________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન-
ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯
૫૩૫
જે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. ૧૯
એવો માર્ગ વિનય તણો, માખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦
એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે, ૨૦
અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કોઈ;
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧
આ વિનયમાર્ગ કર્યો તેનો લામ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર;
હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨
જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદગુરુને વિષે પોતે સદ્ગુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. ૨૨
હોય મતાર્થી તેને, થાય ને આતમલક્ષ;
તેફ મતાર્થી લક્ષણો, અહીં કામાં નિર્પ. ૨૩
જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. ૨૩
મતાર્થી-લક્ષણ
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય;
અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ર૪
જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તોપણ તેમાં જ મમત્વ રાખે. રજ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ, ૨૫
જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. ૨૫
પ્રત્યક્ષ સદ્ગુરુસ્યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ;
અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ક