________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૬ મું ૪૨૮
393
મુંબઈ, માહ વદ ૪, ૧૯૪૯
શુભેચ્છાસંપન્ન મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે,
પત્ર બે પહોંચ્યા છે. અત્ર સમાધિ પરિણામ છે. તથાપિ ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે. અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં હૃદયયોગ હોવાથી નિષ્લેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે.
કોઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે.
૪૨૯
મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૪૯
કોઈ માણસ આપણા વિષે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતાં સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલાં કંઈ હર્ષ-ખેદ જેવું હોતું નથી.
મારી ચિત્તવૃત્તિ વિષે ક્યારેક ક્યારેક લખાય છે, તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે; અને એ લખવાનો અર્થ કંઈ વ્યવહારમાં માઠાં પરિણામવાળો દેખાવો યોગ્ય નથી.
થયેલા સંસ્કાર મટવા દુર્લમ હોય છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. બાકી એવો વિષય કોઈ નથી કે જેને વાંસે ઉપાધિતાપે દીનપણે તપવું યોગ્ય હોય અથવા એવો કોઈ ભય રાખવા યોગ્ય નથી કે જે માત્ર આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય.
૪૩૦
મુંબઈ, માહ વદ ૦)), ગુરુ, ૧૯૪૯
અત્ર પ્રવૃત્તિઉદયે સમાધિ છે. લીમડી વિષે જે આપને વિચાર રહે છે, તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ.
કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે, કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો; આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે.
આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિષેનો વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમકાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે, તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવાયોગ્ય છે અથવા એનો જે માર્ગ છે, તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે; અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિઃસંશય પ્રતિબંધરૂપ છે.
જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકો તોપણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદપરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમ જ જ્ઞાનીનાં વચન પણ તેની તે દૃષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ