________________
૩૦૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૨૮૯
વવાણિયા, આસો વદ ૧૦, સોમ, ૧૯૪૭
પરમાર્થવિષયે મનુષ્યોનો પત્રવ્યવહાર વધારે ચાલે છે; અને અમને તે અનુકૂળ આવતો નથી. જેથી ઘણા ઉત્તર તો લખવામાં જ આવતા નથી. એવી હરિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે,
૨૯૦
એક દશાએ વર્તન છે, અને એ દશા હજુ ઘણો વખત રહેશે. ત્યાં સુધી ઉદયાનુસાર પ્રવર્તન યોગ્ય જાણ્યું છે, માટે કોઈ પણ પ્રસંગે પત્રાદિની પહોંચ મળતાં વિલબં થાય અથવા ન મોકલાય, અથવા કંઈ ન જણાવી શકાય તો તે શોચ કરવા યોગ્ય નથી, એમ દૃઢ કરીને અત્રેનો પત્રપ્રસંગ રાખજો.
܀܀܀܀
૨૯૧
વવાણિયા, આસો વદ ૧૨, ગુરુ, ૧૯૪૭
પૂર્ણકામ ચિત્તને નમોનમઃ
આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દે કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતોષરૂપ એવાં તમારાં બન્નેનાં પત્રનો ઉત્તર શાથી લખવો તે તમે કહો.
ધર્મજના સવિગત પત્રની કોઈ કોઈ બાબત વિષે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી, એટલે જણાવી નથી.
ત્રિભુવનાદિકની ઇચ્છાને અનુસરી આણંદ સમાગમ જોગ થાય એમ કરવા ઇચ્છા છે; અને ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હોય તે પૂછજો.
ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે.
મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું, આ પત્ર લખતાં સૂઝતાં લખ્યું છે. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષયે રહો છો તે લખશો.
તમારી ઇચ્છા અમારાં વચનાદિક માટે હોઈ પત્ર ઇચ્છતી હશે, પણ ઉપર જણાવ્યાં છે જે કારણો તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે એમ ગણજો.
એક કોઈ નહીં જણાવેલા પ્રસંગ વિષે વિગતથી પત્ર લખવાની ઇચ્છા હતી, તેનો પણ નિરોધ કરવો પડ્યો છે. તે પ્રસંગ ગાંભીર્યવશાત્ આટલાં વર્ષ સુધી હૃદયમાં જ રાખ્યો છે. હવે જાણીએ છીએ કે કહીએ, તથાપિ તમારી સત્સંગતિએ આવ્યું, કડીએ તો કહીએ. લખવાનું બને તેમ નથી લાગતું.
એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે.
કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.