________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
સમુચ્ચયે નમસ્કાર કરવામાં જે ભક્તિ તેનાં નામ લઈ પોતાનું એકત્વ દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. વિનય સહિત- શબ્દથી યથાયોગ્ય વિધિનો બોધ કર્યો. ભક્તિનું મૂળ વિનય છે, એમ દર્શાવ્યું.
૧૬૧
નિજ શીસ- એ શબ્દથી દેહના સઘળા અવયવોમાં મસ્તક એ શ્રેષ્ઠ છે, અને એના નમાવવાથી સર્વાંગ નમસ્કાર થયો. તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની છે, એમ સૂચવ્યું. નિજ શબ્દથી આત્મત્વ જુદું દર્શાવ્યું, કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ .......(શીસ)
કાલજ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન;
ગુરુ કરુના કરી કહત હૂં, શુચિ સ્વરોદયજ્ઞાન.
કાલજ્ઞાન નામના ગ્રંથ વગેરેથી, જૈન સિદ્ધાંતમાં કહેલા બોધના અનુમાનથી અને ગુરુની કૃપાના પ્રતાપ વડે કરીને સ્વરોદયનું પવિત્ર જ્ઞાન કહું છું.
કાલજ્ઞાન એ નામનો અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથનો પણ આધાર લીધો છે, એમ કહ્યું.
કે
આગમ અનુમાન- એ શબ્દથી એમ દર્શાવ્યુ કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે, તેથી મારી દૃષ્ટિએ જ્યાં જ્યાં જેમ બોધ લીધો તેમ તેમ મેં દર્શાવ્યું છે. મારી દૃષ્ટિએ અનુમાન છે, કારણ હું આગમનો પ્રત્યક્ષ જ્ઞાની નથી, એ હેતુ.
ગુરુ કરુના- એ શબ્દોથી એમ કહ્યું કે કાલજ્ઞાન અને આગમના અનુમાનથી કહેવાની મારી સમર્થતા ન થાત, કારણ તે મારી કાલ્પનિક દૃષ્ટિનું જ્ઞાન હતું; પણ તે જ્ઞાનનો અનુભવ કરી દેનારી તે ગુરુ મહારાજની કૃપાદૃષ્ટિ- સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત્ત ધાર;
તાથી શુભાશુભ કીજીએ. ભાવિ વસ્તુ વિચાર,
ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવિ વસ્તુનો વિચાર કરી "શુભાશુભ' એ;
અતિ થિરતા ચિત્ત ધાર- એ વાક્યથી ચિત્તનું સ્વસ્થપણું કરવું જોઈએ ત્યારે સ્વરનો ઉદય થાય-યથાયોગ્ય, એમ સૂચવ્યું. શુભાશુભ ભાવિ વસ્તુ વિચાર- એ શબ્દથી એમ સૂચવ્યું કે તે જ્ઞાન પ્રતીતભૂત છે, અનુભવ કરી જુઓ ! હવે વિષયનો પ્રારંભ કરે છેઃ-
નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન;
તામે નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન,
શરીરમાં નાડી તો ઘણી છે; પણ ચોવીસ તે નાડીઓમાં મુખ્ય છે; તેમાં વળી નવ મુખ્ય અને તેમાં પણ વિશેષ તો ત્રણ જાણ
હવે તે ત્રણ નાડીનાં નામ કહે છેઃ-
ઇંગલા પિંગલા સુષુમના, ઐ તીનુંકે નામ;
ભિન્ન ભિન્ન અબ કહત હૂં, તાકે ગુણ અરુ ધામ.
ઇંગલા પિંગલા, સુષુમણા એ ત્રણ નાડીનાં નામ છે; હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાનાં સ્થળ કહું છું.
અલ્પાહાર નિદ્રા વશ કરે.
હેન સ્નેહ જગથી પરિહર: