________________
http://www.ShrimadRajchandra.org
૧૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશો ત્યારે નિશ્ચય એવો વિચાર કરશો કે એ પરમેશ્વર હતા. કર્તા નહોતો અને જગત અનાદિ હતું તો તેમ કહ્યું. એના અપક્ષપાતી અને કેવળ તત્ત્વમય વિચારો આપે અવશ્ય વિશોધવા યોગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વી અધોગતિ સેવશે.
હતો.
તે
આ પછી કેટલીક વાતચીત થઈ. પ્રસંગોપાત્ત એ તત્ત્વ વિચારવાનું વચન લઈને સહર્ષ હું ત્યાંથી ઊઠ્યો
તત્ત્વાવોધના સંબંધમાં આ કથન કહેવાયું. અનંત ભેદથી ભરેલા એ તત્ત્વવિચારો જેટલા કાળભેદથી જેટલા જ્ઞેય જણાય તેટલા જ્ઞેય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા ગ્રહવા; અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા. એ તત્ત્વોને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન થાય છે એ હું સત્યતાથી કહું છું. એ નવ તત્ત્વનાં નામ મૂકવામાં પણ અરધું સૂચવન મોક્ષની નિકટતાનું જણાય છે !
܀܀܀܀
શિક્ષાપાઠ ૯૩. તત્ત્વાવબોધ-ભાગ ૧૨
એ તો તમારા લક્ષમાં છે કે જીવ, અજીવ અને અનુક્રમથી છેવટે મોક્ષ નામ આવે છે. હવે તે એક પછી એક મૂકી જઈએ તો જીવ અને મોક્ષને અનુક્રમે આશ્ચંત રહેવું પડશે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.
મેં આગળ કહ્યું હતું કે એ નામ મૂકવામાં જીવ અને મોક્ષને નિકટતા છે. છતાં આ નિકટતા તો ન થઈ પણ જીવ અને અજીવને નિકટતા થઈ પરંતુ એમ નથી. અજ્ઞાન વડે તો એ બન્નેને જ નિકટતા રહી છે. જ્ઞાન વડે જીવ અને મોક્ષને નિકટતા રહી છે જેમ કે--
અજ્ઞાન
પાય
_94/
પ્રેક્ષ જીવ
નવ તત્ત્વ
નામ ચક્ર
ho
zL
ble
સવર
હવે જુઓ, એ બન્નેને કંઈ નિકટતા આવી છે ? હા, કહેલી નિકટતા આવી ગઈ છે. પણ એ નિકટતા તો દ્રવ્યરૂપ છે, જ્યારે ભાવે નિકટતા આવે ત્યારે સર્વ સિદ્ધિ થાય. એ નિકટતાનું સાધન સત્પરમાત્મતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સદ્ધર્મતત્ત્વ છે. કેવળ એક જ રૂપ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
એ ચક્રથી એવી પણ આશંકા થાય કે જ્યારે બન્ને નિકટ છે ત્યારે શું બાકીનાં ત્યાગવાં ? ઉત્તરમાં એમ કહું છું કે જો સર્વ ત્યાગી શકતા હો તો ત્યાગી દો, એટલે મોક્ષરૂપ જ થશો. નહીં તો હેય, જ્ઞેય, ઉપાદેયનો બોધ લો, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે.