________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૧૭
જાણવારૂપ છે. તેની સંસર્ગરિદ્ધિ જાણવારૂપ છે. તેમ જ ‘અજીવ’, તેના રૂપી અરૂપી પુગળ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક્ર ઇ જાણવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિરૂપ નવતત્ત્વ કહ્યાં છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. એમાંનાં કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણવારૂપ, કેટલાંક ત્યાગવારૂપ છે. સઘળાં એ તત્ત્વો જાણવારૂપ તો છે જ. એ છે
૫. જાણવાના સાધન : સામાન્ય વિચારમાં એ સાધનો જોકે જાણ્યાં છે. તોપણ વિશેષ કંઈક જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કોઈક જ જાણે છે. નહીં તો નિર્ગુથ જ્ઞાની ગુરૂ જણાવી શકે. નીરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધનરૂપ છે; એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધનો છે. એ, સાધનો પ્રાપ્ત કરવાની વાટ કહીએ તોપણ ચાલે.
૬. એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામના ઉત્તરનો આશય ઉપર આવી ગયો છે; પણ કાળભેદે કંઈ કહેવાનું છે; અને તે એટલું જ કે દિવસમાં બે ઘડીનો વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વબોધની પર્યટના કરો. વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીયનો બહુ ક્ષયોપશમ થશે એમ હું વિવેકથી કહું છું.
܀܀܀
શિક્ષાપાઠ ૮૧. પંચમકાળ
કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કા છે. ૧. ઉત્સર્પિણી, ૨. અવસર્પિણી. એકેકા ભેદના છ છ આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમકાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો પાંચમો આરો છે. અવસર્પિણી એટલે ઊતરતો કાળ; એ ઊતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે; તે અવશ્ય જાણવા જેવા છે.
એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગુથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્ત્વોમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અર્ધમ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાર્દિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિ ગુરુઓ પૂજ્યરૂપ થશે, દૃષ્ટવૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે, શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.
ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે; નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે; ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે; જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે, પોતે પાપિષ્ઠ આચરણો સેવી પ્રજા આગળ તે પળાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યાદિક સદ્ગુણોનો નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી હજારગુણી અહંપદતા રાખશે. વિો લાલચુ અને લોભી થઈ જશે; સર્વિદ્યાને દાટી દેશે; સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વૈશ્યો માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્યવર્ગની સવૃત્તિઓ ઘટતી જશે, અકૃત અને ભયંકર કૃત્યો કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં.