘એક ઇંદ્રિય જીવો’ જાણવા.
૧૧૨ એ પાંચે પ્રકારનો જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેંદ્રિય છે, એમ સર્વને કહ્યું છે.
૧૧૩ ઇંડામાં જેમ પક્ષીનો ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂર્છાગત અવસ્થા છતાં જીવત્વ છે. તેમ એકેંદ્રિય જીવો’ પણ જાણવા.
૧૧૪ શંબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવો રસ, અને સ્પર્શને જાણે છે, તે બે ઇંદ્રિય જીવો’ જાણવા. ૧૧૫ જૂ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે; તે ‘ત્રણ ઈન્દ્રિય જીવો’ જાણવા.
૧૧૬ ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભ્રમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે ચાર ઈન્દ્રિય જીવો' જાણવા.
૧૧૭ દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે; તે બળવાન પાંચ ઈન્દ્રિયવાળા જીવો છે.
૧૧૮ દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે; તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે.
૧૧૯ પૂર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને લેશ્યાના વંશથી બીજા દેહમાં જાય છે.
૧૨૦ દેહાશ્રિત જીવોના સ્વરૂપનો એ વિચાર નિરૂપણ કર્યો; તેના 'ભવ્ય' અને 'અભવ્ય' એવા બે ભેદ છે. ટેરહિત એવા “સિ ભાગવંતો છે.
૧૨૧ ઇંદ્રિયો જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. વસ્તુતાએ તો જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ.
૧રર જે સર્વ જાણે છે. દેખે છે. દુઃખ ભેદીને સુખ ઇચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે જીવ છે.
૧૨૩
૧૨૪ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ.
૧૨૫ સુખદુઃખનું વૈદન, હિતમાં પ્રવૃતિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ ‘અજીવ’ કહે છે.
૧૬ સંસ્થાન, સંઘાત, વર્ગ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાય ઘણા છે. ૧૨૭ અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એવો જેનો ચૈતન્ય ગુણ છે તે ‘જીવ’ છે.
૧૨૮ જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માટી ગતિ થાય છે,
૧૨૯ ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇંદ્રિયો અને ઇંદ્રિયોથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે.