________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
જૈનદર્શનના સહજ પ્રકારાંતરથી બે ભેદ છે; દિગંબર અને શ્વેતાંબર.
પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે,
બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાયે સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી..
૫૨૧
નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્તા છે. વેદાંતને અભિપ્રાયે આત્માને વિષે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે અને તે રીતે ર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે.
યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે.
બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાનમાત્ર છે; અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદિ તત્ત્વ છે. તેમાં વિજ્ઞાનસ્કંધ ક્ષણિકપણે આત્મા છે. નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાન્નિધ્યથી જ્ઞાન ઊપજે છે.
સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિત્માત્રસ્વરૂપ છે. જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જાદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરાવગાહવર્તી માન્યો છે.
પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે.
ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.
૭૧૨
આણંદ, ભા. વદ ૧૨, રવિ, ૧૯૫૨
કાગળ મળ્યો છે. “મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ' સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જે કારણથી લખાયું હતું, તેવું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એવાં પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી, અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે; તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવાં પ્રશ્ન પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું યોગ્ય છે, એમ જણાવ્યું હતું; તેમ તેવાં પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા ઘણું કરી વર્તતી નથી, એમ જણાવ્યું હતું, અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે.
૭૧૩
આણંદ. આશ્વિન, ૧૯૫૨
આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાનઃ- દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણો ?
હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી, અથવા તથારૂપ અતિશયસંપન્ન ધર્મપ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શાં કારણો ?
હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંણવે છે કે કેમ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત ક્યાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર