________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવો યોગ્ય છે.
સંસ્કૃતનો પરિચય ન હોય તો કરશો.
૭૪૨
૫૬૭
મોરબી, માહ વદ ૪, રવિ, ૧૯૫૩
જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક્ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દૃઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે.
܀܀܀
મોરબી, માહ વદ ૪, રવિ, ૧૯૫૩
૭૪૩
"સકળ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે,
મુખ્યપણે જે આતમરામી, તે કડિયે
નિષ્કામી રે.’
મુનિશ્રી આનંદઘનજી
ત્રણે પત્રો મળ્યાં હતાં. હાલ પંદરેક દિવસ થયાં અત્રે સ્થિતિ છે. હજી અત્રે થોડાક દિવસ થવાનો સંભવ છે. પત્રાકાંક્ષા અને દર્શનાકાંક્ષા જાણી છે. પત્રાદિ લખવામાં હાલ બહુ જ ઓછી પ્રવૃત્તિ થઈ શકે છે. સમાગમને વિષે હમણાં કંઈ પણ ઉત્તર લખાવો અશક્ય છે.
શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી “આત્મસિદ્ધિ શાસ્ત્ર"ને વિશેષ કરી મનન કરશો. બીજા મુનિઓને પણ પ્રશ્નવ્યાકરણાદિ સૂત્ર સત્પુરુષના લક્ષે સંભળાવાય તો સંભળાવશો.
܀܀܀܀܀
૭૪૪
શ્રી. સજાત્મસ્વરૂપે યથા
વવાણિયા, માટે વદિ ૧ર, શનિ, ૧૯૫૩
“તે માટે ઊભા કરજોડી, જિનવર આગળ કહીએ રે;
સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે.'
-
મુનિશ્રી આનંદઘનજી
‘કર્મગ્રંથ” નામે શાસ્ત્ર છે. તે હાલ અથ ઇતિ સુધી વાંચવાનો, શ્રવણ કરવાનો તથા અનુપ્રેક્ષા કરવાનો પરિચય રાખી શકો તો રાખશો, બેથી ચાર ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે.
***
૭૪૫
વવાણિયા, ફાગણ સુદ ૨, ૧૯૫૩
એકાંત નિશ્ચયનયથી મતિ આદિ ચાર જ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પજ્ઞાન કહી શકાય; પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળજ્ઞાન પામે નહીં. કેવળજ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે.
૭૪૬
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભુલે નિજ ભાન
વાણિયા, કા.સુદ ૨, ૧૯૫૩