________________
૨૩૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉત્તાપ;
નિત્ય કર્યો સત્સંગ મૈં. એક લક્ષથી આપ.
܀܀
૧૫૫
મુંબઈ, ૧૯૪૬
કેટલીક વાતો એવી છે કે, માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન, વચન, કાયાથી પર છે. કેટલીક વાતો એવી
છે, કે જે વચન, કાયાથી પર છે. પણ છે.
શ્રી ભગવાન
શ્રી મઘા.
૧૫૬
શ્રી બખલાધ.ર
મુંબઈ, ૧૯૪૬
પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું -
તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા.
અનંત ચૈતન્યાત્માઓ બહુ દીઠા.
અનંત મોક્ષપાત્ર દીઠા.
અનંત મોક્ષઅપાત્ર દીઠા.
અનંત અધોગતિમાં દીઠા.
ઊર્ધ્વગતિમાં દીઠા.
તેને પુરુષાકારે જોયું.
જડ ચૈતન્યાત્મક જોયું.
܀܀܀܀܀
૧૫૭
રોજનીશી
(૧)
સં. ૧૯૪૬
મુંબઈ, કાર્તિક વદ ૧, શુક્ર, ૧૯૪૬
નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દૃષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે.
(ર)
મુંબઈ, કાર્તિક વદ ૩, રવિ, ૧૯૪૬
આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માનો કે ૪૬ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલદશા સિવાય બીજું કઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મોનીયબળવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નીરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આચડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુઃખ સિવાય બીજું કંઇ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા
૧. બારાક્ષરીનો એકેક ઉપલો અક્ષર વાંચવાથી ‘ભગવાન’ થશે.
૨. બારાક્ષરીનો એકેક ઊતરતો અક્ષર વાંચવાથી ‘ભગવાન' થશે.
૩. સંવત ૧૯૪૬ની રોજનીશી(ડાયરી)માં અમુક મિતિઓએ પોતાની વિચારચર્યાં શ્રીમદે લખી છે. આ રોજનીશીમાંથી કેટલાંક પાનાં કોઇએ કાડી લીધેલાં જાત્રાય છે, જેટલાં પાન રોજનીશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે.