________________
૨૩૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
રીતે અમે સમાધિરૂપ હોઈએ ? તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય
કરવો જ.
સર્વત્ર આનંદરૂપ સત્ છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિષે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે.
છીએ.
કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ
અનંત પ્રદેશભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે, એમ નિશ્ચય છે. એમ કેંટ કરું છું.
આ સૃષ્ટિ પહેલાં તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પોતાની ઇચ્છાથી જગતરૂપે થયેલ છે. બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહા વિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્ર ભરપૂર એવો અમૃતરસ તે બીજને વૃક્ષ સમ થવામાં શ્રી હરિ પ્રેરે છે.
સર્વ પ્રકારે તે અમૃતરસ તે શ્રી પુરુષોત્તમની ઇચ્છારૂપ નિયતિને અનુસરે છે કારણ કે તે તે જ છે.
અનંતકાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કાંઈ હતુંયે નહીં અને અનંત લય પછી હશે પણ નહીં. હરિ એમ ઇચ્છે જ છે કે એક એવો હું બહુરૂપે હોઉં અને તેમ હોય છે.
૧૬૦
પાન ૧
ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે.
પાન ૨
વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે.
જોકે એક વાવેત જ સમજાય છે.
અને તેમજ છે.
સત્
જડ
ચિત્
હરિ
જીવ
નદ
પરમાત્મા
અને એ જ અમારી અંતરની પરમ રુચિ.
܀܀܀܀܀
પરમાત્મા આનંદ, સત્ અને ચિન્મય છે.
પાન ૩
પરમાત્મસૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી.
પાન ૪
܀܀܀܀܀
!!!
જીવસૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે.
પરમાત્મસૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરીને પરિપૂર્ણ ભરપૂર છે.
૧. એક મુમુક્ષુ તરફથી મળેલી શ્રીમના સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેનાં પાન ૩૧ લખાયેલાં છે.
પાન ૫-૬