________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૭૯
૨૩૧
મુંબઈ, ચૈત્ર સુદ ૭, બુધ, ૧૯૪૭
મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી; તેમ કર્યાં સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાત્મ્ય છે. પરમાત્માએ એમના 'પરચા' પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉંપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યમક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય, આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિઃસ્પૃહ નહીં હો, (નહીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે.
૨૩૨
મુંબઈ. ચૈત્ર સુદ ૯, શુક્ર, ૧૯૪૭
સુજ્ઞ ભાઈ ત્રિભોવન,
પરેચ્છાનુચારીને શબ્દ-ભેદ નથી.
કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દૃઢ રહે એમ રહેવું બહુ વિકટ છે, એમ જે ડાહ્યા મનુષ્યો કહે છે તે ખરું છે. તો તમને પણ આ પ્રસંગે આર્ત્તપૂર્વક ચિંતન રહેતું હશે, અને તેમ થવું સંભાવ્ય છે. કાર્યનું પરિણામ, પશ્ચાત્તાપથી તો, આવ્યું હોય તેથી અન્યથા ન થાય; તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો; અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને ‘સત્' સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષોને પણ રહેવું વિકટ છે, તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજો.
જોકે અમને ઉપાધિયોગ છે તથાપિ અવકાશ નથી મળતો એમ કંઈ છે નહીં, પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિષે કંઈ ન થઈ શકે, અને રુચિ પણ હાલ તો તેમ જ રહે છે.
માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે; અને કાં કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એવો આ માયાપ્રપંચ છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્ત્યા વિના જોગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યે કોટ્યવધિ યોજનો ચાલ્યા કરે છે; ત્યાં જોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય ? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ‘ન ચાલતાં’ કરવો જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. અત્ર ઈશ્વરાનુગ્રહ છે.
વિશ્વ રાયચંદના પ્રણામ.
મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, ૧૯૪૭
233
જંબુસ્વામીનું દૃષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું, અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઇચ્છા
છતાં લોકપ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે, તો તે પરમાર્થને કલંકરૂપ છે, એવો જે મહાત્મા જંબુનો આશય તે સત્ય હતો.