________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૭૫
ઉદાસીનતા બે ત્રણ દિવસના દર્શનલામે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરનો દર્શનલાભ આપે એમ કરો તો પધારવું - નહીં તો હાલ નહીં.
܀܀܀܀܀
૨૨૦
મુંબઈ. ફાલ્ગુન વદ ૩, શનિ, ૧૯૪૭
આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું, જન્માક્ષર વિષેનો ઉત્તર હાલ મળી શકે તેમ નથી. ભક્તિ વિષેનાં પ્રશ્નોનો ઉત્તર પ્રસંગે લખીશ. અમે આપને જે વિગતવાળા પત્રમાં ‘અધિષ્ઠાન’ વિષે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય તેવું છે.
'અધિષ્ઠાન' એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી, અને જેમાં તે લય પામી તે. એ વ્યાખ્યાને અનુસરી "જગતનું અધિષ્ઠાન' સમજશો.
જૈનમાં ચૈતન્ય સર્વ વ્યાપક કહેતા નથી. આપને એ વિષે જે કંઈ લક્ષમાં હોય તે લખશો.
૨૨૧
મુંબઈ, ફાલ્ગુન વદ ૮, બુધ, ૧૯૪૭
શ્રીમદ્ ભાગવત પરમભક્તિરૂપ જ છે. એમાં જે જે વર્ણવ્યું છે, તે તે લક્ષરૂપને સૂચવવા માટે છે. મુનિને સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિષે, કંઈ પૂછવાથી લક્ષરૂપ ઉત્તર મળી નહીં શકે. કલ્પિત ઉત્તરે કાર્યસિદ્ધિ નથી. આપે જ્યોતિષાદિકની પણ હાલ ઇચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે- અને કલ્પિત પર લક્ષ નથી.
પરસ્પર સમાગમ-લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઇચ્છું છું. આમ ઉપાધિ જોગ વિશેષ વર્તે છે, તથાપિ સમાધિમાં જોગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય એવો ઈશ્વરનો અનુગ્રહ રહેશે એમ લાગે છે. વિશેષ વિગતવાર પત્ર લખીશ ત્યારે.
વિ0 રાયચંદ
મુંબઈ, ફાગણ વદ ૧૧, ૧૯૪૭
૨૨૨
જ્યોતિષને કલ્પિત કહેવાનો હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે, અને પારમાર્થિક જ સત્ છે; અને તેની જ રટણા રહે છે. મને પોતાને શિર હાલ ઉપાધિનો બોજો ઈશ્વરે વિશેષ મૂક્યો છે, એમ કરવામાં તેની ઇચ્છા સુખરૂપ જ માનું છું.
પંચમકાળને નામે જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે; અને કળિકાળને નામે પુરાણ ગ્રંથો ઓળખે છે, એમ આ કાળને કઠિન કાળ કહ્યો છે; તેનો હેતુ જીવને “સત્સંગ અને સત્શાસ્ત્ર'નો જોગ થવો આ કાળમાં દુર્લભ છે, અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે.
અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તો અનુભવ આપે છે. અમારું ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે; અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે.
܀܀܀
૨૨૩
देहाभिमाने गलिते,
विज्ञाते
यत्र यत्र मनो याति तत्र तत्र
મુંબઈ, ફાગણ વદ ૧૪, બુધ, ૧૯૪૭
परमात्मनि । समाधयः ।।
હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.
આપના પત્ર ઘણી વાર વિગતથી મળે છે; અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઇચ્છા થાય છે. તથાપિ .... કારણથી તે ઇચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે; અને પત્રનો