________________
૧૯૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નાના પ્રકારના વિચારો ગમે તે રૂપે અનુક્રમવિહીન આપની સમીપ મૂકું, તો તેને યોગ્યતાપૂર્વક આત્મગત કરતાં દોષને માટે - ભવિષ્યને માટે પણ - ક્ષમા ભાવ જ આપશો.
આ વેળા લધુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય(તેની વસ્તુસ્વભાવ)થી, ક્ષેત્ર(કંઈ પણ તેનું વ્યાપવું - ઉપચારે કે અનુપચાર)થી, કાળથી અને ભાવ(તેના ગુણાદિક ભાવ)થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતાએ આત્માની વ્યાખ્યા અવકાશાનુકૂળ દર્શાવો, તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદ્ભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે; પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાચન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે; અને 0 0 0 પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું.
આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગભૂમિકા છે. અહીં એક સન્મુનિ ઇનો મને પ્રસંગ રહે છે.
વિશ્વ આ રાયચંદ રવાભાઈના પ્રશ્ન
૭૨
ભરૂચ, શ્રાવણ સુદ ૧૦, ૧૯૪૫
બાહ્યભાવે જગતમાં વર્તી અને અંતરંગમાં એકાંત શીતલીભૂત - નિર્લેપ રહો એ જ માન્યતા અને બોંધના છે.
૭૩
મુંબઈ, શ્રાવણ વદ ૭, શનિ, ૧૯૪૫ તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી. તે જરૂર કરી લખશો, અને શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ અશોકરૂપે પ્રવર્તશો.
સુજ્ઞ ચિ
૭૪
વવાણિયા, ભાદરવા સુદ ૨. ૧૯૪૫
સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. તમારા સમગ્ર કુટુંબને અવિનયાદિકને માટે ક્ષમાવું છું.
પરતંત્રતા માટે ખેદ છે. પરંતુ હમણાં તો નિરુપાયના છે.
પત્રનો ઉત્તર લખવામાં ચીવટ રાખશો. મહાસતીજીને અભિવંદન કરશોજી.
܀܀܀܀܀
૭૫
રાજ્યના ય આ
મુંબઈ, ભાદરવા વદ ૪, શુક્ર, ૧૯૪૫
મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો. વિશેષતા ન કરો. ધર્મધ્યાન અને વ્યવહાર બન્ને સાચવો. લોભી ગુરુ, એ ગુરુ-શિષ્ય બન્નેને અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું. મને અલ્પ જ્ઞાન છે. શુદ્ધ ગુરુની તમને જરૂર છે.
૭૬
મોહમયી, આસો વદિ ૧૦, શનિ, ૧૯૪૫
બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ષો જા.
પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે