________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૫૭૯
ઓનો યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહત્પુરુષોએ એક લોકથી માંડી દ્વાદશાંગપર્યંત રચના કરી છે.
તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વીતરાગ છે, કે જેના સ્વરૂપનું મહાત્માપુરુષો નિરંતર ધ્યાન કરે છે; અને તે પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એમ પ્રતીતિથી અનુભવે છે. સર્વજ્ઞ વીતરાગનાં વચનને ધારણ કરીને મહત્ આચાર્યોએ દ્વાદશાંગની રચના કરી હતી, અને તદાશ્રિત આજ્ઞાંકિત મહાત્માઓએ બીજાં અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. આ પ્રમાણે દ્વાદશાંગનાં નામ છેઃ-
(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃતદશાંગ, (૯) અનુત્તરૌપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાક અને (૧૨) દૃષ્ટિવાદ
તેમાં આ પ્રમાણે નિરૂપણ છેઃ-
કાળદોષથી ઘણાં સ્થળો તેમાંથી વિસર્જન થઈ ગયાં, અને માત્ર અલ્પ સ્થળો રહ્યાં.
જે અલ્પ સ્થળો રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતામ્બર આચાર્યો કહે છે. દિગંબરો તેમાં અનુમત નહીં થતાં એમ કહે છે કે,-
વિસંવાદ કે મતાગ્રહની દૃષ્ટિએ તેમાં બન્ને કેવળ ભિન્ન ભિન્ન માર્ગની પેઠે જોવામાં આવે છે. દીર્ઘદૃષ્ટિએ જોતાં તેનાં જાદાં જ કારણો જોવામાં આવે છે.
ગમે તેમ હો, પણ આ પ્રમાણે બન્ને બહુ નજીકમાં આવી જાય છેઃ
વિવાદનાં ઘણાં સ્થળો તો અપ્રયોજન જેવાં છે; પ્રયોજન જેવાં છે તે પણ પરોક્ષ છે.
અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે, અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે.
હવે, આ પ્રસ્તાવના અત્રે સંક્ષેપીએ છીએ; અને જે મહાત્માપુરુષ-
આ પ્રમાણે સુપ્રતીત થાય તો
हिंसा रहिए धम्मे । अट्ठारस दोस विवज्जिए देवे ॥
निग्गंथे पवयणे । સઘળું ફોર્ફ સન્મત્ત 1111