________________
૫૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે.
અંબાલાલનું હાલ પત્ર નથી. લખવા કહો.
વિ રાયચંદના થ
܀܀܀܀܀
૧૭૪
મુંબઈ, કાર્તિક વદ ૫, સોમ, ૧૯૪૭
સંતને શરણ જા.
સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ,
તમારું એક પત્ર મળ્યું, તમારા પિતાશ્રીનું ધર્મેચ્છક પત્ર મળ્યું. પ્રસંગે તેમને યોગ્ય ઉત્તર આપવાનું બનશે. તેવી ઇચ્છા કરીશ.
સત્સંગ એ મોટામાં મોટું સાધન છે.
સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી.
આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિકથી તેમને કથન કથતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો.
સુજ્ઞ ભાઈ અંબાલાલ.
܀܀܀܀܀
૧૭૫
વિ0 રાયચંદના ય૦
મુંબઈ, કારતક વદ ૮, ગુરુ, ૧૯૪૭
અત્ર આનંદવૃત્તિ છે. તમે બધાં સત્સંગની વૃદ્ધિ કરશો. છોટાલાલનું આજે પત્ર મળ્યું, તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઇચ્છા છે.
પરમ સમાધિ છે.
વિશ્વ રાયચંદના થત
૧૭૬
મુંબઈ, કાર્તિક વદ ૯, શુક્ર, ૧૯૪૭
જીવન્મુક્ત સૌભાગ્યમૂર્તિ સૌભાગ્યભાઈ,
મોરબી.
મુનિ દીપચંદજી સંબંધી આપનું લખવું યથાર્થ છે. ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લમ છે.
જીવને સંસારપરિભ્રમણનાં જે જે કારણો છે, તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ, તે જ્ઞાનનો ઉપદેશ કરવી, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચળવિચળપણું છતાં પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય જ છે એમ ઉપદેશવું, તે સર્વથી મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો, તો લાગી શકશે.
પોતે શંકામા ગળકાં ખાતો હોય, એવો જીવ નિઃશંક માર્ગ ખોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તોપણ તેવો હેતુ નથી જ. જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાનકાળે રખડે છે, ભવિષ્યકાળે રખડશે,
જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું