Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/001079/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫૨% - ૭ ઈતિહાશ્વ ' ભાગ-ચાથોડી, ત્રિપુટી મહમ્રાજ lama Education international For Private Personal use. Ook www.iainelibrator Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા ચં. ૬૦ જૈન પરંપરાનો ઈતિહાસ [ભાગ ચ ] Homent to. was givમાજ થાય . શાળe a row in miy. " [ વિક્રમ સંવત ઃ ૧૫૦૦ થી ૧૯૦૦ સુધી] : લેખક : મુનિરાજશ્રી દર્શનવિજયજી મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મુનિરાજશ્રી ન્યાયવિજયજી જાતિw. faltu શા છે ત્રિપટી મહારાજ Lan WWW.jainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ વીર સંવત : ૨૫૦૯ વિક્રમ સંવત : ૨૦૩૯ ઈ. સને : ૧૯૮૩ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ-ચોથા : લેખક : પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજયજી મ. પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મ. પૂજ્ય મુનિરાજશ્રી ન્યાયવિજયજી મ. : સાધક : પૂજમ ઉપા. શ્રી ધર્મસાગરજી મ.ના શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસશ્રી અભયસાગરજી મ. : પ્રસ્તાવના : પૂજ્ય મુનિરાજશ્રી મિત્રાનંદસાગરજી મ. પૂજ્ય મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી | કિંમત : ૩૫ રૂપિયા (નીતિવિજયજી) મ. : પ્રાથાન : પંકજકુમાર એચ. શાહ ૧૬, કીર્તિકુંજ, મામલતદારવાડી, બેન્ક ઓફ મહારાષ્ટ્ર પાસે, મલાડ (વેસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૬૪ : પ્રકાર તથા ત થ ન : શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા “જૈનધર્મલાભ કાર્યાલય ન્યુ દાણાપીઠ, ભાવનગર ૩૬૪૦૦૧ (ગુજરાત) મહેન્દ્ર ગુલાબચંદ શેઠ “ધર્મલાભ” પ્રિન્ટર્સ ન્યુ દાણાપીઠ, ભાવનગર-૩૬૪૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખક તરફથી... અમે પૂર્વભારત અને ઉત્તરભારતમાં વિહાર કર્યો ત્યારે અનેક વિદ્વાનોનો સંપર્ક સાધ્યો હતો. પટનાના શ્રીયુત કાશીપ્રસાદ જારવાલ, મહાન વિજ્ઞાની જગદીશચંદ્ર બેઝ, કૃષ્ણનગરના ડિસ્ટ્રીકટ એંજિનિયર લેખક અને કવિ ભૂપદેવેંદ્ર સોબાકર ચેટરજી, B.A, B.E, C.E, J.E, A.M, પટનાના પરમેશ્વરજી દયાળ એકેટ (ચુરામણુ પુરવાલા), મથુરા મ્યુઝિયમના કયૂરેકટર બાબુ વાસુદેવશરણુ અગ્રવાલ M. A. અને દિલ્હીના દયારામ સહાની સાથે જિનધર્મ, દાર્શનિક તો. રચાવાદ, દ્રવ્યાનુયોગ (જેન વિજ્ઞાન ) તથા જિન ઈતિહાસ સંબંધે ઘણી ઘણી વાતો થઈ હતી. પરિણામે તેઓ સાદરભાવે એવી ઈરછા વ્યક્ત કરતા કે, ઉક્ત વિષયોનું જૈન સાહિત્ય જલદી પ્રકાશિત થાય તો તે દ્વારા ભારતવર્ષને પોતાની પ્રાચીન આર્ય સંસ્કૃતિની પ્રાપ્તિ થાય. માનવ માત્ર જે જૈન ધર્મના સિદ્ધાંતોને અપનાવે તો દુનિયામાં ચાલતા વેર-ઝેરના કલહો અવશ્ય ઓછા થાય. એ સિદ્ધાંતના આદર્શો આજના જગતને ઘણી શાંતિ આપી શકશે એમ હવે ખુલ્લું જણાઈ આવે છે. અમે પણ એ પ્રેમાળ માગણીથી ઉત્સાહિત થઈને સૌ કોઈ ઇતિહાસપ્રેમીને ઉપયોગી એવા પટ્ટાવલી સમુચ્ચયના બે ભાગ પ્રકાશિત કરાવ્યા. એ પ્રકાશનને ભારત અને Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] ભારત બહારના ઈતિહાસએ અંતરના ઉમળકાથી વધાવી લીધા. આ જ કારણે આ વિષયમાં આગળ વધવા અમે વધુ ઉત્સાહિત થયા અને ઈતિહાસની સામગ્રી એકત્રિત કરવા લાગ્યા. ઇતિહાસના અભ્યાસીઓ માને છે કે જન સાહિત્યમાં સ્વતંત્ર ગ્રંથરૂપે તેમ જ છૂટાછવાયા પ્રાસંગિક ઉલ્લેખ ઘણે ઈતિહાસ લખાયો છે, જેમાં ભારતના પ્રાચીન ઈતિહાસના અણઉકેલ કોયડાને સરળ ઉકેલ મળે છે તેમ જ ઈતિહાસની તૂટતી સાંકળના સંયોજક અંકોડાઓ પણ મળે છે. આ દરેક ઘટનાઓને વ્યવસ્થિત રૂપ આપી પ્રકાશમાં લાવવી જોઈએ. સંસ્કૃત અને પ્રાકૃતના પૂરા અભ્યાસીઓ જ આ કામ કરી શકે તેમ છે. અમે ત્રણેએ ઉક્ત વાતને લક્ષમાં રાખીને “જન પરંપરાને ઇતિહાસ” રચવ શરૂ કર્યો. જેમાં છેલ્લાં ૨૫૦૦ વર્ષમાં થયેલ જિન આચાર્યો, મુનિઓ, રાજાઓ, મંત્રીઓ, શેઠિયા, વિદ્વાને, શહેરે, તીર્થો, ગ્રંથ, પરંપરાઓ અને મહાસભાઓ વગેરેને સપ્રમાણુ ઈતિહાસ રજૂ કરવાનો ઇરાદો રાખ્યો છે. આ ભાવનાથી ઉક્ત ઈતિહાસ માટે અમે નીચે મુજબ ધારણા રાખી હતી: ભાવ ૧–નિગ્રંથગછ ચંદ્રકુલ વનવાસીગરછ (ચત્યવાસી યુગ), વીર નિર્વાણુ સં. ૧ થી વિ. સં. ૧૦૦૦ સુધીને ઇતિહાસ, દિગંબર આચાર્ય પદાવલી. ભાગ ૨-ગચ્છ, વિ. સં. ૧૦૦૦ થી વિ. સં. ૧૨૫ને Page #6 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ, જેમાં વડગચ્છ, માનદેવગચ્છ, રાજગચ્છ, ધર્મઘોષગચ્છ, પૂર્ણતલગચ્છ, રુદ્રપલીયગચ્છ, ખરતરગચ્છ, પૂનમિયાગચ્છ, અંચલગચ્છ, આગમિકગચ્છ, ચતુર્દશીગચ્છ, કછોલીગચ્છ, વાદિદેવસૂરિગચ્છ, નાગોરીગચ્છ, આરાસણગરછ, પાયચંદ ગચ્છ વગેરેની પટ્ટાવલીઓ. ભાવ ૩–તપાગચ્છ, સં. ૧૨૫૦ થી ૧૬૦૦ સુધીનો ઇતિહાસ, તપાગચ્છના પેટા , કડવામત, લૉકામત, નાગપુરીય લૉકામત, સ્થાનકમાગ, તેરાપંથી વગેરેની પટ્ટાવલીઓ, વિવિધ વંશાવલીઓ. ભા. ૪–હીરયુગ. સં. ૧૬૦૦ થી ૨૦૦૦ સુધીનો ઇતિહાસ. ભાવ પ–ભા. ૧ થી ૮ ની મોટી ઈન્ડેકસ (Index) અકારાદિ નામાવલી. ભાગ ૬–ભાવ ૧ થી ૮ ના વંશવૃક્ષ. ભાવ છ– પ્રસ્તાવના, વિશેષ સમજૂતી:વગેરે, નવા પ્રકાશન નમાં જરૂરી પ્રશ્નોત્તરી વગેરે. પહેલો ભાગ સં. ૨૦૦૯ના કાર્તિક સુદિ ૧૫, તા. ૧–૧૧–૧૫રમાં પ્રકાશિત થયા. આથી સૌ કોઈએ માંગણી કરી કે આ ગ્રંથ જલદી તૈયાર થવો જોઈએ. અમારી ભાવના હતી કે, ભાગ બીજો તરત પ્રકાશિત થાય તેમ કરવું. પણ ભાવિભાવના યોગે એમાં એકાએક અંતરાય આવી પડ્યો. તે આ પ્રમાણે– | મુનિશ્રી ન્યાયવિજયજી સં. ૨૦૦૭ના માગશર સુદિ ૪ ના દિવસે હૃદયરોગથી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. Page #7 -------------------------------------------------------------------------- ________________ મુનિ જ્ઞાનવિજયને સં૦ ૨૦૧૧ થી ડાયાબીટીસ (Diabetes) મધુપ્રમેહ શરૂ થયો. મુનિ દર્શનવિજયને સં. ર૦૧પના માગશર વદિ ૪ થી લો બ્લડપ્રેશર (Low Blood-Pressure)–રક્તગતિમાંદ્યને રોગ શરૂ થયે, જેની વધુ અસર થાય તો લકવો (Pralysis) લાગુ પડે. આ કપરા સંયોગમાં ગ્રંથ તૈયાર થાય એ વિચિત્ર સવાલ હતો. પરંતુ ગુરુદેવની કૃપાથી સહકારી નિમિત્તો આવીમળ્યાં, તે આ પ્રમાણે– અમે બંને તો એકબીજાના પૂરક રહ્યા. એટલે જ્યારે જેનું સ્વારથ્ય સારું હોય ત્યારે તે કામ ચલાવે અને એ રીતે પણ ભાગ બીજાનું કામ જારી રાખ્યું. ૧. ડૉ. નાનાલાલ ભાઈલાલ–તેમની તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે તેવી સાધુપદની ભક્તિ છે. તેમણે અમારા સ્વાધ્યના સુધારા માટે ઘણી કાળજી રાખી છે. તેમના તરફથી અમને બલવા, લખવા, વાંચવાની સાફ મનાઈ હતી, પણ સાથોસાથ તેમણે એટલી છૂટ આપી હતી કે આપની ખાસ ભાવને છે તો ધીમે ધીમે ઈતિહાસનું કામ કરતા રહો, સાવધાન પણ રહેવું. જરાક ખટકો દેખાય કે આરામ લે અને મને તરત ખબર આપવી. તેમની આ કીમતી સમ્મતિથી આ ગ્રંથના કામનો પ્રારંભ થયો. ૨. શ્રીમાન શેઠ મનુભાઈ જેસિંગભાઈ–સાધારણ રીતે મોટાં શહેરોમાં જૈન સમાજમાં સંધના જ્ઞાનદ્રવ્યને મોટા Page #8 -------------------------------------------------------------------------- ________________ [૭] સંગ્રહ છે, પણ તેના વહીવટદારોમાં કોઈ કોઈ એવા હોય છે કે જે સરસ્વતીને નહીં પણ માત્ર લક્ષ્મીને જ ઓળખતા હોય છે. આથી તેમાં એ દ્રવ્યને સદુપયોગ કરવાની આવડત જ હોતી નથી. બીજી તરફથી જૈન સમાજમાં એવા વિવેકી જેનો પણ છે, કે જે પોતાની જાત મહેનતથી લક્ષ્મી મેળવી, તેને સત્પાત્રમાં વાવે છે. શ્રીમાન શેઠ મનુભાઈ જેસિંગભાઈ કાલિદાસ આવા વિવેકીઓમાંના એક છે, જેમણે જન સાહિત્યના વિવિધ ગ્રંથ પ્રકાશિત કરાવ્યા છે. તેમણે આ ઇતિહાસને ભા. ૧ વાંચીને જણાવ્યું કે, “આપ આને ભાવ ર જે જલદી પ્રકાશિત થાય તેમ કરે. પ્રારંભિક આર્થિક રકમ રોકવાની જરૂર પડે તો મને લાભ આપવા કૃપા કરજે.” મનુભાઈની આ પ્રેરણાથી અમારા ઉત્સાહમાં ઘણે વધારો કર્યો. ૩–૪. પં. વિકાશવિજયગણિ, મુનિ શ્રી ચંદ્રોદયવિજ્ય–તેઓ તે ૨૦ વર્ષ જૂના સ્નેહી મુનિવરો છે. અને જૈન સંસાયટીમાં હતા ત્યાં પણ શ્રીયુત આશારામભાઈ વગેરે સંધ અમારી ભક્તિમાં ઉત્સુક હતો પરંતુ આગમપ્રભાકર પૂર પુણ્યવિજયજી મહારાજ તથા ઉક્ત મુનિવરો અને નગરશેઠ કુટુંબના ગુરુભક્ત ભાઈઓને આગ્રહ હતો કે અમો શહેરમાં ઉજમફઈની ધર્મશાળામાં આવીએ તો સારું. આથી અમો સં૦ ૨૦૧૫ના વૈ૦ વર ૬ ના રોજ ઉજમફઈની ધર્મશાળાએ આવ્યા. પંન્યાસજી તથા ભક્તિપ્રિય મુનિ ચંદ્રોદયવિજયજીએ અમારી આજ સુધી સર્વ રીતે ભક્તિ કરી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [૮] ૫. તપસ્વી સાધ્વીજી શ્રીમંજુલાશ્રીજી, સાધ્વી મધુકાન્તાશ્રીજી અને સાધ્વી મધુલતાશ્રીજીએ પણ નેધપાત્ર ભક્તિને લાભ લીધો છે. ઈતિહાસ મળે છે કે, પં. વીરગણિએ સં. ૧૧૬૦માં “પિંડનિર્યુક્તિની ટીકાના નિર્માણમાં પોતાને મદદગાર મુનિવરોનાં નામ લખ્યાં છે. (જુઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૬) અમે પણ માનીએ છીએ કે પૂજ્ય દાદા મૂલચંદજી મહારાજની ગાદીને પ્રતાપ, ઉક્ત મુનિવરોની સભર ભક્તિ, ડે. નાનાભાઈની આદરભરી લાગણી અને શ્રાવકોની શુભ મનોકામનાથી અમારા રવારમાં ઘણે અંશે ક્રમશ: આરામ થતો આવ્યો છે અને આ ગ્રંથનું કામ સરલ બન્યું છે. ૬. પં. અંબાલાલ પ્રેમચંદ શાહ–તે વ્યાકરણતીર્થ છે. કેટલાક ગ્રંથોના સંપાદન અને લેખનથી ખ્યાતિપ્રાપ્ત છે. પુરાતત્ત્વ અને ઈતિહાસના પણ ઊંડા અભ્યાસી છે. તેમણે આ ગ્રંથની શુદ્ધ પ્રેસકોપી અને પ્રફ સુધારવાની સંપૂર્ણ જવાબદારી પિતાને માથે લીધી હતી. એકંદરે આ ગ્રંથના પ્રકાશનની અમારી સંપૂર્ણ જવાબદારી તેમણે અદા કરી છે. છ–૮. આ ઉપરાંત સાક્ષરવર્ય પં. રતિભાઈ અને પં. બાલાભાઈ (જયભિખુ)–એ દેશાઈ બેલડી તો શરૂથી અંત સુધી ગ્રંથના સૌ કાર્યમાં સર્વ રીતે પ્રેરક રહે છે. એકંદરે દેવગુરુની કૃપાથી તથા ઉપરના સહકારીઓની શુભ કાળજીથી આ ગ્રંથનું કામ સરલ બન્યું છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ [૯] બસ, આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિનું અજોડ અંગ બને અને સૌનું કલ્યાણ હો, એ ઈચ્છાપૂર્વક અમે વિરમીએ છીએ. લિ. જૈન પરંપરાને ઈતિહાસ ભાગ-૧ લે ભાગ–૨ જ માંથી સંકલિત મુનિ દશનવિજય મુનિ જ્ઞાનવિજય મુનિ ન્યાયવિજય Page #11 -------------------------------------------------------------------------- ________________ મન ---- આપને મુનિ નીતિવિજય (વર્તમાનમાં ) મુનિ ભદ્રસેનવિજય Page #12 -------------------------------------------------------------------------- ________________ આનંદની પ્રથમ પળે “જૈન પરંપરાને ઇતિહાસ” ગ્રંથને આ ચેાથે ભાગ વિદ્વાને અને વાચક સમક્ષ પ્રસ્તુત કરતાં હું ગૌરવ અનુભવું છું. બે વર્ષ પૂર્વે પાલિતાણામાં અપસમયની સ્થિરતા દરમ્યાન પ૦પૂ. પંન્યાસપ્રવરશ્રી સૂર્યાસાગરજી મના શિષ્યરત્ન મુનિશ્રી મિત્રાનંદસાગરજી મહારાજે મને પ્રેરણા કરી કે વર્ષોથી અપ્રકાશિત આ ગ્રંથના ચેથા ભાગનું પ્રકાશન કરવાની ખાસ જરૂર છે. ઇતિહાસપ્રેમીઓ, વિદ્વાનો અને વાચકો તરફથી પણું વારંવાર આ કાર્ય અંગે પ્રેરણું થતાં ચોથા ભાગના પ્રકાશન અંગે મેં ગંભીરતાથી વિચાર્યું અને મુંબઈ આવ્યા પછી ગ્રંથ પ્રકાશન અંગે સક્રિય રીતે પ્રયત્ન શરૂ કર્યો. સામાન્ય રીતે ઉત્તમ ગ્રંથોના પ્રકાશન માટે દાતાઓ મળવા દુર્લભ હોય છે; પરંતુ પૂ૦ પરોપકારી ત્રિપુટી ગુરુદેવની કૃપાથી વાત જાહેર થતાં જ ગ્રાહકો અગાઉથી જ ઊભા થઈ ગયા. પરિણામે આ અમૂલ્ય ગ્રંથ આજ આપની સમક્ષ પ્રસ્તુત થાય છે. આ ગ્રંથની પ્રેસ કોપી પંડિત અંબાલાલ પ્રેમચંદ પાસેથી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી “જન ” પત્રવાળા ગુલાબચંદ દેવચંદભાઈના સુપુત્ર ભાઈ મહેદ્રને સૈપાયેલ અને આ પ્રકાશનમાં તેમણે બધાને સાથે જોડી ગુરુદેવના કાર્યને સાકાર કરેલ છે. આ ગ્રંથનું મૂળ લખાણ સાથંત વાંચી જઈને ૫૦પૂ. પંન્યાસ પ્રવરશ્રી અભયસાગરજી મ. સાપે જે લાગણી દર્શાવી છે જે વર્ણવવા મારી પાસે શબ્દો નથી. મુનિશ્રી મિત્રાનંદસાગરજીએ પણ ગ્રંથપ્રકાશનની જવાબદારી અનેક વારની આનાકાની છતાં માથે લીધી અને આ કાર્ય સમયસર પાર પાડી આપ્યું એ બદલ એમને પણ આભાર માનું છું. એ સિવાય પં. અંબાલાલ પ્રેમચંદ શાહ (અમદાવાદ), શ્રી હર્ષદભાઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૨] ચંદુભાઈ (અમદાવાદ), શ્રી મહેન્દ્ર ગુલાબચંદ શેઠ (ભાવનગર), શ્રી પંકજકુમાર, શ્રી પ્રફુલકુમાર વગેરે અનેક નામી-અનામી વ્યક્તિઓનો જે સાથ અને સહકાર અને દાતાઓની સહાય આ કાર્યમાં મળ્યાં છે એ સર્વ પ્રતિ આ ક્ષણે ઋણ વ્યક્ત કરું છું. આશા છે કે ઈતિહાસપ્રેમીઓ, વિદ્વદ્વર્ગ અને વાચકે આ ગ્રંથને આવકારશે. છેવટમાં આ ગ્રન્થમાં રહી ગયેલી ક્ષતિઓ બદલ હું વાચકોની ક્ષમા ચાહું છું, અક્ષયતૃતીયા ૨૦૩૯, મુંબઈ મુનિ ભદ્રસેનવિજય. Page #14 -------------------------------------------------------------------------- ________________ કિંચિજન પરંપરાનો . સ ૧-૨ અને ૩ ભાગમાં વર્ષો પૂર્વે પદ પ્રક -ક ત્રાસદ્ધ થઈ ચૂકયો છે. આ ગ્રન્થ પુરાતત્ત્વવિદો અને ઇતિહાસવેત્તા મા માટે અત્યંત મહત્ત્વનો અને ઉપયોગી છે. શ્ર. ભ. મહાવીર સ્વામીથી લઈને વિ.સં ૧૫૯૬ સુધીના કાળમાં બનેલા બનાવો, થયેલા આચાર્યો, તેમ જ આચાર્યોની પાટ પરંપરા, શ્રમણે પાસકે, જ્ઞાતિવંશ અને કુળનો પરિચય–આ બધા વિષયોનો કડીબદ્ધ ઇતિહાસ આમ સંકલિત કરવામાં આવ્યો છે. વિદ્વાન મુનિરાજશ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીએ વર્ષોના પરિશ્રમ પછી અભ્યાસપૂર્વક આ ગ્રન્થ તૈયાર કર્યો છે. આ ગ્રન્યમાં કોણે કેવાં કાર્યો કર્યા કેવા કેવા પ્રભાવક આચાર્યો થયા, તેમના દ્વારા જૈન શાસનની કેવી અભુત પ્રભાવના પ્રસરી એનો જ્વલંત ઈતિહાસ વર્તમાનમાં તેમ જ ભાવિ પેઢીને –ઠંડા થઈ ગયેલા લોહીને–તે ખમીરવંત બનાવવા માટે અત્યંત ઉપકારક બને તેમ છે. જ્યાં આપણા પૂર્વજો અને ક્યાં આપણે ? કેવાં કેવાં એમણે ધર્મ અને શાસનના માટે બલિદાન આપ્યાં છે, તેમ જ તન-મન અને ધનને કેવો સદુપયોગ અને સહૃદયય કર્યો છે; પ્રાચીન ઈતિહાસની ગૌરવગાથા, યશગાથા અને વલંત કારકિર્દી આ બધું વાંચતાં હિયું થનગની ઊઠે છે, હૈયું હર્ષથી હિલોળે ચઢે છે અને એ મહાપુરુષે પ્રતિ ભવ્ય અહોભાવ અંતરમાં જાગે છે. ત્રણ ભાગ વર્ષો પૂર્વે બહાર પડ્યા પછી, વર્ષોથી સુરક્ષિત રીતે સંગૃહીત સાહિત્યને પ્રકાશમાં લાવવા માટે મુનિશ્રી ભદ્રસેનવિજ્યજીએ પરિશ્રમ લઈ ચતુર્થ ભાગ રૂપે આ પુસ્તક પ્રગટ કર્યું છે. આ ગ્રન્થને પ્રકાશમાં લાવવાનો પ્રશસ્ય પ્રયત્ન કરી એમણે સાહિત્યની સુંદર સેવા બજાવી છે. વિ. સં. ૧૫૬ પછી પ૭મા પ્રકરણથી – આ ચતુર્થ ભાગમાં વિશદ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. ૩. જે ન પરંપરાને ઇતિહાસ, ભા. ૩ પ્રસ્તાવના. Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પ્રાચીન પરંપરા કેવી હતી, પ્રાચીન રીતરિવાજ, જ્ઞાતિ, વંશ અને કેવા કુળ હતા એમ અનેક વિવિધ વિષયોને આ ગ્રન્થમાં સંકલિત વામાં આવ્યા છે: -- કે પ્રસ્તાવનાની જરૂર નથી. ગ્રન્થ જ તમારી સંપાદનકર્તાને શ્રમ ત્યારે જ સફળ . ) વાંચકો એને વાંચશે, વિચારશે અને પ્રચારશે, હેયનો ત્યાગ કરી ઉપાદેયને ગ્રહણ કરી, અને જતી કરી, જિજ્ઞાસુવૃત્તિથી જિજ્ઞાસાથી, ક્ષીરનાર ન્યાયે હંસની જેમ ઉપયોગ કરશે, એ જ એક અભિલાષા. મલાડ શ્રી લબ્ધિ-લકમણુસૂરિ શિશુકીર્તિચંદ્રસૂરિ તા. ૨૨-૫-૮૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના.... જન પરંપરાનો ઈતિહાસ ” ચોથા વિભાગના પ્રકાશનનું કાર્ય મારા સ્નેહી મુનિવર્ય શ્રી ભદ્રસેનવિજયજી માએ મને સોંપ્યું ત્યારે મેં કયું પણ ન હતું કે આ શુભ કાર્યમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય મારે માટે નિર્માયું હશે. વિધિના સંકેત પણ કંઈક અકળ હશે. લગભગ બે વર્ષ પૂર્વે હું અને મુનિવર્ય શ્રી ભદ્રસેનવિજયજી મ. પાલિતાણામાં મળેલા. એ સમયે મેં એમને સ્વર્ગસ્થ ત્રિપુટીજી મહારાજનું અધૂ શું કાર્ય પૂર્ણ કરવા પ્રેરણા કરેલી. બસ, એ સમયે જ આ કાર્યનું બીજ રોપાયું. પછી તો તેઓ મુંબઈ પધાર્યા અને આ ગ્રન્થના પ્રકાશન અંગે પ્રાથમિક વ્યવસ્થા અને આયેાજન ગોઠવાયાં. મુનિશ્રીએ આ કાર્ય મારા હાથે થાય તે સારું; એમ પત્રો દ્વારા વારંવાર પ્રેરણા કરી, પરંતુ આવું ઐતિહાસિક વિષયનું કાર્ય એ વિષયના તજજ્ઞના હાથે થાય તે વધુ વ્યવસ્થિત અને સુંદર બને એ ગણતરીએ આ કાર્ય તે રીતે ગોઠવવા મેં તેમને ભારપૂર્વક વિનંતી કરવા છતાં એમણે આ કાર્ય મારા હાથે જ થાય એમ વારંવાર મિત્રદાવે જણાવતાં, છેવટે આ કાર્ય માટે સ્વીકારવું જ પડયું. મિત્રી પણ ઘણીવાર અધિકાર ધરાવે છે અને એ અધિકાર ટાળી ન શકાય તેવો પણ હોય છે. એ અધિકાર રસ્થાપવામાં મુનિશ્રી ભદ્રસેનવિજયજી જીતી ગયા છે એમ અવશ્ય કહી શકાય! પ્રસ્તુત “જન પરંપરાને ઇતિહાસ” એ સ્વર્ગસ્થ ત્રિપુટીજી મ. દ્વારા આલેખાયેલો અને પાંચ ખંડોમાં વિભાજાયેલે એક દસ્તાવેજી ગ્રન્થ છે. આ ગ્રન્થ મહાકાય તો છે જ પણ સાથોસાથ એ ઇતિહાસની લખમૂલી અમાનત પણ છે. આ ગ્રન્થને ત્રણ ખંડ તો વર્ષો પૂર્વે રવો ત્રિપુટીજી મહારાજેની વિદ્યમાનતામાં જ પ્રકાશિત થઈ ગયા હતા. પરંતુ પછી તે સમયના સરવા સાથે ત્રિપુટી મહારાજેએ એક પછી એક વસમી વિદાય લીધી અને ઇતિહાસ વિષયક જાણકારોની એ હાલતી ચાલતી યુનિવર્સિટી જાણે એકાએક બંધ પડી. ત્રિપુટીની વિદાયથી આદર્યા અધૂરાં રહે અને સોનેરી સપનાં પીંખાઈ જાય એવું બન્યું, પરંતુ કાળની અકળ ગતિને કણ કળી શક્યું છે? મુનિ શ્રી ભદ્રસેનવિજયજી મના હસ્તે આ કાર્ય થવાનું નિર્માયું હશે તેથી ઘણું લાંબા સમય પછી પણ આ ચોથો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. મારે કહેવું પડશે કે મુનિશ્રીએ પોતાના WWW.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ઉપકારીનું ઋણ વાળવાની અમૂલી અને સોનેરી તકને સમયસર ઝડપી લીધી છે. આ શુભ કાર્યમાં મુનિશ્રીએ મને પણ સહભાગી બનાવ્યા એ મારા સૌભાગ્યની જ કોઈ નિશાની હશે. પ્રસ્તુત ગ્રન્થ– આ ગ્રન્થને વિષય છે “ઈતિહાસ, સામાન્ય રીતે ઈતિહાસ લખ એ વિકટ કાર્ય છે; પરંતુ લોકભાગ્ય શૈલીમાં અને સામાન્ય જનતા પણ ઇતિહાસ જેવા નીરસ અને શુષ્ક વિષયના વાચન તરફ પ્રેમાય એવી સરળ અને સાદી ભાષામાં ઇતિહાસ આલેખ એ તો અત્યંત વિકટતાભર્યું કાર્ય છે. કહેવું જોઈએ કે ત્રિપુટજી મહારાજાએ આ ઈતિહાસ એવી સરળ શૈલીમાં રજૂ કર્યો છે કે એને વિદ્વદ્વર્ગમાં તો ખરું જ, પણ સામાન્ય જનતામાં પણ અપૂર્વ અને અનેરું સન્માન મળ્યું છે. અત્યાર સુધીમાં લખાયેલા જૈન ઇતિહાસમાં ત્રિપુટીજી મ. લિખિત ઇતિહાસ ઘણો જ પ્રમાણભૂત, આધારભૂત અને વ્યસ્થિત ગણાય છે. આ ગ્રન્થમાં સ્થાને સ્થાને એમણે મૂકેલાં આધારસ્થળે અને સાક્ષી - પાઠે જોયા પછી એમ કહેવાનું મન રોકી શકાતું નથી કે એમણે આ કાય પાછળ પિતાનું સમગ્ર ચેતનાતંત્ર જ નહીં, પોતાનું સમગ્ર અરિતત્વ પણ કામે લગાડી દીધું છે. આ ઇતિહાસ ગ્રન્થની એક વિશેષતા તરફ પણ ધ્યાન ગયા વિના રહેતું નથી; એ છે એમની ઇતિહાસ પ્રત્યેની અવિહડ અને અડગ વફાદારી. સામાન્ય રીતે સારા સારા ગણાતા લેખકોએ પણ ઘણીવાર ઇતિહાસને પિતાની અંગત માન્યતાઓના ઢાળામાં ઢાળવાનો અને પિતાના વ્યક્તિગત પૂર્વાગ્રહોના પિંજરામાં પૂરવાનો પ્રયત્ન કર્યો હોય એવા ઘણું કમનસીબ દાખલા મળી આવે છે ત્યારે ત્રિપુટી મહારાજેએ એ દૂષણેથી પર રહી ઈતિહાસને ઈતિહાસની દષ્ટિએ જ આલેખીને એક ઉજજવળ દૃષ્ટાન પૂરું પાડયું છે, એ માત્ર ધન્યવાદને જ પાત્ર નથી, સાથોસાથ ગૌરવને પાત્ર પણ છે. અવસરે ઈતિહાસવિદોને દાવો કરીને ઈતિહાસને અભડાવતા તની ઝાટકણી કાઢવાનું પણ ત્રિપુટી મહારાજે ચૂક્યા નથી, એ એમની ઇતિહાસ પ્રત્યેના પ્રેમ અને વફાદારીની જ અભિવ્યક્તિ છે. ઇતિહાસને થતા કોઈ પણ પ્રકારનો અન્યાય ત્રિપુટીજીની દષ્ટિએ ક્ષત્તવ્ય નથી. ઈતિહાસને કરાતા અન્યાય બાબતમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ગમે તેવી ધુરન્ધર વ્યક્તિ સામે લાલ આંખ કરતાં ત્રિપુટજી જરાય અચકાયા નથી. આ અંગેના એક જ દાખલા ખસ થશે ૩૦ મા॰ મુનશીએ લખેલી ખ્યાતનામ નવલકથાઓ • પાટણની પ્રભુતા ’, ‘ ગુજરાતના નાથ’ અને ‘રાજાધિરાજ’~માં એમણે જે વૃથા પ્રલાપા કર્યા છે, એ અંગે શ્રી ત્રિપુટીએ મુનશી સામે નિર્ભયપણે પાતાના અવાજ રજૂ કર્યા છે. મુનશી, રાજમાતા મીનળદેવીને વ્યભિચારિણી, રાજપિતા કરણન મીનળદેવીના વ્યભિચાર ચલાવી લેનારા મૂખ અને સિદ્ધરાજ જયસિંહને જારપુત્ર ચીતરે છે. ‘ગુજરાતના નાથ ’માં મુનશીએ મહામાત્ય ઉડ્ડયન વિષે પ યદ્વાતઢા બકવાસ કર્યાં છે. આ બાબતમાં શ્રી ત્રિપુટીજી લખે છે કે— 'એકદરે મુનશીએ ઇતિહાસને ભયંકર દ્રોહ કર્યાં છે. આમાં દોષ કાનો ? તેમની ભાવતાના, વકીલાતી વિશ્વને, અસહિષ્ણુતાને, કલ્પના જાળના કે કલમી લીલાને.. ? એક ભારત બહારના મુસલમાન લેખક, સિદ્ધરાજની પ્રશંસા આપે અને એક ગુજરાતી લેખક પેાતાની માતૃભૂમિના ઇતિહાસને બેવફા નીવડે એ તો સૌ લેખકાને શરમાવનારી બીના છે. ’ ૧ આમ ત્રિપુટીજી ઐતિહાસિક બાબતાની છેડછાડને ચલાવી લેવા કે સાંખી લેવા ગિજ તૈયાર નથી. રાજકારણમાં કેવી ખેંચાખેંચ થાય છે, કેવા કાવાદાવા થાય છે, એ વિષય ઇતિહાસમાંથી શેાધી કાઢીને એનુ રસપ્રદ આલેખન કરવામાં પણ ત્રિપુટજી સફળ બન્યા છે. આ અંગે સિદ્ધરાજ જયસિંહની પેાતાની પછી કુમારપાળને રાજા ન થવા દેવાની ઇચ્છા અને કુમારપાળને બદલે માળવાના રાજપૂત હસ્તિસેનાના નાયક ચાહડને ઉત્તરાધિકારી બનાવવાની ભાવના વિષેનું ત્રિપુટીજીનું લેખન રસપ્રદ છે. સાધુત્વમાં પણ રાજકારણી કાવાદાવા ઓળખી કાઢવાની એમની શક્તિ વિષે માન ઊપજ્યા વિના ન રહે... વિભિન્ન ઐતિહાસિક ગચ્છા, તેની ઉત્પત્તિ, તેનાં ગાત્રા, શાખા, પેટા શાખાએ, એમાં થયેલા આચાર્યાદિ મુનિવર્યાં, શ્રાવકા, વિવિધ નગરાની સ્થાપનાના અને વિનાશના પ્રસંગેા, ઐતિહાસિક યુદ્ધો, મેાગલકાળના બાદશાહેાની સિલસિલાબંધ ઘટનાએ, યુવરાજે, જ્ઞાતિ, ઐતિહાસિક સ્થાપત્યેા વગેરે અનેક ઢગલાબંધ વિગતાના સંગ્રહ અને ૧. જૈન પરંપરાને ઇતિહાસ, લા. ર પૃષ્ઠ ૯૩ / ૯૮. Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૮] સંકલન કરવાની તેમની શક્તિ, ઘણી વાર તો આશ્ચર્ય થઈ આવે એટલી હદ સુધી વિકાસ પામી હોય એવું લાગ્યા વગર નથી રહેતું. ત્રિપુટીજીના ઈતિહાસ વિષયક ગ્રંથો વાંચ્યા પછી એમ લાગે છે કે જૈનને ગરિમામય ઇતિહાસ વાંચ્યા વિના વિશ્વને કોઈ પણ ઇતિહાસ અધૂરો જ છે – અપૂર્ણ જ છે. અરીસાનું કાર્ય હૂબહૂ પ્રતિબિંબ પાડવાનું છે. ઈતિહાસને જે અરીસા સાથે સરખાવીએ તે એનું કાર્ય ભૂતકાળનું હૂબહૂ દર્શન કરાવવાનું બને છે. આ ગ્રન્થને જોયા પછી ચક્કસ લાગે છે કે ઈતિહાસે અરીસાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવી છે. આ ગ્રન્થના આ પૂર્વે પ્રકાશિત થયેલા પ્રથમ વિભાગમાં ભ૦ મહાવીરસ્વામીથી આરંભીને સં૦ ૧૦૦૦ સુધીનો ઇતિહાસ, બીજા વિભાગમાં સંવ ૧૦૦૧થી સં. ૧૨૦૦ સુધીને ઈતિહાસ અને ત્રીજા વિભાગમાં સં. ૧૨૦૧થી સં. ૧૬૦૦ સુધીનો ઈતિહાસ આપવામાં આવ્યો હતો. પ્રથમવાર જ પ્રકાશિત થતા આ ચોથા વિભાગમાં અગાઉના ત્રણ વિભાગમાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ પછી આનુસંધાનિક –આગળ વધતો-ઈતિહાસ સં. ૧૬૦૧ થી શરૂ કરીને વીસમી સદીના ઉષ:કાળ સુધીને આપવામાં આવ્યો છે. સુખદ આશ્ચર્યની વાત તો એ છે કે આ ગ્રન્થ જૈન ઈતિહાસની દૃષ્ટિએ જ લખાયો હોવા છતાં એ માત્ર જનેના ઈતિહાસને દર્શાવીને જ જતો નથી. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મના શબ્દોમાં કહું તો— પ્રસ્તુત ગ્રન્થ એ મુખ્યત્વે જૈન ઇતિહાસ હોવા છતાં તેમાં જે વિવિધ અને વિશિષ્ટ સામગ્રી આપી છે, તેથી એ એક વ્યાપક દૃષ્ટિને એતિહાસિક ગ્રન્ય બની ગયો છે.” ૩ અંતે મુનિશ્રી ભદ્રસેનવિજ્યજી મને મારું નમ્ર સૂચન છે કે એમના ઉપકારી ત્રિપુટી મુનિવર્યોનું હવે પછીનું અપ્રગટ અતિહાસિક સાહિત્ય અને અન્ય ઉપચોગી સાહિત્ય એઓ જલદી પ્રકાશમાં લાવે. સં ૨૦૩૯, ગુરૂપૂર્ણિમા પ૦ પૂર્વ પંન્યાસપ્રવરશ્રી શ્રી સાંડેરાવ જિનેન્દ્રભવન, સૂયસાગરગણિવર્ય પાદપક્વસેવી પાલિતાણા. મુનિ મિત્રાનંદસાગર ૨. જૈન પરંપરાને ઇતિહાસ, ભા. ૨ પૃષ્ઠ ૧૦૦. ૩. જૈન પરંપરાને ઇતિહાસ, ભા. ૭ પ્રસ્તાવના. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસના તિહાસ - જૈનપરંપરાના ઇતિહાસ ભાગ ૪થા આપની સમક્ષ મૂકતાં અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. લબ્ધપ્રતિષ્ઠ ગ્રંથના લેખકે છે. ગચ્છાધિપતિ પૂજ્ય મૂળચંદજી મહારાજના પ્ર૦ શિષ્ય સ્વ॰ શ્રી ચારિત્રવિજયજી ( કચ્છી ) ( ગુરૂકુળ સ્થાપક )ના શિષ્યા ૨૦૦ મુનિ શ્રી દનવિજયજી મ૦ ૧૦ મુનિ શ્રી જ્ઞાવિજયજી મ૦ અને ૧૦ મુનિ શ્રી ન્યાય વિજયજી મ૦ આ ત્રણે મુનિવર્યા જૈન જગતમાં ‘ત્રિપુટી ’ના નામથી વિખ્યાત હતા. : ઉત્તર હિંદુસ્તાનની વિહાર યાત્રા પછી શ્રી ત્રિપુટી મહારાજેએ આ પ્રકારના ઐતિહાસિક ગ્રંથની જરૂરિયાતથી પ્રેરાઈ ને ‘ જૈન પર પરાના તિહાસ' એ શીર્ષક તળે આ ગ્રંથ લખવાના પ્રારંભ કર્યા હતા. આ ગ્રંથની તૈયારી પાછળ તેઆથી એટલા બધા એતપ્રીત થઈ ગયા હતા કે તેમણે પેાતાનું સમગ્ર જીવન આ કાર્ય પાછળ સમર્પિત કરી દીધું હતું. તેઓ શ્રી રાત દિવસની પરવા કર્યા સિવાય આ ગ્રંથ તૈયાર કરવા પાછળ રચ્યા પચ્યા રહેતા હતા. જાણવા મળ્યા મુજબ આ ગ્રંથ તૈયાર કરવા પૂર્વ શ્રી ત્રિપુટી મહારાજેએ ઐતિહાસિક, ધાર્મિક, રાજકીય વગેરે વિવિધ વિષયાનાં મળીને લગભગ ૩૦૦૦૦થી વધુ પુસ્તકા, ગ્રંથાનું અવલેાકન કર્યું. હતું. તેઓશ્રી આ વિષયમાં જ્યાંથી જે પ્રાપ્ત થાય તે ગ્રહણ કરી લેતા. જ્યાંથી જે મળે તે વિના વિલંબે મેળવી લેતા. આ ગ્રંથ તૈયાર કરવા માટે એમને એટલી બધી ધગશ હતી કે રાત્રે કાગળ પેન્સિલ ખાજુમાં મૂકીને જ આરામ કરતા...અને રાત્રે ગ્રંથ વિષયક કઈ વાત યાદ આવે અથવા મનમાં કંઈ સ્ફુરણા થાય તા અંધારામાં પણ તરત નાંધી લેતા...અને સવારે એ કાચા-પાકા લખાણને વ્યવસ્થિત કરી લેતા. આમ ચાતરથી લગભગ છ ખડા ભરાય એટલી સામગ્રી એકત્રિત કરી લીધી હતી. ( જેની વિગત તેમની નેાંધમાં આપેલ છે. ) આ પછી વ્યવસ્થિત લખાણ કરવાનું શરૂ કર્યું. હતું. અપૂર્વ ખંત, અપ્રતિમ અપ્રમાદ અને ધગશને પરિણામે જેમ જેમ Page #21 -------------------------------------------------------------------------- ________________ [૨૦] ઈન્મિ લખાતે ગયે તેમ તેમ મકાશિત થતો ગયો. સં. ૨૦૦૯માં આ ગ્રંથનો પ્રશ્ય ખંડ પ્રકાશિત થયા. આ પ્રથમ ના પ્રકાશન પૂર્વે જ અચાનક પૂ. મુનિ શ્રી ન્યાયવિજયજી મ. અમદાવાદમાં સ્વગવાસ પામ્યા. અને એ રીતે ત્રિપુટી મહારની જડે આમ અકાળે ખંડિત થઈ ગઈ. છતાં બન્ને મુનિવરોએ પોતાનું કાર્ય તે ચાલુ જ રાખ્યું. આ ગ્રંથને બીજે ખંડ સં. ૨૦૧૬માં પ્રકાશિત થયા. આ સમયે પૂ. મુનિ શ્રી જ્ઞાનવિજય મ નું સ્વાથ્ય પણ નાદુરસત હ. પૂ. સ. શ્રી દશનવિજયજી મને પણ લે બ્લડ પ્રેશરની અસર થઈ. આવા વિકટ સંયોગેમાં પણ તેઓએ બીજે ખંડ પ્રકાશિત કરાવ્યું હતું, એ જાને આપણે સાચે જ આશ્ચર્યમાં મૂકાઈ જઈએ છીએ. આ વિષયમાં પ્રકાશ પાડતાં પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજ લખે છે: આ કપરા સયાગેમાં ગ્રંથ તૈયાર થાય એ વિચિત્ર સવાલ હતા. પરંતુ દેવગુરુની કૃપાથી સહાયક નિમિત્તો આવી મળ્યાં, તે પ્રમાણે અમે બને તે એકબીજાના પૂરક રહ્યા. એટલે જ્યારે તેનું સ્વાથ્ય સારુ હોય ત્યારે તે કામ ચલાવે અને એ રીતે પણ ભાગ બીજાનું કામ જારી રાખ્યું.” આમ મુનિશ્રીએ કેવા કપરા સંગોમાં પણ આ ગ્રંથનું કાર્ય અવરિત ચાલુ રાખ્યું હતું તેને ખ્યાલ ઉપર્યુક્ત હકીકતમાંથી આવે છે. તેમાં ૨૦૧૯માં ત્રિપુટી પૈકીના બીજા મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજની ચિરવિદાય થઈ અને બધી જ જવાબદારી ત્રિપુટીના એકલવીર પૂજ્ય મુનિ મહારાજશ્રી દર્શન વિજયજી ઉપર આવી પડી. સખત પરિશ્રમથી ત્રીજો ખંડ પણ સં. ૨૦૨૦માં પ્રકાશિત થયો. નાદુરસ્ત સ્વાશ્ય હોય અને અનેક વિધ પ્રતિકૂળતાઓ હોય ત્યારે પણ જ્ઞાનયજ્ઞ અવરિત ચાલુ રાખવે એ કાંઈ નાનું સૂનું કાર્ય નથી. આજે જ્યારે આવી પ્રવૃત્તિઓ તરફ શ્રમણ ભગવંતનું દુર્લક્ષ જોઈએ છે ત્યારે વર્તમાનના જ આવા જ્ઞાનપિપાસુ ગુરુદેવને નમવાનું મન થઈ આવે છે. આ ગ્રંથના ત્રીજા ભાગના પ્રકાશન પછી આ કાર્ય ઉપર અંધકાર છવાઈ ગયો હોવા જેવી સ્થિતિનું નિર્માણ થયું. કારણ કે ત્રિપુટી પૈકીના બે મુનિ મહારાજની ચિર વિદાય તથા પરમ પૂજ્ય મુનિ મહારાજશ્રી દર્શનવિજયજી મ. ને પણ લકવાની પૂરી અસર થઈ ગઈ. પરિણામે ઇતિહાસ લેખનની પ્રવૃત્તિ કંઈક મંદ બની, પરંતુ આપણું જૈન સંઘનું Page #22 -------------------------------------------------------------------------- ________________ [૨૧] સૌભાગ્ય હશે કે પૂજ્ય શ્રી લકવાની અસર ઓછી થતા, સુયોગ્ય વ્યક્તિ રેકીને પણ પૂજ્યશ્રીએ નિયમિત રીતે ચોથા ભાગનું લેખન કાર્ય કરાવતા રહ્યા. પોતે બેલતા જાય અને પંડિતશ્રી લખતા જાય. ઘણીવાર તો એવું બનતું કે લકવાને કારણે પૂજ્યશ્રીનું બેલવું પણ સમજાતું નહીં ત્યારે મુનિરાજશ્રી સ્લેટ પર, ભીંત પર અથવા જમીન પર મોટા અક્ષરોમાં જેમ તેમ લખીને પણ સેંધ કરાવતા. સાચે જ જેમને કંઈક કરવાની ધગશ હોય છે એ કોઈ પણ રીતે કાર્ય પૂરું કરે જ છે. ચોથા ભાગની દરેક હરત પ્રતો, ને ઉપરથી અગાઉના ભાગનું જ પ્રેસ મેટર તૈયાર કરનાર પંડિતવર્ય શ્રી અંબાલાલ પ્રેમચંદને જ સેપવામાં આવેલ. તેઓશ્રીએ આ બધું મેટર તૈયાર કરી રાખેલ. બાદ તે પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજી મહારાજ પણ સવંત ૨૦૨૯ પાલીતાણામાં કાળધર્મ પામતા પ્રકાશનનું કાર્ય ભૂગર્ભમાં સમાઈ ગયું. બે-ત્રણ વર્ષ પહેલા ગાનુયેગ અમદાવાદમાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી પંડિત શ્રી અંબાલાલભાઈએ શ્રી સંઘના કંઈક સદભાગ્યે સુરક્ષિત જાળવી રાખેલ ભાગ થાનું આ મેટર આપવા કૃપા કરેલ છે. આ માટે મુરબી પંડિતવર્ય શ્રી અંબાલાલભાઈના આપણે સૌ આભારી છીએ. તેમ જ આ મેટર મેળવવામાં સહભાગી–પ્રેરણામૂર્તિ બનનાર પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય હેમચંદ્રાસૂરીશ્વરજીના ઋણી છીએ. આ મેટર મને સંપાયુ તે તો મારા પૂજ્ય પિતાશ્રી ગુલાબચંદ દેવચંદ (તંત્રી જન”) ની સદભાવના તથા પૂજ્ય ત્રિપુટી મહારાજના સંબંધનું કારણ જ માત્ર હશે તેમ હું માનું છું. “જૈન પરંપરાને ઈતિહાસના ચેથા ભાગનું મેટર લેતી વખતે આ કાર્યની ગંભીરતાનો પણ પૂર્ણ ખ્યાલ નહોતો ત્યાં પૂજ્ય ગુરુદેવકૃપાથી યોગાનુયોગ પરમ પૂજ્ય ત્રિપુટીના જ મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી મ. સા.ના શિષ્ય મુનિ શ્રી નીતિવિજયજી (વર્તમાનમાં મુનિરાજશ્રી ભદ્રસેન વિજયજી) મ૦ ને પાલીતાણું સાંડેરાવ જિનેન્દ્ર ભવન જૈન ધર્મશાળામાં પૂજ્ય મુનિરાજ શ્રી મિત્રાનંદસાગરજી મ. રૂબરૂ આ ચોથા ભાગની વાત કરતાં, પૂજ્ય મુનિરાજશ્રી મિત્રાનંદ સાગરજી મ. એ ભારપૂર્વક જણાવેલ કે આપના જીવનના પ્રેરણું મૂર્તિ ઉપકારી ગુરુદેવેનું ઋણ ચૂકવવાની આ સુંદર તક મળેલ છે. વિગતે વાત Page #23 -------------------------------------------------------------------------- ________________ થતાં પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેન વિજયજી મહારાજે તેમના પ્રેરણામૂર્તિ ગુરુદેવના અધૂરાં રહેલા કાર્ય માટે જરૂર સહાય રૂપ થવા અનુમિત આપેલ. તેમ જ પૂજ્ય મુનિરાજશ્રી મિત્રાનંદસાગરજી મ. એ પ્રેરણું કરી કે આ મેટર પરમ પૂજ્ય પન્યાસ શ્રી અભય સાગરજી ગણીવર્યને વાંચી આપવા વિનંતી કરવી. આમ આ ચોથા ભાગના પ્રકાશનનાં ચક્રો ગતિમાન બન્યાં. ખેદની વાત છે કે પૂજ્ય ત્રિપુટીની ચિરવિદાય પછી આ કાર્ય ખોરંભે પડ્યું, એમની સાહિત્ય પ્રવૃત્તિ આગળ વધારવામાં આવી હોત તે જનધર્મના દરેક પ્રકારના સાહિત્ય વિષયક ગ્રંથનો ઇતિહાસ આજે કંઈક જુદો જ હોત. તેઓશ્રીએ વર્તમાનના દરેક પ્રકારના સાહિત્ય-લેખન પ્રકાશનનું ઊંડું ખેડાણ કરેલ છે. તેમાં પણ પૂજ્ય ત્રિપુટીએ ઈતિહાસને જે વિરાટ ચોગદાન અને પ્રદાન છે કરેલ એ તરફ અત્યાર સુધી જે દુર્લય સેવાયું છે એ સાચે જ એક દુઃખદ ઘટના છે. આ વાત મારા પૂજ્ય પિતાશ્રી ગુલાબચંદ દેવચંદ ( “જૈન” સાડતાહિકના તંત્રી)ને કાયમ ખટક્યા કરતી હતી. તેઓ શ્રી ત્રિપુટીના વિશેષ પરીચયમાં હોઈ તેમ જ ત્રિપુટીની ઈતિહાસ પ્રત્યેના ગદાનની જાણકારી હોઈ જન ઈતિહાસની ઉપયોગીતા જણાવી, ને પ્રકાશન થાય તેવા પ્રયત્નો કરવા જણાવેલ. આથી મુરબી શ્રી રતિલાલ (કાકા) દીપચંદ દેસાઈને મેટર જેવા જણાવેલ પરંતુ તેમણે શ્રી. આ ક૦ની પેઢીનો ઈતિહાર લખવામાં વ્યરત હોઈ તેમ જ તબીયત બરાબર રહેતી ન હોઈ, બીજે વંચાવી છપાવવા જણાવેલ, ત્યારે ઘણાને વાત કરતા તેનો પ્રતિભાવ ઓછો પડેલ. પરંતુ જૈન “ધર્મલાભ”ના કાર્ય માટે પાલીતાણું જતાંઆવતાં પૂજ્ય પન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ સાહેબને આ કાર્ય માટે વિનંતી કરતા જ તેઓશ્રીએ ઘણું જ ઉત્સાહથી આવા ઇતિહાસના કાર્યની ઉપયોગિતા સમજી, ઘણા જ કાર્યોની જવાબદારી, છ-છ કલાક આગમ વાચના અને તબીયતની પ્રતિકૂળતા હોવા છતાં સંપૂર્ણ મેટર જોઈ આપવા જણાવ્યું. આથી અમારામાં વિશેષ ઉત્સાહ પ્રગટો. શરૂઆતમાં તો તેઓશ્રીએ પ્રફ જઈ આપવા પણ ઉત્સાહ બતાવેલ. પરંતુ પ્રેસની અનુકુળતા ખાતર પ્રફની વ્યવરથા અલગ ગોઠવવી પડેલ. આ કારણે કોઈ અશુદ્ધિ રહી જવા પામેલ હોઈ તે મને ક્ષમા કરશે, Page #24 -------------------------------------------------------------------------- ________________ [૨૩] વર્તમાનમાં આવા ઉપયેાગી અને ઐતિહાસિક ગ્રંથમાં પણ આપણા શ્રમણ-સંધની ઉપેક્ષા અને અરૂચી જોઈને થાય કે જે શ્રમણ-સ‘સ્થાના ઉપર જૈન સંઘના ભાર છે, તે સમાજનુ, ધર્મનું ભાવિમાં શું થશે? જે તેની પરંપરાના ગીતા ગાયા કરે છે તે તેના ઇતિહાસને પણ જાણવા જેવા ઉત્સુક ના હાય તો તે કેવુ પ્રદાન કરશે તે પ્રશ્ન છે! આવા સમયે પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી અભયસાગરજી ગણીવર્ય જેવા ગુરુ ભગવતે મેટર જોઈ ને જરૂરી સુધારા કરી આપેલ છે તે માટે અમે। તથા શ્રી સંઘ ઋણી બની રહેશે. આજે આ જૈન પર પરાના ઇતિહાસના ચાથા ભાગ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ભાગમાં પ્રકાશિત થતી વિગતા ઉપરાંત ત્યાર પછીના વર્તમાન ઇતિહાસનું સાહિત્ય અમારી પાસે પડ્યું છે, તે તથા ઘટતું સાહિત્ય ઉમેરીને પાંચમા ભાગ રૂપે પ્રકાશિત કરીશું. તેમ જ પૂજ્ય ત્રિપુટી મહારાજોના જીવન-પરિચય તેમના વિવિધ કાર્યોની માહિતી સભર, તેઓશ્રીએ રચેલી ૬૦ જેટલી સાહિત્યકૃતિના પરિચય સાથે પાંચમા ભાગ પ્રગટ કરવામાં ચાવશે. [ આ અંગે જાણકારા પાસેથી માહિતી—કૃતિએ-તથા સ્વ પરિચયની. સ્વાનુભવની વિગતા આવકારીશું. ] તેમ જ પૂજ્ય ત્રિપુટી ગુરુદેવાની ભાવના મુજમ ચારે ભાગેાની માહિતી સભર અકારાદિ ઈન્ડેક્ષ, અલગ અલગ, વિષયવાર બનાવીને આપવાની ભાવના હતી તે નાદુરરતીનાં કારણેાસર બનાવેલી નહી. હાય ! પાંચમાં ભાગમાં આ અકારાદિ ચારે ભાગની આપવામાં આવશે. હાલમાં એ અકારાદિ તૈયાર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે, જે દરેક ઇતિહાસપ્રેમી-અભ્યાસી માટે ઉપયાગી પૂરવાર થશે. પૂજ્ય ત્રિપુટી મહારાજોએ વિરાટ સાહિત્યસર્જના (૬૦ થી પણ વધારે ) કરી છે. એ એક એક ગ્રંથા અણુમાલ છે. આપણે સૌ ઇચ્છીયે કે મુનિ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ તેમના ગુરુદેવેાના સાહિત્યના પુનરુદ્ધાર અને પુનઃ પ્રકાશન કરે તેમ જ તેમના દાદાગુરુ ગુરુકુળ સ્થાપક પૂજ્ય મુનિ મહારાજ શ્રી ચારિત્ર વિજયજી મ॰ સાની જન્મ શતાબ્દીને કાયમ મનાવાના પ્રતીક રૂપ તેમની શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા ને જીવંત કરે. અને પૂજ્ય ત્રિપુટી મહારાજોના સગ્રહને જૈન સંઘના રહિતમાં ઉપયાગી થાય તેવું સ્મારક બનાવે તેવી સેવાભાવી મુનિરાજ શ્રીને પ્રાર્થના. Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૪] પ્રાતે વીસ વર્ષના લાંબા ગાળા પછી આ જન પરંપરાનો ઈતિહાસના ચોથા ભાગને પ્રકાશિત કરવામાં હું તે માત્ર નિમિત્ત બની રહ્યો છું. જે મારા પૂજ્ય પિતાશ્રી ગુલાબચંદ દેવચંદના આશીર્વાદ રૂપ પરમ સૌભાગ્યની નિશાની માનું છું. આવા સાહિત્યની સેવા કરવાનું સદભાગ્ય નામી-અનામી શ્રી સંઘના દરેક અંગોના સાથ અને સહકારને જ આભારી છે. તેમાં પણ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી સૂર્યાસાગરજી મહારાજ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મિત્રાનંદ સાગરજી મહારાજ, પરમ પૂજ્ય સેવાભાવિ મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ આદિન તેમજ મારા રવ. પૂજ્ય પિતાશ્રી ગુલાબચંદ દેવચંદ, પંડિત મુરબી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, પંડિતવર્ય શ્રી અંબાલાલભાઈ પ્રેમચંદ શાહ, શ્રીયુત હર્ષદભાઈ ચંદુભાઈ લખુભાઈ ભાઈ શ્રી પંકજ હ. શાહ, ભાઈ શ્રી પ્રફુલભાઈ વગેરેના આશીર્વાદ, માર્ગદર્શન, તથા સહાયતા માટે આપેલ પ્રેરણાને આ તકે આભારી છું. આવા સાહિત્યની સેવા કરવાનું સદભાગ્ય મને પુનઃ પુનઃ મળ્યા કરે અને એ રીતે હું શુભ કાર્યોમાં નિમિત્ત બની શકું એવી શુભાભિલાષા સાથે વિરમું છું. આ કાર્ય માટે મારાથી કોઈ પ્રત્યે અવિનય કે અસંતોષ થયો હોય, કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય તે માટે હું મિચ્છામી દુક્કડમ ઈચ્છું છું. સુજ્ઞ વાંચક જન પરંપરાના ઈતિહાસથી પરિચિત બને એ જ શુભેચ્છા. પ્રકાશક. Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૪-A] છે શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | સંપાદક તરફથી.... પરમ માંગલિક શ્રી જિનશાસનના પ્રતાપે જગતના સર્વજીવ કલ્યાણ માર્ગના પથિક બને એવી મંગળ ભાવના વિશ્વવત્સલ મહાપુરુષોના હવામાં સતત રમતી હોય છે. જેના પરિણામે ક્યારેક એવા મંગળ કાર્યોના સૂત્રપાત થઈ જાય છે જેથી કે સર્વ જીવોના હિતની ભાવનાને વધુ બળ મળે છે. આજે આવા પૂનિત કાર્યને ટુંક પરિચય જિજ્ઞાસુઓને આપવાની મને તક મળે છે. જૈનસંઘમાં અગ્રગણ્ય મોભાદાર તરીકે પ્રખ્યાત અને શ્રમણ સંઘના વિરલ તેજસ્વી તારક સમાં પૂજય શ્રી દર્શનવિજયજી મ. (ત્રિપુટી) એ શ્રમણજીવનની બધી જવાબદારીઓ અદા – કરવા સાથે જેન સંધના ગૌરવવંતા ભૂતકાળને શ્રી સંધ સમક્ષ યથાર્થ રૂપમાં રજુ કરવાના સત પ્રયત્ન રૂપે ઇતિહાસના ક્ષેત્રે ખૂબ ધાર્મિક ગહન, અધ્યયન, સંશોધન કરી જૈન સંઘના ગૌરવને કેન્દ્રમાં રાખી ઘણું ખેડાણ કર્યું, પરિણામે જૈન સંઘને જૈન તીર્થોને ઇતિહાસ, ક્ષત્રિયકુંડ જૈન તીર્થને નકશો, જેન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧-૨-૩-૪, પટ્ટાવલી સમુચ્ચય ભાગ, ૧-૨, આર્યકાલીક આલેચના, આદિ અનેક પ્રકૅરને ભેટ ધર્યા છે. જેમાં સૌથી શ્રેષ્ઠ જેન સંધની ઉજવળ કારકીદી ભર્યા ગૌરવને ચમકાવનાર જૈન પરંપરાને ઈતિહાસ (ભાગ-૧-૨-૩) પૂજ્ય ત્રિપુટી મહારાજની અથાગ મહેનત અને ઉંડા અવેષ, સંશોધન, તેમજ ઈતિહાસની ઘણુ અપ્રસિદ્ધ માહિતીઓના સંકલનની ગજબ પ્રતિભાની શાખ પૂરે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪–B] ખરેખર શ્રી ત્રિપુટી મહારાજના જીવનની આ અમર યશગાથા છે. જૈન પરંપરાને ઇતિહાસ પુસ્તકના ત્રણે ભાગે જન સંઘના ખમીરભર્યા. ઉદાત્ત, કર્તવ્યોની પરંપરા પર પ્રકાશ પાથરે છે. વર્તમાન સંધને અપૂર્વ પ્રેરણાનાં પીયૂષ પાન કરાવે તેવો છે. મારી નાની વયથી પ્રાહ્યઃ વિ. સં. ૨૦૦૦ ના ચેમાસામાં સર્વપ્રથમ પ્રભુ મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ શાસ્ત્રસુદ્ધ સિદ્ધ છતાં કેટલાક તથાકથિત વિદ્વાનોએ ન જાણે કેમ વર્તમાન કાળના સુધારકોની વિચાર ધારાને અનુરૂપ * પ્રભુ મહાવીર વિશાલીમાં જન્મ્યા હતા ” આવી વાત પર ખુબ ભાર મુકવા લાગ્યા. એટલે મને શાસ્ત્ર–પક્ષે ચાલી આવતી વાત પર વધુ વિશ્વાસ છતા સહજ ભાવે સુધારકેની બધી દલીલે વાગ્યા બાદ આપણુ પક્ષે પ્રમાણેની તપાસમાં પૂજ્ય શ્રી દર્શનવિજયજી મ. ત્રિપુટી સાથે ખુબ પત્રવ્યવહાર થયે, ઘણું પ્રમાણે તેમના તરફથી મળ્યા. કે “ક્ષત્રિયકુંડ જ પ્રભુ મહાવીરની જન્મભૂમિ છે' તેથી મને મારી શ્રદ્ધા નિર્મળ થઈ. જો કે આના થડા વર્ષો પછી તે બધા પ્રમાણો “ક્ષત્રિયકુંડ” એ નામની પુસ્તિકામાં સંગ્રહેલ છે. એનું પ્રકાશન વિ. સં. ૨૦૦૬માં થયેલ છે. ત્યારથી પૂજ્ય શ્રી દર્શનવિજયજી મ. (ત્રિપુટી) સાથે પત્રવ્યવહારને પરિચય વધુ થયેલ. પછી વિ. સં. ૨૦૦૭ના પાલીતાણાના શ્રમણ સંમેલ વખતે ગાઢ પરિચય થયો. તેમજ આગમ વાચનાં અંગેની શ્રી સીમંધરસ્વામી અંગે અને શ્રી કાલકાચાર્ય અંગે તેઓની પાસેથી ઘણું ઐતિહાસિક, નકર, સામગ્રી મળેલ. - ત્યાર પછી મેં જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧, ૨-૩,નું ઘણીવાર વાંચન કર્યું. જે વાચી મને મારા જીવનમાં અહેભાવ જો, જેમાં આપણા પૂર્વ મહાપુરુષે જેનાચાર્યો, વિશિષ્ટ પ્રમાણે, વિશિષ્ટ શ્રમણીએ રાજાઓ, મંત્રીઓ, શ્રાવક, શ્રાવકાઓ, વિદ્વાની માહિતી તેમજ ગ, શાખાઓ, કુળ, મતાને ઇતિહાસ અને તીર્થો, ગુફાઓ, શિલાલેખો, ફરમાને, સ્તૂપો, મંદિર, નગરો, નગરીઓ, વાચનાઓ, ગ્રંથભંડારોની આદિ અનેક વિગતે અતિહાસિક પુરાવા સાથે આ ઈતિહાસમાં સંગ્રહ કરવામાં આવેલ છે. આવું બીજું લખાણ કેટલું છે ? એમ મેં પૂજ્ય ત્રિપુટી મને બે-ત્રણ વાર પૂછેલ, તો તેઓ એ જણાવેલ કે પાંચથી છ ભાગ થાય તેમ છે, Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪–] ત્યાર પછી પૂજ્ય શ્રી દર્શન વિજયજી ( ત્રિપુટી)મ. વિશમ કર્મના ઉદયથી બહુ પરવશ બન્યા હું તે ભયંકર માંદગીમાં પાંચ-છ વાર શાતા પૂછવા ગયેલ. જવારે જાઉં ત્યારે પૂજ્ય શ્રી દર્શનવિજ્યજી મ. ત્રિપુટીમાં એકદમ મને ભેટી પડતા. જીભના લકવાની અસરથી સ્પષ્ટ બેલી શકતા નહીં. પણ અસ્પષ્ટ બોલી મને આવકારતા મારી પિઠ થાબડતા, ક્યારે પેન લઈ લેટ ઉપર મારા ઉપર ખૂબ વાત્સલય વહાલ ભર્યા લખાણ લખી ઉમળકે ખૂબ વ્યક્ત કરતા. તેમની પરવશ અવસ્થામાં પણ તેઓની મારા પ્રતિ વિશિષ્ટ ભાવનાને લીધે, જાણે તેમને વિશિષ્ટ આશીર્વાદ ન મળ્યા હોય તેમ મારામાં ઇતિહાસની ખેજ અને સંશોધન વૃત્તોનાં બીજ વિકસવા લાગ્યા, આવા મહાપુરુષની ઇતિહાસની નવી નવી ખાજોના, વિશાળ હરત લિખીત, સંગ્રહની સુવ્યવસ્થા માટે મેં પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજના કાળધર્મ પછી તે બધું એકવાર સુવ્યવસ્થીત પણે પ્રકાશિત થઈ જાય તે સારું, એ ભાવનાથી પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજના વ્યવસ્થાપકે પાસે મેં વાત મૂકી વધુમાં તેમને અપરંપાર મહેનતથી લખાયેલ નોંધે માથી જેન પરંપરાને ઇતિહાસને ચોથે ભાગ પ્રકાશીત કરવાની મેં તમને બતાવી. ચાર-પાંચ વાર મેટર માટે વાત કરી, પણ કાળબળની પરિપકવતાની ખામીથી મારી વાત અમલમાં ના આવી. છેવટે પૂજ્ય શ્રી ત્રિપુટી મ, ના ભૂતપૂર્વ શિષ્ય શ્રી ભદ્રસેનવિજયજી મ. અને મહેન્દ્રભાઈ ગુલાબચંદ (જેન – ધર્મલાભ ભાવનગરવાળા)ને સદ્દપ્રય નથી તે મેટર ભંડકીયાઓમાંથી, પુણ્યયોગે પ્રાપ્ત થયું. ને પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજના ઉપકારની સમૃતિથી તેઓશ્રીના મારા પરના રૂણને અદા કરવા જેન પરંપરાને દતિહાસ ભાગ – ચોથો પ્રકાશિત કરવાની મારી ઇચ્છા પૂર્ણ કરવાની તક મુનિ શ્રી ભદ્રસેનવિજયજી મ.ના સહકારથી મહેન્દ્રભાઈ દ્વારા આ ગ્રંથનું સંશોધન કરવા તક મળી. તે અંગે તેઓના ધર્મ સનેહની વારંવાર અનુમોદના થાય છે. ખરેખર પુજ્ય ત્રિપુટી મહારાજે આ ગ્રંથમાં અનેક ઝવેરાત ભર્યા છે, Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૪D] જે અંતરની વિવેક ચક્ષુનું – ઉન્મીલન કરવા માટે સમર્થ છે. મને આવા પુન્ય કાર્યની તક મળી તે અંગે દેવ-ગુરુની કૃપાને પણ આભારી છું. મારા પશમ પ્રમાણે આનું સંશોધન કરેલ છે. ઇતિહાસની વાતે અને સાલવારીના આંકડા પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજની અદ્યાત વિદ્યતા હતી, એકસાઈ ભરેલા હોવા છતા, પ્રતિ લીપી કરનારાની કે નેધ ઉકેલનારની શરત ચુકથી ક્યાંક શંકાસ્પદ લાગ્યા તે બધાને બનતા પ્રયત્ન બીજા ઇતિહાસના ગ્રંથો સામે રાખીને ચકાસી લીધા છે. છતા આ સંપાદન કાર્ય માં છખસ્થતાથી કયાંક ઈતિહાસ-શાસ્ત્ર મર્યાદા કે પરંપરાથી વિરુદ્ધ કઈ આલેખાયું હોય તે તે બદલ શ્રી સંઘ સમક્ષ હાદિક ભાવ શુદ્ધિ પૂર્વક મિથ્યા દુષ્કત માંગું છું. વધુમાં જૈન સંઘવી ઉજવલ નિષ્કલંક અને પવિત્ર ઉદાત્ત યશગાથાના પનોતા સંભારણા જેમાં ઠેર ઠેર સંગ્રહાયેલ છે. તેવા આ અદ્વિતીય ગ્રંથની વાંચનાથી સૌ કલ્યાણ કામી આત્માઓ પોતાના જીવનને શાસનાનુસારી પ્રભાવક બનાવે તેમજ પૂર્વના મહા પુરુષોની યશોગાથાના ભાવ ભરી અનુમોદના કરી જીવન ધન્ય બનાવે. એજ મંગલ કામના. શ્રી વિજય રસૂરિ નૂતન જૈન ઉપાશ્રય ખાડા લીંબડા. પાલનપુર, વીર સંવત. ૨૫૦૦ વિ. સં. ૨૦૩૯ અષાઢ વદ – ૩ તા. ૨૮/૭૮૩ – ગુરૂવાર. પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી ગણું ચરણસેવક મુનિ અભયસાગર Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪– E ] વિશ્વ ગગનના તેજસ્વી તારકે કેવો હતો ભવ્ય ભૂતકાળ આપણે અને કેવા હતા એ આપણું તપ-ત્યાગ અને સંયમની મૂર્તિ સમા પૂર્વજો. સાચે જ વિશ્વના ચેકમાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાય પાસે ન હોય તેવો અણિશુદ્ધ અને કડિબદ્ધ ઇતિહાસ જન શાસનનો છે, જે કાળની અકળ ગતિએ કેટ કેટલા મતો – સંપ્રદાય અને વ્યક્તિઓને નામ – ઠામ વગરના કરી દીધા છે એ કાળની સામે ટક્કર ઝીલીને પણ જેણે પિતાને શ્રેણીબદ્ધ ઇતિહાસ આજ સુધી જાળવી રાખ્યો છે એ કાંઈ નાની સૂનીવાત ન ગણાય. આ ઈતિહાસને યોગ્ય રીતે ન ભણવાના કારણે જ જૈનધર્મ – તેના સિદ્ધાન્ત અને તેના આચાર-વિચારે માટે મન ફાવે તેમ આજના લેબલવા, લખવા પ્રેરાય છે. પણ આ ઇતિહાસને તટસ્થ અને ગુણ ગ્રાહક દૃષ્ટિએ જે વચે–વિચારે તો એનું મસ્તક મૂકી ગયા વગર રહે નહીં આ અંગે સંસ્કૃત- પ્રાકૃત ગદ્ય-પદ્યમાં અનેક નાના મોટા ગ્રંથે આપણું પૂર્વ મહા પુરુષેએ રયા છે. જૈન શાસનમાં થયેલા વિદ્વાન આચાર્યો, મુનિ અને શ્રાવકે તેમજ તેઓએ કરેલી સાહિત્ય સેવા ખરેખર અદ્ભુત છે. એને ચારે બાજુથી શોધી તપાસી એકઠી કરી એનું સંકલન કરવું એ ઘણું કપરું કામ છે. સાગર સમા અમાપ વિસ્તારવાળા આ કામમાં આજ સુધી ઘણું ઘણું પ્રય થયા છે. છતાં તેને તાગ મળ મુશ્કેલ છે Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૪-F] ઈતિહાસનું પ્રદાન– ઘણું એવું કહેતા હોય છે કે ભાઈ ! ભૂતકાળનું ગાણું ગાઈને વળી આપણે શું કરવું તે-આપણે તે આપણે વર્તમાન કાળ જ જુઓને પણ તેઓનું આ કથન અવિચારણીય છે કેવળ વર્તમાન કાળ જોઈને જીવન જીવનારા કઈ રીતે ઉચ્ચ અને આદર્શ જીવન જીવી શકે ? ઈતિહાસ એ માણસની ભાવનાને બલવત્તર બનાવે છે એના દિલમાં એક પ્રકારના ગૌરવની ભાવના પ્રગટાવે છે. મારા પૂર્વ પુરુષે આવા હતા તે મારે પણ એમના જેવું થવું જોઈએ એવી પ્રેરણા એમાંથી મેળવે છે. વળ તેઓ જે જે પ્રકાર વડે જ્ઞાનાદિકમાં-તીર્થ પ્રભાવનામાં-આત્મ-કલ્યાણમાં અને સાહિત્ય સર્જનમાં આગળ વધતા તે તે પ્રકારને જાણ પોતે પણ તેને અપનાવવા ઉત્સુક બને છે એક નહિ પણ અનેક દૃષ્ટાતે આપણને જાણવા મળે છે કે – કેઈકના જીવન પ્રસંગે જાણ્યા પછી પોતે પિતાને જીવન માર્ગ સાવ બદલી નાંખ્યો હોય. દરિયામાં મુસાફરી કરનાર નાવિકને જેમ દીવાદાંડી કે ધવ તારક સન્મા જવા પ્રેરે છે તેમ મહાપુરુષોના જીવન પ્રસંગે જીવનમાં ભમતા જીવોને સન્માર્ગ લાવે છે. ઈતિહાસના વર્ણનની સાથે સાથે તેની સાથે સંકળાયેલા અનેક વસ્તુઓની સુંદર માહિતિ આપણને સાંપડે છે. પ્રસ્તુત પ્રકાશન જેન પરંપરાને ઈતિહાસના ત્રણ ભાગ આ અગાઉ પ્રકાશિત કરવામાં આવ્યા છે શ્રી ત્રિપુટી મહારાજે આના સંકલનમાં સારી જહેમત ઉઠાવી છે. ઈતિહાસ લખવાનું અને એની એ કકસ મા હિતિ મેળવવાનું કામ કેટલું કપરું છે એ તે તે વિષયના જાણકારે સારી રીતે સમજી શકે છે. વિ. સં. ૨૨૯માં નાગજી ભૂધરની પિળ-જૈન ઉપાશ્રમમાં પૂજ્ય ગુરુમહારાજ Page #32 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪–G ] આ, શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ હતા તે સમયે શા. હદભાઈ ચંદુલાલ લખુભાઈની સાથે ‘જૈન પર પરાના ઇતિહાસ, ચેાથા ભાગના મેટર માટે વાત થઈ અને તેએએ આ મેટર વ્યવસ્થિતકરીને કાઈ છપાવી દેતુ હાય તે! અમે ખુશીથી તેમને આપી દઈએ એમ તેમણે કહ્યું, ત્યાર પછી ભાઈ મહેન્દ્ર ગુલાબચંદ ભાવનગરથી અમદાવાદ આવ્યા તે વખતે સાથે વાતચીતમાં આ અંગે પણ વાત થઈ અને તેમણે એ માટેની તૈયારી દર્શાવી—જેમણે જેમણે ઘણુા ભાગ જોયા-વાંચ્યા હતા તે બધાની ચોથા ભાગ માટેની માંગ તા ચાલુ હતી જ પણ આવા વિશાળકાય ગ્રંથની કાઈ જવાબદારી ઊપાડે તા કામ થાય ને ? ત્યાર બાદ તા વિચારને વિચારમાં તેમજ મેટરને વ્યવસ્થિત કરવામાં ખાસા એવે સમય ગયા. તે દરમ્યાનમાં મુનિ શ્રી ભદ્રસેન વિજયજીએ આ અંગે ઉપદેશ આપી પ્રેરણા દેવાનું સ્વીકાર્યું અને પરિણામે આ ગ્રન્થ અત્યારે સૌના સહકારથી સૌના કર કમલમાં આવ્યા, ૫. અબાલાલ પ્રેમચંદ શાહે પણ આમાં સારા પ્રયત્ન કર્યા છે. ઇતિહાસના વિષય જ એવા છે કે એમાં ઘણી બધી ચાકસાઈ કરવા છતાં પણ ભૂલ થવાને સભવ ન કાઢી શકાતા નથી. એટલેા જાણકારીએ અને ગુણુ ગ્રાહક દૃષ્ટિએ વાંચવા – વિચારવા જોઈએ. અમુક અમુક પુરુષો કયારે થયા તેના માટે એના સંવતમાં પણ મત ભેદે પ્રવર્તાતા હૈાય છે, અને કેટલાક પ્રસંગેામાં અમુક કિવદવતીએ પણ સમાયેલી હાય પણ એ બધામાંથી સારભૂત તત્ત્વને ગ્રહણુ કરી આપણા ભવ્યભૂતકાળને પુન સજીવન કરવા માટે આપણે આપણી સમસ્ત તાકાત લગાવી દઈએ એ જ મંગલ કામના. શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા પાંજરાપાળ – અમદાવાદ-૧ } પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજીમ. ચરણુસેવી વિજયહેમચન્દ્રસૂરિ Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ - છે ઇ છે મેડતા ૫૪ જ દ હ ૫૭ « જેન પરંપરાને ઈતિહાસ [ ભાગ ] વિષય – અનુક્રમણિકા ઘટના પાનું ઘટના પાનું પ્રકરણ પ૭ ગ્રંથસમાપ્તિ ૪૪ ભકારક શ્રી વિજયદાનસૂરિ સાવી સંધ ૪૬ ટૂંકે પરિચય પ્રભાવક જેને,જેનધર્મ પ્રેમીઓ, ૪૭ ક્રિહાર નગર સ્થાપના ૫૩ બીજા સહયોગીઓ, સમી ૫૪ ગરછનાયકની પદવી બે પટ્ટધરો કિસનગઢ ૫૪. આગમવાચના રૂપનગર ૫૭ પટ્ટક જામનગર પ્રતિષ્ઠા આગરા મુક્તાઘાટ ફતેપુર સિક્રી પ્રતિષ્ઠા જેસલમેર મહેસાણામાં જિનપ્રતિષ્ઠા આમેર ૬૫ ગુરુ નામ-મંત્રપ્રભાવ સાંગાનેર સ્વર્ગગમન છઠ્ઠી તપા રત્નાશાખા પરં૦ ૧૫ જિયપુર સુરત પહેલી તપા રતનાશાખા પરંતુ ૧૯ સંધપતિ પ્રેમજી પારેખ બીજી તપા રત્નાશાખા પર. ૨૨ કપૂરચંદ્ર ભણશાળી ત્રીજી તપા રત્નાશાખા પરંતુ ૨૪ પં. દેવવિજય ગણિવરે. ૨૫ અનૂપસિંહ ભંડારી ચોથી તપા રતનાશાખા-પરંપરા ૨૭ સંઘપતિ કચરા કાકા પાંચમી તપા રતનશિાખાની સંઘપતિ તારાચંદ પરંપરા ૩૦ સંઘપતિ પ્રેમચંદ મેદી ૮૮ પૂ.આ. શ્રી વિજયદાનસૂરિ શિષ્ય ઈચ્છા કુંડ ૫ પરંપરા ૩૭ સંઘપતિ શેઠ ડાહ્યાભાઈ સમકાલીનગ્રંથકારો ૪૦ સંધપતિ શેઠ ધરમચંદ ઉદયચંદ ૯૫ S N - ૧૩ ૧૩ ૮ ૦ ૮૨ ૮૫ WWW.jainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ [૨૬] પાનું ૧૬૩ ૧૭૦ ૧૧૧ ૧૭૦ ૧૭૧ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૪ ૧૭૫ ઘટના પાનું સંઘપતિ શેઠ અભયચંદ સ્વરૂપચંદ૯૫ સંઘપતિ છવણચંદ નવલચંદ ૯૬ સુરતનાં જૈન મંદિર ૯૮ સુરતની વિશેષ ઘટનાઓ ૧૦૩ સુરતના મહાજન ૧૧૧ શેઠાણી સુભદ્રા પ્રકરણ ૫૮ રાજનગરને નગરશેઠ વશ ૧૧૫ શિસેદિયા રાજવંશ ૧૧૫ વીર દયાલ શાહ ૧૧૭ ભૂલાનગર ૧૧૯ અમદાવાદના નગરશેઠને વંશ ૧૨૧ પમા શાહ ૧૨૧ વિસા શાહ ૧૨૧ સહસ્ત્રકિરણ (શેષકરણ) ૧૨૨ વર્ધમાન શેઠ ૧૨૪ નગરશેઠ શાંતિદાસ ૧૨૪ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ૧૩૨ સ્થાનાંતર ૧૩૬ નગરશેઠ ખુશાલચંદ ૧૪૫ શેઠ નથશાહ ૧૫૭ શેઠ જેઠમલ નગરશેઠ વખતચંદ શેઠશ્રી દલપતભાઈ ૧૫૬ ગંગામાં ૧૫૭ સરદાર લાલભાઈ ૧૫૭ શેઠ સારાભાઈ ૧૫૮ શેઠ સૂરજમલ ૧૬૦ ઊજમ(બાઈ) ફેઈ ૧૬ ૦ નગરશેઠ હેમાભાઈ ૧ ૬૧ ઘટના હિમાવસહી નગરશેઠ પ્રેમાભાઈ શેઠ લાલભાઈ શેઠ મણિભાઈ પ્રેમાભાઈ શેઠ વિમળભાઈ શેઠ સારાભાઈ શેઠ ચીમનલાલ લાલભાઈ શેઠ કસ્તુરભાઈ મણિભાઈ જગત શેઠને વશ શેઠ હીરાચંદ શેઠ માણેકચંદ શેઠ ફત્તેહચંદ શેઠ મહતાબચંદ બાબુ મેઘરાજ જગત શેઠ ખુશાલચંદ જગતશેઠ હરખચંદજી જગતશેઠ ઈન્દ્રચંદ્રજી શેઠ ગોવિંદચંદ્ર શેઠ ગોપાલચંદ્રજી શેઠ ગુલાબચંદ્રજી શેઠ ફોહચંદ્રજી શેઠ ઉદયચંદ્રજી શેઠ સૌભાગ્યચંદ્રજી રાણપુરા નગરશેઠને વંશ ભારતના કેટલાએક સંવત મૌર્ય પડિહારવંશ ૧૭૭ ૧૮૦ ૧૮૩ ૧૮૭ ૧૮૭ ૧૮૮ ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૮૯ ૧૫૨ ૧૫૨ = ૧૮૯ ૧૮૯ ૧૯૨ ગુજરાતના સૂબાઓ સૌરાષ્ટ્રને ગહેલવંશ પાલનપુર ૧૮૩ ૧૯૪ ૧૯૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઘટના પાટણ રાણપુર પચ્છેગામ ૧૯૫ ૧૯૬ ૧૯૬ દડવા ૧૯૬ શેઠ કુ અરજી (ડવા-રાંદલના) ૨૦૧ શેઠ નાનજી વડેાદવાળા ૨૦૩ વાલજી શેઠ, અક્ષ પર ૨૦૪ ૨૦૬ માનજી શેઠ, વડાદ ભૂરલાલ શેઠ, માંડવા ૨૦૮ દાશી મનિયા શ્રીમાલીના વંશ ૧. ૨૦૯ દોશી મનિયા શ્રીમાલીના વંશ ૨, ૨૧૩ દોશી મનિયા શ્રીમાલીના વ’શ ૩. ૨૧૪ દાશી મનિયા શ્રીમાલીના વંશ ૪. ૨૧૫ પ્રકરણ ૫૯ ભટ્ટારક વિજય સેનસૂરિજી ૨૧૬ ખંભાતમાં પ્રતિષ્ઠા ૨૨૧ બાદશાહી રાજસભામાં ૩ ૨૧૪ ૨૨૭ ૨૩. २३० ૨૩૬ ૨૩૮ સવાઈ હીર આ વિજયદેવસૂરિ શેઠ મેધજી–લાકડીબાઈ દીવએટ સેન પ્રશ્નોત્તર ( ઉલ્લાસ ) શ્રમણ પરંપરાઓ મહે॰ કમલવિજયજી ગણી નવા ભટ્ટારા પ♦ સત્યવિજય ગણી ૫૦ સૌભાગ્યવિજય ગણી પ' મેરુવિજય ગણી મુનિ માણેકવિજયજી શેઠે મનિયા પાનુ. [ ૨૭ ] ૨૩૯ ૨૪૦ ૨૪૨ ૨૪૨ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ઘટના મહે। નયવિજય ગણી શ્રીપૂજ ઋષિ મેજી પૂં હુંવિજય ગણી ૫ ૦ વિજયસ દર ગણી પ્॰ વિનયસુ ંદર ગણી ૫૦ કીતિ કુશલ ગણી ૫૦ ઉયરુચિ ગણી પં, દયારુચિ ગણી ૫૦ માણેકરુચિ ૫૦ દેાલતરુચિ ૫” ગુણહર્ષ ગણી ૫૦ સામકુશળ ગણી ૫૦ કનકકુશલ ગણી ગ્રંથકારા તીર્થ સ્થાપના નગરસ્થાપના જૈન ધર્મ પ્રેમી રાજા પ્રભાવક જેના શેઠ કલ્યાણમલ મંત્રી. ગલરાજ સંઘપતિ સહજપાલ શેઠ રામજી ગધારિયા શા વધુ માન શેઠ મુલાશાહ પાનુ ૨૪૪ ૨૪:૪ ૨૪૫ ૨૪૬ ૨૭૧ સધપતિ કુ અરજી એશવાલ ૨૭૧ શેઠ વિમલદાસ ૨૭૨ ૨૭૨ ૨૭૪ ૨૭૪ જસુ ઠક્કર ૨૭૪ સાની તેજપાલ એશવાલ ૨૭૫ શેઠ વજિયા-રજિયા શ્રીમાલી ૨૭૫ સંધવી ઉદયકરણ ૨૭૫ ૨૪૬ ૨૪ ૨૪૩ ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૫૦ ૨૫૧ ૨૦ ૨૬૯ २७० २७० ૨૭૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઘટના ચપામાં રાજમલજી શેઠ યાનમલજી શા. ભાનુમલ, કલ્યાણુમલ મહેા ભાનુચંદ્ર ગણી ૫૦ કુશવિજય ગણી મંત્રી સંગ્રામસિં પાનુ` ૨૯૬ ૨૭૬ ૨૧૭૭ २७७ ૨૭. ૨૭૨ ૨૭૯ મંત્રી કર્મચદ્ર ભાવત આ જિનચ ંદ્રસૂરિ સંધવી દુજ ન શય્ ડિયા જૈન ૨૮૨ ૨૮૧ સૌંધવી હીરાનંદ ૨૮૨ ૨૮૨ ૨૮૨ ૨૮૨ ૨૮૨ ૨૮૪ ૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૫ ૨૮૭ ૨૮૭ ૨૮૮ સંઘવી નાતુ સંઘવી દુ નશલ્ય કવિ કૃષ્ણદાસ શાહ સદારગ શ્રીમાલી શકયાને વશ સઘવી ઇંદ્રરાજ વિરશાહ ભણુશાલી સંઘવી અક્રૂ ક્જશાહ ચંદુ સંધવી શેઠે મેઘજી શ્રી લાડકીબાઈ કવિ સારંગ શેઠ પ્રકરણ ૬૦ આ. વિજયદેવસૂરિ પ્રતિષ્ટા ભટ્ટારક વિજયપ્રભસૂરિ ગુચ્છભેટા-શાખા જૈનતીર્થા કાપરડા તીથ વરકાણા તી [ ૨૮ ] ૨૮૯ ૨૯૧ ૩૦૫ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૬ ઘટના જૈન ધર્મના પ્રભા વા–ધમ પ્રેમીઆ આશવાલનાં વિવિધ ગાત્રા અને શાખાએ દુકાળા વિવિધ કલામય વસ્તુઓનુ નિર્માણુ ગ્રંથભંડાર સહસ્રકૂટા મહેા મહેા ( સિંહસૂરિ ) મુનિ કૃષ્ણવિજય ભ॰ વિજયતિલકસૂરિ મુનિ સંમેલન ક્રિયાધાર જિન પ્રતિષ્ઠા શિષ્યા અને શિષ્ય પરંપરા પ્રકરણ ૬૧ આચાય વિજયસિ’હરિ ૩૩૫ કીતિ વિજય ગણી વિનયવિજય ગણી ૩૩૬ ૩૩૭ ઉપા૦ ક્રાંતિવિજય ગણી ૩૩૭ ઉપા॰ કનકવિજયજી પાનું પક વ્યવસ્થા યાજના વસ્ત્ર ઃ ૩૧૬ ૩૨૨ ૩૨૮ ૩૨૯ ૩૩૧ ૩૩૨ પ્રકરણ ૬૨ ૫૦ સત્યવિજય ગણિવર ૩૬૫ ક્રિયાદાર ૩૬ ૩૩૭ ૩૩૭ ૩૩૮ ૪૩૯ ૩૪૨ ૩૪૩ ૩૪૫ ૩૬ ૩૬૭ ૩૬૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ર૯] પાનું ૩૬૯ ૩૯૧ ઘટના મર્યાદા પ્રભાવકે ૩૭૨ જૂનાગઢને ગ્રંથભંડાર ૩૭૩ પ્રકરણ ૬૩ ૫૦ કપૂવિજયજી ગણી ૩૭૪ પં૦ વૃદ્ધિવિજય ગણ ૩૭૫ ૫૦ મણિવિજય ગણું ૩૭૫ શેઠ નાગજી ભૂધર ૩૭૬ ૩૮ ૦ ઘટના પાનું સુરતમાં ચરણપાદુકા ૪૫ આગમની પૂજાની રચના ૨૯૧ મહાવીરજી તીર્થ ૩૯૨ તેરાપંથ-મત ૩૯૫ ગિરનારતીર્થ ૩૯૫ શેઠ જગમાલ ૩૯૫ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી ૩૯૫ વડનગરના શેઠ દેવચંદ ૩૯૫ સંઘપતિ વોરા ડોસાને પરિવાર ૩૯૬ પ્રકરણ ૬૭ ૫૦ પદ્યવિજયજી ગણી ૩૯૯ સંઘયાત્રા ४०० પ્રતિષ્ઠા ૪૦૦ સં. ૧૮૩૯ લીંબડીમાં ૧૦૯ માસક્ષમણુ ૪૦૧ અમદાવાદમાં સહસ્ત્રફણાની પ્રતિષ્ઠા ૪૦૨ અમદાવાદમાં ૧૮૬૨માં કાળધર્મ - ૪૦૨ બિકાનેરનો સુરાણાવંશ ૪૦૩ સાહિત્ય ૪૦૩ વડોદરાનું અમારિપાલન ૪૦૪ તેલની ઘાણું બંધ રાખવાને દસ્તાવેજ ૪૦૫ બાંદનવાડામાં પાખી કચ્છના રાવે હરણું, મોરસેનૈયા કીડા મારવાને મૂકેલ પ્રતિબંધ ૪૬ લાકડિયામાં અમારિ પ્રવર્તાવી ૪૦૭ માલિયામાં અમારિ પ્રવર્તાવી ૪૭ અંગિયામાં અમારિ પ્રવર્તાવી ૪૦૭ પં૦ ક્ષમાવિજય ગણી ૩૭૭ રતનસિંહ ભંડારી ૩૭૯ સુરતના સંઘપતિ પ્રેમજી ૩૭૮ પં. વીરવિજયજી પ્રકરણ ૬૫ પં. જિનવિજયગણી પ્રકરણ ૬૬ પં. ઉમવિજય ગણી ૩૮૪ પં. દેવચંદ્રજી ગણી 3८४ યતિવર્ય સુવિધિવિજય ૩૮૫ ભટ્ટારક ભાવપ્રભસૂરિ ૩૮૬ તલકશી શ્રેણી જામનગરના મંત્રી ૩૮૭ ડહેલા ઉપાશ્રય ૩૮૭ ભટ્ટા ઉદયસાગર ગણું ૩૮૮ ભટ્ટા, વિજયધર્મસૂરિ ભંડારી રતનસિંહ પં. નેમવિજય ગણી પં૦ ખુશાલવિજયજી ગણું ૩૯૧ નંદીશ્વર દીપની પૂજાની રચના ૩૯૧ નવપદ પૂજાની રચના ૩૯ ૧ ૩૮૧ ૩૮૮ ૩૮૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ [૩૦] ઘટના પાનું ઘટના પાનું સિલાનામાં અમારિ પ્રવર્તાવી ૪૦૭ શેઠ જેસિંગભાઈ ૪૨૦ સરધનામાં અહિંસાનું પાલન ૪૦૭ શેઠ ઉમાભાઈ ૪૨૧ પ્રકરણ ૬૮ વિક્રમશી ભાવસાર ૪૨૧ પં૦ રૂપવિજયજી ગણી ૪૦૯ પ્રકરણ ૬૯ સાહિત્ય પં૦ કીતિવિજયજી ગણી કર૩ અંચલગરછના ગ્રંયકારો ૪૦૯ મુનિવરો ૪૨૩ મોટા કવિઓ અને પ્રભાવકે ૪૧૧ શિષ્ય ૪૨૩ શિષ્ય પરંપરા ૪૧૧ - પ્રકરણ ૭૦ શિહોરમાં મરૂદેવા ટૂંક ૪૧૨ સમેતશિખરનો ૨૧મો પં. કસ્તુરવિજયજી ગણી ૪૨૪ મુનિ ચિદાનંદજી મહારાજ ૪૨૪ જીર્ણોદ્ધાર ૪૧૨ પ્રભાવિક મહાજન ધાકડી ગામે લહમીચંદભાઈ ૪૨૫ ૪૧૩ શેઠ મોતીશાહ ૪૧૩ પ્રકરણ ૭૧ શેઠ કલ્યાણજી કાનજી ૪૧૭ ૫૦ મણિવિજયજી દાદા ૪ર૬ નગરશેઠ વખતચંદ ૪૧૭ વિહાયાત્રા ૪૨૬ શેઠ હઠીસિંહ કેશરીસિંહ શિષ્ય પરિવાર ૪૭. શેઠાણી હરકીરબાઈ ૪૨૦ આ. વિજયસિદ્ધિસૂરિદાદા ૪૨૮ ૪૧૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ લેખકની કૃતિઓ .. પરમ પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજયજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવિજયજી મહારાજ તથા પરમ પૂજ્ય મુનિરાજશ્રી ન્યાયવિજયજી મહારાજ સાહેબ દ્વારા લિખિત, સંપાદિત, પ્રેરિત, સંકલિત, પ્રકાશને જે મુખ્યત્વે શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળાના નામે પ્રગટ થયેલ, તે સંવત ૧૯૮૦ થી ૨૦૨૫ પુસ્તકોની યાદી શ્રી આદિનાથ શકુનાવલી. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભાગ ત્રીજે) શ્રી મહાવીર જન્મોત્સવ. (જેનું મેટર લખાયેલ પ્રાપ્ય નથી) રમલ પ્રશ્ન શ્રી તપગચ્છ શ્રમણ વંશ–વૃક્ષ લગ્ન પ્રશ્ન (બે આવૃત્તિ) પૂજાસંગ્રહ (બે આવૃત્તિ) શ્રી ચારિત્રવિજયજી-જીવન વિવિધ પૂજાસંગ્રહ શ્રી ચારિત્ર સ્તવનાવલિ દિવાળી પૂજન શ્રી ચારિત્ર પદ્માવલી–ગહું લી–સંગ્રહ, પુરાય વૈભવ શ્રી ચારિત્રવિજયજીનું હિન્દી ચરિત્ર, જૈન સમાજને સિતારે એક મનનીય પુસ્તિકા જૈનાચાર્યો શ્રી ચારિત્ર મંજરી પ્રાકૃત લક્ષણ (ચંડકૃત) વેતાંબર-દિગંબર ભાગ ૧-૨ વિશ્વરચના પ્રબંધ જગદ્ગશ્રી હીરવિજયસૂ દિજીની દિનશુદ્ધિ-દીપિકા (વિશ્વપ્રભા) પૂજા સ્તવનાદિ સંગ્રહ શ્રી મહાવીર જયંતિ પૂજા (હિન્દી) આર્યકાલક આલોચના શ્રી અષ્ટપ્રકારી પૂજા પદ્ સંગ્રહ આદર્શ ગચ્છાધિરાજ શ્રી બ્રહદ્ તીર્થ પૂજા પર્વાધિરાજ પર્યુષણાદિનકા વ્યાખ્યાન શ્રી બૃહદ્ ધારણું યંત્ર (સંસ્કૃત) જૈન તીર્થોને નકશે. પર્વકથા સંગ્રહ (સંસ્કૃત) (ટૂંકી માહિતી સાથે) જૈન પર્વ તિથિને ઈતિહાસ શ્રી વિહાર દર્શન – ખંડ ૧-૨. વિ. સં. ૨૦૨૦નાં જિન પર્વે શ્રી વિહાર દર્શન – ખંડ ૩-૪ જિનગુણુવાટિકા શ્રી જન તીર્થોને ઈતિહાસ સમય દર્શન (વિવિધ વિધિઓ) શ્રી પટ્ટાવલી સમુરચય (પ્રથમ ભાગ) બારવ્રત (ત્રણ આવૃત્તિ) શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભાગ બીજો) સિદ્ધચક્ર આરાધનાવિધિ WWW.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ - [૩૨] સિદ્ધચક મહાય આદર્શ સાધુ (હિન્દી) ક્ષત્રિય કુંડ (શ્રીમદ્ ચારિત્રવિજયજી મ.ને પરિચય) શ્રી જિન સ્તવનમાલા ઉત્તરાધ્યાન સૂત્ર શ્રી શ્રીધરચરિત્ર-મહાકાવ્યમ્ (સંસ્કૃત) ધર્મ સંગ્રહ ભાષાન્તર, જિનવાણ (હિન્દી) જન પરંપરાને ઇતિહાસ ભાગ ૧ સામાયિક સૂત્ર (હિન્દી) જન પરંપરાને ઇતિહાસ ભાગ ૨ શ્રી સ્નાત્ર પૂજા તથા શ્રી પાર્શ્વનાથ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૩ પૂજા (હિન્દી) જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૪ 1 તેમજ તેઓશ્રીના લેખો, જૈન ધર્મ પ્રકાશ, જૈન આત્માનંદ પ્રકાશ, જૈન, જૈન સત્યપ્રકાશ, આદિ અનેક માસિકોમાં પ્રગટ થયેલ છે, જેને સંગ્રહ જ ર૭૦૦ થી ૩૦૦૦ પાના હશે. ક પૂજ્ય ત્રિપુટી મહારાજ દ્વારા સંગૃહીત પુસ્તક તેમ જ વિશેષ સામગ્રી અમદાવાદમાં જૈન સોસાયટીમાં, શ્રી પ્રાચ્યવિદ્યા ભંડારમાં. પૂજ્ય ગુરુદેવશ્રી ચારિત્રવિજયજી મહારાજના નામે જ્ઞાનભંડાર સ્થાપેલ સં. ૨૦૦૨માં જે આજે બહુ જ મૂલ્યવાન સામગ્રીથી સભર છે. તેમ જ અમદાવાદ એલ. ડી.માં ને પાલિતાણે ગુરુકુલમાં પણ સંગ્રહ પડેલ છે. તે સર્વે એકત્ર કરવાથી ઉપયોગી પુરવાર થશે. સ્વ. ત્રિપુટીજીએ પ્રથમ ભાગને અકારાદિ અનુક્રમ (Index) તૈયાર કરેલ, અને બાકીના ભાગનો તૈયાર કરવા ધારેલ. પણ તબિયતની પ્રતિકૂળતાના કારણસર કરી શકયા ન હતા. તે પાંચ ભાગેની સંયુક્ત અકારાદિ ઈન્ડેકસ એમની ભાવનાનુસાર તૈયાર કરીને જૈન પરંપરાને ઈતિહાસના પાંચમા ભાગમાં આપવામાં આવશે. આ ઇન્ડેકસમાં નીચે મુજબ વિભાગે પાડવામાં આવશે. ૧. તીર્થકરો, તીર્થો, ગુફા, પવિત્ર ભૂમિ વગેરે સ્થળોને નિદેશ, ૨. દેવ-દેવીઓ, ગણુધરા, પટ્ટધર, આચાર્યો, ૩. શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, ૪. પંડિત, કવિઓ, રાજાઓ, મંત્રીઓ શ્રેષ્ઠીવર્યો. પ. અન્ય સંપ્રદાયના આચાર્યો–સંતો ૬. પરદેશીય મહાનુભાવો – અજૈન શ્રાવકે, ૭. વિવિધ વંશે, ગ, કુલ, ગણે, ગ, જ્ઞાતિ, પંથે. ૮. બિરદ, ઉપનામ, ઓળખાણ. ૯, દેશે, નગર, ગામો, પહાડે, નદીઓ, વન, ઉપવન. ૧૦. જૈન–અજૈન ગ્રંથ, આગમો, શાસ્ત્ર, પ્રકરણો, પુસ્ત, લેખ, સામયિકે. ૧૧ સંવત...વગેરે બાબતોની વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવશે અને તે પાંચમા ભાગમાં દાખલ કરવામાં આવશે. આ અંગેનું કાર્ય અત્યારે નિષ્ણાતો કરી રહ્યા છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ – ઘરે થી શ્રી રત્રિક I – જૈન-પરંપરાનો ઈતિહાસ [ભાગ ૨ ] પ્રકરણ સત્તાવનામું ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિ (સં. ૧૫૯૬ થી ૧૯૨૨) दुर्मनस्कमृगत्रासमृगारिमुनिपुङ्गवम् । श्रीमद् विजयदानाहव नत्वा सूरीश्वर पुनः ।। વિ. સં. ૧૬૧૪માં મહે શ્રી ધર્મસાગર ગણું કૃત “ઓષ્ટ્રિકમસૂત્રદીપિકા ” મંગલાચરણ. तस्स पक्खे पुण अहिणवसू। दूरआिण बहुलावी । सिरिविज यदाणसूरी णामेण वि कुमयतममहणेा ।। – સં. ૧૬૨૯માં મહે. શ્રી ધર્મસાગર ગણું કૃત “કુપક્ષકૌશિક સહસ્ત્રકિરણ– પ્રવચન પરીક્ષા, ગા. ૪ तदनु विजयदानसूरिरासीदसीमाज्ज्वलमहिमनिधानम् । पयोधेर्व हनविलग्नां श्राविकामुदद्धार । – સં. ૧૯૬૦માં મહે. શ્રી કીર્તિ વિજય ગણત વિચારરત્નાકર-પ્રશસ્તિ ” લે. ૮ તાસ પટ્ટધર સુરતરુ એ માત્ર, ગોયમ સમ અવતાર; શ્રી વિજયદાનસૂરીસર એ મા, જિનશાસન શણગાર. સુત્ર – સં. ૧૬૭૬માં આ. વિજયદેવસૂરિ આજ્ઞાવતી ૫. ધર્મદાસગણું કૃત “સૂરત હીર વિહાર સ્તવન કે પરિચય સં. ૧૫૫૩માં જામલાનગરમાં કરમિયાગેત્રના શા. જગમાલ (ભામેશા) વીશા ઓશવાલનાં પત્ની સૂર્યાદેવી (બ્રમાદે)ની કુક્ષીએ Page #43 -------------------------------------------------------------------------- ________________ [ પ્રકરણ ૨] જૈન પર પરાનેા ઇતિહાસ તેમના જન્મ, સં. ૧૫૬૨માં દીક્ષા, નામ મુનિ ઉદયધર્મ, સ ૧૫... માં ઉપાધ્યાયપદ્ય. સ. ૧૫૮૭માં શિરાહીમાં આચાર્ય પદ્ય, તથા ગચ્છનાયકપદ નામ આ॰ વિજયદાનસૂરિ. સં. ૧૫૯૬માં ભટ્ટારક૬. સ. ૧૬૨૧-૨૨માં પાટણ પાસે વડાલી ગામમાં આરાધનાપૂર્વક વગગમન થયા હતા. આ॰ વિજયદાનસૂરિને ગૃહસ્થપણામાં બીજા ૩ ભાઈ એ અને ૧ બહેન હતાં. તથા (૧) વિજય અને (૨) લક્ષ્મણ નામે બે ભાણેજે હતા. તે ગણધર ગૌતમવામી જેવા રૂપાળા, વિદ્વાન, ત્યાગી, તપસ્વી, મેાટા વાઢી, સિદ્ધાંતના પારગામી, તપાગચ્છમાં સૂર્યસમા, સમતાના સાગર, વૈરાગ્યના ભંડાર, અપ્રમાદી, જેમની સૌ કાઈ આજ્ઞા પાળે એવા અખંડ પ્રતાપી, નવકલ્પ વિહારી, તીર્થંકર ભગવાનની જેમ હિતાપદેશ દેનારા તેમ જ પાપકારી હતા. વિકાસ–ઘટકા ગુરુદેવની મનેાભાવનાનું પાલન વૃદ્ધો જણાવે છે કે, આ વિજયદાનસૂરિ ગુરુદેવની આજ્ઞાના પાલનમાં સદા તૈયાર રહેતા હતા. તે માટે કહેવાય છે કે “ એક દિવસે સમુદાયની ગેાચરી સમયે સૌ મુનિવરા ગેાચરી લઈ આવ્યા. સૌએ આહાર કરી લીધા, પણ સૌની ગેાચરી થઈ રહ્યા પછી ત્રણ મુનિએ પણ મહામહેનતે વાપરી શકે એટલેા આહાર વચ્ચેા. આ આહાર પતાવવા કેવી રીતે? આથી ગુરુદેવે સૌ મુનિવાને જણાવ્યું કે, “ આ આહાર પરઠવવા નથી, તેથી જે મુનિ એકલા જ આ આહાર વાપરી જાય તેને હું મનપસંદ કાંબળી આપીશ.” - ૫, ઉદયધમ ( પં. દાનવય ગણી ) ગુરુદેવની ઈચ્છા પ્રમાણે એકલા જ એ આહાર વાપરી ગયા. પછી બીજે દિવસે સવારે તેમણે ગુરુદૈવ પાસે આવી ત્રણ ઉપવાસનું પચ્ચકખાણું લીધું. ગુરુદેવે ચાથે દિવસે તેમને પારણુ' કરાવી કહ્યું: “ ખેલ; તારે કેવી કાંબળી જોઈ એ ? ” Page #44 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ પં. ઉદયધર્મ બે હાથ જોડી બલ્યા, “ગુરુદેવ! આપની કૃપા છે, તે જ મારે મન બધું છે. આ આહાર કાંબળી માટે વાપર્યો નથી. આપની ઈચ્છા હતી કે આ આહાર પરઠવો નથી, આથી જ મેં આપની એ ઈચ્છા જાણીને જ આહાર વાપર્યો છે. બાકી કપડાં, કાંબળી, પુસ્તક કે પાનાંપેથી અને આહાર એ સૌ આપની કૃપામાં જ રહેલાં છે, મારે કાંબલીની જરૂર નથી.” પદવીઓ – ગુરુદેવે પ્રસંગ આવતાં તેમને ગણી–પંન્યાસ બનાવ્યા, તેમજ ઉપાધ્યાય ઉદયધર્મગણિ પણ બનાવ્યા. ક્રિોદ્ધાર – તપાગચ્છના આઠ આણંદ વિમલસૂરિવરે પિતાની સાથેના ઋષિમુનિવરો સાથે સં. ૧૫૮૨ના વૈસુરુ ૩ ના રોજ વડાલીમાં કિયોદ્ધાર કરી, સંવેગમાર્ગનો સ્વીકાર કર્યો. ઉપાઠ ઉદયધર્મ ગણિવરે પણ તે સમયે ગુરુદેવની સાથે જ ક્રિોદ્ધાર કરી સંવેગી માર્ગ આદર્યો હતો. ઉપાટ ઉદયધર્મગણીએ જાવજજીવ સુધી દૂધ, દહીં, ઘી, તેલ, મીઠાઈ (ગળપણ), તેલની વસ્તુઓ કડા–વિગઈ (તળેલી) વસ્તુઓ વગેરેનો ત્યાગ કર્યો હતો. બીજા સહયોગીઓ – તપાગચ્છની મશાખાના ભટ્ટારક સૌભાગ્યહષસૂરિ વીસનગરથી અને ઉપકેશગચ્છની દ્વિવંદનીક-શાખાના ઉમરેઠની ગાદીના ભટ્ટારક આ૦ કસૂરિ બારેજાથી આ ક્રિયેદ્વારમાં જોડાવા માટે વડાલી આવ્યા હતા, પણ તેઓ પોતપોતાની ગાદીએ પાછા ચાલ્યા ગયા. આ પિકીના આઠ કક્કસૂરિ કિદ્ધાર કરવાની તીવ્ર ભાવનાવાળા હતા. તેમણે ઉમરેઠ જઈ જેમ બને તેમ વહેલા ગાદી છેડી, કિદ્ધાર કરી, સંવેગી બની શકાય એવી યોજના ઘડી. આ૦ આણંદવિમલસૂરિ અને ઉપાય ઉદયઘમગણી વગેરે કિદ્ધાર કરી, વડાલીથી વિહાર કરી ચિત્તોડ પધાર્યા. તેમણે ત્યાં દોશી કર્મશાહ ઓશવાલને ભાવવાહી ઉપદેશ આપી શત્રુંજ્ય Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪] જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ તીના માટે ઉદ્ધાર કરવા માટે વધુ ઉત્સાહિત કર્યાં. ઉપા॰ ઉદયધ ગણિ ચિત્તોડથી વિહાર કરી, મગશી પાર્શ્વનાથની યાત્રા કરી, માંડવગઢમાં સ’૦ ૧૫૮૩નું ચાતુર્માસ કરી, ગાધરા વગેરે પ્રદેશામાં થઈ ગુજરાતના ઉમરેઠ ગામ પધાર્યાં. તેમણે અહી ભટ્ટારક કક્કસૂરિને ક્રિયાદ્વાર કરી આત્મકલ્યાણ માટે ઉપદેશ આપ્યા. આથી ભટ્ટા કક્કસૂરિએ ઉપા॰ ઉયધર્માંર્ગાણના ઉપદેશથી સંવેગ પામી, ઉમરેઠની ગાદી છેાડી, ઉપા॰ ઉદયધર્માંર્ગાણુવરની ઉપસંપદા સ્વીકારી, ક્રિયાદ્વાર કરી, સંવેગીપણુ... અંગીકાર કર્યું.. ઉપાધ્યાયજીએ તેમને પેાતાના શિષ્ય બનાવી તેમનું નામ મુનિરાજવિજય રાખ્યું. ગચ્છનાયકની પદવી – - ભટ્ટા॰ આણુ વિમલસૂરિએ સ. ૧૫૮૭માં શિરાહીમાં ઉપા ઉદયધર્મ ગણીને આચાય પદ આપ્યુ. સાથેસાથ શાસનદેવે ભટ્ટા॰ હેમવિમલસૂરિને આપેલા સંકેત મુજબ દ+આ+ન અક્ષરા જોડી તેની પાછળ વિજય શબ્દ જોડી આ૦ વિજયદાનસૂરિ નામ રાખી પેાતાની પાર્ટ તપાગચ્છના નાયક તરીકે સ્થાપન કર્યાં. તે આજથી ગચ્છનાયક આ૦ વિજયદાનસૂરિ બન્યા. ત્યાંથી વિહાર કરી તે શત્રુ જય તીર્થની યાત્રાએ પધાર્યાં અને સ. ૧૫૮૭ના ૧૦ ૧૦ ૬ના રાજ દોશી કર્માશાહે શત્રુંજય મહાતીર્થના સાળમા ઉદ્ધાર કર્યો, તેમાં હાજર રહ્યા. બે પટ્ટધરો – - (૧) ભટ્ટા॰ આણુવિમલસૂરિએ સ. ૧૫૯૧માં ગુજરાતપાટણના મણિયાતીપાડાના જૈન ઉપાશ્રયમાં ૫૦ રાજવિજયગણીને આચાર્ય પદ આપી, વિજયરાજસૂરિ નામ રાખી, પછમા ગચ્છનાયક આ॰ વિજયદાનસૂરિની પાટે ૫૮મા ગચ્છનાયક તરીકે સ્થાપિત કર્યાં. (૨) આ૦ વિજયદાનસૂરિએ સ૦ ૧૫૯૬ના કાર્તિક વદિ ૨ ના રાજ પાટણમાં ગુરુદેવની વિદ્યમાનતામાં પાલનપુરના શા॰ હીરજી આશવાલને દીક્ષા આપી મુનિ હીર` નામ રાખી પેાતાના શિષ્ય અનાવ્યા. ભટ્ટા॰ આણુ વિમલસૂરિનું તે પછી સં૦ ૧૫૯૬ના ચૈત્ર સુદિ ૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ [૫ સત્તાવન 1 ભટ્ટારક વિજયદાનસૂરિ ને રોજ અમદાવાદમાં સ્વર્ગગમન થયું. આ૦ વિજયદાનસૂરિએ ગચ્છનાયક તરીકેની બધી જવાબદારી સંભાળી લીધી. તેમણે મુનિ હીરહર્ષને બધી રીતે ચગ્ય જાણી સં. ૧૬૦૭માં નાડલાઈમાં ગણી–પંન્યાસપદ તથા સં. ૧૬૦૮ના મહા સુદિ ૫ ને રોજ નાડલાઈમાં ઉપાધ્યાય બનાવ્યા. તે પછી તપાગચ્છના ગીતાર્થ મુનિવરો અને શ્રમણ સંઘની વિનંતિથી ઉપાટ હરહર્ષ ગણુને આચાર્ય બનાવી આ૦ હીરવિજયસૂરિ નામ રાખી, પોતાની પાટે બીજા ૫૮માં ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા. આ રીતે ભટ્ટા, વિજયદાનસૂરિની પાટે (૧) આ. વિજયરાજસૂરિ અને (૨) વિજયહીરસૂરિ – એમ બે ગચ્છનાયક બન્યા. આગમવાચના – આ૦ વિજ્યદાનસૂરિ વિદ્વાન હતા. તેમજ મોટા વાદી હતા. મોટા મોટા વાદીઓ પણ તેમનું નામ સાંભળી ચુપ થઈ જતા. તેઓ પિતાના પરિવારના બધા મુનિઓને ભણાવતા હતા. જિનાગમની વાચના દેતા હતા. મહોત્ર ધર્મસાગર ગણ, મહોરાજવિમલગણું, આ. વિજયહીરસૂરિ વગેરે સૌ તેમની પાસે જિનાગમ ભણ્યા હતા. આ. વિજયદાનસૂરિ વાચનામાં આગમના પાઠ શુદ્ધ કરતા હતા. તેમણે આ રીતે અગિયાર–અંગેને ઘણીવાર શુદ્ધ કર્યા હતા. તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, ગોલવાડ, મારવાડ, માળવા, મેવાડ અને કાંકણ વગેરે દેશોમાં વિહાર કર્યો હતો, તેમ જ ખંભાત, ગંધાર પાટણ, સિદ્ધપુર, વિજાપુર, દેવકી પાટણ અને નાગરવગેરે સ્થાનમાં આગમોની વાચના આપી ગીતાર્થો પાસે ૪૫ આગમ શોધાવ્યાં હતાં. પષ્ટક – (૧) આ. વિજ્યદાનસૂરિએ શ્રમણ સંઘ – જૈનશાસનનું મજબૂત એકમ બનાવી રાખવા માટે સાત બેલનો પટ્ટક બનાવ્યા અને તેને પૂરો અમલ કરાવ્યો. (૨) જગદગુરુ આ૦ વિજયહીરસૂરિએ આ પટ્ટકની પૂરી Page #47 -------------------------------------------------------------------------- ________________ [ પ્રકરણ જેન પરંપરાને ઈતિહાસ સમજૂતી માટે ૧૨ બેલને પટ્ટક બનાવી તેને અમલ કરાવ્યો. (૩) પં. સત્યવિજ્યગણીએ સં. ૧૭...માં સંવેગી સાધુ-સાધ્વી એગ્ય પટ્ટકમાં લખ્યું છે કે – “આ૦ વિજયદાનસૂરિએ સાત બોલને પટ્ટક બનાવ્યો હતો.” પ્રતિષ્ઠા – આ અરસામાં મુસલમાનેએ ધર્મધતાથી ઘણાં હિંદુ તીર્થો, જૈન તીર્થો, હિંદુ દેવળો, જિનાલયો તથા શૈવવૈષ્ણવ પ્રતિમાઓ અને જૈન પ્રતિમાઓને ખંડિત કર્યા હતાં. આવિજયદાનસૂરિના ઉપદેશથી ઉપર્યુક્ત ક્ષતિને પહોંચી વળવા ઠેર ઠેર જન તીર્થો, જિનાલયેના જીર્ણોદ્ધાર થયા. નવાં જિનાલયો બન્યાં તેમ જ ઘણું જિનપ્રતિમાઓની અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા), ગાદી પ્રતિષ્ઠા વગેરે થયાં હતાં. - તેમણે હાડતી દેશ, ઢંઢાર પ્રદેશ, કચ્છ દેશ, માળવા દેશ, સૌરાષ્ટ્ર તથા લાટ (ગુજરાત) પ્રદેશના નગરમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. એ રીતે શત્રુંજય મહાતીર્થ, ખંભાત, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગંધાર બંદર વગેરે સ્થળે મેટા ઉત્સવ સાથે ઘણું જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી શત્રુંજ્ય મહાતીર્થમાં મુક્તાઘાટ, યાત્રાસંઘ, ચાતુર્માસ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ સં. ૧૫૮૭ના વિ૦ વ. ને રવિવારે ધન લગ્નમાં, શુદ્ધ નવાંશમાં સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ચિત્તોડના દેશી કર્માશાહ એશવાલે કરાવી શત્રુંજય મહાતીર્થને સેળો મોટો ઉદ્ધાર કરાવ્યા. તપાગચ્છની વડી પાષાળના આ૦ વિજયધર્મસૂરિના શિષ્ય આ૦ વિદ્યામંડનસૂરિના હાથે ભ૦ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ આનંદવિમલસૂરિ વિદ્યમાન હતા અને આ. વિજયદાનસૂરિ પણ તે તીર્થમાં હાજર હતા. એ પછી આ. વિજયદાનસૂરિ અને આ. વિજયહીરસૂરિએ સં. ૧૬૧૫ થી ૧૬૨૦ના ગાળામાં શત્રુંજય તીર્થમાં ઘણું જિનાલયે Page #48 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ તથા ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી, જેની ટૂંકી નેધ આ પ્રમાણે છે – અમદાવાદના શાહ દેધર શ્રીમાલીના વંશમાં સંઘપતિ સહિજપાલ (ભાર્યા મંગુ)ને સં૦ કુંઅરજી નામે પુત્ર હતો, જેને પડ્યા નામે પત્ની અને વિમલદાસ નામે પુત્ર હતો, એ સૌ ધર્મપ્રેમી હતાં. ( – પ્રક૦ ૪૫, ૫૦ ૩૪૪, ૩૪૫) સં૦ કુંઅરજીએ સં. ૧૬૧૫ ના શ્રાસુત્ર ૨ ને રોજ શત્રુંજયતીર્થમાં મેટી ટૂંકમાં મુખ્ય તીર્થપ્રાસાદની જમણી બાજુએ મેટા જિનપ્રાસાદ બનાવ્યું અને સં૦ ૧૬૧૯-૨૦માં ભટ્ટાવિજયદાનસૂરિ તથા આ. વિજયહીરસૂરિ વગેરેની અધ્યક્ષતામાં છરી પાળતો મોટે શત્રુંજયને યાત્રા સંઘ લઈ જઈ એ નવા જિનપ્રાસાદની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. - આ પ્રતિષ્ઠા-ઉત્સવમાં સં૦ કુંઅરજી, તેની પતિવ્રતા સતી સૌભાગ્યવતી ભાર્યા પડ્યા, પુત્ર વિમલદાસ, સંઘવણ પવાના ભાઈએ – (૧) મેઘ, (૨) શુભરાજ, (૩) લખરાજ વગેરે, સં૦ કુંઅરજીના મોસાળના સંવ સેને, તેની ભાર્યા ખીમી (અમરી), સં. કુંઅરજીની માસી વશી વગેરે સૌ પરિવાર હાજર હતો. આ સૌ તપાગચ્છના ઉપાસક હતા. (– શત્રુંજય તીર્થનું હસ્તલિખિત વર્ણન, પ્રક. ૪પ, પૃ. ૩૪૪) મુક્તાધાટ – અમદાવાદને (૧૧ મે) બાદશાહ મહમ્મદખાન, (૧૨ માં) અહમ્મદ અને ( ૧૩ મે) મુજફર ત્રીજો (સં. ૧૫૯૪ થી ૧૬૨૮)એ ત્રણેના મંત્રી ગલરાજે ભટ્ટાવિજયદાનસૂરિના ઉપદેશથી સં. ૧૬૧૯-૨૦માં શત્રુંજયતીર્થનો મુક્તાઘાટ કરાવ્યો હતો. એટલે અમુક કાળ સુધી રાજ્ય તરફના લાગા, મુંડકાવેરો, જકાત, લગાન વગેરે માફ કરાવ્યા હતા. (પ્રક. ૪૪, પૃ. ૨૧૬) તેણે ભારતનાં દરેક સ્થાનોમાં આમંત્રણ પત્રિકાઓ મોકલી, બધા ય જૈન સંઘને એકત્ર કરી, સંઘપતિ બની શત્રુંજય મહા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ તીર્થને છરી પાળ સંઘ” કાઢયો. આ સંઘ ભટ્ટા, વિજયદાનસૂરિ, આ. વિજયહીરસૂરિ, બાલમુનિ જયસિંહ વિમલજી વગેરે ચતુર્વિધ સંઘ સાથે હતો. તેણે શત્રુંજયતીર્થને મોતીઓના ફળથી અને અક્ષતથી વધાવ્યો હતો અને સાથેના સૌ નાના સંઘ તથા યાત્રાળુઓને યાત્રા કરાવી હતી. (– તપાગચ્છ પટ્ટાવલી ગાથા ૧૮ની સંસ્કૃત ટીકા, હીર–સૌભાગ્ય મહાકાવ્ય સ” ૪, શ્લ૦ ૧૪૭ ની પજ્ઞ ટીકા ) અમદાવાદના સં૦ કુંઅરજી શ્રીમાલી, ગધારના શા. રામજી, ગંધારીઓ વગેરે ઘણું સંઘવીએ પોતપોતાના નાના સંઘે લઈ અમદાવાદ, ધોલેરા કે પાલિતાણા આવી આ સંઘ સાથે મળી ગયા હતા. સંભવ છે કે આ યાત્રિકસંધ પાલિતાણામાં એક વર્ષથી વધુ કાળ સુધી રહ્યો હોય. તે દરમિયાન અહીં ઘણું નવી દેરીઓ બની અને ઘણું જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા – સં. ૧૬૧૯-૨૦ ની સાલમાં તપાગચ્છના ભટ્ટા. વિજયદાનસૂરિ અને આ. વિજયહીરસૂરિના હાથે શત્રુંજયતીર્થમાં ઘણું નવી દરીઓ બની, જૂની દેરીઓનો જીર્ણોદ્ધાર થયો અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ થઈ તે આ પ્રમાણે છે. – (૧) સં૦ ૧૬૨૦ ના ચૈત્ર સુ. ૨ ના દિવસે ગંધારના શેઠ આભૂ પોરવાડના વંશના ગંધારના વ્યવ૦ પરવતના પુત્ર વ્ય૦ કેકા શાહના પુત્ર વ્ય૦ પોઈઆ (ઈઆ)ની દેરીની પ્રતિષ્ઠા. ( – પ્રક. ૪૫, પૃ. ૩૫૬) સં. ૧૬૨૦ ના વૈ૦ સુ૫ ને ગુરુવારે અમદાવાદના દિશાવાળ જ્ઞાતિના મહ વણાઈગના પુત્ર મહ ગલા (ગલરાજ ) મહેતા, તેની પત્ની મંગુ અને પુત્ર વીરદાસ વગેરે કુટુંબ પરિવારની ભ૦ આદીશ્વરની દેરીની પ્રતિષ્ઠા. (પ્રક. ૪૪, પૃ૦ ૨૧૬) (૩) સં. ૧૬૨૦ના વૈ૦ સુવ ૫ ને ગુરુવારે ગંધારના વ્ય૦ સમરિયા (સમરા શાહ) પોરવાડની ભ૦ શાંતિનાથની દેરીની પ્રતિષ્ઠા. Page #50 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટાર વિજયદાનસૂરિ [૯ (૪) સં. ૧૯૨૦ ના ચૈત્ર સુ. ૫ ને ગુરુવારે ગંધારના પરીખ દેવા શ્રીમાલીના પુત્ર મુથા શ્રીમાલી તથા ગંધારના ગુર્જર શ્રીમાલી દોશી શ્રીકરણની ભાર્યા અમરી અને પુત્ર દોશી હંસરાજની ભ૦ આદીશ્વરની દેરીની પ્રતિષ્ઠા. અમદાવાદના સં૦ કુંઅરજી શ્રીમાલીએ સં. ૧૬૧૫માં બનાવેલા જિનપ્રાસાદની સં. ૧૬૨૦માં પ્રતિષ્ઠા.( – પ્રકo ૪૫, પૃ. ૩૪૪ – ૩૪૫) (૬) સં. ૧૯૨૦ના વૈ૦ સુઇ ૫ ને ગુરુવારે ગંધારના સંઘવી શા જાવડશાહ પોરવાડના પુત્ર સીપ (શ્રીપાલ) તેની ભાર્યા ગીસુના પુત્રો (૧) જીવંત, (૨) કાઉજી અને (૩) સંo આઠ વગેરે પરિવારની ભ૦ પાર્શ્વનાથની દેરીની પ્રતિષ્ઠા. (૭) સં. ૧૬૨૦ના અષાડ સુદિ ૨ ને રવિવારે ધારના દોશી ગઈયાના પુત્ર દો. તેજપાલની ભાર્યા ભેટકીના પુત્ર દો. પંચાણ, દો. ભીમજી, દો. નાનજી અને દો. દેવરાજની ભ૦ મહાવીર સ્વામીની દેરીની પ્રતિષ્ઠા. (૮) સં. ૧૬૨૦ના આ વદિ ૯ ને શનિવારે અમદાવાદના દોશી રાજપાલ શ્રીમાલીની શત્રુંજયતીર્થમાં મોટી ટૂંકની ભમતીમાં છેલ્લી ભ૦ મુનિસુવ્રતસ્વામીની દેરીની પ્રતિષ્ઠા. ( શત્રુંજય તીર્થનું હરતલિખિત મોટું વર્ણન) સં. ૧૬૨૦ના કા. સુ. ૨ ના દિવસે ગંધારના શા) પાસવીર શ્રીમાલીના પુત્ર વર્ધમાન શ્રીમાલીના પુત્રો (૧) રામજી ગંધારીઓ, (૨) હંસરાજ અને (૩) મનજી વગેરેના શત્રુંજય તીર્થમાં ભંડારની ઓરડી પાસે બનાવેલ ભ૦ શાંતિનાથ ચતુર્મુખ જિનાલયની પ્રતિષ્ઠા. (–એપિગ્રાફિકા ઇંડિકા ભા. ૨ જે, પૃ૦ ૪૭ થી ૫૦; શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા૨, લેખ ન ૪ થી ૧૦; નગરશેઠ નગીનદાસ હેમાભાઈ અને શેઠ માયાભાઈ પ્રેમાભાઈની વિનંતીથી કઈ મુનિશ્રીએ તૈયાર કરેલ શત્રુંજયતીર્થનું હસ્તલિખિત મોટું વર્ણન કેમ; અરવિંદ બી.એ.ને “પ્રાગ્વાટુ ઈતિહાસ” ખંડ ૩, પૃ. ૨૯૪) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦]. જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વિશેષ નોંધ ઉપરના શિલાલેખેને ગંભીરતાથી વિચારીએ તે નીચેથી બાબતે વિશેષ જાણવા મળે છે. – (૧) ભટ્ટાવિજયદાનસૂરિ અને આ૦ વિજયહીરસૂરિ વગેરે સં. ૧૯૨૦ના શેષ કાળમાં તેમ જ ચોમાસામાં પાલિ તાણામાં વિરાજમાન હતા. (૨) ત્યારે હિંદમાં મોગલ રાજ્ય હતું. તેના ફરમાનામાં મુખ્યતાએ ચિત્રાદિ વિક્રમ સંવતની નોંધ મળે છે. તો સંભવ છે કે, ઉક્ત શિલાલેખોમાં એ જ રીતે ચૈત્રાદિ (હિંદી) વિક્રમ સંવત લખાયો હોય અર્થાત્ આ શિલાલેખમાં જે સંવત છે તે ચિત્રાદિ વિકમ સંવત છે. (૩) શત્રુંજયતીર્થમાં સં. ૧૯૨૦ના વૈશાખ, આષાઢ, શ્રાવણ, આસો અને કાર્તિક મહિનામાં દેરીઓ તથા જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ છે. (૪) સંભવ છે કે, “કાતિક મહિનામાં પણ શત્રુંજય તીર્થની ઉપર જવાની પ્રવૃત્તિ હોય.” (૫) કદાચ આપત્તિકાળના કારણે આ બધું અપવાદરૂપે પણ હેય. સંપાદકની ખાસ નેધ, પૂ. શ્રી ત્રિપુટી મહારાજે ઉપરની નોંધમાં ૩જી કલમમાં શ્રાવણ આ કાર્તિક મહિનાના શિલાલેખે હોવાની વાત જણાવી છે. તે પરથી જુગજૂની ચાલી આવતી ચોમાસામાં ગિરિરાજની યાત્રા કે ગિરિરાજ પર ચઢવાના નિષેધ સાથે વ્યાઘાત ઊભે થવાની શંકાથી ૪ થી અને ૫ મી કલમ લખી છે. પણ હાલમાં તાજેતરમાં પૂ. આગાદ્વારક આ૦ શ્રી આનંદસાગરસૂરિના શિષ્યરન પૂ૦ આ૦ શ્રી કંચનસાગરસૂરિ મરશ્રીએ વર્ષોની ખંતભરી મહેનત ઉઠાવી તનતોડ શ્રમ કરી શ્રી સિદ્ધાચલમહાતીર્થ પર કલાકે ગાળી ખૂણે-ખાંચરે ફરી ફરીને એક એક જિન પ્રતિમાઓ, શ્રી સિદ્ધચક્રજી, દેરીઓ અને ભીંત કે થાંભલાના નાનામોટા બધા લેખે ઉતારી વ્યવસ્થિત કરી શ્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસુરિ [ ૧૧ શત્રુંજય તીન - ( પ્રકા॰ શ્રી આગમાહારક ગ્રંથમાળા, કપડવંજ)માં પરિશિષ્ટ ૧માં પા॰ ૧ થી ૧૧૦માં ૫૦૦ શિલાલેખા સ`સ્કૃત મેટા શિલાલેખાના ગુજ૰ ભાષાંતર સાથે આપ્યા છે. તે બધાને અભ્યાસ કરતાં એક પણ પાષાણુતી જિન—પ્રતિમાજી પર અષ!ડ સુ. ૧૪ થી કા૦ સુ૦ ૧૪દરમ્યાન પ્રતિાના લેખ નથી. ફક્ત વિરલ અપવાદ તરીકે બે-ચાર ધાતુમૂર્તિ અને શ્રી સિદ્ધચક્રજી ગટ્ટા પર શ્રાવણુ, આસે અને કારતક સુદના લેખે છે. તે માટે નાની મહાપુરુષનાં ચરણામાં ખેસી વિયારતાં સમજાય છે કે ચેમાસા દરમ્યાન પેાતાના ગામમાં અંજન શલાકા કરાવી અહીં પધરાવ્યા હાય. વળી તે લેખામાં સિધ્ધિકિરને ઉલ્લેખ પણ નથી, તે પરથી તે પ્રતિષ્ઠા ચામાસામાં ગિરિરાજ પર જઈને કરી હેાય તેવું માની શકાય તેમ નથી. વળી શ્રાવણુ, આસેના બે ત્રણ લેખેા ઢેરી પર મળે છે. તેને સબંધ ગિરિરાજની ચૈામાસાની યાત્રા સાથે સંભવિત નથી, એ તા જીર્ણોદ્વાર. તું કામ ચાલતું હાય ને ક્રા'ક પુણ્યવાનને પેાતાના તરફથી લાભ લેવા ભાવના જાગી હોય તે નામ લખાવે. તેથી ચેોમાસામાં ગિરિરાજની યાત્રાનું સમર્થન થતું નથી. એટલે પૂ॰ ત્રિપુટી મહારાજ સામે બધા શિલાલેખા ન હ।ઈ તેમણે આપવાદિક કે મુગલકાળની વિષમતાની કલ્પના આગળ કરી કદાચ કાર્તિકમાં શત્રુંજયની યાત્રા અગર આપવાદિક રીતે ચેમાસામાં પ્રતિષ્ઠાની વાત રજૂ કરી છે. પશુ હકીકતે ઉપર લખ્યા મુજબ અષાડ સુદ ૧૪ થી કા૦ ૦ ૧૪ સુધીમાં એકણુ પાષાણુની જિનપ્રતિમાની પ્રતિષ્ઠાના ઉલ્લેખ શિલાલેખામાં નથી જ, એટલે ચે!માસામાં ગિરિરાજની યાત્ર! ન થાય એ ચાલી આવતી જુગજૂની પરંપરા પર હાલમાં કેટલાક ત્યાગી વ તરફથી પણ ચેકમાસામાં ગિરિરાજ પર પ્રતિષ્ઠાના શિલાલેખાના નામે ભ્રમ ફેલાવાય છે તે વાજબી નથી, તા॰ ૪૦ શિલાલેખામાં અષાડ વદના કેટલાક શિલાલેખા પાષાણના પ્રતિમાજી પર મળે છે. પશુ તે પ્રતિષ્ઠા કરાવનાર આયા -ગૃહસ્થા મારવાડ તરફના છે એટલે મારવાડી રીત પ્રમાણે અષાડ વદ-જેઠ વદ જાણવી. તેથી અષાડવદના શિલાલેખોથી અષાડ સુદ ૧.૫ પછી ગિરિરાજ પર પ્રતિષ્ઠા થયાના ભ્રમમાં કાઈ ન પડે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ મહેસાણામાં જિનપ્રતિષ્ઠા – ભટ્ટા, વિજયદાનસૂરિના શિષ્ય મહેo વિમલહર્ષ ગણીના શિષ્ય મુનિ વિમલજીએ સં. ૧૬૧માં મહેસાણામંડન ભ૦ ઋષભદેવસ્વામીનું રતવન (કડી ૩૩) બનાવ્યું છે તેમાં લખે છે કે – - “સંઘપતિ ભેજાએ મહેસાણામાં ભ૦ શ્રી. ઋષભદેવને જિનપ્રાસાદ બનાવ્યા, જેમાં ચાર ગભારા બનાવ્યા હતા. ભટ્ટા. વિજયદાનસૂરિએ સં. ૧૬૧૯ના વૈ૦ સુ૨ ને દિવસે તે જિનપ્રાસાદની તથા તેના તે ચાર ગભારામાં અનુક્રમે (૧) મૂળ ગભારામાં સંવે ભેજાએ ભરાવેલ ભ૦ શ્રેયાંસનાથની પ્રતિમાની (૨–૩) સંવે ભેજાએ ભરાવેલ. “ભવ શાંતિનાથની બે પ્રતિમા ની અને (૪) સં. વેગડે ભરાવેલ “ભ. શ્રેયાંસનાથની પ્રતિમાની તથા શિખરવાળી ૨૪ દેરીઓની અને બીજી ૪૨૯ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. (- જૈન સત્ય પ્રકાશ, ૪૦ ૮૭.) (૧) ભટ્ટાવિજયસેનસૂરિના આજ્ઞાધારી મુનિ શ્રી. વિમલે શ્રીપાલ રાજાની સઝાય” કડી ૧૨ પણ બનાવી. | (સઝાયા માલા) મહાપ્રતિષ્ઠા – તપાગચ્છના વિજયદાનસૂરિશાખાના ૬૬મા ભ૦ વિજ્યલક્ષમીસૂરિ જણાવે છે કે – કલશ – ૧” “એમ વીર જિનવર પ્રમુખ કેરા અઢી લાખ ઉદાર એ જિન બિંબ સ્થાપી સુજસ લીધો દાનસૂરિ સુખકાર એ. ૧. ભટ્ટા. વિજયલક્ષ્મીસરિએ સં. ૧૯૨૭ના સુદિ ૮ ને દિવચ્ચે શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમનાથ અને શ્રી પાર્શ્વનાથ ૧૦ તીર્થકરોના ૧૧ કલ્યાણ કેને દિવસે જ્ઞાન દર્શનચારિત્રસંવાદ ગર્ભિત ભ૦ મહાવીર સ્વામીનું સ્તવન ઢાળ : ૮ બનાવ્યું છે, તેને આ “કલશ” છે. ૨. નાગેન્દ્રગરછના આ૦ મહિલષેણસૂરિએ પોતાના “ગુરુદેવ આ ઉદયપ્રભસૂરિ ”ના નામને જ મહામંત્ર બતાવ્યો છે, જૈન પરંપરાને ઇતિહાસ પ્રક. ૩૫ પૃ. ૭ WWW.jainelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [૧૩ તાસ પાટ પરંપર તપાગર છે સૌભાગ્યસૂરિ ગણધાર એક તાસ શિષ્ય લક્ષમીસૂરિ પભણે સંઘને જય જયકાર એ. 1 એટલે કે ભટ્ટા, વિજયદાનસૂરિએ ભ૦ મહાવીરસવામી વગેરે તીર્થકરોની લગભગ અઢી લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. ગુરનામ–મંત્રપ્રભાવ – યક્ષરાજ મણિભદ્ર મહાવીર ભટ્ટા, વિજયદાનસૂરિ ઉપર પ્રસન્ન હતા. તેણે ભટ્ટારકજીને જણાવ્યું કે, “આપ પોતાની પાટે વિજયશાખાવાળા આચાર્ય બનાવજે.” આથી જ તેમણે પોતાની પાટે (૧) વિજયરાજસૂરિ અને (૨) વિજયહીરસૂરિ–એમ બે આચાર્યો બનાવ્યા હતા. એક જૈન બાલિકા એક દિવસે અકસ્માત સમુદ્રમાં પડી. તેણે પડતી વખતે શબ્દો ઉચ્ચાર્યા કે, “મને ગુરુદેવ વિજ્યદાનસૂરિનું શરણ હજો.” બસ, ક્ષણવારમાં તે બાલિકા પાણી ઉપર તરી આવી. શાસનદેવે તે બાલિકાને આબાદ બચાવી લીધી. આ રીતે “વિજયદાનસૂરિ ” એ નામ “મહામંત્ર જેવું મનાતું હતું. ૨ મહોકીર્તિવિજય ગણિવર રવાનુભવ જણાવે છે કે – तदनु विजयदानः सूरिरीसीदसीमा - ज्ज्वल-महिमनिधीन सर्वसाधुप्रधानम् । त्रिदश इह यद ध्रिद्वन्द्वभक्तां पयोधे र्वहनविलय विलग्नां श्री विमामुद्दधार । (– સં. ૧૬૯૦ મહ૦ કીતિ વિજયગણુકૃત “વિચારરત્નાકર પ્રશસ્તિ ' શ્લો૦ ૮, – પ્રક. ૫૫, ) સ્વર્ગગમન ભટ્ટા. વિજયદાનસૂરીશ્વરજી સં૦ ૧૬૨૧-રરમાં ગુજરાતના પાટણ પાસેના વડલી ગામમાં અંતિમ આરાધના કરી કાળધર્મ પામી સ્વર્ગે ગયા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ પાટણ પાસે સહસ્ત્રલિંગ તળાવ છે. તેની પાસે જ વડનાં વૃક્ષોવાળું વડલી ગામ હતું. આજે એ તળાવ નથી, માત્ર તેનાં સ્મૃતિચિહ્ન છે, વડલી ગામ પણ નથી. ત્યાંની જનતાએ પાટણથી ૧૫ માઈલ દૂર વડાવલી ગામ વસાવ્યું છે, જે અર્વાચીન ને વિદ્યમાન છે. અહીં તાંબર જૈનોનાં ઘરો છે, જિનાલય અને ઉપાશ્રય છે. વડોદરા રાજ્ય પાટણના સહસ્ત્રલિંગ તળાવનું છેદકામ કર્યું ત્યારે આ વડલીના સ્થાનમાંથી એક ચરણપાદુકાવાળી શિલા મળી છે, જે હાલ પાટણના કુંભારિયાપાડાના સાગરગચ્છના - જન ઉપાશ્રયમાં સુરક્ષિત છે, તેમાં નીચે પ્રમાણે પાદુકાલેખ છે – ___ “संवत् १६२१ बैशाख शुदि १२ गुरु वडलीमध्ये भट्टारक - श्री विजयदानसूरि निरवाण हुवु तथा वदि (वरि) कमलपूजा करी तथा निरवाण आवी तेहनी श्री विजयदानसूरि वादानि आखडी मूकावी। श्री विजयदानसूरि गुरूभ्यो नमः ॥" નેંધ – તેમના સ્વર્ગગમનની સાલ માટે ભિન્ન ભિન્ન ઉલ્લેખે મળે છે – (૧) આ પાદુકાલેખમાં ભટ્ટા, વિજયદાનસૂરિને સ્વર્ગસંવત્ ૧૬૨૧ લખે છે. (૨) મહેધર્મસાગર ગણિવર આ. વિજયદાનસૂરિનું સ્વર્ગ ગમન વિ. સં. ૧૬૨૨માં વડલીમાં બતાવે છે. – (તપાગચ્છ પટ્ટાવલી ગા. ૧૯ ની ટીકા, વીરવંશાવલી, વિવિધગ૭ પટ્ટાવલી પૃ૦ ૨૨૨) (૩) આશુમહાકવિ પં. શ્રી હેમવિજ્યગણી નેંધે છે કે, આ વિજયદાનસૂરિનું સં૦ ૧૬૨૧ ના વૈશાખ સુદિ ૧૨ ના રોજ વડલીમાં રવગગમન થયું, અને જૈનસંઘે ત્યાં ભટ્ટા વિજયદાનસૂરિ અને આ૦ વિજયહીરસૂરિના સ્તૂપ બનાવ્યા. (— વિજય પ્રશરિત મહાકાવ્ય, લો.) Page #56 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [૧૫ વિશેષ નેંધ – સંભવ છે કે કાતિકાદિ ગુજરાતી વિક્રમસંવત્ અને ચિત્રાદિ હિંદી વિક્રમસંવતના હિસાબે આ વિભિન્ન ઉલેખ હોય. છઠ્ઠી તપાર–શાખા પટ્ટાવલી ૫૭ભટ્ટાવિજયદાનસૂરિ, સ્વ. સં. ૧૬૨૧-૨૨ ૫૮. ભટ્ટાવિજયરાજસૂરિ ભગવાન પાર્શ્વનાથની શ્રમણ–પરંપરાના ઉપકેશગછના કેરેટગચ્છની દ્વિવંદનીશાખામાં ક્રમશઃ ઘણું આચાર્યો થયા, જેમાં છેલ્લા ૬૮માં આ૦ દેવગુપ્તસૂરિ થયા. (પ્રક૧, પૃ. ૩૬) આ દેવગુપ્તસૂરિ સેળમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા, જે ગુજરાતના બાદશાહ બહાદુર શાહ (સને ૧૫૨૬ થી ૧૫૩૭)ના માનીતા ગુરુ હતાં. બાદશાહે ચમત્કાર દેખી તેમને ઇનામમાં ગામે આપ્યાં પણ આચાર્યશ્રીએ તે ન લીધાં, આથી બાદશાહે તેમને “બારેજામાં મોટી પોષાળ” બંધાવી આપી અને તેના ખર્ચ માટે કૂવા તથા બાગવાળી જમીન આપી. વળી એક ઘણું કીમતી કાંબલ–શાલ ઓઢાડી. સંભવ છે કે આથી જ ઉપદેશગચ્છનું બીજું નામ કંબલગરછ (કંવલાગચ્છ) જાહેર થયું હોય. - તેમણે બારેજામાં મણિભદ્ર મહાવીરની સ્થાપના કરી ગામનો ઉપદ્રવ ટાન્ય હતે. તેમની પાટે ૬ભા ભટ્ટારક કક્કસૂરિ થયા, તે જ ક્રિોદ્ધાર કરી ભટ્ટા, વિજયરાજસૂરિ થયા. ૧. આ શાખાના ભટ્ટારકે ભ૦ મહાવીરની પર પરાના શ્રમણો તથા ભ૦ પાશ્વનાથની પરંપરાના શ્રમણે એ બંનેને માનતા હતા, આથી તે દ્વિવંદનીક કહેવાતા હેય. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૬] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ પરિચય – કાકરદેશના તીરવાડા (તેરવાડા ગામમાં શેઠ દેવદત્ત શ્રીમાળીની પત્ની દેવતદેએ સં. ૧૫૬૪માં એક બાળકને જન્મ આપ્યો. તેનું નામ રામકુમાર રાખ્યું. દ્વિવંદનીક શાખાના ભટ્ટારક (૧) દેવગુપ્તસૂરિએ તેને સંતુ ૧૫૧૭માં દીક્ષા આપી મુનિ જીવકલશ નામે પોતાને શિષ્ય બનાવ્યા તેમજ તેને સં. ૧૫૭૪માં ઉમરેઠમાં આચાર્ય બનાવી ભટ્ટા કકકસૂરિ નામ આપી પોતાની પાટે ભટ્ટારક બનાવી સ્થાપન કર્યો. તેમનાં બીજા નામે કેકેજી અને ભટ્ટા, સર્વદેવસૂરિ પણ મળે છે. ભટ્ટાકક્કસૂરિ ઉમરેઠની ગાદીએ બેઠા હતા. તેઓ ઉમરેઠ અને બારેજામાં રહેતા હતા. તેઓ બાલદીક્ષિત હોવાથી બુદ્ધિમાન, વિદ્વાન, બેલવામાં ચતુર, સંવેગી, વાદી અને ચમત્કારી હતા. બાલ બ્રહ્મચારી હતા. સર્વ જાતના સચિત્તના ત્યાગી હતા. હમેશાં રાતના ચઉવિહાર કરતા હતા અને બરાબર એકાંતરે ઉપવાસ કરતા હતા. બારેજામાં વધુ સમય રહેતા. તેમણે ચઉદશ-પૂનમના શાસ્ત્રાર્થમાં ચદશની પાખી થાપી હતી. પોતે ત્યાગી હતા અને ત્યાગી પ્રતિ પ્રેમવાળા હતા. મોટા વૈરાગી અને તપસ્વી હતા. જ્યોતિષ, વૈદ્યક અને મંત્ર-તંત્રના જાણકાર હતા. અમેઘ વ્યાખ્યાતા હતા. કવિબહાદુર દીપવિજયજી લખે છે કે, “તેઓ હમેશાં નિરંતર સૂરિમંત્રનો જાપ કરતા હતા, આથી તેમની તરપણમાં કામધેનુ પ્રગટી હતી.” (– સોહમકુલપટ્ટાવેલી ઉ૯લાસ ૪, ઢાળ ૪૪, કડી ૧૩) ગુજરાતને બાદશાહ મહમ્મદખાન (સં. ૧૫૯૪થી ૧૬૧૦) ચમત્કાર દેખી તેમને બહુ માનતો હતો. આથી જ બાદશાહે તેમને રાજવલભસૂરિ' એવું માનવંતું બિરુદ અર્પણ કર્યું હતું. અગાઉ જણાવ્યા મુજબ કક્કસૂરિ–રાજવલ્લભસૂરિ આવે વિજયદાનસૂરિના ઉપદેશથી સં. ૧૫૮૪માં સંવેગી દીક્ષા લઈ આવે વિજયરાજસૂરિ બન્યા હતા અને તપાગચ્છના ૫૮મા ભટ્ટારક થયા Page #58 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૧૭ હતા. એ વિજયરાજસૂરિએ સં૰૧૫૫માં દિગબર વાદી ભટ્ટારક જીવાજીને હરાવ્યા હતા. એક પ્રતિમાલેખ મળે છે કે, “ આ વિજયરાજસૂરિવરે સં૰ ૧૬૦૧માં જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.” તેએ સ૦ ૧૬૦૦ પછી માટે ભાગે ગુજરાતમાં વિચર્યાં હતા. છતાં ખરેજામાં વધુ સ્થિરતા કરતા. ગુજરાતના બાદશાહા, શાહજાદા, રાજ્યના અમલદારા, ધનાઢ્યો અને જનતા સૌ કેાઈ તેમનું સન્માન–બહુમાન કરતા હતા. આથી તે શાતા-ગૌરવમાં ફસાયા અને ધીમે ધીમે ફીવાર શિથિલાચારી બની ગયા. તપાગચ્છના તે સમયના ગીતાર્થા, મુનિવરાએ નવા ગચ્છનાયકની આ શિથિલતા જોઈ ને ગચ્છનાયક ભટ્ટા॰ વિજયદાનસૂરિને આગ્રહભરી વિનંતી કરી કે આપ વિજયરાજસૂરિના સ્થાને બીજો ત્યાગી, સચમી, વિદ્વાનને ગચ્છનાયક ભટ્ટારક બનાવા. ભટ્ટા॰ વિજયદાનસૂરિએ તેમની આ વાજખી વિનંતિને માન આપી વિ॰ સં૦ ૧૬૧૦માં શિાહી નગરમાં ઉપા॰ હીરહ ગણીને આચાય પદવી આપી તેમનું આ॰ હીરવિજયસૂરિ નામ રાખી તેમને પેાતાની પાર્ટ તપાગચ્છના ૫૮મા ભટ્ટારક તરીકે સ્થાપન કર્યો. ( – પ્ર૩૦ ૪૪, પૃ॰, પ્રક॰ ૫૮, પૃ॰) - તપાગચ્છના ૫૮મા આચાર્યા (૧) ભટ્ટા૦ વિજયહીરસૂરિ અને (૨) આ૦ વિજયરાજસૂરિ – એ બંને વચ્ચે પ્રેમ – સદ્ભાવ વિશેષ હતા, આથી એ બંને એકબીજા સાથે મળીને જિનશાસનની પ્રભાવનાનું કામ કરતા હતા. એવામાં એક ક્લેશજનક પ્રસંગ બન્યા. વિજયરાજસૂરિ ભરડુઆનગરમાં વિરાજમાન હતા ત્યારે તપાગચ્છની રુચિશાખાના એક ગીતાર્થે શ્રીમાલનગર ( ભિન્નમાલ ) વગેરે ક્ષેત્રામાં ક્ષેત્રાદેશની મર્યાદા તાડી ચાતુર્માસના ક્ષેત્રની અદલાબદલી કરી ગરબડ ઊભી કરી. આથી ભટ્ટા॰ રાજવિજયસૂરિએ પેાતાના શિષ્યપરિવાર અને પેાતાનાં ક્ષેત્રાને સ્વતંત્ર બનાવી રાખવાના નિર્ધાર કર્યો અને સ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ૧૬૧૩માં મોરબીનગરમાં પોતાના અલગ સ્વતંત્ર ગચ્છની સ્થાપના કરી. (–રિવંશાવલી, વિવિધ ગચ્છપટ્ટાવલી સંગ્રહ, પ૦ ૨૨૨) તે પછી આ. વિજ્યરાજસૂરિ અને બીજા ગચ્છનાયક આવે વિજયહીરસૂરિ બનવાથી અને પિતાની એ પ્રકારની મહત્તા ઘટવાથી સં. ૧૬૧૩માં ગુરુદેવ ભટ્ટાવિજયદાનસૂરિ પાસે ગયા. તેમણે બારેજાની ગાદી વગેરેને પરિગ્રહ અને શિથિલાચાર વગેરેને ત્યાગ કરી, ગુરુદેવની પાસે પ્રાયશ્ચિત્ત સ્વીકારી શુદ્ધ જીવન બનાવ્યું. આથી ભટ્ટા. વિજ્યદાનસૂરિએ તેમને આચાર્યપદે તે કાયમ રાખ્યા પણ ગચ્છનાયક તરીકે તેમને સ્થાપન ન કર્યા. વિજ્યરાજસૂરિ મેટા હતા અને આ વિજયહીરસૂરિ નાના હતા, છતાં તેઓ આ. વિજયહીરસૂરિ પ્રતિ ઘણે સદ્ભાવ રાખતા હતો. જો કે તેમની ભટ્ટારક પરંપરા તપાર–શાખા તરીકે ચાલુ રહી હતી, પરંતુ ગ્રંથપ્રશસ્તિઓથી જાણવા મળે છે કે – તેમના શિષ્યો અને શિષ્ય પરંપરાના ઉપાટ રામવિજય ગણું, ઉપા. દેવવિજયગણું વગેરે ગીતાર્થો તપાગચ્છના આ૦ વિજયહીરસૂરિ, આ૦ વિજયસેનસૂરિ અને આ. વિજયદેવસૂરિ વગેરેની આજ્ઞા માનતા હતા. (– શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્ર૦ ૪૯, ૫૦૦, ૫૫૭, ૨૬, ૬૯૪). સ્વર્ગવાસ – ભટ્ટા, વિજયરાજસૂરિ સં. ૧૬૧૪માં ઝીંઝુવાડામાં કાળધર્મ પામી રવગે ગયા. તેમનાથી તપાગચ્છમાં છઠ્ઠી તપારનશાખા નીકળી હતી. ( જુએ પ્રક. ૧, પૃ. ૩૬ થી ૩૮) Page #60 -------------------------------------------------------------------------- ________________ પહેલી તપાર–શાખા પર પરા ૫૮ ભટ્ટા. વિજ્યરાજસૂરિ ૫૯ ભટ્ટા. વિજય રત્નસૂરિ – તેમને સં. ૧૫૯૪માં જન્મ, સં. ૧૬૧૩માં દીક્ષા, સં. ૧૬૨૪માં ઝીંઝુવાડામાં આચાર્યપદ, તથા ગચ્છનાયકપદ અને સં. ૧૬૫માં સ્વર્ગગમન ઝીંઝુવાડામાં થયાં. મુક્તાઘાટ– તેમણે સં. ૧૬૧૮માં લંકામતને પરાસ્ત કર્યો. તેમજ સં. ૧૯૨૪માં શાહજાદા જહાંગીરને પ્રતિબંધ આપી શત્રુંજયને મુક્તાઘાટ કરાવ્યા. (–મે ૦ દ દેસાઈની રતનશાખા પટ્ટાવલી, જૈનયુગ પ્રક૩ અંક ૧૧,૧૨) ચિત્તોડને ૬૦ મે રાણે અમરસિંહ (સ્વ. સં. ૧૭૭૭) અને શેઠ ભામાશાહ તેમના ભક્ત હતા (પ્રક. ૪૪, પૃ ૧૬, ૩૭) આ. વિજયરાજસૂરિની પાટે (૫૯) ભટ્ટાવિજય રત્નસૂરિના સમયમાં ગચ્છભેદ થવાથી તેમના અનુયાયીઓએ વિજયને બદલે રત્નશાખા ચલાવી. ભટ્ટા, વિજયરત્નસૂરિ અને પં. માણેકવિજ્યગણી વગેરે સં. ૧૬૩માં ઉનામાં ચાતુર્માસ હતા. (– શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્ર૦ નં૦ ૪૮૯ ) ૬૦ ભટ્ટા, હીરરત્નસૂરિ – ભટ્ટાવિજય રત્નસૂરિએ પોતાના શિષ્ય મહે. હીરરત્નગણને સં. ૧૬૭૧ માં આચાર્ય પદવી આપી અને સં. ૧૬૭પમાં ભટ્ટારક પદવી આપી પોતાની પાટે સ્થાપન કર્યા. સં. ૧૭૧૫ના શ્રા, સુવ ૧૪ ને જ તેમને સ્વર્ગવાસ થયો. તેઓ પ્રભાવક હતા. એટલે તેમનાથી તમારતનશાખા ચાલી અને ઘણી શિષ્ય પરંપરા ચાલી હતી તે આ પ્રમાણે – [૧] (૬) ભટ્ટા, હીરરત્નસૂરિ (૬૧) પં. ધનરત્નગણી, (૬૨) પં તેજરનગણી (જુઓ તમારત્ન પંડિત પટ્ટાવી બીજી) [૨] (૬૦) ભટ્ટા, હીરરત્નસૂરિ (૬૧) તેમના શિષ્યો નરત્ન ગણી ભ્રાતા વિવેક રત્નગણ (૬૨) ૫૦ લહમીરત્ન ગણીએ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૦] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સં. ૧૮૭૬ના આ૦ સુ૫ ને રોજ ઉંઝામાં પં. વિવેક રન માટે “આઠ કર્મનો રાસ રચ્યો. [3] (૬૦) ભટ્ટા, હીરરત્નસૂરિ (૬૧) તેમના શિષ્ય ઋષિ રૂપ ચંદજીએ સં. ૧૭૩૮ ના માત્ર સુ. ૧૧ ને રવિવારે વિજય મુહૂર્તમાં “પાશાકેવલી–શકુનાવલી ”ની પ્રતિ લખી. [૪] (૬૦) ભટ્ટા. હીરરત્નસૂરિ (૬૧) ભટ્ટા, જયરત્નસૂરિ – તેમનો સં. ૧૬૬૬માં જન્મ, સં. ૧૬૯લ્માં દીક્ષા, સં. ૧૭૧પમાં ભટ્ટારકપદસં. ૧૭૩૪માં સ્વર્ગગમન થયાં. (૬૨) ભટ્ટા, દાનરત્નસૂરિ– તેઓ ભટ્ટા, હીરરત્નસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા અને પં, તેજવિજયગણના દીક્ષાશિષ્ય હતા. તેમનું મુનિદાનવિજ્ય નામ હતું. પં. દાનવિજય વિદ્વાન હતા. કવિ હતા. તેઓ સં. ૧૭૧૬માં આ૦ વ૦ ૫ ના દિવસે સાદડીમાં વિરાજમાન હતા. તેમણે સૂરતમાં મહોપાટ વિનયવિજયગણુએ સં. ૧૭૨૫ના ચ૦ વપના રોજ રચેલા “પાંચ કારણ સ્તવનની બે બે પાનાંની પાંચ નકલ લખાવી હતી. સં. ૧૭૩૦માં “પ્રતિક્રમણ ચતુષ્પદી” અને સં. ૧૭૬૧માં જબૂસરમાં “લલિતાંગરાસ રચ્યો છે. સં. ૧૭૬રમાં સુરતમાં શેખ ફત્તેહમિયાંના મોટા પુત્ર બડેમિયાંને સંસ્કૃતને અભ્યાસ કરવા માટે પદ્યમાં સંસ્કૃત વ્યાકરણ રચ્યું.' તથા સં. ૧૭૭૦માં પોતાના શિષ્ય મુનિ દર્શનવિજયને વાંચવા માટે “કલ્પસૂત્ર”ની સંસ્કૃત ટીકા “દાનપ્રદીપિકા ” બનાવી. તેમજ સં. ૧૭૭૧ના બીજા આષાઢ વદિ ૪ના દિવસે આઈજ ગામમાં “તમારત્ન પટ્ટાવલી” બનાવી. ૧ આ પ્રતિ ઈડરમાં આત્મકમલસૂરિ શાસ્ત્રસંગ્રહ પ્ર• નં. ૩૩૩ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [૨૧ તેઓ ભટ્ટારક બન્યા તે પહેલાંના શિષ્યા મુનિ દશનવિજય, મુનિ વૃદ્ધિવિજય વગેરે વિજયપદ્મથી ઓળખાતા હતા. આથી અનુમાન થાય છે કે “ રત્નશાખાના મુનિએમાં સાધારણ રીતે વિજય શબ્દ રહેતા હાય અને માત્ર ભટ્ટારકને જ રત્ન શબ્દ જોડાતા હાય. ” ભટ્ટા॰ દાનરત્નસૂરિની પાર્ટ (૬૩) ૫′૦ કીર્તિ રત્ન બેઠા હતા. ૫૦ જ્ઞાનરત્ન પણુ ભટ્ટા॰ દાનરત્નસૂરિના શિષ્ય હતા. તેઓ ઉપાધ્યાય પદસ્થ હતા. (– જુએ પટ્ટાવલી ખીજી પટ્ટ ૬૪ મી ) ૫૦ વૃદ્ધિવિજયે અઢાર નાતરાની સજ્ઝાય ’ રચેલી છે. (૬૩) ભટ્ટા૦ કીર્તિ રત્નસૂરિ, (૬૪) ભટ્ટા॰ મુક્તિરત્નસૂરિ (૬૫) ભટ્ટા॰ પુણ્યાયરત્નસૂરિ, (૬૬) ભટ્ટા૦ અમૃતરત્નસૂરિ, (૬૭) ભટ્ટા૦ ચંદ્રોયરત્નસૂરિ. (૬૮) ભટ્ટા॰ સુમતિરત્નસૂરિ – આ સુમતિરત્નસૂરિના ભાઈ મુનિ ગગવિજય હતા. તેઓ સ. ૧૭૭૨ના શ્રા॰ સુ૦૪ ના દિવસે વ માનપુર ( વઢવાણ )માં હતા. 6 ભટ્ટા॰ સુમતિરત્નસૂરિ તથા ૫* માણિકચરત્નગણી વગેરે સં૦ ૧૭૮૦માં ‘વજીરપુર ’માં ચાતુર્માસ હતા. તેમજ ૫૦ હસ્તિરત્નગણીના શિષ્ય પ′૦ અમવિજયે સ૦ ૧૭૮૦માં ખેડામાં ચાતુર્માસ કર્યું" હતું. ખેડાના જન સ`ઘે ખેડામાં ‘સુમતિરત્ન લાઈબ્રેરી’ બનાવી છે, જે સારી રીતે ચાલ્યા કરે છે. (૬૯) ભટ્ટા॰ ભાગ્યરત્નસૂરિ – તે હતા. તેમના સ્વર્ગવાસ ખેડામાં થયા હતા. તપારત્નશાખાના ભટ્ટારક ( - પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણી પૃ૦ ૨૪૯) નોંધ – તપારનશાખાની પરંપરાના ભટ્ટા......ના શિષ્ય ૫૦ ઋદ્વિરત્નગણી અને ૫૦ રૂપરત્નગણીના શિષ્ય પ૦ જિતેન્દ્રરત્નગણી સ’૦ ૧૮૭૭ના ચૈ૦ ૧૦ ૩ ના રોજ વિદ્યમાન હતા. તેમણે ૫૦ ટ્વીવિજયની પટ્ટાવલીમાં પેાતાની સમ્મતિના હસ્તાક્ષર આપ્યા છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન પરપરાને ઇતિહાસ બીજી તપારત્નશાખા પડિત પદાવલી (૫૭) ભટ્ટા॰ વિજયદાનસૂરિ, (૫૮) ભટ્ટા૦ વિજયરાજસૂરિ, (૫૯) ભટ્ટા૦ વિજયરત્નસૂરિ, (૬૦) ભટ્ટા॰ હીરરત્નસૂરિ. (૬૧) ૫′૦ ધનરત્નગણી – તેમનાં બીજા નામેા ૫૦ વિશાલવિજય અને ૫૦ વિશાલરત્નગણી પણ મળે છે. સ૦ ૧૭૨ ૬. ૨૨] (૬૨) ૫૦ તેજરનગણી – તે ભ॰ હીરરત્નસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા, અને ૫૦ ધનરત્નગણીના દીક્ષાશિષ્ય હતા. નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. તેઓ સં. ૧૭૭૩ ના આ૦ ૧૦ ૮ ના દિવસે બારેજામાં અને સ૦ ૧૭૮૦માં ‘અમદાવાદ’માં વિરાજમાન હતા. [ પ્રકરણુ (૬૩) ૫′૦ દાવિજયગણી – તેઓ તપારનશાખાના ૬૩મા ભટ્ટારક દાનરત્નસૂરિ થયા. તેમનાં બે નામ મળે છે– હતા. 6 (૧) ૫૦ દાર્તવજયગણ અને (૨) ૫૦ દાનરત્નગણી (ભટ્ટા દાનરત્નસૂરિ ) તેમના પન્યાસપઢના શિષ્યેામાં ૫૦ વૃદ્ધિવિજય અને મુનિદર્શીનવિજ્યનાં નામેા ઇતિહાસમાં મળે છે. (૬૪) ૫૦જ્ઞાનરત્નગણી – તેઓ ભટ્ટા॰ દાનરત્નસૂરિના ઉપાધ્યાય સુરતના સંઘવી પ્રેમચંદ પારેખે સ૦ ૧૭૭૦ના ચૈ॰ સુ૦ ૧૦ ના રાજ સુરતથી શત્રુંજય મહાતીના છરી પાળતા યાત્રાસંઘ કાઢયો હતા. તેમાં તપાગચ્છની રત્નશાખાના ૫૦ દાનરત્નના ૫૦ જ્ઞાનરત્ન ગણિવર અને પં॰ (ઉપા॰ ) ઉયરત્નગણી વગેરે ૭ ઠાણાં સાથે હતાં. ( પ્રક॰ સુરતના સંધવીએ ) નોંધ – જગદ્ગુરુ આ॰ હીરવિજયસૂરિના શિષ્ય (૫૯) મહા સામવિજય ગણિવરની પરપરાના ૬૨મા પ૦ લાલવિજય ગણી અને તેમના શિષ્ય ૬૩મા ૫૦ સૌભાગ્યવિજય ગણી થયા હતા. તેમણે સં૦ ૧૭૪૭ થી ૧૭૭ર સુધી ભારતના પૂર્વ અને ઉત્તર પ્રદેશના વિવિધ જૈન તીર્થોની યાત્રા કરી, સ૦ ૧૭૫૦માં આગરામાં Page #64 -------------------------------------------------------------------------- ________________ [૨૩ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ બાદશાહ ઔરંગઝેબ પાસેથી નિરાબાધ વિહારનું ફરમાન મેળવ્યું હતું. (પ્રક. ૪૪, પૃ. ૧૦૪, ૧૬૧ ફરમાન ૧૯ મું) તેમણે સં. ૧૭૫૦માં ભટ્ટાવિજયદેવસૂરિ સંઘના ભટ્ટા વિજયરત્નસૂરિના શાસનકાળમાં “તીર્થમાળા” બનાવી. (ઈતિક પ્રક. ૫૮ મહેસેમવિજયગણીની પરંપરા) પં. જ્ઞાનરત્નગણવર આ તીર્થોની યાત્રામાં તેમની સાથે હતા. ( – પ્રક. ૫૯, પૃ. ૩૯) (૬૫) પં. ન્યાયરનગણ–તેઓ તપાગચ્છના વિજ્યદેવસૂરિ સંઘના દરમાં ભટ્ટાવિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. તેમણે તેમની આજ્ઞાથી સં. ૧૭૨૩માં “સીવેરા (?)માં ચાતુર્માસ કર્યું અને પં. ચારિત્રરત્નગણ, પં. ચારિત્રશેખરગણ, પં૦ ન્યાયરનગણી તથા પં૦ ગજરાજ(રત્ન)ગણી વગેરેએ ભટ્ટાવિજયપ્રભસૂરિની આજ્ઞાથી સાંડેરાવ વગેરે જુદાં જુદાં ગામોમાં ચાતુર્માસ કર્યું હતું. તેમના શિષ્ય ઉપાટ હર્ષરત્નગણી થયા. (જુઓ, પટ્ટાવલી થી) Page #65 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ટપારત્નશાખા પટ્ટાવલી નેધ – નૈષધકાવ્ય પૃ. ૨૨૦ની પુષ્મિકામાં નીચે પ્રમાણે પરંપરા મળે છે. (૫૮) તપાગચ્છના શિરોમણિ ભટ્ટા. વિજ્યરાજસૂરિ. (૫૯) મહ૦ રામવિજય ગણી – તેઓ ભ૦ રાજવિજયસૂરિના શિષ્ય હતા. (૬૦) મહા દેવવિજયગણ – તેઓ ભટ્ટાવિજ્યરાજસૂરિના હસ્ત–દીક્ષિત શિષ્ય હતા અને મહે. રામવિજયગણીના શિષ્ય હતા છતાં તેઓ ભટ્ટાવિજયરાજસૂરિના જ શિષ્ય લેખાતા હતા. તેમણે “સક્ઝાય” રચી છે. ગ્રંથપ્રશસ્તિઓ ઉપરથી જાણવા મળે છે કે ઉપા. રામવિજય ગણુ અને ઉપાદેવવિજ્યગણી વગેરે તપાગચ્છના ભટ્ટારક વિજયહીરસૂરિ, ભવ્ય વિજયસેનસૂરિ અને વિજ્યદેવસૂરિની આજ્ઞા માનતા હતા. (પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. નં. ૪૯૯, ૫૦૦, ૫૫૭, ૨૬, ૧૯૪) ભટ્ટારક વિજયદાનસૂરિની પાટે ભટ્ટા, વિજયરાજસૂરિના શિષ્ય પં. દેવવિજયગણના શિષ્યા સાધ્વી સહજશ્રી માટે માળવાની નુતાહિપુરીમાં સં. ૧૬૧૯ના આ૦ વ. ૧૨ ને ગુરુવારે રાયપાસેણુસુત્ત લખાવ્યું. ગ્રંથો–મહો. દેવવિજ્ય ગણિવરે ઘણું છે રહ્યા છે. (૧) પં. દેવવિજયે સં. ૧૬પરના આ૦ વ૦ ૧૦ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં મારવાડના શ્રીમાલનગરમાં કલિ૦ સત્ર આ૦ હેમચંદ્રસૂરિના “ત્રિષષ્ટિ–શલાકા પુરુષચરિત' પર્વ છ– રામાયણના આધારે “ગદ્ય-રામાયણ’ સર્ગ ૧૦, ગ્રં૦ ૫૦૦૦ રચ્યું છે. તેની પ્રશસ્તિ આ પ્રકારે મળે છે – " इति तपागञ्छ भट्टारक श्री हीरविजयसूरिराज्ये आ० विजयसेनसूरि यौवराज्ये पं. देवविजयगण विरविते गद्यबन्धे श्रीरामचरित्रे रामनिर्वाणगमनेा नाम दशमः सर्गः । Page #66 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ! ભટ્ટારક શ્રીવિજયદાનસૂરિ श्रीवाचकाग्रेसर धर्म सागर क्रमाब्ज मृ ङ्ग : बुधपअसागरें : एतत् चरित्र स्वघिया सुशोधित वर्य स्व वाच्य भवतु श्रियां વન | ” (૨) પદ્મચરિત્ર. ર૨૦૦ (૩) પાંડવચરિત્ર. શ્લોટ ૫૦૦, વિ. સં. ૧૬૦૦ (૪) વીશલનગરમંડન ભ૦ આદિનાથનું સંસ્કૃત સ્તોત્ર શ્લેટ ૩૦. પં. દેવવિજ્ય ગણિવર – વિકમની ૧૭–૧૮મી સદીમાં પં. દેવવિજય ગણિવર નામના ઘણું વિદ્વાને થયા છે. તે આ પ્રમાણે – (૧) તપારાનશાખાના મહ૦ રામવિજયગણીના શિષ્ય સં. ૧૬૨૯સં. ૧૬૬૦ (૨) તપાગચ્છની પરંપરામાં અનુક્રમે– (૫૭) ભટ્ટા, વિજયદાનસૂરિ, (૫૮) મહોવિમલહર્ષગણી (૫૯) મહ૦ મુનિ વિમલગણ, (૬૦) મહ૦ દેવવિજય ગણિવર (સં. ૧૬૨૦ થી ૧૯૯૧) તેઓ સં. ૧૯૭૩માં શિરોહીમાં ૫૧ શિષ્યો સાથે લઈ નવા વિજયાનંદસૂરિગચ્છમાં દાખલ થયા અને...માં ભટ્ટા, વિજયતિલકસૂરિએ તેમને ઉપાધ્યાય બનાવ્યા. (– પ્રક. ૫૮, પૃ. ૩૧૪) (૩) ભટ્ટા, વિજયદેવસૂરિસંઘના (૬૩) ભ૦ વિજય રત્નસૂરિના આજ્ઞાધારી પં૦ નીતિવિજય ગણુના શિષ્ય પં. દેવવિજય ગણી થયા. અસલમાં મુસલમાનેએ સં....માં પીરમબેટ ઉપર ગોહેલ મોખડાજીના રાજકાળ હલે કર્યો ત્યારે ત્યાંના જેનેએ બેટની જિનપ્રતિમાઓને સસુદ્રરસ્તે જ ઘેઘાબંદર પહોંચાડી દીધી હતી. આ પ્રતિમા ઘોઘામાં ભગવ પાર્શ્વનાથના જિન પ્રાસાદમાં છૂટી બેસાટી રાખી હતી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ઘોઘાના સંઘે સં. ૧૭૮૧ના કા. સુ. ૧૩ના દિવસે શેઠ મીઠા સુંદરજીની શેઠાઈમાં ઘોઘાના ભગવ પાર્શ્વનાથના જિનપ્રાસાદના ભયરામાં ભગ0 સુમતિનાથની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (પ્રક૭ ૩૮ પૃ૦ ૪૧૪) અને બીજી જિનપ્રતિમાઓને ભોંયરું સુધરાવી, તેની દીવાલમાં બે ગોખ કરાવી, તેમાં “ભૈયરામાં દાખલ” કરી પધરાવી હતી. - જીર્ણોધ્ધાર ઘંઘાના સંઘે કર્યો. આથી સં. ૨૦૧૭ના રોજ તે પ્રતિમાઓ નીકળી છે ( ક૫૦, પૃ૧૨ ) (૬૦) મહ. દેવવિજય ગણિવર શિષ્ય (૬૧) ખીમાવિજય ગણી, (૬૨) પં. તેજ વિજયગણું શિષ્ય (૬૩)૫. સૂરવિજ્યગણી, (૬૪) પં. સુખ વિજયગણ, શિષ્ય (૬૫) પં. સદાનંદ વિજયગણી, (૬૬) પં. રૂપ વિજ્યગણ, (૬૭) પં. પદ્મવિજયગણી. તેઓ સં. ૧૮૬૯માં વિદ્યમાન હતા. તેમના શિષ્ય (૬૮) ગુલાલ વિજયગણ –તેમણે પિતાના ચિરંજીવી મુનિ ભાગ્યવિજયને ભણવા માટે શાકે ૧૭૩૫ (વિ. સં. ૧૮૬૯) ના જેઠ સુદ ૧૫ ને રવિવારે સૂર્યપુર (સુરત)માં “નૈષધ કાવ્ય લખ્યું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ચેથી તપાઉન શાખા – પરંપરા ૬૦ ભટ્ટા. હીરરત્નસૂરિ ૬૧ ઉપાટ લબ્ધિરનગણિ ૬૨ ઉપા, મેઘર નગણી ૬૩ ઉપાય શિવરત્નગણી – તેઓ ૬૨મા ભટ્ટા. દાનરત્નસૂરિના ઉપાધ્યાય હતા. ૬૪ મહોઇ સિદ્ધિરત્નગણીવર – તેઓ પણ ભટ્ટા. દાનરત્નસૂરિના ઉપાધ્યાય હતા. ૬૫ ઉપાટ હર્ષરત્નગર્ણ – મહોત્ર ઉદયરત્નગણું આ બંને મૂળે ખેડાના વતની હતા. શેઠ વર્ધમાન તથા તેની ભાર્યા માનબાઈના પુત્ર હતા. તેમનાં નામ ક્રમશઃ (૧) હરખચંદ, (૨) ઉત્તમચંદ ૬૪મા પં જ્ઞાનરનગણીએ હરખચંદને દીક્ષા આપી પોતાના શિષ્ય ૬૫માં પં. ન્યાયરત્નગણીના શિષ્ય મુનિ હષરત્ન બનાવ્યા. (પદાવલી બીજી, પ્રક૦પ૭ પૃ૦) મહેક સિદ્ધિરત્નગણીવરે ઉત્તમચંદને દીક્ષા આપી મહેર સિદ્ધિરનગણુંવરના શિષ્ય મુનિ ઉદયરત્ન બનાવ્યા. મહિ૦ સિદ્ધિરને તેમને ભણાવ્યા. આથી તે તેમની પાટે મહોપાધ્યાય ઉદયરત્ન ગણું બન્યા. (- પટ્ટાવલી પાંચમી) ઉપાટ હર્ષરત્ન મેટા ત્યાગી, તપસ્વી, શુદ્ધ સંયમી તેમ જ ગીતાર્થ હતા. આથી ભટ્ટા. દયારત્નસૂરિએ મહા સિદ્ધિરનગણીના સ્વર્ગગમન પછી તેમને ઉપાધ્યાય બનાવ્યા હતા. તેમનાં સાધુપણાનાં (૧) પં. હર્ષરત્નગણી અને (૨ ) હંસરત્ન ગણું એમ બે નામે મળે છે. ગ્રંથો પં. હર્ષરનગણીવર વિદ્વાન તથા મોટા ગ્રંથકાર હતા. તેમણે બનાવેલા ગ્રંથાની નોંધ આ પ્રમાણે મળે છે – Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૮] જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ ( ૧ ) સ’૦ ૧૭૫૫ ના મ૦ શુ૦ ૩ મ ́ગળવારે ‘જિનસ્તવન ચાવીશી, (૨)સ’૦ ૧૭૮૬ ના ફા॰ ૧૦ ૫ ને ગુરુવારે ઉંઝમાં ‘શિક્ષાાહા’ (દાહાશતક ) (૩) સ’૦ ૧૭૮૬ ( અથવા ૧૭૯૬ )માં • નેમિરાસ વસ‘તવિલાસ ’ તથા ‘વાસુપૂજય સ્વામી સ્તવન, ‘શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, ‘શંખેશ્વર પાર્શ્વનાથ છંદ’વગરે રચ્યાં છે. (૪)વિદ્રાના એમ પણ માને છે કે, તેમણે સં૦ ૧૭૮૧માં ‘ગદ્યશત્રુંજય માહાત્મ્ય ’સર્ગ ૧૫ રચ્યું છે. (૫) સં૦ ૧૭૯૮માં ‘ અધ્યાત્મકલ્પદ્રુમ - બાલાવબાધ ’ રચ્યા છે. નોંધ—અમને લાગે છે કે તેમની જ પર’પરાના ૬૭મા ઉપા માનરત્નગણીના શિષ્ય ૬૮મા ૫૦ હુંસરત્નગણીવરે છેલ્લા અને ગ્રંથા રચ્યા હાય. ઉપા॰ હ રત્નગણીએ સ. ૧૭૯૭ ના ચામાસામાં મિયાગામમાં ‘ભગવતીસૂત્ર’નું વ્યાખ્યાન આપ્યું અને તેમનું સ’૦ ૧૭૯૮ના ચૈત્ર સુદિ ૧૦ દિવસે મિયાગામમાં સ્વર્ગગમન થ્યુ. મિયાગામના જૈન સંઘે તેમના નિર્વાણ દિવસની પાખી દર સાલ પાળવા નક્કી કર્યું. તેમ જ તેમના અગ્નિસ સ્કારના સ્થાને સમાધિસ્તૂપ બનાવ્યા, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે. ( – સુરતના શેઠ નગીનદાસ મન્નુભાઈ જેયી સાહિત્યેાશ્વાર કુંડ તરફથી પ્રકાશન “ જૈન સાહિત્યરના '' ભા-૧, પૃ૦ ૨૩૦) ઉપા॰ હ રત્નગણી પરપરા આ પ્રમાણે મળે છે—— (૬૬)ઉપા॰ લક્ષ્મીરત્નગણી (૬૭) ઉપા૦માનરત્નગણી – તે તપારત્નશાખાના ૬૨માં ભાવ – રત્નસૂરિના શિષ્ય હતા અને ૬૩મા ભટ્ટા. દાનરત્નસૂરિના ઉપાધ્યાય હતા. તેમણે સ૦ ૧૭૫૧ના ચૈત્ર માસમાં સુરતમાં કડવામતના સ‘વરી આણુદે મનાવેલ ‘ અર્જુનકરાસ'ની પાંચ પ્રતિએ લખી. ૫૦ માનરત્ન સ’૦ ૧૭૫૩માં વઢવાણમાં ચામાસુ હતા. તેઓ ત્યાંથી Page #70 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજ્યદાનસુરિ [૨૯ વિહાર કરતા કરતા ‘ભાઈકા ગામ ” ગયા તેમણે સ૦ ૧૭૫૪માં ભાઈકામાં ‘રત્નસંચય ’ ગ્રંથ લખ્યા. ઉપા॰ માનરત્નગણી સ૦ ૧૭૫૮ સુધી વિદ્યામાન હતા. (૬૮) ૫′૦ હ`સરનગણી—તેઓ માટા વિદ્વાન હતા. ગ્રંથકાર હતા. તેમણે સ. ૧૭૮૨ના વૈ૦ સુ૩ના રાજ રાજંગ ( અમદાવાદ, માં આ૦ ધનેશ્વરસૂરિના પદ્ય સંસ્કૃત સરળશત્રુંજય ‘ માહાત્મ્ય’ના આધારે ‘ગદ્ય. સહઁસ્કૃતમાં સરળ ‘શત્રુ...જય માહાત્મ્ય ' રચ્યું. તેમજ સં૦ ૧૭૯૮માં ‘ અધ્યાત્મકલ્પદ્રુમના બાળાવબાધ” રચ્યા. Page #71 -------------------------------------------------------------------------- ________________ તપારિત્નશાખાની પાંચમી વાચક પરંપરા (૬૦) ભટ્ટા, હીરરત્નસૂરિ (૬૪) મહ૦ સિદ્ધિરત્નગણી–તેઓ ભટ્ટા, દાનરત્નસૂરિના ઉપા ધ્યાય હતા. (૬૫) ઉપ૦ હર્ષરત્નગણમહ૦ ઉદયરત્નગણી— આ બંને ખેડાના શેઠ વર્ધમાન અને શેઠાણી માનબાઈના પુત્ર હના. (૧) હરખચંદ અને (૨) ઉત્તમચંદ નામે સાદર– ભાઈ હતા. હરખચંદ પં. ન્યાયન ગણના શિષ્ય મુનિ હર્ષરત્ન નામે થયા. તેમને પરિચય પટ્ટાવલી ચોથીના પટ્ટાંક ૬પમાં આપ્યા છે. ઉત્તમચંદને ઉમા. શિવરનગણુએ દીક્ષા આપી. શ્રીઉદયરત્નજી નામ સ્થાપ્યું મહોય સિદ્ધિરત્નગણવરે તેમને ભણાવ્યા. અને ભટ્ટારકે તેમને મહોપાધ્યાય બનાવ્યા. ઉપાડ ઉદયરત્નજી સિદ્ધ કવિ હતા. જૈન અને જૈનેતરમાં પ્રસિદ્ધ હતા અને ઉપાટ હર્ષરત્ન ગણીના સહોદર હતા. મહે. ઉદયરત્ન રંગીલા રતન તરીકે પણ પ્રસિદ્ધ હતા. ઉપાડ શિવરત્નના હસ્તદીક્ષિત શિષ્ય હતા. તેઓ સં. ૧૭૫૦માં ખેડાના સંઘ સાથે શંખેશ્વરતીર્થની યાત્રાએ ગયા. તેમણે પહેલેથી જ પ્રતિજ્ઞા કરી હતી – “શંખેશ્વરમાં ગયા. પછી શંખેશ્વર પાર્શ્વનાથનાં પ્રત્યક્ષ દર્શન કર્યા પછી જ અન્ન–જલ લેવાં.” શ્રી સંઘ ત્યાં પહોંચ્યો ત્યારે જિનાલયના દરવાજા “માંગલિક” થઈ ગયા હતા. આથી પૂજારીએ દરવાજો ખેલવાની ના કહી. ઉપાધ્યાયજીએ ભક્તિભર્યું “પાર્શ્વનાથનું પ્રભાતિયું' રચ્યું અને પ્રભુને જલદી દર્શન દેવા આજીજી કરી. એવામાં આકાશમાં વિજળીના કડાકે થયો અને જિનાલયના દરવાજા એકાએક ઊઘડી ગયા. તેમણે તથા શ્રીસંઘે તરત જ શંખે Page #72 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ [ ૩૧ શ્વર પાર્શ્વનાથનાં દર્શન કર્યા. આ ચમત્કારી ઘટના બનવાથી ઉપાધ્યાયજીની ખૂબ પ્રશંસા થવા લાગી. ચમત્કાર–ખેડા પાસે (૧) મેશવો. (૨) વાત્રક અને (૩) ખારી એમ ત્રણ નદીઓનું “સંગમ રથાન છે. ઉપાધ્યાયજીએ તે સંગમ સ્થાનમાં ચાર મહિના સુધી રહીને ધ્યાન ધર્યું. તેમના ધ્યાનના પ્રભાવથી એ સ્થાન ટાપુ બની ગયો. આથી લોકોમાં આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ. ખેડાનાં ભાવસારીનાં ૫૦૦ ઘર ઉપાધ્યાયજીના ચમત્કારથી જેન બની ગયા. સં. ૧૭૫૮માં તેઓ ઉનામાં ચાતુર્માસ રહ્યા હતા. ત્યાં તેમણે સં. ૧૭૫ત્ના માગશર વદિ ૧૧ ના દિવસે સ્થૂલિભદ્રનવરસો” કાવ્ય રચ્યું. તેમાં શુંગારરસ હતો. મર્યાદિત હતો, છતાં ભટ્ટારકને તે ઉચિત ન લાગવાથી તેમને બેલાવીને સમજાવ્યા કે— મહાનુભાવ! આપણે ત્યાગી સાધુ છીએ, તેથી આપણે એવું બોલવું, લખવું કે કામ કરવું જોઈએ, જેથી બીજાને બોધદાયક બને. કોઈ મનુષ્ય આપણા વ્યાખ્યાનથી કે કાવ્ય વાંચવાથી વચ્છેદી બની ન જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. આપણા કાર્યથી લોકોને સદાચાર અને નીતિનો માર્ગ મળે એવું કરવું જોઈએ. સરસ્વતી દેવી તારા ઉપર પ્રસન્ન થયાં છે, તે હવે ઉપરની વાત ધ્યાનમાં રાખી એવાં કાવ્યો બનાવ કે જેથી લોકપકાર થાય.” ઉપાધ્યાયજીએ ગુરુદેવની આજ્ઞાને શિરોધાય માની પિતાની કાવ્ય – સ્ફણાની દિશા બદલી નાખી અને ત્યારથી જ “લોકપકારક ઉત્તમ કાવ્ય” બનાવવાનો આરંભ કર્યો. તેમણે સં. ૧૭૬૩ના શ્રાવ વવ ૧૦ ના દિવસે ખંભાતમાં ખાસ કરીને “બ્રહ્મચર્યની નવ વાડની સઝાય” ઢાળ-૧૦ રચી. સુરતના સંઘપતિ પ્રેમજી પારેખે સં. ૧૭૭૦માં સુરતથી શત્રુ જ્યતીર્થનો છરી પાળ તો યાત્રાસંઘ કાઢ્યો હતો. ૨ નશા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૨] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ખાના ભટ્ટા, દાનરત્નના પં. જ્ઞાનરત્નગણ તથા પં. ઉદયરત્નગણી વગેરે સાત ઠાણાં આ સંઘમાં સાથે હતાં. (પ્રદ૦ ૫૭, સુરતના સંઘપતિઓ) ઉપાધ્યાયજીએ ત્યારે અને તે પછી પણ પ્રસંગે પાત્ત શત્રુંજય તીર્થનાં ઘણું રતવનો રચ્યાં હતાં. ગ્રંથ – મહોઉદયરત્નગણીએ વિક્રમની ૧૮ મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં વિશાળ પદ્ય-સાહિત્ય રચ્યું છે. તેની વિગત આ પ્રમાણે. સં. ૧૭૪૯ના બીજી ભાસુ. ૧૩– હરિયાલા (ખેડા) ગામમાં “શ્રી જંબુસ્વામી – રાસ” ઢાળઃ ૬. સં. ૧૭૫૫ના પો. સુ૧૦ – ગુજરાત – પાટણમાં “અષ્ટ પ્રકારી પૂજા.” સં. ૧૭૫ત્ના માગો સુ. ૧૧–ઉના બંદરમાં “સ્થલિભદ્રરાસ નવરસ.' સં. ૧૭૫ત્ના વૈ૦ વ૦ ૬– શંખેશ્વરમાં “શંખેશ્વર પાર્શ્વનાથ સલોકે.” સં. ૧૭૬૧ના ફાટ વ૦ ૧૧ ને શુક્ર – પાટણમાં “રાજસિંહ રાસ (નવકાર) સં. ૧૭૬૩ના શ્રાવ વ૦ ૧૦ – ખંભાતમાં “બ્રહ્મચર્યની નવવાડ સક્ઝાય” ઢાળ: ૧૦ સં. ૧૭૬૫માં “બાર વ્રતને રાસ.” સં. ૧૭૬૬ના માટે વય ૮– હરિયાળા ખેડા ગામમાં મલયા સુંદરી રાસ” (વિનોદવિલાસ) ઢાળઃ ૧૩. સં. ૧૭૬૭ના પિ૦ સુ૫ તે ગુરુવાર – ઉનાવામાં “યશેધર રાસ ઢાળઃ ૮૧. સં. ૧૭૬૭ના આ વ. ૬ ને રવિવાર – ઉનાવામાં “લીલાવતી સુમતિવિલાસરાસ’ ઢાળ: ૨૧. Page #74 -------------------------------------------------------------------------- ________________ * * ** સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ [ ૩૩ સં. ૧૭૬૮ના માત્ર સુ૧૦ ને રવિવાર – પાટણમાં “ધર્મબુદ્ધિ – પાપબુદ્ધિરાસ.” સં. ૧૭૬ા પો. સુ. ૧૩ ને મંગળવાર – ઉનાવામાં “ભુવન ભાનુકેવલી – રાસ” ઢાળઃ ૯૭ (રસલહરી રાસ) સં. ૧૭૬૯ના શ્રા સુત્ર ૭ ને મંગળવાર – ભટ્ટા, હીરરત્નની આજ્ઞામાં થળમાં “સુવિધિનાથ સ્તવન” કડીઃ ૩૦. સં. ૧૭૭૦ના માત્ર સુ. ૧૩– આદરજમાં નેમિનાથ સકે.” સં. ૧૭૭૦ના માત્ર સુ. ૧૩– આદ્રજમાં “શાલિભદ્ર સલોકે.” સં. ૧૭૭૦ના માત્ર સુ૧૩– આદરજમાં “ભરત – બાહુબલી સલેક” સં. ૧૭૭૦મા – પાલિતાણામાં “શત્રુજ્યમંડન ભ૦ ઋષભદેવ સ્તવન” ઢાળઃ ૧૦ સં. ૧૭૭૦માં – ખેડામાં “ભટ્ટારક ભાવરત્નસૂરિ પરંપરારાસ” સં. ૧૭૭૨ના ભાદરવા સુ. ૧૩ ને બુધવારે – અમદાવાદમાં સ્તવન વીશ.” સં. ૧૭૭૨ના ભાવ સુ. ૧૩ ને બુધવારે– અમદાવાદમાં ઢઢણમુનિની સઝાય.” સં. ૧૭૭ન્ના ભાટ સુ. ૧૫– પાટણમાં “ભાભા પાર્શ્વનાથ સ્તવન.” સં. ૧૭૮૨માં – અમદાવાદમાં “રાજાસૂર્યયશા (ભરતપુત્ર) રાસ. સં. ૧૭૮રના મા સુત્ર ૧૫ ને બુધવાર– અમદાવાદમાં “વરદત્ત – ગુણમંજરી રાસ. સં. ૧૭૮૨ના આ૦ સુ૧૫ ને બુધવાર – અમદાવાદમાં ‘દામન્નકરાસ” અને “રાજા મહીપતિ મંત્રી મતિસાગર રાસ.” સં. ૧૭૮૫ના ભાવ વવ ૫ ને ગુરુવાર – ભાલેજમાં “સુદર્શન શેઠનો રાસ.” સં. ૧૭૯૦માં – “ગંધારખંડન મહાવીર સ્તવન” Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સં. ૧૭૯૫ના જેઠ સુત્ર ૮ – હરિયાળા (ખેડા) ગામમાં “વિમલ મહેતાને સલોકે. સં. ૧૭૯૫ના શ્રા.સુ. ૧૫ને સેમવાર–ઉનાવામાં નેમિનાથ રાજીમતી – બારમાસા.” સં. ૧૭ના ચૈત્ર સુર ૯ ને ગુરુવાર – ઉમરેઠમાં “હરિવંશ રાસ -(રાસ રત્નાકર).” સં. ૧૭૯૯ના ચૈત્ર સુ. ૧૦ – મિયાગામમાં “પંહર્ષરત્નગણું સક્ઝાય” કડી : ૯૨, (– શેઠ નગીનદાસ મંછુભાઈ જૈન સાહિત્યવ્હાર ફંડ સૂરત તરફથી પ્રકાશિત “શ્રી જૈન ગુર્જર સાહિત્યરત્ન” ભા. ૧, પૃ. ૨૭૨ થી ૨૮૬, શ્રી. દલસિંહ લેઢા – “પ્રાગ્રાટ ઈતિહાસ ખંડઃ ૩, પૃ. ૩૫૦ થી ૩પ૨). નૈધ – નિયા શ ૧ એમ વિવિધ વન, આ ઉપરાંત તેમણે છૂટક રાસ, પ્રભાતિયાં, શત્રુંજયતીર્થનાં રતવન, સ્તવનચાવીશી, છૂટક સ્તવ, છંદો, મૌન એકાદશી સક્ઝાય, છૂટક સક્ઝાયો એમ વિવિધ પ્રકારનું સાહિત્ય રચ્યું છે. તેમણે સં. ૧૭૯૦માં ખંભાત, જંબુસરના જૈન સંઘની સાથે યાત્રા કરી. “ગંધારખંડન મહાવીર રતવન” અને “જગવલ્લભ સ્તવન રચ્યાં. તેમણે “સ્તવન રોવીશી માટે ભાગે તે યુગમાં ગવાતી ગરબીએના રાગમાં બનાવી હતી. તેમનાં રાસે, રતવનો, સઝા વગેરે સુંદર, બોધક, ભાવવાહી અને લોકપ્રિય છે. તેમની રચનામાં નવે રસ હૂબહુ ઉપસેલા મળે છે. આથી તેમની રચનામાં વાસ્તવિકતા તરવરે છે અને લોકપ્રિયતા બની રહે છે. જેમકે – Page #76 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [૩૫ “ભણશાલી કપૂરે ભલી પરે, સંઘની સાનીધ કીધી, કાઠી લોકોને લાગે કરડે, સખર શાબાશી લીધી.' (– સં. ૧૭૭૦ “સિદ્ધાચલમંડન ઋષભદેવ સ્તવન' ઢાળઃ ૯). ચાલ ચાલ રે કુંવર ચાલ, તારી ચાલ ગમે રે. તારી0 તુજ દીઠડા વિના મીઠડા મારા પ્રાણ ભમે રે. માત્ર ચા૧ ખેળા માંહી પડતું મૂકે, રીસે દમે રે, રીસે માવડી વિના આવડ ખંધું; કાણુ ખમેરે. ખુ. મા. ૨” – ભ૦ પાર્શ્વનાથનું સ્તવન) “આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે, જલને જેગ જે નવી મળે, તો પાસેનું પરજાળે. કડવાં ફળ છે કોધનાં” (— ક્રોધની સજઝાય) “સૂકાં લાકડાં સારીખે, દુઃખદાયી એ ખોટે રે, ઉદયરત્ન કહે માનને, દેજે દેશવટે રે.” પ. (– માનની સજઝાય) મુખ મીઠે જૂઠે મનેજી, ફૂડ કપટને રે કેટ; જીભે તો જી જી કરે છે, ચિત્તમાં તાકે ચાટ રે, પ્રાણી મ કરીશ માયા લગાર. ૨. “આપ ગરજે આઘે પડેછે, પણ ન ધરે વિશ્વાસ; મન શું રાખે આંતરોજી, એ માયાને પાસરે. પ્રાણું..” ૩ (માયાની સઝાય) “તે તે દામ તણા લોભે કરી, ઉપર મણિધર થાયે મરી. તમે ” ૫ (– લેભની સજઝાય) “વહાલાં તે વહાલાં શું કરે, વહાલાં વળાવી વળશે, વહાલાં તે વનકેરાં લાકડાં, તે તે સાથે જ બળશે. એક રે દિવસ એવો આવશે.” (વૈરાગ્ય સજઝાય) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] જૈન પરંપરાના ઇતિહાસ “ એક ઊઠતી આળસ મરડે, ખીજ ઊંઘે બેઠી, નદીઓ માંથી કાઈ નિસરતી, જઈ દરિયામાં પેઠી. ” આજ૦૧૦ [ પ્રકરણ (– માન એકાદશી સજ્ઝાય, કડી ૧૨) - ૬૫ મહા૦ ઉદયરત્નગણી ૬૬ ઉપા૦ ઉત્તમરત્નગણી. ૬૭ ઉપા૦ જિનરત્નગણી, ૬૮ ઉપા॰ ક્ષમારત્નગણી. ૬૯ ઉપા૦ રાજરત્નગણી – સ૦ ૧૬૯૩માં થયા. તપાગચ્છના ૫૩મા ભટ્ટા॰ લક્ષ્મીસાગરસૂરિની વાચક પરંપરામાં મહા ચંદ્રરત્નગણી ( સ′૦ ૧૬૯૩ )ના વિદ્યા શિષ્ય ૬૧મા ઉપા૦ રાજરત્નગણી થયા હતા. (પ્રક૦૫૩, પૃ૦ ૫૪૩) તેમણે ‘નવ તિથિએ અને સાતવારની સજ્ઝાય ’ રચી છે. ૭૦ ઉપા॰ અનેાષચંદ્રગણી ૭૧ ઉપા॰ તેજરત્નગણી ૭૨ ઉપા॰ ગુણરત્નગણી – તેઓ શાંત, મળતાવડા, ખુશમિજાજ વૈદ્યકમાં નિષ્ણાત, પરગજુ અને જૈનધર્મીમાં અત્યંત રાગી હતા. સાધુ-સાધ્વીઓ પ્રત્યે પૂજ્યબુદ્ધિ ધરાવતા હતા. તેમનુ ખાળેલામાં સ્વગમન થયું. Page #78 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજયદાનસૂરિ શિષ્યપરપરા ( પરિવાર ) આ॰ વિજયદાનસૂરિએ વિદ્વાન શિષ્યપરિવાર આપ્યા છે તે આ પ્રમાણે છે આણુંă વિમલસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા અને ૫૦ સંઘહષ ગણીના દીક્ષા– શિષ્ય હતા. તેમણે આશરે સં૦ ૧૫૮૦માં ‘વિક્રમરાસ રચ્યા છે. > ૫૮ ૫૦ રત્નસિ’હુગણી — તેમણે સં૰૧૫૮૭ થી ૧૬૨૨ના ગાળામાં (૧) • નમિભક્તામર – પ્રાણપ્રિયકાવ્ય’ શ્લા ૪૫ અને ‘ પાર્શ્વ કલ્યાણમદિર ’ સ્તાન્ન રચ્યાં છે. ૬૮ શ્રી (( - સંભવ છે કે તેમણે જ સાત અવાળું અનેવુ ” સ્નેાત્ર તેમજ સં૦ ૧૬૧૯માં અર્થ વાળું શ્રી વમાન જિનસ્તાત્ર” રચ્યું હાય. નામિત છ (૧) ૫૭ ૫૦ ધ સિ‘હુગણી — તેઓશ્રી -- (પ્રક૦ ૪૩, પૃ૦ ૭૪૯ ‘અનેકાસાહિત્ય ’ પ્રક૦ ૫૫, પૃ૦ ૫૧૦, ૫૫૩) પ૯ ૫ં પ્રીતિવિમલગણી – (૨) ૫૭ ભટ્ટા૰ વિજયદાનસૂરિ ૫૮ ઉપા॰ શ્રીકરણગણી – તેમનું બીજું નામ ઊપા॰ શ્રી કરણકુશલગણી પણ મળે છે. વાસ્તવમાં ભટ્ટા॰ હેવિમલસૂરિની પરંપરાના કુશલશાખાના મા॰ હાષિગણીની શિષ્ય હતા. અને ભટ્ટા॰ વિષયજ્ઞાનસૂરિના ઉપાધ્યાય હતા. પરંપરાના ૫૦...ની સંવેગી, ત્યાગી અને વિદ્વાન હતા. તેમણે ‘સમય ગાયમ મ કર પ્રમાદ” વાળી • ગૌતમસ્વામી સજ્ઝાય ’ છે, જે લેાકપ્રિય છે. ૫૯ ઋષિ જગમાલ -તેએ પ્રથમ ઉગ્ર સ્વભાવી હતા. તેમણે સ૦ ૧૬૩૦ માં મેરસદમાં પેટલાદના હાકેમને સમજાવી - Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૮] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ પિતાની “ગ્રંથપોથી” લેવા આ હીરવિજયસૂરિને કષ્ટમાં નાખ્યા હતા. તે પછી તેમણે માફી માગી આ૦ હીર વિજયસૂરિની આજ્ઞામાં આવી ભળ્યા હતા. ઊંઝાના વૃદ્ધો કહે છે કે – આ હીરવિજયસૂરિ સં. ૧૬૩૯માં ફતેપુરસિકીમાં બાદશાહ અકબરને મળ્યા હતા, ત્યારે ઋષિ જગમાલજી હારીજ થઈ તેમની સાથે જોડાઈને ફત્તેપુરનિકી ગયા હતા. તેઓ ચમત્કારી હતા. તેમની ગાદી ઉંઝા અને હારીજમાં હતી.” ૫૯ પં, તેજમાલજી – તેઓ ઉપા. શ્રીકરણના શિષ્ય હતા. તેમણે “જિનપ્રતિમા – પાઠ ગર્ભિત ભવ પાર્શ્વનાથ સ્તવન” રચ્યું છે. (– પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પુરવણું પૃ૧૫૧) નોંધ – તપાગચ્છની કુશળશાખા માટે જુઓ જન પરંપરાને ઇતિહાસ ભા. ૩ પ્રક૫૫, મહા. હાર્ષિગણીની ૧ થી પરંપરા (પૃ. ૭૭૦ થી ૮૦૮) (૩) પ૭ આ. વિજયદાનસૂરિ. ૫૮ શ્રી. વાસણ – તેમણે સં. ૧૭૯૭માં “આણંદવિમલસૂરિ રાસ” રચ્યો છે. પં. શુભવર્ધનગણી, પં. ઉદયવર્ધનગણું તેઓ તપાગચ્છના (૫૧) આ૦ જયચંદ્રસૂરિ, (૫૨) પં. જિનહર્ષગણ (૫૩) પં. સાધુવિજયગણ શિષ્ય (૫૪) પં. શુભવર્ધનગણ, (૫૫) પં. ઉદયવર્ધનગણી થયા. (– જૈન પરંપરાને ઇતિ. પ્રક. ૫૮, પ૯ તપાગચ્છ - નગવર્ધન શાખા) ૫૪ ૫૦ શુભવર્ધનગણ – તેમનું બીજું નામ શુભ વિજયગણી પણ મળે છે. તેઓ મહ૦ ગજસાગરગણુના વિદ્યાશિષ્ય પં. ભાવવર્ધનગણું (ભાવ હર્ષગણું)ના વિદ્યાશિષ્ય હતા. તેઓ સં. ૧૬૦૪ના જેઠ સુદિ ૮ ના રોજ ભવ્ય વિજયદાનસૂરિના શાસનકાળ સુધી વિદ્યમાન હતા. તેમણે સં૧૫૫રમાં પપમા ભટ્ટાહેમવિમલસૂરિના રાજ્યમાં ઋષિમંડલવૃત્તિ” અને “દશશ્રાવક ચરિત્ર” રચાં છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ ૩૯ પપ પં. ઉદયવર્ધનગણી. પ૬ ૫૦ સૌભાગ્યવર્ધનગણી. શીખવેશમાઢા-પુષિા – "सवत १६०९ वर्षे वैशाख बधवारे श्री गूज रसत्काहीशानक - नगरतटलिखित । प्रारभ्य श्री अमहिलबाटकाह्वयश्रीपत्त वगच्छा० श्रीश्री વિશ્વ૮ના પ્રારા સારવા-fiાસ્ટિવન-વિવાવા વારે-વા–ાત્રાજૂ-નાળારિપુ મુન્ના (ન્નારા) રુદિયાત્રામस्ताने श्रीबालीलाजि श्रीतेजमालाख्य भूपतौ विजयराज्ये तपागच्छाधिराज श्रीविजयदानसूरि शिरोमणा तत्रावसरे नारदीपुरीनगरे पादावधारिते आधारमहास्थाने चतुर्मासीकृत्य पण्डितश्रीउदयवर्घन वैशाखयदि ७ दिने संपूर्ण एतावन्त विहार कुर्वाणः १०५ गव्यूतપ્રHI: છેતુ શ્રીલંવાર ” (- શ્રી પ્રશસ્તિસંહ ભા. ૨, પ્ર.નં૪૦૩ પિપુકા) “શીલે દેશમાલા ની ભાવાર્થ =” તેમણે સં. ૧૬૦૮ના ફા૦ સુત્ર ૩ મહેસાણાથી વિહાર કરી ગુજરાત પાટણ, વીસનગર, મગરવાડા, નાંદોત્રા વગેરે તથા માલવણ આદિ તથા સિરોહી નાંદિયાતીર્થ, વીરવાડા આદિ તથા સીવેરા, માલસુ, નાણુ, મુચ્ચા, લહિડા, રાજા તેજમાલનું બાલી પરગણું થઈ નાડોલ, નાડલાઈમાં ભટ્ટાવિજયદાનસૂરિને વંદન કરી ૧૦૭ ગાઉના વિહાર કરી આહડ મહાનગર જઈ ત્યાં સં. ૧૬૦૦નું ચાતુર્માસ કર્યું. પછી વિહાર કરી સં૧૬૦૯ના વૈ૦ વ. ૭ ના રોજ મહેસાણા આવી સ્થિરતા કરી.” તેમણે આ રીતે સં. ૧૬૦૭ના વિહારમાં (જવા-આવવામાં) શીલપદેશમાલા” લખી. (– શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, પૃ. ૪૦૩ પ્રક. ૫૭, પૃહ ૨૪૯ છે.) (૫૭) ઉપાટ કુશલવર્ધનગણું –(સં. ૧૯૫૮ થી સં. ૧૭૧૧) ( – પ્રક. ૫૮-૫૯ નગવર્ધન શાખા) (૫૭) પં. કમલવિજયગણું –(સં. ૧૬૧૦ થી ૧૬૬૧) Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૦] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ (૫૮) પં. શ્રીવિજયગણી. (૫૯) પં. રત્નવિજયગણ – સં. ૧૬૪૪ના ભાદરવા સુદિ પાંચમ ને શુક્રવારે “પ્રિયંકર નૃપકથા” લખી. (– શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨; પ્ર. નં. ૫૩૯, ૫૦ ૧૩૯) (૪) (૫૭) આ. વિજયદાનસૂરિ (૫૮) પં. જયહર્ષગણી. (૫૯) મુનિ પદ્ધવિજય નેંધ – હંસશાખામાં (૧) પં. વિવેકહંસ, (૨) પં. વિચાર હંસ, (૩) પં. બુદ્ધિહંસ, (૫૭) આ. વિજયદાનસૂરિ (૫) (૫૮) પં. વેલામુનિ – બીજું નામ મનસત્ય. તે સં૦ ૧૬૨૨ માં વિદ્યમાન હતા. (૫૭) આ. વિજ્યદાનસૂરિ (૬) (૫૮) પં. સાંગાણું. (૫૯) પં. હમીરગણી. (૬૦) મુનિ માણેકવિજ્ય સં. ૧૬૫૩ મહાહડાગરછમાં (૧૬) આ૦ કમલપ્રભસૂરિ સં. ૧૫૨૦ (૧૭) આ૦ ગુણકીર્તિસૂરિ (૧૮) આ ધર્મપ્રભસૂરિ સં. ૧૫ર૦ (૧૮) આ દયાનંદસૂરિ (૧૯) આ૦ ભાવચંદ્રસૂરિ (૨૦) આ૦ કર્મસાગરસૂરિ ૫૦ મનકચંદ્ર, (૨૧) આ૦ જ્ઞાનસાગરસૂરિ થયા. (– પ્રક. ૩૭, પૃ. ૬૮) સમકાલીન ગ્રંથકારો નાગેન્દ્રના ભટ્ટા, ગુણસાગરસૂરિ સં. ૧૫૨૨ સુધી વિદ્યમાન હતા. તેમની પાટે સં. ૧૫૧૨માં આ૦ ગુણભદ્ર થયા. (પ્રક. ૩૫, ૫૦ ૯) Page #82 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૪૧ ૦ બ્રહ્માણગચ્છના ભટ્ટાગુણસાગરસૂરિ અને પં. નયકુંજર ગણી સં. ૧૬૧૦ના ફાવ૫ ને શુક્રવારે મોહન ગામમાં હતા. ( – શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ર, પ્ર. નં. ૪૦૮ ) 0 પિપલક ગછના આ ધર્મસાગરસૂરિ રાજમાન્ય હતા. તેમની પાટે આ૦ ધર્મવલ્લભસૂરિ થયા. ૦ પુનમિયા ગચ્છમાં આ૦ મુનિચંદ્રના પટ્ટધર આ૦ વિદ્યારતન, આ૦ વિનયચંદ્રસૂરિ સં. ૧૫૯૮માં હતા. ( – પ્રક. ૪૦, પૃ. ૫૦૩) ૦ ખરતર ગરછના પપમા આ૦ જિનમાણિજ્યસૂરિ સં. ૧૬૧૨ ના અ૦ સુત્ર ૫ ના રોજ થલી પ્રદેશમાં રવર્ગે ગયા. તેમણે પોતાના શિષ્યોને ક્રિોદ્ધાર માટે તૈયાર કર્યા. તેમના પરિવારના ઉપાસાધુરંગગણીએ સં. ૧૨૯૯માં “સૂયગડાંગસુત્તદીપિકા' (ચં. ૧૩૪૧૬) રચી, તથા ઉપા. રત્નાકરગણીએ સં. ૧૬૧૦ ના શ્રાવના દિવસે “જીવવિચાર ”ની પ્રાકૃતવૃત્તિના આધારે સંસ્કૃત ટીકા રચી. ખરતર ગરછના પદમા પટ્ટધર આ૦ જિનચંદ્રસૂરિ સં. ૧૬૧૨ ના ભાવ સુ૦ ૯ ના રોજ જેસલમેરમાં આચાર્ય થયા. તેમણે તથા ઉપાતિલકગણ વગેરેએ સં. ૧૬૧૩ના ચ૦ સુ ૭ ના રોજ ક્રિોદ્ધાર કર્યો. (– પ્રક. ૪૦, પૃ. ૪૮ ૦, ૪૮૧) ૦ અંચલગચ્છના પદમાં આ૦ ગુણનિધાનસૂરિ સં. ૧૬૦૨માં અમદાવાદમાં સ્વર્ગે ગયા. તેમના પટ્ટધર પ૭મ ધર્મમૂર્તિસૂરિ સં. ૧૬૦૨માં અમદાવાદમાં આચાર્ય થયા. તેમણે સંમેતશિખર તીર્થની ત્રણ વાર યાત્રા કરી. તેમણે સં. ૧૬૧૭માં આ૦ મેરૂતુંગસૂરિએ રચેલી અંચલગચ્છની પટ્ટાવલીમાં વધારાનો ઈતિહાસ જે “અનુપૂતિ કરી. ( – પ્રક૭ ૪૦, પૃ. ૫૩૨) Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૨] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ૦ આગમિકગચ્છના આ વિવેકરનસૂરિના ઉપદેશથી ગંધારના વ્ય પર્વત-કાન્હાએ જૈન સિદ્ધાંતગ્રંથો લખાવ્યા. ( – પ્રક. ૪૦, પૃ. ૫૪૩) તેમની પાટે આ૦ સંયમરન થયા. તેમના સમયમાં આગામિક ગચ્છની લઘુશાખામાં આ૦ ધર્મરત્નસૂરિ થયા. તેમના શિષ્ય પં. જયસુંદરે ગ્રંથ લખાવ્યા. (–પ્રક૪૦, પૃ. ૫૪૩) ૦ પાયચંદગચ્છના આ પાર્ધચંદ્રસૂરિએ ઘણું ગ્રંથ રચ્યા છે. સં. ૧૬૧૨માં જોધપુરમાં તેઓ સ્વર્ગસ્થ થયા. ( – પ્રક. ૪૦, ૫૦ ૫૯૫) ૦ આ૦ શ્રી. કંઠસૂરિ : વડોદરાના વૈદ્ય દુર્ગાશંકર અંબાશંકર દલસુખરામે પ્રકાશિત કરેલ જૈન પંડિતવર્ય શ્રી. કંઠસૂરિ વિરચિત મૂળ વૈદ્યકનો ગ્રંથ “હિતોપદેશ” નામે સંસ્કૃત પદ્યમાં ર છે. તેનું વિદ્યરાજ છેટાલાલ નરભેરામે ગુજરાતી ભાષાંતર વિ. સં. ૧૮૫૪ (ઈ. સ. ૧૮૨૭)માં વડોદરાના લક્ષમીવિલાસ પ્રેસ તથા નૂતનવિલાસ પ્રેસમાં છપાવી પ્રકાશિત કર્યું છે. પ્રકાશક તેની પ્રસ્તાવિનામાં લખે છે – આ વિદ્યાના સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથ છે. પણ તે સર્વ કોઈને સમજવા જેવા સુલભ નથી. વળી, તેમાં બતાવેલ ઉપચારમાંથી પણ ઘણું ઉપચારે એવા છે કે વિદ્યની મદદ વિના રોગી તેને ઉપગ કરી શકે નહીં. એવા હેતુથી અમે શ્રી કંઠસૂરિ જન વિદ્વાન વૈદ્યના રચેલા આ “હિતોપદેશ” નામે ગ્રંથનું ભાષાંતર કરાવી પ્રગટ કર્યો છે. જને પંડિતાએ વિદ્યા, જ્યોતિષ વગેરે વિષયોમાં અનેક ગ્રંથ ચેલા છે, પણ પઠન-પાઠનના અભાવે તે ગ્રંથમાંથી ઘણું દુર્મિલ (દુર્લભ) થયા છે. અમારા પિતામહ શ્રી. દલસુખરામ વૈદ્ય, જેઓ તે સમયે વડોદરામાં પ્રખ્યાત વિદ્વાન હતા અને જેમનો શ્રીમંત મહારાજા ખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી સારો સત્કાર થતો હતો. WWW.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ તેમની પાસે કેટલાક જૈન પંડિત વૈદ્યકવિદ્યાને અભ્યાસ કરતા હતા. તેમના પુરતકસંગ્રહમાંથી આ ગ્રંથ મને ઉપલબ્ધ થયે. અને તે કેટલાક વિદ્વાન વિદ્યોને બતાવતાં ઘણે ઉપયુક્ત છે એ તેમણે અભિપ્રાય આપ્યો. મારા કેટલાક વિદ્વાન મિત્રએ તે છપાવી પ્રસિદ્ધ કરવા મને આગ્રહ કર્યો. આ ઉપરથી વાગભટ્ટ તથા હારીતસંહિતા વગેરે વૈદ્યકના મોટા ગ્રંથના પ્રસિદ્ધ ભાષાંતરકાર રાવ છોટાલાલ નરભેરામને આ ગ્રંથની અસલ પ્રત આપી, તેનું ગુજરાતી ભાષાંતર કરવા વિનંતી કરી, જે તેમણે સ્વીકારી અને આ ગ્રંથ હું આજ તેના ગ્રાહકોના હાથમાં આપવાને શક્તિમાન થ. આ ગ્રંથમાં બધા મળીને દશ સમુદેશ છે. વર વગેરે અને કેટલાક રોગોનાં સંક્ષિપ્ત લક્ષણે તથા વિસ્તારથી પ્રતીકાર છે. તેમાંના બધા બધા જ ઉપાયે અનુભવસિદ્ધ હોય એમ લાગે છે; કેમકે આમાંના કેટલાક ઉપાયો અમે રોગીઓ ઉપર અજમાવી જોયા તો રામબાણ નીવડ્યા છે. કેટલાક સામાન્ય વાળો, રાંઝણ, વગેરે રોગના ઉપાયે, જે વૈદ્યકના મોટા ગ્રંથોમાંથી મળી આવતા નથી તે પણ આમાં બતાવેલા છે. “વિશેષ ખૂબી એમાં એ છે કે, રોગના ઉપાય સહજ બની શકે એવા જ એમાં બતાવેલા છે, જેથી હરકોઈ માણસ હરકોઈ સ્થળમાં જોઈતાં ઔષધ મેળવી રોગનો પ્રતીકાર કરી શકે. તથાપિ અમારી સલાહ એવી છે કે, બનતા સુધી વિદ્યની સલાહ લઈ ઉપાય કરવા એ જ ઠીક છે.” “લખેલી અસલ સંસ્કૃત પ્રત ઘણી જૂની તથા અશુદ્ધ લખાયેલી હોવાને લીધે ભાષાંતર કરતાં મુદત બહુ વિતી છે. તે બાબત અમે અમારા અગાઉથી થયેલા ગ્રાહકોની ક્ષમા યાચીએ છીએ.” આ પ્રકાશિત ગ્રંથ અમદાવાદના બાલાભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ગ્રંથાલયમાં નં. ૧૮૮, નં. ૧૬૩માં છે. ગ્રંથનું નામ છે “વેદ્યસાર સંગ્રહ હિતોપદેશ”. કર્તાનું નામ છે આ. શ્રી કંઠસૂરિ. આ ગ્રંથમાં ૧૦ સમુદેશ છે. અનુષ્ય, વગેરે વિવિધ વૃત્તોમાં શ્લોક ૯૭૫ છે. ગ્રં ૧૦૦૦ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ४४ ] જૈન પર પરાના ઇતિહાસ [४२] ગ્રંથકાર પેાતાના પરિચય નીચે પ્રમાણેના શબ્દોમાં આપે છે - "जत्वा मुनीनामृषभ' दयालु तीर्थङ्कर श्रीवृषभ गुणाढयम् । हिताय रुग्मिः परिपीडितानां हितोपदेश कथयामि किञ्चित् ॥ १ शिवाकान्त शरीरस्य स्थानान्येषां निरीक्षयेत् । नाडीं मूत्र मल जिहवां शब्दः स्पर्शः स्वरूपकम् ॥ २ ( समुद्देश, १, ५०१ ) इति श्रीपरम जैनाचार्य श्रीकण्ठविरचिते वैद्यक सारसंग्रहे हितोप - देशनाम्नि नाडी- नेत्र - मुख-जिह्वा परीक्षा प्रथमः समुद्देशः ॥ ( समु० १, ५० ३१ ) एनांसि रोगा वपुषस्तमांसि यद्दर्शनाद् दूरत एवं यान्ति । वन्दे तमेकं जगतामधीशं तेजोमय सूरमदूरविश्वम् || ( - समुद्र ८, २०१, ५० १५८ ) माहिष नवनीत सिन्दूर' मरिचान्वितम् । पामां हन्ति प्रलेपेन पाप वीरो यथा स्मृतः ॥ ( समु० ८, से 1० ४७, ५० १६६ ) इति परमजैनाचार्य श्रीउमास्वातिवाचक शिष्य श्रीकण्ठ विरचिते हितोपदेशनाम्नि कुष्ठ-पामा - सिध्म - वातरोग प्रतिकारो नवमः समुद्देशः ॥ (- सभु० ८, ५० १७५ ) ग्रंथसमाप्ति मुक्ताफलेरिव घनैः शुचिमिः सुवृत्ते - रापूरिता विमलकाव्यगुणैश्च युक्ता । श्री कण्ठपण्डित तर्बु धकण्ठधराऽस्तु मुक्तावलीयतु सतां रुचिरा चिराय || २२ इति परमजैनाचार्य श्रीकण्ठविरचिते उमास्वातिशिष्य शोधिते हितोपदेशनाम्नि बाल - स्त्रीरोग - शस्त्रघात - नाडीविसर्प - कण्डू www.jainélibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભકારક વિજયદાનસૂરિ [ ૪૫ दश्रु-रक्त - पित्ता - पीमार - पाण्डुरोगवह्निना दीपनवह्नि - दाघ श्वत - पित्त - सर्पविष - कन्दविष - वृश्चिक विषप्रतीकारनामा રામ: સમુદરાઃ | (– સમુદ્દેશ ૧૦, પૃ૦ ૧૯૬) આમાં આ૦ શ્રીકંઠનું નામ મળે છે. તેમને ઉમારવાતિ વાચકના શિષ્ય અને સમકાલીન બતાવ્યા છે એ વિચારણીય છે. કેમકે વાવ ઉમાસ્વાતિના શિષ્ય બાબત તેમ જ શ્રી. કંઠસૂરિ બાબત આ ગ્રંથ સિવાયનો બીજે કઈ વ્યવસ્થિત આધાર મળતો નથી. આમાં જે સમુદેશ શબ્દ વપરાયે છે તે જૈન પરિભાષાનો શબ્દ છે અને ભ૦ કષભદેવ તથા ભ૦ મહાવીરસ્વામીને વંદન કર્યું છે. તે ગ્રંથકાર ન હોવાનું પુરવાર કરે છે. સૂર્યને નમસ્કાર કરવાનું બતાવ્યું છે તે વ્યવહારસમેત વરતુ છે. ઉમાસ્વાતિને વાચક બતાવ્યા છે તેથી ગ્રંથકાર વેતાંબર હોવાનો સંભવ છે. પ્રકાશકે આ ગ્રંથની ઉપલબ્ધ પ્રતિને જૂની અને અશુદ્ધ બતાવી છે, તે સંભવ છે કે જૈન યતિઓના હાથે લખાતી પડિમાત્રા કે મરોડદાર લિપિમાં તે લખાઈ હોય. આવી લિપિમાં 8, 9 અને થી ને ઓળખવામાં ઘણું મુશ્કેલી પડે છે. અમને તો એમ લાગે છે કે આ ગ્રંથકારનું મૂળ નામ (૧) શ્રી. કંઠસૂરિ, (૨) શ્રી. કૃષ્ણસૂરિ, અથવા (૩) શ્રી. કક્કસૂરિ હાય. આ વિષયના ગ્રંથ માટે ભાગે વિકમની તેરમી સદી પછી બન્યા છે તે આ ગ્રંથકાર પણ વિકમની બારમી – તેરમી સદી પછી થયા હોય અને જે તે વાત સાચી હોય તો – (૧) શ્રી. કંઠસૂરિ – છેલ્લી સદીઓમાં આ નામના હોવાને આ રીતે ઉલ્લેખ મળતો નથી. (૨) આ. કૃષ્ણસૂરિકૃષ્ણર્ષિગચ્છ વગેરેમાં આ નામના ઘણા આચાર્યો થયા છે. ( – પ્રક. ૩૨, પૃ. પર૦) Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] જૈન પર’પરાનેા ઇતિહાસ [ પ્રકરણ - (૩) આ૦ કક્કસૂરિ – ઉપકેશગચ્છની કારટ શાખામાં તેમ જ દ્વિવ દનિક શાખામાં આ નામના ઘણા આચાર્યો થયા હતા. (પ્રક૦ ૧, પૃ૦ ૩૬, ૩૭) તેમાંના છેલ્લા ભટ્ટા॰ દેવગુપ્તસૂરિ અને ભટ્ટા॰ કક્કસૂરિ વિક્રમની સેાળમી સદીમાં થયા હતા, જે વિદ્વાનૢ વિજ્ઞાનમાં, કળામાં સમ અને યંત્ર–કલામાં નિષ્ણાત તથા બાદશાહેાને પણ માનીતા હતા. ભટ્ટા॰ કક્કસૂરિનું ખીજું નામ ભટ્ટા રાજવલ્લભસૂરિ તથા ભટ્ટા॰ રાજવિજયસૂરિ પણ મળે છે. ( પ્રક॰ ૧, ૦૩૭, પ્રક૦ ૫૭ તપાગચ્છરન શાખા) સાધ્વીસ ધ —— આ સમયે અને તે પછીના કાળની ગ્રંથપ્રશસ્તિઓ-પુષ્પિકાએમાં સાધ્વીઓનાં ઘણાં નામેા મળે છે. તે આ પ્રમાણે— ૦ સં૦ ૧૬૧ના વૈજુ૦૧૩ના રાજ હંસાતપુરમાં ૫૦ અમરવજયગણીએ પૂર્વ આ॰ શ્રી. વિજયઋદ્ધિગણીની શિષ્યાને ભણવા માટે ‘વાગ્ભટાલ કાર’ પરિ૦ ૪ લખાવ્યા. ( – શ્રી. પ્રશસ્તિસંગ્રહ, ભા॰ ૨, પ્ર૦ ન-૪૩૫ ) ૦ અચલગચ્છના ૫૭ મા ભટ્ટા॰ ધ મૂતિના મહે।૦ પુણ્યલક્ષ્મીગણીના શિષ્ય ઉપા॰ ભાનુગિણીની શિષ્યા સાધ્વી શ્રી. ચંદ્રલક્ષ્મીની શિષ્યા સાધ્વી પ્રતાપશ્રીએ ધારીને ભણાવવા માટે ‘જ્ઞાનપંચમીકથા’ લખાવી. ( -શ્રી. પ્રસ્તિસંગ્રહ, ભા-૨, પૃ॰ ન. ૪૩૭) • આગમિક ગચ્છની લઘુશાખાના આ ધરત્નસૂરિના શિષ્ય પં॰ જયસુંદરગણીએ પ્રતિની સાધ્વી હેમશ્રીની શિષ્યા સાધ્વી હિમાશ્રી માટે સં૦ ૧૬૪ના આસા સુદિ ૩ ને રાજ ગ્રંથ લખાવ્યા. ( શ્રી પ્રશસ્તિસ ંગ્રડ ભા. ૨, પૃ॰ ન. ૪૨૩, ૬૩૩, પ્ર૦ ૪૦, પૃ ૫૪૩) Page #88 -------------------------------------------------------------------------- ________________ : સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૪૭ ૦ તપાગચ્છના પ૭મા ભટ્ટા॰ આ॰ વિજયદાનસૂરિના પર, તારન—શાખાના આદ્ય આ॰ ભટ્ટા॰ વિજયરાજસૂરિના શિષ્ય ૫૦ દેવવિજયગણીની શિષ્યા સાધ્વી સહજશ્રીજી માટે નુતાહિપુરી ( માળવા )માં સં૦ ૧૬૨ના આ૦ ૧૦ ૧૨ ને ગુરુવારે ‘રાયપસેણી સુત્ત ' લખાવ્યુ. ૦ તપાગચ્છના ૬૦મા આ વિજયદેવસૂરિના મહા લાવણ્યવિજય ગણીના શિષ્ય નિવિય ગણીએ સં૦ ૧૭૨૭ના દ્વિ વૈ॰ ૧૦ ૨ ને ભેામવારે સિરેાહીમાં ‘નવસ્મરણ”ના ટળેા લખાવ્યા. (શ્રી પ્રશસ્તિસગ્રહ ભા॰ ૨, પ્ર૦ નં. ૮૯૬) ૦ ૫૦ ભેાવિમલ ગણીના શિષ્ય ૫૦ મેવિમલગણીએ સ૦ ૧૭૯૬ના ૧૦ સુ૦ ૫ ને બુધવારે સુરતમાં શાગરીજી લક્ષ્મીશ્રીજીને ભણવા માટે ‘દંડક પ્રકરણ”ના ટખા લખ્યા. ( – શ્રી સૂÖપુરના સુવર્ણયુગ-પ્રસ્તાવના પૃ૦ ૮૨) પૂ. આ. શ્રી વિજ્યજ્ઞાનસૂરીશ્વર મ૦ ના સમયના પ્રભાવક જૈના, જૈનધમ પ્રેમીઆ • ખાદશાહ અહાદુરશાહ - તે ગુજરાતના છેલ્લા ખાદશાહ હતા. સ’૦ ૧૫૮૨ થી સ૦ ૧૫૯૩ (ઈ.સ. ૧૫૨૬ થી ૧૫૩૭). તે આદ્ય ઉપકેશની દ્વિવ‘નિકશાખાના ભટ્ટા॰ શ્રી દેવગુપ્તસૂરિ તથા તપાગચ્છની તપારત્નશાખાના આદ્ય ભટ્ટા॰ શ્રી વિજયરાજસૂરિના ભક્ત હતા. (પ્રક૦ ૪૪, પૃ૦ ૨૧) ૦ દોશી કર્માશાહ—તેમણે સં૦ ૧૫૮૭ના ચૈ૦ ૧૦ ૬ના રાજ શત્રુંજયતીના ૧૬ મા મોટા ઉદ્ધાર કરાવ્યા. (પ્રક૦ ૩૫, પૃ૦ ૨૦૪, પ્રક૦ ૪૪, પૃ૦ ૨૧૨૩) ૦ શેઠ ભેરાદાનજી રામજી -તે અલવરના માંડિવયેા વ્યાપારી હતા. આ વિજયહીરસૂરિના શ્રાવક હતા. તેણે મારવાડ, ―― ૧. ભટ્ટા૦ વિજયદાનસૂરિનાં બહેને સં. ૧૯૫૧માં દીક્ષા લાધી હતી, જેમનું નામ પણ સાધ્વી સહજશ્રી હતું. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રરણ ગુજરાત, અને મેવાડના બાહશાહ હુમાયુએ પકડી રાખેલા લાખા ખાનાને છેાડાવ્યા હતા. (– પ્રક૦ ૪૪, પૃ૦ ૫૩) બાદશાહ હેમૂ વિક્રમાદિત્ય — તે જોનપુરના રહીશ હતા. જૈન વિષ્ણુક હતા. બાદશાહ હુમાયુના દીવાન હતા. હેમૂ દિલ્હીના અકબરના હાકેમ તરાદે મેગખાનને હરાવી, તેને પંજાબ તરફે ભગાડી સ. ૧૬૧૧ના અષાડ વદ ૭ ના રોજ દિલ્હીની ગાદીએ બેઠા. તે પછી તે ૧ વર્ષ, ૫ મહિના અને ૨૩ દિવસ જીવીને મરણ પામ્યા. ખીજા પ્રમાણથી જણાય છે કે તે છ મહિના સુધી દિલ્હીના બાદશાહ બની શકયા; કેમકે બાદશાહ અકખરે વિ. સં. ૧૬૧૩ના ફાગણ વદિ ૨ ના દિવસે પાણીપતના મેદાનમાં હેમૂ વિક્રમાદિત્યને મારીને દિલ્હીના બાદશાહ બન્યા હતા. ( પ્રક૦ ૪૪, પૃ૦ ૫ થી ૬ ) સ'ગ્રામસિ'હ બછાવત - તે બીકાનેરના દીવાન હતા. ――― તેણે સ૦ ૧૫૮૩માં ખીકાનેરમાં ભગ॰ શ્રીનેમિનાથના જિનાલચની આ॰ શ્રી જિનમાણિકથસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્યશ્રીએ તેની વિનંતીથી પેાતાના યુનિર્ષારંવારને ક્રિયાદ્વાર કરવા ઉત્સાહિત કર્યા હતા. પરિણામે આ॰ શ્રી જિનચંદ્રસૂરિ તથા આ કનકતિલક વગેરેએ સ૦ ૧૯૧૩ના ચ૦ સુ૦ ૭ ના દિવસે બીકાનેરમાં ક્રિયાન્દ્રાર કર્યા હતા. - ( ~પ્રક૦ ૪૦, પૃ॰ ૪૯, ૫૧) મત્રી ગલરાજ મહેતે—તે અમદાવાદના વતની હતા. દિશાવાલ જ્ઞાતિના મંત્રી દોશી વણાઈગના પુત્ર હતા. તેને મગૂ નામે ન હતી અને વીરદાસ નામે પુત્ર હતા, જે મંત્રી બન્યા હતા. મંત્રી : ગલરાજ અમદાવાદના ૧૧ મા ખાદશાહ મહમ્મદ ( ચેાથેા ) સ′૦ ૧૫૯૪ થી ૧૬૧૦ના માનીતા મંત્રી હતા. બાદશાહે તેને Page #90 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [૪૮ મલિક નગદલનું બિરુદ આપ્યું હતું. એક મોટા વજીર લેખે તેના હાથ નીચે ૫૦૦ ઘેડેસ્વાર હબસીઓની સેના હતી. તેણે સં. ૧૬૫૮માં મહોધર્મસાગરને મોટું સામૈયું કરી પધરાવ્યા. મંત્રીએ તેમના પ્રવેશ-ઉત્સવમાં બે હજાર પ્રભાવના કરી હતી. તેમને અમદાવાદમાં ચાતુર્માસ કરાવી વ્યાખ્યાનમાં જુદી જુદી વસ્તુઓની પ્રભાવના કરાવી હતી, ત્યારે ત્યાં વ્યાખ્યાનમાં ૫૦૦ થી વધુ વ્યક્તિઓ આવતી હતી. (–પ્રક. પપ, પૃ. ૪૮ ) મંત્રી ગલરાજે ભટ્ટા, શ્રી વિજયદાનસૂરિના ઉપદેશથી સંતુ ૧૬૧૫-૨૦ માં બાદશાહને સમજાવી ૬ મહિના સુધી મુક્તાઘાટ કરાવ્યા હતા. એટલે રાજ્ય તરફનાં લાગત, જકાત, વેઠ, વેરો મુંડકાવેરો યાત્રાકર વગેરે માફ કરાવ્યા હતા. તેમણે ભારતમાં સવસ્થાને આમંત્રણ પત્રિકા મોકલી બધા જૈન સંદેને બેલાવી સંઘપતિ બની શ્રી શત્રુંજય તીર્થને છરી પાળતો. યાત્રાસંઘ કાઢયો હતો. શ્રી શત્રુંજયતીર્થને મેતીફૂલ અને અક્ષત વડે વધાવ્યો હતો અને સૌને યાત્રા કરાવી હતી. (- “તપાગચ્છપટ્ટાવળી” ગા. ૧૯ ની સંસ્કૃત ટીકા, “હીર સૌભાગ્ય કાવ્ય ' સર્ગ ૪, શ્લ૦ ૪૭ની ટીકા) મંત્રી ગલરાજે સં. ૧૯૨૦ના વૈ૦ સુ૫ને ગુરુવારે શ્રી શંત્રુજય તીર્થમાં ભ૦ આદીશ્વરની દેવકુલિકા બનાવી, તેની ભટ્ટા) શ્રીવિજ્યદાનસૂરિને હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. પાટણને વશે શેઠ શિવજી સં. ૧૬૧૮માં અમદાવાદમાં ચાતુર્માસમાં મહ૦ શ્રી ધર્મસાગરજીને વાંદવા આવ્યો હતો ત્યારે મંત્રી ગલરાજ અને શેઠ શિવજી ગાઢ મિત્ર બન્યા હતા. આ. શ્રી વિજયદાનસૂરિએ સં. ૧૬૧માં મહ૦ શ્રી ધર્મસાગર ગણના “કુમતિકુરાલ” ગ્રંથને અપ્રામાણિક જાહેર કર્યો હતો. પછી મહો. ધર્મસાગરજી ગણે અમદાવાદ પધાર્યા હતા ત્યારે મંત્રી ગલરાજ મહેતાએ તેમની નવી પ્રરૂપણાને ટેકો આપ્યો તેમ જ તેણે એ નવી પ્રરૂપણાના પક્ષકાર તરીકે ઉપાઠ રાજવિમલગણીવર Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ વગેરેને ત્રાસ આપ્યા. પરિણામે મહા ધર્મસાગરજી ગણી સઘ બહાર મુકાયા હતા. (પ્રકર ૫૫, પૃ॰ ૫૪) ગલા મહેતા પ્રભાવક જૈન હતા. પણ ઉપર જણાવ્યું તેમ તે ઘટનામાં પક્ષકાર બનવાથી તેની મહત્તા સદાયને માટે ઘટી ગઈ હતી. એ રાજમાન્ય હતા તેના પુરાવા રૂપે અમદાવાદમાં આજે પણ ગલા મનજીની પાળ વિદ્યમાન છે. (- પ્રક૦ ૫૯, પૃ૦ ૭૪, ૭૫) – 6 ૦૫૦ દેવીદાસ – તેણે સ. ૧૯૧૧ના આ॰ સુ૦ ૧૫ને રવિવારે રાધનપુરમાં ભગ॰ મહાવીરસ્વામીની કૃપાથી છ આરાના સ્વરૂપવાળુ –વીરસ્તવન ” ઢાળ ઃ ૫ કલશ ૧— અનાવ્યું છે તેમાં તે પેાતાના પરિચય આ રીતે આપે છે. ઢાળ : ૫ , ક્રમ હ` ધરીને સ્તથી વીર જિષ્ણુ ; રાધનપુરમડન પાય પ્રમે સુર-નર વૃંદ. મેં પુણ્ય સામે પામ્યા જિનવર પાય; મુજ પાપડલ સિવે દુષ્કૃત રે જાય. શ્રી તપગચ્છનાયક વિજયદાનસૂરીદ; તસ પાય પ્રણમીને સેવે સુર-નર વૃંદ તસ નામે મુજને ઢળિયા મુજ મિથ્યાત; સેવતા પામ્યા જિનધમ જગત વિખ્યાત. સવત સય સાલહ ગ્યારાત્તર (૧૧૧) માન; આસા સુદ પૂનમ રવિવાર શુભ ધ્યાન કળશ દ્વિજ ભણે દેવીદાસ સેવક સકલ સદ્ય મગલ કરો. ( એ. એમ. એન્ડ કુ. પાલિતાણા, વિ.સ. ૧૯૮૬ માં પ્રકાશિત • પ્રકરણાદિ વિચારગર્ભિત-સ્તવન-સજઝાય સંગ્રહ ' ) ૦ આ૦ વિજયદાનસૂરિની પરપરાના (૫૮) આ॰ વિજયાનંદસૂરિની પરંપરાના ૬૬મા આ૦ વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય ૬૭મા Page #92 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [૫૧ વિજયલક્ષ્મી સૂરિએ વિ. સં. ૧૯૨૭ના સુદિ ૮ ના દિવસે શ્રી ઋષભ, શ્રી અજિત, શ્રી સંભવ, શ્રી અભિનંદન, શ્રી સુમતિ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમિ, શ્રી નેમિ, શ્રી પાર્શ્વ ૧૦ તીર્થકરોનાં ૧૧ કલ્યાણકના દિવસે એટલે ૩૦ વીશીના કલ્યાણક દિવસે “જ્ઞાનદર્શન-ચરિત્ર સંવાદ ગર્ભિત–વીર જીતેંદ્રરતવન” ઢાળઃ ૮ રચ્યું. તે તેના કળશમાં લખે છે કે— એમ વીર જિનવર પ્રમુખ કેરા, અઢી લાખ ઉદાર એ. જિનબિંબ સ્થાપી સુજસ લીધો, દાનસૂરિ સુખકાર એ; તસ પાટપરંપર તપાગ છે, સૌભાગ્યસૂરિ ગણધાર, તાસ શિધ્ય લક્ષ્મી સૂરિ પભણે. સંઘને જય જયકાર એ ૧” ૦ ૫૭મા આ૦ હીરરત્નસૂરિના આજ્ઞાધારી ઉદયરત્ન સં. ૧૭૬ન્ના શ્રાસુ૭ને મંગળવારે ૧માં “સુવિધિનાથ સ્તવન ગાથા૩૦ રચ્યું છે. ૦ સંઘપતિ સહજપાલ – તે માટે પુણ્યશાળી હતો. તેમના પુત્ર સં. કુંઅરજી તેમના પુત્ર સં. વિમલદાસ તે શા. દેધર શ્રીમાલીના વંશના હતા. આ. વિજયદાનસૂરિ, આ. વિજયહીરસૂરિ અને મહો. ધર્મ, સાગરજી ગણીના ભક્તો હતા. (- પ્રક. ૪૫, પૃ. ૩૪૪) (૧) સં કુંઅરજી શ્રીમાલી–સં. ૧૨૧૦ (પ્ર. ૪૫, પૃ. ૩૪૪) (૨) સેની આભૂ ઓસવાલના વંશનો સં. કુંઅરજી તે શા. વાછિયા અને ભા. પદ્માને ના પુત્ર હતો. તેણે સં. ૧૬પ૦માં શ્રી શત્રુંજય ઉપર જિનાલય બંધાવ્યું. (— વિશેષ માટે જુઓ–પ્રક. ૫૯ “કુંઅરજી” પ્રક. ૪૫, પૃ. ૩૪૦) (૩) ગાંધી કુંઅરજી નાગર જૈન–તેણે સં. ૧૬૫૪-૫૫માં કાવીમાં રત્નતિલક પ્રાસાદ બંધાવ્યા. ( – પ્રક. ૪૨, પૃ. ૭૧૪) ૧. આ સમયે શા કુંઅરજી નામના એકીઓ ઘણે થયા છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પર ] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ૦ આભૂ પરવાડના વંશના તથા આગેમિક ગચ્છના આ૦ શ્રી જયાનંદસૂરિ અને આ૦ શ્રી વિવેકરત્નસૂરિના શ્રાવકે ગંધારના વ્યવહારી પર્વત, વ્ય. કાનજી, વ્ય૦ પોઇયા વગેરે થયા હતા. તેઓએ ઘણું ધર્મકાર્યો કર્યા હતાં. (– પ્રક. ૪૦, પૃ. ૫૪૩ પ્રક. ૪પ, પૃ. ૩૫ર અભૂવંશ) ૦ રામજી ગંધારીઓ–ગંધાર બંદરમાં પાસવર નામે શ્રીમાલી જૈન રહેતો હતો. તેને વર્ધમાન નામે પુત્ર હતે. શા. વર્ધમાનને (૧) રામજી, (૨) હંસરાજ અને (૩) મનરાજ – એ ત્રણ પુત્રો હતા. આ સૌ તપાગચ્છના આ. શ્રી વિજયદાનસૂરિ અને આ૦ શ્રી વિજયહીરસૂરિ, આ. શ્રી વિજયસેનસૂરિ વગેરેના ભક્ત–શ્રાવકે હતા. શા. વર્ધમાને પિતાના પુત્ર સાથે તે આચાર્યોના ઉપદેશથી સં. ૧૬૧૯-૨૦માં શ્રી શેત્રુંજય મહાતીર્થનો છ'રી પાળતે યાત્રા સંઘ કાઢ્યો હતો. અને સં. ૧૬૨૦ના કા૦ સુટ રને રોજ શ્રી શત્રુંજયતીર્થમાં ભંડાર પાસેની ઓરડી પાસેના ભગશ્રી શાંતિનાથના ચોમુખ જિનપ્રાસાદની ભટ્ટાશ્રી વિજયદાનસૂરિ અને ભટ્ટા) શ્રી વિજયહીરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (– શત્રુંજયતીર્થનું હસ્તલિખિત મેટું વર્ણન) તે સીએ બંને આચાર્યો વગેરે મુનિવરોને ગંધાર બંદર પધારવા આગ્રહભરી વિનંતી કરી હતી. આ૦ શ્રી વિજયહીરસૂરિએ સં. ૧૯૩૭માં ખંભાતમાં ચોમાસુ કર્યું. સં. ૧૯૩૮ના મા સુઇ ૧૩ને દિવસે ખંભાતમાં સં. ઉદયકરણે આચાર્યશ્રી પાસે ભગવ શ્રી ચંદ્રપ્રભ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. શેઠ રામજી શ્રીમાલીએ આ ઉત્સવમાં આવી આચાર્યશ્રીને ગંધારમાં પધારવા વિનંતી કરી, પરંતુ તેને ગચ્છનાયક ગંધાર પધારે એવી આશા નહોતી. પણ ગચ્છનાયકે તે પછી પોતાના મુનિપરિવાર સાથે ખંભાતથી ગંધાર તરફ વિહાર કર્યો. સંઘપતિ ઉદયકરણે ગંધારમાં શેઠ રામજીને ગચ્છનાયકના ગંધાર તરફના વિહારના સમાચાર એક સાધારણ માણસ પાસે કહેવડાવ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [૫૩ શેઠ રામજી ગુરુદેવના ગંધાર પધારવાના સમાચાર સાંભળી ઘણે ખુશ થયો. તેણે એ ખુશાલીમાં જ આ સમાચાર લાવનાર માણસને પ્રીતિદાન ઇનામ આપવાનો નિર્ણય કર્યો. શેઠે તે માણસની આગળ વખારોની દુકાનની ચાવીઓ જ મૂકી કહ્યું : ““ભાઈ! આ ચાવીના જુડોમાંથી તેને પસંદ પડે તે ચાવી લે, તેમાંથી જે વખાર કે પેઢીની તે ચાવી હશે તેમાં બધે માલ–સામાન તને ઈનામમાં મળશે.” ખબર લાવનાર માણસ ભેળ હતો. તેણે ચાવીના જડામાંથી મેટામાં મોટી ચાવી લીધી. તે ચાવીવાળી વખારમાં વહાણ માટે વપરાતાં દોરડાં હતાં. શેઠે તે માણસને આ દોરડાં વેચવાથી લાખની રકમ ઈનામમાં આપી. (– જેન સત્યપ્રકાશ વર્ષ : ૧૪, અંક ૧૦ કમાંક : ૧૬ ૬ ) શેઠ રામજી ગંધારીઆએ સં. ૧૯૫૦માં ચૌમુખજીને માટે જિનપ્રાસાદ બંધાવી તેની આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમ જ તળાજા અને શ્રી ગિરનાર તીર્થમાં મેટે જીર્ણોદ્ધાર કરાવ્યો. ( – પ્રક. ૫૭,) આ૦ શ્રી વિજયહીરસૂરિએ પોતાના પરિવાર સાથે સં. ૧૯૩૮માં ગંધારમાં ચોમાસું કર્યું. દિલ્હીના બાદશાહ અકબરે આ ચોમાસામાં ગંધારમાં આવે શ્રી વિજયહીરસૂરિને ફત્તેપુરસિકી પધારવા માનભર્યું આમંત્રણ મેકહ્યું. આચાર્યશ્રીએ સં. ૧૬૩ન્ના માગશર વદિ ૭ ના રોજ ગંધારથી ફત્તેપુરસિકી જવા માટે વિહાર કર્યો. ( – પ્રક. ૫૦, પૃ૩૪) પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વર મહ ના સમયે થયેલ નગરરથાપના જોધપુરના રાઠેડવંશમાં અનુક્રમે (૧૪) રાવ જોધાજી, (૧૫) રાવ સૂરજમલજી (૧૬) રાવ ગંગદેવજી થયા. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આ અરસામાં તથા તે પહેલાં ઘણાં નવાં નગર વસ્યાં તેની વિગત આ પ્રમાણે છે – સમી– સં. ૧૫૧૫માં સમી ગામ વસ્યું. મેડતા– . ૧૫૫૭–૧૫૬ કે ૧૫૯માં રાવ લિંદે મેડતા ફરી વસાવ્યું. કિસનગઢ– (૧૫) રાવ માલદેવજી, (૧૮) રાવ ઉદેસિંહજી, (૧૯) રાવ કિસનસિંહ થયા. રાજા કિસનસિંહ રાઠોડે સં. ૧૯૬૯માં કિસનગઢ વસાવ્યું. કિસનસુઢમાં સં. ૧૭૦૦ લગભગમાં રૂપસિંહ રાઠેડ રાજા હતો. તેને રાયચંદ નામે જન મહામાત્ય હતું. તપાગચ્છના આ૦ શ્રી વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૧માં મંત્રી રાયચંદની વિનંતીથી કિસનગઢમાં ચાતુર્માસ કર્યું. મંત્રી રાયચંદે તેમના ઉપદેશથી એક મોટું જિનાલય બંધાવ્યું. આ. શ્રી વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૨ના માગશર મહિનામાંમંત્રી રાયચંદે બંધાવેલા જિનપ્રાસાદમાં શામળીયા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તેમ જ તેમાં માણિભદ્રની પણ પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં આહલણપુરના રાજા મહેશદાસના મંત્રી સુગુણે ભાગ લીધો હતો. અહીં તપાગચ્છાચાર્ય આ. શ્રી વિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠિત કરેલા શામળિયા પાર્શ્વનાથ જિનાલય ઉપરાંત બીજા ચાર જિનાલયે વિદ્યમાન છે. કિસનગઢ એ તપાગચ્છના ભટ્ટારક કેટવાલની ગાદીનું ગામ છે. ગામમાં તપાગચ્છને જુનો વિશાળ ઉપાશ્રય છે, એમાં હસ્તલિખિત પ્રાચીન જન ભંડાર છે. આ. શ્રી વિજ્યસિંહસૂરિના શિષ્ય પં. શ્રી ઉદયવિજયગણીએ સં. ૧૭૨૮માં અહીં ચાતુર્માસ કરી સં. ૧૭૨૮ના દિવાળીના દિવસે કિસનગઢમાં “શ્રીપાલરાજાનો રાસ' રચ્યો છે. તેમણે ગ્રંથની પ્રશસ્તિમાં સમકાલીન ઐતિહાસિક ઘણી વિગતોને નિર્દેશ કર્યો છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ | [ ૫૫ સતાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ તેઓ ભટ્ટા. આ. શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. તે પછી સં. ૧૭રહ્માં સજતમાં પંન્યાસ બન્યા. પછી ચગ્ય સમયે ઉપાધ્યાય બન્યા. મહ૦ શ્રી ઉદયવિજય ગણીએ કિસનગઢના શામળિયા પાર્શ્વનાથના જિનાલયમાં આ૦ શ્રી વિજયસિંહસૂરિની ચરણ–પાદુકાઓની સ્થાપના કરી હતી. કિસનગઢમાં સેની પન્નાલાલજી સિમલજી ઓશવાલ જન તપાગચ્છનો વિવેકી શ્રાવક હતો. તે શામળિયા પાર્શ્વનાથ વગેરે ત્રણ જિન પ્રાસાદોને વહીવટ કરતો હતો. તેણે અમને એક વાર જણાવેલું કે– અહીં એક ગરછÀષી – ગુરદ્રોહી જેને એક રાતે ત્રણ વાગે પરેઢિયે આ જિનાલય ઉઘાડી સલાટને બેલાવી જણાવ્યું કે આ ચરણપાદુકાને ઉખાડી ફેંકી આવ” પરંતુ તે જ સમયે મને (સોની પન્નાલાલજીને) શ્રી માણિભદ્દે બાળક–રૂપે સ્વપ્નમાં પ્રત્યક્ષ થઈ અવાજ આપ્યો કે, “ઊઠ, ઊઠ, ઊઠીને તરત શામળિયા જિનપ્રાસાદમાં પહોંચી જા. ઢીલ કરીશ તે માટે અનર્થ થશે.” હું ઊઠીને તરત જિનપ્રાસાદની ચાવીઓ લઈ ત્યાં પહોંચી ગયા. - મને આવતો જોતાં જ તે ગુરુદ્રોહી શ્રાવક ખસિયા પડી ગયો ને જિન પ્રાસાદમાંથી ચાલ્યો ગયો. મેં સલાટને ધમકાવીને પણ કાઢી મૂક્યો. પછી મેં તે દિવસે જૈન સંઘને એકત્ર કરી આ હકીકતની રજૂઆત કરી ત્યારે ફરીથી આવું કાર્ય ન થાય તે માટેની પાકી વ્યવસ્થા કરી.” ખરતર ગચ્છના શ્રી કાંતિસાગરજી એક લેખમાં જણાવે છે કે “કિસનગઢના નરેશના ચિત્રસંગ્રહમાં જૈનશ્રિત ચિત્રકળાનાં ઘણાં ચિત્ર છે.” એમાં આ૦ શ્રી વિજયહીરસૂરિ આ. શ્રી વિજયદેવસૂરિ, આ૦ શ્રી વિજયપ્રભસૂરિ, આ૦ શ્રી વિજયદયાસૂરિ, મહા મહોપાધ્યાયશ્રી મેઘવિજ્યજીના પ્રવેશોત્સવ, સાંવત્સરિક શોભાયાત્રા રાજમલન અને તત્ત્વચર્ચાનાં ચિત્રો છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ [ પ્રકરણ પ૬] જૈન પરંપરાને ઈતિહાસ એ સમયે કિસનગઢમાં પં. નવિય પં. હસ્તિવિજય, શ્રી ઋદ્ધિવિજય, શ્રી ઉદયવિજય, શ્રીમુક્તિવિજય વગેરે મુનિરાજે ચાતુર્માસ રહ્યા હતા. તેમણે તથા સંઘે ચાતુર્માસ પછી કાર્તિક સુદિ ૩ ના રોજ બુરહાનપુર પત્ર મોકલ્યો હતો, જેમાં શામળિયા પાર્શ્વનાથનું જિનાલય, કિસનગઢનો કિલ્લો, વિષ્ણુ–મંદિર, રાજદરબાર, વેપારી બજાર, દાનશાલા, પાઠશાળા, ધર્મશાળા, ઉપરાંત દર્શનીય સ્થાને વગેરેનું ચિત્રમય વર્ણન છે. તેમજ વિભિન્ન ભાષાઓમાં ભટ્ટારકનું ગુણવર્ણન છે. નીચે ૧૩૪ જણની સહી છે, જેમાં વેતાંબર–દિગંબર બંને સામેલ છે. હસ્તાક્ષરોમાં હરિસંહ રાઠોડની સહી છે. સંભવતઃ તે કિસનગઢ વસાવનાર રાજા કિસનસિંહના પુત્ર–રાજવીની સહી હોય, કિસનગઢને રાજા રાઠોડ છે, વૈષ્ણવ ધર્મ પાળે છે. તેના પૂર્વજોએ અહીં કૃષ્ણની પ્રાચીન પ્રતિમા કરાવેલી છે. વૈષ્ણવ ધામની યાત્રા કરનારા વૈષ્ણવ યાત્રાળુઓ એમ માને છે કે –“કિસનગઢની વૈષ્ણવ મૂર્તિનાં દર્શન કરીએ તો જ વિષ્ણધામની યાત્રા સફળ મનાય.” જગદગુરુ આ. શ્રી વિહીરસૂરિના મહ. શ્રી સેમવિજય ગણીની પરંપરાના પં. ભીમવિજયગણી થયા હતા, જેઓ વિદ્વાન અને ચમત્કારી મહાત્મા હતા. તેમને બાદશાહ ઔરંગઝેબ, નવાબે, રાજાઓ વગેરે બહુ માનતા હતા જે શ્રી વિજયદેવસૂર સંઘના ભટ્ટાશ્રી વિજય રત્નસૂરિ (સં. ૧૭૩૨ થી સં. ૧૭૭૩)ની આજ્ઞામાં હતા. ( – પ્રક) – ૪૪ પૃ૦ ૧૦૫) એ ભેમવિજય ગણીએ સં. ૧૭૭૧માં કિશનગઢમાં ચોમાસું કર્યું અને સં. ૧૭૭૧ના ભાદરવા વદિ અમાસને રવિવારે મધ્ય રાત્રિએ કિશનગઢમાં કાળધર્મ પામ્યા. જૈન સંઘે કિશનગઢની બહાર એક સ્થાનમાં તેમનો અગ્નિસંસ્કાર કરી એ સ્થળે દેરી બનાવી, અને જગદગુરની વિશાળ દાદાવાડી પણ બનાવી. તેની ચારે બાજાએ માટે કેટ ચણાવ્યો હતો. Page #98 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [પ૭ કિશનગઢના નવાબને આ ભાભર્યું સ્થાન જોઈ તેને પિતાના અધિકારમાં લઈ લેવાનો લાભ લાગે; પરંતુ પં. ભીમવિજયના મેટા શિષ્ય પં. મુકિતવિજયગણીએ નવાબને મળી, ઉપદેશથી સમજાવી આ સ્થાન હંમેશ માટે પોતાના અને જિન સંઘના હાથમાં રહે તેને પાકે બંદોબસ્ત કર્યો. અને એ રથળ કિશનગઢના તપાગચ્છીય શ્રી જૈન સંઘને અપાવ્યું. (– જૈન સત્યપ્રકાશ, ક. ૧૫૦) આ સ્થાન આજે નિર્જન પ્રદેશમાં છે અને શ્રી હીરવિજયસૂરિની દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. શ્રી પૂજ કે યતિએ અહીં ન હોવાથી આ સ્થાનની કોઈ ભાળ-સંભાળ રાખતું નથી. રૂપનગર – સં. ૧૫૩માં પાટણ પાસે રૂપનગર (અત્યારે રૂપપુર કહેવાય છે) વસ્યું. જામનગર – રાવ જામે સં. ૧૫૬માં જામનગર – નવાનગર વસાવ્યું. આગરા – બાદશાહ અકબરે સં. ૧૬૧ર કે સં. ૧૬૧૯માં યમુના નદીના ઉત્તર કિનારે આગરા નગર વસાવ્યું. સંભવ છે કે નદીના બંને કાંઠે આગરા વસ્યું હોય, કેમકે બાદશાહ જહાંગીરના સમયે આ૦ શ્રી વિજયસેનસૂરિએ ચાતુર્માસના ક્ષેત્રાદેશના પટ્ટામાં બંને સ્થાને જુદા જુદા ગીતાર્થ મુનિઓને ચાતુર્માસ કરવાની આજ્ઞા આપેલી છે. નદીના ઉત્તર કિનારે આગરામાં બે મોટાં જિનાલયો બન્યાં હતાં. તે પછી જનોને ત્યાં વસવાટ ઘટી જતાં અથવા નદીના પાણીના કારણે જિનાલને ઘસારો લાગતાં તેમાંની જિનપ્રતિમાઓને દક્ષિણ આગરામાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદ પાસેના ચેકમાં દેરીઓ બનાવી તેમાં પધરાવી હતી. આગરામાં જેનોનાં ઘર ઘણાં છે, જિનાલયો અને ઉપાશ્રયે પણ છે. અહીં વેતાંબર જન દેરાસરે નીચે પ્રમાણે છે. – (૧) રેશન મલ્લામાં તાંબર જનોનું શ્રી. ચિંતામણિ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૮] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ પાશ્વનાથનું મોટું જિનાલય છે. તેની જગઆ. શ્રી હીરવિજયસૂરિએ સં. ૧૬૪૦માં પ્રતિષ્ઠા કરી હતી. મહ૦ શ્રી ભાનુચંદ્રગણીના ઉપદેશથી શ્રીસંઘે તેને વિશાળ બનાવ્યું હતું. આ મંદિરના ખર્ચ માટે બાદશાહે રોશન મહેલે ભેટ આપ્યો હતો, જે પછીથી ધીમે ધીમે શ્રીસંઘના હાથમાંથી છૂટી ગયે. (૨) બાદશાહ જહાંગીરના માનીતા સંઘવી ચંદ્રપાલે બંધાવેલું ભગ- શ્રી શાંતિનાથનું ચૌમુખજીનું મંદિર તથા શ્રી અષ્ટાપદજીનું મંદિર, જેની પ્રતિષ્ઠા મહોત્ર શ્રી વિવેકહર્ષગણીએ કરી હતી. આ મંદિરના ચોકમાં વેતાંબર આચાર્ય પ્રતિષ્ઠિત ભગ. શ્રી શિતળનાથની શ્યામરંગી પ્રાચીન ભવ્ય પ્રતિમા છે – પં. શ્રી કુશળવિજયગણીએ સં. ૧૮૧૦માં આ પ્રતિમાને અહીં સ્થાપન કરી છે. તેનો શિલાલેખ ચાકની દીવાલમાં ચોડેલો છે. જૈન-જૈનેતર સી આ પ્રતિમાનાં દર્શન કરે છે. તેની પૂજા કરવાનો હક માત્ર વેતાંબર જેનોને છે. બહાર ચાકમાં ભગત શ્રી પાર્શ્વનાથની પ્રતિમા તથા જગદગુરુ શ્રી. વિજયહીરસૂરિની પ્રતિમા બિરાજમાન છે. (૩) શ્રી. હીરાનંદ મૂકીને બંધાવેલ શ્રી. સિમંધરસ્વામીનું મંદિર છે. તેમાં મૂળનાયક તરીકે શ્રી ચંદ્રાનન ભગવાનની પ્રતિમા છે. (૪) તગા બજારમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર છે. (૫) મોતી કટરામાં શ્રી વાસુપૂજ્ય ભ૦ નું મંદિર છે, જે સં. ૧૭૫૦ પહેલાં બંધાયેલું છે. (૬) નમક મંડીમાં ભગવ શ્રી. શાંતિનાથનું મંદિર છે. (૭) મેતી કટરામાં ભગ, ગેડી પાશ્વનાથનું વિશાળ મંદિર છે, જે શ્રી વેદ બંધાવ્યું છે. (૮) શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું મંદિર. (૯) શ્રી સુવિધિનાથનું મંદિર. Page #100 -------------------------------------------------------------------------- ________________ [ પર સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ (૧૦) શ્રી નેમિનાથનું મંદિર. (૧૧) શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મંદિર (૧૨) શ્રી મહાવીરસ્વામીનું મંદિર (૧૩) બેલનગંજમાં શ્રી સુપાર્શ્વનાથ ભવનું મંદિર છે. આ મંદિર શ્રી. લક્ષમીચંદ વેદ બંધાવ્યું છે. (૧૪) શાહગંજમાં શેઠ હીરાચંદ નીલચંદના બાગમાં “શેઠજીકા મંદિર”થી ઓળખાતું મંદિર છે, જેમાં ભેંયરામાં મૂળનાયક તરીકે ભગવ શ્રી. પાર્શ્વનાથની પ્રતિમા છે. વળી, એ જ ભોંયરામાં શ્રી માણિભદ્ર યાઁદ્રની ચમત્કારી પ્રતિમા છે. બાગમાં શ્રી. હીરવિજયસૂરિને સ્તૂપ તથા જગદગુરુની ચરણપાદુકાવાળી દેરી છે, તેથી જેનો આ સ્થાનને “શ્રી જગદ્ગુરુની દાદાવાડી” નામથી ઓળખે છે. બાગની બહાર દેરીમાં આ જિનદત્તસૂરિની પાદુકા છે. ફતેપુર સિક્રી – આગરાથી દક્ષિણમાં ૧૯ માઈલ દૂર ફત્તેપુર નામે ગામ છે. ફત્તેપુર અને સિકરી બંને જોડિયાં ગામ છે, વચ્ચે એક નાની પહાડી છે. તેની ઉપર બાદશાહ અકબરે પોતાના ધર્મગુરુનું સ્થાન બનાવ્યું હતું. તથા શિખર ઉપર કિલ્લામાં રાજમહેલ બનાવ્યો હતો. ત્યાં બાદશાહ વધુ રહેતો હતો. બંને તરફથી કિકલા ઉપર આવવાના માર્ગો છે. રાજમહેલમાં વચ્ચે બાદશાહની કચેરી છે. ચારે બાજુએ સૌને રહેવાના કમરાઓ છે. બધા કમરાઓને જુદા જુદા રસ્તાઓથી કચેરી સાથે જોડી દીધા છે. કિલ્લામાં એક ખૂણે આ. શ્રી વિજયહીરસૂરિન ઉપાશ્રય છે. તેમાં સિકરી તરફનો ભાગ ખુલ્લો છે. ઉપાશ્રયમાં ગ્રંથે રાખવાનાં ભંડક્યિાં છે. ઉપાશ્રયના એક સ્તંભ ઉપર છ વેશ્યાનું ચિત્ર કંડારેલું છે. વળી, માંગલિક સાથિયા, છ લેશ્યા, મધુબિંદુ વૃક્ષ વગેરે જિન WWW.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૦] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ રથાપત્યનાં આલેખનો છે. આથી આ સ્થાન જન ઉપાશ્રય હોવાનું નકકી થાય છે. સામાન્ય જનતા આ સ્થાનને હિંદુઓની ધર્મશાળાના નામથી ઓળખે છે. અહી શેઠ થાનમલજીની માતા ચંપાબહેને તપ દ્વારા બાદશાહ ઉપર સારી અસર ઉપજાવી હતી. આ૦ શ્રી વિજયહીરસૂરિએ સં. ૧૬૩લ્માં બાદશાહને ધર્મોપદેશ આપ્યો હતો. ધર્મોપદેશથી પ્રભાવિત થયેલા બાદશાહે તેમને સં. ૧૬૪૦માં ફત્તેપુરમાં “જગદગુરુ'નું બિરુદ આપ્યું હતું અને પોતાને સમગ્ર રાજ્યમાં અમારિપટ વગડાવ્યો હતો. (હીરસૌભાગ્ય સર્ગઃ ૧૪, ૦ ૨૦૫.) તે પછી જગદ્ગુરુએ સં. ૧૬૪૦માં ફતેપુરમાં શેઠ થાનમલના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી અને સં. ૧૬૪૦નું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. આજે અહીં એકે જૈનનું ઘર નથી. જૈન મંદિર પણ નથી. માત્ર બાદશાહી મહેલ ભૂતકાળની ગૌરવગાથા ગાતો ટેકરી ઉપર ઊભે છે. ઉદયપુર- રાણા ઉદયસિંહે સં.૧૯૨૫માં ઉદયપુર વસાવ્યું. માલપુરા– રાજા માલદેવે સં. ૧૯૧૬ અથવા સં. ૧૬૧૯માં માલપુરા વસાવ્યું હતું. બીજા ઉલ્લેખ મુજબ માલખાને માલપુરા વસાવ્યું. વસ્તુતઃ માલખાને એને વિશેષ આબાદ બનાવ્યું હોય એવો વિશેષ સંભવ છે કેમ કે માલખાને એને વસાવ્યું હોત તો માલખાનાબાદ કે એવું બીજું મુસલમાની નામ રાખ્યું હોત, પણ હિંદુ રાજાએ વસાવેલું હોવાથી માલપુરા નામ છે. જૈન મુનિઓના પાદુકાઓમાં એનું બીજું નામ દ્રવ્યપુરનગર જણાવેલું છે. બાદશાહ જહાંગીરે સં. ૧૯૭૨માં ૫૦ શ્રી સિદ્ધિચંદ્ર ગણીને ઘરબારી બનાવવા બળજબરીથી હુકમ કર્યો હતો. ત્યારે પં. શ્રી Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ સિદ્ધિચંદ્ર આગરાથી નીકળી માલપુરા આવ્યા હતા અને ત્યાં ચાતુર્માસ કર્યું હતું. બાદશાહ જહાંગીરે પં. સિદ્ધિચંદ્રને આગરા બોલાવ્યા તેથી ચાતુર્માસ પૂર્ણ થતાં તેઓ ફરીથી ત્યાં ગયા હતા. મહ૦ શ્રી ભાનચંદ્રગણી અને પં સિદ્ધિચંદ્ર ગણના ઉપદેશથી શેઠ બાગલાલ વગેરે શ્રીસંઘે માલપુરામાં શ્રી ચંદ્રપ્રભુનો મેટા જિનપ્રાસાદ બંધાવેલો અને જગદગુરુની દાદાવાડી બનાવવા માટેની પણ વ્યવસ્થા રાખી હતી. મહોપાધ્યાયજી આગ્રાથી ગુજરાત જતા માલપુરા આવ્યા ત્યારે તેમના હાથે જિનાલયની પ્રતિષ્ઠા થઈ અને મંદિરના શિખરે સ્વર્ણકળશ ચડાવવામાં આવ્યું. તપાગચ્છના ભટ્ટા, શ્રી વિજયદેવસૂરિના આઝાવતી પં. શ્રી જયસાગર ગણીના ઉપદેશથી માલપુરાના શ્રીસંઘ સં. ૧૯૭૮માં ત્યાં ભ૦ શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરની પ્રતિમાનું પરિકર બનાવી તેમની પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. ભટ્ટાશ્રી વિજયદેવસૂરિના હસ્તક સં. ૧૬૯૦ના જેઠ વદિ ૧૧ના રોજ જગદગુરુ આશ્રી વિજયહીરસૂરિની પ્રતિમાની શ્રીસંઘે પ્રતિષ્ઠા કરાવી હતી. આ ગુરુપ્રતિમા આજે અહીં જિનમંદિરમાં વિદ્યમાન છે. વિજ્યગચ્છની જનોએ વિજયગચ્છના ભટ્ટા શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ભગત શ્રી મુનિસુવ્રતસ્વામીનો મેટો જિનપ્રાસાદ બનાવ્યા હતું. તેમાં સં. ૧૬૯૬ના વિ૦ સુ. ૧૨ને ગુરુવારે ભટ્ટા) શ્રી વિજયદેવસૂરિના આઝાવતી પં. શ્રી લબ્ધિચંદ્રગણુના હાથે શ્રીસંઘે મૂળનાયકની પ્રતિષ્ઠા કરાવી.' આ૦ શ્રી વિજયસિંહસૂરિ સં. ૧૭૦૦ થી ૧૭૦પમાં કિસનગઢ, માલપુર, બુંદી, ચવલેશ્વર વગેરે સ્થળોમાં વિચર્યા હતા. અમે જયપુરથી વિહાર કરી સં. ૧૯૮૦ (?) માલપુરા ગયા હતા ત્યારે ત્યાં જિનાલયે વિદ્યમાન હતાં. (૧) તપાગચ્છને ભગ0 શ્રી (૧) ૬૧- મહેદેવચંદ્રગણું, ૬-ઉપ૦ હીરચંદ્રગણી ૬૩–પં. જિનચંદ્રગણ, ૬૪ પં. લબ્ધિચંદ્રગણું (જૈનસત્ય પ્રકાશ ક્રમાંક : ૫૦-૬૦, ૬૫) Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સુમતિનાથને જિનપ્રાસાદ, (૨) વિજયગચ્છને ભગત શ્રી આદીશ્વરને જિનપ્રાસાદ. (૧) ભગ0 શ્રી સુમતિનાથ જિનપ્રાસાદ– આમાં ચાવીશ દેરીઓ છે. તે ખાલી છે પણ તેમાં બિરાજમાન કરવાની ચેવશ જિનપ્રતિમાઓ મૂળ ગભારામાં વિરાજિત છે. - આ પ્રતિમાઓ ઉપર ભટ્ટા, શ્રી વિજયસેમસૂરિ વગેરે જનાચાર્યોના લેખે ઉકીર્ણ છે. મંદિરમાં વિવિધ ગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી ધાતુની પંચતીથી પ્રતિમાઓ ઘણી છે. તેમાં કેટલાક પ્રતિમાલેખમાં આ પ્રકારે ઐતિહાસિક વિશેષતા જાણવા મળે છે – (૧) મલવાદી ગચ્છના આચાર્ય પ્રતિષ્ઠિત ભગ0 શ્રી પાર્શ્વનાથ ની બે પ્રતિમાઓ. (૨) કિસનગઢના પોરવાડ સેમકે તપાગચ્છીય આઇ શ્રી હેમવિમલસૂરિ (સં. ૧૫૪૮–૧૫૮૩) દ્વારા પ્રતિષ્ઠિત કરેલ ભગશ્રી ધર્મનાથની પ્રતિમા (૩) ડીસાના શ્રાવકે ભરાવેલ અને તપાગચ્છના આ૦ શ્રી જયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરેલી ભગવ શ્રી શાંતિનાથની પ્રતિમા (૪) ડીડીલાવાલા પોરવાડ વ્યવ, દેદાઓ ભરાવેલ સં. ૧૪૯૩ ના વૈ૦ સુત્ર ૯ ના રોજ પ્રતિષ્ઠિત શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા. આ મંદિરમાં એક સ્તૂપ ઉપર પાદુકાપટ્ટ છે, જેના ઉપર અર્ધા ભાગમાં છ જિનપાદુકાઓ છે. અને નીચેના અધ ભાગમાં આઠ માંગલિકે છે; જેની સં. ૧૬૯૫ના વૈ૦ સુ. ૧૫ને રવિવારે પુષ્યનક્ષત્રમાં પં. શ્રી તેજસાગર ગણીએ પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરમાં પાયચંદગચ્છના મુનિ સુખાનંદની પણ ચરણ પાદુકા છે. (૨) ભગ આદિનાથનો જિનપ્રાસાદ– આ મંદિર “છોટામંદિર” અથવા “વિજયગચ્છનું મંદિર એ નામથી ઓળખાય છે. મંદિરમાં પાંચ જિનપ્રતિમાઓ છે. તેના ઉપરના લેખે વંચાતા નથી. આ મંદિરમાં ખરતરગચ્છીય ભટ્ટા, શ્રી જિનસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી સં. ૧૪ ૪૪ના મહા સુપના આ૦ શ્રી જિનદત્તસૂરિની Page #104 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [૬૩ ગુરુ પ્રતિમા છે. સં. ૧૪૮૬ની આ૦ શ્રી જિનકુશલસૂરિની પ્રતિમા પણ છે તથા સં. ૧૬૮૪ના વિ૦ વ૦ ૭ને ગુરુવારે સ્થાપન કરેલી વિજયગચ્છના ભટ્ટા, શ્રી જ્ઞાનસાગરસૂરિની કે તેમના શિષ્યની ચરણપાદુકા છે. મંદિરની નીચે ઊતરતાં નિસરણીની સામે માણિભદ્રનું સ્થાન છે. મંદિરની પાસે જનધર્મશાળા છે. ધર્મશાળાની બહાર મંદિરના નીચેના ભાગમાં સડક ઉપર ભરુજીની દેરી છે. જયપુરના નામ ગુલાબચંદજી ઢઢ્ઢાની માતા શેઠાણી રાજકુંવરબાઈએ સં. ૧૯૬૨ના કા. સુ૫ ના રોજ આ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો તથા ગાદી બનાવી હતી અને પૂ. આત્મારામજી મહારાજની પ્રતિમા પધરાવી હતી. શાસનદેવીની મૂર્તિ– સં. ૧૯૬૭ની આ૦ શ્રી જિનકુશળસૂરિની તથા સં.૧૫૧ની શ્રી. રૂઘનાથસાગરજી આદિની ચરણપાદુકાઓ છે. તેમ જ શાસનદેવીની મૂર્તિ પણ છે. મંદિરમાં વિવિધ ગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી ધાતુપ્રતિમાઓ ઘણી છે. (૩) તપગચ્છના યતિઓનું સમાધિસ્થાન-માલપુરા ગામની બહાર એક વિશાળ મેદાનમાં આ રથાન આવેલું છે. તેમાં જગદગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિની ચરણપાદુકા સ્થાપન કરી દેરી બનાવી હતી. તે પછી તપગચ્છના શ્રી વિજયદેવસૂરિસંઘની સાગરશાખાના ગીતાર્થોની ચરણપાદુકાઓ સ્થાપન કરવામાં આવી છે. એટલે ત્યાંના જેને આ સ્થાનને “તપગચ્છની દાદાવાડીના નામથી ઓળખે છે. તેમાં આવેલાં સ્થાને આ પ્રકારે છે.– ૧. જગદગુરુ આ૦ વિજ્યહીરસૂરિની ચરણપાદુકા – તે એક મોટી દેરીમાં સ્થાપન કરેલી છે પણ આજે આ સ્થાન “દાદુપંથીઓના કબજામાં છે. ૨. ચરણપાદુકા પટ–આમાં (૧) પં. શ્રી સુવિધિસાગર પાદુકા, (૨) પં. શ્રી જિનરંગસાગર પાદુકા, (૩) લેખ, (૪) શ્રી આદિનાથ પાદુકા, (૫) પં. શ્રી પ્રતાપસાગર પાદુકા, (૬) Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ પં. શ્રી નિત્યસાગર પાદુકા વિરાજમાન છે. અને તેમાં અષ્ટ માંગલિક કંડારેલાં છે. તેની સં. ૧૮૪રના વૈ૦ વ૦ ૫ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. – પ્રકરણ ૫૫, પૃ. ૧૧૯ (૩) ૩. ચરણપાદુકાની ચોકી – આમાં તપગચ્છના શ્રી વિજ્યદેવસૂરિ– સંઘના સાગરશાખાના (૧) પં. શ્રી ચારિત્રસાગર, (૨) ૫૦ શ્રી સુજાણસાગર, (૩) પં. શ્રી કલ્યાણસાગર, (૪) પં. શ્રી ખેમસાગરની પાદુકાઓ છે. તેની સં. ૧૭૭૧ના જેઠ સુ. ૧૧ ને રવિવારે પ્રતિષ્ઠા થઈ હતી. ૪. પં. શ્રી દયાસાગરગણીની પાદુકા – બા પાદુકાની તેમના શિષ્ય મુનિ શ્રી જ્ઞાનસાગર અને શ્રી ઘાસીસાગરજીએ સં. ૧૮૮૭ના ફા. સુ. ૫ ને ગુરુવારે પ્રતિષ્ઠા કરી હતી. પ. પં. શ્રી વીરસાગરગણીની પાદુકા–આ પાદુકાની સં૦ ૧૮૮૭ના ફાસુત્ર ૫ ને ગુરુવારે પ્રતિષ્ઠા થઈ હતી. ૬. પં. શ્રી ઘાસીસાગરગણુની પાદુકા–આ પાદુકાની તેમના ચેલા શ્રી રૂધનાથજીએ સં. ૧૯૬૦ ના જેઠ સુ. ૫ ને ગુરુવારે પ્રતિષ્ઠા કરી હતી. (૪) ખરતર ગચ્છની દાદાવાડી–આ સ્થાન ગામથી ૨ ફર્લાગ દૂર છે. તેમાં સં. ૧૯૯૪ના જેઠ સુવ ૧૧ ના રોજ આ૦ શ્રી જિનકુશલસૂરિની પાદુકા વિરાજમાન કરી છે. (જૈન સત્ય પ્રકાશ, ક્ર. પ૮,)૪૦, ૬૫, ૬૭ ૭૦. જેસલમેર લોદ્રવાન રાજા જેસલ નામે હતે. તેણે એક પહાડી બાવાની સૂચનાથી સં. ૧૨૧રના શ્રાસુ૭ ને રવિવારે ત્રિકૂટગિરિના સ્થાન પાસે જેસલમેર વસાવી જેસલમેર કિલ્લાને પાયે નાખ્યો. લોદ્રવાની જનતાએ ત્યાં આવીને વાસ કર્યો. ધીમે ધીમે જેસલમેર મેટું અને સમૃદ્ધ નગર બન્યું. રાજા જેસલ સં. ૧૨૨૪માં મરણ Page #106 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૬૫ પામે. તે પછી (૨) શાલિવાહન, (૩) કેતૂન, (૪) ચાચિગદેવ અને (૫) કર્ણ વગેરે રાજાઓ થયા. (–ટાડ રાજસ્થાન' ભા. ૨, જેસલમેર અ૦ ૨, પૃ. ૭ થી ૯૯) આમેર– આંબા કચ્છવાહ સં. ૧૧૧૪માં આમેર નગર એક પહાડી પર વસાવ્યું. તેની આસપાસ કિલો પણ બાંધ્યો. જયપુર રાજ્યની પ્રાચીન રાજધાનીનું નગર આમેર બન્યું હતું. અહીં જન . સંઘે મોટું જિનાલય બંધાવ્યું છે અને ૦ જૈન ધર્મશાળા પણ છે. આમેરના કિલ્લામાં ઘણું ગુપ્ત સ્થળે હોવાનું કહેવાય છે અને તે પછી એક ગુપ્ત રથને રાજ્યના ખજાન ભંડારેલો છે એમ સંભળાય છે. સાંગાનેર– સાંગાનેર નગર સં. ૧૪૦૩માં વસ્યું. અહીં તપાગર છીય છે જૈન સંઘનું મેટું જિનાલય છે, જેમાં જગદગુરુ આ૦ હીરવિજયસૂરિની ચરણપાદુકા બિરાજમાન છે. જગ આ૦ હીરવિજ્યસૂરિ સં. ૧૬૩માં ફતેપુર સિકી ગયા ત્યારે આ નગરમાં પધાર્યા હતા. બાદશાહ અકબરે તેમને ફતેપુર સિકી જલદી આવવાની વિનંતી કરવા માટે મહ૦ વિમલહર્ષગણ, પં. સિંહવિમલ ગણી વગેરે મુનિવરો અને આગરાના શેઠ થાનમલ વગેરે જૈનોને આ નગરમાં મોકલ્યા હતા. આચાર્યશ્રી તેમની સાથે વિહાર કરતા કરતા ફતેપુર સિકી પધાર્યા હતા. આ. વિજયસેનસૂરિ સં. ૧૬૯માં ગુજરાતથી લાહોર જતાં આ સાંગાનેર નગર થઈને ગયા હતા. પં. ઉદયસૌભાગ્યગણીએ સં. ૧૬પ૩ના કા. સુ. ૭ ને રવિવારના રોજ સાંગાનેરમાં “નારચંદ્ર જ્યોતિષ” નામક ગ્રંથની પ્રતિલિપિ પૂરી કરી હતી. વિરુતજૂerમળિ પિતછી શા માજી-તાજા કુugसौभाग्य - मुनि उदयसौभ ग्येन लिखितम्, उदयसौभाग्यमुनिना सवत् Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ १६५३ वर्षे कार्तिक सुदि सप्तमी रविवारे सांगानेरनगरे लिखितमिद શાર (– શ્રી પ્રતિરંગ્ર, મા. ૨, ૦ ૦ ૫૨૪) જયપુર – રાજા વિપ્નસિંહના પુત્ર સવાઈ જયસિંહ વિ. સં. ૧૭૫૫ (સને ૧૬૯)માં અંબરની ગાદીએ બેઠા હતા. તે બંગાળી મહાત્મા વિદ્યાઘરનો ભક્ત હતો. વિદ્યાધર પાસે જ્યોતિષ વિદ્યાનું અધ્યયન કરી તે માટે વિદ્વાન થયે હતો. તેણે વિદ્યાધરની સલાહથી આમેર પહાડીની ખીણમાં વિ. સં. ૧૭૮૩ કે ૧૭૮૭માં જયપુર નગર વસાવ્યું. આ નગરની રચના દુનિયાનાં બધાં નગરોના મુકાબલામાં અભુત લેખાય છે. દિલ્હીના બાદશાહ મહમદ જયસિંહ રાજાને બહુ મેટો જ્યોતિષી જાણીને તે સમયે તેની પાસે પંચાંગ – ગ્રહ, નક્ષત્ર વગેરેનાં ગણિત શેધાવ્યાં. સવાઈ જયસિંહે જયપુર, દિલ્હી, કાશી, મથુરામાં મેટી વેધશાળાઓ બંધાવી અને “જીયાજી મહમ્મદશાહી” નામને જ્યોતિષ ગ્રંથ રચી દિલ્હીના બાદશાહને અર્પણ કર્યો હતો. (– “ ટોડ રાજસ્થાન' ભા. ૨, પૃ૦ ૭૬૮, ૭૬ ૯ ) જયપુરમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી વગેરે જૈનેનાં ઘણું ઘર છે. અહીં શ્વેતાંબર જૈનેનાં ઘણાં જિનાલયો છે. – ૧. ઘીવાલેકા રાતા ઉપર ચોરાશી ગચ્છનું પંચાયતનું શ્રી. સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. ૨. ઘીવાલેકા રાસ્તા ઉપર તપાગચ્છનું શ્રી. સુમતિનાથ ભ૦નું મંદિર છે. ૩. ઘીવાલેકા રાસ્તા ઉપર શ્રીમાલોનું શ્રી. પાર્શ્વનાથ ભ૦નું મંદિર છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભકારક વિજયદાનસૂરિ [ ૬૭ ૪. મારુતીના ચાકમાં આગરાવાળા શેઠ વીરચંદ નાહટાનું તપા ગચ્છનું ભ૦ ઋષભદેવનું મંદિર છે. ૫. કુંદીગરોં કે ભેરુ પાસે વિજયમતનું ભગો કેસરિયાજીનું મંદિર છે. ૬. સૂરજપાળના દરવાજા બહાર તપાગચ્છની માહનવાડીમાં શ્રી. કેસરિયાજીનું મંદિર છે. ૭. ઘાટની ગુણી નીચે ઉતારમાં તપાગચ્છના વહીવટનું ભગ પદ્મપ્રભુનું મંદિર છે. ૮. મતી ડુંગરીની સડક ઉપર ખરતરગચ્છની દાદાવાડીમાં - શ્રીસંઘનું ભગ, પાર્શ્વનાથનું મંદિર છે. ૯. સ્ટેશન પાસે હજૂર સાહેબની કેઠી સામે પુગલિયાજીનું ભગ ઋષભદેવનું મંદિર છે. આ પ્રમાણે ૯ મેટાં શ્વેતાંબર જિન પ્રાસાદો છે. આ ઉપરાંત લીલાધરનો ઉપાશ્રય, યતિ શામલાલજીને ઉપાશ્રય, શેઠ પ્રતાપચંદજી ઠઠ્ઠાનું મકાન વગેરે સ્થાનોમાં ઘરદેરાસરો વગેરે છે. જયપુરથી – ૮ માઈલ દૂર આમેર કિલ્લે, ૬ માઈલ દૂર સાંગાનેર, ૬ માઈલ દૂર ખેગાંવ, ૧૭ માઈલ દૂર વરખેડા, ૨૪ માઈલ દૂર ચાડસૂ અને ૫૦ માઈલ દૂર માલપુરા વગેરે ગામ-નગરો છે, જેમાં શ્વેતાંબર સંઘનાં જિનાલય વિદ્યમાન છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] જૈન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ સૂરત સૂરત ગુજરાતનું રંગીલું નગર ગણાય છે. બંદર પણ છે. તેના રથાપક, રથાપનાકાળ અને નામકરણ બાબતમાં મેટ વિસંવાદ પ્રવર્તે છે. કેશરીચંદ હીરાચંદ ઝવેરીના ઉલ્લેખ પ્રમાણે તો સૂરત શહેર વિકમની દસમી સદીનું હોય એમ લાગે છે. (– સૂર્યપુરને સુવર્ણયુગ” પ્રક. ૨, પૃ૦ ૮ ) વિકમની સેળમી શતાબ્દીના તપાગચ્છના (પર) બાવનમાં ભટ્ટા શ્રી રતનશેખરસૂરિ, (પ) ત્રેપનમાં ભટ્ટાશ્રી લક્ષમીસાગરસૂરિ, તપાગછની વૃદ્ધ પોષાળગછના ભટ્ટા) શ્રી ઉદયવલભસૂરિ અને અંચલગરછના ભટ્ટા, શ્રી જયકેશરસૂરિ વગેરેએ સૂરતમાં પ્રતિષ્ઠિત કરેલી જિનપ્રતિમાઓ ઉપરના પ્રતિમાલેખ મળે છે, જેમાં સૂરતનાં સૂર્યપુર અને સૂરત નામો ઉલ્લેખેલાં પ્રાપ્ત થાય છે. તે પછીના વિવિધ પ્રતિમાલેખ, ગ્રંથપ્રશરિતઓમાં તપાગચ્છ, વૃદ્ધ તપાગચ્છ, અંચલગચ્છ, ખરતરગચ્છ અને પાયચંદગચ્છના તેમ જ છૂટક વર્ણનોમાં લોકાગચ્છ, ઢુંઢિયા અને તેરાપંથીઓનાં નામે પણ જડી આવે છે. નામકરણ – સૂરત નામ કેમ પડ્યું ? એ વિશે આ પ્રમાણે વિવિધ અટકળો જાણવામાં આવી છે —– ૧. રાંદેરના નવાબની રખાત સૂરજ. ર. તુક સુલતાનની બેગમ સૂરતા. ૩. રૂમખાન સોદાગરની રખાત સૂરતા. ૪. કંચની સૂરજ કે જેણે જમીનદારની વિધવા કન્યાના પુત્ર ગેપીને પોતાનાં ધન-દોલતને વારસદાર બનાવ્યા. Page #110 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ [ ૬૯ ૫. વડનગરને નાગર અને દિલ્હીના બાદશાહ અકબરનો કારભારી ગેપીના પ્રયાસથી અને સૂરજના નામથી સૂરત વસ્યું. ૬. બાદશાહ જહાંગીરની વેશ્યા સૂરજ. ૭. સં. ૧૫૧ની રામજણ સૂરજ. (નર્મ, ગદ્ય, પૃ. ૭૦) ૮. સૂરતના નામની વાડી. ઉપર બતાવેલી વ્યક્તિઓનાં નામથી સૂરત વસ્યું છે. ઈતિહાસ કહે છે કે, ધારા નામની વેશ્યાના નામ ઉપરથી જેમ ધારા નગરી વસી હતી તેમ સૂરજ નામથી વેશ્યાના નામ ઉપરથી સૂરત વસ્યું હોય એવો સંભવ છે, માત્ર સૂરજના જ ને બદલે તે અક્ષર ગોઠવવામાં આવ્યો છે. સૂરતના વસાવનાર અને વસવાટકાળ વિશે છૂટા છૂટા ઉલ્લેખમાં જુદા જુદા બાદશાહનાં નામે આ પ્રકારે મળે છે. ૧. બાદશાહ મહમ્મદ બેગડો. (વિ. સં. ૧૫૧૬ થી ૧૫૭૦) (પ્રક. ૪૪. પૃ. ૨૦૯) ૨. બા મુજફર બજે (સં. ૧૫૬૭ થી ૧૫૮૩)-(પ્રક. ૪૪, પૃ૦ ૨૧૨). ૩. બામહમ્મદ ચોથે (સં. ૧૫૯૪ થી ૧૬૧૦) ૪. બા મુજફર ત્રીજે (સં. ૧૬૧૬ થી ૧૬૨૮) ૫. દિલ્હીના બાળ અકબર (વિ. સં. ૧૬૧૨ થી ૧૬૨૨, કા. સુ૦ ૧૪) ( – પ્રક. ૪૪, પૃ૦ ૬) ૬ દિહીનો બાહ જહાંગીર (વિ. સં. ૧૯૬૩ થી ૧૬૮૪ કા વઅમાવાયા ) (પ્રક૦ ૪૪, પૃ૦ ૮૫) ઉપરની અટકળોના આધારે વિચારીએ તે બા. મહામ્મદ અને બા મુજફરના સમયે ગોપી થયો હતો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૦] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ વડનગરને મલેક ગોપી બ્રાહ્મણ હતું, જે બા. મહમ્મદ બેગડાની કૃપાથી અધિકારી બન્યા હતા. ગેપી, મલેક ગોપી કિંવા ઉત્સુક રાજા સારંગદેવની મદદથી શાહજાદો મુજફર ગુજરાતને બાદશાહ બન્યા હતા. (–પ્રક૪૪, પૃ. ૨૧૨ ) ગેપીને મિત્ર ઈડરને રાજા ભીમ બાદશાહના ગુન્હામાં આવ્યા હતે; પરંતુ ગોપીના વચ્ચે પડવાથી તે બચી ગયો હતો. મલેક ગેપીએ સને ૧૪૬૮ (વિ. સં. ૧૫૩૦-૪૦)ના દુકાળમાં જગતને મેટી મદદ કરી હતી. મલેક ગોપી બહુ વિષથી હતું. તેણે એક ધારા નામની નર્તકીને રખાત તરીકે રાખી હતી. બા. મુજફરે સને ૧૫૧૪માં તેને મારી નાખ્યા. સંભવ છે કે, દિલ્હીના બાદશાહ અકબર અને બા, જહાંગીરના સમયે તેમના ગુજરાતના સૂબાઓના હાથ નીચે સૂરતને મંત્રી ગોપી નાગર હોય. એટલે વડનગરને મલેક ગેપી અથવા મંત્રી ગોપી નાગર તે જ ગેપી હોય. કવિબહાદુર પં. દીપવિયજી ગણી સં. ૧૮૭૭માં લખે છે – ફિરંગીઓએ સં. ૧૫૦૦માં સૂરતનો કિલ્લો બંધાવ્યો. શાહજાદો જહાંગીર સં૦ ૧૬૨૪માં રાને આવ્યો હતો ત્યારે રાનેરમાં કરોડપતિ નાખુદા રહેતા હતા ને શાહજાદી જહાંગીરને ૨ ગાઉ દૂર રાનેરમાં પોતાને ઘેર લઈ ગયો હતો. તેણે શાહજાદાના સન્માનમાં વરીયાવથી પોતાના ઘર સુધી રસ્તામાં કિનખાબ વસ્ત્ર પથરાવ્યું હતું. શાહજાદાએ તેના ઉપર ખુશ થઈ તેને કહ્યું : “માગ, માગ, જે જોઈએ તે માગી લે. જવાબમાં તેણે કહ્યું : “મારે હાથી અને હાથને સંગ જેવો છે.” શાહજાદાએ તેને સમજાવતાં કહ્યું : “એ જોવામાં લાભ નથી. એ જેવાથી માણસ નિર્ધન થઈ જાય છે એમ કહેવાય છે.” છતાં તે ન માને. શાહજાદાએ તેને હાથી–હાથણીનો સંગ બતાવ્યા. છેવટે તેનું ઘન નાશ પામ્યું. તે દરિદ્ર બની ગયો. Page #112 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૭૧ શાહજાદા જહાંગીરે ત્યાં જ જહાંગીરપરું વસાવ્યું. શાહજાકા જહાંગીરે સૂરજ નામની વેશ્યાને રાખી હતી. તેણે સં. ૧૬૧પમાં શાહજાદાની રજા મેળવી ત્યાં સૂરત નામે નગર વસાવ્યું. તે સમયે ત્યાં ગેપી શાહ નામે જેન ઓશવાલ રહેતો હતો. તેણે સૂરતમાં ગોપીપરું અને ગોપી તળાવ બનાવ્યાં અને ચૌમુખી વાવ પણ બંધાવી. ( –સેહમકુલ પટ્ટાવલી પૃ૦ ૫૯, સં૧૮૭ના આ૦ સુત્ર પના રાજ રચેલી સૂરત ગઝલ, કડી ૭૮, ગ્રં૦ ૮૩; કેશરીચંદ હીરાચંદ ઝવેરી સંગૃહીત સૂરતને ઇતિહાસ. પૃ૦ ૪) સમજી શકાય એમ છે કે સૂરતનું ગોપીપરું, ગોપીતળાવ વગેરે સ્થળે ગોપી નામની સાથે સંબંધ બતાવે છે, તે પિકીના ગેપીશાહ એશિવાલનું નામ પણ આપણે ઉપર જોઈ ગયા છીએ. બીજે વડનગરને મંત્રી ગેપી થયે છે, જેને ઈતિહાસ આ પ્રકારે જાણવા મળે છે. સગત સાક્ષર શ્રી, ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે ગોપીના પૂર્વજો વિશે સંસ્કૃતમાં લેકબદ્ધ વર્ણન મેળવ્યું હતું. અને તે “ધિ લાઈશ્રેરી મિસેલેનિયસ'નામક અંગ્રેજી સૈમાસિકના સને ૧૯૧૪ના ફેબ્રુઆરી માસથી મે સુધીના વર્ષ ૨–૩ ના અંકમાં પસિદ્ધ કરવા સાથે ગોપી કોણ?” એ શીર્ષક હેઠળ લેખ આપ્યો હતો. એના આધારે માનવું પડે છે કે— મંત્રી ગોપીને પૂર્વજ (૧) મંત્રી રામજી વડનગરનો નાગર હતો. તેની પરંપરામાં અનુક્રમે (૨) મંત્રી ભાલણ (૩) મંત્રી દામોદર (૪) મંત્રી ગોવિંદ, (૫) મંત્રી માધવ, (૬) મંત્રી કીકરાજ અને (૭) મંત્રી ગોપીનાથ થયા. મંત્રીઓની વિશેષ હકીકતમાં જણાવ્યું છે કે (૧) મંત્રી રામજીએ તાપી નદી ક્યાં સમુદ્રમાં જઈને મળે છે ત્યાં સંગમસ્થાને સમુદ્ર કિનારે સૂર્ય પુર નગર વસાવ્યું. (૬) મંત્રી કકરાજે સમુદ્ર અને તાપી નદીના સંગમસ્થાને સૂર્યપુરમાં નીલકંઠનું Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ મંદિર બંધાવ્યું તથા પુલ બંધાવ્યો. મંત્રી કીકરાજને રેણુ નામે ભાર્યા હતી. તેનાથી (૧) ગોપીનાથ અને (૨) મુકુંદ એમ બે પુત્રો હતા. ગોપીનાથનું બીજું નામ ગોપીશ્વર પણ મળે છે. તેને (૧) નાગલા અને (૨) ગોરી નામે બે પનીઓ હતી. ગોપી મંત્રી હતો. સંગીતકલામાં બહુ નિષ્ણાત હતો. તેણે વિષ્ણુ, શંકર, સૂર્ય, પાર્વતી અને લક્ષ્મી માટે સિંહાસન બનાવ્યાં હતાં, તેણે દુકાળમાં જનતાને અનાજ વગેરે દાન આપ્યું અને સૌનું દુઃખ દૂર કર્યું. આ વર્ણનમાં બાદશાહ મહમ્મદનું નામ પણ મળે છે. ( – કેશરીચંદ હીરાચંદ ઝવેરી સંગૃહીત “સૂર્યપુરને સુર્વણયુગ” પુસ્તકના આધારે) તારવણી – આપણે ઉપર્યુક્ત ઉલ્લેખને સમવય સાધતાં વિચારીએ તો આ પ્રકારે તારવણી થાય— મંત્રી રામજી વડનગરને હતે. તે ઓશવાલ કે બ્રાહ્મણ નહીં પણ નાગર વાણિયો હતે. મંત્રી રામજીએ સૂરત નહીં પણ રામનગર–રાનેર વસાવ્યું હોય અને સાથોસાથે સૂર્યપુરમંદિર પણ બંધાવ્યું હોય. પોતાની નમ્રતા અને સૂર્યની મહત્તા બતાવવા એ મંદિરને રામનગર ન બતાવતાં સૂર્યપુરના નામથી ઓળખાવતો હોય. તે પછી તેના વંશજ કીકરાજે ત્યાં પુલ અને નીલકંઠનું મંદિર બનાવ્યાં હેય. કીકરાજને પુત્ર ગેપી નિર્ધન બની ગયું હશે. તે સંગીતનિષ્ણાત અને ઈમાનદાર હશે તેથી જ શાહજાદાની ગાયિકા સૂરજે પિતાની મૂડી તેને ત્યાં મૂકી હશે અને સંગીતથી તેણે કરેલા સત્કાર સન્માન અને ભક્તિથી ખુશ થઈ ગાયિકાએ પિતાની બધી મિલકત તેને આપી દીધી હોય અને ધન મળતાં ધનિક બની ગયો હોય. તેને પોતાની ધનદાત્રીનું નામ અમર કરવા ભાવના થાય એ સ્વાભાવિક છે. શાહજાદાની વેશ્યાનું નામ પણ સૂરજ હતું. મંત્રી ગોપીએ શાહજાદાની વેશ્યા અને પોતાની ધનદાત્રી સૂરજને અમર કરવા સૂરતને વિકાસ કર્યો હોય, સૂરતને જળમાર્ગ અને સ્થળમાર્ગનું વેપારી કેન્દ્ર બનાવ્યું હોય. Page #114 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] - ભદારક વિજયદાનસૂરિ [ ૭૩ વેશ્યાની જાતિમાં વડી હોય તે અક્કો કહેવાય છે. તે બનવા જોગ છે કે અક્કાનગર, અક્કનગર અને સુરત એમ નામ પડ્યાં હાય. બાદશાહ અકબરે સુરતને જીતી લઈ ગેપીને જ સુરતને મંત્રી બનાવ્યો હોય. અને તે બાદશાહ જહાંગીરના સમયમાં પણ મંત્રી રૂપે ચાલુ હોય. મંત્રી ગોપી નાગરે સુરતમાં સં. ૧૬૮૭ના મેટા દુકાળમાં જનતાને ભારે મદદ કરી હતી. તેણે વિવિધ લોકોપયોગી સ્થાને તેમ જ ધર્મસ્થાન બનાવ્યાં હશે. મંત્રી ગેપીએ પોતે અગર તેની પ્રેરણાથી જનસંઘે સુરતમાં સૂર્યપુરમંડળ પાર્શ્વનાથનું જિનાલય બંધાવવું શરૂ કર્યું હતું. મંત્રી ગોપીએ અથવા તેના પરિવારે વિ.સં. ૧૬૭૮ના કાવટ ૫ના રોજ ભટ્ટાશ્રી વિજયસેનસૂરિ અથવા તેમની આજ્ઞાના ગીતાર્થ મુનિવરના હાથે જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી હશે. ઈતિહાસ કહે છે, સુરતના નાગર વાણિયા જૈન હતા. કેમકે સુરતના નાગર વાણિયા શેઠ સુંદરજી નાગરે વિ.સં. ૧૭૩૬માં વીશસ્થાનક વ્રતતપ શરૂ કર્યું. તપાગચ્છની વિમલશાખાના ભટ્ટા, શ્રી. જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૬૬ના પ૦૦૦ ૮ને બુધવારે શેઠ સુંદરજી માટે વીશસ્થાનકનું નવું સ્તવન બનાવ્યું. વળી, શેઠ સુંદરજી નાગરની ભાર્યા અમૃતબાઈ એ સં. ૧૭૬૬ કે સં૦ ૧૭૭૬ના મહા સુદિ ૧૧ને બુધવારે આ. શ્રી જ્ઞાનવિમલ. સૂરિના હાથે ભગ0 શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રીએ પણ તે જ દિવસે ભગ) શ્રી શાંતિનાથનું સ્તવન રચ્યું. (“સૂર્યપુરને સુવર્ણયુગ' પૃ૫૪, ૫૫) આ રીતે સમન્વય સાધતાં સુરતને ઈતિહાસ વ્યવસ્થિત બને છે. તે પછી સને ૧૬૮૧ (સં. ૧૭૩૭)માં સુરતને કેટ બન્યો. સને ૧૯૮૪માં સુરતમાં મરકીને રોગચાળો ફાટી નીકળ્યો, જેમાં રેજના લગભગ ૩૦૦ માણસેનાં મરણ થતાં હતાં. સને ૧૭૯૨માં સુરતમાં હિંદુ-મુસલમાનનું હુલ્લડ થયું. સને ૧૮૬૪માં સુરતમાં રેલવે આવી, ને સ્ટેશન બંધાયું ત્યારથી સુરત અને મુંબઈ વચ્ચે વ્યવહાર જેડા. સને ૧૮૬૮માં મેટું સૂર્યગ્રહણ થયું. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૪] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ સુરતના સંઘપતિઓ – સુરતના ઘણું જેનેએ સંઘપતિ બની વિવિધ જૈન તીર્થોના છ'રી પાળતા યાત્રાસંધે કાઢયા હતા, જેમાં અનેક ઐતિહાસિક પ્રસંગો બન્યા હતા. સંધપતિ પ્રેમજી પારેખ – તેઓ સુરતના વતની શેઠ રાવજી અને તેમનાં પત્ની ગમતાદના પુત્ર હતા. તેમને (૧)...અને (૨) નવીબાઈ નામે બે પત્નીઓ હતી. સંઘપતિ પ્રેમજી પારેખ સં. ૧૭૭૦માં તપાગચ્છની વિમલશાખાના આ. શ્રી જ્ઞાનવિમલસૂરિના ઉપદેશથી સુરતથી શ્રી શત્રુંજય મહાતીર્થને છરી પાળ – પગપાળા યાત્રા સંઘ કાઢો હતો. આ સંઘમાં ચાર તાંબાર જૈનાચાર્યો અને બીજા મુનિવરે વગેરે આ પ્રમાણે હતા – (૧) આ. શ્રી જ્ઞાનવિમલસૂરિ. (૨) તપાગચ્છીય આ. શ્રી વિજયદેવસૂરિ સંઘના સાગર શાખાના તપાગચ્છીય વડી પાષાળમાં રહેલા ભટ્ટાશ્રી લક્ષ્મીસાગરસૂરિ. તેઓ સંઘમાંથી પાછા વળી અમદાવાદમાં ચાતુર્માસ રહ્યા હતા. (૩) તપાગચ્છીય ભટ્ટા. શ્રી વિજય રત્નસૂરિ અથવા ભટ્ટા) શ્રી ઋદ્ધિસાગરસૂરિ અથવા અંચલગચ્છીય આ૦ શ્રી અમરસાગરસૂરિ. આમાંના કેાઈ આચાર્ય સંઘમાં સાથે હતા. તપાગચ્છના ભટ્ટા, શ્રી વિજયદેવસૂરિના શિષ્ય (૬૨) મહ૦ શ્રી લાવણ્યવિજય ગણીવરની પરંપરાના (૬૩) પં. શ્રી લક્ષમીવિજય ગણી અને તેમના શિષ્ય (૬૪) પં. શ્રી અમરવિજય ગણું વગેરે આ સંઘમાં સાથે હતા. આ બધા સંઘમાંથી પાછા વળી સં. ૧૭૭૦માં નડિયાદમાં ચાતુર્માસ કર્યું હતું. પં. શ્રી અમરવિજય ગણીએ સં. ૧૭૭૦ના ચાતુર્માસમાં નડિયાદમાં “સં. પ્રેમજીને સલોકે’– લે૧૬૧, ગ્રં૦ ૨૪૧ રચ્યા. ( ૪) તપાગચ્છની રત્નશાખાના (૬૦) શ્રી હીરરત્નસૂરિની પરંપરાના (૬૩) ભટ્ટાશ્રી દાનરત્નસૂરિના શિષ્ય (૬૪) ૫ ૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન) ભટ્ટાર વિજયદાનસરિ [૭૫ જ્ઞાનરત્ન ગણી, શીઘ્રકવિ ઉદયરત્ન ગણી ઠા. ૭ આ સંઘમાં સાથે હતા. પં. ઉદયરત્ન ગણીએ સં. ૧૭૭૦ના.....વદિ ૭ ને ગુરુવારે શ્રી સિદ્ધાચલમંડન ભગઋષભદેવ સ્તવન (ઢાળ – ૭) બનાવ્યું છે, તેમાં તેમણે એથી ઢાળમાં પોપટ, વાદળી, વરસાદ, માળી અને સંઘપતિને ઉદ્દેશીને આલંકારિક વર્ણન કર્યું છે. તેમાં તેઓશ્રી શત્રુંજયની યાત્રા કરવા પોપટની પાંખ માગે છે. વૈશાખ–જેડની વાદળીને સંઘ ઉપર છાયા નાખવા વીનવે છે. પવનને વાદળી લાવવા વિનંતી કરે છે. વરસાદને ઝીણી ઝીણી બુંદ છાંટવા પ્રાર્થના કરે છે. આઠ માળીને વિવિધ જાતિનાં પુષ્પો લાવવા પ્રેરણું કરે છે. - સંઘપતિ પ્રેમજી પારેખ અને કપૂરચંદ ભણશાળીને સંઘના ટૂંકા ટૂંકા પડાવ નાખવા વિનંતી કરે છે ને ભગવ શ્રી આદિનાથ દાદાને દર્શન દેવા વીનવે છે. (જનયુગ, વર્ષ : ૩, પૃ. ૩૪૯ થી ૩૫૧) (૫) અધ્યાત્મયોગી ૫૦ દેવચંદ્રજી ગણીના શિષ્ય પં૦ મતિરત્ન ગણી–તેમણે સં. ૧૮૦૪માં પોતાની શ્રી સિદ્ધાચલ તીર્થમાલામાં આ સંઘનું વર્ણન કર્યું છે. સં૦ પ્રેમજી પારેખના આ સંઘમાં આચાર્યો, પંન્યાસે, મુનિવરો, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ મોટી સંખ્યામાં સાથે હતાં. અમદાવાદ, પાટણ, ખંભાત વગેરે સ્થળાના નાના-નાના સંઘ આવી સાથે ભળ્યા હતા. તેનું વિગતવાર વર્ણન કંઈક આ પ્રકારે છે– વિ. સં. ૧૭૭૦માં દિલ્હીમાં બાદશાહ ફરુખશેઅર (સં. ૧૭૬૯ મહા વ૦ ૧૦ થી સં. ૧૭૭૫ ફા૦ સુ૦ ૯) હતો, ત્યારે અમદાવાદને કપૂરચંદ ભણશાળી ઓશવાલ જૈન તેમને માનીતે શ્રેષ્ઠી હતી. સૂબાઓ પણ તેમને માન આપતા હતા. એ સમયે ગુજરાતમાં ભણશાળીને મધ્યાહૂન તપતો હતો – તેને ભારે પ્રભાવ હતો. સં. પ્રેમજી પારેખે તેમની મદદ માગી હતી અને તેમની સહાયથી સં. ૧૭૭૦ના ચૈત્ર સુ. ૧૦ ના રોજ તેમણે સુરતથી સંઘ કાઢ્યો હતે. તે સંઘ ભરૂચ, સેજીત્રાના રસ્તે થઈ ધોળકા આવ્યો ત્યારે અહીં નાના ત્રણ સંઘે આવી તેમાં ભળ્યા હતા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૬] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ (૧) અમદાવાદથી કપૂરચંદ ભણશાળીએ સંઘ કાઢયો. તેમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશના શેઠ હીરજી ઝવેરી, શેઠ રતનાસૂરા, શા. વર્ધમાન, શા. નિહાલચંદ સેની, શાઇ હરખચંદજી વગેરે તથા પાટણના અને ખંભાતના જૈનને પણ સાથે લીધા હતા. (૨) ખંભાતથી જેનોની ટોળી. (૩) પાટણથી જેનોની ટોળી. ધોળકાથી પાલિતાણા જવાને રસ્તો ભય ભરેલો હતો. કારણ કે કાઠીઓ ધાડ પાડી સંઘને અને યાત્રાળુઓને લૂંટી લેતા હતા. આથી સંઘને અહીંથી સંઘરક્ષાની પાકી વ્યવસ્થા કરવી પડતી હતી. કપૂરચંદ ભણશાળીએ આ સંઘની રક્ષા માટે પાક બંદોબસ્ત કર્યો હતો. સંઘની સાથે બંદૂકધારી આરબાની બાદશાહી ફોજ હતી, જેમાં ૪૦૦ ઘેડેસવારો અને પ૦૦ પગપાળા સૈનિક હતા. કપૂરચંદ ભણશાળી રસ્તાનાં ગામોમાં જે જે રાજાની સરહદમાં જાય તે તે રાજાને જ સંઘના વળાવા તરીકે સાથે લઈ લેતા અને તેમની સરહદ પૂરી થતાં તે તે ઠાકોરને શિરપાવ આપી વિદાય કરવામાં આવતા. કપૂરચંદ ભણશાલીએ સૈનિકે તથા યાત્રાળુઓને સૂચવી દીધું હતું કે કાઠીઓ આવે તો તેમને જોરદાર સામનો કરો. સામનો - કરનારને ઈનામ, પગાર કે આજીવન સવલત આપવાની બાંહેધરી પણ આપી હતી. - આ સૂચનાઓ સાથે મક્કમ પગલે સંઘ ધોળકાથી નીકળ્યો. સંઘે (૧) ધોળકા, (૨) ગાંગડ, (૩) બરોલ, (૪) ધંધુકા, (૫) નાવલ વાઢેલા, (૬) લાલિયાણુ, (૭) ધારુકુ, (૮) સુરા-સણોસરા, (૯) ઢંઢણ–બદરગામ, અને (૧૦) પાલિતાણા. આ દિવસે દરમિયાન સંઘને લૂંટવા માટે કાઠીઓએ ધાડ પાડી હતી પરંતુ ભણશાલીની રક્ષણ વ્યવસ્થાના કારણે તેઓ ફાવ્યા નહીં. ધંધુકા પછીના પડાવથી સંઘ જ્યારે ઊપડ્યો અને નાવલ વાઢેલા જવાનો હતો ત્યાં રસ્તામાં ધાડપાડુઓ ત્રાટક્યા. મારામારી WWW.jainelibrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ | ૭૭ શરૂ થઈ. સામસામી ખટૂંકા છૂટી. આ ધમાલમાં હાથી કાઠીની ઘેાડી મારી ગઈ, ધાડપાડુએ ત્યાં નાઠા અને સંઘ ક્ષેમકુશળ નાવલ–વાઢેલા પહેાંચી ગયા. કાઠીઓએ નાવલવાઢેલા અને લાલિયાણા વચ્ચે રસ્તામાં ધાડું મેાકલ્યું. અહી” એક વાણિયા યાત્રાળુ બરછી લઈ કાઠીએની સામે લડચો ત્યારે કાઠીઓ નાહિંમત બની નાસી ગયા. સંઘ લેાલિયાણા પહેાંચી ગયા. ભણશાલીએ આ બહાદુર વાણિયાને ભારે રકમનુ ઇનામ આપ્યું. સંઘ લેાલિયાણામાં ત્રણ દિવસ રાકાયા. તે પછી દ્વારકા ગયેા. તે ભાવનગરની સરહદનું ગામ હતું. ભાવનગરના રાજવી ભાવસિંહજીએ દ્વારકામાં આવી સંઘ પાસે દાણુ માગ્યું. ભણશાલીએ દાણ આપવાની સાફ ના પાડી. પરિણામે મામલા બગડયો. આથી સઘને અહી સાત દિવસ સુધી રાકાવુ' પડ્યુ અને સધ્ધતિ પ્રેમજી પારેખે રાજા મસિંહને સીધા મળી શાંત પાડી, મનાવી વાળાવા તરીકે પેાતાની સાથે લીધેા. તેની સરહદ પૂરી થતાં સંઘવીએ તેને શિરપાવ આપી ખુશ કરી રવાના કર્યાં. ગારિયાધારની ગાહેલ ગાદીએ અનુક્રમે (૧૬) ઠા॰ શવાજી, (૧૭) ઠા॰ સરતાનજી, (૧૮) ઠા॰ કાંધાજી અને (૧૯) હા પૃથ્વીરાજજી થયા હતા. (- પ્ર૪૦ ૪૪, પૃ૦ ૧૧) પાલિતાણાના (૨૦) ડાકાર કાંધાજીના પુત્ર (૨૧) ઠા૰ પૃથ્વીરાજજી ઢાલ-વાજા સાથે લઈને ઢુંઢણુ બંદર ગામ સુધી સામે આવ્યા હતા. સંઘે સં૰૧૭૭૦ના વૈ૦ ૧૦ પના રાજ પાલીતાણામાં લલિતા સરાવરના કિનારે પડાવ નાખ્યા. સંઘ ખીજે દિવસે શત્રુંજય તીથ ઉપર ચડવા લાગ્યા. સ`ઘે માર્ગ વચ્ચે આવતી ધેાળી પરખ, નીલ પરબ, કુમાર કુંડ, સુંદર પરબ, ભવાનીવાળા, હીગળાજના હુડા, સાલા કુંડ અને હીરાબાઈની પરબ ( અધૂરા કુંડ ) વગેરે સ્થાને વિસામેા લીધે અને આગળ વધ્યે, દાદાનાં દર્શન કર્યાં. સંઘ વૈ૦ વ૦ ૬ થી અમાસ સુધી હંમેશાં શત્રુંજય તીર્થ ઉપર ચડી શ્રી આદીશ્વર દાદાની યાત્રા કરી દાદાનાં દર્શન કરતા. તે જ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૮] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સમયે ત્યાં વરસાદ થયે. ઉપા) શ્રી ઉદયરત્ન પિતાના “શત્રુંજય ભેટો રે” સ્તવનમાં આ ઘટનાની નેધ લીધી છે. આ સંઘમાં ૪ જૈનાચાર્યો, ૩૦૦ મુનિવરો, ૪૦૦ ગવૈયા-ભોજકે અને ૧૭૦૦ ગાડાં હતાં. શત્રુજ્ય ઉપર હમેશાં રાત્રપૂજા, સત્તર ભેદી પૂજા, વાજિંત્રોગીત અને દાંડિયારાસની રમઝટ સાથે ભણતી હતી. દાદાને નિત આંગી ચડાવાતી. સંઘને પડાવ નીચે લલિતા સરોવરના કિનારે હતો પણ ઘણું યાત્રાળુઓ હમેશાં ઉપર ચડતા હતા અને સાંજે નીચે આવી જતા હતા. પાલિતાણું નગરમાં પણ ભાગ શ્રી આદીશ્વરના જિનાલયમાં નિત્ય પૂજા, આંગી અને રાત્રિજ–ભાવના બેસતી અને પ્રભાવનાઓ થતી રહેતી. મુનિઓનાં રોજ વ્યાખ્યાન પણ ચાલુ હતાં. સંઘમાં સાથે ત્રણ–ચાર નાના સંઘે ભળેલા હતા તેમ બીજા લગભગ ૩૬૦ ગામેના જેને હતા. પાલિતાણાના ઠાકર કાંધાજીએ સં. ૧૭૦૭માં શેઠ શાંતિદાસ, શેઠ રતના સૂરા અને તપાગચ્છની પેઢી સાથે તીર્થના રપાન કરાર કર્યો હતો. (પ્રક૪૪,) સંઘપતિ પાલિતાણાના ઠાકરને કરાર મુજબ રકમ આપવા તૈયાર હતા પણ તેમાં ગરબડ ઊભી થઈ. પાલિતાણુના યુવરાજ પૃથ્વીરાજને સુરતી લાલાને માતબર સંઘ જોઈને લોભ લાગ્યો અને કરારનો ભંગ કરી વધુ રકમ લેવાની ઈચ્છા દર્શાવી. યુવરાજ પૃથ્વીરાજે વૈશાખી અમાવાસ્યાના દિવસે સંઘપતિ પાસે જઈ મુંડકાના રૂા. ૧૬૦૦૦ સોળ હજાર માગ્યા. કપૂરચંદ ભણશાળીએ સાફ સંભળાવી દીધું કે એક પાઈ પણ નહીં મળે. આ રકમ માટે ભાંજગડ ચાલી. પાલિતાણાના વેપારી વાણિયા અને બારોટો વચ્ચે પડ્યા. રકમ ઘટતાં ઘટતાં રૂા. ૬૦૦૦ છ હજાર અને છેવટે ત્રણ હજાર સુધી આવીને અટકી પરંતુ મામલો સુધર્યો જ નહીં. આ ભાંજગડમાં છ દિવસે પસાર થઈ ગયા. Page #120 -------------------------------------------------------------------------- ________________ સતાવન ] ભદારક વિજયદાનસૂરિ [૭૯ કપૂરચંદ ભણશાળીએ જેઠ સુદિ આઠમના રોજ સંઘને અહીંથી નીકળી જવાની ગોઠવણ કરી પણ વેપારી અને બારોટએ આવી ભણશાલીને સમજાવ્યા કે સંઘપતિ માળા પહેરે નહીં ત્યાં સુધી જવાય નહીં. માટે એક દિવસ રહી જાઓ. મામલે સુધરી જશે. માળા પહેરીને જજે. ભણશાળીએ કરડાકીમાં રોકડું પરખાવી દીધું. –“અમે માન્યા તે દેવ નહીં તો પાષાણ.” (- કડી ઃ ૧૩૨) આઠમે મામલો કંઈ સુધર્યો નહીં. સંઘે તેમની સવારે પ્રયાણ કર્યું. ઠાકોરે લલિતા સરવરના કિનારે પોતાના ભાયત, ઠાકરડાઓ, કેળીઓ વગેરેને બોલાવી આડા ઊભા રાખ્યા અને સંઘને રોકી રાખવા સામસામી મારામારી ચાલી. ઠાકરના માણસેએ સંઘ ઉપર ભાલાં, તીર, પથ્થરગોળા વગેરે ફેંકયા. સંઘના રક્ષકોએ વળતાં તેમની ઉપર બંદૂકની ગોળીઓ છોડી. આ મારામારીમાં ઠાપૃથ્વીસિંહનો ભાઈ અને બીજા વીશ માણસો મરાયા. નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશના શેઠ હીરજી ઝવેરીએ વચમાં પડી સંઘના રક્ષકોને ભગ0 શ્રી આદીશ્વરની આણ આપી આ મારામારીથી રોક્યા અને મામલો શાંત પડ્યો. - શેઠ હીરજી ઝવેરીને થયું કે સંઘને અપયશ મળશે, માટે માંડવાલ કરી કામ લેવું ઠીક છે. તેમણે સંઘવી પાસેથી ઠાકરને સંતોષ થાય તેટલી રકમ અપાવી મામલે સુધારી લીધો. પછી જેઠ સુદિ ૧૦ ના રોજ સંઘવી અને તેમની બે પત્નીએ આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિના હાથે તીર્થ ઉપર સંઘમાળા પહેરી. તે પ્રસંગે તેઓએ તથા યાત્રાળુઓએ વ્રત-પચ્ચખાણ સ્વીકાર્યા. સંઘપતિની શરૂઆતથી જ ભાવના હતી કે શ્રી શત્રુંજય અને શ્રી ગિરનારની યાત્રા કર્યા પછી સંઘને પાછા સુરત લાવો; પરંતુ કાઠીઓનું તોફાન અને મુંડકાની રકઝકમાં ઘણા દિવસો પસાર થઈ ગયા તેથી સૌના મન ઉદાસ બની ગયાં હતાં અને સૌ જલદી પાછા જવા માટે ઉતાવળા થઈ ગયા હતા. વળી માસું નજીક આવતું હતું. આથી સંઘે અહીંથી પાછા વળી જવાનો નિર્ણય કર્યો. સંઘે પાલિતાણાથી નીકળી મેટાં મોટાં મુકામેએ પડાવ નાખ્યા. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ઢંઢણબંદર ગામ, મેતલી, થાણા, લલિયાણા, પીપળિયું, નાવલિયાઢેલી અને ધંધુકા થઈ ધોળકા પહોંચી ગયો. અમદાવાદ, પાટણ અને ખંભાતના નાના સંઘો અહીંથી છૂટા પડ્યા. સંઘવી પ્રેમજી પારેખન સંઘ સીધા રસ્તે થઈ સુરત જઈ પહોંચ્યો. આ સંઘનું વર્ણન નીચેના ગ્રંથોમાં આલેખાયેલું મળે છે – (૧) પં. સુખસાગર ગણું કૃત ‘પ્રેમવિલાસરાસ” કડી = ૪૫. (૨) પં૦ અમરવિજય ગણું કૃત “સંઘપતિ પ્રેમજીને સલેકે ગ્લ૦ ૧૬૧ થી ૨૪૧. (૩) શીઘ્રકવિ મહે. ઉદયરત્ન ગણકૃત “સિદ્ધાચલમંડન ઋષભદેવ સ્તવન’ ઢાળ : ૯ (૪) ઉપા. દેવચંદ્ર ગણું શિષ્ય પં. મતિરત્ન ગણીકૃત “સિદ્ધાચલ તીર્થમાળા” સં. ૧૮૦૪ એક લેખ મળે છે.– “શા. પ્રેમજી ચૂલી અટકાવી વિશા શ્રીમાળીએ સં. ૧૭૮૮ના મહાસુદિ ૬ ને શુક્રવારે શત્રુંજય તીર્થમાં તપાગચ્છના ભટ્ટા. શ્રી સુમતિસૂરિના હાથે ભ૦ શ્રી ચંદ્રપ્રભની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.” (– એપીગ્રાફિયા ઈડિકા ભા. ૨, પ્રક. ૬ લેખ નં. ૩૭) કપૂરચંદ ભણશાળી તથા અનુપસિંહ ભંડારી – કપૂરચંદ ભણશાલી અમદાવાદને ઓશવાળ જૈન હતે. મેટે ધનાઢય અને જૈન સંઘને અગ્રણી હતા. દિલ્હીના બાદશાહ ફરુખશેઅર (સં. ૧૭૭૦ ના મહાવદિ ૧૦થી સં. ૧૭૭૫ના ફા. સુર ૯) ને તે માનીત મહાજન હતો. ખેજા હજીર (હમીર) સૂબાનો દીવાન હતો. શ્રો અને વીર હતો. કોઈ માનવી તેની આજ્ઞા ઓળંગી શકતો નહોતો. જે તેને વિરોધ કરે તેને જગદીશ રૂઠો” એમ સમજવું. જે નમતા આવે તેની તે કદર કરતો – ભેટ, ઈનામ પણ આપતો. પ્રજા ઉપર કઈ જુલમ થાય તો જુલમ કરનારની સામે તે ઝૂઝતો હતો; છતાં તે ધર્મપ્રેમી શ્રાવક હતા. વળી, વટનો કટકો હતો તેથી તે પોતાનું ધાર્યું કરતો હતો. રાજ્યના અમલદારો પણ તેનાથી ડરતા. આથી તે સૌને આંખના Page #122 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૮૧ કણુ માફક ખટકતો હતો. અમલદારે તે ઈચ્છતા હતા કે પ્રસંગ આવે ભણશાલીને ઉખેડી નાખો. એવા બે પ્રસંગે ઉપસ્થિત થયા. (૧) મદન ગોપાલ –એ ઉત્તર ભારત માટે શરીફ હતો. આજે તેના નામને દિલ્હીમાં મહોલ્લો છે અને અમદાવાદમાં એની હવેલી પ્રસિદ્ધ છે. તે ફિરોજ ગિઝની સાથે અમદાવાદમાં ખજાનચી તરીકે આવ્યો હતો. તેના માણસ હરિરામે સં. ૧૭૭૧ (ઈ. સ. ૧૭૧૪)ની હળીમાં અમદાવાદમાં એક મુસલમાનની છેડતી કરી, આથી મુસલમાને એકત્ર થઈ મદનગોપાલની હવેલી બાળવા માટે ઊપડ્યા. તે ટેળું ઝવેરીવાડમાં આવ્યું કે તરત કપૂરચંદ ભણશાલીએ ઝવેરીવાડના દરવાજા બંધ કરી પોતાના સૈનિકોને મુસલમાન ટોળા ઉપર બંદૂકની ગોળીઓ છોડવા હુકમ કર્યો. સૂબાએ નગરના મેટા આગેવાનોને સાથે રાખી વચ્ચે પડી રમખાણ શાંત પાડયું. આ મામલાની હકીકત દિલ્હીના બાદશાહ પાસે પહોંચી. બાદશાહે કપૂરચંદ ભણશાલીને પકડાવી કેદમાં પૂર્યા. મુસ્લિમ મુલ્લાએ લાગવગ વાપરી તેને છોડાવ્યો. છૂટીને અમદાવાદ આવ્યો ત્યારે લોકોએ એને પ્રશંસાનાં પુષ્પોથી વધાવ્યો. આ પ્રસંગને ઉદ્દેશીને એ વખતે અમદાવાદમાં રાસડો જોડાયો હતો કે – “હાર્યો હાર્યો મદનગોપાલ, જીત્ય જીત્યો કપૂરશા ઓશવાલ.” વિ. સં. ૧૭૭૧ (ઈ. સ. ૧૭૧૪-૧૫)માં સાબરમતી નદીમાં પૂર આવ્યું તેથી અમદાવાદને ઘણું વેઠવું પડ્યું. (૨) અનૂપસિંહ ભંડારી - દિલ્હીને બાદશાહ ફરુખશેઅર સં. ૧૭૭૬ (ઈ. સ. ૧૭૧૯)માં સિયદોના હાથે મરાયો. પછી ગુજરાતના સૂબાઓ પણ બદલાયા. રાજા અજિતસિંહ સને ૧૭૨૦માં અમદાવાદને સૂબે બન્યો. તેણે ગુજરાતની વ્યવસ્થા માટે અનૂપસિંહ ભંડારીને પોતાના વતી અમદાવાદ મોકલ્યા. અનૂપસિંહ ભંડારી ઓશવાલ જૈન હતો. રાજવ્યવસ્થામાં અતિકુશળ હતો. પિતાના કાર્યની આડે આવનારની સામે કડક હાથે કામ લેતાં તે પાછી પાની કરે એવો નહોતે. અમદાવાદના જૂના અમલદારોએ “કાંટાથી કાંટા નીકળે ” એ કહેવત અનુસાર કપૂરચંદ ભણશાલી વિરુદ્ધમાં અનૂપસિંહના કાન ભંભેર્યા. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૨] જેન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ કપૂરચંદ ભણશાલી પોતે જે પગારદાર પાસવાને રાખતો હતો તે બધા શસ્ત્રધારી હતા. ભંડારી કાઈને અન્યાય થતાં ગુનેગારને જેલમાં પૂરે તો આ પાસવાને તેને બળજબરીથી છોડાવી દેતા હતા. આથી ભંડારીએ ગુસ્સે થઈ સં. ૧૭૭૬–૭૭માં ભણશાલીનું હિચકારું ખૂન કરાવ્યું. (– મુંબઈ ગેઝેટિયરના પૃ. ૨૯૮માં અંગ્રેજીમાં ગુજરાતનો ઇતિહાસ, નર્મદાશંકરે પિતાના “ગુજરાત સર્વસંગ્રહ' પૃ. ૩૨માં તે અંગ્રેજીનું કરેલું ભાષાંતર; “સૂર્યપુરને સુવર્ણયુગ-પ્રસ્તાવના” પૃ. ૭૧ થી ૭૩) કપૂરચંદ ભણશાલીનું ખૂન થવાથી તેના વંશજે સુરત જઈ વસ્યા. થોડાં વર્ષો પહેલાં સુરતમાં શા માણેકચંદ રૂપચંદ ભણશાલીની પેઢી પ્રસિદ્ધ હતી. તેના ઘરની આસપાસ વિભાગ આજે પણ ભણશાલીને મહોલ્લો કહેવાય છે. ભણશાલી વંશના એક ભાઈએ “ગુજરાત સમાચાર” અને “દાંડિયા” નામનાં સમાચારપત્રે કાડ્યાં હતાં, જે ખૂબ લોકપ્રિય હતાં. ૨ સંધપર કચરા કીક – એ શારવજી શ્રીમાલીના વંશનો હતો. તેને બે ભાઈએ હતા. એ ત્રણે ભાઈઓ પાટણથી સુરતમાં આવી વસ્યા. તેણે બે તીર્થ સંઘ કાઢ્યા હતા. (૧) શ્રી સમેતશિખર મહાતીર્થન સંઘ સં. ૧૭૯૪ અને (૨) શ્રી શત્રુંજય મહાતીર્થને સંઘ સં. ૧૮૦૪. (૧) સંઘવી કચરા કીકા પટણીએ અધ્યાત્મયોગી શ્રી. દેવચંદ્રજી મહારાજના ઉપદેશથી સં. ૧૭૯૪માં શ્રી “સંમેતશિખર મહાતીર્થન યાત્રાસંઘ” કાઢયો હતો. તેમાં સાધુ-સાધ્વી સાથે નહોતાં. માત્ર શ્રાવક અને શ્રાવિકાઓ જ હતાં. શ્રી. દેવચંદજી મહારાજે પિતાની પાસે ભણતા અમદાવાદના શા. લાલચંદના પુત્ર પૂંજાશાહ વિદ્યાથીને ધર્મક્રિયા કરાવવા માટે આ સંઘમાં સાથે મોકલ્યો હતો. સંઘ સુરતથી વહાણમાં નીકળી કલીકેટ ( કલકત્તા ) પહોંચ્યા. ત્યાં ભગ૦ શ્રી પાર્શ્વનાથની સેવા-પૂજા કરી. ત્યાંથી નીકળી મસુદાબાદ થઈ મધુવન (શિખરજી) પહોંચ્યો. તે સમયે ત્યાં પાલગંજ રાજાએ જોહુકમીથી સંઘને યાત્રા કરવા મનાઈ Page #124 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ! ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૮૩ કરી; પરંતુ તે જ રાત્રે મિયાદેવે ખુશાલચંદનું રૂપ બનાવી પૂજા શાહને સ્વપ્નમાં દર્શન દીધાં. તેણે પૂજાશાહના મુખથી યાત્રાના અંતરાયની વાત જાણી. પૂજાશાહને સાથે લઈ શ્રી નંદીશ્વર તીર્થ તરફ ભગ0 શ્રી સીમંધર સ્વામીનું સમવસરણ વગેરે યાત્રાઓ કરાવી ને સાથોસાથ શ્રી સમેતશિખર મહાતીર્થની યાત્રા ખુલ્લી મુકાવી. સંઘને યાત્રા કરવાની અનુકૂળતા કરી આપી. પછી સંઘ શિખરજી મહાતીર્થથી નીકળી રાજગૃહી, ચંપાપુરી, બ્રાહ્મણકુંડ, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, મથુરા, આગરા વગેરે તીર્થોની યાત્રા કરી ગુજરાતના પાટણ થઈ સુરત આવ્યા. પૂજશાહ આ યાત્રા કરી પૂજ્ય શ્રી દેવચંદજી મહારાજની આજ્ઞા લઈ સુરતથી અમદાવાદ આવ્યા, તેણે સં. ૧૭૯૬ના વૈ૦ સુ. ૬ ના રોજ અમદાવાદમાં પરમ સંવેગી શ્રી સત્યવિજયજી ગણીની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુરુજીએ તેનું નામ ઉત્તમવિજય રાખ્યું. ભણીગણીને તેઓ પંન્યાસ પદવીધારી બન્યા. સં. ૧૮૨૭ના મહા સુદિ ૮ ના રોજ અમદાવાદમાં તેઓ કાળધર્મ પામ્યા. તેમના શિષ્ય ઉપાઠ પદ્મવિજય ગણીએ સં. ૧૮૨૮માં પં. ઉત્તમવિજય ગણરાસ” રચ્યો છે, તેમાંથી એમના જીવનની ઝાંખી મળે છે. ( – પૃ૦ ૪૩ ) (૨) સં- કચરા કીકાએ સં. ૧૮૦૪ના કાસુ. ૧૩ને મંગળવારના રોજ સુરતથી શત્રુંજયની યાત્રા કરવા માટે જલ-સ્થળ માગનો યાત્રાસંઘ કાઢ્યો હતો. શારૂપચંદ કચરા પણ આ સંઘમાં ભાગીદાર બન્યા હતા. સંઘ સુરતથી નીકળી વહાણ દ્વારા ડુમસ થઈ ભાવનગર આવ્યો. ભાવનગરથી કાટ વ૦ ૧૩ના રોજ નીકળી પગરસ્તે વરતેજ, કનાડ, તથા ગારિયાધારના રસ્તે થઈ પાલિતાણું પહોંચ્યો. સંઘે લલિતા સરોવરના કાંઠે પડાવ નાખ્યો. સં૦ કચરા કાકા તથા સંવે રૂપચંદ કચરા એ બંને સંઘપતિઓએ ૧. આ સદીમાં ઘણા ખુશાલચંદ થયા છે. (૧) સુરતના સંધપતિ કપૂરચંદ પુત્ર, (૨) જગત શેઠ ખુશાલચંદ રવ. સં. ૧૮૪૦, (૩) નગરશેઠ ખુશાલચંદ સ્વ. સં. ૧૮૦૫. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૪] જેન પંરપરાનો ઈતિહાસ [પ્રકરણ મહા સુદિ ૩ ના દિવસે શ્રી શત્રુંજય તીર્થમાં “તીર્થમાળા” પહેરી હતી. શ્રી અંચલગચ્છના ભટ્ટા) શ્રી ઉદયસાગર સૂરિ, અધ્યાત્મગી પં. દેવચંદજી ગણી તેમના શિષ્ય મુનિ શ્રી મતિરત્નજી તથા તપાગચ્છના મહોત્ર શ્રી યશોવિજયજી ગણીની યતિપરંપરામાં થયેલા ઉપા૦ શ્રી સુમતિવિજ્યજી વગેરે સંઘ સાથે સુરતથી આવ્યા હતા. અને તપાગચ્છની સંવેગી શાખાના ૫૦ શ્રી સત્યવિજયજી ગણીની પરંપરાના ૫૦ શ્રી જિનવિજયજી ગણીના શિષ્ય ૫૦ શ્રી ઉત્તમવિજયજી ગણી તથા અંચલગચ્છના ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિના શિષ્ય ત્યાગી, વિરાગી અને તપસ્વી ૫૦ ગવિમલ ગણું વગેરે ભાવનગરથી સંઘ સાથે જોડાયા હતા. શેઠ કચરા કાકાના પુત્ર (૧) તારાચંદ તથા (૨) રૂપચંદ અને પૌત્રો (૧) બાલચંદ તથા (૨) મીઠાચંદ વગેરે સંઘમાં સાથે હતા. આ સંઘ પાલિતાણું પહોંચ્યો ત્યારે ખંભાત, ઘોઘા, ભાવનગર, પાટણ, વેરાવલ તેમ જ દક્ષિણ તરફનાં ઘણાં શહેર-ગામેના યાત્રાસંઘે અહીં આવી મળ્યા હતા. ભટ્ટા) શ્રી ઉદયસાગરજીએ સં. ૧૮૦૬ના પોષ સુદિ ૧૫ને સેમવારે શ્રી શત્રુંજયતીર્થમાં “સ્નાત્રપંચાશિકા રચી. પં. શ્રી દેવચંદ્ર ગણુએ શ્રી “સિદ્ધાચલનું સ્તવન” રચ્યું અને તેમના શિષ્ય શ્રી મતિરત્નજીએ શ્રી “સિદ્ધાચલતીર્થને રાસ રચ્યો. સં. કચરા કીકાએ સં. ૧૮૧૦ના મહા સુદિ ૧૩ને મંગળવાર (શનિવાર)ના રોજ પં. શ્રી દેવચંદ્રજી ગણીના ઉપદેશથી શ્રી શત્રુંજયતીર્થ ઉપર ૬૦૦૦ છ હજાર રૂપિયા ખરચીને ભગ0 શ્રી સુમતિનાથ વગેરે જિન પ્રતિમાઓને પ્રતિષ્ઠા ઉત્સવ કરાવ્યો અને તેમાં સાથેના સર્વ આચાર્યભગવંતના હાથે વિવિધ જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવી. તારાચંદ સં૦ કચરા કાકાનો પુત્ર હતો. તારાચંદને ધરમચંદ નામે પુત્ર હતા. ફતેચંદ નામે કાકા હતા અને ફતેચંદને ઝવેરચંદ નામે પુત્ર હતો. Page #126 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારિક વિદાનસૂરિ [૮૫ (૩) સંઘપતિ તારાચંદ –– તયાગચ્છના સંવેગી ગીતાર્થ મુનિરાજ પં. ઉત્તમવિજ્યજી ગણ અને પં. પદ્મવિજયજી ગણીએ સં. ૧૮૦૫થી ૧૮૧૦ સુધી સુરતમાં રહીને ચતિવર શ્રી સુવિધિ વિજયજી પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. તેને ખરચ સં૦ તારાચંદે આપ્યો હતો. સં૧૮૧૩–૧૪માં તેમની પાસે ઉપધાન વહન કર્યા હતાં અને માલારોપણને મેટો ઉત્સવ ઊજવ્યો હતો. સં૦ તારાચંદે બે છરી પાળતા યાત્રાસંઘે કાઢ્યા હતા. (૧) મોરવાડાને ગોડી પાર્શ્વનાથને યાત્રાસંઘ સં. કચરા કાકાએ સં. ૧૮૦૪માં શ્રી શત્રુંજય મહાતીર્થને યાત્રાસંઘ કાર્યો હતો, એ આપણે ઉપર જોઈ ગયા. હવે તેના પુત્ર સં. તારાચંદે શ્રી ગોડીજી પાર્શ્વનાથને છરી પાળતો યાત્રા સંઘ કાઢવાનો નિર્ધાર કર્યો. તેણે કાકા ફતેચંદની સંમતિથી શ્રી ગેડી પાર્શ્વનાથના જિનાલયમાં અષ્ટોત્તરી સ્નાત્રપૂજા ભણાવી. સં. ૧૮૨૧ના માગશર સુદિ ૭ ને સેમવારે કાકા ફતેચંદની આજ્ઞા મેળવી સુરતના જૈન સંઘને એકત્ર કરી તેની પાસે ગોડીજીને યાત્રા સંઘ કાઢવાની રજા માગી અને સંઘમાં પધારવા સૌને આમંત્રણ આપ્યું. સંઘે તેને રજા આપી. સં. તારાચંદે સુરતનાં સમસ્ત જિનાલયમાં અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કરાવ્યો અને સં. ૧૮૨૧ના માગશર વદિ ૨ ને ગુરુવારે સુરતથી ગેડી પાર્શ્વનાથની યાત્રા સંઘ કાઢો. આ સંઘની મુખ્ય દોરવણી આપનાર સંઘપતિનો મહેતો હતો. તે બાલબ્રહ્મચારી દયાળુ જૈન હતો. તેણે અંચલગરછના ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિ, તેમના શિષ્ય ઉપાય શ્રી જ્ઞાનસાગર ગણું, તપાગચ્છની સાગરશાખાના ભટ્ટા, શ્રી પુણ્યસાગર ગણી, તપાગચ્છના સંવેગી ગીતાર્થ પં. ખુશાલવિય ગણી, આગમિક ગરછના ભટ્ટા, શ્રી રત્નસૂરિ, તેમના શિષ્ય ૫૦ હેમચંદ્ર ગણી વગેરે યતિવરો-મુનિવરોને સુરતથી આ સંઘમાં સાથે લીધા હતા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૬] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તે પૈકીના ભટ્ટા, શ્રી પુણ્યસાગરસૂરિ અને ઉપા. શ્રી જ્ઞાનસાગર ગણી પાલનપુરથી પાછા વળ્યા હતા. જ્યારે પંન્યાસ શ્રી અમૃતાનંદગણુના મુનિશ્રી વિમલજી આબૂ આવીને સંઘની સાથે ચાલ્યા હતા. વળી, તપાગચ્છની સંવેગી શાખાના મુનિવર પં. શ્રી ઉત્તમવિજયજી ગણી વગેરે મુનિવરે રાધનપુરથી સંઘની સાથે થયા હતા. આ સંઘમાં સુરત, પાટણ, દમણ, દીવ, વ્યારા, સોનગઢ, રાનેર, વરિયાવ, જંબુસર, પાદરા, દશપરા, કોરાબ, આછોદ, આમેદ, ચાંપાનેર, ખંભાત, બેરસિદ્ધ, પેટલાદ, મહુધા, કપડવણજ,સતરુ, નડિયાદ, વૈરાટનગર, કટોસણ, સાણંદ, બહિયેલ, કડી, ભાવનગર, ઘોઘા, પાલિતાણા, જૂનાગઢ, વાવ, થિરા, સાથલપુર (સાંતલપુર), વગેરે ગામેના નાના-મોટા જૈન સંઘ તથા છૂટક જૈન વગેરે આવીને જોડાયા હતા. આ સંઘે વિવિધ જૈન તીર્થો અને મોટાં નગરોની યાત્રા કરી હતી. સંઘ સં. ૧૮૨૧ના માગ વ. ૨ ના દિવસે સુરતથી નીકળી અનુક્રમે કતારગામ, કઠોર, ચેકી, પાલી, અંકલેશ્વર, રેવાતટ, ભરુઅચ્છ(દેરાસર૦ ર૭), છાણી (દેરા૦ ૫), અડાસ, કરમસદ (શાંતિ જિનમંદિર ૧), ખેડા (રેરા૧), ઉપપુર (વાસ) (દે. ૧), વહુઆ, સરલપુરા (શ્રી મુનિસુવ્રત સ્વામિ દેરા૦ ૧), પિષ વદ ૧ અગર ૧૦ રાજનગર – શ્રીનગર– રાજકૂંગ – અમદાવાદ (મેટાં દેરા- ૬૮, કુલદરા ૩૦૧), નરુડ (શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દે૧), વળાદ, પેથાપુર (દે. ૧), માણસા (દે. ૧) કુકરવાડા (દે. ૧), કડી દે. ૨) વીસનગર (દ. ૬), ગૂંજા (દે. ૧), વડનગર (દે. ૧૦), સિંહપુર (દે૨), તારંગાતીર્થ, ખેરાલુ (દે. ૧), વડગામ (દે. ૧) વગદા સમી (દે. ૧), આણંદપુર (દે. ૧), મગરવાડા (શ્રી માણિભદ્ર યક્ષેક મંદિર ૧), પાલનપુર (દ. ૨૩), ભૂતડી, દાંતીવાડા (દે૧), હણુદ્રા (દે. ૧) ફા. સુત્ર ૭ શનિવારથી ફા૦ સુત્ર ૧૫ આબુતીર્થ (દે. ૫), ફાટ વ૦ ૧ ઢકાપુર (દે. ૧), ધવલી (દેવ ૧), ભટાણા (દે. ૧), પાલનપુર, Page #128 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૮૭ સિદ્ધપુર ( ૪૦ ૧૭ ), પાટણ, રૂપપર, (૪૦ ૧), ચાણસ્મા (દે॰ ૧), પાટણ, કુણુગર, ( દે ૩), શંખેશ્વર તીર્થ, ભીલેાટા, કારડા, જજામ, સેાઈગામ ( શ્રી આદિનાથ દે .), બેણુપ (દે૰૧), ઊઁચાસણ (દે૦ ૧) થઈને વૃષડી – વરખડી આવ્યા હતા. અહી ગાડી પાર્શ્વનાથની યાત્રા કરી. અહી' સ`ઘપતિ તારાચંઢ, સં૦ રત્નકુમારી, પુત્ર ધરમચંદે, પુત્રવધૂ, ફુરડીબેન ફુલબાઈ, તેના પુત્રની વહુ તથા સંધ્ધતિના ભાણેજ શ્રી ગાડીદાસ એમ સાત જણાને સંઘપતિની માળા પહેરાવવામાં આવી. સ`ઘ અહીથી પાછા વળી, મેાટાં મોટાં મુકામેા કરી સુઈગામ, રાધનપુર, કુણુસર, વિસલપુર, ખેડાવાસુ, છાણી, મીરક્ષેત્ર, ઈં ટાણુ અને અંકલેશ્વર થઈ ને સુરત પહોંચી ગયેા. અ‘ચલગચ્છના ઉપા॰ શ્રી જ્ઞાનસાગર ગણીએ (૬૩) ભટ્ટા॰ શ્રી પુણ્યસાગરસૂરિની પ્રેરણાથી સ’૦ ૧૮૨૧માં સુરતમાં તીમાલા ’ • ( ઢાળ–૧૨) રચી છે. ઉપાધ્યાયજીએ આ તી માળામાં સંધે યાત્રા કરેલ અને ઉપર બતાવેલાં દરેક તીર્થો તથા નગરાનું અતિહાસિક વર્ણન આપ્યું છે. ( − જૈન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૯૪ થી ૯૮, જૈન પરપરાના ઈતહાસ, પ્રક૦ ૪૦, પૃ૦ ૫૩૬-પૃo ૬ ) (ર) શત્રુંજય તીર્થના યાત્રાસંધ– સંઘવી તારાચંદ કચરા કીકા સુરતીએ સ′૦ ૧૮૨૬માં સુરતથી શત્રુંજય મહાતીર્થના છ'રી પાળતા યાત્રાસંધ કાઢ્યો હતા. આ સંઘમાં ભટ્ટા॰ શ્રી ઉયસાગર ગણીના શિષ્ય ૫′૦ શ્રી તિલકચંદજી ગણી વગેરે યતિવરા તથા તપાગચ્છના સવેગી ૫૦ શ્રી જિનવિજય ગણી અને ૫૦ શ્રી ઉત્તમવિજય ગણી વગેરે મુનિવરેશ સાથે હતા. આ સંઘ અમદાવાદ થઈ ને પાલિતાણા ગયા હતા. ( સં૦ ૧૮૭ માં ક્ષેમવર્ધન ગણીકૃત ‘શાંતિદાસ શેઠને રાસ') ૫૦ શ્રી ઉત્તવિજયજી ગણીએ સં૦ ૧૮૨૭ના પાષ સુ૦ ૧૪ના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૮] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ રોજ “શ્રી શત્રુંજ્ય સ્તવન” રચ્યું છે. તેમણે તેમાં આ સંઘનું એતિહાસિક વર્ણન આપ્યું છે. ન (જેનયુગ ૫૦ ૧, પૃ. ૨૨૯) (પં. ઉત્તમવિજયજીગણું માટે જુઓ પ્રક. ૬૬) ૪ સંઘપતિ મોદી પ્રેમચંદ લવજી– અમદાવાદમાં કાશ્યપગોત્રીય પરમાર વંશને શેઠ લવજી મેંદી નામે દશાશ્રીમાળી જૈન હતો. તેને (૧) પ્રેમચંદ, (૨) હેમચંદ અને (૩) જયચંદ એમ ત્રણ પુત્ર હતા તથા (૪) તેજકુંઅર નામે પુત્રી હતી. તેજકુંઅર બચપણથી જ ધર્મપ્રેમી હતી. કહેવાય છે કે તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થઈ અને પિતાના ભાઈઓને ધર્મમાં જોડી રાખી ધાર્મિક કાર્યોમાં મદદ કરતી રહેતી. શેઠ પ્રેમચંદ વગેરે ત્રણ ભાઈઓ સુરત આવી વસ્યા. આથી તેઓ સુરતી તરીકે ખ્યાતિ પામ્યા. શેઠ પ્રેમચંદને વીજળી નામે પત્ની હતી. તેની પાસે અઢળક લમી હતી. (– શેઠ કૃત વર્ણન) (૧-૨) શ્રી શત્રુંજય તીર્થના યાત્રાસંધ સં. પ્રેમચંદ મોદી વિ. સં. ૧૮૩૦માં શ્રી શત્રુંજયતીર્થની યાત્રાએ ગયે હતું. તેણે સં. ૧૮૩૬માં તપાગચ્છના ભટ્ટાશ્રી વિજયધર્મસૂરિ (સં. ૧૮૦૯ થી ૧૮૪૧)ની અધ્યક્ષતામાં છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. તેણે સં. ૧૮૩૬ના ચિત્ર સુ. ૧૩ ને શુક્રવારે ભટ્ટા, શ્રી વિજયધર્મસૂરિના ઉપદેશથી શત્રુંજય તીર્થમાં બેડિયારના કુંડના ઉપરના ભાગમાં મોટું જિનાલય બંધાવવાનો નિર્ણય કર્યો. એટલું જ નહિ, એનું પણ શરૂ કરાવી દીધું. સં. ૧૮૩૭માં જિનાલય તૈયાર થઈ ગયું. (૩) શ્રી શત્રુંજય તીર્થને યાત્રાસંધ સં. પ્રેમચંદ મોદીએ સં. ૧૮૩૭ના પિ૦ સુ. ૨ ના રોજ સુરતથી શ્રી શત્રુંજય તીર્થનો જલ–સ્થલમાર્ગના નાનકડા યાત્રા સંઘ Page #130 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસરિ [ ૮૯ કાઢઢ્યો હતો. તેમણે આ સંઘમાં તપાગચ્છની સાગરશાખાના ભટ્ટા શ્રી ઉદયસાગરસૂરિ, પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરિની પરંપરાના ભટ્ટા, શ્રી વિજ્યદયસૂરિ, ભટ્ટાશ્રી વિજયધર્મસૂરિ (સં. ૧૮૦૯ થી ૧૮૮૧), ભટ્ટાશ્રી વિજય જિનેન્દ્રસૂરિના મહોપાધ્યાય (૬૫) પં. શ્રી ખુશાલવિજય ગણના શિષ્ય (૬૬) પં. શ્રી ઉત્તમવિજય ગણીની પરંપરાના (૬૫) મહ૦ શ્રી સુમતિવિજ્ય ગણના શિષ્ય (૬૬) પં શ્રી ઉત્તમવિજય ગણી વગેરે પરિવારને, પિતાના કુટુંબને અને બીજા થોડા જૈનેને સાથે લીધા હતા. સંઘ પિ૦ સુ. ૨ ના રોજ નીકળી વહાણમાગે ભાવનગર જઈ ગાડા રસ્તે સં. ૧૮૩૭ના પોષ સુત્ર ૫ ને મંગળવારે પાલિતાણા પહોંચ્યું. ત્યાં લલિતા સરોવરના કિનારે પડાવ નાખ્યા. સં. પ્રેમચંદ મેદીએ ઠા. ઉનડજીને રખેપાની મોટી રકમ આપી સૌનો રાપા કરાર માફ કરાવ્યા. સંઘ ડેરા-તંબૂ લઈ ઉપર ચડ્યો. રસ્તામાં આંબડવાવ, ભૂખણની વાવ, તળેટી, નીલી પરબ, પેળી પરબ, કુમારકુંડ, હીંગલાજનો હડે, માનડિયા, કેટને દરવાજે, સૂરજપાળ, વાઘણપોળ, ચકેશ્વરી દેવીના મંદિરે થઈ શ્રી આદીશ્વર દાદાના દર્શન કરી મોદીએ બંધાવેલા જિનાલય પાસે ગયો. સૌ નવા જિનપ્રાસાદને જોઈને ખુશ થયા. મેદીએ તેની ચારે બાજુએ બીજાં મંદિર બંધાવવાને હુકમ આપ્યો અને મહોશ્રી ખુશાલવિજય ગણના શિષ્ય ૫૦ શ્રી ઉત્તમવિજય ગણુને વિનંતી કરી કે, “આપ હવે ભટ્ટારકજીને અહીં બેલા. તેઓ જલદી આવે એટલે પ્રતિષ્ઠા તરત કરાવવી છે.” સંઘ અહીંની યાત્રા કરી ભાવનગર, ઘોઘા થઈ વહાણ દ્વારા સુરત પહોંચી ગયે. (૪) શ્રી શત્રુંજય તીર્થને યાત્રાસંધ – પ્રતિષ્ઠા સુરતના સંઘવી પ્રેમચંદ લવજીએ શ્રી શત્રુંજયતીર્થમાં તૈયાર કરેલ પ્રેમચંદ મેદીની ટૂક વગેરે તથા ત્યાંનાં બધાંએ જિનમંદિરોની પ્રતિષ્ઠા કરાવવા માટે મૂહર્ત જોવરાવ્યું. અને વિસં૧૮૪૩ના મહાસુદિ ૧૫ ને સોમવારને દિવસ પ્રતિષ્ઠા માટે નક્કી કરવામાં આવ્યા. જે. ૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ તેણે તપાગચ્છના (૬૬) ભટ્ટા॰ શ્રી વિજયધસૂરિને આ દિવસે શ્રી શત્રુંજયતીમાં પધારી પ્રતિષ્ઠા કરવા વિનંતી કરી; પરંતુ ભટ્ટા॰ શ્રી વિજયધર્મસૂરિ વિ॰ સં૦ ૧૮૪૧માં મારવાડના ખુલંદનગરમાં કાળધર્મ પામી ગયા. આથી તેમની પાટે વિ॰ સ ૧૮૪૧ના મહાસુદ ૧૦ ના દિવસે નવા ભટ્ટારક આ॰ શ્રી વિજય જિનેન્દ્રસૂરિને સ્થાપન કરવામાં આવ્યા. ૯૦ સંઘવીએ તેમને મારવાડના સિરાહી નગરમાં આમંત્રણ માકલી શ્રી શત્રુ ંજયતી માં પધારી માઢીની ટૂંકની પ્રતિષ્ઠા કરવા વિન'તી લખી માકલી. જુદા જુદા નગરામાં જૈન સધાને ક"કાત્રી માકલી. આ પ્રસંગે શ્રી શત્રુંજય તીર્થમાં પ્રતિષ્ઠા-ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. સંઘવી મેાદીએ સુરતના જૈન સંઘને એકઠા કરી સૌને સંઘમાં અને પ્રતિષ્ઠામાં પધારવા વિનતી કરી. સાથેાસાથે સંઘ કાઢવા તથા પ્રતિષ્ઠા કરાવવાની રજા માગી. ત્યાં વસતા શેઠ મેઘાશાહ જૈનને શ્રી શત્રુંજય તીના છ'રી પાળતા યાત્રાસંઘ લઈ જવાની ભાવના હતી. તેણે સંઘવી માદીને વિનતી કરી કે આ સધમાં મારી ભાગીદારી રાખેા.' માદીએ તેની વિનંતી સ્વીકાર કર્યાં. < સુરતના સઘે તે સૌને સંઘ કાઢવાની રજા આપી તથા (૧) પ્રેમચંદ મેાદી અને (૨) હેમચંદ મેાદી, ( ૩ ) જેચંદ મેાઢી અને ( ૪ ) શેઠ બેઘાશાહને સઘપતિનાં તિલક કરવામાં આવ્યાં. સંઘે સ૦ ૧૮૪૩ના મા૦ ૩૦ ૨ ને સેામવારે સુરતથી પ્રયાણ કર્યું. તેણે અમદાવાદના નગરશેઠ વખતચંદને અમદાવાદથી પેાતાના સંઘમાં સાથે લીધા. સંઘે પાલિતાણા જઈ લલિતા સરોવરના કિનારે પડાવ નાખ્યા. ત્યાંના ઠા. ઉન્નડજીને મેલાવી રખાપાની મેાટી રકમ આપી સૌ યાત્રિકાના રખાપા કર માફ કરાવ્યા. શ્રી શત્રુંજય ઉપર મેાદીની ટૂકનાં બધાં જિનાલયેા માટેની નવી જિન પ્રતિમાએ તૈયાર થઈ ગયેલી હતી, તેમનાં શ્રીસÛ દેશન કર્યાં. Page #132 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [૯૧ આ સંઘમાં અંચલગચ્છના ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિ, અને મહોત્ર શ્રી ખુશાલવિજય ગણના શિષ્ય પં. ઉત્તમવિજય ગણ વગેરે સાથે હતા. તપાગચ્છના ભટ્ટા શ્રી વિજય જિનેન્દ્રસૂરિ સંઘપતિની વિનંતી આવતાં ભટ્ટા. શ્રી વિજયજિનેન્દ્રસૂરિ, મહ૦ શ્રી ખુશીલ વિજય ગણી વગેરે સં. ૧૮૪૨માં સિરોહીમાં ચાતુર્માસ રહ્યા. તેઓએ ત્યાંથી પાલિતાણું આવવા માટે વિહાર કર્યો. તેઓ રેહાઈ દેશ, બ્રાહ્મણવાડા તીર્થ, રાજા નદિવને ભરાવેલ જીવિતસ્વામીનું નાદિયા તીર્થ, લેટાણામાં શ્રી આદિનાથ; વસંતગઢમાં ભગ. શ્રી શાંતિનાથ, હમીરપુરને કેટવાળો જિનપ્રાસાદ વગેરેનાં દર્શન કરતાં કરતાં આવી રહ્યા હતા ત્યાં સંઘવી મેદીની. શ્રી શત્રુંજય જલદી પધારવા માટે વિનંતી આવી. પિતે નવા ભટ્ટારક બન્યા હતા. તપાગચ્છની વિજયશાખાની મર્યાદા મુજબ મગરવાડામાં શ્રી મણિભદ્રજીની યાત્રા કરવી જરૂરી હતી. આથી તેઓ મગરવા શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ વગેરેની યાત્રા કરી સૌરાષ્ટ્રના લીબડી શહેરમાં પધાર્યા. અહીં તેમને સંઘવી મોદીના મુનિએ શ્રી શત્રુજ્ય જલદી પધારવા ફરી વિનંતી કરી. આથી તેઓ મહાસુદિ ૮ ના રોજ ત્યાંથી વિહાર કરી મહા સુદિ ૧૦ના રોજ પાલિતાણું લલિતા સરોવરના કાંઠે પહોંચ્યા. સંઘપતિએ તેમનો પ્રવેશ મહત્સવ કર્યો. બીજા જ દિવસે શ્રી શત્રુંજ્ય ઉપર મેંદીની ટ્રકની તેમના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવવાની હતી. એ દિવસે સૌ શ્રી શત્રુંજય ઉપર ગયા. સં. પ્રેમચંદ મેંદી વગેરે ત્રણ ભાઈઓ અને શેઠ બોઘાશાહ ઇદ્રો બન્યા. પ્રેમચંદ મેદીની પત્ની વીજળી અને શેઠ બેઘાશાહની પત્ની શેઠાણી ગુલાબબાઈ ઇંદ્રાણી બન્યાં. પાલિતાણું શહેરમાં મેટા જિનાલયમાં નિત પૂજા, આંગી, રાત્રિજગે, પ્રભાવના વગેરે ચાલુ હતાં. શ્રી શત્રુંજય તીર્થ ઉપર પણ રોજે રોજને ઉત્સવ ચાલુ હતે. તપાગચ્છના ભટ્ટા. શ્રી વિજયજિનેન્દ્રસૂરિએ વિ. સં. ૧૮૪૩ ના મહા સુદિ ૧૫ ને સોમવારે શુભ મુહૂર્તમાં સંઘવી પ્રેમચંદ મોદીના જિનપ્રાસાદની ટ્રકનાં બધાં મંદિરોની તથા તેમાં બિરાજમાન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૨] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ કરવાના મૂળનાયક ભ. શ્રી આદિનાથ વગેરે બધી પ્રતિમાઓની અંજનશલાકા–પ્રાણ પ્રતિષ્ઠા કરી. (–એપિઝાફિયા ઇન્ડિકા, ભા. ૨, લેટ નં. ૪૪) એ જ આચાર્યશ્રીએ વિસં. ૧૮૪૩ના મહા વદિ પ ને બુધવારે મેંદીની ટ્રકના મોટા જિનાલયમાં તથા નાની–મેટી દેરીઓમાં મૂળનાયક ભગવ શ્રી આદિનાથ વગેરે જિનપ્રતિમાઓને પ્રવેશ કરાવી ગાદીની પ્રતિષ્ઠા–સ્થાપના કરી. આચાર્યશ્રીએ પ્રેમચંદ મોદીના જિનાલયનું નામ સર્વતૈભદ્રપ્રાસાદ રાખ્યું. પ્રેમચંદ મેદીની ટ્રકના મૂળનાયક ભગવ શ્રી આદિનાથની ગાદીમાં લેખ આ પ્રકારે છે– “સંવત ૧૮૪૩ શાકે ૧૭૦૮ મહા સુદિ ૧૧ સોમવારે કાશ્યપ ગોત્રના, પરમાર વંશના દશા શ્રીમાલી અસલમાં રાજનગરના વતની પ્રેમચંદે ભગવાન શ્રી આદિનાથની જિનપ્રતિમા ભરાવી અને તપગચ્છના ભ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.” (– ડો. બુલ્હરના લીટ્સના આધારે શ્રી. જિનવિજયજીનો “પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા૦ ૨,” અવલોકન પૃ. ૫૩) વિન અને શાંતિ સેંધપાત્ર ઘટના એ છે કે, મહા સુદિ ૧૦ ને રવિવારે શ્રી શત્રુંજયતીર્થના પહાડ ઉપર જોરથી હવા ફૂંકાવા લાગી, કડકડતી વીજળી ચમકવા લાગી. વરસાદને ગજરવ થયે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો. સૌ કોઈ મૂંઝાયા કે આવતી કાલે ભગવ શ્રી આદિનાથ વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા થશે કે નહીં ? પરંતુ મહા સુદિ ૧૦ ની રાત પૂરી થતાં જ આ બધું તોફાન શાંત થઈ ગયું. અને મહા સુદિ ૧૧ ને સેમવારે ભટ્ટાશ્રી વિજય જિનેન્દ્રસૂરિએ ઘણું આનંદથી ભગવ શ્રી આદિનાથ વગેરે જિનપ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી. સંઘમાં ઘણે આનંદ વતી રહ્યો. પછી તે સંઘ અહીં વધુ રોકાયે. સાધુ, સાધ્વી, શ્રાવક અને Page #134 -------------------------------------------------------------------------- ________________ [૯૩ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ શ્રાવિકા એ ચારે સંઘે જુદી જુદી પગપાળા શ્રી આદિનાથની યાત્રા કરી અને છ કેશની પ્રદક્ષિણ વગેરેથી પણ યાત્રા પૂરી કરી. ભટ્ટારકજી અને સંઘ યાત્રા કરી નીચે શ્રી શત્રુંજયની તળેટીએ આવ્યા. અહીં સંઘવી પ્રેમચંદ મેદીએ ભટ્ટા) શ્રી વિજયજિનેન્દ્રસૂરિને પિતાના રથાને પધરાવી સ્નાત્ર પૂજા કરી બે શાલ ઓઢાડી. બીજા ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિ વગેરે અને ઉપાધ્યાયને પણ સ્નાત્ર પૂજા કરી એકેક શાલ ઓઢાડી. ચતિવર્યો પણ આવ્યા હતા તે સૌનું બહુમાન કર્યું હતું અને શ્રાવક, શ્રાવિકાઓને પિતાને ત્યાં પધરાવી વામિવાત્સલ્ય કરી જમાડ્યા. સં. પ્રેમચંદ મેદીની ટ્રકના પ્રતિષ્ઠાના ઉત્સવમાં સુરત, અમદાવાદ, પાટણ, ખંભાત, કપડવંજ, પાલનપુર, મારવાડ, કાંકરેજી વિભાગ, ઔરંગાબાદ, આગરા, બુરહાનપુર, હૈદ્રાબાદ, ભાવનગર, ભરૂચ, ઘોઘા, નવાનગર, કઠાલને પ્રદેશ, ડભોઈ, વડોદરા, પેટલાદ, મિયાગામ, જબુસર, કાવલી વગેરે અને ઝાલાવાડથી મેટી સંખ્યામાં જૈને આવ્યા હતા. સંઘપતિએ તે સૌને લાવી આદર સાથે જમાડ્યા અને ફેફલ–પાન આપ્યાં. સંઘે ભટ્ટારકને આ ચાતુર્માસ સુરતમાં કરવા વિનંતી કરી, જય બેલાવી. સંઘે પાલિતાણાથી પ્રયાણ કર્યું. પહેલા મુકામે શા. કેશરીચંદ લોધાએ આવી ભટ્ટારકજીને વિનંતી કરી કે આપ મારી જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી પછી પધારે. ભટ્ટારકજીએ તેમની વિનંતીને માન આપી પ્રતિષ્ઠા કરાવવા માટે ઉપાઠ શ્રી દયાલવિજયજીને પાલિતાણે પાછા મોકલ્યા. સંઘ પાલિતાણાથી નીકળી શિહોર, ભાવનગર, ઘોઘા થઈને ભાવનગર ગયો. સુરતના ઘણા યાત્રાળુઓ ભાવનગરથી વહાણ દ્વારા સુરત ગયા. ભટ્ટારકજી, સંઘવી અને બાકી રહેલા સંઘે ભાવનગરથી પગપાળા વરતેજ, પીપલી થઈ આરો વટાવી ફા. સુ. ૧૩ ના રોજ ખંભાત પહોંચ્યા. ત્યાંથી પેટલાદ, જંબુસર, ગંધાર, ભરૂચ, અંકલેશ્વર, વરિયાવ, કતારગામ અને શેઠની વાડીના રસ્તે થઈ સુરત શહેરમાં પહોંચ્યા. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] જૈન પર પરાનેા ઇતિહાસ [ પ્રકરણ આ સંઘમાં ભટ્ટા॰ શ્રી વિજયજિનેન્દ્રસૂરિ અને મહેા॰ શ્રી ખુશાલવિજયજી વગેરે સુરતમાં સ’૦ ૧૮૪૩માં ચાતુર્માસ રહ્યા. ૫૦ શ્રી ઋદ્ધિસાગરગણીના શિષ્ય ૫૦ શ્રી ઋષભસાગર ગણી, જેઓ વિ હતા, તે પણ સાથે રહ્યા. તેમણે સં ૧૮૪૩ના જેઠ વિદ ૩ ને સામવારે સુરતમાં મેાદી પ્રેમચંદના શત્રુ જયસંઘના રાસ ’ ( ઢાળ– ૨૧, શ્ર′૦ ૭૩૫) રચ્યા અને સં૰૧૮૪૩ના બીજા શ્રાવણ વદિ ૫ ના રોજ સુરતમાં પેાતાના હાથે લખ્યા. : આ રચના ઉપરાંત તેમણે ‘વિદ્યાવિલાસરાસ ’, સ૦ ૧૮૪૮માં ‘ ગુણુમ*જરી – વરદત્તચાપાઇ’ રચ્યાં, આગરામાં ગુજરાતી, મારવાડી ભાષામાં તેમજ સુરતમાં ‘જિનસ્તવન ચાવીશી’ રચ્યાં. જીર્ણોદ્ધાર – શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સ‘૦ ૧૯૯૨માં અમદાવાદની નાગજી ભૂધરની પાળના નિવાસી શેઠ પૂંજાભાઈ નગીનદાસના નામે, તેમનાં પત્ની સુશ્રાવિકા ભૂરીબહેને રૂા. ૧૧૨૧૫૧ની આપેલ મદદ રવીકારીશેઠ પ્રેમચંદ માદીની ટ્રકના મુખ્ય જિનાલય, ગૌતમરવામીની દેરી, બીજી દેરીઓ તથા વડાદરાવાળાના નામથી ઓળખાતા જિનાલય અને આખા ચાકના જીર્ણોદ્ધાર કર્યાં. મારવાડાને ગાડી પાર્શ્વનાથના સધ – (૧) સંઘવી પ્રેમચંદ લવજી માદી સુરતી, (૨) શા॰ ગાવિંદજી મસાલિયા રાધનપુરી અને (૩) શેઠ ઉયરામજી લીંબડીના દીવાન એ ત્રણેએ મળીને સંઘપતિ બની વિ॰ સં૦ ૧૮૫૨માં તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજય જિનેન્દ્રસૂરિની અધ્યક્ષતામાં ગુજરાતના મારવાડાના ગાડી પાર્શ્વનાથના છરી પાળતા યાત્રાસંઘ કાઢો અને સં૦ ૧૮૫૨ના ચૈ૦ ૧૦ રના રાજ યાત્રા કરી. આ સંઘમાં ૫૦ શ્રી પદ્મવિજયજી ગણી અને મુનિ રવિજયજી સાથે હતા. તેમણે તે જ દિવસે ગાડી પાર્શ્વનાથનું સ્તવન ’ ( કડી : ૯ ) રચ્યું. અને તેમણે અગર મુનિ રવિજયજીએ સ૰ ૧૮૫૪ના શ્રા૦ ૩૦ ૧૩ ના રાજ તેની બીજી પ્રતિલિપિ કરી, ( ~ * શેઠ શાંતિદાસને રાસ' પૃ॰ ૮૪, જૈન સત્ય પ્રકારા, કં ૧૧, ૩૦ ૯૩, શ્રી ગોડીજ સ્મારક ગ્રંથ, મુખર્દ; પૃ૦ ૬), " Page #136 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૯૫ ભટ્ટાશ્રી વિજયજિનેન્દ્રસૂરિએ વિ. સં. ૧૮૬૦ ના વૈ૦ સુત્ર ૫ ને સેમવારે સુરતમાં શા. પ્રેમચંદ ઝવેરચંદ સુરતી ઓશવાલ વગેરેની જિનપ્રતિમાઓની તથા સુરતમાં બીજા ઘણું જેનોની ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. (–એપ્રિચાફિયા ઇંડિકા, ભા. ૨, લેટ નં. ૪ ) ૫. ઇચ્છાકુંડ – સુરતના ઇચ્છાભાઈ નિહાલચંદ શ્રીમાલીએ સં૧૮૬૧ના માગશર સુદિ ૩ ને બુધવારે ઠા. ઉન્નડજી ગોહિલના સમયે શ્રી શત્રુંજય તીર્થ ઉપર અંચલગચ્છના ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિના પટ્ટધર, ભટ્ટા શ્રી કીર્તિસાગરસૂરિના પટ્ટધર ભટ્ટા, શ્રી પુણ્યસાગરસૂરિના ઉપદેશથી ઈચ્છાકુંડ બનાવ્યો. ૬. સંધપતિ શેઠ ડાહ્યાભાઈનો ગોડીજીનો સંધ–સં. ૧૮૬૨ સુરતના સંઘપતિ શેઠ ડાહ્યાભાઈ એ સં. ૧૮૬૨માં સુરતથી મરવાડા ગોડીજી પાર્શ્વનાથને છરી પાળા યાત્રા સંઘ કાઢો હતા. તેઓ અમદાવાદમાં નગરશેઠ વખતચંદને મળ્યા હતા. તેમણે સંઘમાંથી પાછા સુરત આવી વડાચૌટામાં નગરશેઠની પોળમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મેટું જિનાલય બંધાવ્યું. ૭. સંધપતિ શેઠ ધરમચંદ ઉદયચંદ સુરતના સંઘપતિ શેઠ ધરમચંદ ઉદયચંદ છરી પાળતા બે યાત્રાસંઘે કાઢયા હતા. (૧) સં. ૧૯૪પમાં શાંતમૂર્તિ મુનિરાજ શ્રી મેહનલાલજી મ૦ ના ઉપદેશથી શ્રી કેસરિયાજી તીર્થનો છ'રી પાળતા યાત્રા સંઘ કાઢ્યો હતો, જેમાં લગભગ ૧૫૦ સાધુ-સાધ્વીઓ સાથે હતાં અને લગભગ ૧૪૪૦ શ્રાવક-શ્રાવિકાઓ હતાં. (૨) સં. ૧૯૪માં સુરતથી શ્રી શત્રુંજય તીર્થનો છ'રી પાળતા યાત્રા સંઘ કાઢ્યો હતો. ૮. શેઠ અભયચંદ સ્વરૂપચંદ આગમપ્રજ્ઞ આગમેદ્ધારક પૂર આવ શ્રી આનંદસાગરસૂરિના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ ઉપદેશથી શેઠ અભયચંદ સ્વરૂપચંદે સુરતથી શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ તીના છ'રી પાળતા યાત્રાસ`ઘ કાઢયો હતા. આ સંઘમાં સાથે જિનપ્રતિમા હતી. સંઘપતિએ તેને લઈને શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથની ગાદી ઉપર રાખી; પરંતુ બે-ચાર દિગબરભાઈ આએ આવીને તે મૂર્તિને દૂર ફેંકી દીધી. આથી આચાર્યદેવ, સૌ મુનિવરા અને ચતુવિધ શ્રીસધને ઘણું દુઃખ લાગ્યું. પરિણામે આશાતના કરનાર ઉપર હુમલા થયા. ભારે ઝઘડા ઉપસ્થિત થયા અને ખાસીમ તેમ જ નાગરપુરની કોર્ટમાં ફેાજદારી કેસ ચાલ્યે. નાગપુરની કાર્ટીમાં આ કેસ ચલાવનાર એ ન્યાયાધીશેા હતા. દિગબરાએ તેમને ફાડવા ઘણા પ્રયત્ના કર્યા પરંતુ કિસનચ...જીભાઈ પટ્ટણી તથા કેશવજીભાઈ એ પ્રચારેલ ચાંદીના જુત્તાના મારના ખુલાસાથી તે પ્રયત્ના નિષ્ફળ ગયા. વિદ્ધાન ન્યાયાધીશાએ આચાય - દેવની જુબાનીમાંથી તારવ્યું કે, આ કેસમાં માત્ર મુનિરાજ જ સત્યવાદી છે, ખીજા સૌ જૂઠા છે. તેા હું આ॰ શ્રી આનંદસાગરસૂરિને નિર્દોષ જાહેર કરુ છું અને ખીજાઓને ગુના પ્રમાણે શિક્ષા કરુ છું. આ પ્રમાણે ત્યાં વેતાંબરાના વિજય થયા હતા એને પછીના ઝગડાઓમાં અદાલત તરફથી વારંવાર જાહેર કરવામાં આવ્યું છે કે 6 આ તી શ્વેતાંબરાનું છે અને આ પ્રતિમા પણ શ્વેતાંબરાની છે. શ્વેતાંબરાએ ભાઈચારા રાખી દિગંબરાને જે હુક આપ્યા છે તેથી તેમના માટે નુકસાનકારક તત્ત્વ ઊભું થયું છે.’ ૯. સંઘપતિ જીવણુચંદ નવલચંદ ઝવેરી-સ॰ ૧૯૭૬ સંઘપતિ જીવણુચંદ નવલચંદ ઝવેરીએ આગમવાચનાદાતા પૂ આ॰ શ્રી આનંદસાગરસૂરિના ઉપદેશથી સં૦ ૧૯૭૬માં સુરતથી શ્રી શત્રુંજય મહાતીના છરી પાળતા યાત્રાસંઘ કાઢ્યો. સંધ સુરતથી ખંભાત, ધેાલેરા બંદરના રસ્તે થઈ પાલિતાણા પહોંચ્યા. આ સંઘમાં પૂર્વ શ્રી આ॰ સાગરાનંદસૂરીશ્વરજી, ૫૦ વિજયસાગર ગણી, ૫૦ માણેકસાગર ગણી વગેરે, ૫૦ મણિવિજયજી ગણી મુનિ કુમુદૃવિજયજી, મુનિ સુમતિવિજયજી વગેરે સાધુએ સાથે હતા. Page #138 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [૯૭ આ ગ્રંથના લેખકા મુનિ દશનવિજયજી, મુનિ જ્ઞાનવિજયજી અને મુનિ ન્યાયવિજયજી ત્યારે ધોલેરા બંદરમાં હતા. અમદાવાદના ધર્મપ્રેમી શ્રાવક વીરચંદ્ન ભગત આ સંઘના પડાવની અગાઉથી વ્યવસ્થા કરતા હતા. તેમણે આ ત્રિપુટી મહારાજને સંઘમાં પધારવા વિન'તી કરી. તથા પૂ॰ શાંતમ્રુતિ સિદ્ધિવિજયના શિષ્ય મુનિ કલ્યાણવિજયજીએ પણ સંઘમાં સાથે આવવા આગ્રહ કર્યાં. અને અમે સૌ ધેાલેરા અંદરથી સ`ઘમાં સાથે જોડાયા. આગમપ્રણ આ॰ શ્રી સાગરાન દસૂરીશ્વરજી વગેરે મુનિવરા અને સંઘપતિ વગેરે શ્રાવકે ચાતુર્માસ પાલિતાણામાં રહ્યા. આ વર્ષે પાલિતાણામાં પૂર્વ મુનિ કાંતિવિજયજી, પૂ॰ મુનિ પુણ્યવિજયજી વગેરે મુનિવરા પણ પાલિતાણામાં ચાતુર્માસ રહ્યા હતા. આથી સંઘમાં ઘણા આનંદ વતી રહ્યો. પૂ॰ આ॰ સાગરાનંદસૂરિએ સ૦ ૧૯૭૨માં પાટણના ચાતુર્માસથી મુનિરાજોને આગમનું જ્ઞાન આપવા માટે આગમવાચના ચાલુ કરી હતી તે સં૰૧૯૭૬ના પાલિતાણાના ચાતુર્માસમાં પણ આગમ વાચના આપવાના હતા. તેથી ઘણા મુનિવરા, સાધ્વીઓ, શ્રાવકા અને શ્રાવિકાઓ આગમનું પઠન અને શ્રવણુ કરવા માટે અહીં ચામાસુ` રહ્યાં હતાં. આ॰ શ્રી સાગરાનંદસૂરિજીએ પાલીતાણાના આ ચાતુર્માસમાં (૧) શ્રી એઘ નિયુક્તિ, ( ૨ ) પિડનિયુક્તિ, (૩) સામાચારીગ્રંથ, (૪) ભગવતીશતક ૧ થી ૮, ( ૬ ) શ્રી પન્નવા સૂત્ર પદ ૧ થી ૩૩ વગેરે. આગમાની વાચના આપી. આ ગ્રંથના લેખક શ્રી ત્રિપુટી મહારાજે પણ આ આગમવાચનાના લાભ લીધા હતા. સંઘપતિના પુત્ર તથા તેની ધર્મ પત્નીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. તેમનાં નામ અનુક્રમે જિતેન્દ્રવિજયજી તથા સાધ્વીજી જયપ્રભાશ્રીજી છે. યુનિ શ્રી, જિતેન્દ્રવિજયજીએ પૂનામાં ‘ જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ નામની સંસ્થા સ્થાપના કરી છે. સાધ્વીજી જયપ્રભાશ્રીજીના ઉપદેશ, થી સ′૦ ૨૦− વૈ શુ૦ ૧૩ના રાજ મેરઠ સદરમાં મહાપ્રતિષ્ઠામાં ભગ॰શ્રી મહાવીરસ્વામીની જિનપ્રતિમા પધરાવવામાં આવી છે. આ પ્રતિમા આજે સંઘના મેાટા જિનાલયમાં બિરાજમાન છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ સુરતનાં જૈન મંદિરે —– ૧. ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર –– સુરતમાં પ્રાચીન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથન જિનપ્રાસાદ હતો. સંભવ છે કે મંત્રી ગેપીએ અથવા અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ (પિતા ને સુરતને અસ્પૃશ્ય થયે તે કારણે) શ્રી ચિંતામણિ પશ્વનાથ જિનપ્રાસાદ બંધાવ્યું હોય, ઈતિહાસ કહે છે કે, “સં. ૧૯૯૪માં બાદશાહ શાહજહાંના રાજ્યમાં શાહજાદો ઔરંગઝેબ ગુજરાતને સૂબો બન્યા હતો. તેણે સં. ૧૬૯૪માં અમદાવાદમાં શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનને જિનપ્રાસાદ તેડી તેની મસ્જિદ બનાવી હતી, પરંતુ શેઠ શાંતિદાસ ઝવેરીની વિનંતીથી બાદશાહ શાહજહાંએ તે જિનપ્રાસાદ રાજ્યના ખરચે ફરી બનાવી આપ્યા હતો.” ઔરંગઝેબના વખતમાં મુસલમાનોએ સુરતને શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદ તોડી તેની મસ્જિદ બનાવી હતી, જે સુરતમાં મીરજાસ્વામીનો ચકલો અને વરીયાવ ગેટની વચ્ચે રસ્તામાં જમણી બાજુએ મીરઝાસાંઈની મસ્જિદના નામથી છે. દંતકથા મળે છે કે, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રતિમા મસ્જિદ પાસેની ભૂમિમાં હતી. તપાગચ્છની વડી પષાળના એક જૈનને તે પ્રતિમાને ત્યાં હોવાનું સ્વપ્ન આવ્યું. તેણે તે સ્વપ્ન એક યતિવરને જણાવી તે પ્રતિમાને બહાર કાઢી. ત્યાં જ મોટો જિનપ્રાસાદ બંધાવવાનું નકકી કર્યું. યતિરે તે શેઠને બે વીસાયંત્રો, ૧ સેપારી, ૮ કડી તથા ૧ મંતરેલી ધનની કથળી આપી. શેઠે તે કથળીમાંથી ધન કાઢીને ૭૨ દેવકુલિકાવાળે જિનપ્રસાદ બંધાવ્યો, તેમાં વિવિધ કોરી કરી નેરી રંગે પુરાવ્યા, પણ એક દિવસે તેણે તે કોથળી ભૂલથી ઊંધી કરી ઝાટકી નાખી, એટલે તે કેથળી ખાલી થઈ ગઈ. તે કદી ભરાઈ નહીં. તે પછી તેમાંથી કંઈ ધન મળ્યું નહીં. Page #140 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [૯૯ શેઠે માટે ઉત્સવ કરી ભટ્ટા, શ્રી રાજસાગરસૂરિ (સં. ૧૭૨૧) તથા ભટ્ટા, શ્રી વૃદ્ધિસાગરસૂરિના હાથે તે નવા જિનપ્રસાદમાં ભગઇ શ્રી ચિંતામણિ પાશ્વનાથની મૂળ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. વૃદ્ધો કહે છે કે, આ પ્રતિષ્ઠા પછી કશે સુધારો-વધારો કરાતો નથી. આ જિનપ્રસાદમાં સુંદર કોતરણીનું કામ કરેલું હતું. એમ કહેવાય છે કે, સંઘે આ મંદિરના નમૂનાનું સુખડનું મેડલ (નકશે ) તૈયાર કરાવી લંડનના મ્યુઝિયમમાં મે કહ્યું હતું, જેની કીમત ૩૬૦૦૦ રૂ. થઈ હતી. એક યંત્રલેખ મળે છે કે-“સંવત્ ૧૭પ૬ ચૈત્ર સુદિ પ દિને ગુરુવારે પાદશાહ શ્રી અવરંગને શ્રી પૂ૦ વિદ્યામાન વૃદ્ધિ સાગરસૂરિ સમય જતાં આ મંદિર જૂનું થયું. ભમતીની ૨૮ દોરી તૂટી ગઈ. કેતરકામ અને રંગકામ બગડી ગયાં. અંતે હીરુમામા જેને સને ૧૯૦૬– ૧૯૦૭માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યા. સંઘે કોતરણીવાળી લાકડાની છત તથા લાકડાં નજીવી કીમતે વેચી નાખી ભમતીની ૨૪ દેરીઓના સેનાનું રંગકામ કરાવ્યું. (શ્રી. દિનેશ નર્મદાશંકર ત્રિવેદી, સેનેટરી ઇન્સ્પેકટર, પીતાંબર ફળી, સેનાફળિયા–ને “પ્રતાપ” નામના છાપામાં આવેલ લેખ – “સુરતનું એક કલામંદિર-ચિંતામણિ જૈન દેરાસર,” “સૂર્યપુરને સુવર્ણયુગ' પૃ. ૬૨-૬૫) ૨. હીરવિહાર –– - સં. ૧૯૭૩ના પોષ વદિ ૫ ને ગુરુવારે સુરતના નિઝામપરામાં જ. ગુ. આ૦ વિહીરસૂરિ પધાર્યા હતા. ઉપાઠ શ્રી નેમિસાગરગણીના ઉપદેશથી શરૂ થયેલા હીરવિહારની તથા તેમાં જ ગુ. હીરવિજયસૂરિની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા ૫૦ લાભસાગર ગણુએ કરી હતી. સં. ૧૯૭૫-૭૬માં ઉપા) શ્રી રત્નચંદ્રગણીએ સુરતના એ હીરવિહારમાં ભગ0 શ્રી ઋષભદેવની પ્રતિમા, જટ ગુઆ. શ્રી હીર Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ વિજયસૂરિ, આ. શ્રી વિજયસેનસૂરિની ચરણપાદુકાઓ, ૭૨ જિનપ્રતિમાઓ, તપાગચ્છના ૭ નાયકેની પ્રતિમાઓ, તપાગચ્છના ૪ ઉપાધ્યાયની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી હતી. (-પ્રક. ૫૮ ) તપા–સાગર ભટ્ટા શ્રી કલ્યાણસાગરસૂરિએ સં. ૧૭૮૮ના આવે વ૦ ૭ના રોજ સુરતમાં સ્વર્ગસ્થ થયેલા ભટ્ટા, શ્રી લક્ષમીસાગરસૂરિની ચરણપાદુકાઓ હીરવિહારમાં સ્થાપન કરી હતી. ૩. સુરતના સૈયદપરાના શ્રી ચંદ્રપ્રભનું દેરાસર છે. તેની બહાર નાની દેરીમાં શ્રી હીરવિજયસૂરિની ચરણપાદુકા પ્રતિષ્ઠિત કરેલી છે. ૪. સૂર્યપુરમંડન પાર્શ્વનાથ જિનપ્રાસાદ સં. ૧૯૭૮ના કાટ વ૦ પને ગુરુવારે પુનર્વ સુનક્ષત્રમાં સુરતમાં ઉપા) શ્રી રત્નચંદ્રગણુએ સૂર્ય પૂરમંડન પાર્શ્વનાથ જિનપ્રાસાદની તથા જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. મહ૦ શ્રી યશોવિજયજી ગણીવરે “સૂર્યપુરમંડન પાર્શ્વનાથનું સ્તવન” (કડી ૧૪) રહ્યું છે. ૫. સં. ૧૬૮લ્માં સુરતમાં (૧) શ્રી ઋષભદેવ, (૨) શ્રી અજિતનાથ (૩) શ્રી સંભવનાથ, (૪) શ્રી અભિનંદન (૫-૬) શ્રીધર્મનાથ, (૭) શ્રી શાંતિનાથ (૮) શ્રી કુંથુનાથ. (૯) શ્રી ચિંતામણિ પાર્થનાથ, (૧૦) શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ અને (૧૧) ઉપરવાડીમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ–એમ ૧૧ જિનપ્રાસાદો હતા. (–મહે. વિનયવિજયકૃત “સૂર્ય પુર ચૈત્યપરિપાટી ” કહીઃ ૧૪) ૬. સં. ૧૭૫૫માં સુરતમાં (૧) શ્રી ઋષભદેવ, (૨) શ્રી ધર્મનાથ; (૩) શ્રી શાંતિનાથ, (૪) શ્રી કુંથુનાથ, (૫) શ્રી નમિનાથ (૬) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે જિનપ્રાસાદો પ્રસિદ્ધ હતા. ( – જ્ઞાનવિમલસૂરિકૃત “તીર્થમાલા') ૭. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૭૬ના ચ૦ સુ. ૧૧ ને બુધવારે, સં. ૧૭૭૦ના મહા સુદિ ૧૧ ને બુધવારે, સં. ૧૭૮૦ના વૈ૦ સુ૦ ૯ ના રોજ સુરતના જિનપ્રાસાદોમાં જુદી જુદી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. Page #142 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસુરિ [ ૧૦૧ વળી, સ’૦ ૧૭૭૭ ના મહા સુદિ ૧૧ને બુધવારે સુરતના શા સુંદરદાસ નાગરની પત્ની અમૃતબાઈએ ભરાવેન્રી શ્રી શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને તે ભગવાનનું સ્તવન રચ્યું. તેમણે સં ૧૭૮રના આ૦ ૧૦ ૪ને ગુરુવારે ભટ્ટા॰ શ્રી સૌભાગ્યવિમલસૂરિની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી. ( ‘ સૂર્ય પુરના સવ યુગ' પૃ૦૫૮-૭૪ ) ૮. તપાગચ્છના શ્રી વિજયદેવસૂરિસ`ઘના સાગરશાખાના ભટ્ટા॰ શ્રી લક્ષ્મીસાગરસૂરિએ સ’૦ ૧૭૮૭-૮૮માં સુરતમાં ચાતુર્માસા કર્યાં. સ’૦ ૧૭૮૮ના આ॰ સુ૦૧૦ ના રાજ સુરતમાં ઉપા॰ શ્રી પ્રમેાસાગર ગણીને આચાય પદ્મવી આપી. ભટ્ટા॰ શ્રી કલ્યાણસાગરસૂરિ નામ રાખી પેાતાની પાટે સ્થાપન કર્યો અને ગચ્છનાયક બનાવ્યા. તેમજ તેમણે સ૦ ૧૭૮૮ના આ૦ ૧૦ ૭ની રાતે સુરતમાં સ્વર્ગગમન કર્યું.. ભટ્ટા॰ શ્રી કલ્યાણસાગરસૂરિએ હીરવિહારમાં તેમની ચરણપાદુકાની તથા સ્તૂપની પ્રતિષ્ઠા કરી. << ૯. સં૰૧૭૯૭ના માગશર વદે ૧૦ ને ગુરુવારે સુરતમાં ૧૦ મોટા જિનપ્રાસાદો, ૨૩૫ ઘર દેરાસરા, ૩ ભેાંયરાવાળા દેરાસરામાં ૩૭૨ જિનપ્રતિમાએ, ૫ ધાતુની પંચતીથી આ, ૨૪ ચાવીશ જિનવટા એમ બધી મળીને હજારાની સંખ્યામાં જિનપ્રતિમા હતી. ( – કડવાગચ્છના સંવરી શાહ લાધાશાહકૃત સુરત ચૈત્ય પરિપાટી સ્તવન '' ) ૧૦ શા॰ ભાઈદાસે સ૦ ૧૮૨૭ના વૈ૦ સુ૦ ૧૨ને ગુરુવારે (૧) શ્રી શીતલનાથ, (૨) શ્રી અજિતનાથ, વગેરે નવા જિનપ્રાસાદો બનાવ્યા હતા અને ખરતરગચ્છના આ॰ ભટ્ટા॰ શ્રી જિનલાભસૂરિ પાસે ૧૮૩ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તથા (૧) શ્રી શીતલનાથ (૨) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ અને (૩) શ્રી ગાડી પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપન કર્યાં હતા. ૫૦ ઉત્તવિજય ગણીએ સં૦ ૧૮૩૩ના મહા સુદ્ઘિ ૫ ને બુધવારે સુરતમાં તપાગચ્છના ૫૦ વિનીતવિજય ગણી તથા ૫૦ દેવવિજય અને મહા॰ સુમતિવિજયગણીની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી. (– સુરત જૈન પ્રતિમા લેખ સંગ્રહ) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ૧૧. સુરતના ભાઈદાસ નેમિદાસે સં. ૧૮૩૯ના વિ૦ સુ૬ ને બુધવારે શ્રી અજિતનાથ, શ્રી અનંતનાથ, વગેરે જિનપ્રતિમાઓની ભટ્ટા) શ્રી જિનલાભ સૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૨. સં. સમરાશાહ ઓશવાલના વંશજ ઝવેરશાના પૌત્ર શા. રતનચંદ સં. ૧૮૪૩ના વિ૦ સુ. ૨ ના રોજ સુરતમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની ભટ્ટા) શ્રી વિજયલક્ષમીસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૩. તપાગચ્છના ભટ્ટા. શ્રી વિજયાનંદસૂરિસંઘના શ્રાવક શા. પ્રેમચંદ ઝવેરી વગેરે ઓશવાલોએ સં. ૧૮૬૦ના વૈસુરુ ૫ ને સેમવારે સુરતમાં જુદી જુદી જિનપ્રતિમાઓ ભરાવી અને તેની તપાગચ્છના શ્રી વિજયદેવસૂરિશાખાના ભટ્ટા. શ્રી વિજય જિનેન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (– એ મોદી ગાડી પાર્શ્વનાથ પ્રતિષ્ઠા ) ૧૪. સં. ૧૮૭૭ના મહા વદિ ૨ ના રોજ સુરતમાં વિશા નેમા જને જુદી જુદી જિનપ્રતિમાઓ ભરાવી અને તપાગચ્છીય શ્રી વિજયાનંદસૂરિશાખાના ભટ્ટાશ્રી વિજયસમુદ્રસૂરિ તથા તપાગચ્છની સમશાખાના ભઠ્ઠા શ્રી આણંદસેમસૂરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫. સં. ૧૮૭૭ના વિ૦ સુ૦ ૩ ને રવિવારે ભટ્ટા) શ્રી આણંદસેમસૂરિએ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. ૧૬. સં. ૧૯૩૬માં શેઠ ધરમચંદ ઉદયચંદ ઉજમણું કર્યું અને શ્રી મેહનલાલજી મ૦ ના ઉપાશ્રયની બાજુમાં શ્રી વિમલનાથ પ્રભુનું ત્રિગડું પધરાવ્યું. સુરતમાં જ આ૦ શ્રી વિજયહીરસૂરિ, કલિકાલસર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરિ, ભટ્ટાશ્રી વિજયાનંદસૂરિ (પૂ. આત્મારામજી મ.), આ. શ્રી જિનદત્તસૂરિ, પૂ. મુનિશ્રી મોહનલાલજી, આ૦ શ્રી સિદ્ધસેનસૂરિ, આ. શ્રી વિજયસેનસૂરિ, આ. શ્રી કુશલચંદજી, શ્રી હુકમમુનિજી, મુનિશ્રી નીતિવિજય વગેરેની પ્રતિમા, ચરણપાદુકાઓ વિવિધ સ્થાનમાં વિદ્યમાન છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ [૧૦૩ સુરતની વિશેષ ઘટનાઓ – સં. ૧૬૦૯ અંચલગચ્છના પં. કમલશેખરે “નવતત્વ ચેપાઈ રચી. સં. ૧૬૧૩ આ. શ્રી વિજયસેનસૂરિની દીક્ષા. સં. ૧૬૧૪ આ. શ્રી વિજયદાનસૂરિનું ચાતુર્માસ. સં. ૧૬૨૧ ભટ્ટાશ્રી વિદાનસૂરિ અને આ૦ શ્રી વિજયહીર સૂરિ પધાર્યા. સં. ૧૬૩૨ ભટ્ટાશ્રી વિજયસેનસૂરિનું ચાતુર્માસ. તેમણે આ ચાતુર્માસમાં શ્રી ચિંતામણિ વગેરે મેટા મેટા વિદ્વાનોની સભામાં દિગંબર ભટ્ટારક ભૂષણને હરાવ્યા. સં. ૧૬૪૫ ખરતરગરછીય ભટ્ટા. આ. શ્રી જિનચંદ્રસૂરિનું ચાતુર્માસ. સં. ૧૬૬૪ તપાગચ્છના ૫૦ શ્રી મુનિવિજ્યગણીના શિષ્ય પં. શ્રી દર્શનવિજયે વિવિધ રાગ-રાગિણીઓવાળું રતવન રચ્યું. સં. ૧૯૭૩ મહોઇ શ્રી રત્નચંદ્રગણીએ પો. વ૦ ૫ ના રોજ નિઝામપરામાં ઉપાઠ શ્રી નેમિસાગરગણુના ઉપદેશથી શરૂ થયેલ હીરવિહારની પ્રતિષ્ઠા કરી. ( – પ્રક. ૫૫, પૃ. ૩૭) સં૦ ૧૬૭૪ આ. શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “અધ્યાત્મ કલ્પ દ્રમ” ગ્રંથ ઉપર “કલ્પલતા’ નામની સંસ્કૃત ટીકા રચાઈ. સં. ૧૬૭૬ પિ૦ સુ૧૩ ના રોજ “સમ્યકત્વ સિત્તરીનો ગુજરાતી ગદ્ય બાલાવબોધ – “સમ્યકત્વરન પ્રકાશ” રચાયો. સં. ૧૬૭૬ પિ૦ સુ. ૧૫ ના રોજ હારવિહારની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૬૭૮ કાર વ૦ ૫ ને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં સૂરજમંડન ભગ૦ શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સં. ૧૬૭૮ પ૦ સુ. ૨ ના રોજ સમ્યકત્વ ઉપર પદ્યમાં ગુજરાતી સંગ્રામસૂરકથા” રચાઈ અને પં. શ્રી દેવચંદ્રગણને ભણવા માટે કર્તાએ પિતાના હાથે લખી. સં. ૧૬૮૧ પ્ર. ચ૦ સુત્ર ૯ ના રોજ અમદાવાદમાં આ૦ શ્રી વિજયદેવસૂરિ અને આ૦ શ્રી વિજયાનંદસૂરિ એક થયા હતા ત્યારે “સટીક–સર્વજ્ઞશતક' ગ્રંથ બંનેની સમ્મતિથી અપ્રામાણિક તરીકે જાહેર થયે હતો તે અપ્રામાણિક જ રહ્યો. (– પ્રક. ૫૫, પૃ. ૭૩૬) ભટ્ટા, શ્રી વિજ્યદેવસૂરિ કાન્હડદેશના વિજાપુરમાં જિનપ્રાસાદની પ્રતિષ્ઠા માટે જવાના હતા અને સુરત પધાર્યા ત્યારે ભટ્ટા, રાજસાગરસૂરિની પ્રેરણાથી શેઠ શાંતિદાસ ઝવેરીએ સુરતના નવાબ મીરઝા મલેકની રાજસભામાં નવાબ તથા જનેતર વિદ્વાનોની અધ્યક્ષતામાં “સર્વજ્ઞશતક ” પ્રામાણિક છે કે નહીં એ નક્કી કરવા માટે શાસ્ત્રાર્થ ગોઠવ્યો. ત્યારે ભટ્ટા, શ્રી વિજયદેવસૂરિ તરફથી ઉપાટ કુશળસાગર ગણું તથા પં. લાલકુશળ ગણી અને ભટ્ટા શ્રી રાજસાગરસૂરિ તરફથી પં. સત્યસૌભાગ્યગણી શાસ્ત્રાર્થ કરવા માટે નિપુણ થયા હતા. શાસ્ત્રાર્થ ચાલ્યો, જેમાં પં. સત્યસૌભાગ્યગણી નિરુત્તર બન્યા. આથી સભાએ જાહેર કર્યું કે પં. સત્યસૌભાગ્યગણી હાર્યા છે અને ઉપાટ કુશલસાગરગણી સાચા છે એટલે ભટ્ટાશ્રી વિજયદેવસૂરિનો પક્ષ જીત્યા છે અને ભદ્રા શ્રી વિજયદેવસૂરિ સં. ૧૬૮૬-૮૭ ના ચિત્ર સુત્ર ૮ ના રોજ સુરતથી વિહાર કરી કુંભારિયા પધાર્યા અને પછી ધીમે ધીમે દક્ષિણમાં વિજાપુર તરફ ગયા. (પ્રક. ૫૫, પૃ૦ ૭૩૬ થી ૭૩૮) સં. ૧૬૮૯ મહ૦ શ્રી વિનયવિજયગણીએ ચાતુર્માસ કરી ભટ્ટા Page #146 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૧૦૫ શ્રી વિજયપ્રભસૂરિના રાજ્યમાં ‘સૂર્યપુર ચત્યપરિપાટી’ બનાવી. સં॰ ૧૭૦૬ : જેઠ સુદિ ૧૩ ના રાજ મહા શ્રી વિજયદેવ ગણી શિષ્ય મુનિ યાવિજયે મુનિ જયવિજયને ભણવા માટે ‘ચંપક શ્રેણીકથા ’ લખી, સ૰૧૭૧૦ ભટ્ટા॰ શ્રી વિજયદેવસૂરિએ ચાંપાનેરમાં ભટ્ટા॰ શ્રી વિજયપ્રભસૂરિને પેાતાની પાર્ટ ભટ્ટારક બનાવી તે બંનેએ સુરતમાં સાથે ચાતુર્માસ કર્યું.... સં. ૧૭૧૫ ખરતરગચ્છીય વેગડશાખાના ભટ્ટા॰ શ્રી જિનસમુદ્રસૂરિ પધાર્યા. સ. ૧૭૧૬ મહા શ્રી વિનયવિજય ગણીએ ચાતુર્માસ કર્યું". સં. ૧૭૧૮ ભટ્ટા॰ શ્રી વિજયપ્રભસૂરિએ ચાતુર્માસ કર્યું", એ સમયે મહા॰ શ્રી વિનયવિજયગણીએ જોધપુરથી તેમની ઉપર ઇંદ્ભુત” નામે િવિજ્ઞપ્તિપત્ર શ્ર્લા ૧૩૧ લખી માકલ્યા. 6 સ૦ ૧૭૨૨ મહા શ્રી યશેાવિજયગણીએ ચાતુર્માસ કર્યું અને એ સમયે ‘ પ્રતિક્રમણ હેતુગભિ ત સજ્ઝાય, ’ ‘ અગિયાર અંગની સજ્ઝાય ’, તથા ‘ સૂરજમંડન પાર્શ્વનાથ સ્તવન ’ વગેરે રચ્યાં. { 3 સં. ૧૭૨૮ મહે। શ્રી વિનયવિજય ગણીએ રાનેરમાં નેમિનાથને બારમાસા ’શીક સ્તવન રચ્યું. , ખરતરગચ્છના પ્॰ શ્રી કનકાય ગણીએ ચાતુર્માસ સ’૧૭૩૦ કર્યું.. 6 સ૰૧૭૩૨ પં. શ્રી જયસાગર ગણીએ · અનિરુદ્ધાહરણરાસ ’ રચ્યા. સં. ૧૭૩૮ મહા॰ શ્રી વિનયવિજય ગણીએ ‘ભગવતીસૂત્ર’ની સજ્ઝાય રચી. 6 સં. ૧૭૪૭ ખરતરગચ્છના પ′૦ શ્રી રત્નચંદ્ર ગણી અને શ્રી સમુદ્રવિજય ગણીએ ચાતુર્માસ કર્યું. ત્યારે બે વર્ષ સુધી સુરતમાં મરકીના રાગ ચાલ્યા. . ૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સં. ૧૭૫૧ આ સુe ૧૧ ના રોજ શ્રી જિનવિજય ગણીએ “ગુણા વલી રાસ ”(ઢાળ-ર૭)રો અને વિચાર છત્તીસીનો ટબ ભર્યો. સં. ૧૭૬૧–૭૧ ખરતરગચ્છના પં શ્રી રાજસુંદર ગણીએ ચાતુર્માસ કર્યું. સં. ૧૭૬૩ ખરતરગચ્છીય ભટ્ટા) શ્રી જિનચંદ્રસૂરિ કાળધર્મ પામ્યા. અને તેમની પાટે અષાડ સુદ ૧૧ ના રોજ ભટ્ટા, શ્રી જિનસૌખ્યસૂરિ આવ્યા. સં. ૧૭૭૧ ખરતરગચ્છના શ્રી દયાવિજયજીએ ચાતુર્માસ કર્યું. સં. ૧૭૭૩ અષાડ સુદિ ૫ ના રોજ પં. શ્રી રામવિજય ગણીએ કલ્યાણક સ્તવન” રચ્યું. સં. ૧૭૭૪ માં સુ પના રોજ સૈયદપરામાં ભટ્ટા, શ્રી જ્ઞાન વિમલસૂરિએ “અશેકચંદ્રરહિણને રાસ” ર. સં. ૧૭૮૦ પંશ્રી જ્યાવિય ગણીએ ચાતુર્માસ કર્યું. સં. ૧૭૮૧ ભટ્ટા, શ્રી વિજયદયાસૂરિના શિષ્ય પં. શ્રી સત્યસાગર ગણીએ વચ્છરાજ રાસ” ર. સં. ૧૭૮૧-૮૨ ખરતરગચ્છના ઉપા) શ્રી નિત્યલાભે “સ્તવન - વીશી” અને “સદેવંત-સાવલિંગાને રાસ રચ્યા. સં. ૧૭૮૨ અષાડ વદિ ૪ ના રોજ ભટ્ટા, શ્રી સૌભાગ્યવિમલ સૂરની ચરણપાદુકાની ભટ્ટા, શ્રી જ્ઞાનવિમલસૂરિએ કરી. સં. ૧૭૮૪ અધ્યાત્મયોગી શાંતમૂર્તિ પં શ્રી દેવવિજયજી ગણીએ ચાતુર્માસ કર્યું. સં. ૧૭૮૭ પં. શ્રી ક્ષમાવિજય ગણું તથા પં. શ્રી જિનવિજય ગણુએ ચાતુર્માસ કર્યું. આ સમયે અમારિ પાલન વગેરે ઘણાં ધર્મકાર્યો થયાં હતાં. સં. ૧૭૮૭-૮૮ તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિ સંઘની સાગર શાખાના (૬૩) ભટ્ટા, શ્રી લક્ષમીસાગરસૂરિનું ચાતુર્માસ થયું. Page #148 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ | ૧૦૭ તેમણે સં. ૧૭૮૮ના આ૦ સુ. ૧૦ના રોજ ઉપા. શ્રી પ્રમસાગરને આચાર્યપદવી આપી ભટ્ટા, શ્રી કલ્યાણસાગરસૂરિ નામ આપ્યું ને પિતાની પાટે તેમને સ્થાપન કર્યા. પોતે આ૦ વ. ૭ના રોજ કાળથમ પામ્યા. તેમની ચરણપાદુકાની ભટ્ટા શ્રી કલ્યાણ સાગરસૂરિ એ હરવિહારમાં સ્થાપના કરી. ભટ્ટા શ્રી કલ્યાણ સાગર સૂરિ વિ. સં. ૧૮૧૧માં કાળધર્મ પામ્યા હતા. ભટ્ટા, શ્રી લક્ષમીસાગરના શિષ્ય ઉપા) શ્રી સુમતિવિજય હતા. ઉપાઠ શ્રી રામવિજય ગણેએ રાજપરામાં લક્ષમીસાગરસૂરિ– રાસ” ર. સં. ૧૭૯૭ અષાઢ સુદિ ૨ ના રોજ અંચલગરછીય ઉપા) શ્રી જ્ઞાનસાગર ગણુએ “ગુણ–પર્યાયરાસ” રચ્યા. સં. ૧૭૯ તપાગચ્છીય ભટ્ટાશ્રી વિજયદયાસૂરિએ (સં. ૧૭૮૪ થી ૧૮૦૯) સુરતમાં નવ અથવા ચૌદ ચાતુર્માસ ગાળ્યાં. સં. ૧૭૯ શ્રા સુત્ર ૧૦ના રોજ “ધન્ના-શાલિભદ્રરાસ” રચાયે. સં. ૧૮૦૫ થી ૧૮૧૦ સંવેગી પં. શ્રી ઉત્તમવિજય ગણી અને પં. પદ્મવિજય ગણીએ ચાતુર્માસ ગાળ્યાં. સં. ૧૮૧૩–૧૪ પં. શ્રી ઉત્તમ વિજયગણુએ ઉપધાન વહન કરાવ્યાં. સં. ૧૮૨૭ ચૈત્ર સુ. ૧૨ ના રોજ શાવે ભાઈદાસે શ્રી શીતલનાથ, શ્રી અજિતનાથનાં જિનાલય બંધાવી ભટ્ટા, શ્રી જિનલાભસૂરિના હાથે ૨૦૦ થી વધુ જિન પ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવી અને તે વર્ષે ભટ્ટા) શ્રી જિનલાભસૂરિ, અધ્યાત્મી મુનિ જ્ઞાનસાગર વગેરે મુનિવરનું ચાતુર્માસ થયું. સં. ૧૮૩૭ પોષ સુદિ ૧૦ ના રોજ તપાગચ્છીય ભટ્ટા. શ્રી વિજયા નંદસૂરિ શાખાના ભટ્ટા) શ્રી વિજયસૂરિ કાળધર્મ પામ્યા. સં. ૧૮૫૫–૫૬ ખરતર ગચ્છના ભટ્ટા... શ્રી જિનચંદ્રસૂરિ, ઉપા. શ્રી ક્ષમાકલ્યાણ ગણી વગેરે ઠા ૩૫ ચાતુર્માસ કર્યું. થા ૧૮૬ / Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સં. ૧૮૫૬ જે સુત્ર ૧૫ના રોજ ભટ્ટાશ્રી જિનચંદ્રસૂરિની પાટે આ૦ શ્રી જિનહર્ષ સૂરિ ભટ્ટારક બન્યા. તેમણે જૈન સંઘે બંધાવેલ જિન ચિત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૫૭ (ઈ. સ. ૧૮૦૦)માં સુરતમાં (૧) અમદાવાદના શેઠ લક્ષમીચંદની (૨) ભણશાલીની—એમ બે જૈન પેઢીઓ વિદ્યમાન હતી. સં. ૧૮૫૭ તપાગચ્છીય શ્રી વિજયાનંદસૂરિ શાખાના ભટ્ટા, શ્રી વિજ્યસૌભાગ્યસૂરિના ભટ્ટા શ્રી વિજયલક્ષમીસૂરિ છ વર્ષની ઉંમરે અહીં આવીને અભ્યાસ કર્યો હતે. તેમણે એ જ વર્ષમાં વડોદરામાં સુરતના શ્રીમાલી આ શ્રી વિજયદેવેન્દ્રસૂરિને ભટ્ટારક બનાવી પિતાની પાટે સ્થાપન કર્યા હતા અને પોતે સં. ૧૮૫૮ના પોષ વદિ ૧૩ (મેરુ ત્રાદશી)ના રોજ સુરતમાં ૬૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. સં. ૧૮૬૦ ગુજરાતમાં મેટા સાઠિયે દુકાળ પડ્યો તેમાં જનોએ પ્રજાને ભારે મદદ કરી હતી. સં. ૧૮૭૧ શ્રાવણ માસમાં ૫૦ શ્રી વીરવિજય ગણીએ “અક્ષય નિધિ–સ્તવન” (ઢાળ-૫) રચ્યું. સં. ૧૮૭૭ સુરતના શ્રીસંઘે પોરબંદરમાં બિરાજમાન ભટ્ટા) શ્રી વિજય જિનેન્દ્રરિનેસૂરિને સચિત્ર વિજ્ઞપ્તિ” લખ્ય. સં. ૧૮૭૭ કવિ બહાદુર પં. શ્રી દીપવિય ગણીએ સુરતની ગજજલ” અને “સેહમકુલ પટ્ટાવલી રાસ રચ્યાં. સં. ૧૮૮૯ કવિબહાદુર પં શ્રી દીપવિજય ગણીએ મુનિ શ્રી ભક્તિસાગરના કહેવાથી શ્રી નંદીશ્વર દ્વીપના મહોત્સવમાં “શ્રી નંદીશ્વરદ્વીપની પૂજા” રચી. સં. ૧૮૯૨ આ૦ વર ૧૩ ના રોજ કવિબહાદુર પં શ્રી દીપ વિજય ગણના શિષ્ય મુનિ શ્રી ક્ષેમે (સેમે) “પ્રતિમા પૂજાને રાસ રચ્યા. સં. ૧૯૧૯ પૂ. શ્રી બુટેરાયજી ૫૦ ના શિષ્ય શ્રી નિત્યવિજયજીએ વીશ વિહરમાન જિનપૂજા” રચી. Page #150 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન] ભટ્ટાર વિજ્યદાનસૂરિ [ ૧૦૮ સં. ૧૯૩૬ ત્રિસ્તુતિક આ૦ શ્રી વિજ્યરાજેન્દ્રસૂરિ પધાર્યા. શ્રી. રત્નસાગરજીએ નેમુભાઈની વાડીમાં ચાતુર્માસ કર્યું. સમવસરણની રચના થઈ અને નાણાવટની પળમાં આરસનું સમવસરણ બનાવ્યું. તેમના નામની માધ્યમિક શાળા અહીં ચાલે છે. સં. ૧૯૩૮ ખરતરગચ્છીય કાશીવાળા યતિવર્ય આ૦ શ્રી બાલ ચંદ્રજી પધાર્યા. સં. ૧૯૪૬ પૂ. શ્રી આત્મારામજી મ. અહીં પધાર્યા. સં. ૧૯૪૯ વડાચૌટામાં શ્રી સીમંધરસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૫૦ શ્રી અષ્ટાપદજીના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૫૦ જૈન ભોજનશાળાની સ્થાપના થઈ. સં. ૧૫૧ ઉમરવાડીમાં ભાગ શ્રી પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા થઈ સં. ૧૫૪ શ્રી. હીરાચંદ રાજાના શ્રી સમેતશિખરજીની રચનાની પ્રતિષ્ઠા થઈ. શ્રી. જગાવીરના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. શ્રી. કુંથુનાથજીના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૦૫૬ શાંતમૂતિ મુનિરાજ શ્રી મેહનલાલજી મના ઉપ દેશથી શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરી તથા શેઠ બાબુભાઈ મૂળચંદે શ્રી સૂર્યપુરમંડન પાર્શ્વનાથ મંદિરની ફરીથી પ્રતિષ્ઠા કરાવી તથા કતારગામના દેરાસર જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમાં શેઠ રૂપચંદ લલ્લુભાઈ એ મૂળનાયકજીને સ્થાપન કર્યા. સં. ૧૯૫૭ શેઠ નગીનદાસ ઝવેરચંદે એક લાખ રૂપિયા ખરચીને કરેલ પદવી–ઉત્સવમાં મુનિરાજ શ્રી. સિદ્ધિવિજયજીને પંન્યાસપદવી આપવામાં આવી; (જે પછીથી આ શ્રી વિજયસિદ્ધિસૂરિ નામથી પ્રસિદ્ધ થયા.) સં. ૧૫૮ મુનિ શ્રી હર્ષ મુનિને ગણિપદ આપવામાં આવ્યું. સં. ૧૯૯૧ મુનિરાજ શ્રી. નીતિવિજયજીને પંન્યાસ પદવી આપવામાં Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આવી (જે પછીથી પૂ. પા. વિજયનીતિસૂરિ નામથી ખ્યાતિ પામ્યા. ) સં ૧૯૬૧ લાઈન્સ દેરાસરની પ્રતિષ્ઠા. સં. ૧૯૬૨ શ્રી. આદીશ્વર ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. શેઠ નગીનદાસ કપૂરચંદ શ્રી. મેહનલાલજી જ્ઞાનભંડાર બનાવ્યા. અને શ્રી. મેહનલાલજી જનપાઠ શાળાની સ્થાપના કરી. સં. ૧૯૬૩ના ચાતુર્માસમાં આગમપ્રજ્ઞ આ. શ્રી આનંદસાગર સૂરિના ઉપદેશથી શહેરની પરિપાટિ તીર્થયાત્રા સં. ૧૯૭૩ શ્રી. મેહનલાલજી મહારાજ કાળધર્મ પામ્યા. સં. ૧૭૪ વૈ૦ સુબ ૧૦ ના રોજ તપાગચ્છાધિરાજ પૂ૦ મૂલ ચંદજી ( મુક્તિવિજયજી) મળના પટ્ટધર આ૦ શ્રી વિજયકમલસૂરિ મના હાથે શ્રીસંઘે મેરુ પર્વ વગેરે તીર્થની રચનાનું ઉજમણું તથા પદવી–ઉત્સવમાં આગમપ્રજ્ઞ પં. આનંદસાગરજીને આચાર્ય પદ. વળી, દશ વર્ષથી ચાલતા ઝગડાની પતાવટ. સં. ૧૯૮૧ આ૦ શ્રી વિજયકમલસૂરિ, આ. શ્રી વિજયદાનસૂરિ, તથા આ. વિજયલબ્ધિસૂરિ વગેરેનું ચાતુર્માસ તથા વિકમલસૂરિ પ્રાચીન પુરતોદ્ધાર ફંડ” અને “જૈન સહાયક ફંડ'ની રથાપના. સં. ૧૯૮૬ આ૦ શ્રી સાગરાનંદસૂરિ પધાર્યા. “નવપદ આરાધક સમાજ”, “દેશવિરતિ આરાધક સમાજ” અને “યંગ મેન્સ જૈન સંસાયટીનું સંમેલન. નગીનદાસ મંછુભાઈ ઝવેરી સાહિત્યદ્વાર ફંડની સ્થાપના. સં. ૨૦૦૨ વિ. . ૧૧ ના રોજ શ્રી “વર્ધમાન જૈન તામ્રાગમ સંસ્થાની સ્થાપના. સં. ૨૦૦૪ મહા સુત્ર ૩ ને શુક્રવારે “તામ્રાગમ મંદિર મંદિર Page #152 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [૧૧૧ (ક , મિ. ર૯)ની પ્રતિષ્ઠા. શ્રી મહાવીરસ્વામી વગેરે જિનબિંબની પ્રતિષ્ઠા. સં. ૨૦૦૬ વૈ૦ સુ૫ ને શનિવારે આગમપ્રજ્ઞ આ૦ શ્રી સાગરા નંદસૂરિજી બપેરે કલાક ૪, મિનિટ ૩૨ ના સમયે ૭૫ વર્ષની ઉંમરે અર્ધપદ્માસનસ્થ કાઉસગ્નની સ્થિતિમાં સમાધિપૂર્વક લીંબડીવાળા ઉપાશ્રયમા કાળધર્મ પામ્યા. સુરતમાં અત્યારે પપ૦૦ની જૈન વસ્તી છે. લગભગ ૭૪-૭૫ નાનાં-મોટાં દેરાસરો છે. ૨૧ જૈન ઉપાશ્રય અને ૩ જૈન ધર્મશાળાઓ છે. જેનું કેન્દ્ર ગણાય છે. સુરતના મહાજન – ૧. શેઠાણું સુભદ્રા – સુરતના એક શેઠને પ્રમોદ નામે પુત્ર હતો. અમેદને સુભદ્રા નામે પત્ની હતી. અમેદરાયને વેપાર ધમધોકાર ચાલતો હતો. એની પેઢી ઉપર પચીસેક ગુમારતા કામ કરતા હતા. મેટા મુનીમનું નામ મણિલાલ. મુનીમ અનુભવી અને પ્રૌઢ હતો. પિતાએ પ્રમોદરાયને શિખામણ આપેલી કે, “નીતિ છેડીશ નહીં, “સાધુસંતને સંગ તજીશ નહીં, “પરસ્ત્રીગમન કરીશ નહીં અને જીભની મીઠાશ મૂકીશ નહીં.” આપણી પાસે કુલ વશ લાખની માલમતા છે એટલે વેપારમાં વીશ લાખથી વધુ જોખમ ખેડીશ નહીં.” આ શિખામણે પિતાએ ચોપડાના પહેલા પાના ઉપર નોંધાવી. પ્રમાદરાય આ બધી શિખામણને પાળતો હતો અને એ મુજબ વેપાર ચલાવતો હતો. પ્રદરાય એક પ્રસંગે કારણવશ બહારગામ ગયા. પાછળથી એક સાંજે એક વહાણના માલિકે ત્રીસ લાખના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ માલવાળા વહાણનો વીમો ઉતારવા વિનંતિ કરી અને મુનીમે વહાણના ટંડેલનું નામ લખી તેના માલની આંકણી કરી વીમે ઉતાર્યો. પૈસા લઈ, જમાડી તેને રવાના કર્યો. પ્રમોદરાય ત્રીજે દિવસે આવ્યા. આવીને જોયું તે મુનીમે વશ લાખથી વધુ જોખમ ખેડ્યું છે એવી ભૂલ જણાતાં તે મૂછિત થઈ ગયા. મણિલાલ મુનીમ પણ ખરી વાત સમજ્યો ત્યારે મૂંઝાઈ ગયા. જે પિસા ભરવા પડે તો ત્રીશ લાખ લાવીશું ક્યાંથી? પણ મુનીમે મનને મનાવી લીધું કે મેસમ સારી છે. પવન અનુકૂળ છે માટે વાંધો નહીં આવે. સમયે સૌ સારાં વાનાં થશે. અને એ રીતે શેઠને પણ સમજાવ્યા. આ પરિસ્થિતિની સુભદ્રાને ખબર પડી. તેણે પણ શેઠને શાંત પાડવા બધા પ્રયત્નો કર્યા. રાતે બંને સૂઈ ગયાં. મધ્ય રાત્રિએ પુષ્કળ પવન ફૂંકાવા લાગ્યો. ચારે તરફ આંધી ફેલાઈ ગઈ હતી. ઘણું ઝાડ તૂટી પડ્યાં હતાં, થાંભલા પણ વળી ગયા, કેટલાંક મકાનો પડી ગયાં. શેઠ રાત્રે જાગ્યા ને પરિસ્થિતિ પામી ગયા. મનમાં બબડવા લાગ્યા કે ખેલ ખલાસ ! સવાર થતાં વાતાવરણ શાંત થયું. બપોરે શેઠ ઉપર તાર આવ્યો કે “વહાણનો પત્તો નથી. ત્રીશ લાખ રૂપિયા તૈયાર રાખે. સવારે આવીએ છીએ.” શેઠ આ સાંભળી ગાંડા જેવા થઈ ગયા. તે ઘેર આવ્યા અને અફીણ ઘોળી પીવાનો નિર્ણય કર્યો. શેઠના હુકમ મુજબ સુભદ્રાએ સાંજ થતાં અફીણની બે ખાલી તૈયાર રાખી. એક પિતાને માટે અને બીજી શેઠને માટે. સુભદ્રાએ શેઠ પાસે આવીને કહ્યું : “મરવું છે જ પણ મને એક વચન આપો.” શેઠે તે કેવલીની સાક્ષીએ પાળવાના કેલ આપ્યો. “આ અફીણ આ માટે નહીં પણ એવો સમય આવે ત્યારે આપણે બંને પીશું.” શેઠે તેનું વચન કબૂલ રાખ્યું. પછી સુભદ્રાએ નાન કરી નવાં વસ્ત્રો ધારણ કર્યા. શણગાર પણ સક્યો. અને ઘીને દીવ લઈ પુરતકમાંથી સ્તવન ગાવા લાગી. શેઠ એ સાંભળતાં સાંભળતાં ઊંઘી ગયા. શેઠાણીએ પ્રભુભક્તિ ચાલુ રાખી. Page #154 -------------------------------------------------------------------------- ________________ સત્તાવન ! ભટ્ટારક વિજ્યદાનસૂરિ [૧૧૩ પોતે કરેલાં ઘર્મકાર્યોને યાદ કર્યા. ચોથે પહેર થયો. તે જાગતી જ હતી એવામાં નીચેથી સાંકળ ખખડાટ થયા. શેઠાણીએ નીચે આવી બારણું ખેલ્યાં. એક બુકાનીધારી માનવી હાથમાં મોટી કેથળી લઈને આવી ઊભું હતું. તેણે શેઠાણને જોઈ બુકાની કાઢી નાખી વિનંતી કરતાં કહ્યું: ભવાનીપુરના બાપુ ગઈ કાલે દેવલોક પામી ગયા છે. સરકારનો સૂબો ત્યાં આવી જપ્તી બેસાડશે અને કંઈ લેવા નહીં દે. હું ત્યાંનો ફટાયો છું. પિતાજીએ હું લાડકો હોવાથી મારા ભાગની રોકડ અને જરજવેરાત મને આપી દીધેલાં છે તે લઈ હું રાતોરાત ભાગ્ય છું. મોટો ભાઈ તો બાપુની ગાદીએ આવશે પણ મારું કેણુ? તો આ મારી મૂડી છે. વ્યાજ વિના રાખવાની છે. તો તમે રાખી લે. ના ન પાડતાં. તમારી મોટપની મને જાણ છે. મારે વ્યાજ નથી જોઈતું. મારે પારેવાં જેવાં બાલુડાં છે તેના પર દયા લાવી આ મૂડી રાખી લે.” આમ કહી તે મોટી કોથળી મૂકીને ઘોડે બેસી ચાલ્યો ગયો. સુભદ્રાએ એ મિલકતની નોંધ કરી લીધી. ઝેરની પ્યાલીઓ ઢાળી દીધી. સવાર થતાં શેઠે જાગી શેઠાણને બેલાવી કહ્યું કે, “હવે પ્યાલી પી લઈ એ. શેઠાણીએ ચોથા પ્રહરની બધી ઘટના કહી સંભળાવી. શેઠ ખૂબ ખુશ થયા. નાહી-ધોઈ, જમી-પરવારીને દુકાને ગયા. મુનીમ મણિલાલ પણ એ જ અવસરે હસતે મે એ આવી કહેવા લાગ્યો : “શેઠ ! વધામણી. વહાણ સહીસલામત છે. બીજા બંદરે એ ખેંચાઈ ગયાં હતાં. તે હવે તેઓને મળી ગયાં છે.” શેઠે આનંદના સમાચારથી આંખ મીંચીને પિતાની સતીશિરોમણિ સુભદ્રાને યાદ કરી ને સુભદ્રાને મનથી ધન્યવાદ આપવા લાગ્યા. ૨. શેઠ મોતીશાહ (જુએ પ્રક. ૪, ૫૩૭, ૭૭૫) ૩. શેઠ પ્રેમચંદ રાયચંદ – રાજબાઈ ટાવર વગેરે. કીકાભાઈ માણેકલાલ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] જૈન પરંપરાના ઇતિહાસ ૪ શેઠ ધરમચંદ ઉયચંદ ૫ મુનિ જિતેન્દ્ર વિજયજી ૬ શેઠ જીવણલાલ ધરમચંદ – મુનિ જિનપ્રભવિજય. ૭ સાધ્વી જયપ્રભાશ્રીજી ૮ શેઠ દેવચ'દ બાલાભાઈ ૯ શેઠ જીવણલાલ સાકરલાલ ૧૦ શેઠ નગીનદાસ મન્નુભાઈ ૧૧ શ્રી. સુરચંદ પી. બદામી. ૧૨ પ્રા॰ હીરાલાલ રસિકદાસ કાપડીઆ. [ પ્રકરણ ૫૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અઠ્ઠાવનમું રાજનગરને નગરશેઠ વંશ શિસેદિયા ઓશવાલ જૈન, શાખા કાકેલ– શિસદિયા રાજવંશ વહીવંચા અને કુલગુરુએ સ્પષ્ટ કહે છે કે “સિસોદિયા સાંડેસરા, ચૌદસિયા ચૌહાણ, ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણ ” સાંડેરકગચ્છના ભટ્ટારક શ્રી યશોભદ્રસૂરિ, ભટ્ટા) શ્રી શાલિસૂરિ અને ભટ્ટા) શ્રી બલભદ્રસૂરિ વગેરે આચાર્યો મેવાડ શિદિયા રાવરાણુઓના રાજગુરુ હતા. ( પ્રક. ૩૪, પૃ. ૫૮ ૬ થી ૫૭૮) વલભીનગરના રાજા શિલાદિત્ય ભટ્ટાર્ક અથવા બાપ્પા રાવલની વંશ પરંપરામાં મેવાડના ચિત્તોડ, નાગદા અને ઉદેપુરની ગાદીએ ઘણું રાવ-રાણાઓ થયા છે. તે પૈકી (૩૫) રાવ રાણે રસિહ, (૩૬) રાણા ક્ષેમસિંહ અને (૩૭) રાણે સામંતસિંહ થયા. ( – પ્રક. ૨૩ પૃ. ૩૮૬ થી ૩૮૯) રાણે રણસિંહનાં બીજાં નામે સમરસિંહ અને સંગ્રામસિંહ પણ મળે છે. સિસોદિયા જૈન– શિદિયા ઓશવાલ જનની બાબતોમાં જે પ્રમાણભૂત આધારો મળે છે તે આ પ્રકારે જાણવા મળે છે.– ૧ કવિ બહાદુર શ્રી દીપવિજયજી ગણી લખે છે કેસવળ રાજ સમરસિંહ દિલ્હીની રાજકુમારીને પરણ્યો હતો. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તેને ચાર સંતાન થયાં. તે પૈકી મોટા બે પુત્ર નેપાળ ગયા અને ત્યાંના રાજા બન્યા, જેના વંશજો ગુરખા (ગોરક્ષક-ગરખા) તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ચોથે પુત્ર રાવ કરણસિંહ (ક્ષેમસિંહ) ચિત્તોડની ગાદીએ બેઠે. તેને (૧) માહપ, (૩) રાહ૫, અને (૩) ધીરજી એમ ત્રણ પુત્રો થયા. રાજકુમાર ધીરજીના શરીરમાં કેઢ રેગ નીકળ્યો અને સાંડેરક ગચ્છના ભટ્ટારકના પ્રયત્નથી તેને કેઢ રેગ મટી ગયો. રાણાએ “ધીરજને કોઢ રોગ મટશે તે તે રાજકુમાર તમને આપીશ.” એમ વચન આપેલું. આથી રાણાએ તે કુમાર ભટ્ટારકજીને સોંપ્યો. ભટ્ટારકજીએ તેને જૈન બનાવી તેનું શિસેદિયાત્રિ સ્થાપ્યું અને તેને ઓશવાળ જૈન જ્ઞાતિમાં દાખલ કર્યા. રાણાએ તેને ગામ-ગરાસ આપ્યાં. રાણું કરણસિંહના મરણ પછી મેટે કુમાર માહપ (સામંતસિંહ) મેવાડની ગાદીએ બેઠે. રાજકુમાર ધીરજના શિદિયા ઓશવાળ જૈન વંશમાં શેઠ શાંતિદાસ થયા, જેને બાદશાહ જહાંગીર મામા ” કહી બોલાવતે હતે. શેઠ શાંતિદાસ અમદાવાદના નગરશેઠ બન્યા, જે શિસેદિયા ગોત્રના વિશા ઓશવાલ જન હતા. તેના વંશમાં આજે દીપાશાહ, ખુશાલશાહ, વગેરે વિદ્યમાન છે. (— “સોહમકુલરત્ન પટ્ટાવલી ” ઉલાસ ૨, ઢાળઃ ૧૫, કડી ૧ થી ૧૯, પટ્ટાવલી સમુચ્ચય ભા-૨, પૃ. ૨૮-૩૦) ૨. શિલાલેખ (વિ. સં. ૧૯૦૫). શ્રી શત્રુંજયતીર્થમાં અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદે સં. ૧૮૮૬ના મહા સુદિ ૫ ના રોજ બંધાવેલી હેમાભાઈની ટૂંક છે. તેમાં નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ભગવાન શ્રી અજિતનાથનો જિનપ્રાસાદ બંધાવ્યો છે, તેની દક્ષિણ દિવાલમાં શિલાલેખ છે કે – “અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના વંશ અને દાનની વિગત” તેને વંશ શિસેદિયા, ગાત્ર–કુંકમસેલ - જ્ઞાતિ-ઓશવાલ, શાખા–આદિ. Page #158 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૧૭ તે કુળદેવી આશાપુરી અને ક્ષેત્રપાલ બરડાને પૂજતા હતા. તેની વંશાવલી આ પ્રમાણે છે – (૧) કુલોત્પત્તિ-રાજ સામંતસિંહ રાણે. (૩) પુત્ર કીરપાલ - આ૦ ધમધષસૂરિએ તેને જૈન બનાવ્યા. (૪) પુત્ર હરપતિ, (૪) શા. વાછા (૫) શા૦ સહસકિરણ (૬) શેઠ શાંતિદાસ. (૭) શેઠ લીમીચંદ, (૮) શેઠ ખુશાલચંદ, ભાર્યા–ઝમકુ (૯) શેઠ વખતચંદ, (૧૦) શેઠ હેમાભાઈ, (૧૧)શેઠ પ્રેમાભાઈ તપાગચ્છની સાગરશાખાના ભટ્ટારકે (૧) શ્રી રાજસાગરસૂરિ (૨) શ્રી વૃદ્ધિસાગરજી (૩) શ્રી લક્ષ્મીસાગરજી (૪) શ્રી કલ્યાણસાગરજી (૫) શ્રી પુણ્યસાગરજી, (૬) શ્રી ઉદયસાગરજી, (૮) શ્રી આનંદસાગરજી (૮) શ્રી શાંતિસાગરજી સં. ૧૯૦૫ (– શ્રી જિનવિજયજી સંપાદિત–“ પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા-૨, લેખ અને પર્યાચન લેખાંક : ૧) ૩. વીર દયાલ શાહ (સં. ૧૭૩રના વૈ૦ વ. ૭ ને ગુરુવાર) ઈતિહાસથી જાણવા મળે છે કે, સંઘવી તેજરાજ વિશા ઓશવાલ શિદિયા વંશને સરૂવર્યાગેત્રને જૈન હતો. તે મારવાડમાં (ગોલવાડમાં) રહેતે હતો, તેના વંશમાં વરદયાલશાહ એશવાલ શિસદિયાવંશને જૈન થયે, જે ઉદયપુરના રાણ રાજસિંહને દીવાન હતો. નોંધ - અમે પહેલાં (પ્રક. ૪૪, પૃ. ૩૯ થી ૪૧ અને પ્રકટ પ૩ પૃ૦ ૬૧૧-૧૪માં) તેને પરિચય આપ્યો છે. વિશેષ– ક્ષેમસિંહ કે. રાઠોડ પિતાના સં. ૨૦૦૪ના ઓશવાલ કેમના ઈતિહાસ પુસ્તકમાં (પ્રકરણ ત્રીજું ઓશવાલ વિશેને વિભાગ પૃ૦ ૧૯૩ થી ૨૦૭માં) વધુ પરિચય આપે છે તે આ પ્રમાણે છે. – * વીર દયાલશાહ ઓસવાલ બચપણથી દેશાભિમાની, કુલાભિમાની, ધર્માભિમાની, સાહસી, બહાદુર, નરવીર હતે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તે વશ વર્ષની ઉંમરે પિતાનું ક્ષાત્રવટ બતાવવા પિતાથી રિસાઈને મારવાડ છોડી મેવાડના ઉદયપુરમાં આવી એક મુસાફરખાનામાં રહ્યો ને રાજ્યની ઘડાહારમાં નોકર બન્યા. પિતાની હોશિયારીથી ઉદયપુરના રાજપુરોહિતના આગ્રહથી તેના ગુપ્ત મંત્રણ વિભાગના દફતરમાં મહેતે બની રહ્યો, પણ આ પુરોહિત દેશદ્રોહી હતો કેમકે તે ઔરંગઝેબ સાથે ભળી ગયો હતે. વીર દયાલશાહે તે બંનેનાં કાવતરાંનાં ગુપ્ત પત્રોને ખટલો રાણા રાજસિંસના હાથમાં લાવી મૂકો અને વિનંતી કરી કે, “બાપુ! પુરોહિતથી ચેતતા રહેજો.” રાણાએ પુરોહિતના કાવતરાથી ચેતી જઈ મેવાડને બચાવી લીધો અને વીર દયાલ શાહને ધીમે ધીમે ઊંચા અધિકાર આપી છેવટે રાજ્યના મહામાત્યપદે પ્રતિષ્ઠિત કર્યો. ઉદયપુરના શેઠ સેહનલાલે તેની સાથે પોતાની બહાદુર, ચતુર, દેશપ્રેમી અને ધર્મપ્રેમી પાટમદે નામની પુત્રી પરણાવી. વીર દયાલશાહે ઘણુ યુદ્ધ છેડ્યાં. શત્રુઓને હંફાવી પિતાની વીરતાને પરિચય કરાવ્યો. મહ. પાટીદેવી પણ પુરુષના વેશમાં સૈનિકને ગણવેશ પહેરી, ગુપ્ત નામ રાખી મેવાડી સેનામાં દાખલ થઈને લડાઈના મેદાનમાં ઊતરતી હતી. લડાઈમાં તેના પતિ દયાલશાહ ચિંતા શત્રુઓના ઘાને ભેગ ન બને તેનું ધ્યાન રાખી તેમનું પૂરું રક્ષણ કરતી. મંત્રી દયાલશાહને આ નવા સિનિક વિશે જાણવા ઈચ્છા થઈ ત્યારે તપાસ કરતાં વીરાંગના પાટમ હોવાનું માલુમ પડ્યું. દયાલશાહે શત્રુઓના બધા દાવપેચ તોડીફાડી દગાબાજીને ફાવવા ન દીધી. યુદ્ધમાં આજમખાંને પણ હરાવી દીધું હતું. આ રીતે દયાલશાહ મંત્રીએ મેવાડનું પૂરી તકેદારીથી રક્ષણ કર્યું હતું. આ ઉપરાંત નીચેના ગ્રંથમાં શિસેદિયા રાજવંશના ઉલલેખે મળે છે. ૪. કવિવર શ્રી ક્ષેમવર્ધન ગણીકૃત “પુણ્યપ્રકાશરાસ.” ૫. પં. શ્રી કૃપાસાગર ગણકૃત “ભટ્ટારક રાજસાગરસૂરિરાસ” તારતી પરિશ્રમ કરી, તા. લડાઈ Page #160 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરના નગરશેઠ વ શ [૧૧૯ ૬. ૫૦ કૃપાસાગર ગણી શિષ્ય પ૦ તિલકસાગર ગણીકૃત ‘ નેમિસાગર નિર્વાણરાસ. ’ ૭, ૮, ૯. વિવિધ શિલાલેખા, જિનપ્રતિમાલેખા, ગ્રંથપ્રશસ્તિઓ – પુષ્પિકાએ. વંશ, ગાત્ર, શાખા શિસાયિાવશના એશવાલ ... નાનાં વિવિધ ગેાત્રા બન્યાં. અમદાવાદના નગરશેઠના વંશજોનું કુંકુમરાલા ગાત્ર હતું. કાઈ કાઈ સ્થાને તેની કાકેાલા શાખા બતાવી છે. આ ગેાત્ર અને શાખામાં નહીંવત્ ભેદ છે. સરંભવ છે કે, આ વંશના વૈષ્ણવતીધામ કાંકરેાલી, અથવા કામીકાંકર ગામ સાથે સબંધ હાય. પ્રક૦ ૪૪, પ્રક ૫૦, પૃ૦ ૪૯ ) ( - વીર દયાલદાસનુ' ગેાત્ર સવય્ય હતું, - - નવા નવા પ્રતિમાલેખા, ગ્રંથપ્રશસ્તિ નય વગેરે મળશે તા તેમના પૂર્વજો, ગેાત્ર, શાખા વગેરે વિશે વિશેષ જાણવા મળશે. અમને વિશ્વાસ છે કે, સ’૦ ૧૬૫૪ની જિનપ્રતિમાના લેખમાં શા સહસ્રકિરણના પૂર્વજો. તથા પુત્ર-પૌત્રાનાં નામ આપ્યાં હશે. ભુલાનગર એમ માનવામાં આવે છે કે, અમદાવાદના નગરશેઠના પૂર્વજો વાસ્તવમાં ભૂલાનગરના વતની હતા, જે મેવાડમાંથી નીકળી મેવાડના નૈઋત્યમાં આવેલા ભૂલાનગરમાં આવીને વસ્યા હાય. ભૂલાનગરનુ` સ્વરૂપ આ નગર સિરાહી રાજ્યમાં પેરિસસમા ગણાતા રાહિડા નગરની પાસે હતું. રાહિડાથી મેાટા પેાસીના સુધીના પાકા રસ્તા માટર રાડ છે. રસ્તામાં સનવાડા, નાનું ભૂલા, મેાટુ ભૂલા વગેરે ગામે છે. (~ પ્રક ૫૦, પૃ૦ ૪૯૦) એવા સ`ભવ જણાય છે કે, મેવાડના પ્રતાપી રાણા પ્રતાપે દિલ્હીના ખા॰ અકબર સાથેની અયડામણ વખતે આ ભૂલાનગરમાં વસવાટ કરી શાંતિ મેળવી હાય. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] જેન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ ભૂલાનગર પાસેના પ્રદેશમાં એ વહેમ પ્રચલિત છે કે- “પાંચમના કામમાં પંચા પડે. અમદાવાદના નગરશેઠના કુટુંબમાં પણ “સારાં કામ માટે પાંચમને દિવસ અશુભ મનાય છે.” આ વિશે એવી દંતકથા સંભળાય છે કે – એક કુમારી કન્યા પોતાના ગામથી પાંચમના દિવસે કઈ શુભ કામ માટે નીકળી હતી પણ રસ્તામાં તે ઘણી હેરાન થઈ ગઈ છેવટે મરણ પામી. ત્યારથી પાંચમ અશુભ મનાય છે.” આ કહેવત ભૂલાનગર અને નગરશેઠના કુટુંબ વચ્ચે પ્રાચીન સંબંધ હોવાનું પૂરવાર કરે છે. ઉદયપુરના શિસેદિયા રાજવંશ અને અમદાવાદના નગરશેઠવંશ વચ્ચે છેલ્લાં વર્ષો સુધી ભાઈચારા જે સંબંધ હતો. એકબીજાના શુભ પ્રસંગે એકબીજાને આમંત્રણ આપી બેલાવતા હતા. તેમ જ વિવાહ વગેરેમાં ચાંદલ આપ, જન્મ પ્રસંગે ભેટશું આપવું વગેરે મર્યાદા જાળવતા હતા. કોઈ મોગલસેનાએ આ ભૂલાનગરને ભાંગી-તેડી ખેદાનમેદાન કર્યું, જે ગામ આજે દટ્ટણપટ્ટણ છે. સિરોહી રાયે ભૂલાનગરની પુરાણ જમીનને ખેદાવી ત્યારે તેમાંથી જિનપ્રતિમાઓ વગેરે નીકળ્યાં હતાં. જે રેહિડા જૈન સંઘને આપવામાં આવ્યાં હતાં, આ બધી પ્રતિમાઓ રોહિડાના જૈન દેરાસરમાં બિરાજમાન છે. આટલી પ્રાસંગિક હકીકતો નોંધી હવે આપણે નગરશેઠના કુટુંબની વંશાવલી જોઈએ. Page #162 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના નગરશેઠને વંશ અને વંશાવલી ૧. પદ્માશાહ– સંભવ છે કે એમનું બીજું નામ હરપતિ હોય અને ઉદયપુરના રાણુ સામંતસિંહના...હાય. ૨. વત્સાશાહ – તેમનું બીજું નામ શા. વા છે પણ જાણવા મળે છે. તેમને ગુરુદે નામની પત્ની હતી. તેમનું કુટુંબ તપાગચ્છીય ભટ્ટા આ૦ શ્રી વિજયહીરસૂરિ અને આ૦ શ્રી વિજયસેનસૂરિનું ભક્ત અને ઉપાસક હતું. આશુકવિ . શ્રી હેમવિજ્ય ગણે જણાવે છે કે, ભટ્ટાશ્રી વિજયસેનસૂરિએ સં ૧૬૫૪ના મહા સુદિ પ ના રોજ અમદાવાદના અમીપુરમાં ધનકુબેર શેઠ ભેટાશાહના જિનાલયની પ્રતિષ્ઠા કરી અને તે જ ઉત્સવમાં, તે જ દિવસે મહા શ્રી ધર્મસાગર ગણીના શિષ્ય શ્રી લબ્ધિસાગરને ઉપાધ્યાયપદવી આપી. વળી, તે જ દિવસે અમદાવાદના શેઠ વત્સા (વાછા) ઝવેરીના ઘર દેરાસરની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬પ૪ના એ જ વર્ષનું ચાતુર્માસ અમદાવાદના અમીપુરમાં કર્યું. સં. ૧૯૫૫માં અમદાવાદના ઢીંકવાપાડાની જમીન ખોદતાં ત્યાંથી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા નીકળી આવી. તે પ્રતિમાનું આચાર્યશ્રીએ વિજયચિંતામણિ પાર્શ્વનાથ નામ રાખી તેને અમદાવાદના સીકંદરપુરના એક જિનાલયમાં પધરાવી અને સં. ૧૬૫૫નું ચાતુર્માસ સીકંદરપુરમાં કર્યું. સં. ૧૬પ૬ના મહા સુદિ ૫ ના રોજ સીકંદરપુર (બીબીપુર)માં શ્રીસંઘે બંધાવેલા જિનાલયમાં એ વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. સાથોસાથ અમદાવાદના વીશા શ્રીમાળી શેઠ બહુઆના શ્રી શાંતિનાથના ઘર દેરાસરની પ્રતિમાની અને કાવીના શેઠ ગાંધી કુંઅરજી નાગર જૈનના ભ૦ ધર્મનાથની પ્રતિમાની અંજનશલાકા કરી. (– વિજયપ્રશસ્તિ કાવ્ય સર્ગ, લે. જૈન પરં ઈતિહાસ, પ્રકo૫૯ પ્રતિષ્ઠા વિભાગ.) બાદશાહ અહમ્મદશાહે સં૦ ૧૪૬૮માં અમદાવાદ નગર વસાવ્યું. શહેરને આબાદ કરવા માટે બહારથી મેટા મેટા વેપારી છે. ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ જૈનોને આમંત્રણ આપી વસાવ્યા. જેનો અમદાવાદ નગરને જિનાલયે, ગ્રંથભંડારો, હવેલીઓ અને વેપાર વગેરે વિકાસ કરતા રહ્યા. શા, વત્સાએ પણ ભવ્ય ઘર દેરાસર બનાવ્યું. તેમની ભાવના હતી કે હવે ઘરમાં મેટ ગ્રંથભંડાર પણ બનાવો. એમના પુત્ર સહસ્ત્રકિરણે તેમની એ ભાવના પૂરી કરી. સંભવ છે કે એ સમયે શાવર્ધમાન અને શા. શાંતિદાસ બાળકરૂપે હોય. ૩. શા૦ સહસ્ત્રકિરણ–તેમનાં બીજાં નામે સહસકિરણ, સહસકરણ, શેષકરણ પણ મળે છે. તેમને (૧) કુંઅરબાઈ અને (૨) સૌભાગ્યદ એમ બે ભાર્યાઓ હતી. તેમને કંઅરબાઈથી શા વર્ધમાન અને સૌભાગ્યદેથી શા શાંતિદાસ એમ બે પુત્રો થયા. શેઠ સહસ્ત્રકિરણ જેવા ધર્મપ્રેમી હતા તેવા વિદ્યાપ્રેમી પણ હતા. શા, વત્સાએ અમદાવાદમાં પોતાનું સ્વતંત્ર ઘર-દેરાસર બંધાવ્યું હતું, જ્યારે પુત્ર સહસ્ત્રકિરણે સં. ૧૬૫૪–પપમાં જૂના ગ્રંથે વેચાણ ખરીદીને તેમ જ નવા નવા ગ્રંથ લખાવી ઘરમાં પોતાને જ નવ ગ્રંથભંડાર બનાવ્યા. - આ જૂના ગ્રંથની પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ હતી તેમની તેમ રહેવા દઈને તેની નીચે પોતાની નવી પમ્પિકાએ લખાવી. સાધારણ રીતે પોતાના દરેક ગ્રંથમાં નીચે પ્રમાણે એકસરખી નોંધ મળે છે. __ “साह श्रीवच्छ, भार्या बाई गुरुदे, सुत सहस्रकिरणेन भंडारे गृहीत्वा सुत वध मान-शांतिदासपालनार्थम् ।" । તેમણે આ રીતે ગ્રંથોમાં પિતાના પિતા, માતા, પોતે અને બંને પુત્રેનાં નામે લખાવ્યાં છે. આથી સ્પષ્ટ થાય છે કે, તેમણે પિતાના બંને પુત્રના જન્મ પછી ગ્રંથભંડાર સ્થાપન કર્યો હતો. એ પણ નકકી છે કે, નગરશેઠ શાંતિદાસને સત્તાસમય સં. ૧૬૪૫ થી ૧૭૧૫ છે. એ ગામમાં ઘણુ ગ્રંથો ખરીદાયા અને લખાયા છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ રાજનગરને નગરશેઠે વશ [ ૧૨૩ અઠ્ઠાવન ] તે આ ગ્રંથા અધ્યયન કરતા મુનિવરેશને આપતા અને અભ્યાસ કરી લીધા પછી પાછા ગ્રંથભડારમાં મૂકી દેતા. (– શ્રી. પ્રશસ્તિસ ંગ્રહ, ભા—ર ની પ્ર૦ ન ૧૩૫-નેમિનાથયરિત્ર પુષ્પિકાર ) - નોંધ – જુદા જુદા ગ્રંથભડારાનાં છૂપાયેલાં સૂચીપા અને નેાંધની ચાપડીઆ (લિટા) જોવાથી જાણવા મળે છે કે, આ નગરશેઠના વંશજોએ જુદા જુદા પ્રસંગે આ ભંડારના ઘણા ગ્રંથા ( ૧ ) આગરાના બાદશાહ અકબરના ગ્રંથભડાર, (૨) લી'ખડી– શ્રી સંઘના જ્ઞાનભ’ડાર, (૩) પૂના – ભાંડારકર ઇન્સ્ટીટટ્યૂટના ગ્રંથસંગ્રહ, ( ૪ ) અમદ્દાવાદ – શ્રી મુક્તિવિજયના ગ્રંથભંડાર અને (૫) અમદાવાદ – આ॰ શ્રી વિજયર્નામસૂરિ ગ્રંથભડાર વગેરેને આપ્યા છે. છેવટે નગરશેઠે પેાતાના ઘરમાં બાકી રહેલા ગ્રંથસ ગ્રહ અને શ્રી મુક્તિવિજયજી ગણીના ગ્રંથભંડાર અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિરને તેમના નામે રાખવાની શરતે આપ્યા છે. કારણકે, લી...ખડીના ગ્રંથભડારની અંગચૂલિયા પઈન્નય ’ની પ્રતિમાં આ ગ્રંથભંડારની ઉપર પ્રમાણેની નાંધ છે. તેમજ પૂનાના ભાંડારકર ઇન્સ્ટીટયૂટના જૈન પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ ની ન′૦ ૪૫૭, ૪૬૮, ૪૭૬, ૪૮૮, અને ૫૬૯ વગેરે પ્રતિમાં આ ગ્રંથભડારની ઉપર દર્શાવેલી નોંધ છે. ' વિ॰ સં॰ ૧૯૯૦ના ફાગણ-ચૈત્ર માસમાં અમદાવાદના નગરશેઠના વંડામાં નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ એ વિનંતિ કરી અખિલ ભારતવષીય શ્વેતાંબર શ્રમણનું સ ંમેલન કરાવ્યું હતું. અમે પણ તેમના પ્રતિનિધિ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ દિલ્હીમાં અમને વિનતિ રવા આવવાથી દિલ્હી પ્રદેશમાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા અને તેમની વિનતિથી નગરશેઠના વડામાં તેમના જ બંગલામાં ઘણા કાળ રહ્યા હતા, ત્યારે શેઠ કસ્તૂરભાઈ માંણભાઈ, શેઠાણી માણેકબેન તથા પુત્રા અરુણભાઈ અને જગદીશભાઈ એ પેાતાના ઘરમાં રહેલા પ્રાચીન ગ્રંથ ભડાર બતાવ્યા અને વ્યવસ્થિત કરાવ્યા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ હતો. અમે તે વખતે કેટલાક ગ્રંથોની પ્રશસ્તિ, પુષ્પિકાઓ અને ઉક્ત નેંધોની નકલ કરી લીધી હતી. ખુશી થવા જેવું છે કે, અમદાવાદના જૈન સાહિત્યપ્રદર્શને શ્રી. પ્રશસ્તિસંગ્રહના ગ્રંથ છપાવ્યા છે. તેના બીજા ભાગમાં પ્રશસ્તિ નં. ૨૫, ૧૦૭, ૧૩૫, ૨૪૭ અને ૮૩ર વગેરેની નીચે ઉક્ત ગ્રંથભંડારની નેધ છે. - હવે આ ગ્રંથભંડારનો મોટો સંગ્રહ અમદાવાદના શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. તેના વ્યવસ્થાપકો આ ગ્રંથની પ્રશસ્તિઓ છપાવે તો તેમાંથી ઘણો ઉપયોગી જેના ઈતિહાસ પ્રાપ્ત થશે. અને નગરશેઠના વંશની બાબતમાં પણ જરૂરી પ્રકાશ પડશે. ૪. શા. વર્ધમાન – શા. વર્ધમાન શેઠ સહસ્ત્રકિરણ અને તેમની ભાર્યા કુંઅરબાઈને મોટો પુત્ર હતો. તેમને વિશેષ ઈતિહાસ મળતો નથી. ઉલ્લેખ મળે છે કે, શેઠ વર્ધમાન અને તેમના ભાઈ શાંતિદાસ અમદાવાદમાં સરસપુર (બીબીપુર)ના શ્રી વિજ્યચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને જીર્ણોદ્ધાર કરી મોટો જિનપ્રાસાદ બનાવ્યો અને તેમાં સં. ૧૬૮૨ના જેઠ વદિ ૯ ને ગુરુવારે મોટી જિનપ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરનાં દરેક કામ શેઠ વર્ધમાનની દેખરેખ નીચે થયાં હતાં. ત્યારે તેમની માતા કું અરબાઈ વિદ્યમાન હતાં અને તેમણે આ જિનાલયમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ૫. નગરશેઠ શાંતિદાસ (સં. ૧૬૪૫ થી ૧૭૧૫) શા. સહસ્ત્રકિરણને નાનો પુત્ર હતું. તેની માતાનું નામ સૌભાગ્ય હતું. તેને જન્મ સં. ૧૬૪પમાં થયાનું મનાય છે. - તેઓ બાળપણથી તીવ્ર બુદ્ધિશાળી હતા. પુણ્યશાળી હતા. તેમણે શરૂઆતથી જ ઝવેરાતને ધંધું શરૂ કર્યો. તે ધીમે ધીમે અનુભવથી મેટા ઝવેરી બન્યા. અમદાવાદ, સુરત, ખંભાત વગેરે સ્થળે ફરીને ઝવેરાત વેચતા હતાં. Page #166 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [૧૨૫ શેઠ શાંતિદાસ જ્યાં જાય ત્યાં સવારે ઊઠી દેવદર્શન, ગુરુદર્શન વગેરે નિત્યવિધિ કરી ઘેર આવી ખાઈ-પી પિતાના કામે જતાએ એમને દૈનિક કાર્યક્રમ હતો. તપાગચ્છના પ૩મા ભટ્ટા. આ. શ્રી લક્ષમીસાગરસૂરિના શિષ્ય મહોય શ્રી વિદ્યાસાગર ગણીની પરંપરામાં મહ. શ્રી ધર્મસાગર ગણીના શિષ્ય સં. ૧૬પ૩માં ઉપાઠ શ્રી લબ્ધિસાગર ગણુ થયા. તેમને (૧) પં શ્રી નેમસાગર ગણું અને (૨) મુનિ શ્રી મુક્તિસાગર ગણું એ બે શિષ્યો હતા. તે બંને ગૃહસ્થપણામાં સગા ભાઈએ હતા. સાધુપણામાં પણ ગુરુભાઈઓ હતા. બંને બુદ્ધિમાન, વિદ્વાન અને મોટા વાદી હતા. આથી સં. ૧૯૫૫માં ભટ્ટા. વિજયસેનસૂરિના હાથે પન્યાસ બન્યા. બંને બાલબ્રહ્મચારી હતા. પં. મુક્તિસાગર ગણીને પદ્માવતી દેવીનું ઇષ્ટ હતું. કવિવર ૫૦ સેમવર્ધન ગણું લખે છે કે – આ બંને પન્યાસે સુરતમાં ચાતુર્માસ હતા ત્યારે સુરતમાં મેટે શાંતિદાસ ઝવેરી રહેતો હતો. તે ધનકુબેર હતો પણ તેને પુત્ર-પુત્રી કંઈ સંતાન નહોતું. એક દિવસ તે શેઠે બંને પન્યાસે પાસે આવી વાંદી કરગરીને અરજ કરી ગુરુદેવ! ગુરુદેવની કૃપાથી આ આપના સેવક પાસે અનર્ગલ ધન છે; પણ એવું કોઈ અંતરાયકર્મ નડે છે કે અમારા પછી આ ધનને વાપરનાર–દાનપુણ્ય કરનાર એ કોઈ જીવ નથી (અમને કઈ સંતાન નથી.) ગુરુદેવ કૃપા કરે તો આ અંતરાયકર્મ તૂટે અને આ શ્રાવકનું ઘર આબાદ બને. આ સાંભળી બંને પંન્યાસએ સં. ૧૬૬૦ના ચૈત્ર માસમાં ઉપાશ્રયમાં નીચે ભેંયરામાં બેસી સર્વકાર્યસાધક શ્રી ચિંતામણિ મંત્રનો જાપવિધિ શરૂ કર્યો. ૧. આ સમયે સુરતના શેડ શાંતિદાસ ઝવેર, (૨) અમદાવાદના શેઠ સહઅકિરણને પુત્ર શાંતિદાસ ઝવેરી અને અમદાવાદના શેઠ લહુઆ શ્રીમાલીવંશના શેડ શાંતિદાસ મનિયા એમ ત્રણ શાંતિદાસે થયા છે. ' Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] જૈન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ આ મંત્રને નિયમ એ હતું કે, આ મંત્ર નિરંતર બલિબાકુલા અને આરતી વગેરે વિધિ સાથે જાપ કરવાથી ૬ મહિને સિદ્ધ થાય. જાપની સમાપ્તિ સમયે ધરણેન્દ્ર નાગરૂપે આવી સામે ઊભે રહે ત્યારે સાધક નીડર બની રહે અને તેની જીભ સાથે જીભ મેળવે તે ધરણેન્દ્ર પ્રત્યક્ષ થઈ શ્રાવકને વરદાન આપે. બંને પંન્યાસોએ સુરતના શેઠ શાંતિદાસને કહી રાખ્યું કે, અમારી જાવિધિને છ મહિના પૂરા થાય તેને બરાબર બીજે દિવસે સવારે તમે જાતે જ આવીને હાજર થજે. પંન્યાએ છ મહિના સુધી વિધિપૂર્વક જાપ કર્યો. છ મહિના પૂરા થયા. બીજે દિવસે સવારે સુરતના શેઠ શાંતિદાસ આવ્યા નહીં. હાજર થયા નહીં ત્યારે ભાગ્યયોગે એવું બન્યું કે, અમદાવાદને શેઠ શાંતિદાસ ઝવેરી તે જ દિવસે તે જ અવસરે બ્રાહ્મ મુહૂર્તમાં જિનાલયમાં દર્શન કરી બંને પંન્યાસોને વાંદવા ઉપાશ્રયમાં આવ્યા. પં. મુક્તિસાગર ગણું સમજ્યા કે સુરતના શેઠ આવ્યા છે એટલે તેમણે તેમને ભોંયરામાં લઈ જઈ પોતાની સામેના આસને બેસાડી જણાવ્યું કે, શેઠ શાંતિદાસ! ડરશે નહિ. હિંમત રાખજે. ધરણેન્દ્ર નાગરૂપે આવી તમારા શરીર ઉપર ચડે, માથા ઉપરથી આગળ ઊતરી જીભના લબકારા મારશે ત્યારે તમે તે નાગરાજની જીભ સાથે પોતાની જીભ અડાડી દેજે. એટલે ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તમને વરદાન આપશે. પરિણામે રાજ્ય મળશે, રાજ્યનું માન, ધન, યશ અને પુત્રપરિવાર વધશે.” અમદાવાદના શેઠ શાંતિદાસ તે કંઈ સમજ્યા વિના ચુપચાપ ભોંયરામાં જઈ ગુરુદેવની કૃપા સમજ આસન ઉપર બેસી ગયા. પંન્યાસજીએ જાપ શરૂ કર્યો. ધરણેન્દ્ર નાગરૂપે આવી શરીર ઉપર ચડ્યો. જીભના લબકારા મારવા લાગ્યો. પણ આ શાંતિદાસે બીકથી પોતાની જીભ બહાર કાઢી નહીં. ધરણેન્દ્ર તરત નીચે ઊતરી અદશ્ય થઈ ગયે. પં. મુક્તિસાગર ગણીએ કહ્યું, “શાંતિદાસ! તમે જીભ કાઢી નાગની જીભ સાથે મેળવી લેત તો અહીંના રાજા બનત. પણ તમે Page #168 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરના નગરશેઠ વંશ [૧૨૭ ડરી ગયા ને જીભ મેળવી નહીં. છતાં તમે મેટા રાજમાન્ય બનશે. (- શેઠ શાંતિદાસને રાસ, જૈન ૫૦ ઈ. પ્રક. ૫૫, પૃ. ૧૦૮ થી ૧૧૦) શેઠ શાંતિદાસ ઝવેરી સં. ૧૯૬૧માં ખુશી થતો થતો સુરતથી અમદાવાદ ગયા અને ત્યાંથી આગરા ગયા ત્યારે બાદશાહ અકબરે પેતાના રાજદરબારમાં સૌ ઝવેરીઓને લાવ્યા હતા. શેઠ શાંતિદાસ ઝવેરી પણ સૌ ઝવેરીઓ સાથે રાજદરબારમાં ગયા. તેમણે ત્યાં મોતીની સાચી પરીક્ષા કરી બતાવી અને તેની વાજબી કિંમત પણ જણાવી મેટી નામના પ્રાપ્ત કરી. તેમને મેગલ દરબારમાં મેટાં માન-સન્માન મળ્યાં અને બાદશાહ અકબરે તેમને પણ ઝવેરીની પદવીથી નવાજ્યા. એક વાર બાદશાહ અકબરની એક બેગમ અમદાવાદમાં કઈ ખાસ કામે આવી હતી. શ્રી શાંતિદાસ ઝવેરીએ તેની ખૂબ ખાતરબરદાસ્ત કરી. બેગમે પ્રસન્ન થઈ તેમને ધર્મભાઈ બનાવ્યા. બાદશાહ અકબરના મરણ પછી તેને માટે પુત્ર જહાંગીર (સં. ૧૬૬૭ થી ૧૬૮૪ ફાગણ વદ અમાસ, સને ૧૬૦ ૬ થી તા૧૮-૧૦-૧૬૨૭ સુધી) હિંદને બાદશાહ બન્યો. (- પ્રક. ૪૪, પૃ. ૨૨૨) તેણે અમદાવાદથી શાંતિદાસ ઝવેરીને બોલાવ્યા અને તેમને મામા ” કહી તેમનું ઘણું માન-સન્માન કર્યું. પછી તે શેઠ શાંતિદાસને અમદાવાદના “નગરશેઠની પદવી આપી અને ગુજરાતના સૂબાનો હોદ્દો આપ્યો. શેઠ શાંતિદાસ સમજી ગયા કે આ બધું ગુરુદેવની કૃપાનું ફળ છે. તેમણે પં. શ્રી નેમિસાગર ગણી અને પંમુક્તિસાગર ગણુને વિનંતી કરી અમદાવાદમાં પધરાવ્યા. તેમણે પોતાના મનથી પં. શ્રી મુક્તિસાગરનું પં. રાજસાગર ગણું નામ રાખ્યું અને તેમને વિનંતી કરી કે, “ગુરુદેવ! આપની કૃપાથી મને ગુજરાતની સૂબાગીરી મળી છે. એટલે આ રાજ્ય આપનું જ છે. આપ ગુરુદક્ષિણમાં મારું આ દાન સ્વીકારી અને ઋણમુક્ત કરો.” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ પંન્યાસજી હસીને બેલ્યા, “શેઠ! અમે પાંચ મહાવ્રત ધારણ કરેલાં છે. અમે માતા, પિતા, ઘર, માલમિલકત, કુટુંબ પરિવાર છેડીને નીકળ્યા છીએ – સાધુ બન્યા છીએ એટલે અમે રાજ્યને શું કરીએ? છતાં તમારે ગુરુભક્તિને લાભ જ લેવો હોય તો ભટ્ટા, શ્રી વિજયસેનસૂરિને આમંત્રણ આપી અમદાવાદમાં પધરાવે. તેમને પ્રસન્ન કરી અમને બંનેને તેમના વરદ હસ્તે ઉપાધ્યાયપદ અપાવો. આથી તમને મેટો લાભ થશે” નગરશેઠ શાંતિદાસે સંવેગીગરછના ૫૦મા ભટ્ટાશ્રી વિજયસેનસૂરિને વિનંતી કરી ભારે માન-સન્માનથી અમદાવાદમાં પધરાવ્યા અને અવસર જોઈ વિનંતી કરી કે, “આપશ્રી કૃપા કરીને પં નેમિસાગર ગણ અને પં૦ મુક્તિસાગર ગણીને ઉપાધ્યાય બનાવે.” ગચ્છનાયકે શેઠ શાંતિદાસની વિનંતીથી સં. ૧૬૬૫માં અમદાવાદમાં માત્ર પં. નેમિસાગર ગણીને જ ઉપાધ્યાયપદ આપ્યું પણ પં. શ્રી મુક્તિસાગર ગણીને ઉપાધ્યાય પદવી ન આપી. શેઠ ખુશ થયા અને ગચ્છનાયકને પાઘડી ઉતારી વિનંતી કરી કે, “હવે પં૦ મુક્તિસાગર ગણીને ઉપાધ્યાયપદ આપે.” ગચ્છનાયકે ઠંડો જવાબ આપતાં જણાવ્યું કે, “મહાનુભાવ! હું તમારી લાગણી સમજુ છું, પરંતુ તમે સમજી શકે એમ છે કે, પદવી એ જેને તેને લહાણી કરવાની કે ઘેર ઘેર વહેચવાની વસ્તુ નથી. તે કાને આપવી, કોને ન આપવી, ક્યારે આપવી અને ક્યારે ન આપવી તેને વિચાર કરવો પડે છે.” ગચ્છનાયકે આટલે ખુલાસો કરી મિાન પકડયું. નગરશેઠને આ ખુલાસાથી છેટું લાગ્યું પણ તેમણે “જેવી આપની મરજી” કહી તે વખતે મનમાં જ નક્કી કર્યું કે, હવે હું શ્રી નેમિસાગરને ભટ્ટારક બનાવી, પં શ્રી મુક્તિસાગર ગણીને તેમના હાથે જ ઉપાધ્યાય બનાવી, પછી આચાર્યપદવી અપાવી ઉપા. શ્રી રાજસાગર ગણી અને પછી આ રાજસાગરસૂરિ બનાવીશ.” ભટ્ટાશ્રી વિજયસેનસૂરિએ પં. શ્રી મુક્તિસાગરને ઉપાધ્યાય Page #170 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૨૯ ન બનાવ્યા તેથી જ આ. શ્રી વિજ્યદેવસૂરિએ પણ પં શ્રી મુક્તિસાગરને ઉપાધ્યાય પદવી ન આપી. ભટ્ટાશ્રી વિજયદેવસૂરિ સં. ૧૬૭લ્માં ખંભાતમાં ચાતુર્માસ થિત હતા. અને ખંભાતના નગરશેઠ વ્યવહારી કામ માટે ચોમાસામાં અમદાવાદ આવ્યા. શેઠ શાંતિદાસે અવસર જોઈ સૂબાની સત્તા હાથમાં લઈ ખંભાતના શેઠને પોતાને ત્યાં અતિથિ તરીકે રાખી નજર કેદી બનાવ્યા અને તેને રૂઆબથી જણાવ્યું કે, “શેઠ! તમારે ખંભાતનાં ઝાડ જોવાં છે કે નહીં? જો એ જોવાની ઈચ્છા હોય તો ખંભાતમાં રહેલા આ૦ શ્રી વિજયદેવસૂરિ પોતાની જાતે જ પં. શ્રી રાજસાગર ગણીને ઉપાધ્યાય પદ આપી આચાર્ય બનાવવાની કબૂલાત આપે એ પ્રબંધ કરો તે જ તમે અહીંથી છૂટીને ખંભાત જઈ શકશે.” ખંભાતમાં શેઠાણીએ આ વાત જાણું, તે તરત જ ભટ્ટા) શ્રી વિજયદેવસૂરિ પાસે જઈ આંખમાં આંસુ લાવી ગચ્છનાયક પાસે પિતાના સૌભાગ્યની ભિક્ષા માગી અને અમદાવાદમાં શેઠના સકલ સમાચાર કહી સંભળાવ્યા. ભટ્ટા શ્રી વિજયદેવસૂરિએ પં. રાજસાગર ગણીને ઉપાધ્યાયપદવી આપવાની મૂક સમ્મતિના પ્રતીકરૂપે એક પત્રમાં પોતાના હસ્તાક્ષરથી “શ્રી નિનાદ :” લખી તેમાં વાસક્ષેપ નાખી તે પત્ર શેઠાણને આપ્યા. શેઠ શાંતિદાસે સં૦ ૧૬૭લ્માં અમદાવાદમાં પં. મુક્તિસાગર ગણીને ભટ્ટા) શ્રી વિજયદેવસૂરિને વાસક્ષેપ નાખી ઉપાધ્યાય પદવી આપી એટલે તેઓ હવેથી ઉપ૦ રાજસાગર ગણી નામથી ઓળખાવા લાગ્યા. પછી શેઠ શાંતિદાસે સં૦ ૧૬૮૬ના જેઠ સુદિ ૧૪ના રોજ અમદાવાદમાં ભગ0 શ્રી મહાવીર સ્વામીના જિનપ્રાસાદમાં મહોત્સવ કરી ઉપ રાજસાગર ગણીને આચાર્યપદવી આપી, તેમ જ બીજા મુનિરાજેને ઉપાધ્યાય, પંન્યાસ વગેરે બનાવી, તપાગચ્છના સાગર છને ચતુર્વિધ સંઘ સ્થાપન કર્યો. તે સંઘમાં સાગર, વર્ધન, સૌભાગ્ય જે, ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ J જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણુ વગેરે શાખાના મુનિવરા પણ ભળ્યા હતા. તે વખતે ઉપા॰ શ્રી રાજસાગરને આ૦ શ્રી રાજસાગરસૂરિ તરીકે સ્થાપન કર્યા. ગચ્છવૃદ્ધિ શેઠ શાંતિદાસે સાગરગચ્છના ચારે સદ્યાને વિસ્તૃત બનાવવા સામ, દામ, દંડ અને ભેદ એ ચારે નીતિથી કામ લીધું. કડુામતના શાહ કલ્યાણજી સ૦ ૧૬૮૫માં રચેલી પટ્ટાવલીમાં જણાવે છે કે, વિ.સં૦ ૧૬૭૯માં થરાદમાં કડુઆમત અને તપાગચ્છના શ્રાવકા વચ્ચે ઝગડા પડયો. આથી રાધનપુરના તપાગચ્છના યુવાન શ્રાવકાએ તાફાન કરી રાધનપુરના કડુઆમતને ઉપાશ્રય તાડી નાખ્યા. કડુઆમતના જૈનાએ બાદશાહ જહાંગીર પાસે આની ફિરયાદ કરી દાદ માગી. કદાચ બહુ તપાસણી થાય તે આ ઘટનામાં રાધનપુરના તપાગચ્છના જૈનાના દંડ થાય એવી પરિસ્થિતિ હતી. આથી અમદાવાદના . નગરશેઠ શાંતિદાસે રાધનપુરના તપાગચ્છના યુવાનાને જણાવ્યું કે, “ જો તમે અમારા સાગરગચ્છમાં દાખલ થાએ તા તમને સૌને બચાવી લઈશ” એ રીતે સૌને સાગરગચ્છમાં દાખલ થવાનાં વચન લીધાં. પછી શેઠ શાંતિદાસે કઠુઆમતના જેનાને ખાતરી આપી જણાવ્યું કે, “ તમે આ કેસ પાછે! ખેંચી લેા. હું રાધનપુરમાં તમારા નવા ઉપાશ્રય બંધાવી દઈશ. ’ પરિણામે કડુઆમતવાળાએ કેસ પાછે ખેંચી લીધેા. પછી રાધનપુરના તપાગચ્છના જીવાના સાગરગચ્છમાં ભળ્યા અને શેઠ શાંતિદાસે રાધનપુરમાં કડુઆમતના નવા ઉપાશ્રય બનાવી આપ્યા બીજી તરફ તપાગચ્છના યુવાને સાગરગચ્છમાં ભળ્યા હતા. તેમણે ઉપાશ્રયને પેાતાના અધિકાર નીચે લેવા ધાયું. આ રીતે રાધનપુરમાં તપાગચ્છમાં સ૦ ૧૬૮૦માં બે પક્ષેા પડયા. સાથેાસાથ ઉપાશ્રયના બે ભાગ પડ્યા. ( –ડુઆમતની મેાટી પટ્ટાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ ૧૫૩) Page #172 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [ ૧૩૧ ઇતિહાસ કહે છે કે, દિલ્હીના બાદશાહ શાહજહાં (સં ૧૬૮૪થી ૧૭૧૫)ના રાજકાળમાં વિ.સં. (૧૭૦૧માં અમદાવાદમાં તાંબર તપાગચ્છ અને લોકાગચ્છના જેનો વચ્ચે જ્ઞાતિ વ્યવહારનો ઝઘડો પડ્યો હતો ત્યારે મહાજને એ લોંકાગછના જેનો સાથે રેટી-બેટી વ્યવહાર બંધ કર્યો હતો. આથી લોકાગચ્છના જૈનોએ ગુજરાતના સૂબેદાર દારા શિકોહને અરજી કરી હતી કે, મહાજને અમારી સાથે રોટી-બેટીને વ્યવહાર બંધ કર્યો છે. તે અંગે તમે મનાઈ હુકમ આપો અને હુકમ કરો કે અમારી સાથે બેસી રોટી-બેટીને વ્યવહાર શરૂ કરે. સૂબા મહમ્મદ દારા શિકોહે સં. ૧૭૦૧ના ભાદરવા સુદિ ૧ના રોજ એક ફરમાન બહાર પાડી જાહેર કર્યું કે પરસ્પરમાં રોટીબેટીનો વ્યવહાર કરવો કે ન કરવો એ તેઓની સ્વતંત્રતાનો વિષય છે. તેમની સ્વતંત્રતામાં રાજ્ય દખલ કરી ન શકે. અમારી ભાવના છે કે, કેઈએ એક-બીજાને હેરાન કરવા નહીં છતાં કોઈ કોઈને હેરાન કરશે તો અમારે વચમાં પડીને દખલ કરવી પડશે. (જૈ૦ પ૦ ઈપ્રક. ૪૪, પૃ ૧૪૮થી ૧૫૧, ફરમાન નં. ૧૫) નગરશેઠના મનોરથો–– નગરશેઠ શાંતિદાસની ભાવના હતી કે હું દેવ, ગુરુ અને ધર્મના પ્રતાપે જ સારી સ્થિતિએ પહોંપો છું. એટલે દેવ, ગુરુ અને ધર્મનો જ મારા ઉપર ઉપકાર છે તે હવે મારે પણ દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ–ઉપાસના કરવી જોઈએ અને લાભ લેવો જોઈએ. (૧) સિકંદરપુરમાં બિરાજમાન ભગ0 શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મારા ઉપર મોટો ઉપકાર છે. મારી ફરજ છે કે, તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો મેટો જીર્ણોદ્ધાર કરી તેમાં ત્રણ શિખરે, ત્રણ ગભારા, ત્રણ રંગમંડપ અને ત્રણ ખેલામંડપ એમ છ મંડપ અને ત્રણ શગારકીવાળો અને ચારે બાજુએ કેટથી સુશોભિત ભવ્ય અને વિશાળ જિનપ્રાસાદ–તીર્થધામ બનાવવું. (૨) પં. રાજસાગર ગણીને આચાર્ય બનાવી તેમના ભકતોની સંખ્યા વધારવી. Page #173 -------------------------------------------------------------------------- ________________ [ પ્રકરણ ૧૩૨ ] જૈન પરંપરાને ઇતિહાસ (૩) આ જિનાલયના પ્રતિષ્ઠા–ઉત્સવમાં ધામધૂમથી સાધર્મિક વાત્સલ્ય વગેરે કરી જનધર્મની પ્રભાવના કરવી. શેઠ શાંતિદાસે આ મનેરને સફળ કરવા પ્રયત્ન શરૂ કર્યો. (૧) સં. ૧૯૭૮માં સિંકદરપુરના ભગવ્ય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું. સાથોસાથ મહાપ્રતિષ્ઠા ઉત્સવ કરવા માટે નાની-મોટી જિનપ્રતિમાઓ તૈયાર કરવાનું કામ ધમધોકાર શરૂ કર્યું. (૨) ઉપાઠ શ્રી રાજસાગર ગણીને ભટ્ટારક બનાવવાના પ્રયતને શરૂ કર્યા, પરંતુ ત્યારે તપાગચ્છમાં ભટ્ટાશ્રી વિજયદેવસૂરિસંઘ અને ભટ્ટા, શ્રી વિજયાનંદસૂરિસંઘ એમ બે પક્ષે હતા. હવે જે કાઈ નવા ભટ્ટારક બને તે ત્રીજો પક્ષ ઊભું થાય. એવી સ્થિતિ કેઈને પસંદ નહતી. આથી તે બંને પક્ષેના જોડાણનું વાતાવરણ ફેલાયું. બંને પક્ષેએ સં. ૧૭૮૧ના ચૈત્ર સુદિ ૯ના રોજ પુનર્વસુ નક્ષત્રમાં અમદાવાદના કાળુપુરના ઉપાશ્રમમાં મોટું સંમેલન મેળવી બંને પક્ષેને એક કરવાની ચેજના ઘડી, પણ તે નિષ્ફળ ગઈ. સાથેસાથે ઉપા. શ્રી રાજસાગર ગણુને આચાર્ય ભટ્ટારક બનાવવાની વાત વિસારે પડી. ભગચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા શેઠ શાંતિદાસની ધારણા હતી કે ઉપા૦ શ્રી મુક્તિસાગર (રાજસાગર) ગણીને આ૦ ભટ્ટારક બનાવી તેમના હાથે અમદાવાદના ભગવ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં મહાપ્રતિષ્ઠા કરાવવી પરંતુ તપાગચ્છના બે પક્ષેની એકતાની ચેાજનામાં એ વાત બંધ પડી. હવે તરતમાં કે વિલંબે પણ તેમને ભટ્ટાશ્રી વિજયદેવસૂરિના હાથે આચાર્ય–ભટ્ટારક બનાવી શકાય એ શક્ય જ નહોતું. શેઠે વિચાર્યું કે તેઓ ભટ્ટારક ક્યારે બનશે તે અચોક્કસ છે. બીજી તરફ જિનપ્રાસાદ તૈયાર થઈ ગયો છે. શાસ્ત્રોની આજ્ઞા મુજબ તેને ખાલી રાખી શકાય એમ નથી. વળી, ઘણી જિનપ્રતિમાઓ તૈયાર થઈ ગઈ છે તેને પણ અંજનશલાકા કે પ્રતિષ્ઠા કર્યા વિના રાખવી તે પાલવે તેમ નથી, તો હવે ઉપા) શ્રી રાજસાગર Page #174 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગર નગરશેઠ વંશ [૧૩૩ ગણવરના હાથે જ ઉપાધ્યાય પદમાં જ આ મહાપ્રતિષ્ઠા કરાવી લેવી એ વધુ હિતાવહ છે. શેઠે સં. ૧૬૮૨ના જેઠ વદિ ૯ ને ગુરુવારને પ્રતિષ્ઠા દિવસ નક્કી કર્યો. શ્રી જન સંઘને પ્રતિષ્ઠા–ઉત્સવમાં પધારવા આમંત્રણ મોકલવામાં આવ્યાં. સિકંદરપુરમાં–બીબીપુરમાં ઉત્સવ શરૂ કર્યો અને સં. ૧૬૮૬ના જેઠ વદિ ૯ ના રોજ મહ૦ શ્રી વિવેકહર્ષ ગણવરની અધ્યક્ષતામાં મહોત્ર શ્રી મુક્તિસાગર ગણીવરના હાથે ભગવ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનો નવો જિનપ્રાસાદ, તેની પરકમ્મા-ભમતીના પરિવારની નાની-મોટી દેરીઓની અને ભગ0 શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે જૂની અને નવી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી આ સમયે તે પ્રતિમાનું શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ નામ હતું તેને બદલે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ નામ રાખવામાં આવ્યું. આ જિનપ્રાસાદની ઘણી જિન પ્રતિમાઓ અત્યારે વાઘણપોળનાં ચાર જિનાલમાં વિરાજમાન છે. (- પ્રક૭ ૫૫, ૫૦ ૧૮૭ થી ૨૦૦ ) આ જિનપ્રાસાદ સરસપુરના બીબીપુરમાં ઉત્તરાભિમુખ હતો. ત્યારે તેમાં મૂળનાયક તરીકે પ્રાચીન નાની શ્યામરંગની ચિંતામણિ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હતી. - તેમાં બાવન દેરીઓમાં નાની–મોટી જિન પ્રતિમાઓ હતી અને મોટી ચાર જિન પ્રતિમાઓ સ્થાપના કરી હતી. શેઠ શાંતિદાસ જાણતા હતા કે, મુસલમાની અંધાધૂધીનો કાળ છે, ક્યારે આસમાની-સુલતાની થાય તેની ખબર ન પડે. એ મુજબ મન હોવા છતાં એવું બને તો આ સમસ્ત જિન પ્રતિમાઓને સુરક્ષિત સ્થાને લઈ જવાની વ્યવસ્થા કરાવી શકાય તેવી ગોઠવણ કરી રાખવી જોઈએ. આ વિચારથી આ જિન પ્રાસાદથી પિતાની હવેલી સુધી ચાર મેટા રથ એકી સાથે ચાલી શકે એવી મેટી સુરંગ તેમણે બનાવી હતી જેથી બધી પ્રતિમાઓને રથ કે ગાડાં દ્વારા આ રસ્તે થઈ સીધા પિતાની હવેલીએ પહોંચાડી શકાય. શેઠ શાંતિદાસે આ જિનપ્રાસાદ, સુરગે અને પ્રતિષ્ઠા ઉત્સવમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ નવ લાખ રૂપિયા ખરચ્યા હતા. તેમજ પ્રતિષ્ઠા–ઉત્સવમાં વેતિય (સેનાની વીંટી) વગેરેની પ્રભાવના વગેરેમાં અગિયાર લાખ ખરચ્યા હતા. બાદશાહ જહાંગીરના મૃત્યુ પછી શાહજહાં (સં. ૧૬૮૪ થી ૧૭૧૫ સુધી) દિલ્હીનો બાદશાહ બન્યા. તેણે પોતાના તરફથી અમલ ચલાવવા ગુજરાતમાં તેર સૂબાઓની નિમણુક કરી હતી. આ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિન પ્રાસાદનાં ખંડેરે આજે સરસપુરની વાયવ્ય દિશામાં વિદ્યમાન છે. સં. ૧૯૭૮માં તેનું શિલા સ્થાપન થયું. સં. ૧૬૮૨ના જેઠ વદિ ૯ ને ગુરુવારે તેની પ્રતિષ્ઠા થઈ, સં. ૧૬૯૭માં તેની પ્રશરિત બની. પ્રશસ્તિ પ્રારંભ શ્લોક प्रसीद वर्धमान ! ससृजतुरतुल शान्तिदासस्य शुभ्र भास्वबी बिपुरे सत्तपगणतरणिः पाव चिन्तामणियः। શ્રીમદ્ gifterગુવતિનૃપશુ તથ પ્રાદિતમ II રૂ સં. ૧૨૯૭ની આ પ્રશસ્તિમાં સ્ત્રીઓનાં નામ (૧)....., (૨) કપૂર, (૩) કુલા, (૪) વાછી. પુત્રો- (૧) મનજી, (૨) રતનજી, (૩) કપૂરચંદ, (૪) લક્ષ્મીચંદ પ્રતિમાલેખ – શેઠ શાંતિદાસે સં. ૧૬૮૨માં ઉપાઠ શ્રી મુક્તિસાગરગણુના હાથે અંજનશલાકા કરાવી તેમાં જિન પ્રતિમાઓ ઉપર ગાદીની નીચે આ પ્રમાણે લેખ છે. – " सवत १६८२ वर्षे ज्ये० व० १ गुरुवासरे अहिमहावाद वास्तव्य - श्री ओसवालज्ञातीय-वृद्धशाखीय [सिसोदिया सा० वाछाभाया बाई गोरदेसुत] (– પ્રક. પપ, પૃ૦ ૫૫૦ ) सा० सहस्रकिरणभायी बाई कुअरीबाह - सौभाग्यदेपुत्रेण युत 15 નડીપ્રમુત્રાપુન [ શ્રી કૃષ્ણાહિતી મerge ત્રसमवाय सघपति ललामतिलकेन] सा० श्री शान्तिदासनाम्ना स्त्र. શ્ર' શ્રી......જિનવિન એ જાતિપ્રતિષકાચાંતિકાવિતw | Page #176 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરના નગરશેઠે વશ [ ૧૩૫ प्रति तपागच्छे भ० श्री विजयसेनसूरि पट्टालेक भट्टारक श्री विजय. देवसूरिवार के महे। श्री विवेकहर्षगणीनामणु शिष्य महेोपाध्याय શ્રી મુન્તિલાવાળીમિઃ [fશ્રયૈડતુ ] | ' ,, નાંધ – કાઈ કાઈ નાની નાની પ્રતિમાની ગાદીમાં [ ] કૌંસમાં આપેલા શબ્દો નથી. ખાદશાહ જહાંગીર સ’૦ ૧૬૮૪માં મરણુ પામ્યા. પછી બાદશાહ શાહજહાં દિલ્હીના આદશાહ બન્યા. તેણે ગુજરાતનુ રાજ્ય ચલાવવા માટે પોતાના તરફથી તેર સૂબાએ માકલ્યા હતા, જે પૈકી આઠમે શાહજાદા ઔર ગઝેબ ( સને ૧૬૪૪ થી ૧૬૪૬), નવમે સૂબે શાયસ્તખાન ( સને ૧૬૪૬ થી ૧૬૪૮), દસમા સૂબે। મહમુદ દારાશિકાહ ( સને ૧૬૪૮ થી ૧૬૫૨) અને બારમા શાહજાદા મુરાદબક્ષ ( સને ૧૬૫૪ થી ૧૬૫૭ સુધી ) સૂબાઆ હતા. શાહજાદા ઔર’ગઝેબ ધર્મઝનૂની હતા. તેણે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના વિશાળ જિનપ્રાસાદ જોઈ વિચાર્યું... કે, અમારા સૂર્ય જેવા તેજસ્વી જાગતા-જીવતા કટ્ટર મુસલમાની રાજકાળમાં હિંદુઓનુ આવું નવું સાટું તીર્થધામ અને તે ઠીક જ નથી. તેા હવે એને તાડીફેાડી જમીનદોસ્ત કરવું અથવા બદલીને મુસ્લિમ ધર્મસ્થાન બનાવવું જોઇ એ. તેના પાસવાનાએ આ બાબતમાં તેને ઉશ્કેર્યા.. આથી તેણે સ૦ ૧૭૦૦ (સને ૧૬૪૪)માં સિકંદરપુરના શ્રી ચિંતામણિ જિનપ્રાસાદન તેાડી નાખ્યા અને તેમાં જરૂરી પરિવર્તન કરી તેની સ્જિદ બનાવી દીધી. આમ થવાથી ગુજરાતમાં મેાટુ' ખંડ થયું. શેઠ શાંતિદ્યાસે સૂબાના આ તાફોન માટે બાદશાહ શાહજહાંને અરજી લખી મેાકલી. તેમ જ અમદાવાદના મુલ્લા અબ્દુલ હકીમે પણ બાદશાહને પત્ર લખી જણાવ્યું કે, “ સૂબાના હાથે આ હિચકારી ઘટના બની છે.” બાદશાહ શાહજહાંએ સ. ૧૭૦૫ના શ્રાવણ માસમાં શાહજાદા મહમ્મદ દ્વારાશિકેાહના હાર્યે લખાયેલું ફરમાન સને ૧૬૪૮માં ગુજરાતના નવમાં સૂબા શાયસ્તખાનને ફરમાન લખી માકલી તે દ્વારા હુકમ કર્યો કે 66 શાહજાદાએ શાંતિદાસ ઝવેરીના તાખાના દેરાસરને તોડી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ મોટો ફેરફાર કરી મસ્જિદ બનાવી છે તેને સુધારી તે અસલી જે રૂપમાં હતું તે રૂપમાં જ નવેસર બનાવી શાંતિદાસ શેઠને તે દેરાસર સેંપવું અને તેને પહેલાંની જેમ પોતાના ધર્મના કામમાં વાપરે તેમાં કેઈએ કશી દખલ કરવી નહીં. અને જે તેમાં ફકીરને વસાવ્યા હોય તો તે ફકીરોને ત્યાંથી હઠાવી બીજે લઈ જવા. કેઈ મુસલમાન તેનાં ઈંટ વગેરે ચીજો લઈ ગયો હોય તો તેમની પાસેથી પાછા અપાવવા અથવા તેની કીમતની રકમ તેની પાસેથી ભરપાઈ કરાવવી. ( – પ્રક. ૪૪, પૃ૦૯૯, ૧૦૦, ૧૫૧ થી ૧પ૬; ફરમાન ૧૬ એમ. એમ. કામસરી એટને “ધિ જર્નલ ઍફ ધ યુનિવરસીટી ઓફ બેબે ” માસિકમાં “ધિ ઇમ્પિરિયલ મુગલ ફરમાન” લેખ; ફાર્બસ – રાસમાલા '; “ જૈન ઐતિહાસિક રાસમાલા ' ભા-૧, પૃ૦ ૨૯; સદગત મણિલાલ વખતચંદને ઇતિહાસ અને યુગધર્મ. ) બાદશાહ શાહજહાંના હુકમથી શાહી ખજાનાના ખર્ચે ભગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદ સં. ૧૬૮૨માં જે બન્યો હતો તે ન બન્યો. અને શેઠ શાંતિદાસે તેમાં સં. ૧૭૦૫, ૧૭૦૬માં ભગ૭ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા કયા આચાર્યના હાથે કરાવી તેના ઉલ્લેખ અગર સં૦ ૧૭૦૫, ૧૭૦૬ના પ્રતિષ્ઠા સમયનો કોઈ પ્રતિમાલેખ મળતો નથી. આથી નિર્ણય કરી શકાય તેમ નથી. સ્થાનાન્તર— સંભવ છે કે બાદશાહી ખરચે ફરીવાર ના જિનપ્રાસાદ બન્યા ત્યારે કદાચ સુરંગ વગેરે બનાવ્યાં ન હોય. કારણ કે એ ગુપ્ત માર્ગની બાદશાહી અમલદારો કે મિસ્ત્રીઓને બતાવવાની જરૂર નહોતી. એ પણ બનાવાજોગ છે કે આ પ્રતિષ્ઠા કદાચ ભટ્ટા, શ્રી રાજસાગરસૂરિના હાથે કરાવી હોય. આ જિનપ્રાસાદ શેઠ શાંતિદાસના પૌત્ર (૬) શેઠ ખુશાલચંદ (રવ સને ૧૭૪૮, વિ.સં. ૧૮૦૪) સુધી સુરક્ષિત હતો. તેની Page #178 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૩૭ વૃદ્ધાવસ્થાના સમયમાં એકાએક જિનપ્રસાદની પ્રતિમાઓને ત્યાંથી બીજે લઈ જવી પડી છે. (- જુઓ “ખુશાલચંદ') શેઠ શાંતિદાસની પેઢી બાદશાહ શાહજહાં, તેના શાહજાદાઓ અને સૂબાઓ વગેરે માટે ધીખતી બેંક હતી. તેઓને જ્યારે જોઈએ ત્યારે ને જેટલી જોઈએ તેટલી રકમ ત્યાંથી મળી શકતી હતી. બીજી તરફ દાદાગીરીમાં ટેવાયેલા તોફાની મુસલમાન હિંદુએનાં ઘરમાંથી ધન, માલ મિલકત, અનાજ, ઘોડા, ગાય વગેરે અને સ્ત્રીઓ-કન્યાઓ વગેરેને ઉઠાવી જતા હતા અને મકાન, બાગ, મૂડી વગેરેને દબાવી બેસતા હતા. બાદશાહ શાહજહાંએ તોફાની મુસલમાનો નગરશેઠના પરિવાર તથા મકાન ઉપર આવીને આફત ન ઉતારે એટલા ખાતર ખબરદારી રાખવા ગુજરાતના સૂબાઓ ઉપર એ સૌની સલામતીનું ફરમાન લખી મોકલી સૌને સાવધાન કર્યા હતા. ( – પ્રક. ૪૪, પૃ. ૧૪૭, ફરમાન ૧૪મું) એકંદર બાદશાહ શાહજહાંએ નગરશેઠ શાંતિદાસ તથા જેને નીચે પ્રમાણે ચાર ફરમાન આપ્યાં. (૧૪) સં. ૧૬૯૨માં સલામતીનું. (૧૫) સં. ૧૭૦૧માં જ્ઞાતિવ્યવહારની સ્વતંત્રતાનું. (૧૬) સં. ૧૭૦૫માં શેઠ શાંતિદાસ ઝવેરી તથા જેનોને શ્રી ચિંતા મણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદ ન બનાવી પાછો સોંપવાનું. (૧૭) સં. ૧૭૧૩ના કાર્તિક સુદિ ૧ ના રોજ શેઠ શાંતિદાસ ઝવેરીને શ્રી શત્રુંજ્ય પહાડ તથા પાલિતાણું ગામ ઈનામમાં આપ્યાનું. ( – પ્રક. ૪૪, પૃ. ૧૪૭, થી ૧૬૦ ફરમાન) વિશેષ નેંધ – ખાસ ઘટના એ છે કે, બાદશાહ ઔરંગઝેબે સં. ૧૭૧૪માં શેઠ શાંતિદાસને પાલિતાણા ઈનામમાં આપ્યાના ફરમાનને બીજું ફરમાન કાઢી સમર્થન આપ્યું હતું. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ રાપું – અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરી અને શેઠ રતનસૂરા તપાગચ્છના કારખાનાએ સં. ૧૭૦૭ના કાર્તિક સુદ ૧૩ ને મંગળવારે ગારિયાધારના જાગીરદાર ગેહેલ કાંધાજી વગેરે ગોહેલ કુટુંબને શ્રી શત્રુંજય પહાડ તથા તેના યાત્રાળુઓની રક્ષા માટે વળાવો અને ચાકી માટે રકમ મુક્ત કરી કરાર સાથે રખોપાનું કામ સોંપ્યું હતું. ( – પ્રક. ૪૪, પૃ. ૨૩૭ થી ૨૪૦) સંઘ – શેઠ શાંતિદાસે સં. ૧૬૮૨ પહેલાં શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થોના છરી પાળતા યાત્રા સંઘે કાઢી સંઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતું. હવે સં. ૧૭૧૩માં શ્રી શત્રુંજય પહાડ અને પાલિતાણું ભેટ મળ્યા બાદ શ્રી શત્રુંજયને ભટ્ટાશ્રી રાજસાગરસૂરિની અધ્યક્ષતામાં માટે યાત્રાસંઘ કાઢ્યો હતો. ત્યાં તેણે ભગ0 શ્રી ઋષભદેવના જૂના પરિકરને બદલે નવું પરિકર બનાવી ભટ્ટા, શ્રી રાજસાગરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી અને તેમાં શ્રી શત્રુંજય ભેટ મળ્યાનો ઉલ્લેખ કરાવ્યું. શ્રી શત્રુંજય તીર્થનાં મંદિરની ચારે બાજુ “મોટે વિશાળ કિલો” બનાવ્યું. શ્રી શત્રુંજયની તળેટીમાં વાવ બંધાવી. શેઠે આ સિવાય નવાં જિનાલ, જીર્ણોદ્ધારો, સાધર્મિકેની ભક્તિ, ગ્રંથલેખન, દુષ્કાળમાં જનતાને અનાજ, પાણી, કપડાં વગેરેની સહાય–દાન વગેરે શુભ કાર્યો કર્યા શેઠ શાંતિદાસ સં. ૧૭૧૫માં અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા. (– પં. કૃપાસાગર કૃત “ભટ્ટા રાજસાગરસૂરિ નિર્વાણ રાસ'). શેઠના પૌત્ર ખુશાલચંદ શેઠની રસૃતિ માટે અમદાવાદમાં ભગવ શ્રી આદીશ્વરને ભોંયરાવાળા મોટો જિનપ્રાસાદ બનાવ્યા. પરિવાર – શેઠ શાંતિદાસને વર્ધમાન નામે મોટા ભાઈ હતા. તેમની પત્નીઓ અને પુત્રોનાં નામ આ પ્રમાણે મળે છે. – સં. ૧૬૮૨ અથવા સં ૧૯૯૭ના પ્રશરિતલેખમાં ચાર સ્ત્રીઓનાં નામ મળે છે. – Page #180 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૩૯ (૧) શ્રીમતી.........સં. ૧૬૭ પહેલાં મરણ પામી ન હતી. તેનાથી મનજી નામે પુત્ર થયો. (૨) શ્રી. કપૂરાદેવી – તેને રતનજી નામે પુત્ર થયે. (૩) શ્રી. કુસાદે – તેને કપૂરચંદ નામે પુત્ર થયો. (૪) શ્રી. વાછીદવી – તેને લક્ષમીચંદ નામે પુત્ર થયો. (૧) પ્રશસ્તિમાં ઉલ્લેખ છે કે, શેઠને સં. ૧૬૮૨ સુધી (૧) મનજી, (૨) રતનજી, (૩) કપૂરચંદ અને (૪) લક્ષ્મીચંદ નામે પુત્રો હતા. (૨) પંશીલવિજયજી ગણિવરે સં. ૧૭૪૬માં રચેલી “તીર્થમાલા'માં જણાવ્યું છે કે, શેઠ શાંતિદાસને (૧) રતનજી, (૨) લમીચંદ, (૩) માણેકચંદ અને (૪) હેમચંદ એમ ચાર પુત્રો હતા. (૩) પં. ક્ષેમવર્ધન ગણ નગરશેઠ શાંતિદાસના “પુણ્યપ્રકાશરાસ મા નાંધ્યું છે કે, શાંતિદાસ શેઠને (૧) મનજી, (૨) રતનજી, (૩) લક્ષ્મીચંદ, (૪) માણેકચંદ અને (૫) હેમચંદ એમ પાંચ પુત્રો હતા. (૪) પં. કપાસાગર ગણીએ સં. ૧૭૨૨માં રચેલા શ્રી રાજસાગરસૂરિરાસ માં શેઠને (૧) રતનજી. (૨) લક્ષમીચંદ, (૩) માણેકચંદ, (૪) હેમચંદ એમ ચાર પુત્રો હતા એમ જણાવ્યું છે. (૫) નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈના ઘરમાં રહેલ નગરશેઠના ગ્રંથભંડારની “પ્રશ્નવ્યાકરણની મૂળ પાઠની ૩૪ પત્રોની પોથી છે, તેમની પુષ્મિકામાં શેઠ શાંતિદાસને પાંચ પુત્રો હોવાની નોંધ છે. તે પુષ્પિકા આ પ્રમાણે છે – ___ " भट्टारक श्रीमन्नसूरि विजयराज्ये वाचककनकराजमुनि लाभसागर - मुनि हीरसुन्दरेण लिखितम्, स्तम्भतीथे।' संवत् १६१३ वर्षे शाके १४७९ प्रवर्त्तमाने स्तम्भतीर्थ महानगरे (પરિશિષ્ટ ગ્રંથભંડાર વિશેષ નોંધ – સાદુ શ્રી કરસ્ત્રવાળ सुततपगच्छोद्योतकारक - दिल्हीपतिपातशाह प्रदत्तगज-तुरङ्गादिलक्ष्मीधारकद्विपश्चाशत्सच्छिखरोपशोभित श्री चिन्तामणि प्रासा - Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] જૈન પર પરાનેા ઇતિહાસ [પ્રકરણ दकारक - श्री लालामधारक शत्रुञ्जयोजयन्ताद्यनेकतीर्थ यात्रास घपति (तिलक) संघमुख्यशाह श्री शान्तिदासलुत शा० पनजीकेन વસ્ત્રાતા રતની-શાહનાર્ - શા॰ માનેજ - ele हेमजीप्रभृतीनां परिपालनार्थ श्री उग्रसेनपुरे कोशः कारितः ॥ ,, આ વિવિધ નોંધામાં શા॰ પુનજી અને શા॰ કપૂરચંદનાં નામેા માટે વિસંવાદ નાંધાયેલા છે. અમને લાગે છે કે, શા॰ પુનજી શા॰ શાંતિકાસના મેાટા પુત્ર હતા. કદાચ તેને શાંતિદાસના મોટાભાઈ વમાને ખેાળે લીધા હાય અને તે લેાક વ્યવહારમાં બહુ ભાગ લેતા ન હેાય. તેમજ શેઠાણી ફૂલાદેના પુત્ર કપૂરચંદ શેઠ શાંતિદાસની વિદ્યમાનતામાં જ સં૦ ૧૬૮૨ ( સને ૧૭૧૩)ની સાલ અગાઉ મરણ પામ્યા હાય. તેને કેાઈ પુત્રર્પારવાર નહાતા. શેઠ શાંતિદાસના છ પુત્રા— ( ૧ ) પનજી —આ સૌથી મોટા પુત્ર હતા. તે લેાકવ્યવહારમાં બહુ ભાગ ભાગ લેતા નહાતા. તે પિતાના ગ્રંથભંડાર માટે નવા નવા ગ્રંથા લખાવતા હતા. દાની હતા. જનતાને દુષ્કાળમાં તેમજ નિરંતર અન્ન, કપડાં અને પૈસાની મદદ કર્યા કરતા. તેને દેવકી નામે પત્ની હતી અને કલ્યાણચંદ નામે પુત્ર હતા. સંભવ છે કે, કલ્યાણચંદ અને તેની માતા સં૦ ૧૭૪૬ પહેલાં મરણ પામ્યાં હાય. (૨) રતનજી તેને......નામે પત્ની હતી અને ખીમચંદ નામે પુત્ર હતા ( અને બીજો હીરાચંદ નામે પુત્ર હતા. ) ---- (૩) કપૂરચંદ – સંભવ છે કે તે સ॰ ૧૬૧૩ પહેલાં મરણ પામ્યા હાય. (૪) લક્ષ્મીચ ઢ તેને ખુશાલચંદ નામે પુત્ર હતા. તેના વશમાં જ નગરશેઠ હેમાભાઈ વગેરે થયા છે. ―― -- ૧ ( ૪ ) શાંતિદાસ, ( ૫ ) રનતજી, (૬) હીરાચંદ • તેના માટે સ૦ ૧૩૩ના ભાદરવા સુદિ ૩ ને ગુરુવારે ‘વિવેકવિલાસ ' ખાન્યો. સુરતના સંધવી પ્રેમચદ પારેખે અને કપૂરચંદ ભણશાલીએ શેડ હીટાચદને સં૦ ૧૭૨૦ના ચૈત્ર સુદિ ૧૦ ના રોજ શ્રી શત્રુંજયના સધમાં સાથે લીધા હતા. - ' Page #182 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [૧૪૧ (૫) માણેકચંદ – તેને......નામે ભાર્યા હતી અને કેસરીચંદ નામે પુત્ર હતો. તેના વંશજે સુરતમાં જઈને વસ્યા. તેને મોટા પરિવાર સુરતમાં છે. (૬) હેમાભાઈ નેંધ – આ બધા ભાઈઓએ સં. ૧૬૨૦ અને ૧૭૧૭ના દુકાળમાં જનતાને વિવિધ પ્રકારની મદદ કરી હતી. ( – રત્નમણિરાવ, ગુજરાતનું પાટનગર) “શેઠ હઠી સંગ કેશરીચંદ માટે જુએ “ગુજ. પાટ૦ અમદાવાદ” પૃ૦ ૭૪૧. મગનલાલ કપૂરચંદ માટે જુઓ “ગુજ. પાટનગર અમદાવાદ પૃ૦ ૭૪૫ થી ૭૫ પરિવારનાં ધર્મકાર્યો– શેઠ શાંતિદાસના પરિવાર સંબંધી વિશેષ શુભ ઘટનાઓ નીચે પ્રકારે નોંધાયેલી મળી આવે છે. (૧) ભટ્ટા, શ્રી રાજસાગરસૂરિએ સં. ૧૬૯૮ના પિષ સુદિ ૧૫ ને ગુરુવારે...... માં પં. હર્ષસાગરને આચાર્યપદવી આપી. ભટ્ટા શ્રી વૃદ્ધિસાગરસૂરિ નામ રાખી પોતાની પાટેસ્થાપન કર્યા. શેઠ પનજી તથા તેમની પત્ની દેવકીએ સં. ૧૭૦૭ના વૈશાખ સુદિના...રાજ અમદાવાદમાં ભટ્ટા) શ્રી વૃદ્ધિસાગરસૂરિને વંદના મહા સવ કર્યો. ભટ્ટા, શ્રી વૃદ્ધિસાગરસૂરિએ સં. ૧૭૪૫ના વૈશાખ વદિ ૨ ને મંગળવારે....... માં પં. શ્રી નિધિસાગરને આચાર્ય પદવી આપી. ભટ્ટાશ્રી લક્ષ્મીસાગરસૂરિ નામ રાખી પોતાની પાટે સ્થાપન કર્યા. શેઠ શાંતિદાસના પુત્ર શેઠ લક્ષ્મીચંદે આચાર્યપદવીને ઉત્સવમાં દ્રવ્ય-ખરચ કર્યું . ભટ્ટાશ્રી રાજસાગરસૂરિ સં. ૧૭૨૧ના ભાદરવા સુદિ ૬ ના - રોજ અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા. (૪) ભટ્ટાશ્રી વૃદ્ધિસાગરસૂરિ સં. ૧૭૪૭ના આસો સુદિ ૩ ને ગુરુવારે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ અમદાવાદના રાજપુરામાં સ્વર્ગસ્થ થયા ત્યારે શેઠ લક્ષ્મીચંદ તથા શેઠ રતનજીના પુત્ર શા૦ અમીચંદ વગેરે ત્યાં હાજર હતા. તેઓએ ભક્તિ કરી સ્વર્ગગમન-ઉત્સવ ઊજવ્યો. (– સં. ૧૭૫૫માં પં. શ્રી દી સૌભાગ્યકૃત ભટ્ટાશ્રી વૃદ્ધિસાગરસૂરિરાસ) ૫ નગરશેઠ લક્ષમીચંદ–એ નગરશેઠ શાંતિદાસને ચા પુત્ર હતો. તેની માતાનું નામ વાછી દેવી હતું. તેને...નામે પત્ની હતી અને શા. ખુશાલચંદ નામને પુત્ર હતો. તે બુદ્ધિશાળી. વ્યવહાર પ્રવીણ અને ધર્મપ્રેમી હતો. શેઠ શાંતિદાસના સ્વર્ગવાસ પછી તે અમદાવાદને નગરશેઠ બન્યો. સને ૧૬૫૭-૫૮ (વિસં. ૧૭૧૩–૧૪)માં શાહજાદા ઔરંગઝેબ અને શાહજાદા મુરાદબક્ષે બંનેએ મળીને લૂંટારા કાનજી કેળીને પકડવા માટે તથા ઉજ્જૈનના રાજા જસવંતસિંહને જીતવા માટે ૮૮ હજાર સૈનિકનું સૈન્ય ઊભું કરવા માટે શેઠ શાંતિદાસ પાસે પાંચ લાખ રૂપિયાની મેટી રકમની માગણી કરી હતી. આથી શેઠ લક્ષમીચંદ શાહજાદા મુરાદબક્ષને તે રકમ પૂરી પાડી હતી. શાહજાદા મુરાદબક્ષે પોતાનું કામ પતી જતાં સુરત, ભરૂચ, ખંભાત, અને વીરમગામની ઊપજની રકમ એકઠી કરી શેઠને આપી, વળી, મીઠાની ઊપજમાંથી અમુક રકમ આપી અને પાંચ લાખ રૂપિયામાંની ઘણુ રકમની ભરપાઈ કરી આપી હતી. શાહજાદા ઔરંગઝેબે પણ પિતાની ગુજરાતની સૂબાગીરીના કામ દરમિયાન શેઠના દેવાદારો શેઠને રકમ પાછી આપતા નહોતા તે અંગે હુકમ-ફરમાન કાઢી શેઠને પૂરેપૂરી રકમ દેણદારો પાસેથી અપાવી હતી. ગુજરાતના દરેક સૂબા-શાહજાદા ઔરંગઝેબ, શાહજાદા દારા મહમ્મદ અને શાહજાદા મુરાદાબક્ષ એ સૌ નગરશેઠ શાંતિદાસ અને શેઠ લક્ષ્મીચંદને બહુમાન આપતા હતા, શાહજાદા મુરાદબક્ષે જ બાદશાહ શાહજહાંનું સં. ૧૭૧૩નાં Page #184 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૪૩ કાર્તિક સુદિ ૧ નું શેઠ શાંતિદાસને શ્રી શત્રુંજય પહાડ અને પાલિતાણું ગામ ઈનામમાં આપવાનું ફરમાન આપ્યું હતું. (- પ્રક. ૪૪, પૃ. ૧૫૬ થી ૧૬૦, ફરમાન નં. ૧૭) બાદશાહ ઔરંગઝેબે પણ લડાઈના મેખરેથી જુલસી સન ૩ર, તીરકંડ મહિનાની તા. ૯ મી. હીજરી સન ૧૦૬૮ રમજાન મહિનાની ૯-૧૦ મી તારીખ, સને ૨૩-૨-૧૬૫૮, ચૈત્રાદિ વિ. સં. ૧૭૧૪ના જેઠ સુદ ૧૦ કે ૧૧ ના દિવસે એક ફરમાન લખી ગુજરાતના દીવાન રહેમતખાન ઉપર લખી મોકલ્યું હતું. સાથોસાથ શેઠ શાંતિદાસે હીજરી સન ૧૦૬૧ના રજબ મહિનામાં ઔરંગઝેબને જે રકમ ધરી હતી તે પેટે રાજ્યની તિજોરીમાંથી ઉપરનું કરજ પતાવવા, વિનાવિલંબે ભરી દેવાની તાકીદ આપી હતી. (- તા. ૨૮–૪–૧૯૬૨નું ગુજરાત સમાચાર ') ઔરંગઝેબે શેઠ શાંતિદાસને શ્રી શત્રુંજય પહાડ તથા પાલિતાણું ગામ ઇનામમાં આપવાનું જે ફરમાન આપ્યું હતું, તેને અંગ્રેજી તરજુમે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના રિપોર્ટમાં પ્રકાશિત થયો છે, જે નીચે પ્રમાણે છે – તેને સાર આ પ્રકારે છે– સોરઠ પ્રાંતમાં પાલિતાણું તાલુકે છે, જે અમદાવાદના સૂબાના હાથ નીચે છે, જેની આવક (કરવેરા વગેરે) બે લાખ રૂપિયાની થાય છે. શેઠ શાંતિદાસ ઝવેરીએ વિનંતી કરી કે હીજરી સન ૧૦૬૧ના રમજાન મહિનાની ૧૯ મી તારીખે કેટે હુકમ કર્યો હતો કે આ પાલિતાણા પહાડ અરજદારને ઈનામ તરીકે મંજૂર કર્યો છે, તે મારી ઈચ્છા છે કે, તમારી કોર્ટ એવું ફરમાન પણ આપે ૧. બાદશાહ અકબરે શેખ અબુલ ફઝલને સૌરાષ્ટ્રમાં સાત વર્ષ રાખ્યા હતા. તેણે મહેસૂલની વ્યવસ્થા માટે સૌરાષ્ટ્રના આ પ્રમાણે નવ ભાગ પાડયા હતા.–૧. ઝાલા વાડ, ૨ સોરડ, ૩ શ્રી શંત્રુજયવિભાગ ૪ વાલા, ૫-૬-૭ વાઘેલાના વિભાગ, ૮ કાઠી, ૯ ના કરછ. (– આઈન ઈ અકબરી, જ૦ ૫૦ ઇતિ, પ્રક. ૪૪ પૃ૦ ૬૭, પૃ. ૨૧૯) Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ કે અમે અરજદારને પહેલાની જેમ પાલિતાણા તાલુકે કાયમી ઈનામ તરીકે આપીએ છીએ. તે ગુજરાતના સૂબાઓ અત્યારના ત્યાંના નાયબ સૂબાઓ તથા ભવિષ્યના સૂબાઓની ફરજ છે કે તેઓ અમારા આ પવિત્ર ફરમાન-હુકમને હમેશને માટે બરાબર માનતા રહે અને પાલિતાણું શત્રુજય વિભાગ ઉપરના અરજદારના વંશ પરંપરાના હક્કો હાથમાં રહે. તેમ જ સૂબા કે વ્યવસ્થા કરનારાઓએ તેમની પાસેથી કર લેવા નહીં, બીજી માગણી પણ કરવી નહીં, અને માગણી માટે નવા નવા પ્રશ્નો ઉઠાવવા નહીં. અને તેમની પાસે દર વર્ષે આ અંગેની સનદ પણ માગવી નહીં. તે સૂબાઓ અને નાયબ સૂબાઓએ આ મર્યાદા પ્રમાણે જ વર્તવું. આમાં ફેરફાર કરવો નહીં. હીજરી સન ૧૦૬૮ તીરકસ મહિનાની તા. ૯ મી. આ ફરમાનના પાછળના ભાગમાં લખાણ છે કે–નવાબનું ફરમાન–અનેક વિશેષણવાળા પ્રખ્યાત વિજયી રાજકુમાર મહમ્મદ સુલતાન બહાદુર વિજયી મહમ્મદ ઔરંબઝેબ શાહબહાદૂરના પુત્ર. હીજરી સન ૧૦૬૮ તીરકસ મહિનાની તા. ૯ મી.] નોંધ- બાદશાહ શાહજહાં અને ઔરંગઝેબે નગરશેઠ શાંતિદાસ ઝવેરીને પાલિતાણા ગામ અને શ્રી શત્રુજ્ય પહાડ ઈનામમાં આપ્યાં હતાં, તે પછી નગરશેઠના કુટુંબે જ ગારિયાધારના ગહેલોને વળાવચેકીનું રખોપું આપી તે ગોહિલને પાલિતાણામાં વસાવ્યા હતા. આર્થિક મદદ આપી પાલિતાણુ પ્રદેશના રાજા બનાવ્યા હતા. પણ રખેપાના અને રૂઆબનું રૂપ લીધું ત્યારે અંગ્રેજ સરકારે વચમાં દખલ કરી રખાપામાંથી ટેક્સનું જે ધોરણ બાંધ્યું તેમાંથી નગરશેઠના કુટુંબના સૌ મનુષ્ય માટે તા. ૨૭–૩–૧૮૮૨ના રોજ માફી જાહેર કરાવી હતી. શેઠ લક્ષ્મીચંદ સં. ૧૭૪૫ના વૈશાખ વદિ ૨ ના રોજ ભટ્ટા શ્રી લક્ષમીસાગરસૂરિન પાટ–ઉત્સવ ઘણું દ્રવ્ય ખરચીને કરાવ્યા અને સં. ૧૭૪૭ના આ સુદિ ૩ ને ગુરુવારે અમદાવાદના રાજ Page #186 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૪પ પુરામાં ભટ્ટાવ શ્રી લક્ષમીસાગરસૂરિ બીમાર થતાં તેમની ખૂબ ભક્તિ કરી. છેવટે તેમણે સૂરિજીને સ્વર્ગગમન—ઉત્સવ ઊજવ્યો. ૬. નગરશેઠ ખુશાલચંદ (સ્વર્ગ, સને ૧૭૪૮, વિ. સં. ૧૮૦૫) શેઠ ખુશાલચંદે અમદાવાદમાં વાઘણપોળમાં પોતાના દાદા નગર શેઠ શાંતિદાસના પુણ્યાથે તેની યાદગીરીમાં ભગ0 શ્રી આદીશ્વરને મોટે જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં સં. ૧૬૮૨માં અંજનશલાકા થયેલ જિન પ્રતિમાઓ લાવી પધરાવી. અમદાવાદ શહેરની પ્રજાની રક્ષા (વિ. સં. ૧૭૮૨) સને ૧૭૦૫ થી ૧૭૬૫ સુધીમાં મરાઠા, પઠાણ, પેશવા અને ગાયકવાડ વગેરે પક્ષે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પોતાનું રાજ્ય સ્થાપવા મથતા હતા. આથી કોઈ પણ પક્ષનો અમદાવાદ ઉપર ઓચિંતે હલે થતાં પરિણામે જનતાના જાન, ધન-માલ વગેરે નુકસાની સહન કરવી પડતી. ત્યારે ગુજરાતમાં હીજરી સનને વ્યવહાર હતો. હિજરીસન ૧૧૩૭, સને ૧૭૨૫ અને ચિત્રાદિ વિસં. ૧૭૮૨માં અમદાવાદ ઉપર એકાએક આફત આવી. તે પહેલાં અહીં કમાલુદ્દીન બાબી સૂબે હતું અને તે પછી અહીં મેઝીનખાન સૂબે થયે હતે. તથા વજીર બાદશાહ કમરુદ્દીન દિલ્હીવાળો હતો. હીજરીસન ૧૧૩૭માં દક્ષિણના લૂંટારા મરાઠાઓએ અમદાવાદને લૂંટવા અમદાવાદની જનતાને મારી નાખવા – બાન પકડવા ઘેરો ઘાલ્ય અને શહેરને કબજે લઈ પ્રજાને લૂંટવી એવી ધાસ્તી બતાવી. આથી શહેરના ઉદ્યમ–વેપાર બંધ થયા. શહેર બહાર જવાઆવવાનું બંધ થયું. શાહુકાર વગેરે હેરાન થયા ત્યારે નગરશેઠ ખુશાલચંદ મરાઠા સરદારને મળ્યા અને મોટી રકમ આપી, સમજાવી ફોન ઘેરો ઉઠાવરાવ્યો. આથી અમદાવાદના માણસો, સ્ત્રીઓ, છોકરાં, માલમિલકત બધું બચી ગયું ને વેપાર ચાલુ થયે. નગરશેઠે શહેર ઉપર મોટો અહેસાન કર્યો. આથી શહેરના મોટા હિંદુમુસલમાન શાહુકારો, બીજા નાના શાહુકારે, વેપારીઓ તથા વિવિધ હુન્નર-ઉદ્યોગવાળા બધાએ મળીને નિર્ણય કર્યો કે – યતની જમાબંધી ઉપર દર સેંકડે ચાર આના નગરશેઠ જે. ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ખુશાલચંદ, તેને પુત્ર નથુશા વગેરેને તથા તેઓના વંશવારસદારોને વંશપરંપરાના હકકો આપીશું.” આ પ્રમાણે સહી સિકકા સાથે લખાણ કર્યું. સૂબા કમરુદ્દીનખાનને આ લખાણ બતાવ્યું અને પાસ કરાવ્યું. તેમજ અમદાવાદના મેટા વ્યાપારી, સેદાગર હિંદુ-મુસલમાન સૌએ હીજરી સન ૧૧૩૭ શાઅબાન મહિનાની ૧૦મી તારીખે શેઠ ખુશાલચંદ લકીચંદે પ્રજાના જાન-માલ બચાવી ઉપકાર કર્યો તે બદલ કડીની છાપના કાપડમાંથી દર સેંકડે ચાર આના આપવાના પિતાના પૂર્વજોના કાગળને સમર્થન આપ્યું. શેઠ નથુશાહે રઘુનાથ બાજીરાવને – સરકારને આ રકમ બરાબર મળતી રહે તે માટે અરજી કરી હતી અને એ અંગે પાકી સનદ મેળવી હતી. મેગલ રાજકાળમાં નગરશેઠના વંશજોને આ જકાતની રકમ બરાબર મળતી હતી, પરંતુ બ્રિટિશ રાજયે તા. ૨૮-૬-૧૮૮૩ના પત્રો વગેરે તપાસી–મેળવી તા. ૨૫-૭–૧૯૨૦ના રોજ આ રકમને બદલે દરસાલની ઉચક રકમ રૂપિયા ૨૧૩૩ આપવાનું નક્કી કર્યું. આ રકમમાંથી નગરશેઠનાં સ્ત્રી-પુરુષ જેઠ વદિ ના રોજ જમણ જમતાં હતાં. ( – પ્રક. ૪૪, પૃ. ૧૭૧ થી ૧૭ – ફરમાન ૨ ૭ મું.) જિન પ્રતિમાઓનું સ્થાનાંતર (વિ. સં. ૧૭૯૯) સદગત ઈતિહાસ લેખક શ્રી. મગનલાલ વખતચંદ લખે છે કે -- “સૂબા ઔરંગઝેબે રાજ્યના ખરચે શ્રી. ચિંતામણિ પાર્થનાથને જિનપ્રાસાદ જે પહેલાં હતો તેવો બનાવી શેઠ શાંતિદાસને સોંપ્યો પણ ફરી વાર તેના ઉપર આફત આવી પડી. ગુજરાતમાં જોધપુરનો રાજા અભયસિંહ રાઠોડ સૂબો હતો. તેના વતી રત્નસિંહ ભંડારી ગુજરાતને સૂબે બન્યું હતું, ( – પ્રક. ૪૪, પૃ. ૨૨૮) તે પછીના સૂબાના સમયે એક મુસલમાન અમલદારના Page #188 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરનો નગરશેઠ વંશ [૧૪૭ ભેજામાં એવી ધૂન આવી કે આ દેરું (મંદિર) વટલાવી, તેમાં પેસી નિમાઝ પઢાવવી જોઈએ. .. શેઠ ખુશાલચંદે આ વાત સાંભળી. તેમણે ત્યાંની જિનપ્રતિમાઓને ઉઠાવી ગાડાંઓ મારફત ઝવેરીવાડમાં લઈ આવ્યા. તેમાંની ત્રણ માટી પ્રતિમાઓને શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસની સ્મૃતિમાં બનાવેલ ભગવ શ્રી આદીશ્વરના ભેંયરામાં પધરાવી અને મૂળનાયક શામળા ચિંતામણિ પાર્શ્વનાથને ઝવેરીવાડના શેઠ વખતચંદના પુત્ર સૂરજમલે બનાવેલા જિનાલયમાં પધરાવી. આ દેરાસર આજે વાઘણપાળમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે. મુસલમાનોએ સરસપુરનો જિનપ્રાસાદ વટલાવ્યો. રંગમંડપ, ઘૂમટ, પૂતળીઓ વગેરેને તોડી-ફેડી વિકૃત કરી નાખ્યાં. આ જૂનું દેરાસર સરસપુરની પશ્ચિમે બિરમાર હાલતમાં વિદ્યમાન છે. (- અમદાવાદને ઇતિહાસ, પૃ. ૧૪૪–૧૪૩) બીબીપુરને આ જિનપ્રાસાદ સરસપુરમાં ખંડેર રૂપે ઊભે છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દર્શન માટે ઘણું ભાઈબહેનો આવે છે. આ સ્થાન પ્રભાવશાલી મનાય છે.” (- પ્રક. ૫૯, ચિંતામણી પાર્શ્વનાથ જિનપ્રાસાદ, પ્રક. ૪૪, પૃ૦ ૧૦૧) વૃદ્ધવાણી – શા. મગનલાલ વખતચંદ ઉપર્યુક્ત દેરાસરને જે ઇતિહાસ આપ્યો છે તે અંગે વૃદ્ધવાણી પરંપરાથી તેવી ચાલે છે કે – શેઠ ખુશાલચંદ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિમાઓને શેઠ, શાંતિદાસે જે ત્યાંથી પિતાની હવેલી સુધી સુરંગે બનાવી હતી તે રસ્તે રથ મારફત બધી પ્રતિમાઓને ઉઠાવી લાવ્યા. - શેઠ ખુશાલચંદ શ્રી આદીશ્વરને જિનપ્રાસાદ બંધાવ્યો હતે તેમાં શ્રી ધર્મનાથ વગેરે જિનપ્રતિમાઓ હતી તેને ઉપર લાવી પધરાવી અને ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જિનાલયમાંથી લાવેલી વિશાળકાય શ્રી આદિનાથની ત્રણ પ્રતિમાઓને પધરાવી. આજે એ ત્રણ પ્રતિમાઓ તેમાં બિરાજમાન છે. આ ઉપરના ઈતિહાસમાં અને વૃદ્ધવાણીમાં ઘણું સત્ય છુપાયેલું છે પરંતુ વિશેષ તપાસને અંતે જાણવા મળે છે કે – શેઠ ખુશાલચંદ વિ.સં. ૧૭૯માં કે ૧૮૦૦માં મુસલમાને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયને તોડી-ફોડી નાખશે એ ભયથી અગમચેતી વાપરી તે જિનાલયની બધી પ્રતિમાઓ ઝવેરીવાડમાં લઈ આવ્યા. તેમાંની ૩ જિનપ્રતિમાઓ શેઠ ખુશાલચંદન દેરાસરમાં, એક પ્રતિમા શ્રીપાલ ઝવેરીએ બંધાવેલા જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં, અને શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથની એક મૂળનાયક પ્રતિમાને શેઠ સૂરજમલે બંધાવેલા નવા દેરાસરમાં પધરાવી હોય એ હકીકત બરાબર લાગે છે. વિશેષમાં બીબીપુર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં ત્રણ શિખરોના ત્રણ ગભારા હતા. ત્રણ મૂળનાયકે હતા તે પૈકીના બે બાજુમાંની એક મૂળનાયક પ્રતિમાને પ શ્રીપાલ ઝવેરીના દેરાસર જગવલ્લભ પાર્શ્વનાથના ઉપરના ભાગમાં પધરાવી હોય એમ લાગે છે. એકંદર આ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રાસાદની સં. ૧૬૮૨ની પ્રતિમાઓની ઘણી પ્રતિમાઓ આજે શેઠ ખુશાલચંદના શ્રી આદીશ્વરના જિનપ્રાસાદમાં, શેઠ શ્રીપાલ ઝવેરીના જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયમાં, શેઠ વખતચંદના છઠ્ઠા પુત્ર શેઠ સૂરજમલના જિનાલયમાં તેમજ શેઠ વખતચંદ, ધર્મપ ની તથા પુત્રોએ સં. ૧૮૫૫ના ફાગણ સુદ ૨ ના રોજ અમદાવાદની વાઘણપોળમાં બંધાવેલા શ્રી અજિતનાથના જિનાલયમાં અને સરસપુર ગામમાં બનેલા નવા જિનાલય, વગેરેમાં વિદ્યમાન છે. વૃદ્ધો કહે છે કે, શેઠ વખતચંદ શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી અજિતનાથનાં જિનાલયે ઊજમબાઈની હવેલી (ઉજમફઈની ધર્મશાળા) વચ્ચે ગુપ્ત સુરંગ બનાવી રાખી હતી કે આસમાની સુલતાનના સમયમાં એ કામ લાગે. ઉપર જણાવેલ શ્રી. મગનલાલ વખતચંદનો ઇતિહાસ તથા Page #190 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૪૯ વૃદ્ધવાણી વગેરે ઉપર ગંભીર પરિશીલન કર્યા પછી અમને લાગે છે કે તે વિચારો માની તેમાં ફેરફાર કરવા જરૂરી છે. (૧) સં. ૧૬૮માં શેઠ શાંતિદાસે શ્રી ચિંતામણિ જિનપ્રાસાદથી ઝવેરીવાડ સુધી ભૂગર્ભમાં સુરંગ બનાવી હતી પણ સંo ૧૭૦પમાં બાદશાહી ખર્ચે જિનપ્રાસાદ ફરીથી બંધાયે ત્યારે આ સુરંગ બનાવી નહીં હોય. (૨) શેઠ ખુશાલચંદ સં. ૧૭લ્માં કે ૧૮૦૦માં ત્યાંની બધી જિનપ્રતિમાઓ ઝવેરીવાડમાં લાવ્યા તે સુરંગ વાટે નહીં પણ કોઈને જાણ ન થાય તેવા રસ્તે લાવ્યા હોય. (૩) શેઠે આ દરેક જિનપ્રતિમાઓને પ્રથમ ઝવેરીવાડમાં લાવી કોઈને ખબર ન પડે તેમ ગુપ્ત સ્થાને ભંડારી રાખી હોય. પછી તેમણે અથવા તેમના પુત્રએ નવાં નવાં જિનાલયે બંધાવી તેમાં પધરાવી હોય. (૪) વિશાલકાય જિનપ્રતિમાઓને લાવી શેઠ ખુશાલચંદના જિન પ્રાસાદમાં બેસાડી હોય પણ પ્રતિમાઓ વિશાલકાયની હોવાથી લાવતાં લાવતાં નજીવી તૂટફૂટ થઈ હોય. આથી તે સમયના ભટ્ટારકની આજ્ઞાથી તેમની પ્રાણપ્રતિષ્ઠા ખેંચી લઈ ઉચિત સાધનાથી સંસ્કાર આપી ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરી હોય. અથવા તે પ્રતિમાઓ રસ્તામાં વ્યંગ થઈ જતાં સં. ૧૮૦૦માં તેવી જ બીજી જિનપ્રતિમાઓ બનાવી તેને શ્રી આદીશ્વરના દેરાસરમાં પધરાવી હોય. શ્રી આદીશ્વરના જિનાલયના ભેંયરામાં બિરાજમાન શ્રી આદીશ્વર ભગવાનની મોટી ત્રણ પ્રતિમાઓની ગાદીમાં ઉત્કીર્ણ લેખો વાંચ્યા પછી અમે ઉપર્યુક્ત થી હકીકતની કલ્પના કરી છે. આ ત્રણે પ્રતિમાઓમાં થોડા ફેરફાર સાથે નીચે પ્રમાણે લેખ ઉત્કીર્ણ છે. – __ “॥ श्री ॥ सवत् १८०० वर्षे शाके १६६६ प्रवर्तमाने ज्येष्ठसुदि १० गुरौ श्री अहिमदावादवास्तव्य-ओशज्ञातीय-वृद्धशाखायां पुत्र यपवित्रश्रेष्ठ शान्दिास-सहनकिरण-तत्पुत्रश्रेष्ठिलक्ष्मीचन्द्र-तत्पुत्र Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ श्रेष्ठि खुशालचन्द्रेण श्री आदिनाथबिम्ब कारित प्रतिष्ठित सकलसंघसाहाय्येन प्रतिष्ठित सागरगच्छे भ० श्री राजसागरसूरितत्पट्टे भट्टा श्रीवृद्धिसागरसूरि-तत्पभट्टा० श्री कल्याणसागरसूरिभिः।। संघस्य मुख्यविरुदधारिणा शान्तिदास शुभधर्मसूरिणा भद्र करोतु સ્પષ્ટ વાત છે કે, “શેઠ ખુશાલચંદે સં. ૧૮૦૦માં પ્રાચીન જિનપ્રતિમાઓને સંસ્કાર આપી અથવા તેના જેવાં જ હૂબહૂ જિનબિંબ બનાવી શ્રી કલ્યાણસાગરસૂરિના હાથે સ્થાપન કર્યા છે.” એ પણ ઉલ્લેખ મળે છે કે, શેઠ ખુશાલચંદ ગુજરાતના હીરા હતા. તેમને આસફઝા નિઝામ ઉમુક કહેતા. તેઓ સને ૧૭૪૮ (વિ. સં. ૧૮૦૫)માં સ્વર્ગસ્થ થયા. ગાયકવાડ સરકારે તેમના કુટુંબને દર સાલ એક હજાર રોકડા રૂપિયા આપવાનો હક્ક લખી આપ્યો હતો. અને રાજ્યના ખરચે પાલખી સેંપી હતી. (– ફાર્બસ રાસમાળા' પ્રસ્તાવના, “નગરશેઠ શાંતિદાસને રાસ- સમાલોચના” પૃ. ૩૧, ૩૩; ગુજરાતનું પાટનગર અમદાવાદ] નગરશેઠ ખુશાલચંદને ત્રણ પુત્રો હતા. ૧. શેઠ નથુશાહ, ૨. શેઠ જેઠમલ અને ૩. શેઠ વખતચંદ. ૭, શેઠ નથુશાહ – આ શેઠ ખુશાલચંદનો મોટો પુત્ર હતો. ઉદાર હતો. ગર્ભશ્રીમંત, પરગજુ અને પ્રજાવત્સલ હતો. તેણે કટાકટીમાં અમદાવાદની પ્રજાના સંરક્ષણના કાર્યમાં પોતાનું ધન ખયું હતું. - (૧) સને ૧૭૨૫ (વિ. સં. ૧૭૮૨)માં મરાઠા સૈન્ય અમદાવાદને ઘેરો ઘાલી અમદાવાદ તાબે કરી જનતાને લૂંટવાનું નક્કી કર્યું હતું ત્યારે શેઠ ખુશાલચંદ તથા શેઠ નથુશાહે મરાઠા સરદારને મોટી રકમ આપી, ખુશ કરીને અમદાવાદને ઘેરે ઉઠાવડાવ્યા હતા. છે. અમદાવાદની પ્રજાએ આ અહેસાનના બદલામાં તેમને તથા Page #192 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરનો નગરશેઠ વંશ [૧૫૧ તેમના કુટુંબના વંશજોને ગામનાં કાલાંની જકાતમાંથી દર સેંકડે ચાર આના આપવાને હકક–પટ્ટો કરી આપ્યો હતો. શેઠ નથશાહે રઘુનાથ બાજીરાવને આ હકક પ્રમાણે હમેશાં રકમ મળતી રહે એની અરજી કરી નવી સનંદ મેળવી હતી. (પ્રક. ૪૪, ૫૦ ૧૭૦ થી ૧૭૬ ) (૨) દિલ્હીમાં ૨૧ મો બાદશાહ આલમગીર થયો. તેને ઈસ્ટ ઇડિયા કંપનીએ રૂા. ૨૬૦૦૦૦૦–છવ્વીસ લાખનું વર્ષાસન બાંધી આપી અલાહાબાદમાં વસાવ્યો, તેમજ બંગાળના નવાબ મુબારક ઉદ્દૌલા અને જગતશેઠને વર્ષાસન બાંધી આપ્યાં. બાદશાહ આલમગીર (ત્રીજા) વતી લડે ગાર્ડન અને બંગાળના નવાબ...ઉદીલાએ વિ. સં. ૧૮૩૬ના મહા વદિ ૧૧, ૧૨, ૧૩ના દિવસમાં અમદાવાદને ઘેરો ઘાલ્યો. જનરલ ગાર્ડને સં. ૧૮૩૬ મહા વદ ૧૩ ના રોજ તા. ૧૭–૨–૧૭૮૦ના દિવસે અમદાવાદને જીતી લીધું. પછી પોતાના સિનિકોને મરછમાં આવે તેમ અમદાવાદને લૂંટવાનો હુકમ કર્યો. એ સમયે આ લૂંટને રોકવા લૈર્ડ ગાર્ડનને સમજાવવા નગરશેઠ નથુશાહ, શહેર કાજ શેખ મહમ્મદસાલે અને બાદશાહી દીવાન મીયાં મિરજા અબુ એ ત્રણ જણ મળ્યા. તેને લૂંટને હુકમ પાછો ખેંચી લેવા જણાવ્યું, ખૂબ સમજાવ્યા, ઘણી કશિશ કરી પણ તેણે માન્યું નહીં. શહેરકાજી અને દીવાને શેક નથુશાહને જણાવ્યું કે, આને મેટી રકમ આપવાથી કદાચ માની જાય અને શહેરને લૂંટવાથી રોકાય. શેઠે તરત જ જનરલ ગાર્ડનની સામે મેટી રકમની થેલી નજરાણા તરીકે મૂકી. તેથી તે ખુશ થયો. તેણે પોતાના સૈનિકોને તરત જ હુકમ કર્યો કે, અમદાવાદને લૂંટશે નહીં તેમજ શેઠના કહેવાથી તેણે તેની પાસેથી શાંતિને ઢંઢેરો લખાવ્યો અને પિટાવ્યું કે, “હવે જનતાને કેાઈ લૂંટશે નહીં. સૌ નિશ્ચિંત બની તપેતાના રોજિંદા કામ કરે.” લુંટ ફરી બંધ થઈ. નગરશેઠની રકમે કામ કર્યું. પ્રજા આનંદિત થઈ. (સને ૧૯૨ ૪ને “ગુજરાતી સાહિત્ય પરિષદને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ રિપોર્ટ', “જન સત્ય પ્રકાશ' ક્રમાંક ૯૮, પૃ. ૪૭થી ૫૪, ગુજરાતનું પાટનગર અમદાવાદ પ્રક. ૧૩, ૧૪ જે. ૫. ઈ. પ્રક. ૪૪, પૃ. ૧૧૦, ૧૧૧, ૧૮૨, ૧૮૩) શેઠ નથુશાહના વંશમાં અનુક્રમે (૮) દીપાશાહ, (૯) હીરાશાહ, (૧૦) તલકચંદ, (૧૧) ચુનીલાલ વગેરે થયા છે. ૭. શેઠ જેઠમલ- તે નગરશેઠ ખુશાલચંદને બીજો પુત્ર હતે. જેઠાશાહનો ચોતરો–– મકાખાડી (શત્રુજ્ય પહાડના ચડાવમાં રસ્તા ઉપર ) આશરે છ ફૂટ ઊંચે એક ચેતરો છે. ચડતાં ચડતાં તે ચાતરા પાસે ઊભા રહીએ તે ત્યાંથી પહાડ ઉપરની નવે ટ્રકનાં જિનાલનાં ભવ્ય શિખરનાં દર્શન થાય છે. ત્યાંથી આગળ ચાલીએ એટલે હનુમાનના હડે જવાય છે. આ ચેતરો જેઠાલાહન ચેતરો કહેવાય છે. શેઠ જેઠમલના વંશમાં અનુક્રમે (૮) રાયચંદજી, (૯) મૂળચંદ, (૧૦) હરિલાલ– તેમણે સં૧૯૬ના ફાગણ સુદિ રના રોજ શ્રી મહાવીર જિનપ્રાસાદમાં લાકડાને ભંડાર બનાવીને મૂક્યો. ૭. નગરશેઠ વખતચંદ – તે નગરશેઠ ખુશાલચંદને ત્રીજો પુત્ર ૧. ઠાશાહ નામની ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિએ હતી તે આ પ્રમાણે – (૧) અમદાવાદના શાહ દેજર શ્રી માલીના વંશના (૯) સંઘવી ઘેલાશાહનો પત્ર. સંભવ છે કે તેના પૌત્ર સં૦ કુંઅરજીએ વિ. સં. ૧૬૧૫ કે ૧૬૨૦માં આ ચેતરે બનાવ્યું હોય. ( – પ્રક. ૪૫, પૃ. ૩૪૪) (૨) અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીના પત્ર નગરશેઠ ખુશાલચંદને પુત્ર સંભવ છે કે, નગરશેઠ ખુશાલચંદના પૌત્ર નગરશેઠ હેમાભાઈએ આ ચોતરો બનાવ્યું હોય, . . . . . . (- પ્રક૭. પ૮, ૫૯ નગરશેઠ). (૩) શંત્રુજયની મોતીશાહની ટ્રકમાં સં. ૧૮૮૩માં બનાવેલો વીશા ઓશવાલ શેઠ જેઠાચંદે ૧૦ ૨૪ શિખરવાળે સહઅકૂટ છે. આ જેઠાચંદના નામે આ ચેતર બન્યો હોય. Page #194 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરના નગરશેઠ વંશ [૧૫૩ હતો, અને અમદાવાદને નગરશેઠ હતા. બાળપણથી જ તે બુદ્ધિમાન, કાર્યદક્ષ, ચતુર, પરગજુ અને ધર્મપ્રેમી હતો. ઈતિહાસ કહે છે કે, કર્નલ હટલીએ વિસં. ૧૮૩૬ના મહા સુદ ૧૧ (તા. ૧૫–૧૧–૧૭૮૦ )ના રોજ અમદાવાદ સર કર્યું. અને અમદાવાદને લૂંટવાનો હુકમ આપ્યું ત્યારે શેઠ વખતચંદ ખુશાલચંદ, (૨) શહેર કાજી શેખ મહમ્મદસાલે તથા (૩) બાદશાહી દીવાન મિયાં મિરઝા અબુ એ ત્રણે જણાએ કર્નલ હર્ટલી પાસે જઈ કરગરીને લૂંટ બંધ રાખવી હતી અને શાંતિને ઢંઢરે પિટાવ્યો હતો. (– અમદાવાદને પ્રાચીન ઇતિહાસ, ગુજરાતી પંચ સં. ૧૯૬૬ને દિવાળી અંક, સ્વ. મગનલાલ વખતચંદ કૃત અમદાવાદને ઇતિહાસ, પૃ૦ ૮૪, ફાર્બસકૃત રાસમાળા – પ્રસ્તાવના ) નગરશેઠ વખતચંદ અને પાલિતાણાના ૧૨ મા ઠાઉન્નડજી બંને ગાઢ મિત્રો હતા. ઠા. ઉન્નડજીને ભાવનગરના ઠા૦ વખતસિંહજી સાથેની લડાઈમાં આર વગેરે સેનાનું ઘણું ખરચ થવાથી નાણાભીડ આવી. તેણે વિ. સં. ૧૮૩૬માં નગરશેઠ ખુશાલચંદને પાલિતાણું અને બીજાં ગામે ગોંડલના શુભાઇને વચ્ચે જામીન રાખી મૂળ ગરાશિયાના હકક સાથે ઇજારે આપ્યાં. (– પ્રક૪૪, પૃ૦ ૨૪૪, ૨૪૫) અમદાવાદના સૂબાએ વિ. સં. ૧૮૬૪ ( સને ૧૮૦૮)માં અપુત્રીયાના ધનના વારસાહક્કો માટે ગરબડ કરી. આથી શેઠ વખતચંદે સૂબાને મળી–સમજાવીને નકકી કરાવ્યું કે “અપુત્રીયાનું ધન મરનારના દોહિત્ર કે પુત્રીને મળે.” (- ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્રક. ૧૪, પૃ૦ ૧૫૬, પ્રક. ૨૦, ૫૦, ૭૩૯ ) શેઠ વખતચંદ અને શેઠાણી જડાવબાઈનાં ઘર્મકાય –– શેઠ વખતચંદને જડાવ નામે પની હતી તથા સાત પુત્ર હતા. આ જડાવબાઈ ખંભાતના શેઠ જયચંદ હીરાચંદની પુત્રી હતી. શેઠ અને શેઠાણીએ કરેલા ધર્મકાર્યો જાણવા જેવાં છે. – ' ' Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] જન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ (૧) સં. ૧૮૦૦માં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિમા લાવી ગુપ્ત સ્થાને પધરાવી. તે પ્રતિમા રસ્તામાં કંઈ ખંડિત થતાં તેને ઉચિત ન્યાય આપ્યો હોય અગર તે જ માપની નવી પ્રતિમાઓ ભરાવી હોય. એ પ્રતિમાઓની ભટ્ટા શ્રી કલ્યાણસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. (૨) સં. ૧૮૫૫ના ફાગણ સુદિ ૨ ના રોજ વાઘણપોળમાં શ્રી અજિતનાથને જિનપ્રાસાદ બનાવવો શરૂ કર્યો અને સંવે ૧૮૬૦ના બીજા ચૈત્ર સુદ ૧૧ના વિજયમુદ્દતે ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. ( –નગરશેઠ શાંતિદાસને રાસ, પૃ. ૮૪) (૩) સં. ૧૮૬૮ના વૈશાખ સુદિ ૩ને બુધવારે શેઠ ખુશાલચંદે બનાવેલ શ્રી આદીશ્વરના જિનપ્રસાદના ભંયરામાં આદીશ્વરની ત્રણ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી અને સં. ૧૬૮૨ના લેખવાળી બીજી જિનપ્રતિમાઓને તે જિનાલયમાં પધરાવી. (૪) સં. ૧૮૬૮માં શેઠ વખતચંદના છઠ્ઠા પુત્ર સૂરજમલે બનાવેલ જિનાલયમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (પ) શ્રી ચિંતામણિ જિનપ્રાસાદમાં શ્રી સંભવનાથ અને શ્રી શાંતિનાથનાં નાનાં નાનાં જિનાલયો બનાવ્યાં. (૬) શેઠ વખતચંદની પત્ની જડાવબાઈએ શ્રી મહાવીરસ્વામીનો જિનપ્રાસાદ બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) શેઠ વખતચંદ શ્રી અજિતનાથ, શ્રી. આદીશ્વર અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં જિનાલ તેમજ પિતાની ઊજમબાઈ વાળી હવેલીની વચ્ચે એકબીજામાં જઈ શકાય તેવું ભોંયરું બનાવ્યું. સંભવતઃ તેમના પુત્રોએ સં. ૧૯૦૨માં આ ત્રણે જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ ભોંયરું પૂરી દીધું. (૮) શેઠ વખતચંદે શ્રી અજિતનાથના જિનપ્રાસાદની પાછળ સાગરગરછની મેટી પેશાબ બનાવી. Page #196 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [૧૫૫ (૯) શેઠ વખતચંદના સમયે અમદાવાદના ઝવેરીવાડમાં મેટાં ૨૭ જિનાલય હતાં. (૧૦) શેઠ વખતચંદ ભટ્ટાશ્રી આણંદસાગર અને ભટ્ટાશ્રી શાંતિસાગરની અધ્યક્ષતામાં અમદાવાદથી શત્રુંજય તીર્થને છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. ઉલ્લેખ મળે છે કે તે વખતે પાલિતાણામાં ઠા. ઉન્નડજી હતો. (- નગરશેઠ શાંતિદાસને રાસ-નિવેદન, પૃ૦૭,. ૧૪ થી ૧૯ ) ગાયકવાડ સરકાર ગોવિંદરાવે શેઠ–અલદ રાજેશ્રી વખતચંદ ખુશાલચંદને દરસાલ માટે આબદાગીરી તથા મશાલ અને તે માટે બે માણસોને ખર્ચ અને તેમનો ખરચ આપવાની સનદ આપી હતી. તેમજ દર સાલના રોકડા ૧૦૦૦ રૂપિયાનો હક્ક કરી આપ્યો હતો. અને સરંજામની વ્યવસ્થા કરી આપી હતી. એ જ રીતે માનાજી ગાયકવાડે પણ ગોવિંદરાવની આબદાગીરીને કાયમ રાખી હતી. ( – પ્રક. ૪૪, ૫, ૧૭૪, ૭૫ ) શેઠ વખતચંદ વિ. સં. ૧૮૭૦ના ફાગણ વદિ ૮ ને રવિવારના રોજ વિજય મુહર્તમાં અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા. તેમના પાંચમા પુત્ર નગરશેઠ હેમાભાઈએ (ભાર્યા કંકુબેને) પિતાજીના મરણ પાછળ અમદાવાદ અને વડોદરા એમ બંને શહેરોની જનતાને સં. ૧૮૭૦ના વિશાખ સુદ ૯ ના રોજ ઘેબરનું જમણ આપી ધુમાડાબંધ ગામે જમાડ્યાં હતાં. ઉપાડ શ્રી ક્ષેમવર્ધન ગણીએ સં. ૧૮૭૦ના અષાડ સુદ ૯ ના રોજ અમદાવાદમાં શેઠ શાંતિદાસને “પુણ્યપ્રકાશ રાસ રચ્યો, તેમાં શેઠ વખતચંદ સુધીનો ઈતિહાસ આપ્યો છે. 2ભટ્ટા, શ્રી આનંદસાગરસૂરિ ત્યારે અમદાવાદમાં અને ભટ્ટા શ્રી શાંતિસાગરસૂરિ પાટણમાં ચાતુર્માસ રિત હતા. શ્રી. ઉજમબાઈએ વિ. સં. ૧૯૧૬ના શ્રાવણ સુદ ૨ ના રોજ શા. જીવરાજ પાસે તેની નકલ કરવી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ નગરશેઠ વખતચંદને પરિવાર – નગરશેઠ વખતચંદને જડાવબેન નામે ભાર્યા હતી. તેનાથી તેમને સાત પુત્રો અને એક પુત્રી થયાં. (૧) પુત્ર શેઠ ઈચ્છાભાઈ – શત્રુંજયના ચડાવમાં પેળી પરબ ની ઉપર અનુક્રમે ઈચ્છાભાઈનો કુંડ, ફૂલવાડી, નીમી પરબ વગેરે બનાવ્યાં હતાં. (૨) પુત્ર શેઠ પનાભાઈ (૩) પુત્ર શેઠ મોતીભાઈ (૪-૫-૬-૭) નામ જાણવામાં નથી. (૮) શેઠ ફતેભાઈ, ભાર્યા ઊજળી બાઈ, બીજુ નામ અચરતબાઈ (૯) શેઠ ભગુભાઈ, ભાર્યા હરકેરબાઈ. તેમણે હેમાભાઈની ટૂકમાં દેરી કરાવી. (– શ્રી જિનવિજય સંપાદિત પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨, લેખાંકઃ ૭૧ ) (૧૦) શેઠ દલપતભાઈ, ભાર્યા ગંગાબેન. (૧૧) શેઠ લાલભાઈ, ભાર્યા મોહિનાબાઈ (૧૨) શેઠ કસ્તૂભાઈ, ભાર્યા શારદાબેન (૧૩) ૧ સિદ્ધાર્થભાઈ, ૨ શ્રેણિકભાઈ (૧૦) શેઠ દલપતભાઈ, ભાર્યા ગંગાબેન (૧૧) લાલભાઈ મણિભાઈ, જગાભાઈ, ચંચળબેન, જશોદા બેન, હિરાબેન. (૧૧) જગાભાઈ, ભાર્યા કંચનબેન, પુત્ર (૧૨) અંબાલાલ. " શેઠ શ્રી દલપતભાઈ ભગુભાઈએ વિસં. ૧૯૨૧માં શ્રી શત્રુજય તીર્થનો છ'રી પાળતા યાત્રા સંઘ કાઢ્યો હતો. પૂ. મૂળચંદજી મહારાજ વગેરે તે સંઘમાં સાથે ગયા હતા ત્યારે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વગેરે ભાવનગરથી પાલિતાણા પધાર્યા હતા. Page #198 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૫૭ સંઘમાં ગંગામાં મહત્વ અનુપમાદેવીને યાદ કરાવે તેવા ગંભીર અને પરમ ઉદારમૂતિ જેવાં પ્રતીતિ કરાવતાં હતાં. એ ચારે પ્રકારના સંઘની ગરિમા વહન કરતાં ધર્મમાતા જેવાં હતાં. એ જ કારણે તેમની ગંગામા તરીકે પ્રસિદ્ધ હતી. તેમણે આ૦ શ્રી વિજયધર્મસૂરિના શિષ્ય અને ગુરુદેવના સ્થાનકવાસી સહયોગી મિત્ર પરમ શાંતમૂતિ પરમસંવેગી ચમત્કારી ખાખી મુનિ શ્રી રત્નવિજયજી મહારાજના ઉપદેશથી સં. ૧૯૬૭માં કાર્તિક વદિ ૯ થી માગશર વદિ ૧૦ રવિવાર સુધી અમદાવાદના ચારે સંઘને અમદાવાદની શહેરયાત્રા કરાવી. મુનિ શ્રી રત્નવિજયજી મહારાજે તેનું સ્તવન (રાસ) ઢાળ ૧૧ રચ્યું. આ મુનિશ્રીએ વિવિધ સ્તવને અને પદો પણ રચ્યાં છે. ને તે તા. ૧૩–૧–૧૯૧૦ના રોજ છપાવી પ્રસિદ્ધ કરાવ્યાં છે. ગંગામાં પૂ. શ્રી નેમિસાગરજી મ. અને પૂર મૂલચંદજી મહારાજનાં અનુરાગી શ્રાવિકા હતાં. સાગરગચ્છના સર્વગીતાર્થ મુનિઓમાં ક્રિયાકાંડને લેપ, કપટકિયા કે પાંચ મહાવ્રતો માટેની શિથિલતા પેસી ન જાય તે માટે તકેદારી રાખતાં. કેઈમાં ઊણપ દેખે તે વાહલયી માતાની જેમ તેને ચેતવણી આપતાં. પોતાના પરિવારમાં ધર્મમર્યાદાનો ભંગ, અભય ભક્ષણ વગેરે ન થાય તે માટે સાવચેતી રાખતાં હતાં. ૧૧. સરદાર લાલભાઈ – તેમને જન્મ તા. ૨૫-૭–૧૮૬૩માં થયે હતો અને મરણ તા. પ-૬-૧૯૧૨ના બુધવારે થયું હતું. તેમના જીવનકાળમાં તેમણે ઘણું ધર્મકાર્યો કર્યા હતાં. સં. ૧૯૬૮ના ફાગણ વદિ ૮ ને સોમવારે તા. ૨૮–૧૨–૧૯૧૨ના રાજ અમદાવાદમાં નગરશેઠના વંડામાં નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈની અધ્યક્ષતામાં ભરાયેલી શેઠ આણંદજી કલ્યાણજીની જાહેર શેકસભા મળી હતી. તેઓ તા. પ-૬-૧૯૧૨માં મરણ પામ્યા અને તા. ૨૧-૮-૧૯૧૨ના દિવસે શેઠ ચીમનલાલ લાલભાઈ પ્રેમાભાઈ મરણ પામ્યા. તે અંગે શોકસભામાં બીજે–ત્રીજે ઠરાવ કરી દિલગીરી દર્શાવી હતી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૪. પુત્ર શેઠ અનોપભાઈ (૮) શેઠ અનોપભાઈ (૯) શેઠ ડાહ્યાભાઈ, ભાર્યા ઊજળબાઈ. (૧૦) શેઠ સારાભાઈ–તેઓ વિચક્ષણ, બુદ્ધિશાળી, સાહસી અને બહાદુર જૈન હતા. કુશળ વેપારી હતા. રાજા-મહારાજાઓના મિત્ર હોવાથી રાજતંત્રના અચ્છા ખેલાડી હતા. તેમનું સૂત્ર હતું કે, નગરશેઠના કુટુંબમાં આપસમાં ક્લેશ થાય તેવી કઈ ઘટનાને વજન આપવું નહીં અને નગરશેઠના કુટુંબની પ્રત્યેક વ્યક્તિના ઊંડાણમાં ઊતરવા પ્રયત્ન કરવો. તેમના પ્રયત્નથી જ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ ઊંચે દરજે ચડ્યા છે. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કહેતા હતા કે અમવાદમાં (૧) શેઠ કસ્તૂરભાઈ મણિભાઈ, (૨) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ અને (૩) પ્રતાપસિંહ મેહનલાલ બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, તેઓ જે ધારે તે કરી શકે તેવા છે. શેઠ સારાભાઈ આ. શ્રી વિજયકમલસૂરિ મઠ તથા આ. શ્રી વિજયનેમિસૂરિ મહારાજના ભક્ત હતા. એક વાર તેઓ વ્યાપારી મૂંઝવણમાં સપડાયા. આપઘાત કરવાની તૈયારીમાં હતા પણ આ૦ શ્રી વિજયકમલસૂરિ મહારાજનો વાસક્ષેપ માથે પડતાં તેમને માર્ગ સૂઝી આવ્યા અને બચી ગયા. તેમણે સેરિસાતીર્થનું ભવ્ય જિનાલય બંધાવ્યું. સંઘ કાઢો. તેઓ દેશી રજવાડાઓના માનીતા હતા. લેડી ઈરવિન તેમને ધર્મબંધુ માનતી હતી. તેમના કહેવાથી તે જનતાને મોટી રાહત આપતી રહેતી. તેઓ સવારે ઊઠી, નિત્યવિધિથી પરવારી બ્રાહ્મમુહૂર્તમાં ઊજમ ફાઈની ધર્મશાળામાં ગુરુવંદન કરી મટી શાંતિને પાઠ સાંભળતા. (૧૧) પુત્ર રમણભાઈ, ભાર્યા વસુબેન. શેઠ વખતચંદને પરિવાર– . (૭) શેઠ વખતચંદ (૮) શેઠ હેમાભાઈ ભાર્યા કંકુબાઈ WWW.jainelibrary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ | [ ૧૫૯ (૯) મે પુત્ર શેઠ નગીનદાસ, ભાર્યા ઈરછાકુમારી. (૯) શેઠ પ્રેમાભાઈ, ભાર્યા જીવકેરબહેન, ભાર્યા સાંકલી. હેમાભાઈની પુત્રીઓ-(૯) રુકિમણી, પ્રસન્ન, મેતીકુંઅર (- શ્રી શત્રુંજય ફરમે, પૃ. ૯૦ ) (૧૦) શેઠ મયાભાઈ, ભાર્યા જેકેર મુક્તાબાઈ (૧૧) શેઠ વિમલભાઈ, ભાર્યા લલિતાબેન (૧૨) શેઠ અરવિંદભાઈ, ભાર્યા પદ્માબેન (૧૩) પુત્રી રૂપા. (૧૪) શેઠ વિમલભાઈ, ભાર્યા લલિતાબેન (૧૨) વિદભાઈ, ભાર્યા વંદનાબેન (૧૩) શેઠ આનંદભાઈ (૧૩) પુત્રી મિતાબેન (૧૦) શેઠ મયાભાઈ, ભાર્યા જેકેર મુક્તાબાઈ (૧૧) શેઠ સારાભાઈ, ભાર્યા મધુબેન. (૧૨) શેઠ દીપકકુમાર (૧૨) શેઠ બ્રહ્મકુમાર. (૧૦) શેઠ લાલભાઈ, ભાર્યા શણગારદેવી. (૧૧) શેઠ ચીમનભાઈ ઉફે બાપાભાઈ, ભાર્યા મહાલક્ષ્મી. (૧૧) શેઠ સાહેબસિંહ, ભાર્યા પ્રભાદેવી. (૧૨) શેઠ બિપીનભાઈ, ભાર્યા ભાનુબેન. (૧૩) શેઠ ગૌતમકુમાર (૧૨) શેઠ સૂર્યકાંતભાઈ, ભાર્યા સૂર્યબાળા (૧૨) શેઠ મંગલદાસ (૧૦) શેઠ મણિભાઈ, ભાર્યા મેહિનીબાઈ (૧૧) શેઠ કસ્તૂરભાઈ, ભાર્યા માણેકબેન (૧૧) શિઠ ઉમાભાઈ (૧૨) શેઠ ઉમાભાઈની પુત્રી બબીબેન Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ (૧૨) શેઠ જગદીશભાઈ, ભાર્યા સુનીતાબેન (૧૩) પુત્રી દક્ષા (૧૪) પુત્ર ધીમંત (૧૧) કસ્તુરભાઈ (૧૨) પ્રિય મિત્ર (૧૨) અરુણકુમાર (૧૨) જગદીશ (૧૨) પ્રિયંવદા (૧૨) પ્રમીલા (૧૨) ઈલા. છઠ્ઠા પુત્ર શેઠ સૂરજમલ, ભાર્યા પ્રધાનબાઈ– આ શેઠ સૂરજમલે સંભવતઃ વાઘણપોળમાં શ્રી ચિંતામણિ પાર્થનાથને જિનપ્રાસાદ બંધાવ્યો. તેમાં પ્રાયઃ સં. ૧૮૬૮ના વૈશાખ સુદિ ૩ ના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેમજ બીજી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા સં. ૧૮૮૨માં કરાવી. એ જ સમયે શ્રી સંભવનાથ, શ્રી શાંતિનાથ વગેરેનાં દેરાસર બન્યાં અને પ્રતિષ્ઠા થઈ. તેણે શ્રી શત્રુંજયમાં હેમાભાઈની ટૂંકમાં દેરી બનાવી. શેઠ સૂરજમલ બહાદુર અને ધર્મપ્રેમી હતો. અમદાવાદની રતનપોળમાં “સૂરજમલનું ડેલું” નામથી પ્રસિદ્ધ સ્થળ એનું નિવાસ – સ્થાન હતું. શેઠ વખતચંદના સાતમા પુત્ર મનસુખભાઈ હતા. તેમને ખીમચંદ, છગનભાઈ, મેના અને રૂપા નામે સંતાન હતાં. ઉજમબાઈ – આ શેઠ વખતચંદની પુત્રી હતી. શેઠ હેમાભાઈની બહેન હતી. શેઠ પ્રેમચંદભાઈ તેમને ફાઈ કહેતા હતા આથી તેમનું નામ ઉજમફઈ તરીકે પ્રસિદ્ધ છે. તેમનું લગ્ન શેઠ મેહનલાલ મણિલાલ ઝવેરીના પિત્રાઈ ભાઈ સાથે અગર એ કુટુંબમાં થયું હતું. તે નાનપણથી વિધવા બન્યાં, ત્યારથી તે ભાઈ એની સાથે રહી ધર્મધ્યાન કરતાં રહેતાં. Page #202 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [૧૬૧ તે ભટ્ટાશ્રી શાંતિસાગરસૂરિ અને તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદજી મહારાજનાં શ્રાવિકા હતાં. સાત ભાઈઓની વચ્ચે આ એક જ બહેન હતાં. આથી શેઠ વખતચંદે પોતાના વારસામાં ૭ ભાઈઓની પુત્રીને પણ ૮ મે પુત્ર માની વાઘણપોળની હવેલી, બીજાં મકાને, મેટી મૂડી, દરદાગીના આપ્યા હતા. શ્રી. ઉજમબાઈ એ ધર્મશાળામાં જ જીવન ગાળ્યું. તેમણે ભટ્ટાર શ્રી શાંતિસાગરસૂરિના હાથે ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી છે. શ્રી શત્રુંજય તીર્થમાં ઊજમબાઈની ટૂક કરાવી છે. શ્રી નંદીશ્વર દ્વીપને માટે જિનપ્રાસાદ તથા અમદાવાદના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં સં. ૧૯૦...માં શ્રી શાંતિનાથને ચૌમુખ જિનપ્રાસાદ વગેરે કરાવ્યાં છે. તેમણે પૂ. શ્રી મૂલચંદજી ગણિવરના ઉપદેશથી પોતાની હવેલીને ચોગ્ય ફેરફાર કરી સં. ૧૯૨૮ના રોજ શ્રીસંઘને ધર્મધ્યાન કરવા માટે ધર્મશાળા બનાવી અને તપાગચ્છાધિરાજ પૂ. શ્રી મૂલચંદજી મહારાજ વગેરે જે દલપતભાઈ ભગુભાઈના વડાની મેડી ઉપર હતા તે સૌને ત્યાંથી અહીં પધરાવી હવેલીનું શ્રીસંઘને દાન કર્યું, તેનું તામ્રપત્ર બનાવ્યું. તેમણે પોતાના વસિયતનામામાં ધર્મશાળામાં બિરાજમાન મુનિવરોની ભક્તિ, પઠન-પાઠનની વ્યવસ્થા, ચાતુર્માસની વ્યવસ્થા તેમજ ધર્મશાળામાં તપ કરનારા છઠ્ઠ-અડ્ડમ વગેરેની ભક્તિ માટે વ્યવસ્થા કરી હતી. ૮. શેઠ હેમાભાઈ – તે નગરશેઠ વખતચંદની પરંપરાના પુત્ર હતા. તેમને સં. ૧૮૪૦માં જન્મ થયો અને ૭૩ વર્ષની ઉંમરે સં. ૧૯૧૪ના મહા વદિ ૧૧ના રોજ મરણ થયું હતું. શેઠ હેમાભાઈ, તેમના ભાઈઓ, બહેન, પુત્રો વગેરે પરિવાર પૂ૦ મૂલચંદજી મહારાજના ત્યાગ, તપ, જ્ઞાન અને ધર્મધગશ તથા ઉપદેશથી અત્યંત પ્રભાવિત હતે. પાલિતાણના ૧૨મા ઠાકર ઉન્નડજીએ સને ૧૭૫માં પેશકશી ઉઘરાવનાર શિવરામ ગારદાને આશરો આપ્યો. આથી ભાવનગરના ઠા ભાવસિંહજી સાથે વેર બંધાયું. શ્રી શત્રુંજયની ગાળીમાં બંને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ઠાકોરો લડ્યા. ઠાકર ઉન્નડજી નાસીને શ્રી શત્રુંજ્યની ગાળીમાં છુપાયે. પરિણામે પાલિતાણામાં ગામ ઉજજડ બન્યાં. ઊપજ ઘટી. ઉડાઉ ખર્ચ ચાલુ રહ્યો. રાજ્યને માથે ખરચ વધી ગયું. યુદ્ધ માટે આરબોને રોક્યા હતા તેનું મોટું દેવું થઈ ગયું. આથી નાણાંભીડ થઈ. છેવટે ઠાઉન્નડજીએ નગરશેઠ વખતચંદ ખુશાલચંદને ત્યાં ગોંડલના ઠાકોર શુભાઇને વચ્ચે રાખી પાલિતાણું તથા બીજાં ગામે ઇજારે રાખી તેની માટી રકમ ઉપાડી કરજ ચૂકવ્યું. ઈજારો – આમાં એવી વ્યવસ્થા હતી કે શેઠ મૂળ ગરાસિયાના હકકો ભેગ. પિતાના નેક કામદારો રાખી પાલિતાણા વગેરેની આવક લે અને દરસાલ ઠાકોરને રૂા. ૪૭૦૦૦ આપે. ઠાકર અગર તેના વંશજો આ કરજ પેટે ઉપાડેલી મૂળ રકમ પાછી ન વાગે ત્યાં સુધી આ પ્રમાણે ચાલે. આ ઈજારો વિ. સં. ૧૮૩૬ થી ૧૯૦૦ (સને ૧૭૮૦ થી ૧૮૪૩) સુધી – એમ ૬૩ વર્ષ ચાલુ રહ્યો. આ ઈજારાના કાળમાં પાલિતાણાની પ્રજા આબાદ બની હતી. જનાએ પણ રાજ્યના કરવેરા, બહારની બ્રાહ્મણ–બાવાઓની જમીન વેચાણ રાખી, શહેરમાં જૈન ધર્મશાળાઓ બનાવી અને શ્રી શત્રુંજયતીર્થમાં ઘણી નવી નવી ટ્રકો બનાવી હતી. ૨૫મા ઠાપ્રતાપસિંહ સુધી સને ૧૮૪૪ સુધી આ ઈજા ચાલુ રહ્યો. ( – પ્રક. ૪૪, પૃ. ૨૪૪, ૪૫, ૨૪૮) નગરશેઠ હેમાભાઈ તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદજી મહારાજના ઉપાસક હતા. જૈન સંઘે આ ઈજારાના રાજકાળમાં સને ૧૭૮૧માં વિ. સં. ૧૮૩૭ના ચૈત્ર સુદિ ૧૫ના દિવસે શ્રી શત્રુંજયતીર્થમાં વિમલવસહીના હાથીપળ પાસેના ચેકમાં સંઘનું એકમ બની રહે એ ઉદ્દેશથી નવાં જિનાલય બનાવવાની મનાઈ કરી. ( –એપિચાફિયા ઇંડિકા ભા–૨ જે બુહર, પ્રક. ૬ શિલા પર મે, જે ૫૦ ઈ. પ્ર. ૪૪, પૃ. ૨૪૫ ) ખુરશી – આ હિસાબે શેઠ હેમાભાઈ પાલિતાણા રાજ્યના આરામદાર હતા. આથી રાજકોટની હાઈ કોર્ટમાં સૌરાષ્ટ્રના જિલ્લા Page #204 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૬૩ એના વકીલોની ખુરશીઓ હતી. તેમાં નગરશેઠ હેમાભાઈની વકીલની પણ એક સ્વતંત્ર ખુરશી હતી. તેમજ રાજકેટની એજન્સીમાં શેઠ હેમાભાઈની પાલિતાણાના ઈજારદાર તરીકે અને શેઠ આણંદજી કલ્યાણજીના અધ્યક્ષ તરીકે એક સ્વતંત્ર ખુરશી હતી. નોંધ – શેઠ કસ્તૂરભાઈ મણિભાઈએ અમને એકવાર કહ્યું હતું કે, આ સ્વતંત્ર ખુરશીઓના વકીલને મોટા ખરચ આવતો હતો તેથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને જનરલ સભાન જૈનેએ આ ખર્ચ નકામે માની ખુરશી બંધ કરવાની સૂચના કરી. ત્યારથી આપણે વકીલ ત્યાં રહેતો નથી. તેથી જ આપણને ઠાકોર સાથેના કજ્યિામાં જુદા જુદા વકીલે રોકવા પડે છે. ગામ –– એજન્સીએ સને ૧૮૬૧ (વિ. સં. ૧૯૧૮)માં ગાયકવાડ સરકારનું રાંચરડા ગામ ઈનામમાં અપાવ્યું હતું, જે તેમના વંશજોના હાથમાં છે. ( – પ્રક. ૪૪, પૃ. ૨૫ ) શેઠ હેમાભાઈએ વિ. સં. ૧૮૯૩માં શ્રી શત્રુંજયતીનો છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો અને અમદાવાદથી પાલિતાણા સુધી દરેક પડાવે ધર્મશાળાઓ બંધાવી. ( – ફાર્બસ, રાસમાળા, જેને ઐતિહાસિક રાસમાળા, ભા. ૧, નિવેદન – સામાલોચના પૃ૦ ૧૭, ૨૦) હિમાવસહી –– તેમણે સં. ૧૮૮૬ના મહા સુદિ ૫ ના રોજ શ્રી શત્રુંજયતીર્થ - માં હેમાભાઈ ની નવી ટ્રક બંધાવી. (શ્રી જિનવિજય સંપા. પ્રાચીન લેખસંગ્રહ ભા૦ ૨, લે. નં. ૫૮ ) તે ટ્રકમાં તેના વંશજોએ ઘણું જિનપ્રતિમાઓ ભરાવી છે. – (૧) નગરશેઠ હેમાભાઈના પુત્ર નગીનદાસભાઈની ભાર્યા ઈચ્છાવહુએ પિતાના પતિના શ્રેય માટે હિમાવસહી ટ્રકમાં ભગત શ્રી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ચંદ્રપ્રભની દેરી બનાવી. તેની ભટ્ટા. શ્રી શાંતિસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (ડબુલ્ડર, એપ્રિપાફિયા ઇડિક. ભા. ૨, પ્રક. ૬, ૯૦ નં૦ ૫૯, જિન સંપા. પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨, ૯૦ નં૦ ૫૯) (૨) અમદાવાદના વિશા ઓશવાલ શા મતીચંદ મલકચંદે હેમાભાઈની ટૂંકમાં શ્રી ચતુર્વિશતિ જિનપટ્ટની પ્રતિષ્ઠા કરાવી. (- જન સંપા. પ્રાચીન લેખસંગ્રહ ભા ૨, લે૦ નં. ૫૭) (૩) સં. ૧૮૮૯હ્ના વૈશાખ સુદિ ૧૩ને બુધવારે શેઠ વખતચંદની પુત્રી ઉજમબાઈએ ભગ0 શ્રી ધર્મનાથની દેરી બનાવી. તેની ભટ્ટા) શ્રી શાંતિસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ નાની દેરી પાંચ ભાયાના દેરાસર પાસે છે. (– જિન સંપાપ્રાલેસભા૨, ૯૦ નં૦ ૬૨) (૪) સં. ૧૮૮૯ના વૈશાખ સુદિ ૧૨ (૧૩)ને બુધવારે ઉજમબાઈ એ હેમાભાઈની ટૂકમાં હાકારવાળે શ્રી ચતુર્વિશતિજિનપટ્ટ બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (- જિન સંપા. પ્રા. જે. ૯૦ નં૦ ૬૨ અથવા ૬૭) (૫) શેઠ વખતચંદના પુત્ર શા૦ સૂર્યમલ, ભાર્યા પ્રધાન દેવી, – પ્રા. લે. સં૦ ભા-૨, લે. નં. ૬૩) (૬) શેઠ હેમાભાઈના મોટા પુત્ર નગીનદાસ, તેની ભાર્યા ઇરછાવહુ. નગીનદાસ નાનોભાઈ શાપ્રેમાભાઈ, ભાર્યા સાંકલીવહુ તથા નગીનદાસની બહેને રુકિમણી, પ્રસન્ન, મોતીકુંઅર, અને શેઠ હેમાભાઈ ની ભાર્યા કંકુવહુ તે સૌ શેઠ હેમાભાઈ, તેને પિતા વખતચંદ, માતા જડાવબાઈ અને દાદા ખુશાલચંદ એ સૌના શ્રેય માટે સં. ૧૮૮ન્ના વૈશાખ સુદિ ૩ ને બુધવારે શ્રી શત્રુંજયતીર્થમાં શેઠ હેમાભાઈની ટૂંકમાં તેમના શ્રેય માટે ચૌમુખજી બનાવી તેની ભટ્ટાશ્રી શાંતિસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. ( – પ્રા. જે. લે. ભા૨, લે. ન. ૬૫) Page #206 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [ ૧૬૫ (૭) શેઠ વખતચંદના પુત્ર શેઠ મોતીભાઈ, તેમના પુત્ર ફતેહભાઈની ભાર્યા ઉજળીબાઈ ( અપનામ – અચરતબાઈ)ના પુત્ર શેઠ ભગુભાઈ એ શેઠ હેમાભાઈની ટૂકમાં એક દેરી બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (પ્ર. લે. સં. ભા૦ ૨, લેટ નં૭૧) શેઠ હેમાભાઈના પુત્ર શેઠ પ્રેમાભાઈએ શેઠ હેમાભાઈની ટૂંકમાં ભગવ શ્રી અજિતનાથ જિનપ્રાસાદ બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી અને તેની દક્ષિણ દિશામાં શિલાલેખ બનાવી લગાવ્યો. નગરશેઠ હેમાભાઈએ કરેલાં પરોપકારનાં કાર્યોની નોંધ શેઠ હેમાભાઈએ ઘણું સાર્વજનિક સખાવતે કરી છે. (૧) અમદાવાદમાં અંગ્રેજી નિશાળ. (૨) હેમાભાઈ ઇન્સ્ટીટયૂટ નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને હોસ્પિટલ વગેરે પ્રજા-ઉપયોગી કામો તેમની સહાયથી થયાં છે. (૩) સં. ૧૯૦૪માં શરૂ થયેલી ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)ને સારી મદદ આપી હતી. (૪) ગુજરાત કોલેજ માટે ૧૦૦ ૦ દશહજાર રૂપિયાનું દાન. (૫) શહેર સુધરાઈ માટે સારી જહેમત ઉઠાવી. (૬) શ્રી શત્રુંજય ઉપર સવાત્રણ લાખ રૂપિયા ખરચી ઊજમ ફાઈની ટૂક, શ્રી નંદીશ્વરની ટૂક બંધાવી. (૭) પોતાની ટૂક સં. ૧૮૮૨માં બંધાવીને તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૬માં કરાવી. (૮) અમદાવાદથી પાલિતાણાના માર્ગ વચ્ચે આવતા પડામાં ઘર્મશાળાઓ બંધાવી. (૯) ગાયકવાડે રાંચરડા ગામ ઈનામમાં આપ્યું તેની ઊપજમાંથી અમુક રકમ ખોડાં ઢાર માટે કાઢી. (૧૦) સં. ૧૮૮૯ના વૈશાખ સુદિ ૧૩ ને બુધવારે જયતળેટીના બે કાળા હાથી ઉપર, વિસામાના ચિતરા ઉપર દેરી બનાવી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬] . જેન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ અને તેમાં ભાગ શ્રી આદિનાથનાં ચરણોની પાદુકાની પ્રતિષ્ઠા કરાવી. (– શત્રુંજય ફરમે, પૃ. ૬) (૧૧) શ્રી શત્રુંજય તીર્થના ચડાવમાં મકાખાડી અને હનુમાનની દેરી વચ્ચે જેઠાશાહને ચેતરો બનાવ્યો. ( શત્રુંજય ફરમે. પૃ૦ ૮, પ્રક. ૪પ, પૃ. ૩૪૪) નગરશેઠ હેમાભાઈનો પરિવાર – તેમને કંકુબાઈ નામે ધર્માત્મા પત્ની હતાં. (૧) પુત્ર નગીનદાસ – તે શેઠને નાને પુત્ર હતું. સંભવ છે કે તે સં૧૮૮૬-૮૯ પહેલાં મરણ પામ્યા હોય ! કેમકે તેની ભાર્યા ઈચ્છાવહુએ હિમાવસહીમાં તેના શ્રેય માટે ભગ શ્રી ચંદ્રપ્રભની દેરી બનાવી હતી. ( – પ્રા લેસં. ભા. , લેનં૫,૬૫) તેની પત્ની ઈચ્છાવહ ખૂબ ધાર્મિક વૃત્તિની હતી. તેણે પોતાના પતિની ભાવના અનુસાર વિ.સં. ૧૯૦૫–૧૦ લગભગમાં સાગરશાખાના ચતિવરને વિનંતી કરી શ્રી શત્રુંજયતીર્થનું મોટું વર્ણન (ફરમે ) તૈયાર કરાવ્યો હતો અને તેમાં પોતાના પતિ શેઠ નગીનભાઈ તથા ભત્રીજા મયાભાઈ ની પ્રેરણાથી આ ફરમે બન્યા એમ લખેલું છે. એવી સંભાવના છે કે, ઈચ્છાવહુએ શેઠ મયાભાઈને પિતાના બાળે બેસાડવાનો વિચાર હોય. (૨) પુત્ર પ્રેમાભાઈ, ભાય (૧) સાંકળીબેન, (૨) જીવકેરબાઈ. તેઓ શેઠ હેમાભાઈ પછી નગરશેઠ બન્યા. (૩) પુત્રી રુકિમણી (૪) પુત્રી પ્રસન્ન (૫) પુત્રી મેતીકુંઅર (– પ્રાજૈન લેલેનં૬૫) Page #208 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન રાજનગરના નગરશેઠે વશ [ ૧૬૭ -- ૯. નગરશેઠ પ્રેમાભાઈ — તે નગરશેઠ હેમાભાઈના નાના પુત્ર હતા. તેમને જીવકાર અને સાંકળીખાઈ નામે ભાર્યાં હતી. તેમના જન્મ વિ.સ. ૧૮૭૧ના કાર્તિક માસમાં થયા હતા અને સં. ૧૯૪૩ના આસે। વદ ૮ના રાજ સ્વર્ગવાસ થયા હતા. તેઓ શરૂઆતથી જ ખાાશ, કાર્ય વ્રુક્ષ, પ્રજાવત્સલ અને ધમ પ્રેમી હતા. તેઓ તપાગચ્છાધિરાજ પૂ॰ શ્રી મૂલચંદજી ગણીવરના અનન્ય ભક્ત હતા. તેમના સાધુપરિવારની સર્વ રીતે ભક્તિની વ્યવસ્થા કરતા. તેમના શિષ્યપરિવાર વધે તે માટે પણ સર્વ રીતે પ્રયત્નશીલ રહેતા. અને તે માટે મોટી રકમ વાપરતા. શેઠ પ્રેમાભાઈ એ ભારતના શ્વેતાંબર જૈન સંઘના આગેવાનાને મેળવી સં૰૧૯૩૬ના ભાદરવા વદ ૧ (તા. ૧૮-૯-૧૮૮૦ )ના રાજ મધ્યાહ્નકાળે પેાતાના વડામાં સની સંમતિથી પૂર્વ શ્રી મૂલચંદજી મહારાજ વગેરે ગીતાર્થાના ઉપદેશથી શ્રી શત્રુંજયતીના વહીવટી કારખાનાનું નામ સાધારણ રીતે આણુંદજી કલ્યાણજીની પેઢી હતું. તે અંગે આઠ ઠરાવા બનાવી તેનું લેાકશાહી પદ્ધતિએ એ નામ કાયમ રાખ્યું. પ્ર૪૦ ૪૪, પૃ૦ ૨૫૯.) નગરશેઠ પ્રેમાભાઈનાં ધર્મકાર્યો – - જી૦ ડબ્લ્યુ હેલા (કલેટર ) અને એ॰ ડબ્લ્યુ વાને (ન્યાયમૂર્તિ એ ) રાવખહાદુર નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ કરેલાં દાનાની નોંધ લીધી ને તે અંગ્રેજ સરકારને માકલી, એ દાનની વિગત આ પ્રકારે છે ૧. સન્ ૧૮૫૬માં હઠીસિંહ અને પ્રેમાભાઈ હૅાસ્પિટલ માટે ૨. ૨૨૧૫૦. ૨. સન્ ૧૮૫૭માં હેમાભાઈ ઇન્સ્ટીટયૂટ લાઈબ્રેરીને રૂ. ૭૦૦૦ ૩. સન્ ૧૮૫૭માં ગુજરાત કૉલેજના ફંડમાં રૂ. ૧૦૦૦૦, ૪. મુંબઈની ગ્રાંટ મેડિકલ કૉલેજમાં સુવ ણુચંદ્રક માટે રૂા. ૧૮૦૦ પ. સન્ ૧૮૬૩માં મુંબઈ ના વિકટારિયા મ્યુઝિયમ ક્રૂડમાં રૂા. ૧૩૫૦. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ૬. સન ૧૮૬૪માં મુંબઈના રાણીબાગ ફંડમાં રૂા. ૧૦૦૦૦. ૭. સન ૧૮૬૩-૬પના ના ત્રિવષી દુકાળમાં જનતાને ખૂબ મદદ કરી. ૮. વિ. સં. ૧૯૩૪ના દુકાળમાં જનતાને રૂા. ૨૦૦૦૦ની મદદ. ૯. ગુજરાત વર્નાકયુલર સેસાયટી ( ગુજરાત વિદ્યાસભા)ને રૂા. ૨૦૦૦. ૧૦. (૧) નરોડા, (૨) સરખેજ, (૩) બરવાળા, (૪) ગુંદી કેઠ, (૫) માતર, (૬) ઉમરાલા વગેરે સ્થળે ધર્મશાળાઓ બંધાવી તેમાં રૂ. ૯૭૩પનું દાન આ બધાં પ્રજા-ઉપયોગી કાર્યો કરવાથી તા. ૧-૧-૧૮૭૬ (વિ. સં. ૧૯૩૨)માં તેમને ઓનરેબલ “રાવબહાદુરને ખિતાબ મળ્યા. વળી, તેમણે સન્ ૧૮૫૬-૫૭માં અંગ્રેજ સરકારની ટપાલની સુંદર વ્યવસ્થા કરી હતી તેથી લૈર્ડ ક્લાઈવે નગરશેઠના કુટુંબને વિવિધ પ્રકારની સનદો આપી હતી. (જેને ઐતિહાસિક રાસમાળા ભાત સમા લયના પૃ. ૩૧, ૩૫) તેમના સમયે શ્રી શત્રુંજયના રખેપાની રકમ રૂા. ૧૦ થી ૧૫ હજારની નકકી થઈ. પાલિતાણાના ઠાકોરે તેમના ઉપર તૂટનું તહોમતનામું મૂકહ્યું હતું, પાલિતાણાના ઠાકોરે આ બાબત પોલિટિકલ એજંટ દ્વારા પોતાની થયેલી ભૂલની દિલગીરી દર્શાવી હતી. ( પ્રક. ૪૪, પૃ. ૧૫૧ ) તેઓ સં. ૧૯૪૩ના આ વદિ ૮ ના રોજ સ્વર્ગસ્થ થયા. (ફાર્બસ, રાસમાળા – પ્રસ્તાવના ) જકાતને બદલે ઉચ્ચક રકમ – અમદાવાદની નાગરિક પ્રજાએ નગરશેઠ વખતચંદના સમયથી નગરશેઠના કુટુંબને “જમાબંદી ઉપર દરસેંકડે ચાર આના આપવાનું નકકી કર્યું હતું. બ્રિટિશ સરકારે તા. ૨૫–૭–૧૯૨૦ ( વિ. સં. ૧૯૭૬-૭૭)ના રોજ તે બદલ ઉચ્ચક રકમ રૂા. ૨૧૩૩ બાંધી આપ્યા. એ રકમ દર સાલના મે મહિનાની પહેલી તારીખે આપવાનું નક્કી કર્યું. ચંદરવો –નગરશેઠ પ્રેમાભાઈએ સાગરશાખાના ભટ્ટારક શ્રી Page #210 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન | રાજનગરને નગરશેઠ વંશ [૧૬૯ શાંતિસાગરસૂરિ તથા સંવેગી ગીતાર્થ શ્રી મુક્તિવિજયજી ગણના લઘુ ગુરુભાઈ શ્રી આત્મારામજી મહારાજ અને શ્રી આણંદવિજયજી મન્ના ઉપદેશથી સં. ૧૯૪૧ના ફાગણ સુદિ ૫ ના રોજ રાજનગરમાં ઊજમફઈના જૂના ઝવેરાતના પૂઠિયાં, રૂમાલ, ચંદરવાનો જીર્ણોદ્ધાર કરાવી તેમાં સાચા મોતીનો શિલાલેખ ભરાવ્યા. અમદાવાદના જમાલપુરમાં શા ટેકરશી શાહના નામની પોળ છે, તેમાં જિન પ્રાસાદ પણ તેમણે બનાવેલું છે. તેના પૌત્ર ચાંપશી શાહ સં. ૧૬૭૭ના મહાસુદિ ૫ ના રોજ વિદ્યમાન હતા. શેઠ પ્રેમાભાઈએ તે જિનપ્રાસાદનો મોટો જીર્ણોદ્ધાર કરાવ્યો. અમદાવાદને જૈન સંઘ દર સાલ કાર્તિક સુદિ ૧૫ ના રોજ ત્યાં યાત્રા કરવા જાય છે, તે સિવાય દેરાસરની વર્ષગાંઠના દિવસે પણ કેટલાક ભક્તો યાત્રા કરે છે. શેઠ પ્રેમાભાઈએ વિસં. ૧૯૦૭ના માગશર માસમાં શ્રી શત્રુંજય તીર્થમાં સગાળપોળ ઉપર નવું મકાન બનાવી ત્યાં ટકરખાનું બેસાડયું. (- શત્રુંજય ફરમે, ૫૦ ૨૧૧) તેમ જ વિસં. ૧૯૧૦માં શ્રી શત્રુંજ્યતીર્થના ચડાવમાં માનમાડિયાની ઉપરના કરમતોડિયાની ઉપર વિસામે બનાવ્યો. (– શત્રુંજય ફરમ, પૃ ૮) નગરશેઠ પ્રેમાભાઈ વંશ –– તેમનું ગોત્ર કુંકુમરોલ, વંશ સિદિયા, જ્ઞાતિ ઓશવાલ, કુલદેવી – આશાપુરી, અને ક્ષેત્રપાલ – બરડી – તેને તેઓ પૂજતા હતા. વંશાવલી –– (૧) કુત્પત્તિ- રાજા સામંતસિંહ રાણા. (૨) પૌત્ર-કિરપાલ – આ૦ ધર્મઘોષસૂરિએ તેને જૈન બનાવ્યો. (૩) પુત્ર – હરપતિ જે. ૧૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ (૪) વાંછા (૫) શા૦ સહસ્ત્રકિરણ (૬) શેઠ શાંતિદાસ (૭) શેઠ લક્ષમીચંદ (૮) શેઠ ખુશાલચંદ, ભાર્યા ઝમકુબાઈ (૯) શેઠ વખતચંદ સાગરગછે (૧) ભઠ્ઠાશ્રી રાજસાગરસૂરિ, (૨) ભ૦ શ્રી વૃદ્ધિસાગરસૂરિ, (૩) ભ૦ શ્રી લક્ષમીસાગરસૂરિ, (૪) ભ૦ શ્રી કલ્યાણ સાગરસૂરિ, (૫) ભ. શ્રી પુણ્યસાગરસૂરિ, (૬) ભ૦ શ્રી ઉદયસાગરસૂરિ, (૭) ભ૦ શ્રી આનંદસાગરસૂરિ, (૮) ભ૦ શ્રી શાંતિસાગરસૂરિ (સં. ૧૯૦૫) (– પ્રોજૈ૦ લે ભા. ૨, ૯૦ નં૦ ૯૧, પત્રપર્યાલયન) (૮) સંવેગપક્ષી તપા. પં. શ્રી ખિમાવિજય શિષ્ય પં. શ્રી ધીરવિજય, તેમના શિષ્ય પં. શ્રી વીરવિજય, તેમના શિષ્ય શ્રી રંગવિજય ગણી. (—પ્રા. શૈલેભા. ૨, ૯૦ નં૦ ૧૦૨ ) નગરશેઠ પ્રેમાભાઈને પરિવાર -- (૧) મેટા ભાઈ નગીનભાઈ, ભાર્યા – ઈચ્છાકુમારી. (૨) બહેને – રુકિમણી, પ્રસન્ન, અને મોતીકું અર એમ ત્રણ બહેનો હતી. રુકિમણીને શેઠ હઠીસિંહ કેસરીસિંહ સાથે વિવાહ કર્યો હતો. (૩) પુત્રો – શેઠ પ્રેમાભાઈને ભાર્યા જીવર વહુથી ૧. શેઠ મયાભાઈ, ભાર્યા જેકેરબાઈ–મુક્તાબાઈ, ૨. શેઠ લાલભાઈ, ભાર્યા શણગારબેન, ૩. શેઠ મણિભાઈ, ભાર્યા મોહિનીકુમારી એમ ત્રણ પુત્રો હતા. તે પૈકીના શેઠ મણિભાઈ નગરશેઠ પણ બન્યા હતા. (૧૦) મોટા પુત્ર મયાભાઈ– તે નાનપણથી જ શરીરે અશક્ત હતું અને આત્મચિંતનમાં મગ્ન હતા. આથી વ્યવહાર, સામાજિક કાર્યો કે ધર્મકાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લેતો ન હતો. આથી પિતાના મરણ પછી તે નગરશેઠ ન બન્યો. Page #212 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૭૧ તેમને મુક્તાબાઈ નામે પત્ની હતી. તેનું બીજું નામ કદાચ જેકેરબાઈ હોય. તે અત્યારે મુક્તાબાઈના નામથી પ્રસિદ્ધ છે, તે નિશ્ચયનય તરફી વલણવાળાં હતાં આથી ભટ્ટાશ્રી શાંતિસાગરસૂરિથી પ્રભાવિત હતાં. હવે શ્રી રાયચંદ મતના અનુયાયી છે. અમદાવાદમાં રાયમતના પક્ષે તે આગેવાનીભર્યો ભાગ લે છે. (૧૧) શેઠ વિમળભાઈ અને શેઠ સારાભાઈ – શેઠ મયાભાઈને ૧. વિમળભાઈ અને ૨. સારાભાઈ એમ બે પુત્ર અને નિર્મળાબહેન નામે પુત્રી હતી. બંને પુત્ર રવભાવે શાંત, સરળ, માતૃભક્ત અને આપસમાં અત્યંત પ્રેમવાળા હતા. પુત્ર-પૌત્રો કાલે જુદા થાય પણ બંને ભાઈઓની જેડી સાથે જ રહે એવો પ્રેમ હતો. શેઠ વિમળભાઈ શેઠ પ્રેમાભાઈના મોટા પુત્ર છે. નગરશેઠ તે જ બને પણ ઉંમર નાની હોવાથી શેઠ પ્રેમાભાઈ પછી શેઠ ચીમનલાલ લાલભાઈ, શંઠ મણિભાઈ પ્રેમાભાઈ, તથા કસ્તૂરભાઈ મણિભાઈ નગરશેઠ તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ બન્યા. હાલમાં શેઠ વિમલભાઈ નગરશેઠ છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ શેઠ કસ્તૂરભાઈ મણિભાઈ છે ને તેમની વિદ્યમાનતામાં શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ પ્રમુખ છે. શેઠ લાલભાઈ દલપતભાઈ અને ચીમનલાલ લાલભાઈ શેઠ મણિભાઈ પ્રેમચંદનું જે બહુમાન કરતા હતા તેવું જ બહુમાન કસ્તૂરભાઈ લાલભાઈ પણ શેઠ વિમલભાઈ મણિભાઈનું કરે છે. બંને વચ્ચે ગાઢ પ્રેમ છે, સંઘના કામમાં બંને એકમત બની નિર્ણય કરે છે. શેઠ વિમલભાઈનાં ધર્મપત્ની લલિતાબહેન ધર્મપ્રેમી, સરલ અને વિવેકી છે. નગરશેઠના સાત્રિી મહારાજના ઉપાશ્રયનાં અધ્યક્ષ છે. શેઠ સારાભાઈનાં પત્ની મધુબેન પણ સરલ અને ધર્મપ્રેમી છે. તેમને વંશવિસ્તાર આ પ્રકારે છે. – (૧૧) શેઠ સારાભાઈ, ભાય મધુબહેન. (૧૨) શ્રી. વિનોદભાઈ, ભાર્યા વંદના, પુત્ર દીપક, પુત્રી બ્રહ્મ. (૧૦) બીજે પુત્ર શેઠ લાલભાઈ– તે શેઠ પ્રેમાભાઈના બીજા પુત્ર હતા. તેમને શણગારદેવી નામે પગી હતાં. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણુ ―― (૧૧) શેઠ ચીમનભાઈ - શેઠ લાલભાઈ ને ચીમનભાઈ નામે પુત્ર હતા. તેના જન્મ સને ૧૮૮૪(વિ૰સ ૧૯૪૦)માં થયા હતા, અને મૃત્યુ તા. ૨૧-૮-૧૯૧૨ ના રાજ ૨૬ વર્ષની ઉંમરે થયું હતું. તે બહુ બુદ્ધિશાલી, ચતુર, કાર્યદક્ષ, પ્રજાવત્સલ અને પરગજુ સ્વભાવના હતા. નગરશેઠ મણિભાઈ પ્રેમચંદના મરણ પછી ખીજા પુત્ર તરીકે તે નગરશેઠ અન્યા. શેઠ આણુંઢજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ બન્યા, તેમના મરણ પામ્યા પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તેમના શોકના ઠરાવ કર્યાં હતા. (– જૈન ઐ૦ રાસમાલા સમાલેાચના, પૃ૦ ૨૪) વૃદ્ધો કહે છે કે, એકવાર અંગ્રેજ સરકારના કાઈ નવા ટૅક્ષના કારણે અમદાવાદમાં મેાટી હડતાલ પડી. અમઢાવાદના કમિશ્નરે શઠ ચીમનલાલ લાલભાઈ ને સાથે લઈ દુકાને દુકાને ફરીને દુકાના ખાલાવી પણ બંને જણ આગળ વધે કે તરત જ પાછળ દુકાના બંધ થાય. એમ આખા બજારની દુકાના ઊઘડી અને બંધ થઈ. કમિશ્નર કહે કે આમ કેમ બને છે? શઠે જણાવ્યું કે પ્રજાનું મન સંતાષા તા જ હડતાલ મટે. બળજબરી કે શરમાશરમીથી કામ નહીં અને. કમિશ્નરે તરત જ પ્રજાની માગણી સ્વીકારી. ખજારા ખુલ્લાં થયાં. શેઠ ચીમનલાલ લાલભાઈ, આ રીતે રાજમાન્ય અને પ્રજાવત્સલ હતા. તેમનાં પત્ની મહાલક્ષ્મીબેન ધ સંસ્કારી હતાં, ઉદાર, પ્રજાવત્સલ અને પરોપકારી હતાં. કાઈ પણ માગણુ તેમના ઘેરથી પાછા જતા નહીં. તે હતાં ત્યાં સુધી નગરશેઠના વડામાં ચારે સઘા અવારનવાર આવતા-જતા. તેમણે મુશ્કેલીના પ્રસગે શેઠની મારકીટ બીજી માટી રકમની લાલચ છેાડીને શ્રીસંઘના આય બિલખાતામાં ઓછી કિંમતે આપી દીધી. આ બિલશાળા સધ્ધર બની, તેમણે પાતાના પિયરના બાબાસાહેબને દત્તક લીધા. (૧૧) શેઠ ચીમનલાલ, ભાર્યા મહાલક્ષ્મીબહેન. (૧૨) શેઠ બાબાસાહેબ, ભાર્યા પ્રભાબહેન. (૧૩) શ્રી સૂર્યાંકાંત, ભાર્યા સૂબાળા, શ્રી નીતિન, ભાર્યાં ભાઉ, શ્રી મંગળ, શ્રી સુવર્ણ જીત. . . Page #214 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરનો નગરશેઠ વંશ [૧૭૩ (૧૦) શેઠ મણિભાઈ – તે નગરશેઠ પ્રેમાભાઈને ત્રીજે નાને પુત્ર હતો. તેને માહિની નામે ભાર્યા હતી. તેમને (૧) કસ્તૂરભાઈ (૨) ઉમાભાઈ એમ બે પુત્રો હતા. ઉમાભાઈના જીવનને મોટા ભાગ તેમણે હિંદ બહાર વિતાવ્યા છે. તેમનો જન્મ સને ૧૮૬૩ (વિ. સં. ૧૯૨૦–૨૧)માં થયો હતો અને તેઓ બે વાર અમદાવાદની નગરપાલિકાના અધ્યક્ષ બન્યા હતા. તેમને બબી નામે પુત્રી છે. (૧૧) શેઠ કસ્તૂરભાઈ – તે બહુ બાહોશ, કાર્યદક્ષ અને ચતુર હતા. આ. શ્રી વિજયનેમિસૂરિના ભક્ત હતા. તેમણે જૈન સંઘના કેટલાક જરૂરી પ્રશ્નોની વિચારણા માટે વિનંતી કરી સં. ૧૯૯૧માં અખિલ ભારતવર્ષીય જૈન સાધુ સમેલન ભર્યું. તે સંમેલને કેટલાક ઠરાવ કરી ચર્ચાને પ્રશ્નોને શાંત કર્યા. સં. ૨૦૦૪ના પિષ વદિ ૩ ના રોજ એમનું મૃત્યુ થયું. એમના પછી શેઠ પ્રેમાભાઈના પત્ર શેઠ વિમળભાઈ નગરશેઠ બન્યા. (- ફાર્બસ, “રાસમાળા'- પ્રસ્તાવના) તેમનાં પત્ની માણેકબેન અમદાવાદનાં સુપ્રસિદ્ધ આગેવાન, દયાપ્રેમી, વિદ્યાપ્રેમી હતાં. શેઠ મેહનલાલ મગનલાલનાં પુત્રી હતી. તેઓ સુશીલ, વિવેકી, કાર્યદક્ષ અને ધર્મપ્રેમી હતાં. તેમને આંતરડાનું દર્દ હતું ને મરણ પામ્યાં. મૃત્યુના દિવસે આ ગ્રંથલેખક શ્રી દર્શનવિજયને ફળ વહોરાવી શુભ ભાવથી નવકાર ગણતાં સ્વર્ગસ્થ થયાં. તેમને ૧. પ્રિયકાંત; ૨. અરુણ અને ૩. જગદીશ એમ ત્રણ પુત્રો અને ૧ પ્રિયંવદા, ૨ પ્રમીલા અને ૩ ઈલા એમ ત્રણ પુત્રીઓ હતી. તે સૌ વિદ્યાવ્યાસંગી અને ધર્મપ્રેમી હતાં. એમની પરંપરા આ પ્રકારે છે – (૧૧) શેઠ કસ્તૂરભાઈ, ભાર્યા માણેકબેન. (૧૨) નગરશેઠ પ્રિયકાંત બાર-એટ-લેં. વિદ્યમાન છે. (૧૨) જગદીશભાઈ, ભાર્યા સુનીતા. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] જૈન પર પરાના ઈતિહાસ ( ૧૩) પુત્ર ધીમંત, પુત્રી દક્ષા ( ( ૧૦ ) શેઠ મયાભાઈ ( ૧૧ ) નગરશેઠ વિમળભાઈ ( ૧૨ ) શેઠ અરવિંદ્યભાઈ (- પટ્ટા૦ સમુચ્ચય ભા. ૨. પૃ૦ ૨૧૭ થી ૨૧૯) [પ્રકરણુ જગતશેઠના વંશ વિક્રમની અઢારમી સદીના મધ્યકાળથી મુર્શિદાબાદમાં જગતશેઠના વશ શરૂ થયેા છે જેના ટૂંકા ઇતિહાસ આ પ્રમાણે છે. ૧. શેઠ હીરાચંદ– તે નાગારના વેપારી હતા. શ્વેતાંબર જૈન હતા. નાગારીગચ્છના કાઈ ભટ્ટારકના આશીર્વાદ લઈ તે પટણા જઈ વસ્યા ત્યારે પટણા કપાસ, સરસવ, એરંડા, નીલ, મીઠું' વગેરે વસ્તુઓનું વેપારી મથક હતું. શેઠને શરૂઆતમાં કઈ લાભ થયા નહીં પણ તેને એક વૃદ્ધાની સેવા કરવાથી તેની પાસેનું પુષ્કળ ધન પ્રાપ્ત થયું. આથી શેઠે પટણામાં પેઢી ખેાલી. તેને ગેારધન, સદાનંદ, રૂપચંદ્ય, મલુકચંદ્ર, અમીનચંદ, જ્ઞાનચંદ અને માણેકચંદ એમ સાત પુત્રો તથા ધનબાઈ નામે પુત્રી હતી. શેઠે પુત્રા માટે સાત પેઢીએ સ્થાપન કરી. તે પછી તે સ્વર્ગવાસી થયેા.૧ ૧. દિલ્હીના બાદશાહો – ( ૧૧) રંગઝેબ ( મૃત્યુ ઈસ૦ ૧૭૦૭), (૧૨) પુત્ર બહાદુરશાહઆલમ ( મૃત્યુ ઈન્સ૦ ૧૭૧૨ ), ( ૧૩ ) પુત્ર જહાંદર (મૃ. ઈ.સ. ૧૭૧૨ ), (૧૪) જહાંદર-ભત્રીજો ક્રૂરુખશિયર (મૃ. ઈસ. ૧૭૧૯ ), (૧૫) શાહનઢા રફીઉદરાત ( મૃ. ઈ. સ. ૧૭૧૯)(૧૬) ફ્રીઉદ્દોલા ( મૃ. ઈ. સ. ૧૯૧૯), (૧૭) મહમુદશાહ (મૃ. ઈ. સ. ૧૭૪૮), ( ૧૮ ) પુત્ર અહમ્મદ ( મૃ. ઈ.સ. ૧૭૫૪ ), (૧૯) જહાંદરના બીન્ને પુત્ર આલમશાહ બીજો ( મુ ઈ. સ. ૧૭૫૯), (૨૦) શાહજહાં બીજો ( મૃ. ઈ. સ. ૧૭૫૯ ), (૨૧) આલમશાહ ત્રીજો ( મૃ. ઈ. સ. ૧૮૦૬), (૨૨) અક્બરશાહ ( મૃત્યુ ઈ. સ. ૧૮૩૭) ઈ.સ. ૧૭૩૮માં નાદિરશાહે હિંદુ પર ચડાઈ કરી ચકલીજખાંએ (આસફશાહે ) નિઝામ રાજ્યની થાપના કરી. ખા૦ આલમે ગ્રંન્નેનુ ૨૬૦૦૦૦૦ છવ્વીસ લાખનુ પેન્શન લઈ અલાહાબાદમાં વાસ કર્યો, બા૦ અકબરનું ઈ.સ. ૧૮૫૭માં પેન્શન બંધ થયું. ( - પ્રક૦૪૪ મેાગલવશ, પૃ૦૧૦૩થી૧૧૧, મગાળના નવાબવશ, પૃ. ૧૫૨થી ૧૫૯, બ્રિટિશ જનરલા પ્રક૦૪૪, પૃ ૧૧ થી ૧૬૫) Page #216 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [ ૧૭૫ ૨. શેઠ માણેકચંદ– તે શેઠ હીરાચંદનો સાતમો પુત્ર હતો. બંગાળની ગાદી ગૌડ, ટાંડા, રાજમહેલ અને ઢાકામાં ફરી ફરીને મુર્શિદાબાદમાં આવી. ઈસ્લામખાંએ સં. ૧૬૬૪માં ઢાકામાં એ સ્થાપના કરી હતી. પછી શાહજહાંને પુત્ર સૂજા મીર જુમલા અને સાએતખાંએ પણ ફેરવી ફેરવીને ઢાકામાં સ્થાપન કરી. એક બ્રાહ્મણનો પુત્ર પારસી પાસે દાસ તરીકે વેચાયો. પારસમાં ગયો. મુસલમાન બની મુશદકુલી જફરખાં નામ રાખી ઔરંગઝેબના સમયે દીવાન બની હિંદમાં આવ્ય, ઈસ. ૧૭૦૧ (વિ.સં. ૧૭૫૭)માં બંગાળને દીવાન બન્યો. તે અને શેઠ માણેકચંદ મિત્ર બન્યા. મુર્શિદ ઔરંગઝેબના પત્ર આજિમ ઓસમાન સૂબાના કાવતરાથી બચીને મકસુદાબાદ જઈ રહ્યો. તેણે મકસુદાબાદને મુર્શિદાબાદ નામ આપ્યું. શેઠ માણેકચંદને અહીં લાવીને વસાવ્યો. શેઠે સં૦ ૧૭૫૯માં મહિમાપુરમાં કઠી સ્થાપી. મુશિદખાં બંગાળનો દીવાન હતો. બંગાળ-ઉડિસાને નાયબ નાજીમ બન્યો અને સમ્રાટ પાસેથી ખિતાબ મેળવી નવાબ બન્યા. તેણે શેઠ પાસે સં. ૧૭૬રમાં મહિમાપુર પાસે ગંગાકિનારે ટંકશાળ ખેલાવી, તેના અધ્યક્ષ તરીકે શેઠની નિમણૂક કરી. લંડન કંપની તથા ઇગ્લિશ કંપનીએ આપસને વિરોધ છેડી ઈસ્ટ ઇડિયા કંપની સ્થાપના કરી. તેણે પણ પોતાની પ્રવૃત્તિ જમાવવા પ્રયત્ન આરંભ્યો. મુશિંદખાને રૂ. ૨૫ ૦૦–પચીસ હજાર આપી શેઠની ટંકશાળમાં પોતાની મુદ્રાઓ ઢાળવાનું શરૂ કર્યું અને સં. ૧૮૧૪માં કલકત્તામાં પોતાની સ્વતંત્ર ટંકશાળ સ્થાપી. આ પરિસ્થિતિમાં શેઠની ટંકશાળ અને સમગ્ર હિંદની બીજી ટંકશાળા બંધ પડી. શેઠની ટંકશાળમાં શાહ આલમના સિક્કાઓ ઢળ્યા. આ ટંકશાળમાં ઈ. સ. ૧૭૨૮માં રૂ. ૩૦૪૧૦૩ની આવક થઈ. મુર્શિદેખાં દર સાલ રૂા. ૧,૩,૦૦૦૦૦૦–એક કરોડ ત્રીસ લાખ દિલ્હી મોકલતો હતો. શેઠે દિલ્હીમાં દુકાન રાખી હતી. શેઠ હુંડિયામણથી આ રકમ તથા જમીનદારોની રકમ સરળતાથી મોકલી શકતો હતો. આથી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ દિલ્હી અને મુર્શિદાબાદ વચ્ચે સંબંધ મજબૂત થયે હતો. બાદશાહ ફરુખશિયર (ઈ.સ. ૧૭૧૩ થી ૧૭૧૯ ), મુર્શિદખાં અને શેઠ એ ત્રિપુટીમાં પ્રેમ વધતે ગયે. બાદશાહ ફરુખશિયરે નવાબના આગ્રહથી ઈ.સ. ૧૭૧૫ (જુલસી સન ૩, હી. સં. ૧૨૨૭, જિહજની તા. ૮, વિ. સં. ૧૭૭૧)માં શેઠ માણેકચંદને શેઠની પદવી આપી. મણિથી મઢેલી “શેઠ” અક્ષરોવાળી મહાર આપી અને ફરમાન લખી આપ્યું. આ દિવસથી “જગતશેઠવંશ ”ની શરૂઆત થઈ. (મે ફરમાન નં. ૨૨) નવાબને શેઠ ઉપર ઘણે વિશ્વાસ હતો. તેણે તેને ત્યાં પોતાના પાંચ કરોડ રૂપિયા રાખ્યા હતા. તે તેની સલાહ પ્રમાણે રાજવ્યવસ્થા ચલાવતો હતે. શેઠને ઈ.સ. ૧૭૨૨ (વિ. સં. ૧૭૨૮)માં રવર્ગવાસ થયે. તેને સંતાન નહોતું. તેનો સ્મૃતિસ્તંભ મહિમાપુરના મયાબાગમાં હતો, જે ગંગાના વહેણમાં તણાઈ જઈ નાશ પામ્યો. ૩. જગત શેઠ ફત્તેહચંદ– શેઠ માણેકચંદને કંઈ સંતાન નહોતું. તેણે દિલ્હીની પેઢીમાં બનારસના શેઠ ઉત્તમચંદ અને પિતાની બહેન ધનાબાઈના પુત્ર ફત્તેહચંદને મુનીમ તરીકે રાખ્યો હતો. તે બુદ્ધિમાન અને કાર્યદક્ષ હતો. મામાના ખેાળે આવ્યો હતો. બાદશાહ ફરુખશિયરે મુનીમ ફત્તેચંદ પાસેથી ઘણીવાર મોટી મોટી રકમની મદદ લીધી હતી. આથી તેણે શેઠ માણેકચંદને શેઠની પદવી આપી હતી અને બાદશાહ મહમ્મદે ઈ.સ. ૧૭૨૨ અથવા ૧૭૨૪ (જુલસી સન ૪, રજબ મહિનાની તા. ૧૨મી, વિ. સં. ૧૭૭૯ અથવા ૧૭૮૧)માં શેઠ ફત્તેચંદને જગતશેઠની પદવી આપી અને ફરમાન લખી આપ્યું ને શિરપાવ આપ્યો. બાદશાહ શેઠને નવાબ બનાવવા ચાહતો હતો પણુ જગતશેઠે તે પદ મુર્શિદકુલીને જ યોગ્ય છે એમ કહી નવાબ બનવા ઈન્કાર કરી દીધો હતો. આથી નવાબને પ્રેમ શેઠ ઉપર ખૂબ વધ્યો. નવાબને બિહારનું પણ શાસન મળ્યું. મુશિદકુલીખાં ઈ.સ. ૧૭૨પમાં મરણ પામ્યા. નવાબ સરફ – તે દરસાલ દોઢ કરોડ રૂપિયા દિલ્હી મોકલતે હતો. તેણે જગતશેઠ તથા તેના પુત્ર રાય રાયાજી આલમચંદની સલાહથી જમીનદારો અને ખેડૂતોને સુખી કર્યા. આ સમયે જગતશેઠ ધનકુબેર મનાતો હતો. નવાબ સરફ વિષયી અને લેભી હતે. Page #218 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૭૭ પ્રજાપ્રિય નહોતો. તેના અંતપુરમાં દોઢ હજાર સ્ત્રીઓ હતી. આ નવાબ અને જગતશેઠ વચ્ચે મત્રી જામી જ નહીં. અલીવદખાંએ નવાબ સરફને મારી નાખ્યો. નવાબ અલીવદીખાં : –– નવાબ સરફ પછી અલીવદીખાં નવાબ બન્યો. તે સ્વભાવે મીઠે અને પ્રજાપ્રેમી હતા. જગતશેઠને તે પરમ મિત્ર હતો. તે બંગાળનો અકબર” કહેવાતો હતો. આ સમયે બંગાળમાં આંતરવિગ્રહ ખૂબ ચાલ્યો, મરાઠા અને અફઘાને પણ ચડી આવ્યા, મરાઠા સેનાપતિ ભાસ્કરપતે દરખાન બાળ્યું, મુર્શિદાબાદ લૂંટયું. તેના મીર હબીબે મહિમપુર લૂંટયું, તેણે જગતશેઠની ગાદીમાંથી ૨ કરોડ એકસરખી આર્કટ મુદ્રાઓ લૂંટી લીધી. આ સમયે બંગાળમાં એવી લકખ્યાતિ હતી કે, “જગત શેઠ ધારે તો ગંગાને પુલ માત્ર પોતાના રૂપિયાથી જ બાંધી શકે.” ભાસ્કરપંત ફરીથી જ્યારે લૂંટવા આવ્યો ત્યારે અલીવદીખાંએ તેને વિશ્વાસથી ફસાવી મારી નાખ્યો. જગતશેઠ ફત્તેહચંદ ઈ.સ. ૧૭૪૪ (વિ. સં. ૧૮૬૦)માં સ્વર્ગસ્થ થયો ત્યારે અલીવદખાને ઘણું દુઃખ થયું, શેઠ ફત્તેહચંદને ૧. આનંદચંદ, ૨. મયાચંદ અને ૩. મહાચંદ એમ ત્રણ પુત્રો હતા. તે સૌ વિ. સં. ૧૮૦૦ પહેલાં સ્વર્ગવાસી થયા હતા. ૪. જગત શેઠ મહતાબચંદ – શેઠ ફત્તેહચંદને પત્ર મહતાબચંદ નામે હતો. તેણે દાદાને બધે કારભાર માથે ઉપાડી લીધો. બાદશાહ અહમદે ઈસ. ૧૭૪૮ (જુલસી સન ૧, જિ-કાદ મહિનાની તા. ૨, ૩; વિ.સં. ૧૮૦૫)ના વિશાખ સુદિમાં શાહ મહતાબચંદને શેઠની પદવી આપી ફરમાન લખી આપ્યું અને એ જ વર્ષમાં અષાડ માસમાં તેને જગતશેઠની પદવી આપી મહોર બક્ષિસ કરી અને શિરપાવ આપ્યો તેમજ ફરમાન પણ લખી આપ્યું. સ્વરૂપચંદને મહારાજાની પદવી આપી. અને તે જ દિવસે સિરાજ ઉદ્દૌલાને બંગાળનો નવાબ બનાવ્યો પણ શિરાજને કુટુંબ પરિવાર તેના વિરોધમાં હતો. નવાબ શિરાજ અંગ્રેજોનો કટ્ટર શત્રુ હતો. કલકત્તાના કિલ્લા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ અંગે અંગ્રેજો સાથે ઝઘડો ઊઠયા બાદ તે જૂના અમલદારે અને જગતશેઠ ઉપર શંકાશીલ બન્યા. સિયદ સૌકતને નવાબની સનદ મળતાં શિરાજે જગતશેઠને દોષિત ઠરાવી કેદમાં પૂર્યો અને પછીથી છેડ્યો, લોર્ડ કલાઈવે નવાબને સમજાવવા શેઠને પત્ર લખ્યો હતો. શેઠે તેને દેશાભિમાનવાળે ઉત્તર આપ્યો હતો. જગતશેઠના માણસે કલકત્તા જઈ તા. ૯-૨–૧૭૫૭માં ઈસ્ટ ઇંડિયા કંપની અને નવાબ વચ્ચે સંધિ કરાવી, જેમાં કંપનીને જમીન ખરીદવા, ટંકશાળ ખોલવા, પિતાને સિક્કા પડાવવા વગેરેના હક્કો મળ્યા હતા. એકવાર કંપની અને નવાબ વચ્ચે મૈત્રી થઈ અને તૂટી ગઈ. નવાબ શેઠને પજવતો હતો. નવાબ ચંચળ સ્વભાવનો હતો. જગતશેઠના મહેલમાં મીર ઝાફર, ઘસીટા બેગમ, રાજા રાજવવભ, રાજારામ નારાયણ, રાજા મહેન્દ્ર, રાજા કૃષ્ણચંદ્ર વગેરે રાજા તથા જમીનદારોની એક ગુપ્ત મંત્રણા થઈ, જેમાં સૌ પ્રથમ હિંદુ રાજા બનાવવાનો નિર્ણય થયે, પણ ઠરાવ ઊડી ગયા. રાજા કૃષ્ણચંદ્ર મીર ઝાફરની મદદ લેવી, જરૂર પડે તે કંપનીની પણ મદદ લેવી પણ શિરાજને તો હઠાવવો જ એવો ઠરાવ મૂક્યો. એ ઠરાવ સૌએ મંજૂર કર્યો. કલાઈવે આ જાણીને યુદ્ધની તૈયારી કરી. પરિણામે પ્લાસીનું યુદ્ધ થયું. સિરાજ ભાગી ગયે. તે દાનાશાહ નામે ફકીર બન્યો. યુક્તિથી પકડાયે અને મુર્શિદાબાદમાં તેનો વધ થયો. ઈસ ૧૭૫૭માં તેને પ્રેરણબાગમાં દફનાવવામાં આવ્યો. આ ઘટના જગતશેઠના કલંકરૂપ બની ગઈ લેખાય છે. મીર ઝાફર નવાબે ખજાને ખાલી થવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પિતાની ટંકશાળમાં લાભ ન થવાથી ધનની તંગીમાં જગતશેઠ પાસેથી લખે: રૂપિયાની રકમ લીધી હતી, પરંતુ હવે તે નવાબ પણ જગતશેઠ ઉપર વહેમની નજરે જેવા લાગ્યો. જગતશેઠ અને મહારાજા સ્વરૂપચંદ હવે ધર્મનું આરાધન કરવું એ ઉદ્દેશથી સમેતશિખર તીર્થમાં જઈને રહ્યા. બાદશાહ અહમદશાહે (ઈસ ૧૭૪૮ થી ૧૭૫૪) ઈસ Page #220 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [ ૧૭૮ ૧૭૫૨ (જુલસી સન્ ૫, હીટ સં૦ ૧૧૬૫, વિસં. ૧૮૦૯)માં જગત શેઠ મહતાબચંદને સમેતશિખર, મધુવન, કેઠી, જયપારા નાળું, પ્રાચીન નાળું, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન અને પારસનાથ પહાડ ભેટ આપ્યો. (જૈન તીર્થોને ઈતિહાસ.) જગતશેડની ભાવના હતી કે, સમેતશિખર મહાતીર્થનાં મંદિરોને જીર્ણોદ્ધાર કર. એવામાં તપગચ્છના પં. શ્રી દેવવિજયજી ગણી સમેતશિખર તીર્થની યાત્રા માટે ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી જગતશેઠે આ મહાતીર્થનો મેટા ઉદ્ધાર કરાવવાનો વિચાર કર્યો. પિતાના સાત પુત્રો તથા સમગ્ર પરિવારને તીર્થમાં તેઓ લઈ આવ્યા. સૌની સમ્મતિ સાથે મેટો ઉદ્ધાર કરવા તથા મધુવનમાં નવાં જિનાલય બંધાવવાને નિર્ણય લઈ લીધો. શેઠે આ કામ જેસલમેરની પેઢીના મુનીમ મૂળચંદજી તથા પોતાના ચેથા પુત્ર સુગાળશાને સેપ્યું અને જીર્ણોદ્ધારને આરંભ કર્યો. બાદશાહ જહાંદરનો બીજો પુત્ર બાદશાહ આલમગીર બીજે (ઈન્સ૦ ૧૭૫૪ થી ૧૭૫૯ ) જેનું બીજું નામ અબુઅલીખાન બહાદુર હતું તેણે ઈ.સ. ૧૭૫૫ (જુલસી સન્ ૨૦ હીટ સ. ૧૧૬૮, વિસં. ૧૮૧૨ના જેઠ સુદિ ૧૨ થી સં. ૧૮૨૬ના મહા સુદિ ૧૦ સુધી) પાલગંજ પારસનાથ પહાડને કરમુક્ત જાહેર કર્યો એટલે વેઠવે, લાગાન, જકાત, મૂંડકાવેરો વગેરે માફ કર્યા. જગતશેઠ વગેરે ઘણા મહિનાઓ સુધી ત્યાં રોકાયા હતા એટલે નવાબને વહેમ પડ્યો કે જગતશેઠ યાત્રાનું બહાનું કરીને બાદશાહ આલમને મળવા ગયા છે. કદાચ મારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હોય. નવાબે આ વહેમથી જગતશેઠને તાકીદથી મુશીદાબાદ બોલાવ્યા. પણ નવાબને સાચી વાત જાણવામાં આવી ત્યારે તેમનો વહેમ નીકળી ગયા. નવાબ અને શેઠ વચ્ચે ફરી મૈત્રીસંબંધ બંધાય. મીર કાસીમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદ લઈ મીર ઝાફરને હઠાવી બંગાળનો નવાબ બન્યા. હવે જગતશેઠે રાજકારણમાં ભાગ લેવાનું બંધ કર્યું અને પોતાના સાત પુત્રને રાજખટપટથી દૂર રાખવા જુદાં જુદાં શહેરોમાં સાત પેઢીઓ લાવી ત્યાં બેસાડી દીધા, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને મીર કાસીમ વચ્ચે ગિરિયામાં યુદ્ધ થયું, તેમાં મીર કાસીમ હાર્યો. આથી મીર કાસીમે ગુસ્સે થઈ સંભ્રાંત બની જગતશેઠ, મહારાજ વગેરેને મરાવી નાખ્યા. ને શેઠના ઘરબાર, માલમિલકત અને પેઢી વગેરે લૂંટી લીધાં, મીર કાસીમ પણ સૂજા સાથેના યુદ્ધમાં હાર પામતાં ફકીર બની દિલ્હી ચાલ્યો ગયે ને ત્યાં જ મરણ પામે. જગત શેઠ મહતાબરાયને ૧. ખુશાલચંદ, ૨. ગુલાબચંદ, ૩. સમીરચંદ અને ૪. સુખલાલ એમ ચાર પુત્રો હયાત હતા. મહારાજા સ્વરૂપચંદને ૧. ઉદયચંદ, ૨. અભયચંદ અને ૩. મિહિરચંદ એમ ત્રણ પુત્રો હતા. શેઠ સુખલાલનું બીજું નામ સુગાલચંદ પણ મળે છે. આ સમયે નવાબ શિરાજ, મીર ઝાફર, મીર કાસીમ કે સૂજાના શાસનકાળમાં સાહસી બાબુ મેઘરાજની તથા નવાબજાદીની એક રોમાંચક ઘટના બની હતી. બાબુ મેઘરાજ – નવાબે અને જગતશેઠના અણબનાવનાં બીજાં ગમે તે કારણો હોય પણ બાબુ મેઘરાજની ઘટના પણ તેના એક કારણરૂપે હોય. અજિમગંજ અને મુશદાબાદના વૃદ્ધો કહે છે કે, “નવાબને રાજમહેલ નદીકિનારે હતે. નાના મહેલના ઝરૂખા નદી તરફ પડતા હતા. ઝનાનાની સ્ત્રીઓ નદીના પ્રશાંત જળ અને તેમાં સ્નાન કરતાં સ્ત્રી-પુરુષોને જોતી રહેતી. બાબુ મેઘરાજ નામનો એક ઓશવાળ જૈન યુવાન હમેશાં નદીના રસ્તે થઈ ગંગાનદીમાં સ્નાન કરવા જતો. મેઘરાજ કસરતબાજ, દેખાવડો અને અમેઘ બાણાવલી હતો. એક દિવસે તે રોજની આદત મુજબ એ રસ્તે થઈ નાન કરવા જતો હતો ત્યારે રસ્તામાં એણે એક લીલા રંગની નવી ચૂંદડી પડેલી જોઈ. મેઘરાજે ઊંચે જોયું તો સામે ઝરૂખામાં એક ફૂટડી નવયૌવના શાહજાદી જોઈ રહી હતી. મેઘરાજે તે ચૂંદડી બાણ ઉપર ચડાવી તેના ઝરૂખામાં પહોંચાડી દીધી. શાહજાદીએ કુરનિસ બજાવી હસીને તેના પર એક ફૂલ ફેંકયું. Page #222 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૮૧ મેઘરાજે તે કૂલ છાતીએ દબાવી, આંખે અડાડી પોતાની સાથે લીધું અને તે રસ્તે થઈ ઘેર ગયે. પછી તે મેઘરાજ હમેશાં નાહીને પાછો વળે ત્યારે શાહજાદી તેના ઉપર ફૂલ વરસાવતી અને મેઘરાજ ફૂલને સકારી હસતો હિસતો ચાલ્યો જતો. એક વખન શુક્રવારનો દિવસ હતો. એક વૃદ્ધાએ આવીને મેઘરાજને જણાવ્યું કે, જનાબ! તમે જેને લીલી ચૂંદડી ઓઢાડી છે તે તો આ જીવનમાં તારી જ ચૂંદડી ઓઢવાની જીદ લઈને બેઠી છે. તે મારી સાથે ચાલો અને તમારી ચૂંદડી ઓઢાડી જાઓ. મેઘરાજ વૃદ્ધા સાથે જલહરીના રસ્તેથી શાહજાદીના મહેલમાં જઈ ઊભો રહ્યો. શાહજાદીએ તેને સાકાર કર્યો અને જણાવ્યું કે, હું મેગલબાળા છું, ને તમારી સાથે લગ્ન કરીને તમારી દાસી બની રહેવાને ચાહું છું. અલ્લાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે તમે મારા ખાવિંદ બને એટલે મને બધુંય મળી ગયું માનીશ. જો કે તમે હિંદુ છે પણ હું તમારાં ખાનપાન, વ્યવહાર કે ધર્મની બાબતમાં કશી દખલ કરીશ નહીં, દિલ્હીની બાદશાહી મળે તો પણ તમને આજીવન છોડીશ નહીં. આ જિંદગી તમારા ચરણમાં આપું છું.” મેઘરાજ પીગળી ગયો. તે બંને પહેલી મુલાકાતમાં જ ચિર પરિચિત જેવા અજોડ પ્રેમી બની ગયાં. પછી તે મેઘરાજ હમેશાં શાહજાદી પાસે આવવા લાગ્યો. મેઘરાજે ઈદના દિવસે શાહજાદીના આગ્રહથી ઈદની રાત મહેલમાં જ પસાર કરી. નવાબે આ વાત જાણું એટલે બીજે દિવસે તે યુવાનને પકડી લાવવા પોતાના માણસને હુકમ કર્યો. માણસે તેને પકડવા શાહજાદીના મહેલે આવ્યા. મેઘરાજ શાહજાદીના ઈશારાથી ચેતી જઈ ઝરૂખામાંથી નદીમાં સીધે કુદકો મારી, પાણીમાં ડૂબકી દઈ, દર દર નીકળી ગયે. પકડનારા માણસો પાછા ચાલ્યા ગયા. પણ મેઘરાજ એક દિવસ પકડાયે. તેને નવાબ સામે ઊભો રાખવામાં આવ્યો. નવાબ ભારે ગુસ્સામાં હતો. તેણે નિશ્ચય કરી લીધે કે આ યુવાનને હાથીના પગતળે હ્રદાવી નાખો. તેણે જગતશેઠને બોલાવી મેઘરાજાની બીના કહી અને પિતાને નિર્ણય પણ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] તેમની આગળ જાહેર કર્યાં. જગતશેઠે કહ્યું : - શાહજાદીની ભાવના પારખીને જે ઠીક લાગે તે રસ્તા લેવા.” જૈન પર પરાના ઇતિહાસ શાહજાદીએ નીડરપણે જાહેર કર્યુ* : “ આમાં બાપુના કશે દોષ નથી. જે કઈ હૈાય તે મારેા દોષ છે એટલે જે દંડ દેવા હાય તે મને દેવા જોઈએ પણ નિર્દોષ મરવા જોઈએ નહી.” [ પ્રકરણું શાહજાદીએ નવાબની પાસે બાબુને બચાવવા આજીજી કરીને સાથેાસાથ જણાવ્યુ કે, “હું તેની ખીખી બની ચૂકી છું ને મેં તેમની આગળ પ્રતિજ્ઞા કરી છે કે, તેમનાં અન્નપાન, વ્યવહાર કે ધર્મમાં મારે કશી દખલ કરવી નહીં. ” 66 નવાબ મૂંઝાયા. શું કરવું? તેને એક યુક્તિ સૂઝી ને જગતશેઠને ખેલાવ્યા. તેમને કહ્યું : “ જગતશેઠ ! મેઘરાજ તમારી જ્ઞાતિના છે પણ તમે તેની સાથે એક ભાણામાં બેસીને ભાજન કરો તા આ યુવાન તમને સોંપું. જો તમે તેમ નહીં કરા તેા હું તેને મુસલમાન બનાવી તેની સાથે શાહજાદીનાં નિકાહ (લગ્ન) પઢાવીશ. ” જગતશેઠે નવાબની શરત સ્વીકારી મેઘરાજને બચાવી લીધેા. નવાબે મેઘરાજને પેાતાની શાહજાદી આપી અને તેને અમુક ઘેાડેસવારના સેનાના વડા અમલદાર બનાવ્યા. નવાબ સમજી ગયા કે, જગતશેઠે દૂરંદેશી વાપરી મેઘરાજને ખચાવી લીધેા છે પણ આ રીતે અમારી બે-ઇજ્જત પણ કરી છે તા તેના બદલા જરૂર લેવા જોઇ એ. નવાબે શેઠના અંતઃપુરની એક શ્રી પાસવાન, ખવાસ કે સેવગણીને ઉઠાવી લાવી પેાતાના જનાન ખાનામાં દાખલ કરી. જનતાએ આ ઘટના જાણી ત્યારે મેઘરાજના સાહસને સૌએ અભિનદન આપ્યાં અને નવાબની મૂર્ખાઈ ઉપર હાસ્ય વેર્યું.. એ પ્રદેશમાં એક કહેવત ચાલે છે. 44 રાજા તે મેઘરાજ ઔર સખ રયા, નદી તા ગંગાનદી ઔર સખ નદૈયા, બાખુ તા મેઘરાજ ર સમ અલૈયા.” Page #224 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન રાજનગરના નગરશેઠે વશ [ ૧૮૩ આ વૃદ્ધવાણી છે. સ`ભવ છે કે નવાબ અને જગતશેઠ વચ્ચેના અણબનાવનાં તત્ત્વા આમાં છુપાયાં હાય.૧ ૫. જગતરશેઠ ખુશાલચંદ – નવાબ મીર કાસીમે જગતશેઠનુ ઘર, માલ મિલકત તથા પેઢી વગેરે લૂ’ટી લીધું હતું. આથી જગતશેઠના પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બાળક ખુશાલચંદ અને ઉયચંદ બંને સાહસી અને બુદ્ધિશાળી હતા. તે બંનેએ થાડીક આર્થિક સગવડ કરી નવી પેઢી સ્થાપન કરી પેાતાના પરિવારને વ્યવહાર નિભાવ્યેા. સાથેાસાથ જગતશેઠે સમેતશિખર મહાતીર્થના ઉદ્ધારનુ` કામ શરૂ કર્યુ” હતુ તેને પણ ચાલુ રાખ્યુ. પિતાના બધા વ્યવહાર યથાવત્ ચાલુ રાખ્યા. કારણ, જગતશેઠના ઘરમાં ગુપ્ત ધન હતું જેની એક માત્ર શેઠ ખુશાલચંદને જ ખબર હતી. એમના આત્મસ'તાષની એ મેાટી મૂડી હતી. ? મી- ઝાફર ફરીથી ગાળના નવામ બન્યા પણ કાઢયા બનીને ૭૪ વર્ષની વયે ગુજરી ગયા. નવાબ અને ઈસ્ટ ઇંડિયા કૉંપનીએ જગતશેઠ પાસેથી જે રકમ લીધી હતી તે તેમણે પાછી વાળી નહી, જ્યારે રાજ્યની કાઉસિલે ઊલટામાં જગતશેઠ પાસે રાજ્યની મેાટી રકમ લેણી હેાવાનું જાહેર કર્યું... કે, આ રકમ ખાટી ઊભી કરવામાં આવી છે માટે આપવાની નથી. મીર કાસીમે શેડ મિહિર અને શેઠ ગાવાલચને પકડાવી મુંગેરની જેલમાં કેદ કર્યા. આથી ગવર્નર જનરલે નવાબ કાસીમ ± તા. ૪-૪-૧૭૬૩ના રાજ પત્ર લખ્યા. તેમાં સૂચના કરી કે, “બંને શેઠાને છેડી દો.” ૧. અજિમગજ અને વીરમગામની પાઠશાળાના ધામિક અધ્યાપક શ્રી. પોપટલાલ ઝીંઝુવાડાવાળાએ અમને આ વાત કહી સંભળાવી હતી. તેમાં પ્રાસંગિક સરકાર આપી આ વાત અહીં રજૂ કરી છે. ઇતિહાસની ક્રેડી મેળવવામાં આ ઘટના રૂપમૅડી જણાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ મીર કાસીમે તા. ૨૦-૫-૧૭૬૩ના રોજ મુંગેરથી ગવર્નર જનરલને મીઠે જવાબ આપ્યો. પરિણામ શૂન્ય હતું. પછી શેઠ ખુશાલચંદે મીર કાસીમને મોટી રકમ આપી બંને ભાઈઓને છોડાવ્યા. લોર્ડ ક્લાઈવ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી ગવર્નર જનરલ બની ભારત આવ્યો. બાદશાહ આલમે (ત્રીજા) (ઈસ. ૧૭૫૯ થી ૧૮૦૬) વિસં. ૧૮૨૨ (તા. ર૯-૪–૧૭૬૬)ના રોજ શેઠ ખુશાલચંદને જગતશેઠની પદવી આપી અને શેઠ ઉદયચંદને મહારાજાની પદવી આપી, મહોર આપી, શિરપાવ આપ્યો અને ફરમાન લખી આપ્યું. " બાદશાહે સૈફ ઉદ્દલાને બંગાળનો નવાબ બનાવ્યો અને લોર્ડ લાઈવને બંગાળનાં બે ગામની દીવાની આપી. લૈર્ડ ક્લાઈવે મુશદાબાદમાં પિતાને દવાની માને જલસે ઊજવ્યો. જગતશેઠે તેને પત્ર લખી પિતાની પડતી દશાને ચિતાર રજૂ કર્યો. ક્લાઈવે પ્રથમ તો તેને તુમાખીભરેલો ઉત્તર વાળ્યો હતો પણ પછી એ ૧૮ વર્ષના ખુશાલચંદને જ ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી નવાબના દીવાન તરીકે નીમ્યો. નવાબ સૈફ ઉદ્દૌલાએ આ નાની ઉંમરના ખુશાલચંદ દીવાનની સલાહથી ઈ.સ. ૧૭૬૬ થી ૧૮૦૧ સુધી રાજવ્યવસ્થા કરી હતી. જગશેઠ ખુશાલચંદ, નવાબ અને ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી લેણી રકમ ન મળવાથી મૂંઝાતો હતો, તેથી જ તે કંપનીના શરણે ગયે. લોર્ડ કલાઈવે તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી ત્રણ લાખ રૂપિયાનું વર્ષાસન બાંધી આપવાની વાત જણાવી પણ શેઠે પોતાને બાર લાખને વાર્ષિક ખર્ચ છે એમ જણાવી તે વર્ષાસન લીધું નહીં. શેઠ ખુશાલચંદે સમેતશિખરના ઉદ્ધારનું કામ ચાલુ રાખ્યું હતું. તેની ભાવના હતી કે “૨૦ તીર્થકરોની નિર્વાણભૂમિની પાકી જાણ મેળવી પહાડની ટેકરીઓ ઉપર તે તે સ્થળે ૨૦ દેરીઓ બનાવવી.” તેથી શેઠ ખુશાલચંદ અવારનવાર હાથી ઉપર બેસી સમેતશિખર જતા હતા પણ કંઈ નિર્ણય કરી શક્યા નહીં. Page #226 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરના નગરશેઠ વંશ [ ૧૮૫ tr આથી તેમણે પં. શ્રી દેવવિજયજી ગણિવરના ખતાવ્યા મુજબ ‘અર્જુમનું તપ ” શરૂ કર્યુ... અને શ્રી પદ્માવતીદેવીના જાપ શરૂ કર્યાં. દેવીએ તેમને સ્વપ્નમાં જણાવ્યુ કે, “ પહાડ ઉપર જ્યાં જ્યાં કેશરને સાથિયા બન્યા હાય ત્યાં ત્યાં તીર્થંકરાનું મૂળ નિર્વાણુ સ્થાન જાણવું, અને તે જ સ્થાનમાં કુદરતે કેશરથી આંક લખાવ્યા હાય તે આંક પ્રમાણે તે તીથ કરાનુ નિર્વાણુ સ્થાન મનાવવું. ,, શેઠ ખુશાલચંદ આ દૈવી સંકેત મુજબ પહાડ ઉપર વીશ તીકરાનાં ૨૦ નિર્વાણુ સ્થાના નક્કી કર્યાં. ત્યાં ચાતરા બનાવ્યા, ચરણપાદુકાઓ બનાવી તથા ઉપર નાની નાની દેરીએ બનાવી. વળી, જળનુ સ્થાન હતું ત્યાં પાસે જ જળમંદિર નામના માટેા જિનપ્રાસાદ બનાવ્યા અને નવી જિનપ્રતિમાઓ ભરાવી ત્યાં બેસાડી. નગરશેઠ ખુશાલચંદ તેમજ તેમના ભાઈ સુગાલચંદે બાદશાહ આલમ ( ત્રીજા )ના રાજ્યમાં સૈફ ઉદ્દૌલાના નવાબી શાસનમાં વિસ’૦ ૧૮૨૫ (ઈસ૦ ૧૭૬૮ )ના મહા સુદિ પ ના રાજ શ્રી સમેતશિખર મહાતીર્થાંમાં તપાગચ્છના (૬૬ મા) ભટ્ટારક શ્રી વિજયધર્મસૂરિ (વિસ’૦ ૧૮૦૩ થી૧૮૪૧ ) ના વરદ હસ્તે મેાટા જીર્ણોદ્ધાર કરી સર્વ દેરીઓમાં ચરણપાદુકાની અને જિનપ્રતિમાઓની તે તે દરીઓની જળમદિર જિનપ્રાસાદની તથા મધુવનમાં શામળિયા પાર્શ્વનાથ વગેરે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાવાળી જિનપાદુકાઓ તથા જિનપ્રતિમા ઉપર ભટ્ટા॰ વિજયધમસૂરિ તથા શેઠ ખુશાલચંદ અને શેઠ સુગાલચંદનાં નામેા ઉત્કીર્ણ થયાં છે. શ્રી સમેતિશખર મહાતીર્થના આ મેટા ૨૧ મા ઉદ્ધાર ગણાય છે. પ૦ યારુચિ ગણીએ સ’૦ ૧૮૩૫ના મહા સુદિ પના રાજ શિવપુરીમાં ( સિરાહી – છાપરીમાં ) ભટ્ટા॰ શ્રી વિજયધર્મસૂરિની આજ્ઞાથી પ* દેવવજય ગણીએ ખતાવેલા વર્ણન પ્રમાણે ‘સમેતશિખર તી રાસ ’ઢાળ ૨૧ રચ્યા છે. શેઠ બંધુઓએ મધુવનમાં કંઠી બનાવી હતી ત્યાં ધર્મશાળા અંધાવી. એક કિલ્લામાં સાત ખાઈ આના સાત જિનપ્રાસાદા બનાવી તેમાં શામળિયા પાર્શ્વનાથ વગેરે જિનપ્રતિમાએ પધરાવી. કાઠીની Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ બહાર શ્રી સમેતશિખર મહાતીર્થની સ્થાપનારૂપ ભેમિયાજીનું મંદિર બનાવ્યું. રાસકાર પં. શ્રી દયારુચિ ગણું મધુવનને “સમેતશિખરજીની ૨૧ મી ટ્રક” બતાવે છે. શેઠ ખુશાલચંદે નિર્વાણભૂમિઓનાં ચોક્કસ સ્થાનેની ગૂંચ ઉકેલી છે જે તેમની જૈન ઇતિહાસમાં સદા યાદ રહે એવી ધર્મભક્તિનું સ્મરણ કરાવે છે. આજે મહારાજા સ્વરૂપચંદની સં. ૧૮૭૩ની પાષાણમૂર્તિ દિગબર મંદિરમાં છે તે પછીના જગત શેઠના વંશજોએ બનાવી હશે અને કેાઈ આકસ્મિક પ્રસંગે દિગંબર જૈનોના કબજામાં ગઈ હશે. " શેઠે તીર્થનો વહીવટ તાંબર જૈન સંઘને સેપ્યો. આજે પણ આ તીર્થ તાંબર જૈનોના વહીવટમાં છે. શેઠે પહાડની ઈનામી જમીન પિતાના તાબામાં રાખી હતી, જે ઈ. સ. ૧૭૫ પછી પાલગજના રાજયમાં ભળી ગઈ. જગતશેઠ ખુશાલચંદ આ ઉપરાંત બીજા પણ લોકેપગી ઘણાં શુભ કાર્યો કર્યા હતાં. તેમણે પોતાની માતા કે પત્નીની યાદમાં ૧૦૮ વાવ બેદાવી. જગતશેઠની કોઠી પાસે મહિમાપુરમાં ખુશાલબાગ બનાવ્યો. . લોકોને સાધારણ ખ્યાલ હતો કે જગતશેઠનું કુટુંબ નિર્ધન હતું પણ માત્ર શેઠ ખુશાલચંદને જ જેની ખબર હતી તે ગુપ્ત ધન દ્વારા ઘણાં બધાં શુભ કાર્યો તેમણે કર્યા હતાં. - આ રીતે લક્ષ્મીનો સદુપયોગ કર્યો પણ મરણ સુધી તેમણે પિતાના ગુપ્ત ધનની કેઈને વાત કરી નહીં. લોર્ડ વોરન હેસ્ટીંગે જમીનદારોને નવા બંદોબસ્ત કર્યો. આથી બંગાળનાં ઘણું સુખી કુટુંબે તારાજ બની ગયાં ને ઘણુ ગરીબ કુટુંબ તવંગર બની ગયાં. તેની ભાવના હતી કે, જગતશેઠને વંશવારસનો હક કે કંઈ આપવું. પણ તે અલાહાબાદ જઈ પાછો મુર્શિદાબાદ આવ્યા. જગતશેઠ ખુશાલચંદ તે પહેલાં વિ. સં. ૧૮૦૦ ( ઈ. સ. ૧૭૮૪)માં સ્વર્ગવાસી થયા. તેમને એક પણ પુત્ર નહાતા. તેથી તેણે મરણ પહેલાં પિતાને ગુપ્ત ભંડાર કેઈને બતાવ્યા નહીં. આથી વારસદારો તે ગુપ્ત ધન પામ્યા નહીં. Page #228 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૮૭ જગતશેઠ ખુશાલચંદના મરણ બાદ જગશેઠનું કુટુંબ ધનથી અને ધર્મથી પણ ઘસાતું ગયું. અને મુર્શિદાબાદ નગર, નવાબવંશ, નાજિમવંશ, અને વોરન હેસ્ટીંગ વગેરે સૌનું ધીમે ધીમે પતન થયું.૧ ૬. જગતશેઠ હરખચંદજી – તે શેઠ સમીરચંદને પુત્ર હતો. બચપણથી જ જગતશેઠ ખુશાલચંદને ખોળે આવ્યો હતો. બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપનીએ દિલ્હી રાજ્યની લગામ હાથમાં આવતાં પદવીઓ આપવાનું પણ પોતાના હાથમાં લીધું હતું. ગવર્નર જનરલ વોરન હેસ્ટીંગે વિ.સં. ૧૮૪૪ (ઈ. સ. ૧૭૮૪) માં બ્રિટિશ સરકારને જણાવ્યા વિના શેઠ હરખચંદને ખિતાબ તથા જગતશેઠની પદવી આપી હતી. વૈરન હેસ્ટીંગ પછી લંડ કોર્નવાલીસ ઈ. સ. ૧૭૮૬ થી ૧૭૯૩ સુધી ગવર્નર જનરલ બની આવ્યા. તે વડી અદાલતને મુશદાબાદથી હઠાવી કલકત્તા લઈ ગયો. તેણે બંગાળના જમીનદારોનો નવો બંદોબસ્ત કર્યો. જમીનના હક્કો નકકી કર્યા. તેણે શરૂઆતમાં ૧૦ વર્ષ સુધી, પછી જીવન પર્યત અને છેવટે વંશવારસાને સર્વ હક્કો આપ્યા. જગત શેઠ હરખચંદ પાસે પારસનાથ પહાડની જે ઈનામી જમીન હતી તે બંદેબસ્ત કરતી વખતે તે જમીન પાલગંજ રાજ્યમાં દાખલ થઈ ગઈ હતી. જગતશેઠે તે તરફ ધ્યાન આપ્યું નહીં. જગતશેઠ હરખચંદને કંઈ સંતાન નહોતું. તેણે પુત્રની કામનાથી વૈષ્ણવધર્મમાં પ્રવેશ કર્યો છતાં તેને પુત્ર થયો નહીં. તેના વંશજ કસોટીવાળું જિનમંદિર અને કૃષ્ણમંદિરની પૂજા-ઉપાસના કરતા હતા. ૭. જગતશેઠ ઈંદ્રચંદ્રજી-નવાબ મીર કાસીમ પછી નવાબવંશમાં અનુક્રમે મીર ઝાફર, નાજિમઉદ્દીલા, સૈફ ઉદ્દોલા, મુબારક ઉદૌલા, બાબરજંગ, આલીજા, બાબાજા, હુમાયુન અને મનસુરખાં થયા હતા. ૧. વોરન હેસ્ટીંગ અહીં વાઈસરોય હો ત્યારે સિંહ, અવધની બેગમ અને રહેલખંડ વગેરે સ્થાનેથી તેણે લાંચ લીધી હતી, તથા નંદનકુમારને કાવતરું કરી મારી નાખવામાં આવ્યે હતો. તેના ઉપર ઈ. સ. ૧૮૫થી ૭ વર્ષ સુધી લડનની પાર્લામેન્ટમાં લાંચ વગેરે બાબતોને કેસ ચાલ્યો હતો. જો કે પાર્લામેન્ટે તેની વિદેશભાવનાને મહત્તા આપી મા ફી આપી પણ તેનાં કલંકો કાયમ બની રહ્યાં. તે ઈ. સ. ૧૮૧૮માં મરણ પામે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ મનસુરખાંનું બીજું નામ ફૈરુદુજી પણ મળે છે. મનસુરખાંએ ઇંગ્લેંડ જઈ ‘બંગાળ, બિહાર, ઓરિસા નવાબ નાજિમ’પદ્મ ખરીદી લીધું. તેના વંશજોમાં આજે પણ એ પઢવી ચાલુ છે. જગતશેઠ ઈંદ્રચંદ્રજી અને વિષ્ણુચંદ્રજી એ બે ભાઈઓએ મજિયારા વહે ચી લીધે! અને જુદા પડયા. બ્રિટિશ સરકારે શેઠ ઇંદ્રચંદ્રજીને વિવાહ વખતે ખેલાત આપી અને પછી જગતશેઠની પઢવી આપી. આ છેલ્લા જગતશેઠ હતા. તથા મહારાજા સ્વરૂપચંદના પુત્ર શેઠ ઉદાચંદને મહારાજાની પદવી આપી. * વૃદ્ધવાણી એવી છે કે, બ્રિટિશ સરકારે શેઢ ઇંદ્રચંદ્રને જગતશેઠની પદવી આપી ત્યારે એક અબજોપતિ મુસલમાન અમીરે બ્રિટિશ સરકારને વિનતિ કરી કે, ‘મને જગતશેઠની પદવી આપેા. ’ગવન ર જનરલ શેઠ ઈંદ્રચંદ્રને ત્યાં ગયા ત્યારે શેઠે ઇંદ્રચંદ્રે તેને એક ઝવેરાતને બનેલે પલગ ભેટ કર્યાં. તેને નીલમના ત્રણ પાયા હતા. ગવર્નર જનરલ અખજાધિપતિ મુસલમાનને ત્યાં જઈ પલંગના ત્રણ પાયા બતાવી ચાથા પાયાથી માગણી કરી પણ પાયેા લાવી શકે એમ નહાતા. એટલે એ અબજાધિપતિ મુસલમાન શરમા અને મૌન બની રહ્યો. ગવર્નર જનરલે આવી ગભશ્રીમંતાઈ અને ઉદારતાથી શેઠ ઈંદ્રચદ્રને જગતશેઠની પઢવી આપી. બ્રિટિશ સરકારે તે પછી સૌને માટે જગતશેઠની પદવી આપવાનું બંધ કર્યુ” એટલે ઇંદ્રચંદ્ર છેલ્લા જગતશેઠ હતા. ૮. શેઠ ગાવિંદચંદ્ર – તે તદ્દન નિર્ધન બની ગયા હતા. બ્રિટિશ સરકારે તેને ઈ. સ. ૧૮૪૩ (વિ. સ`૦ ૧૮૮૦ )માં દર મહિનાની રૂ. ૧૨૦૦ ની આજીવિકા બાંધી આપી. તે સં॰ ૧૮૬૨ (વિ.સ.૧૯૧૯ )માં મરણ પામ્યા, એટલે બ્રિટિશ સરકારે તેની પની રાણી પ્રાણકુવરીને રૂ. ૩૦૦ ના માસિક ખરચ બાંધી આપ્યું. બ્રિટિશ સરકાર તરફથી જગતરોઠના વંશજોને આ છેલ્લુ' વર્ષાસન હતુ. ૯. શેઠ ગાપાલચંદ્રજી, શેઠ ગુલાબચંદ્રજી—બ્રિટિશ સરકારે આ સમયે જગતશેઠના વશજોનુ વર્ષાસન બંધ કરી દીધું પશુ શેઠ ગુલાબચંદ્રને રૂા. ૫૦૦૦ આપી નવા બંગલેા કરાવી આપ્યા. Page #230 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરનો નગરશેઠ વંશ [૧૮૯ ૧૦ શેઠ ફતેહચંદ્ર, શેઠ ઉદયચંદ્ર- આ બંને શેઠ ગુલાબચંદ્રના પુત્રો હતા. બંગાલી સન ૧૭૧માં શ્રી. નિખિલરાયે (બી. એલ. એમ.) બંગાલી ભાષામાં “જગતશેઠ ” નામનું પુસ્તક લખ્યું, ઉપેન્દ્રનાથ ભટ્ટાચાર્યે તેને પ્રકાશિત કર્યું. બ્રિટિશ સરકારે તેને જપ્ત કર્યું. શેઠ ફતહચંદ્ર પાસેથી તે પુસ્તક મેળવી તેના આધારે પ્રસ્તુત ઈતિહાસ લખ્યો છે. ૧૧. શેઠ સૌભાગ્યચંદ્રજી –તે શેઠ ફત્તેહચંદ્રને પુત્ર છે. તે આજે વિદ્યમાન છે. (- શ્રી. નિખિલરાય બી.એલ.એમ. રચિત, “જગતશેઠ,' કેમિસરિયેટ “ઈપીરિયલ ફરમાન્સ,” હિંદીમાં – પારસનાથસિંહ “જગતશેઠ”) રાણપુરા નગરશેઠને વંશ “garag paragranતૈકા નનૈર્વિસ: दानादिजन्मेादयपुण्यभूमि श्रीमालव शो विदितो जगत्याम् ॥' આ વંશની ચડતી પડતી અને સ્થાનાંતરને ઈતિહાસ, સમકાલીન રાજ્યકાંતિ, જુદા જુદા સંવતો તથા ભિન્નમાલ, ગુજરાત-પાટણ, રાણપુર, પછેગામ, દડવા વગેરેની ઉત્પત્તિ અને વિકાસ સાથે સંકળાયેલ છે. સમકાલીન રાજવંશો પિકીના ગુજરાતના સુલતાનોનો વંશ, સૌરાષ્ટ્રનો ગહેલવંશનો ઇતિહાસ ( પ્રક. ૪૪ પૃ. ૨૩૦) માં આવી ગયો છે. ગુજરાતના પડિહારે તથા દક્ષિણના રાષ્ટ્રકૂટેના વંશને ઈતિહાસ પહેલાં (પ્રક. ૩૨, પૃ૦ પ૩પમાં) આવી ગયા છે. ભારતના કેટલાએક સંવત – સામાન્ય રીતે ભારતમાં આશરે ૭૨ સંવતે પ્રવર્તે છે. જેને ઈતિહાસમાં સંવતે નીચે મુજબ મળે છે, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ૧. વીરસંવત્ – ભગવાન મહાવીરસ્વામીને નિર્વાણથી કાર્તિક સુદિ ૧ થી શરૂ થાય છે. ૨. મૌર્યસંવત્ – વીરસંવત્ ૧૫૫માં મૌર્ય ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક થયો. વિક્રમ સંવમાં ૨૫૫ ઉમેરવાથી આ સંવત્ આવે છે. ૩. વિક્રમસંવત્ – વીરસંવત્ ૪૧૧ કાર્તિક સુદિ ૧ થી શરૂ થયે. વિક્રમસંવમાં ૪૧૦ ઉમેરવાથી વીરસંવત્ આવે છે. ૪. શકસંવત્ - વિક્રમસંવત્ ૧૩૬ના ચૈત્ર સુદિ ૧ થી શરૂ થાય છે. ૫. ઈસ્વીસન્ – વિક્રમસંવમાં ૫૬-૫૭ ઘટાડવાથી આ સંવત્ આવે. ૬. વલભીસંવત્ (ગુપ્તતસંવત્ ) – વિક્રમસંવત્ ૩૭૬ના કાર્તિક સુદિ ૧ થી શરૂ. વિક્રમ સંવતમાંથી ૩૩પ ઘટાડવાથી આ સંવત્ આવે છે. ૭. વહીસંવત્ – વિક્રમસંવત્ ૪૭૨માં ચિત્યસ્થિતિ થઈ ત્યારથી ચિત્યવાસીઓએ પોતાના ભક્તોની વંશાવલિ લખવાની શરૂઆત કરી છે. જો કે અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં વિસં. ૭૭૨ થી વહીવંચાનો પ્રારંભ બતાવ્યો છે; પરંતુ પૂ. જયંતવિજયજી મહારાજે આ પટ્ટાવલીમાં ૩૦૦ વર્ષોનો ફરક આવે છે એમ શ્રી શંખેશ્વર તીર્થના ઈતિહાસમાં સ્પષ્ટ કર્યું છે. એ હિસાબે વિ. સં. ૪૭૨ અને પટ્ટાવલીના ૭૭૨ એ બરાબર છે. આ સંવત્નું બીજું નામ ભાટસંવત્ કહીએ તોપણ ઠીક છે. ૮. ગુજરાત સંવત્ – અણહિલપુર પાટણની શિલા સ્થાપના સં. ૮૦૨ના વિશાખ સુદિ ૨થી થઈ છે. વનરાજ ચાવડાને રાજ્યાભિષેકવિધિ સં. ૮૨૧માં થયે છે એટલે વિ. સં. ૮૦૨ અને વિ. સં. ૮૨૧ એ ગુજરાત સંવત છે. ૮. શતાંક સંવત્ – ભારતીય સંવતવારીના અભ્યાસીઓ એમ માને છે કે, પ્રાચીન કાળમાં ભારતમાં પાંચ ગુરુવર્ષ છેટ ૬૦ સંવતસરથી વર્ષમેળ લેવાનો હતે. Page #232 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૯૧ તે પછી દર સે વષે સંવત્ બદલાતો હતો. આ જ રીતે વિ.સં. ૧૦૦૦ પછી હજારને અંક કાઢી નાખી બાકીના શતકના આંકે લેવાથી શતાંક સંવત્ આવે છે. વાયડગચ્છના આ૦ શ્રી જિનદત્તસૂરિએ વાયડમાં સં. ૭માં પ્રતિષ્ઠા કરાવી છે તે સમજી શકાય છે કે આ સંવત્ ગુજરાત સંવત્ હશે અથવા શતાંક સંવત્ હશે. (પ્રક. ૩૪, પૃ. ૫૫૪) શ્રીમાલનગર – આ નગરનાં ૧ શ્રીમાલ, ૨ રત્નમાલ, ૩ પુષ્પમાલ, અને ૪ ભિન્નમાલ નામે મળે છે. ચીનની ભાષામાં “પિ–લે –લ” એવું નામ મળે છે. શ્રીમાલનગર એ ગુજરાતનું પાટનગર હતું એ સમયે ભિન્નમાલથી ગુજરાત–પાટણ સુધીને પ્રદેશ “ગુજરાત” કહેવાતો હતે. ( – પ્રક૩, પૃ. ૯૪) અંચલગચ્છની મોટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે, શ્રી શંખેશ્વર – ગચ્છના આ૦ શ્રી ઉદયપ્રભસૂરિ સં૦ ૭૭૨માં આચાર્ય બન્યા. તેમણે સ'. ૭૯૫માં ભિન્નમાલના રાજા ભાણને શ્રાવકનાં બાર વ્રત આપ્યાં. આ આચાર્યની વિદ્યમાનતામાં એટલે સં. ૭૭૨ થી સં૦ ૭૯૫ના ગાળામાં ચૈત્યવાસી જૈન આચાર્યોના સંમેલને શ્રાવકોની વહેંચણી અને તેની નેંધ રાખવાની વ્યવસ્થા માટે વહી લખવાનો પ્રારંભ કર્યો હતો. પૂશ્રી જયંતવિજયજી મહારાજે બતાવેલા ફરક મુજબ સં. ૭૭૨ તે વારતવમાં ૪૭૨ સમજવો જોઈએ. બીજા ઈતિહાસમાં ઉલ્લેખ છે કે વિ.સં. ૪૭૨ એ વહીવંચાએનો વહીપ્રારંભ દિવસ છે. તેઓ પ્રાયઃ ત્યારથી સાલવારી લખે છે. આનું બીજું નામ ભાયાવત સંવત્ પણ કહી શકાય. ચૈત્યવાસીઓ ધીમે ધીમે શિથિલ થયા. તેમની પરંપરામાંથી મથેરણ, વહીવંચા, ભાટ, બારોટ વગેરે જ્ઞાતિઓ નીકળી છે. શ્રીમાલનગરમાં પ્રથમ મૌર્ય પ્રતીહારોનું રાજ્ય હતું. વિક્રમ સંવ ૮૬૦માં રાફટ રાજા વીજા ગોવિંદ પડિહાર રાજા યશો Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વર્માને કાજ તરફ ભગાડી ગુજરાત પિતાને તાબે કર્યું અને પોતાના નાના ભાઈ ઈન્દ્રને લાટનું રાજ્ય આપી અહીં રાષ્ટ્રકૂટ વંશનું રાજ્ય સ્થાપન કર્યું. (-પ્રક. ૩, પૃ. ૫૩૫, ૫૩૬ ) રાષ્ટ્રકૂટનું અપભ્રંશમાં રાઠોડ નામ છે. કેટલાએક રાજપૂતવંશી માટે દોહરે મળે છે કે – “શિદિયા સાંડેસરા, ચાદસિયા ચાહાણ; ચૈત્યવાસીયા ચાવડા, કુલગુરુ એહ વખાણ.” જે કે રાષ્ટ્રકૂટ દક્ષિણ તરફના છે. ત્યાં તેઓ પ્રાયઃ દિગંબર જૈનધર્મના ઉપાસક હતા, તે પણ સંભવ છે કે ગુજરાતમાં આવ્યા બાદ વેતાંબર આચાર્યોના પરિચયથી તેઓ સાંડેરાવના તાંબર આ૦ શ્રી બલભદ્રસૂરિના ઉપાસક હતા. ( – પ્રક. ૩૪, ૫૦ ૫૯૨) જોધપુરના રાઠોડ રાજાઓ પણ શ્વેતાંબર જન આચાર્યોના ભક્તો હતા તથા જૈન ધર્મના પ્રેમી હતા. આથી અનુમાન થાય છે કે, રાઠેડા ખંડિલગરછ કે સાંડેરાવ ગચ્છના આચાર્યોના ઉપાસક હશે. આ રીતે શ્રીમાલનગરમાં ઘણાં વર્ષો સુધી રાઠોડ રાજ્ય રહ્યું. અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં એ પણ ઉલ્લેખ છે કે, મહમ્મદ ઘોરીએ સં. ૧૦૭૧ લગભગમાં શ્રી શંખેશ્વર ગચ્છના આચાર્ય શ્રી વીરચંદ્રની વિદ્યમાનતામાં ભિન્નમાલ ભાંગ્યું, સાધારણ ઈતિહાસમાં મહમ્મદ ગિઝની ઈસ. ૧૦૦૧ થી ૧૦૩૦૦ માં ભારત પર ૧૧ વાર ચડાઈ કર્યાના ઉલ્લેખ છે. છેલ્લી સવારી ઈ.સ. ૧૦૨૪ (વિ. સં. ૧૦૮૦ )માં કરીને સેમિનાથ પાટણ વિરત કર્યું, ગિઝનીએ અગાઉની ચડાઈઓમાં ભિન્નમાલ, સાર વગેરે સ્થાનો ભાંગ્યાં હતાં એટલે સં. ૧૦૭૧માં ભિન્નમાલ ભાંગ્યાની હકીકત પુરવાર થાય છે. મૌર્ય પડિહારવંશ— (૧) નાગાવલેક (વિસં. ૯૧૩, ) (૨) કકુસ્થ, (૩) દેવરાજ (૪) વત્સરાજ (શાકે ૬૯૯) (૫) યશોવર્મા – Page #234 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [ ૧૯૩ ગોવિંદ ત્રીજાએ વિસં. ૮૬૦ લગભગમાં યશોવર્માને કનોજ તરફ ભગાડી મૂકી ગુજરાત તાબે કર્યું. (- પ્રક. ૩૨, પૃ. ૫૩૪, ૫૩૫) રાષ્ટ્રકૂટવંશ (રાઠોડ) – આનું અપભ્રંશ કે અ૯પાક્ષરી નામ રાઠેડ છે. દક્ષિણના રાષ્ટ્રકૂટવંશના રાજા દંતિવર્માને રાઠેડવંશમાં અનુક્રમે (૯) કવિ વલ્લભ ધ્રુવ (વિ.સં. ૮૩૬ થી ૮૫૦), (૧૦) ત્રીજા ગોવિંદ રાઠેડ (વિસં૮૫૦ થી ૮૭૦), (૧૧) પહેલો અમેઘવર્ષ, (૧૫) ચોથો ગોવિંદ, (૧૬) ત્રીજે અમેઘવર્ષ, (૧૭) ત્રીજે કૃષ્ણ, (૧૮) બેટિંગ, (૧૯) બીજો કર્ક (વિ.સં. ૧૦૩૦) રાજાઓ થયા છે. (પ્રક. ૨, પૃ૦ પ૩૫, ૫૩૬) ગુજરાતના સૂબાઓ – ૧ અલફખાન (ઈ.સ. ૧૨૯૭ થી ૧૩૧૭) ૨ એનુલ મૂલુ મુલતાની ૩ મલેક દિનાર જાફરખાન ૪ ખુશરુખાન પ હિસામુદ્દીન ૬ વાજુદ્દીન ખુરેશી ૭ તાજુમુલ્ક ૮ અહમદખાન ૯ સૂબેદાર જાફરખાન ૧૦ મુજફરખાન (ઈ.સ. ૧૩૯૧ થી ૧૪૦૭) સુધી મુસલમાન બાદશાહોના સૂબાઓ હતા. Jain Educatini2 3ational Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ગુજરાતના બાદશાહે – ૧ મુજફરશાહ (ઈ.સ. ૧૩૯૬ થી ૧૪૧૧), ૨ અહમદશાહ (ઈ.સ. ૧૪૧૧ થી ૧૪૪૩). તેણે વિ.સં. ૧૪૬૭ના ફાગણ સુદિ ૩ ને ગુરુવારે અમદાવાદ વસાવ્યું. ૩ મહમદશાહ બીજે (ઈ.સ. ૧૪૪૩ થી ૧૪૫૧) ૪ કુતુબશાહ ૫ દાઉદશાહ (મૃત્યુ ઈ.સ. ૧૪૦૯) ૬ મહમ્મદ બેગડે (ઈ.સ. ૧૪૪૯ થી ૧૫૧૧) ૭ મુજફર બીજો (ઈ.સ. ૧૫૧૧ થી ૧૫૨૩) ૮ અહમદશાહ સિકંદર (સં. ૧૫૮૨) ૯ લઘુ મહમ્મદ (ઈ.સ. ૧૫૨૩ થી ૧૫૨૬) ૧૦ બહાદુરશાહ (ઈ.સ. ૧૫૨૬ થી ૧૫૩૭) (– પ્ર. ૪૪) સૌરાષ્ટ્રને ગોહેલવંશ – ૧ મેહનદાસ ૨ ઝાંઝણજી ૩ સેજકજી (સં. ૧૨૬ ) રાણજી ૫ • • ૬ ... (ઈ.સ. ૧૪૭૪) ૭ મેખડજી ૮ ડુંગરજી ૯ વિનોજ Page #236 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [૧૯૫ ૧૦ કહાનજી ૧૧ સારંગજી ૧૨ શિવજી ૧૩ જેતાજી ૧૪ રામદાસજી ૧૫ સરતાનજી ૧૬ વસેજી ૧૭ ધૂનેજી ૧૮ રત્નજી ૧૯ હરભમજી ૨૦ ગોવિંદજી ૨૧ અખેરાજજી ૨૨ રતનજી ૨૩ ભાવસિંહજી (સં૧૭૭૯) પાલનપુર (જગાણા)- એક મત પ્રમાણે ચંદ્રાવતીના રાજા અરણ્યરાજ પરમારે વિસં. ૧૦૧૫ પછી પાલનપુર વસાવ્યું છે. જ્યારે બીજા મત પ્રમાણે ચંદ્રાવતીના રાજા ધારાવર્ષદેવ (વિસંવે ૧૨૨૦ થી ૧૨૭૬)ના નાનાભાઈ પ્રહલાદને સ. ૧૨૭૪માં પાલનપુર વસાવ્યું. પાલનપુર ચંદ્રાવતીના રાજ્યમાં હતું. અલ્લાઉદ્દીને સં૦ ૧૩૬૮માં ચંદ્રાવતી ભાંગ્યું ત્યારે ચંદ્રાવતી, પાલનપુર, જગાણના પરમારો ત્યાંથી નીકળી ગયા અને મૂળી આવી વસ્યા. (પ્રક. ૩૫, પૃ. ૧૫૭, ૧૫૯) પાટણ–વનરાજ ચાવડાએ વિસં. ૮૦૨ના વૈશાખ સુદ ૨ ના રોજ અણહિલપુર પાટણની શિલા સ્થાપના કરી. વિસં૦ ૮૨૧માં પાટણમાં પોતાને રાજ્યાભિષેક કરાવ્યો. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ રાણપુર– રાણજી ગોહેલે ઈ.સ. ૧૩૦૪ (વિસં. ૧૩૩૧) પછી રાણપુર વસાવ્યું. મહમ્મદ બેગડાના પુત્ર અહમદશાહ સિકંદરે ઈ.સ. ૧૪૭૪ (વિ. સં. ૧૫૩૧)માં રાણપુર ભાંગ્યું. પછેગામ – વલ્લભીની ચડતી-પડતી પ્રસંગે પરા જેવું પડેગામ વસ્યું. ઠા સરતાનજી ગોહેલના બીજા પુત્ર દેવજીને ઈ.સ. ૧૫૭૦ લગભગ (વિ.સં. ૧૬ર૭)માં પહેગામને ગરાસ મળ્યો. તેની પાટીમાં ઉમરાલા અને વળાની વચ્ચેની પાટીની ઘણું જમીન હતી. દડવા – વલભીવંશની રાજકુમારી દુદાએ દુદ્દવિહાર બનાવ્યો, તેણે એ વિહારને માટે ઘણી જમીન, વાવો વગેરે આપ્યાં હતાં. વલ્લભીના નં. પ૬ના તામ્રપત્રથી જાણવા મળે છે કે દાંત્રેટીયાની વાવ કે ઊજમવાવ અને બડેદની દક્ષિણે એક મોટી વાવ હતી, જેમાં આદિત્યદેવ ( સૂર્ય)નાં ચરણે બિરાજમાન હતાં, તેથી તે વાવ આદિત્યદેવ પાદીયાની વાપી (સૂર્યદેવનાં પગલાંવાળી વાવ) નામથી પ્રસિદ્ધ હતી. તે દાવિહારના તાબામાં હશે. દદ્દાવાવનું અપભ્રંશ કે અ૯પાક્ષરી નામ દવા બની શકે. દદવામાં પહેલાં સૂર્યની સ્થાપના હશે, પછી દેવીપૂજાના યુગમાં સૂર્યને બદલે સૂર્યપત્ની રત્નદેવી–રયણદેવીની સ્થાપના થઈ હશે. એટલે આજે તે વાવ રાંદલની વાવ તારી ઓળખાય છે. વૃદ્ધવાણ એવી છે કે, કાળુભારની નદીનાં પાણી માટી સર (નીક) આવતી હતી. વાવનું પાણી પગથિયાં બહાર નીકળી ગામમાં ચાલ્યું જતું હતું, તેથી લોકોએ તે વાવમાં ઊતરી ગાડીનું પૈડું ભરાવી સરને રોકી દીધી છે. ત્યારથી તેમાં ઘાણીનો ભંડોળ એ છે છે. આજે સુકાળ હોય કે દુકાળ હોય તે પણ આ વાવમાં પાણી બરાબર બની રહે છે. દડવાની વાવમાં રાંદલની સ્થાપના છે. આ સ્થાન સૌરાષ્ટ્રમાં તીર્થ તરીકે વિખ્યાત છે. યાત્રિકે રવિવારે અને મંગળવારે દર્શન WWW.jainelibrary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [૧૯૭ કરવા તથા માન્યતા પૂરવા આવે છે. સૌરાષ્ટ્રમાં વિવાહમાં “દડવાની રાંદલને નાંતરી તેનો ઘોડે ખુદાવે છે. એ રીતે વિવાહવિધિમાં દડવાની રાંદલ એ પણ મુખ્ય સ્થાન ભજવે છે. રાણપુરના નગરશેઠ કુટુંબના શા. લક્ષ્મીચંદ મોતીચંદ વગેરે જૈન ભાઈઓએ રાંદલની વાવ પાસે જાહેર મેટી ધર્મશાળા બંધાવી છે. ( – પ્રક. ૩૪, પૃ. ૩૮૬) વંશાવલી – આટલો પ્રાસંગિક ઈતિહાસ છે. હવે મઢડાના વતની બારોટ પ્રભુદાસ કુંઅરજી ધોળકાવાળાની વહીમાં રાણપુરના નગરશેઠના વંશની વંશાવલીમાં એક વંશતાલિકા મળે છે તે જોઈએ. પૂર્વ ઘટના- રાઠોડે ભિન્નમાલમાં હતા, જે જૈન બન્યા. જૈનાચાર્યોએ તેઓને શ્રીમાલજ્ઞાતિમાં દાખલ કર્યા. તેઓનું નેત્ર રાઠોડ, કુલ ચવાલસ, અને કુલદેવી અંબાજી સ્થાપન કર્યા. તેઓ રાઠોડ શ્રીમાલી કહેવાયા. આ વંશનો એક પુરુષ પોતાના કુટુંબ સાથે ભિન્નમાલ નગર ભાંગવાથી વહી સં. ૧૭૨ (વિ.સં. ૬૪૪) માં ભિન્નમાલથી નીકળી પાલી આવી વસ્યા. તેને વંશજો વહી સં. ૧૨ (વિ.સં. ૮૮૪) માં પાટણ આવી વસ્યા. તેના વંશજો વહી સં. ૮૭૨ (વિ.સં. ૧૩૪૪)માં પાલનપુર તાબે જગાણામાં જઈ વસ્યા. તેના વંશજ સં. ૧૩૬૮ માં જગાણુંથી નીકળી મૂળી જઈ વસ્યા. તેના વંશ સં. ૧૩૭રમાં મૂળીથી નીકળી રાણપુર આવી વસ્યા. ૧. શેઠ વીરસંગ – તે સં. ૧૩૭૨માં રાણપુર આવી વસ્યા. ત્યાં તેને “નગરશેઠની પદવી મળી. ત્યારથી તે તથા તેના વંશજો રાણપુરા નગરશેઠ કહેવાયા. તે દશા શ્રીમાળી જૈન હતા. ૨. વાઘો-તે શેઠ વિરસંગની સાથે જ રાણપુર આવ્યું હતું. ૩. રતનસિંગ – તે શેઠ વિરસંગની સાથે જ રાણપુર આવ્યો હતો. ૪. શેઠ મેઘજી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] ૫. શેઠ પૂજો ૬. શેઠ આંબે જૈન પર પરાને! ઇતિહાસ ૭. શેઠ પચાણુ –તે દડવા આવી વસ્યા. સંભવ છે કે તેના પૂજેઠા ભાણજી ગેાહેલના વશો સાથે ઉમરાળા કે પચ્છેગામ આવ્યા હશે, અને તે સં૦ ૧૬૨૭ લગભગમાં પચ્છેગામના ઠા॰ દેવજીના કારભારી બન્યા હશે. તે બુદ્ધિશાળી હતા. તેણે પચ્છેગામની પાર્ટીના દડવાની વાવ પાસેની જમીનની સુવ્યવસ્થા માટે વાવ પાસે નાનકડું ગામ વસાવ્યું હશે. તેનું નામ દડવા ગામ હશે. તેણે અહીં પેાતાના કુટુંબને વસાવ્યું. તે ત્યાં નગરશેઠ કહેવાયા. તે પછી અહીં ચભાડિયા વગેરેના વેપારીઓ આવી વરયા, જે ચભાડિયા તરીકે ઓળખાયા. આ જ રીતે પાસેના ગામના બ્રાહ્મણા, કણબી, વસવાયા વગેરે આવી ત્યાં વસ્યા. [ પ્રકરણ શેઠ પચાણ બુદ્ધિશાળી હતા. તેથી તેણે ગરાસદારાને ખુશ રાખી કરકસર કરી એ પાર્ટીને વધારી અને દડવા ગામને વ્યવસ્થિત ગામ બનાવ્યું. ૮. શેઠ કેશવજી ૯. શેઠ માલજી – તેને પાંચ પુત્રા હતા. ૧ અરજી, ૨ મેાનજી, ૩ નાનજી, ૪ વાલજી, ૫ કાનજી. ૧ કુ અરજી – તે દડવામાં રહ્યો. તેને ૧ ખાડા, ૨ લવજી, ૩ પ્રેમજી એમ ત્રણ પુત્રા હતા. શેઠ ખાડાને ૧ વાઘજી, ૨ પીતાંબર, ૩ માવજી એમ ત્રણ પુત્રા થયા. શેઠ વાઘજીને..... હતા. શેઠ પીતાંબરને શેડ જેઠા નામે પુત્ર હતા. શેઠ જેઠાને ૧ મેાતીચંદ, ૨ ચત્રભૂજ, ૩ જાદવજી, ૪ ફૂલચંદ એમ ચાર પુત્ર થયા. શેઠ મેાતીચંદની પુત્રી દિવાળીબાઈ ને Page #240 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [૧૯૯ ૧ લક્ષ્મીચંદ, ૨ અમૃતલાલ, ૩ હરગોવિંદદાસ, ૪ શિવલાલ, ૫ હીરાલાલ, ૬ વાડીલાલ અને ૭ અમૂલખ એમ સાત પુત્રો થયા. તેમાંના શેઠ લક્ષ્મીચંદ વગેરે ભાઈઓએ દડવામાં રાંદલની વાવ પાસે જાહેર માટી ધર્મશાળા બનાવી છે લક્ષ્મીચંદને ચાર, અમૃતલાલને ત્રણ, શિવલાલને ચાર, હીરાલાલને બે, વાડીલાલને ત્રણ અને અમૂલખને ચાર પુત્ર છે. શેઠ ચત્રભુજને રમણીકલાલ નામે પુત્ર છે. શેઠ જાદવજીને ૧ ધીરજલાલ, ૨ શાંતિલાલ, ૩ ભાઈલાલ એમ ત્રણ પુત્રો છે. શેઠ ફૂલચંદને ૧ નગીનદાસ અને ૨ ભોગીલાલ એમ બે પુત્રો છે. શેઠ લવજી કુંઅરજીને ૧ જહો, ૨ કસલચંદ, ૩ ચાંપશી એમ ત્રણ પુત્રો હતા. ચાંપીને રાયચંદ અને તેને મેહનલાલ નામે પુત્ર હતો. શેઠ મનજી – તેને પરિવાર વડોદમાં જઈ વસ્ય. શેઠ નાનજી – તેનો પરિવાર વડોદમાં જઈ વસ્યા. શેઠ વાલજી–તેને પરિવાર દડવામાં જઈ વસ્યો. શેઠ કાનજી- તેને પરિવાર વડોદમાં જઈ વસ્યા. શેઠ વાલજીને ૧ ભવાન, ૨ જહા, અને ૩ મૂલજી એમ ત્રણ પુત્રો થયા. શેઠ જહાને ૧ સુંદરજી, ૨ તેજપાલ, ૩ ધરમશી, ૪ લીલો. શેઠ સુંદરજીને ૧ નરશી અને ૨ ત્રિકમજી નામે પુત્રો થયા. શેઠ નરશીને પુત્ર કાનજી, ત્રિકમજીના પુત્ર આણંદજી, ફૂલચંદ અને ત્રિભુવનદાસ હતા. શેઠ ફૂલચંદનો પુત્ર ચૂનીલાલ નામે હતો. શેઠ ત્રિભુવનદાસને નાનુભાઈ, રતિભાઈ, પરમાનંદ અને બાલુ નામે પુત્રો હતા. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ શેઠ નાનુભાઈને બાબુ નામે પુત્ર હતે. શેઠ તેજપાલ જહાને ૧ શામળજી, ૨ ગોપાળજી, ૩ પાનાચંદ એમ ત્રણ પુત્રો હતા. શેઠ શામજનો પુત્ર દિયાલભાઈ સ્વામીનારાણ સંપ્રદાયમાં સાધુ બન્યું. ગોપાળજીને પરિવાર નહતો. શેઠ પાનાચંદ – તેને ૧ ગુલાબચંદ, ૨ મેહનલાલ, ૩ મગનલાલ એમ ત્રણ પુત્રો થયા. મગનલાલે મુનિ ચારિત્રવિજયજી (કચ્છી) પાસે દીક્ષા લીધી તે મુનિ દર્શનવિજ્ય (ત્રિપુટી) તરીકે પ્રસિદ્ધ થયા, જે આ ઈતિહાસના મુખ્ય લેખક છે. શ્રી. રાણપુરી નગરશેઠ વંશવૃક્ષ - શાખે–ચોદવ, ગેત્ર-વૃષ્ણી, ત્રિ-પ્રવર, શાખા-માધ્યડૂની વેદ-યજુર્વેદ, કુલદેવી અંબાજી માતાજી. ૧. વીરચંદ શેડ– સં. ૧૪૭૫માં વસાવેલ રાણપુરના રાણા ગજી ગોહેલના કારભારી. ૨. વાઘુ શેઠ ૬. આંબા શેઠ ૩. રતનસંગ શેઠ ૭. પંચાણ શેઠ – સં. ૧૯૨૭માં દડ વામાં નગરશેઠ અને કામદાર બન્યા. ૪. મેઘજી શેઠ ૮. કેશવજી શેઠ પ. પૂંજાશેઠ ૯. માલજી શેઠ Page #242 -------------------------------------------------------------------------- ________________ શેઠ કુંઅરજી (દડવા – રાંદલના) શેઠ કુંઅરજી મેનજી નાનજી વાલજી કાનજી (દડવા) (વડેદ) (વડોદ) (દડવા) (વડોદ) (રાંદલના) બેડા લવજી પ્રેમજી વાઘજી પિતાંબર માવજી ધીરજલાલ કશળચંદ ચાંપસીશેઠ ધોળાભાઈ રાયચંદ જેઠાલાલ જગજીવન બહેચર કલ્યાણભાઈ મેહન મોતીચંદ ચત્રભુજ જાદવજી ફૂલચંદ નાનચંદ બાલચંદ ગિરધર | રમણીક લક્ષ્મીચંદ | નગીનદાસ ભેગીલાલ | | જેઠાલાલ નારણદાસ ગુણવંત | | | ધીરજલાલ શાંતિલાલ ભાઈલાલ મનહર પ્રવીણચંદ્ર શશીકાંત પ્રતાપ | | | | મહેરા સાનિત લકમીચંદ અમતલાલ હરગોવિંદ શિવલાલ હીરાલાલ વાડીલાલ અમલખ 1 TO લલુભાઈ ભગવાનભાઈ કાનજી રતિલાલ મગનલાલ બલવંત રજનિકાંત - જેમિન 1 ચીનભાઈ દીનેશચંદ મધુસૂદન બાબા j નંદલાલ ધીરજલાલ મનસુખલાલ | શુભાઈ ભગવાનભાઈ કાનજી રતિલાલ મગનલાલ તલકચંદ મણિલાલ ' મણિલાલ બાબા | બાબા ! | | લક્ષમીચંદ મનસુખ ગુણવંત અનંતરાય સુરેશચંદ્ર | | અશ્વિન અનિલ ગણેશ જેચંદ અમીચંદ કાલીદાસ મેઘજી | | | કાનજી. ઉજમશી, મૂલચંદ કસ્તૂરબાઈ વલભદાસ (૨૦૧+૨ ૦૨) Page #243 -------------------------------------------------------------------------- ________________ શેઠ નાનજી વડેાદવાળા નાનજી છો ગયર ગોપાલ ગોપાલ વેલશી વેલશી ભવાન ત્રિભવન સ્તનશી નરશી જાદવજી પોપટલાલ વીરજી અમૃતલાલ ૨ ૩ શિવલાલ રતિલાલ તલસી ત્રિકમલાલ પરસોત્તમ ચુનીલાલ રાયચંદ હિંમતલાલ કાલીદાસ વડોદ ચીમનલાલ ડામર - ચીમનલાલ કામર નટવર મનસુખ માબા. (૨૩) Page #244 -------------------------------------------------------------------------- ________________ Page #245 -------------------------------------------------------------------------- ________________ વાલજી રાઠ ડવી – રોદલની) અલપર વાલજી ભવાન જહાશેઠ મૂલજી - - - - - સુંદરજી તેજપાલ ધરમસી લીલાશેઠ ત્રિકમજી (અલંપર) નરસી ડાહ્યાલાલ શામજી ગોપાલ પાનાચંદ | _ કાનજી દયાલજી | મેહનલાલ વનમાલીદાસ આણંદ ફૂલચંદ ત્રિવનદાસ ગુલાબચંદ મેહનલાલ મગનલાલ | ચુનીલાલ અમૃતલાલ જયંતીલાલ હરગોવિંદદાસ ગુણવંત હસમુખ ગિરધરલાલ રતિલાલ પ્રેમચંદ બાલુભાઈ (નાનાલાલ) સુરેશ રમેશ રજની | રસિકલાલ મહેન્દ્ર ભૂપેન્દ્ર બિપિનચંદ્ર બામો જિતેન્દ્ર Page #246 -------------------------------------------------------------------------- ________________ Page #247 -------------------------------------------------------------------------- ________________ એનજી શેઠ વડેદ માનજી દેવસી ગોરધન નારણદાસ છગનલાલ શામજી પાનાચંદ વલભ પરમાનંદ હરજીવન પપટલાલ અમૃતલાલ વર્ધમાન કેશવજી (વાંકાનેર) હિંમત ભરત નાનચંદે હરીશ રાજન પ્રશાંત ૧ ૨ ૩ ધીરજલાલ જીવણલાલ ત્રંબકલાલ ડાહ્યાલાલ ચંદ્રકાંત કિશોર વિક્રમ ભૂપેન્દ્ર ગુણવંત શશિકાંત પ્રસન્નકુમાર હર્ષદરાય ધ્રુવજી ના | દુર્લભજી જાદવજી કલમ જગજીવન રતિલાલ રાયચંદ કેશવલાલ કાનજી રમેશ T | | | | વસંત અનૂપ યશવંત ૪ ૫ કાંતિલાલ અનેપચંદ પ્રવીણચંદ્ર હર્ષદ રમેશ . વસંત અન્ય પાલત મનસુખ હિંમતલાલ અમ હિંમતલાલ પ્રતાપ ૨ ૩ (૨૦૦૦) Page #248 -------------------------------------------------------------------------- ________________ માંડવા જલાલપુરમાં આ શેઠ કુટુંબના ભૂરાલાલ શેઠ, આંબાશેઠ, કલાશેઠ વગેરેનાં ઘરો છે. ભૂરાલાલ શેઠ કાલિદાસ લાલચંદ ચત્રભુજ શાપન રતિલાલ પ્રભુદાસ (માંડવામાં છે.) શેઠ કુટુંબના ઢસાવાલા મિયાગામ પાસે સાઢલીમાં રહે છે. " ! . .. વીરચંદ ભાણજી શેઠ (સાઢલી) (દેવચંદ ઢસામાં છે) ઢસા પાસે રસનાલમાં એક ઘર છે. બરવાળામાં એક ઘર છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ Page #250 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [૨બ્દ દેશી મનિયા શ્રીમાલીને વંશ નં. ૧ (૧) શા. રંગ – તે વીશા શ્રીમાલી હતું. તેને દોશી મનિયા નામે પુત્ર હતા. (– પ્રા. જે. લે. સં. ભા. ૨, સે. ૨૭૮) (૨) દોશી લહુઆ – તેનું બીજું નામ લવજી દોશી પણ મળે છે. તેને ચંપાઈ નામે પત્ની હતી. તે ચાંપાનેરથી આવી અમદાવાદમાં વસ્યો હતો. તેનું ગોત્ર વાલેલા હતું. તે જ્ઞાતિએ વિશા શ્રીમાલી જૈન હતો. શેઠ લહુઆએ સં. ૧૬૫૬ના માગશર સુદિ ૫ ને ગુરુવારે અમદાવાદના સિકંદરપુરમાં શ્રી. વિજય ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા તથા ગુરુની ચરણપાદુકાની સ્થાપનાના દિવસે સિકંદરપુરમાં ભટ્ટાશ્રી વિજયસેનસૂરિના હાથે પોતાના શ્રી. શાંતિનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી. કાવી બંદરના ગાંધી કુંઅરજી નાગર જેને કારમાં બનાવેલા રત્નતિલક જિનપ્રાસાદ માટે શ્રી ધર્મનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી તથા જગદ્ગુરુ આ૦ શ્રી વિજયસેનસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી. પં. શ્રી નદિવિજય ગણીને ઉપાધ્યાયપદ, મુનિશ્રી વિદ્યાવિજય (આ. વિજયદેવસૂરિ) તથા મુનિ મેઘજી ઋષિ (મુનિ ઉદ્યોતવિજય)ને ગણપદ તથા પન્યાસપદ અપાવ્યાં હતાં. ( – પ્રક. ૫૯, પૃ૦ ૧૫) તેણે દીક્ષા લીધી હતી. તેને (૧) દોશી પન) અને (૨) દેશી સુમતિ એમ બે પુત્રો હતા. (૩) દોશી ધનજી- તેનું બીજું નામ પનિયા પણ મળે છે. તેને ૧. હીરજી, ૨. મનજી, ૩. મદનજી, ૪. રતનજી અને ૫. ધરમજી એમ પાંચ પુત્રો હતા. આમાંને દોશી હરજી તેમને પૌત્ર હતા. (૪) દોશી મનજી – તે દોશી મનજીને બીજો પુત્ર હતો. તેનાં બીજાં નામ મનરાજ અને માનયા પણ મળે છે. તે વખતે આ કુટુંબ શેઠ મનિયાના નામે ઓળખાતું હતું અને તે નામે વિખ્યાત હતું. જે, ૧૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] જૈન પરંપરાનો ઈતિહાસ { પ્રકરણ તેને સં. ૧૯૪૦ના અષાડ સુદિ ૧૧ ના રોજ અમદાવાદમાં જન્મ થયો હતો. તે ધર્માત્મા હતો, તેણે સાધર્મિક ભાઈઓને જમાડી પાનસોપારી આપી વસ્ત્રોની પહેરામણી આપી હતી. સાધર્મિક તથા વિશાશ્રીમાળી જ્ઞાતિમાં સૌને ખાંડ ભરેલી થાળી અને મહમ્મદી સિક્કો આપી લહાણી કરી હતી. તેણે પાંચ પવીનાં પારણાં કરાવ્યાં હતાં. અમદાવાદનાં બધાં જિનાલમાં પૂજા ભણાવી હતી અને શ્રી પાર્શ્વનાથનું નવું જિનાલય બંધાવ્યું હતું. તેણે સં. ૧૭૦૨ના મોટા દુકાળમાં ગરીબોને સર્વ પ્રકારની સહાય કરી હતી અને દુકાળને દૂર કરવા માટે જહેમત ઉઠાવી હતી. જનતા તેને બીજે જગડુશાહ કહી બોલાવતી હતી. તેણે રત્નોની ૨૧ જિનપ્રતિમાઓ ભરાવી હતી. તથા શ્રી વિમળનાથ વગેરેની બીજી ઘણી જિનપ્રતિમાઓ ભરાવી હતી. તેમાં રફટિકની એક જિન પ્રતિમા આજે તેમના વંશજો પાસે વિદ્યમાન છે. તેણે રાણકપુર, હમીરગઢ, અચલગઢ, કુંભારિયા, મેઢેરા વગેરે સાત જૈન તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેણે પ્રતિષ્ઠિત કરાવેલી ઘણી જિન પ્રતિમાઓમાં કઈ કઈ પ્રતિમામાં કતરેલા લેખે પણ મળે છે. તે આ પ્રમાણે – (૧) અમદાવાદના દોશી પનિયા શ્રીમાલીના પુત્ર શેઠ મનિયાએ સં. ૧૭૧૦ના જેઠ સુદિ ૬ ને ગુરુવારના રોજ ભ૦ વિમલનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (– અમદાવાદના જમાલપુર દરવાજા પાસેના ટોકરશી શાહની પોળના જિનપ્રાસાદના ભેાંયરામાં મૂળનાયક ભગવાનની ડાબી બાજુની પ્રતિમા ઉપર લેખ છે. અહીં દર સાલ કાર્તિક સુદિ રન રે જ મેળે ભરાય છે.) (૨) અમદાવાદના દોશી મનિયા શ્રીમાલી, તેની પત્ની સત્યદેવી, તેને પુત્ર દોશી મદનજી, તેની પત્ની કસ્તૂરદેવી, તેના પુત્ર દોશી દીપચંદ સં. ૧૭૧૦ના જેઠ સુદિ ૬ ને ગુરુવારે ગુરુપુષ્યાગમાં પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે “ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા ” ભરાવી, તેની ભટ્ટા. વિજ્યાનંદસૂરિની આજ્ઞાથી ભટ્ટા, વિજયરાજસૂરિએ પ્રતિષ્ઠા કરી. WWW.jainelibrary.org Page #252 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [ ૨૧૧ (– અમદાવાદમાં ખાડિયા-ગોલવાડના જિનાલયમાં બિરાજમાન પ્રતિમા ઉપરને લેખ.) શેઠ મનિયાએ શ્રી શત્રુંજય તીર્થનો છ'રી પાળતે યાત્રા સંઘ કાઢ્યો હતોશ્રી વિમલનાથની પ્રતિષ્ઠા કરાવી. ભટ્ટારકની પિતાને ત્યાં પધરામણી કરાવી, બધા યતિઓને પ્રતિલાલ્યા. ૮૪ ગચ્છોમાં રૂપિયાની લહાણ કરી. મેટી જિનપૂજાએ ભણાવી તથા સાતે ક્ષેત્રોને પડ્યા હતા. ઉપાય શ્રી શિવવિજ્યજી ગણિવરના શિષ્ય પં. શીલવિજ્યજી ગણીએ સં. ૧૭૪૬માં રચેલી “તીર્થમાલા માં લખ્યું છે કે : શેઠ મનિયાના વંશમાં ૧. લહુજી, ૨. પનજી, ૩. મનજી, ૪ શાંતિદાસ, ૫. સામકરણ અને ૬. સુરચંદ વગેરે થયા હતા. દેશી મનિયાએ ધર્મનાં કાર્યોમાં ૭ લાખની રકમ વાપરી હતી. તેના પૌત્ર શાંતિદાસે તેનાથી પણ વધુ રકમ વાપરી હતી. (– તીર્થમાલા) શેઠ મનિયાના શરીરે ૭૧ વર્ષની ઉંમરે રોગ થયો. તેણે વૈરાગ્ય પામી પં. મેરુવિજય ગણના હાથે તપાગચ્છના (૫૯) ભટ્ટાશ્રી વિજયસેનસૂરિ શિષ્ય (૬૦) પં. શ્રી મેરુવિજય ગણી શિષ્ય (૬૧) પં. શ્રી લાવણ્યવિજય ગણું શિષ્ય (૬૨) મુનિ શ્રી માણેકવિજય નામથી સાધુ થયા હતા. તેમનું સં. ૧૭૧૧માં અમદાવાદમાં અનશન રવીકારી આરાધના કરતાં કરતાં કાળધર્મ પામી સ્વર્ગગમન થયું હતું. તેમને મુની વિનયવિજય નામે શિષ્ય હતા. શેઠ મનિયાને ૧. શાંતિદાસ, ૨. સેમકરણ વગેરે પુત્ર હતા. ૫. શેઠ શાંતિદાસ -તે શેઠ મનિયાને મેટો પુત્ર હતે. “રામપુરા માતાવાદ રાજા (૨૭૨૦) નોમનાથ नानादेशदरिद्रदीन जनतामन्नादिदानायुधैः । सत्रागाररणाङ्गणे निहतवान् दुर्भिक्ष विश्वद्विष । हाजापाटकमण्डनः स जयति श्री शान्तिदासे भटः ॥ શાંતિદાસ મનિયાભુત, કવિ આયા હૈ તેરે શરણ.” (- વીર વંશાવલી) Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શેઠ શાંતિદાસે સં. ૧૭૨૦ના જીવલેણ દુકાળમાં દાનશાળાઓ તથા પરબ બનાવી ગરીબોને અનાજ-પાણ પૂરાં પાડ્યાં હતાં. ઘી સાકર, ખાંડ, ગોળ, વગેરે આપ્યાં. કપડાં આપ્યાં તથા વાસણ, દવા વગેરે આપ્યાં, અને સૌને દુકાળના ભયથી વિમુક્ત કર્યા. શેઠ શાંતિદાસે હમીરપુર, તારંગા, કુંભારિયા, નાંદિયા, રાણકપુર, ભીલડિયાજી, શંખેશ્વર વગેરે સાત તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવી શ્રી શાંતિનાથ વગેરે તીર્થકરોની સ્ફટિકરત્નથી ૧૧ જિન પ્રતિમાઓ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. કવિબહાદુર દીપવિજ્યજી લખે છે કે – ગુજરાતિ શાંતિદાસ મનિયાના, અચલગઢે છે પ્રાસાદ વાવ ચૌદસેહે ચુમાલીશ મણ ધાતુની પ્રતિમા પૂરે આશ વા (-સહમ કુલ પટ્ટાવલી ઉલ્લાસ: ૪ ઢાળઃ ૫૦, જય૦ ૬ કડી : ૬, પૃ૦ ૧૦૦) સં. ૧૭૨૧માં આબુ તીર્થમાં અચલગઢમાં શ્રી ઋષભદેવનો નવો જિનપ્રાસાદ બનાવી ભટ્ટા. શ્રી વિજયરાજસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ( – પ્રક. ૩૭, પૃ૦ ૨૯૨ ) સં. ૧૭૨૫માં આબૂ ઉપર પોતાના નામથી શ્રી શાંતિનાથને જિનપ્રાસાદ બનાવ્યો. શ્રી શાંતિનાથ વગેરે તીર્થકરોની સ્ફટિક રનની ૧૧ જિનપ્રતિમાઓ ભરાવી, તેની પ્રતિષ્ઠા કરાવી હતી. (– પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પૃ. ૨૬ ૬ ) શેઠ શાંતિદાસે ધર્મકાર્યમાં પિતાના દાદા કરતાં વધુ રકમ વાપરી હતી. મહાપાધ્યાય ભાવવિજય ગણું લખે છે કે – દોશી શાંતિદાસે મોટાં મેટાં તીર્થોના છ'રી પાળતા ઘણુ યાત્રાસંઘે કાઢ્યા હતા. દોશી સુમતિદાસ વગેરે તેના પરિવારમાં હતાં. ૬. દેશી સૌભાગ્યચંદ – તેનું બીજું નામ દોશી સુરચંદ પણ મળે છે. ઉપા. શ્રી સત્યવિજય ગણીવરે સં. ૧૭૮૭ના વૈશાખ વદિ Page #254 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ. વંશ [૨૧૩ ૭ ને સોમવારે ખંભાતબંદરમાં શેઠ શાંતિદાસના પુત્ર સૌભાગ્યચંદની વિનંતીથી “જિનસ્તવન ચોવીશી” રચી. ( – પટ્ટા સ૦ ભા-૨, પૃ. ૨૫૫) દેશી મનિયા શ્રીમાલીન વંશ –(નં. ૨) ૧ દોશી રંગા ૨ દોશી લહુઆ ૩ દોશી પનિયા ૪ દોશી મનિયા ૫ દેશી સેમકરણ – તે દોશી મનિયાને બીજો પુત્ર હતો. તેનું બીજુ નામ દોશી સોમચંદ પણ મળે છે. તે મોટે ભાગે ખંભાતમાં રહેતો હતો અને અવારનવાર સુરત આવ-જા કરતો હતો. કવિબહાદૂર ૫૦ દીપવિજયજી ગણી લખે છે કે – સેમકરણ મનિયા રાજનગર તણું રે, રજિયા-વજિયા સુજાણ; પાટમહોત્સવ કીધે બહુ ભાવશું રે, શ્રી રાજનગર માંહે જાણુક્યા. ૮ આથી સ્પષ્ટ છે કે, શ્રી. રાજનગર – અમદાવાદના દોશી મકરણ મનિયા અને ખંભાતના રાજિયા–વજિયા પારેખે ભટ્ટાવિજયાનંદસૂરિને સ્વતંત્ર ગચ્છ સ્થાપવામાં મુખ્ય ભાગ લીધો હતો. (– સેહમકુલપટ્ટાવલી – ઉલ્લાસ ૪, ભટ્ટા, વિજય તિલકસૂરિ વર્ણન, પટ્ટાવલી સમુચ્ચય – પુરવણી પૃ. ૮૭) શેઠ શાંતિદાસ પછી અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ મકરણ બન્યા હતા. આજે પણ તેમના વંશજો એ જ્ઞાતિના શેઠ છે – તેમના વંશજોના હાથમાં જ્ઞાતિની શેઠાઈ છે. ૬. શેઠ સૂરજમલ – તે દોશી સેમકરણને પુત્ર હતો. ૭. શેઠ જેચંદ ૮. શેઠ જોઈતારામ ૯. શેઠ અમરચંદ ૧૦. શેઠ રાયચંદ નિય. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ૧૧. શેઠ મેહેલ્લાલ ૧૨. શેઠ સાંકળચંદ– તેમને પાર્વતીબાઈ નામે પત્ની હતી. ૧૩. શેઠ માયાભાઈ – અમદાવાદના શેઠ સાંકળચંદભાઈ અને તેમનાં પત્ની શેઠાણી પાર્વતીબાઈ થી મયાભાઈનો જન્મ સં. ૧૯૪૬ના પ્ર. ભા. સુ. ૧ ના રોજ થયો હતો. મયાભાઈ બુદ્ધિશાળી હતા, ધર્મપ્રેમી અને લોકપ્રિય પણ બન્યા. તેમને ધીરજબેન નામે પત્ની હતાં, જે અમદાવાદની જહાંપનાહની પોળના શેઠ જેસિંગભાઈ ઠાકરશીની પુત્રી હતાં. તે સુશીલા, ઘરરખુ અને ધર્મપ્રેમી હતાં. શેઠ મયાભાઈ અમદાવાદની વિશાશ્રીમાળી જ્ઞાતિના શેઠ હતા અને અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના માનદ વહીવટદાર સભ્ય હતા. નગરશેઠ કસ્તૂરભાઈ એ મણિભાઈએ મુનિ દર્શનવિજય, મુનિ જ્ઞાનવિજય અને મુનિ ન્યાયવિજય (ત્રિપુટી)ના ઉપદેશથી મેરઠ પ્રદેશ મુજફરનગર પ્રદેશમાં નવા બનેલા જૈનોને સહાય કરવા સ્થાપેલ શ્રી. ૦ મૂ૦ ધ પ્રક સમિતિના પ્રમુખ બન્યા હતા. તે સં. ૨૦૦૬ના પ્ર. અ. વ. ૬ (તા. ૫–૭–૧૯૫૦)ની વહેલી સવારે કલાક ૪ ને મિનિટ ૫૫ ના સમયે ૬૦ વર્ષની ઉંમરે શ્રી શત્રુંજયતીર્થનું ધ્યાન કરતાં કરતાં સમાધિપૂર્વક મરણ પામ્યા. ધીરજબેન સં. ૨૦૧૭ના બીજા જે વ૦ ૨ ને શુકવારે (તા. ૩-૬-૧૯૬૧)ના રોજ અમદાવાદમાં મરણ પામ્યાં હતાં. શેઠ મયાભાઈને ૧. નરોત્તમભાઈ, ૨. કસ્તૂરભાઈ અને ૩. કલ્યાણચંદ નામે ત્રણ પુત્રો છે. શેઠ મયાભાઈના મરણ પછી તેમના કુટુંબના શ્રી ચારભાઈ ભોગીલાલ વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ છે અને આ૦ ક0ની પેઢીના સ્થાનિક સભાસદ છે. ૧૪. શેઠ નરોત્તમભાઈ – તેઓ શાંત, અને ધર્મપ્રેમી છે. શેઠ આ કo પેઢીના માનદ સભાસદ છે. દોશી મનિયા શ્રીમાલીન વંશ (નં. ૩) ૧ દોશી રંગા ૨ દોશી લહુઆ ૩ દેશી સુમતિદાસ – તેમનું નામ ઉત્તરાધ્યયનની ટીકાના Page #256 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવન ] ાજનગરના નગરશેઠે વશ [ ૨૧૫ રચનાર મહા॰ ભાવિવજયજી ગણીએ સંસ્કૃત ગદ્ય ટીકાની પ્રરિતમાં નાંધ્યું છે. તેમને સૌભાગ્યદેવી નામે પત્ની હતી. અને દોશી જયકરણ, ઢાણી કીકા અને દોશી કેશવ વગેરે પુત્રા હતા. w ૪ દોશી જયકરણ – તેમને દોશી કાનજી નામે પુત્ર હતા. આ પિતા–પુત્ર માટે ભાગે ખંભાત રહેતા હતા. તેમણે સં૦ ૧૯૯૪ના કા॰ સુ॰ ના રાજ ખંભાતમાં ૪૫ આગમાં મૂળ પંચાંગી સાથે લખાવ્યાં હતાં. ( – શ્રી પ્રશસ્તિસૌંગ્રહ ભા, ૨, પ્ર૦ નં૦ ૭૩૦, ૭૩૨) દોશી મનિયા શ્રીમાલીના વશ (નં૦૪) ૧ દો રંગા ૨ ઢા॰ લહુઆ ૩ દા૦ પનિયા ૪ દા૦ સમરદાસ ૫ દા॰ હીરજી – આપણે પહેલા વશમાં ( મનિયા વંશ ન ૧ માં) તેને દોશી પનિયાના પુત્ર બતાવ્યેા છે. પણ તે વાસ્તવમાં દોશી પનિયાના પૌત્ર હતા. પ્રતિમાલેખ મળે છે કે- “ શ્રીરંગા વીશાશ્રીમાલી, પત્ની કીખાટી, સુત લહુઆ, સુત પનિયા, સુત સમરા, સુત હીરજીએ સ૦ ૧૬૭૫ના મહા સુદ ૪ ને શનિવારે કુંભારિયામાં ભગ॰ નેમિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર કરાવી તેમાં આ॰ વિજયદેવસૂરિ તથા ૫૦ કુશલસાગરગણીના હાથે ભગ॰ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (-પ્રા॰ જ લે॰ સં॰ ભા॰ ૨, લે૦ નં૦ ૨૭૮ ) Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ઓગણસાઈઠમું ભટ્ટારક વિજયસેનસૂરિ तत्पट्टमब्धिमिव रम्यतम सृजन्तः स्तोमैर्गवां सकलसन्तमस हरन्तः । कामोदनुस कुवलयप्रणया जयन्ति स्फुर्जत्कला विजयसेनमुनीन्द्रचन्द्रः ॥ २५ ॥ तदनु मनुजमन्योऽनन्यसामान्यभाग्य त्रिभुवनगुरुपट्टे सूरिशको बभूव । विजयिविजयसेनः फेनपिण्डावदातः प्रसृमरवरकीर्तिमूर्तिमान् पुण्यराशिः ॥ -(भडे। ति वि०४ी , वियार २४२ प्रशस्ति , दो० १८) तत्पट्टोन्नतपूर्व पर्वतशिरः स्फूर्तक्रियाहर्मणिः सूरिः श्रीविजयादिसेनसुगुरुमव्येष्टचिन्तामणिः । शुभ्रर्यस्य गुणरिवानघघनैरावेष्टितः शोभते भूगोलः किल यस्य कीर्तिसुदृशः क्रीडाकृत कन्दुकः ।। (-विनयविनय, सुमपिता प्रशस्ति) भविमलमलमकार्षीत् सद्गुरोस्तस्य पट्ट विजायविजयसेनः सूरिगुग्रप्रतापः । । महति सदसि शाहे दिनो निष्प्रभावान् । रविरिव निजगोभिस्तारकान् यो बभूब ॥ ( - मानवि०४५७, धर्मखनी प्रशस्ति) વંદુ હીરજી સેનજી જોડલી, દોઉ જિનશાસન વડનૂર જીરે મુનિગણ ભાટક ચંદ્ર છે, વલી સેહમકુલ નભસૂરિ. વંદો૧૩ (-सामस पहावली २२स, ७० ४, ढा : ४७ पट्टी०स० मा०२, ५.८५) જિહાં એ ગુરૂ કરે વિહાર, અઢી જોયણુમાંહે વિસ્તાર; Page #258 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટાર વિજયસેનસૂરિ [૨૧૭ તિહાં નહીં મરકી અને દુકાળ, એ ગુરુવાર વંદુ ત્રિકાળ. ૧૫ તેહ સમાન ગુણ રચણ નિધાન, વિજયસેનસૂરિ યુગપ્રધાન શાંતિચંદ્ર વાચકને શિષ્ય, અમરચંદ્ર નમે નિશાદિશ. ૧૬ (- યુગપ્રધાન સંખ્યા સક્ઝીય, ચો૦ ૧૬ ) “જેણઈ ઉસૂત્ર નિવારી દરઈ, વિમલ કિ મુનિપંથક વિજયસેનસૂરિ શિરોમણિ, ઉદયે મહાનિર્ચથ. ૬૪ (– વિનયવિજયજી, ગણધર પટ્ટાવલી સજઝાય, પટ્ટા સ૦ ભા૨, પૃ૦ ૧૮૩ થી ૧૮૫) ભટ્ટારક વિજયસેનસૂરિ જન્મ – મારવાડમાં જેસલ પહાડની પાસે નાડલાઈ ગામ છે. ત્યાં કર્માશાહ નામે ઓસવાલ જ રહેતા હતા. તેનાં પત્ની કેડમદેવીથી સં. ૧૬૦૪ના ફાગણ સુદિ ૧૫ ના રોજ એક બાળકનો જન્મ થયો. જન્મના શુભ મુહૂર્તમાં લગ્નકુંડલી આ રીતે હતી – પહેલે સ્થાને વૃષભનું લગ્ન, ચેાથે સિંહનો ચંદ્ર, છઠું તુલાને રાહુ, આઠમે ધનને શનિ, નવમે મકરને મંગલ, દસમે કુંભનો રવિ તથા બુધ, અગિયારમે મીનને ગુરુ તથા શુક્ર અને બારમે મેષને કેતુ હતા. આ બાળક ગર્ભમાં હતો ત્યારે માતાએ સ્વપ્નમાં સિંહને જોયો આથી માતા-પિતાએ એ બાળકનું નામ જયસિંહ રાખ્યું. (– વિજય પ્રશસ્તિકાવ્ય, સર્ગઃ ૨, શ્લો૦ ૩૧. ૩૨, ૫૧ ) શા. કર્મશાહે સં. ૧૬૧૧માં ખંભાતમાં પત્નીની સમેતિ મેળવી તપાગચ્છના ભટ્ટારક શ્રી. વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. ભટ્ટા. શ્રી વિજયદાનસૂરિએ તેને દીક્ષા આપી, આ. વિજયહીરસૂરિના શિષ્ય તરીકે જાહેર કર્યા અને તેનું નામ રાખ્યું મુનિ કમલવિજય. કેડમદેવને ભાઈ જયતો પાલી શહેરને સંઘપતિ હતો. તે તેની બેન કેડમદેવી અને ભાણેજ સિંહને પાલી લઈ ગયો. તે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] જેન પરંપરાને ઈતહાસ Fપ્રકરણ પછી માતા કેડમદેવી અને પુત્ર જયસિંહ એ બંનેએ સંઘપતિ જ્યતાની આજ્ઞા લઈ ભટ્ટારક આ૦ શ્રી. વિજયદાનસૂરિ પાસે સુરતમાં જઈ પિતાને દીક્ષા આપવા વિનતિ કરી. દીક્ષા – ભટ્ટાવિજયદાનસુરિએ સં. ૧૬૧ ના જેઠ સુદિ ૧૧ના રોજ સુરતમાં સિંહ લગ્નમાં માતા અને પુત્રને દીક્ષા આપી. એ સમયે દીક્ષાકંડલી આ રીતે હતી : એટલે પહેલે સ્થાને સિંહલગ્ન, ત્રીજા તુલાના સેમ અને મંગળ, પાંચમે ધનને ગુરુ, નવમે મેષના શનિ અને રાહુ, અગ્યારમે વૃષભને શુક, બારમે મિથુનને સૂર્ય અને બુધ હતા. આ પ્રમાણેની ગ્રહસ્થિતિ હતી ત્યારે બંનેને દીક્ષા આપી માતાનું નામ સાધ્વી કલ્યાણશ્રીજી અને પુત્ર જયસિંહકુમારને આ૦ વિજયહીરસૂરિના શિષ્ય બનાવી તેનું નામ મુનિ જયવિમલ રાખવામાં આવ્યું. (– વિજયપ્રશસ્તિ કાવ્ય, સર્ગઃ ૫, ૦ ૮૪-૮૭) ગચ્છનાયક ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિએ જયવિમલને પાટણ આ. વિજયહીરસૂરિ પાસે મોકલ્યા. મુનિ જયવિમલે ગુરુ પાસે રહી વ્યાકરણ, કેશ, સાહિત્ય, છંદ, જૈનેતર ન્યાયગ્રંથ તથા જૈન ન્યાય, વિવિધ વિષયના વિજ્ઞાનJથે અને જિનાગમને અભ્યાસ કર્યો. આ તરફ ગચ્છનાયક ભટ્ટારક શ્રી. વિજયદાનસૂરિ સં. ૧૯૨૧ના વૈ૦ સુ. ૧૨ ના રોજ પાટણ પાસેના વડલી ગામમાં સ્વર્ગસ્થ થયા. (– વિજયપ્રશસ્તિ, સર્ગઃ ૬, ૦ ૨૯,૩૦) શ્રી સંઘે ત્યાં ભટ્ટાશ્રી વિજયદાનસૂરિને સ્તૂપ બનાવ્યો, અને આ૦ શ્રી. વિજયહીરસૂરિને ગચ્છનાયક બનાવ્યા. આ. શ્રી વિજયહીરસૂરિએ મુનિ જયવિમલને સં૦ ૧૬૨૬ના ફાગણ સુદિ ૧૦ના ખંભાતમાં પંન્યાસ તથા સં૦ ૧૬૨૮ના ફાગણ સુદિ ૭ને સોમવારે અમદાવાદના અહમદપરામાં ઉપાધ્યાય બનાવ્યા. તથા સં૦ ૧૬૨૮ના ફાગણ સુદિ ૭ને સોમવારે જ વૃષભ લગ્નમાં પહેલે વૃષભને ચંદ્ર, ત્રીજે કર્કનો રાહુ, છઠું તુલાને મંગળ અને શનિ, દશમે કુંભનો સૂર્ય અને બુધ, અગિયારમે મીનનો ગુરુ અને શુક હતા. ત્યારે આવી લગ્નકુંડલીમાં અને પૃથ્વીતત્ત્વને સ્વર ચાલતે હતું ત્યારે અમદાવાદના અહમદપરામાં શેઠ મૂલાએ કરેલ પદવી Page #260 -------------------------------------------------------------------------- ________________ આગણુસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ (૨૧૯ ઉત્સવમાં ઉપા૦ જયવિમલગણીને આચાય પદ્મ આપી તેનું નામ આ વિજયસેનસૂરિ રાખ્યું. ( -વિજયપ્રશસ્તિ, સ : શ્લા ૬૭ન્ડર ) આ વિજયહીરસૂરિએ એ જ મુહૂતમાં ઉપા॰ વિમલ મહેાપાધ્યાયની પદવી આપી તથા મુનિ પદ્મવિજય, મુનિ સાગર ગણી વગેરે છ ગણવાને પન્યાસપઢવી અર્પણ કરી. અમદાવાદમાં લેાંકાગચ્છની ગાદીએ શ્રીપૂજ ઋષિ મેઘજી હતા તે તથા લાંકાગચ્છના બીજા ૨૭ યતિઆએ આ જ અરસામાં અમદાવાદમાં ભટ્ટા॰ વિજયહીરસૂરિ પાસે આવી લેાંકાગચ્છ છેડી સવેગી દીક્ષા સ્વીકારી હતી. ગણીને લબ્ધિ આ॰ વિજયહીરસૂરિએ સ’૦ ૧૬૩૦ના પે૦ ૧૦ ૧૪ (૩૦ ૪)ના રાજ પાટણમાં આ॰ વિજયસેનસૂરિને ભટ્ટારકપદ આપી પેાતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યાં ત્યારે ત્યાં તેમના વના-ઉત્સવ ઊજવાયા હતા. આ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૩રના વૈ૦ સુ૦૧૩ ના રાજ પાવાગઢતી માં ચાંપાનેરના શેઠ જયવતના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. વાદજય ~ સં૰૧૬૩૨માં આચાર્યશ્રીએ ચાતુર્માસ કર્યું. આ સમયે સુરતમાં ચિંતામણિ, ભટ્ટમિશ્ર વગેરે પડિતા અને નગરજનાની મેાટી સભામાં દિગંબર ભટ્ટારક વાદી ભૂષણને હરાવ્યા. ( – વિજયપ્રશસ્તિ કાવ્ય, સ` : ૮, શ્લે ૪૪) ગચ્છનાયક આ॰ વિજયહીરસૂરિએ સ૦ ૧૬૩૮માં ગંધારમાં અને આ॰ વિજયસેનસૂરિએ પાટણમાં ચામાસું કર્યું. આ॰ વિજયહીરસૂરિ સં૦ ૧૬૩ના મહા મહિનામાં ગંધારથી વિહાર કરી અમદાવાદ, પાટણ થઈ આ॰ વિજયસેનસૂરિને મળીને ગચ્છરક્ષાની ચેાગ્ય વ્યવસ્થા બતાવી ફત્તેપુરસિક્રી પધાર્યા. આ૦ વિજયસેનસૂરિએ સં॰ ૧૬૩૯-૪૦ માં બીજે સ્થાને ચામાસાં કર્યાં અને સં ૧૬૪૨માં પાટણમાં ચામાસુ` કર્યું. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ શાસ્ત્રોથ જય – ખરતરગચ્છવાળાઓએ સં. ૧૬૪રના ચોમાસામાં પાટણમાં મટી સભામાં આ૦ વિજયસેનસૂરિને શાસ્ત્રાર્થ માટે લાવ્યા. મહા ધર્મસાગરગણીના “પ્રવચનપરીક્ષા” ગ્રંથ માટે આ શાસ્ત્રાર્થ જાયો હતો. ૧૪ દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને આ વિજ્યસેનસૂરિએ આ શાસ્ત્રાર્થમાં જય પ્રાપ્ત કર્યો. (- વિજય પ્રશસ્તિ કાવ્ય, સર્ગઃ ૧૦, ૦ ૩, ૪) ખરતરગચ્છવાળાઓએ પાટણમાં હાર થવાથી સં૦ ૧૬૪૩માં અમદાવાદમાં સૂબા ખાનખાનાની રાજસભામાં કલ્યાણરાજ અને રાજ્યના અધિકારી વર્ગની મદદથી મેટા ઉમરા, મેટા પંડિત અને નગરજનોની હાજરીમાં શાસ્ત્રાર્થ માંડ્યો. આ. વિજયસેનસૂરિના શિષ્યએ કલ્યાણરાજ ખરતરનો જૈન સંઘ તથા સભાજનેને પ્રવચનપરીક્ષા બાબતનો ભ્રમ ભાંગી જય મેળવ્યો. સંઘે તે શિષ્યોને સૂબા ખાનખાનાની મદદથી તથા તેણે આપેલા વાજાગાજાના ઉત્સવથી ઉપાશ્રયમાં પ્રવેશ કરાવ્યા. (– વિજય પ્રશસ્તિ કાવ્ય, સર્ગઃ ૧, ૦ ૫ થી ૮) આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૪૩ના ફાગણ સુદિ ૧૧ના રોજ અમદાવાદમાં શ્રી. અહિવ દેવીના ઘરદેરાસરના પ્રતિષ્ઠા-મહોત્સવમાં ઈડરના શેઠ સ્થિરપાલ ઓસવાલ જૈનના ૯ વર્ષના પુત્ર વાસણને તેની માતા રૂપાદેવીની આજ્ઞા મળવાથી દીક્ષા આપી. પિતાને શિષ્ય બનાવ્યું અને તેનું નામ રાખ્યું મુનિ વિદ્યાવિજય. આચાર્યશ્રીએ તે જ દિવસે અમદાવાદમાં શ્રી. અહિવદેવીના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. સં૦ ૧૬૪૩ના જેઠ સુદ ૧૦ ને શુક્રવારના રોજ ગંધારમાં શેઠ ઇંદરજીના ભ૦ મહાવીર સ્વામીના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી હતી. આચાર્યશ્રીએ સં. ૧૬૪૭માં ખંભાતમાં ચોમાસું કર્યું. જગદ્ગુરુને વંદન – આ. વિજયસેનસૂરિ સં. ૧૬૪૪માં પિતાના મુનિ પરિવારને સાથે લઈ ખંભાતથી વિહાર કરી સિરોહી પધાર્યા. ત્યાં ફતેપુર Page #262 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૨૧ સિક્રિીથી પધારેલા જગદગુરુ આ. વિજયહીરસૂરિને વંદન કર્યું. ખંભાતના શેઠ વજ્યિા–રાજિયા પારેખ ખંભાતથી છરી પાળતા તેમની સાથે સિરોહી ગયા હતા. તેમણે જગદ્દગુરુને વિનંતી કરી કે, આપ ખંભાત પધારો અગર આપના પટ્ટધરને મેકલો.” આવિજયસેનસૂરિએ ગુરુ આજ્ઞાથી સિરોહીથી વિહાર કરી સં. ૧૬૪૪માં ખંભાત આવ્યા અને ચાતુર્માસ કર્યું. ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથ પ્રતિષ્ઠા – આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૧ ને સેમવારે ખંભાતના સાગવટ પાડામાં શા. વજિયા-રાજિયા પારેખે બંધાવેલા જિનાલયમાં તેમણે ભરાવેલી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. - આ પ્રતિષ્ઠામાં ૧ ભગવ્ય ચિંતામણિ પાર્શ્વનાથ ૪૧ આંગળના, ૨ ભગવ મહાવીરસ્વામી, ૩ નેજા માટે ભ૦ કષભદેવ, ૪ કાવના સર્વજિનપ્રાસાદ માટે ભ૦ મહાવીરસ્વામી, ૫ ગંધાર માટે નવપલ્લવિયા પાર્શ્વનાથ, ૬ વરડોલા માટે કહેડા પાર્શ્વનાથ, ૭ વરડોલામાં ભ૦ નેમિનાથ વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી.૧ આ. વિજયસેનસૂરિએ સં. ૧૯૪૫માં ગંધાર જઈ નવપલવિયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી ત્યારથી ગંધાર બંદર તીર્થ બન્યું. સં. ૧૬૪૮માં રાધનપુરમાં જગદ્દગુરુ આ૦ શ્રી વિહીરસૂરિ અને આ૦ શ્રી વિજયસેનસૂરિ ચોમાસું રહ્યા હતા ત્યારે લાહોરથી બાદશાહ અકબરે ફરમાન લખી મેકહ્યું કે – આપને શત્રુંજયનો પહાડ ભેટ આપવામાં આવે છે અને જનોનો શત્રુંજયને કર માફ કરવામાં આવે છે.” હવે તમે તમારા પટ્ટધર આ. વિજયસેનસૂરિને લાહોર મોકલો.” ૧. ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરામાં આ૦ વિજયસેનસૂરિએ જ સં. ૧૯૫૭માં ૩૩ આંગળ પ્રમાણ ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. ૨. આ વિજયસેનસૂરિએ તે પછી સં. ૧૬૫૯ કે ૧૯૬૨માં વૈ૦ વદિ ૬ ને ગુરવારે ગંધાર બંદરમાં બીજી પણ પ્રતિષ્ઠા કરી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ આ. શ્રી વિજયસેનસૂરિએ સં. ૧૬૪લ્માં ગુરુની આજ્ઞા પ્રમાણે રાધનપુરથી વિહાર કર્યો. તેઓ પાટણ, આબુ, સિરોહી, રાણકપુર, વરકાણ, નાડલાઈ, ડીંડુઆણક, વૈરાટનગર, મહિમનગર, લોધિયાણું અને ગંજ થઈ સં. ૧૬૪૯ના ચૈત્ર સુદિ ૧૧ના રોજ લાહોર પધાર્યા.૧ લોધિયાણુથી લાહેર ૬ ગાઉ થાય. શેખ અબુલફજલને ભાઈ શેખ જી લોધિયાણામાં આવી આ૦ શ્રી વિજયસેનસૂરિને મળ્યો. પં. નંદિવિજય ગણીવરે લેધિયાણામાં સૌની સામે આઠ અવધાન કર્યા. શેખ ફેજી તે જોઈ ખુશ થયો. તેણે બાદશાહ પાસે જઈ આ અવધાનની વાત જણાવી. ૫૦ ભાનુચંદ્રગણું ગંજમાં આ. વિજયસેનસૂરિની સામે આવ્યા. આ૦ વિજયસેનસૂરિ લાહોર પધાર્યા. બાદશાહે તેમને ભટ્ટા વિજયહીરસૂરિના સુખ-સમાચાર પૂછડ્યા. આચાર્યશ્રીએ તેને જગદુગુરુ તરફથી ધર્મલાભ સંભળાવ્યો અને સારા સમાચાર પૂછયા. બાદશાહી રાજસભામાં બાદશાહ અકબર રાજસભામાં બેઠા હતા ત્યારે આ સભામાં મંડોવરના રાજા મલદેવને પુત્ર ઉદયસિંહ, કચ્છનરેશ જ્ઞાનસિંહ, રાજા માનસિંહ, ખાનખાના અબુલફજલ, આઝમખાન, ભિલોટના ગઝનીખાન બીજા ઉમરા, હિંદુ રાજાઓ, મેગલ સરદારો, બ્રાહ્મણ, પંડિતો વગેરે બેઠા હતા. બાદશાહ સૌ પ્રથમ પં૦ નંદવિજય ગણિવરનાં આઠ અવધાને અને તેમની યાદદાસ્ત જોઈ ખુશ થયા. તેણે તેમને “ખુશફહમ” નું બિરુદ આપ્યું. પ્રશ્નોના ખુલાસા : બાદશાહ અકબરની સભાના પંડિત મૂંઝાયા. તેમને એમ થયું કે જૈન સેવડાઓ ત્યાગી અને વિદ્વાન હોય છે. જે આવે છે તે બાદશાહ ઉપર પ્રભાવ પાડે છે. આથી બાદશાહ જન તરફ વધુ ને ૧. મહિમનગરમાં જૈન ઘરે હતાં. તેઓ સાધુ મહારાજને ચોમાસું કરાવતા હતા. પં. કમલવિજય ગણિવરે સં૦ ૧૬૬૭માં હીસાર – મહિમમાં ચોમાસું કર્યું હતું. Page #264 -------------------------------------------------------------------------- ________________ એ ગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૨૩ વધુ ખેંચાતો જાય છે. તો હવે આપણે તેને ઉપાય કરવો જોઈએ, જેથી જનેનો પ્રભાવ ઓસરવા માંડે. એક પંડિતે બાદશાહને જણાવ્યું કે નામદાર ! આ પંડિતો ઘણી બાબતમાં અમારાથી જુદા પડે છે. ૧ જૈને ઈશ્વરને માનતા નથી. ૨ સૂર્યને માનતા નથી. ૩ ગાયને પૂજતા નથી. ૪ ગંગાને પવિત્ર માનતા નથી વગેરે વગેરે. આ. વિજયસેનસૂરિએ બાદશાહના પૂછવાથી બધા પ્રશ્નોના એક પછી એક શાંતભાવે અને ગંભીરતાથી ખુલાસા આપ્યા— “य शैवाः समुपासते शिव इति बह्मेति वेदान्तिना बौद्धा बुद्ध इति प्रराणपटवः कमेति मीमांसकाः अर्हन्नित्यथ जैन शासनरताः कतेति नैयायिका: सोऽय से विदधातु वाञ्छितफल त्रैलोकयनाथो हरिः ॥" (– હનુમન્નાટક) (૧) જેને સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ ઈશ્વરને માને છે. નિરાકાર કે સાકાર નિરંજન ઈશ્વરને માને છે જેને જેનો અરિહંત કે સિદ્ધ તરીકે ઓળખાવે છે. જેનાં મંદિરો છે, તીર્થો છે, વગેરે, વગેરે. (૨) વ્રતધારી સાધુઓ અથવા ગૃહસ્થ સૂર્ય આથમે ત્યારથી સૂર્ય ન ઊગે ત્યાં સુધી અનાજ-પાણી લેતા નથી. જૈન ગાયના ગળામાં બંધન થાય ત્યારથી તે બંધન ન છૂટે ત્યાં સુધી અનાજ-પાણું લેતા નથી. (૪) જૈનો જન્માભિષેકમાં ખુદ તીર્થકરોને અને કલ્યાણક ઉત્સવમાં, વિવિધ અભિષેકમાં જિનપ્રતિમાઓને ગંગાના પાણી અને ગાયના દૂધ વડે અભિષેક કરે છે. આથી સમજાશે કે વિદ્વાન પંડિતાએ જૈનો માટે જે જે શંકાઓ કરી છે તે પાયા વિનાની-નિરાધાર છે. તે પછી બીજા સેંકડે વિદ્વાનોએ આવી જુદા જુદા પ્રશ્નો પૂછવા. આચાર્યશ્રીએ સમાધાન આપી સૌને સંતુષ્ટ કર્યા. આ. વિજયસેનસૂરિવરે બાદશાહી રાજસભામાં આ૦ હેમચંદ્ર Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] જેન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ સૂરિએ “યોગશાસ્ત્ર” (પ્રકાશ-૬)ને એક શ્લેક ના ફુવવિ ના ૭૦૦ અર્થ કરી બતાવ્યા. તે પછી આ૦ વિજયસેનસૂરિએ બાદશાહ અકબર અને શેખ અબુલ ફજલના કહેવાથી પં. ભાનુચંદ્ર ગણિને મહોપાધ્યાયની પદવી આપી. આ પદવીના ઉત્સવમાં શેખ અબુલ ફજલે રૂા. ૬૦૦) હસે રૂપિયાનું દાન કર્યું. જૈન સંઘે પણ વિવિધ દાન કર્યા. સવાઈહીર– બાદશાહ અકબરે આ૦ વિજયસેનસૂરિને જગદગુરુ આચાર્ય વિજયહીરસૂરિના યોગ્ય પટ્ટધર છે એમ સમજી “સવાઈહીર”નું બિરુદ આપ્યું. બાદશાહ અકબરે આ. વિજયસેનસૂરિના ઉપદેશથી આચાર્ય શ્રીને છ મુદ્દાઓ ઉપર ફરમાન લખી આપ્યું. - તેમાં ૧. ગાય, બળદ, ભેંસ, પાડાને મારવા નહીં. ૨ મરેલાનું ધન લેવું નહીં અને ૩ ગુલામ તરીકે પકડવા નહીં વગેરે વગેરે પ્રતિજ્ઞા કરી. (– પ્રક. ૪૪, ફરમાન પૃ. ૨૪) આચાર્યશ્રીએ સં. ૧૬૪૯, સં. ૧૬પ૦, સં. ૧૬૫૧માં લાહોરમાં ત્રણ ચાતુર્માસ વિતાવ્યા. - સં. ૧૬૫રમાં તેમને એવા સમાચાર મળ્યા કે ગુરુદેવ આવે વિજયહીરસૂરિનું સ્વાથ્ય બગડયું છે. આ સમાચાર તેમણે બાદશાહને પણ જણાવ્યા. તેમની સંમતિ મેળવી આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો. તેમણે વિહાર કરતાં કરતાં મહિમનગર આવી ચોમાસું (પર્યુષણ - પવ) કર્યું. અને ત્યાંથી ગુજરાત તરફનો વિહાર ચાલુ રાખ્યો. તેઓ ગુજરાતમાં પધાર્યા. સં. ૧૬પરના ભાદરવા સુદ ૧૪ની સવારે તેઓ પાટણ પહોંચ્યા. જગદગુરૂ આ. વિજયહીરસૂરિનું સ્વાથ્ય સં. ૧૬૫૧ના ચોમાસામાં બગડ્યું હતું તેથી સંઘે તેમને વિહાર કરવા ન દીધો. અને સં. ૧૬પ૨નું ચોમાસું પણ ઉનામાં કરાવ્યું. જગદગુરૂએ સવ' ૧૬પર ના ભાવ સુટ ૧૧ના દિવસે ઉનામાં અનશન સ્વીકારી આરાધના કરતાં કરતાં શુભ ધ્યાનથી સ્વર્ગગમન કર્યું. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૨૫ ઉનાના સંઘે આ સમાચાર ગામેગામ મેકલ્યા. આ સમાચાર ભાદરવા સુદિ ૧૩ ના રોજ પાટણ પહોંચ્યા. આથી પાટણના સંઘે ભા.સુ. ૧૪ની સવારે ઉપાશ્રયમાં જગદ્ગુરુના દેવવંદન કરવા સંઘને એકત્ર કર્યો. સૌ આવ્યા. પોતાના પરિવાર સાથે ત્યાં હતા. તેણે સંઘ પાસેથી ગચ્છનાયકના સ્વર્ગવાસના સમાચાર જાણ્યા. પછી તો આચાર્ય મહારાજ અને સંઘ સાથે જ જગદ્ગુરુનું દેવવંદન કર્યું. આચાર્યશ્રીને ઘણું દુઃખ થયું હતું. શ્રી સંઘે તેમને સમજાવી શાંત કર્યા. ગચ્છનાયક – આચાર્ય વિજ્યસેનસૂરિ ગચ્છનાયક થયા. જૈન ગ્રંથકારો ગચ્છનાયક જગદગુરુ આ૦ વિજયહીરસૂરિને ગણધર શ્રી. સુધર્મસ્વામી અને આ વિજયસેનસૂરિને ગણધર શ્રી જે બૂસ્વામીની જેડીની ઉપમા આપે છે. કેમ કે તેઓ ભસ્મગ્રહ ઊતરી જવાથી તેમના શાસનમાં જ્ઞાન-દર્શન ચારિત્રમાં સર્વતોમુખી વૃદ્ધિ થયાનું તથા શ્રમણસંઘની ઉન્નિત થયાનું માને છે. તેમના હાથે ઘણું દીક્ષાઓ થઈ હતી. પ્રતિષ્ઠા – આ ગચ્છનાયક આ૦ વિજયસેનસૂરિ, મહો. કલ્યાણ વિજ્યગણ પં. ધનવિજયગણી વગેરે પાટણથી વિહાર કરી ખંભાત પધાર્યા. સં. ઉદયકરણે સં. ૧૬૭૮ના મહા સુદિ ૧૩ના રોજ જગશ્રુ શ્રી. હીરવિજયસૂરિ પાસે ભ૦ ચંદ્રપ્રભુના જિનાલયની પ્રતિષ્ઠા કરાવી હતી. પણ તે વખતે બનાવેલી હીરવિજયસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા બાકી રાખી હતી. તેની આ વિજયસેનસૂરિ, મહ૦ કલ્યાણવિજયગણ વગેરેના હાથે સં. ૧૬૩ર-પ૩ના માગશર વદિ સેમવારે ખંભાતના ભ૦ ચંદ્રપ્રભુના જિનાલયમાં પ્રતિષ્ઠા કરી. તેઓએ ખંભાતમાં ચોમાસું કર્યું. સં. ૧૬૫૪ના મહા સુદિ પના રોજ અમદાવાદના અકમીપુરમાં ધનાઢય શેઠ મેટા શવજીના જિનાલયની પ્રતિષ્ઠા કરી અને તે જ ઉત્સવમાં મહા ધર્મસાગર ગણીના શિષ્ય પં. લબ્ધિસાગરગણીને જે. ૧૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ઉપાધ્યાયપદ અપણ કર્યું. તે દિવસે વાછા (વત્સ) ઝવેરીને ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી અને સં. ૧૬૫૪નું ચાતુર્માસ અમદાવાદમાં અકમીપુરમાં કર્યું. વિચિંતામણિ પાર્શ્વનાથ–આ. વિજ્યસેનસૂરિ સં. ૧૬પપમાં અમદાવાદમાં કૃષ્ણપુર-કાલુપુર પધાર્યા ત્યારે અમદાવાદમાં બાદશાહ તરફથી કાટ હુસેન સૂબો હતો. એ સમયે આચાર્યશ્રીના કેટલાક શિષ્યોને સ્વપ્ન આવ્યું કે ઢીંકવા પાડા પાસેની અમુક જમીનને દો. તે પુરુષોએ સૂબાને આ વાત જણાવી. તેની પરવાનગી મેળવી એ જમીનને ખાદવામાં આવી ત્યારે તેમાંથી ચિંતામણિ પાર્શ્વનાથની કૃષ્ણરંગની ભવ્ય જિનપ્રતિમા નીકળી આવી. આ. વિજયસેનસૂરિએ ત્યાં આવી સં. ૧૯૫૫માં કાજીની પરવાનગી મેળવી તે પ્રતિમાને બહાર કઢાવી અને તેને સિકંદરપુરમાં પધરાવી. ગચ્છનાયકે તે પ્રતિમાનું વિજયચિંતામણિ પાર્શ્વનાથ નામ રાખ્યું. આચાર્યશ્રીએ સં. ૧૯૫૫માં અમદાવાદના સિંકદરપુરમાં ચિમાસું કર્યું અને મેટું જિનાલય બનાવવાને ઉપદેશ કર્યો. અમદાવાદના શ્રીસંઘે ત્યાં વિશાળ જિનપ્રાસાદ બંધાવ્યો અને આ. વિજયસેનસૂરિએ સં. ૧૬પ૬ના માત્ર સુત્ર ના રોજ અમદાવાદના સિંકદરપુર (બીબીપુર)માં તે જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી ને તેમાં શ્રી વિજયચિંતામણિ પાશ્વનાથની પ્રતિમાને બિરાજમાન કરી. ત્યાં એ જ જિનપ્રાસાદમાં આ. વિજયહીરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી. તથા તે જ દિવસે શેઠ લહુઆ, (લવજી) મનિયા ચાંપાનેરી શ્રીમાલીને ભ૦ શાંતિનાથના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. ગાંધી કુંઅરજી નાગર જેને કાવીબંદરમાં રત્નતિલક જિનપ્રાસાદ બંધાવ્યો તેમાં પધરાવવા માટે ભ૦ ધર્મનાથની જિનપ્રતિમાની અંજનશલાકા કરી. - આચાર્યશ્રીએ આ જ ઉત્સવમાં પં૦ નંદિવિજય ગણીને ઉપાધ્યાય પદવી આપી અને મુનિ વિદ્યાવિજય તથા મેઘજી ઋષિ (મુનિ ઉદ્યોતવિજ્ય)ને પંન્યાસપદવી આપી. તેમણે ગીતાને વાસક્ષેપ આપી કાવીબંદર મેકલી ગાંધી કુંઅરજી નાગર જેલના રતિલક Page #268 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટાર વિજયસેનસૂરિ [૧૨૭ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યદેવે ત્યાંથી વિહાર કરી લાડોલ જઈ ત્ર) મહિના સુધી સૂરિમંત્રનું ધ્યાન કર્યું. અધિષ્ઠાયક દેવે પ્રસન્ન થઈ જણાવ્યું કે પં. વિદ્યાવિજયગણિવર ગચ્છનાયકપદને યેાગ્ય છે તો તેમને ગ૭નાયક બનાવવા. આથી આચાર્યશ્રીએ સં. ૧૬૫૬માં લાડેલમાં પં. વિદ્યાવિજયગણુને ઉપાધ્યાયાપદ પ્રદાન કર્યું. તે પછી બધા ઈડર, તારંગા શંત્રુજયતીર્થ, ઉનામાં જગદગુરુના સ્તૂપની વગેરેની યાત્રા કરી ખંભાત પધાર્યા. આ. વિજયદેવસૂરિ– ખંભાતમાં આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૫૬ના વિ૦ સુ૪ ને સેમવારે મૃગશિર નક્ષત્રમાં અમૃતસિદ્ધિ અને રવિયેગમાં ખંભાતમાં શેઠ મલજીએ આમંત્રણ પત્રિકા કાઢી ઊજવેલ પદવી મહોત્સવમાં ઉપા. વિદ્યાવિજયગણીને આચાર્ય બનાવ્યા અને તેમનું નામ આ. વિજયદેવસૂરિ રાખ્યું, તથા પં૦ મેઘજી ઋષિ (૫) ઉદ્દદ્યોતવિજય)ને ઉપાધ્યાયપદ અર્પણ કર્યું. આ ઉત્સવ સાથે ઠક્કર કાકાના ઘરદેરાસરને પ્રતિષ્ઠાઉત્સવ શરૂ થયો. આચાર્યશ્રીએ સં૦ ૧૬૫૬ના વૈ૦ સુલ ૭ને બુધવારે ખંભાતમાં ઠ૦ કીકાના ભ૦ નેમિનાથ પંચતીથી ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી, તથા શ્રી. કાનજીભાઈ મેઢ જૈનના ભ૦ પાશ્વનાથની પંચતીર્થના ઘરદેરાસરની અને કાવી બંદરના ગાંધી કુંઅરજી નાગર જૈન વગેરે ત્રણ જન ભાઈઓએ કાવી માટે ભરાવેલ ભ૦ ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરી. તથા આ જ ઉત્સવમાં સં. ૧૬૫૬ના વૈ૦ સુ૦ ૭ને બુધવારે ખંભાતમાં પં. રાજવિજય ગણીને ઉપાધ્યાય બનાવ્યા. વળી, આચાર્યદેવે કાવી બંદરના ગાંધી કુંઅરજી નાગર જૈને પિતાની પત્ની તેજલદેના નામથી અને તેના પુત્ર કાનજીના નામથી ભ૦ ધર્મનાથનું પરિકર, ભર શાંતિનાથની જિન પ્રતિમા અને ભ૦ સંભવનાથની જિનપ્રતિમાની અંજનશલાકા કરી હતી. (– વિજયપ્રશસ્તિ કાવ્ય, સર્ગ ૧૭, મો૬) Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ખંભાતમાં આ ઉત્સવમાં ૭૦૦ મુનિવરો એકઠા થયા હતા. આચાર્યશ્રીએ સં. ૧૬૫૬માં ચાતુર્માસ કર્યું. તે પછી તેઓ પાટણ પધાર્યા. આ સમયે તપાગચ્છમાં મહોધર્મસાગર ગણીની પરંપરાના મુનિવરોએ વિવિધ સ્થાનોમાં વિવિધ પ્રશ્નો ઉઠાવી ગચ્છભેદનાં કારણે આપ્યાં. સુરતના સંઘમાં પણ આ અંગે કલેશનું વાતાવરણ જખ્યું હતું. આચાર્યશ્રીએ તેની શાંતિ માટે સં. ૧૬૫૭ના માવર અને શનિવારે પાંચ બેલને નવો પટ્ટક બનાવી બધાં ગામોમાં મોકલ્યો અને સુરત સંઘને પણ એ નવ પટ્ટક મોકલવા સાથે તેને સલાહ આપતો ભલામણપત્ર પણ મેકલ્યો હતો. ગચ્છનાયકે સં. ૧૯૫૭માં અમદાવાદમાં ચોમાસું કર્યું. તથા શેઠ મેઘજીની ભગઇ અજિતનાથ વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૫૮માં અમદાવાદમાં શેઠ શ્રીપાલ ઝવેરીએ ભરાવેલી ભ૦ પાશ્વનાથની ૬૭ આંગળી ઊંચી અને ૧૧ કણાવાળી ભગવ પાર્શ્વનાથની પ્રતિમાની શામળિયા પાર્શ્વનાથના ભંયરામાં પ્રતિષ્ઠા કરી અને તેનું નામ જગવલ્લભ પાર્શ્વનાથ રાખ્યું. ગચ્છનાયકે આ પ્રતિષ્ઠા ઉત્સવમાં ખંભાતના સોની તેજપાલ ઓસવાલની ભ૦ ઋષભદેવની ૭૧ આગળ ઊંચી જિનપ્રતિમાની અને પાટણના સોની તેજપાલની ભ૦ સુપાર્શ્વનાથની ૪૭ આંગળ ઊંચી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. યાત્રા સંઘ – આ. વિજયસેનસૂરિના ઉપદેશથી અમદાવાદના શેઠ સૂરાએ સં. ૧૬૫૮માં આ. વિજયસેનસૂરિ વગેરે મુનિ પરિવાર તથા ચતુર્વિધા સંઘને સાથે લઈ અમદાવાદથી આબુ તીર્થ વગેરે તીર્થોને છરી પાળતો યાત્રાસંઘ કાઢયો હતો. તેણે રસ્તામાં દરેક ગામમાં જૈનેના ઘરદીઠ મહમ્મુદિકાની લહાણી-પ્રભાવના કરી હતી. સંઘપતિએ આબુતીર્થને મેતી, શ્રીફળ, સોના-ચાંદીનાં પુષ્પો તથા વિવિધ ફળેથી વધાવ્ય. સંઘ આબુ, સિરોહી, રાણકપુર, નાડલાઈ, વકાણું વગેરે તીર્થોની યાત્રા કરી અમદાવાદ પા છે Page #270 -------------------------------------------------------------------------- ________________ આ ગ ણસાઈઠ ] ભટ્ટારક વિજ્યસેન્સર [૨૨૯ આવ્યો. સંઘપતિએ અમદાવાદ આવી અમદાવાદમાં જન ઘર દીઠ એ છેકેક રૂપિયાની લહાણુ–પ્રભાવના કરી. આ૦ વિજ્યસેનસૂરિએ સં. ૧૬૫ત્ના વૈ૦ વ૦ ને ગુરુવારે ગંધાર બંદર પધારી ઘણું જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી. બીજા ઉલ્લેખ પ્રમાણે આ પ્રતિષ્ઠા સં૦ ૧૬૬રમાં થઈ હતી. આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૫નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. અમદાવાદના જનોએ સં. ૧૬૫લ્માં એકંદરે એક લાખ મહમ્મુદ્રિકા ખરચી વિવધ ધર્મકાર્યોને લાભ લીધો હતો. આવિજયસેનસૂરિએ સં. ૧૯૬૦માં રાધનપુરમાં ચોમાસું કર્યું. ત્યાંના સૂબા પહાડીએ આચાર્યદેવની ઘણી ભક્તિ કરી. તે વ્યાખ્યાનમાં હમેશાં આવતું હતું. જેનોએ બાર વ્રતગ્રહણ, ઉપધાન વગેરે વિવિધ ઉત્સવ કર્યા. રાધનપુરના શ્રીસંઘે રામસેન તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ૦ વિજયસેનસૂરિએ રાધનપુરના સંઘ સાથે રામસેનતીર્થમાં ભ૦ ઋષભદેવની યાત્રા કરી અને રાધનપુર આવી વાસણ જેટાના મેટા જિનાલયની પ્રતિષ્ઠા કરી. સૌરાષ્ટ્રમાં વિહાર–યાત્રા-પ્રતિષ્ઠાએ– આ. વિજયસેનસૂરિ સપરિવાર સં. ૧૬૬૪માં સુરતથી વિહાર કરી સૌરાષ્ટ્રમાં પધાર્યા અને સં. ૧૬૬૪ના ચિત્ર સુ. ૧૫ના રોજ દીવબંદરના છરી પાળતા યાત્રા સંઘ સાથે શત્રુંજય તીર્થમાં પધાર્યા. ગુજરાતના પાટણ, અમદાવાદ, ખંભાત, સુરત વગેરે શહેરોના જૈન સંઘે પણ ગચ્છનાયક યાત્રાએ પધાર્યા છે એ હિસાબે સંતુ ૧૬૬૪ના ચ૦ સુ. ૧૫ના રોજ શત્રુંજયની યાત્રાએ આવ્યા. તેમણે ગચ્છનાયકને વિનંતી કરી કે આપ સૌરાષ્ટ્રને ઉપકાર કરવા ભાવના રાખે છે. પણ અમારા ગુજરાતનું શું? તે કૃપા કરીને આ૦ વિજ્યદેવસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપે. ગચ્છનાયકની આજ્ઞાથી આ વિજયદેવસૂરિએ ગુજરાતના સંઘ સાથે ગુજરાત તરફ વિહાર કર્યો. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ ગચ્છનાયકે દીવમંદરના સંઘ સાથે પાલિતાણાથી વિહાર કરી ૫૦ કાશ દૂર ઉના નગરમાં પધાર્યો. શેઠ મેઘજી—લાડકીમાઈ— દીવખ`દરમાં મેઘજીભાઈ નામે મેાટા શેઠ હતા, રાજમાન્ય હતા, જૈન સંઘના આગેવાન હતા. તેને લાડકીખાઈ નામે પત્ની હતી. આ બંને જગદ્ગુરુ વિજયહીરસૂરિનાં ઉપાસક હતાં. લાડકીમાઈ ધર્મશીલ હતી. પરમ શ્રાવિકા હતી. પવિત્ર જીવનચર્ચાવાળી હતી. દીવખ`દરના ફિગી અને યવના પણ એનુ પવિત્ર જીવન જોઈ નમ્ર બની તેનાં ચરણામાં માથું ઝુકાવતા હતા. સૌને તેના પ્રતિ પૂજ્ય બુદ્ધિ હતી. બધા તેનું સમ્માન કરતા હતા. આ॰ વિજયસેનસૂરિએ સ’૦ ૧૬૬૪માં ઉનામાં ૧ દીવની લાડકી ખાઈનાં જિનાલયાની, ૨ ઉનાની શેઠાણી અમૂલાખાઈનાં જિનાલયેાની, ૩ દીવના શેઠ કાલિદાસના જિનાલયની પ્રતિષ્ઠા કરી. આચાર્ય શ્રીએ આ પ્રદેશમાં સ૦ ૧૬૬૪માં ઉનામાં ત્રણ, પ્રભાસપાટણમાં ત્રણ અને દેલવાડામાં ત્રણ જિનપ્રતિષ્ઠા કરી હતી. દીવબેટમાં ગચ્છનાયકે સ` ૧૬૬૫માં દીવખ`દરના કાજી ગુરુ કેપ્ટન કૈલાસ દીવાન અને પાદરીએ દેલવાડા આવી દીવ પધારવા વિનંતી કરવાથી ઉપા॰ નંદિવિજય ગણીને ત્યાં ત્રણ દિવસ રહેવાની આજ્ઞા આપી, દીવ માકલ્યા હતા અને તેઓને તેમણે ધર્મોપદેશ આપ્યા હતા. પછી આચાર્યશ્રીએ દીવમ‘દરથી છ'રી પાળતા સંઘ સાથે ગિરનારતીર્થોની યાત્રા કરી ત્યારે જૂનાગઢમાં ખાદશાહ અકબર આઝમખાનના પુત્ર ખુરમ સૌરાષ્ટ્રના સુબા હતા. તે ઉગ્ર સ્વભાવના હતા. જૂનાગઢમાં રહેતા હતા. ગચ્છનાયકે સ૦ ૧૯૬૫માં જૂનાગઢમાં ૧. આ૦ વિજયસેનસૂરિએ સૌરાષ્ટ્રમાં કરેલાં ચામાસાં અને પ્રતિષ્ઠાએની ચાક્કસ સાલવારી મળતી નથી તેથી અમે અહીં આપી નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૩૧ તેને ઉપદેશ આપી પ્રજા પ્રત્યે રહેમ રાખે એવો બનાવ્યો હતો. આયાર્યશ્રીએ સં. ૧૯૬૫માં પ્રભાસપાટણમાં ચોમાસું કર્યું અને અહીં બે જિનપ્રતિષ્ઠા કરી. તે સૌ દેલવાડા પધાર્યા. ત્યાં પણ દીવબંદરના ફિરંગીઓ, અમલદારે વગેરેને દીવબંદર પધારવા પત્ર આવ્યો. આથી આચાર્યદેવ સપરિવાર મચુઆ (મધુવા-ખાટલે ગદા) વડે દીવબંદર પધાર્યા અને તેમણે ત્યાં સૌને ધર્મોપદેશ આપી પ્રજાપ્રેમી અને અહિંસાપ્રેમી બનાવ્યા. - આચાર્યશ્રીએ સં. ૧૯૬૩માં દેલવાડામાં ચોમાસું કર્યું. ત્યાંથી વિહાર કરી ભાણવડ અને જામનગરના જનસંઘની વિનંતીથી. ભાણવડ પધાર્યા. જામનગરના જૈન સંઘે ભાણવડ જઈ આચાર્ય દેવને ચોમાસું કરવા વિનંતી કરી. આચાર્યશ્રીએ સં. ૧૬૬૭-૬૮માં જામનગરમાં ચોમાસું કર્યું. આચાર્યશ્રીએ જામનગરના જામરાવને ઉપદેશ આપ્યો. જૈન સંઘે ચોમાસામાં ઘણું દાન-પુણ્ય કર્યું. ગુજરાતના જાએ જામનગર આવી આચાર્યદેવને ગુજરાત પધારવા વિનંતી કરી. આથી ગચ્છનાયકે સૌરાષ્ટ્રથી વિહાર કરી ગુજરાત તરફ વિહાર કર્યો. તેમણે શંખેશ્વરતીર્થની યાત્રા કરી. આ૦ વિજયસેનસૂરિ અને આ. વિજયદેવસૂરિ અહીં મળ્યા. સં. ૧૬૬૯માં કે સં. ૧૯૭૦માં તેમણે પાટણમાં ચાતુર્માસ કર્યું. ગચ્છનાયક સં. ૧૯૭૧માં અમદાવાદ પધાર્યા. આ. વિજયદેવસૂરિ સાથે જ હતા. ગામેગામના જન સંઘે પણ વાંદવા આવ્યા. અમદાવાદના જૈનોમાં ૧૨ વર્ષથી જ્ઞાતિભેદને ઝગડો ચાલતો હતો. આચાર્યદેવે સં. ૧૬૭૧માં ચોમાસું કર્યું ત્યારે ઉપદેશ આપી તે ઝઘડે મટાડી જૈન સંઘમાં સંપ કરાવ્યો. આચાર્યશ્રીએ સં. ૧૯૭૨ના મહામહિનામાં બે અને વૈશાખમાં બે એમ ચાર જિનપ્રતિષ્ઠા કરી. પરિવાર અને પ્રભાવગચ્છનાયક આ. વિજયસેનસૂરિના પરિવારમાં ૧ આ. વિજય Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ દેવસૂરિ, ૮ ઉપાધ્યાય, ૧૫૦ પચાસો અને ૨૦૦૦ સાધુ-સાધ્વીઓ હતાં. આચાર્યશ્રીના ઉપદેશથી શત્રુંજય મહાતીર્થ, તારંગાતીર્થ, બીજાપુર, રાણકપુર તીર્થ, કુંભારિયાતીર્થ, પાટણ પંચાસરા જિનપ્રાસાદ, નારંગપુરીય પાર્શ્વનાથ જિનપ્રાસાદ, રામસેનતીર્થ, શંખેશ્વરતીર્થ વગેરે સ્થાનોમાં જીર્ણોદ્ધાર થયા. (– હેમવિ. કૃત વિજય પ્રશસ્તિકાવ્ય, ગુણ વિ. કૃત વિજયસેનસૂરિ નિર્વાણુરાસ (ઐતિહાસિક સક્ઝાયમાળા-ન. ૩૬ ) આ. વિજયસેનસૂરિના વરદ હસ્તે ચાંપાનેર, અમદાવાદ, રાધનપુર, ખંભાત, સુરત, પ્રભાસપાટણ, ઉના, દેલવાડા, કાવી, ગંધાર વગેરે ઘણાં સ્થાનમાં જિનપ્રતિષ્ઠાઓ થઈ હતી. શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ, વિજયચિંતામણિ પાર્શ્વનાથ, જગવલ્લભ પાર્શ્વનાથ, કાવીતીર્થ, ગંધારબંદર વગેરે પ્રભાવક તીર્થોની સ્થાપના થઈ હતી. ઘણાં તીર્થોમાં જિનાલના જીર્ણોદ્ધાર થયા હતા. ઘણું પદવીઓ અપાઈ હતી. ઘણું દીક્ષાઓ થઈ હતી, આચાર્યવિજયસેનસૂરિ તે વખતે શ્રમણસંઘમાં ગૌતમ અવતાર સમા ગણતા હતા. તેમણે લાહોરમાં બાદશાહ અકબરને, દીવમાં ફિરંગીઓને, જૂનાગઢમાં સૂબા ખુરમને, સિરહીનરેશ, જામનગરનરેશ વગેરેને ઉપદેશ આપી પિતાના ભકત બનાવ્યા હતા. તેઓ “સવાઈહીર” એટલે ગુરુ કરતાં યે સવાયા મનાતા હતા. વીરવંશાવલીમાં એક વિશેષ ઉલ્લેખ છે કે, આ. વિજયસેનસૂરિ સં. ૧૯૬૯માં પાટણમાં હતા ત્યારે મહે નમસાગરગણીએ મહા સેમવિજયગણું સાથે ઝગડો કર્યો હતો. તેમણે ત્યારે ૩૬ બેલવિચાર રચ્યો હતો, આથી આ વિજયસેનસૂરિએ સં. ૧૬૦૧ના વૈ૦ સુત્ર ૩ ના રોજ અમદાવાદમાં હાજા પટેલની પોળમાં ચતુર્વિધ સંઘ સમક્ષ મહોય નેમસાગર ગણી પાસે પાંચ બેલના પટ્ટથી વિરુદ્ધ વર્તનનો મિચ્છામિ દુક્કડ દેવડા હતે. * એ પછી આ૦ વિજયસેનસૂરિએ ૧ સર્વજ્ઞશતક, ૨ ધર્મતત્ત્વવિચાર, ૩ પ્રવચનપરીક્ષા, ૪ ઈરિયાવહી કુલક વગેરે ગ્રંથોને ગરછના Page #274 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભદાર વિજયસેનસૂરિ [૨૩૩ ગીતાર્થ મુનિવરોની સમ્મતિથી પ્રામાણિક તરીકે જાહેર કર્યા હતા. (— વિવિધ ગચ્છીય પદાવલી સંગ્રહ પૃ. ૨૨૪) આ કારણે ઉપા. વિનયવિજયગણિવર લખે છે કે – “જેણુઈ ઉસૂત્ર નિવાસ પૂરઈ, વિમલ કિયો મુનીપંથ; વિજયસેનસૂરિ શિરોમણિ, ઉદ મહાજન માન્ય.” ૬૨ (- પટ્ટાવલી સઝાય) સ્વર્ગગમન – ભટ્ટારક વિજયસેનસૂરિએ સં. ૧૬૭૨ના પોતાના ચોમાસાને આદેશ ખંભાતમાં આપ્યો. આ. વિજયસેનસૂરિ ૬૭ વર્ષની ઉંમરે સં. ૧૮૭૨ના જેઠ વદિ ૧૧ ના રોજ સૂર્યોદયવેળાએ ખંભાતના મહમ્મદપરામાં ચઉસરણ વગેરે ભણું આરાધના કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામી ગયા. પં ગુણવિજયગણી “વિજ્યસેનસૂરિ નિર્વાણ રાસ)માં લખે છે – “સંઘે બે હજાર મહમ્મદ ખરચી ભટ્ટારકને પૂજ્યા અને મલબારી સુખડની માંડવી બનાવી.” એક ભ્રામક ઉલ્લેખ મળે છે કે – “હવરૂં થયું તિહાં ગુરૂ કેરૂં, ચલું જલ નીલું નાખઈ રે; તવ પાસઈ કરતિવિજય બુધ, તેહનઈ ગુરૂ ઈમ ભાખેરે. ૬૬૭ (– વિજયતિલકસૂરિરાસ, અધિકાર બીજો પૃ૦ ૫૯) ઈતિહાસ કહે છે કે, આ વિજયસેનસૂરિના સ્વર્ગગમન પછી તપાગચ્છના શ્રમણસંઘમાં બે પક્ષે પડ્યા હતા. બંને પક્ષો એકબીજા ઉપર આક્ષેપો કરતા હતા. કઈ કઈ વિદ્વાન એમ માને છે કે ગચ્છનાયક વિજયસેનસૂરિનું અવસાન શકમંદ બન્યું હોય. આચાર્યશ્રીની જન્મકુંડલીના શિષ્યથાનમાં રહેલે ધનનો શનિગ્રહ પણ આ શંકાનું સમર્થન કરે છે. બનવા જોગ છે કે, ગચ્છનાયકે આ ફૂલ્યાફાલ્યા પોતાના શ્રમણસંઘના બે ભાગ પડશે એવી આગાહી થઈ હોય અને તેમને તેને આઘાત લાગ્યો હોય. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ એકંદરે આ. વિજયસેનસૂરિ તે સમયના સફળ ગચ્છનાયક હતા. તેમનું સ્વર્ગગમન થતાં આ વિજયદેવસૂરિ ગચ્છનાયક બન્યા. આધાર ગ્રંથો – ૧ પં. વિદ્યાઋષિ શિષ્ય પં. દયાનંદગીરચિત સં. ૧૬૭૨નું વિજયસેનસૂરિ ચરિત્ર” ૨ ભવ્ય વિજયદેવસૂરિના વીપા ઋષિના શિષ્ય પં. વિદ્યાચંદ્ર ગણરચિત “વિજયસેનસૂરિ નિર્વાણ રાસ” કડી. પ૭. ૩ પં. વિદ્યાધરવિમલકૃત “વિજયસેનસૂરિ સક્ઝાય” કડી: ૯ ૪ ૫૦ હેમવિજયગણિવરનું સં૦ ૧૬૮૮માં રચાયેલ “વિજય પ્રશસ્તિ મહાકાવ્ય” ૫ મહો૦ ગુણવિજયગણિવરકૃત સં. ૧૬૮૮ના કા૦ સુપના રોજ સિરોહી કે ઈડરમાં રચાયેલ “વિજયપ્રશસ્તિ કાવ્ય”ની સંસ્કૃત ટીકા – વિજયદીપિકા. ૬ મહ૦ ગુણવિજયગણી કૃત “શ્રી તપાગણપતિ ગુણપદ્ધતિ”. ૭ મહ૦ ગુણવિજ્યગણી કૃત “વિજયસેનસૂરિ નિર્વાણ રાસ”. ૮ ઉપા૦ મેઘવજયગણી કૃત ‘શ્રી તપાગચ્છ પટ્ટાવલી સૂત્ર વૃજ્યનુસંધાન.” ૯ મહા ધર્મસાગરગણું કૃત ‘તપગચ્છ – પટ્ટાવલી – તપાગચ્છ ગુર્નાવલી ૧૦ મહ૦ ઉદ્દદ્યોતવિજયગણની પરંપરામાં થયેલા દયાકુશલ ગણીએ સં. ૧૬૪માં રચેલો “લાભેયારાસ ૧૧ મહો. કનકવિજયગણી પ્રશિષ્ય પં. ગુણવિજયગણી કૃત “વિજયસેનસૂરિ સઝાય” ૧૨ મહો. રત્નચંદ્રગણુએ સં૦ ૧૬૭૭ કે ૧૬૮૨માં રચેલ કુમતાહિ વિષજાંગુલી.” તૂપ – આ. વિજયસેનસૂરિએ સં. ૧૯૭૧ના જેઠ વદિ ૧૧ ના રોજ ખંભાતના મહમુદપરામાં સ્વર્ગવાસ કર્યો હતો. આ સ્થાન ત્યારે ખંભાત પાસે ચોવીસ પરગણુમાં હતું. તેનું બીજુ નામ અકબરપુરા પણ મળે છે. દિલ્હીના બાદશાહ મહમ્મદ જહાંગીરે ઈલાહી સન ૧૦, મહિને યૂર, તા. ર૭ મી એ આગરાના સંઘવી ચંદુ (ચંદ્રપાલે) બીજી Page #276 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનયરિ [૨૩૫ વાર વિનંતી કરી આથી તેણે સં. ચંદ્રપાલને જમીન ઈનામ આપ્યાનું આ પ્રમાણે લખી આપ્યું – ચંદુ સંઘવી છે. તેના દાદાનું નામ વરજી છે. તે આગરાને વતની છે, સેવડા (શ્વેતાંબર જૈન)નો ઉપાસક છે. જેનું કપાળ પહેલું છે. ભ્રમરો પહોળી છે. આંખે ઘેરા જેવી છે. જેને રંગ કાળા જેવો છે. દાઢી મુંડેલી છે. જેના મેં પર શીતળાના ડાઘ છે. જેના બંને કાનમાં ઘણું છેદે છે. જે મધ્યમ કદને ઊંચે છે. જેની ઉંમર ૬૦ વર્ષની છે.” તેણે ઈલાહી સન ૧૦મા વર્ષમાં રજબ મહિનાની ૨૦ મી તારીખે બાદશાહના ચરણમાં રત્નથી જડેલી વીંટી મૂકી અને ખંભાતની જમીન ઈનામ તરીકે આપવા વિનંતી કરી હતી તે મુજબ આ ફરમાન, આ રીતે આપ્યું છે – “સંઘવી ચંદુના સદ્દગુરુ વિજયસેનસૂરિના અગ્નિસંસ્કારના સ્થાને સન્માનની યાદગીરી માટે મંદિર, મેળ, બાગ-બગીચે બનાવવા માટે અકબરપુરામાં ૧૦ વિઘા જમીન આપી હતી. ગ્રંથે –આ. વિજયસેનસૂરિએ સં. ૧૯૫૦માં “સુમિત્રકુમારરાસ રચ્યો છે. મહોઇ મેઘવિજયગણના કથન મુજબ – આ વિજયસેનસૂરિએ કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરિના ગ્રંથ “ગશાસ્ત્રીને પ્રથમ શ્લોક “Rા સુertif” ના ૭૦૦ અર્થ કર્યા હતા અને “સૂક્તાવલી” નામે ગ્રંથો રચ્યા છે. આ. વિજયહીરસૂરિ અને આ. વિજયસેનસૂરિ સમર્થ વિદ્વાન હતા. જેન, જૈનેતર શાસ્ત્રોના પૂરા અભ્યાસી હતા. તેમણે રચેલ હીરપ્રશ્ન સમુરચય” અને “સેનપ્રશ્ન રત્નાકરગ્રંથ ઉક્ત ચગ્યતાની સાક્ષી પૂરે છે. ગાગરમાં સાગર જેવા આ બંને ગ્રંથોમાં આપેલા ઉત્તરોથી તેમના જ્ઞાનની પ્રતીતિ થઈ શકે છે. તેમના પ્રશ્નો સાધારણ રીતે ગુજરાતી ભાષામાં થયા હતા. કેમકે અમને જૂના ગ્રંથભંડારમાંથી મળેલા એક પ્રશ્નપત્રમાં આ હીરવિજયસૂરિએ ફત્તેપુરથી પોતાના શિષ્યને મારવાડમાં પ્રશ્નોત્તર લખી મોકલ્યા હતા. તેની ગુજરાતી ભાષામાં નકલ હતી. એટલે સંભવ છે કે પ્રશ્ન સંગ્રહ કરનાર વિદ્વાન મુનિવરે તે તે પ્રશ્નોત્તરને સંસ્કૃત Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ભાષામાં ગોઠવી “હીર પ્રશ્ન” તથા “સેનપ્રશ્ન” ગ્રંથ તૈયાર કર્યો હોય. આ. વિજયસેનસૂરિએ પોતાના મુનિવરો અને ગૃહસ્થોએ જે જે પ્રશ્નો પૂછયા તે સૌના શાસ, તર્ક અને પરંપરાના આધારે ઉત્તરો આપ્યા હતા. આ પ્રશ્નોત્તરોના સંગ્રહનું નામ છે “સેનપ્રશ્ન”. જગદગુરુ આ. વિજયહીરસૂરિના હરતદીક્ષિત શિષ્ય અને મહે૦ કલ્યાણુવિજયગણીના દીક્ષા શિષ્ય પં. શુભવિજયગણીએ સં. ૧૬૭૩ થી સં૦ ૧૬૭૫ના ગાળામાં ભટ્ટા. વિજયદેવસૂરિની આજ્ઞાથી “સેન પ્રશ્નોત્તર રત્નાકર” ગ્રંથ રચ્યો હતો. તેમાં ચાર ઉલ્લાસ છે. પ્રશ્ન કરનારના નામે આ છે – ઉલ્લાસ પહેલ – પ્રશ્નકર્તા પ્રશ્ન પૃષ્ઠ ૧ મહ૦ વિમલહર્ષગણી ૬ ૩ થી ૫ ૨ મુનવજયગણી ૬ ૬ થી ૭ ૩ મહો. કલ્યાણવિજયગણું - ૬ ૮ થી ૧૦ ૪ ઉપાય મેઘવિજ્યગણી ૩ ૧૧ ૫ ઉપર સેમવિજયગણું ૫૮ ૧૨ થી ૩૬ ૬ મહ૦ ભાનચંદ્રગણું ૬ ૩૭ ૭ ઉપા૦ વિવેકહર્ષગણું ૧૮ ૪૪ ૮ ઉપા. વિજયરાજગણી ૩ ૪પ ૯ ઉપાડ ધર્મવિજયગણી ૩ ૪૬ થી ૫૪ વગેરે ૧૩૬ પ્રશ્નો છે. ઉલ્લાસ બીજે – ૧ પંડિત આનંદવિજ્યગણું ૪૨ ૭૩ ૨ રવિસાગરગણું ૪ ૭૬ ૩ વૃદ્ધ પંડિત કમલવિજયગણ ૧ ૭૬ ૪ વૃદ્ધ પંડિત કમલવિજયગણ ૪૮ ૯૧ ૫ પંડિત હાર્ષિગણું ૧૨ ૯૫ ૬ નગર્ષિગણું ૧૧ ૯૮ Page #278 -------------------------------------------------------------------------- ________________ આગણુ સાઈઠ ] પ્રશ્નકર્તા ૭ વિષ્ણુઋષિગણી ૮ રત્નચંદ્રગણી ૯ જયવિજયગણી ૧૦ ધનવિજયગણી ૧૧ વૃદ્ધ પંડિત શુભવજયગણી ૧૨ પડિત દેવવિજયગણી ૧૩ પંડિત કાનજી ગણી ૧૪ પતિ કનકકુશલગણી ૧૫ પડિત દનસાગરગણી ૧૬ પ`ડિત વિવેકસાગરગણી ૧૭ શ્રી વિજયહીરસૂરિશિષ્ય પંડિત રામવિજયગણી વગેરેના ૨૧૩ પ્રશ્નોત્તરા છે. ઉલ્લાસ ત્રીને – ૧ આ ગ્રંથકર્તા ૫૦ પ ૨ પંડિત દેવવિજયગણી વિનયકુશલગણી ૩ ૪ રત્નહુ ગણી ७ ८ હ છે રે ૧૦ રદ્ધા છ ૧૫ "" "" "" ,, "" "" "" 29 "" "" "" 99 ભટ્ટારક વિજયસેનસૂરિ 22 ૧૬ શુવિજયગણી ૧૭ ૧૮ ૧૯ પદ્માનંદગણી વિદ્યાવિજયગણી કાનન ગણી જયાન દગણી કુ વર્ણવજયગણી ચારિત્રાદયગણી કીર્તિ વિજયગણી ધનહ ગણી જચવ તિષ ગણી ભક્તિસાગરગણી શુભકુશલગણી ૨૦ ૨૧ ૨૨ ૨૩ પ્રશ્ન પૃષ્ઠ ૧૧ ૧૦૦ ૨૫ ૧૦૯ ૧૪૪ ૧૨૨ ૧૨૪ ૧૨૫ ૩ ૧૨૫ પ ૧૨૭ २ ૧૨૮ ૨ ૧૨૮ २४ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૨૪ ૧૦ 99 "" 22 "" "" 99 36 AAA ,, "" "" 22 ,, ,, [ ૨૩૭ પ્રેમવિજયગણી મુનીવિમલગણી દેવવિજયગણી વટપલ્લીય પડિત પદ્મવિજયગણી પડિત મેઘવિજયગણી શ્રુતસાગરગણી કનકવિજયગણી વિજયસેનસૂરિ શિષ્ય પંડિત કનવિજયગણી યાવિજયગણી ગુણવજયગણી ચંદ્રવિજયગણી અમરચંદ્રગણી સત્યસૌભાગ્યગણી જીર્યાવજયગણી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ "" 99 "" 6] "" "" 27 22 ,, "" ઉલ્લાસ ચાથા – જસસાગરગણી હું ચંદ્રગણી ધર્મવિજયગણી વિદ્યાવિજયગણી ધીરકુશલગણી સામકુશલગણી હેમસાગરગણી ૨ ગવ નગણી પ્રેમવિજયગણી જૈન પરપરાના તિહાસ ૧ જેસલમેર સંઘ ૨ સુલતાન સંઘ ૩ દેવિગિર સંઘ ૪ વષા સઘ ૫ ફત્તેપુર સંઘ ૬ રાજપુર સંઘ આગરા સઘ ૮ ઉજ્જૈની સઘ ૯ કાનગર સધ ૧૦ વપલ્લીય સંઘ ૧૧ પાટણ સંઘ ૧૨. અમદાવાદ સંઘ ૧૩ ખંભાત સંઘ ૧૪ સુરતમંદર સંધ ૧૫ દીવદર સંધ ૩૯ નાકષિ ગણી "" ૪૦ શ્રી માણિકવિજયગણી ૪૧ શ્રી સૌભાગ્યહ ગણી ૪૨ શ્રી દામષિ ગણી ૪૩ પંડિત જ્ઞાનસાગરગણી ૪૪ શ્રી ભાણુવિજયગણી ૪૫ શ્રી સુવિમલગણી ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ જીવવિજયગણી વગેરેના ૪૪૭ પ્રશ્નો છે. નવાનગર સધ સીસાંગ સધ મહેમદાવાદ` સઘ સાચાર સધ ભિન્નમાલ સંઘ અિભીતક સંધ જાલેાર સધ પાલી સંઘ માલપુર સઘ ણીયાર સંઘ મેદિનીનૢંગ સઘ [ પ્રકરણ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ડુંગરપુર સંધ ૨૮ ઉદયપુર સ`ઘ વગેરેના ૭૧ પ્રશ્નોત્તરા છે. આ ચારે ઉલ્લાસેામાં એકંદર કુલ ૧૦૧૭ પ્રશ્નોત્તરાના સ‘ગ્રહ છે. શ્રમણ પરપરા – જગદ્ગુરુ આ. વિજયહીરસૂરિ અને આ॰ વિજયસેનસૂરિના સમયમાં જૈન સ`ઘમાં વિદ્વાન શ્રમણેા થયા હતા. તે પૈકી કેટલાકના પરિચય અગાઉ આવી ગયા છે. બીજાએના પરિચય આ પ્રકારે છે. -- Page #280 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટાર વિજ્યસેનસૂરિ [૨૩૯ પરંપરા પહેલી – ૬૦ મહ૦ કમલ વિજ્ય ગણું–મારવાડના નાડલાઈમાં શા. કર્માશાહ એસવાલને કેડમદે નામે પત્ની હતી અને જયસિંહ નામે પુત્ર હતો. આ. વિજયદાનસૂરિએ સં. ૧૬૧૧માં ખંભાતમાં કમશાહને દીક્ષા આપી. મુનિ કમલવિજય નામ રાખ્યું. તેમને પોતાના પટ્ટધર આ. વિજયહીરસૂરિના શિષ્ય બનાવ્યા. આ. વિજયદાનસૂરિએ સં. ૧૬૧૭ના જેઠ સુદિ ૧૧ના રોજ સુરતમાં કેડમને દીક્ષા આપી તેનું નામ સાધ્વી કલ્યાણશ્રી રાખ્યું. અને સં. ૧૬૧ના જેઠ સુદિ ૧૧ના રોજ સિંહલગામમાં જયસિંહને દીક્ષા આપી મુનિ જયવિમલ નામ આપ્યું ને તેમને આ વિજયહીરસૂરિના શિષ્ય બનાવ્યા. આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૨૭ લગભગમાં મુનિ જ્યવિમલને પંન્યાસ બનાવી પછી ઉપાધ્યાય બનાવ્યા. તેમ જ સં. ૧૬૨૮ના ફા૦ સુ૦ ૭ ના રોજ ઉપા૦ જયવિમલને અમદાવાદમાં આચાર્યપદવી આપી તેમનું નામ વિજયસેનસૂરિ રાખ્યું. આ હીરવિજયસૂરિએ આ. વિજયસેનસૂરિને સં. ૧૬૩૦ના પોષ વદિ ૧૪ના રોજ પાટણમાં પોતાની માટે સ્થાપન કરી ગચ્છનાયક બનાવ્યા. જૈન શ્રમણસંઘમાં એવી મર્યાદા છે કે કોઈ પણ મુનિવર ગચ્છનાયક વગેરે કઈ મેટી પદવીધારી બને પણ તે પોતાના પિતા, માતા કે મેટાભાઈ પાસે નમસ્કાર કરાવે નહીં પણ જે અનુકૂળતા હોય તે તેમને ઉપાધ્યાય કે મહત્તરા વગેરે મટી પદવીઓ આપી શ્રમણસંઘમાં સૌથી મેટા બનાવી સૌને માટે વંદનીય બનાવી દે છે. એટલે બનવાજોગ છે કે આ વિજયહીરસૂરીશ્વરે અથવા આ૦ પં. કમલવિજયગણને ઉપાધ્યાય બનાવ્યા હોય ! પછીના ગ્રંથલેખક ઉપાર કમલવિજય ગણીને વૃદ્ધ પંન્યાસ તરીકે ઓળખાવે છે અને આ વિજયસેનસૂરિના ઉપાધ્યાય તરીકે પણ બતાવે છે. આથી અમે ઉપાઠ કમલવિજયગણને આ. વિજયસેન સૂરિની પરંપરામાં ગોઠવ્યા છે. ઉપાઠ કમલવિજય ગણીને ૧. પં. સત્યવિજયગણું ૨. પં. કીર્તિવિજય ગણું અને ૩. પં૦ ધનવિજયગણ વગેરે શિષ્ય હતા. Page #281 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાના તિહાસ [ પ્રકરણ ઉપા॰ કમલવિજયગણીએ મનુષ્ય ક્ષેત્ર બહાર રહેલા સિંહના ખારાક માટે પ્રશ્ન પૂછ્યો હતા અને આ વિજયસેનસૂરિએ તેના ઉત્તર આપ્યા હતા. આ પ્રશ્નના ઉત્તર ‘સેનપ્રશ્ન'માં મળે છે. ૨૪૦ આ॰ વિજયસેનસૂરિન! સ્વર્ગગમન પછી સ૦ ૧૬૭૨-૭૩માં તપાગચ્છમાં બે પક્ષા પડયા હતા. ઉપા॰ કમલવિજય ગણી વિજયદેવસૂરિ સંઘમાં રહ્યા હતા. 6 એક કહેવત છે કે, ગૃહસ્થને મૂડી કરતાં વ્યાજ વધુ વહાલુ હાય એટલે પુત્રા કરતાં પૌત્રા વધુ વહાલા હાય. બનવાજોગ છે કે, ઉપા॰ કમલવિજય ગણીને પેાતાની જ્ઞાતિના તથા પેાતાના પુત્ર પાસે ૯ વર્ષની નાની ઉંમરમાં શિષ્ય થયેલા અને તેમના જ હાથે આચાર્ય બની તેમની જ ગાદીએ બેઠેલા શાંતસ્વભાવી ભટ્ટા॰ વિજયદેવસૂરિ પ્રત્યે વિશેષ વાત્સલ્ય હાય ! નવા ભટ્ટારકા આ વિજયદેવસૂરિ ગીતાર્થોનું બહુમાન કરતા હતા અને પેાતાના ગુરુના પિતા મહેાપાધ્યાયને પૂછીને જ તેઓ સંઘનું સ કાર્ય કરતા હતા. આ વિજયદેવસૂરિએ આ॰ વિજયસિંહસૂરિને ગીતાર્થીની સમ્મતિથી સ’. ૧૯૮૧ના વૈ૦ ૩૦ ૬ના રોજ ઈડરમાં આચાર્ય અને સ૦ ૧૬૮૪માં મેડતામાં પેાતાના પછીના ગચ્છનાયક સ્થાપન કર્યા હતા. પરંતુ દેવવશાત્ સં૦ ૧૭૦૮ના અસુ૦ રના રાજ અમદાવાદમાં કાળધર્મ પામી ગયા. તપાગચ્છના અને પક્ષામાં સંઘષ વધતા હતા ત્યારે નવા ગચ્છનાયકને નીમવામાં માટું જોખમ સમાયેલું હતું. અંતે શાંતમૂર્તિ ભટ્ટા॰ વિજયદેવસૂરિએ સંઘમાન્ય સ્થવિર ગીતાર્થાની સમ્મતિ લઈ ગંધારના ખૂણામાં રહેલા ગધાર બંદરમાં ૫૦ વીર વિજય ગણીને પેાતાના વારસદાર બનાવવાના નિર્ણય કર્યો અને તેને સંઘમાન્ય બનાવવાના નિય કર્યા. સ્થવિરની મહેાર મારવાના પણ પ્રમધ પણ ગેાઠવ્યા. મહા મેઘવિજય ગણીવર લખે છે કે, 6 આ વિજયદેવસૂરિ Page #282 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટાર વિજયસેનસૂરિ [૨૪૧ ગંધાર પધાર્યા. ગંધારના સંઘે આ પ્રસંગે પદવી ઉત્સવની આમંત્રણપત્રિકા મકલી બહારના જૈનોને પણ ગંધાર બોલાવ્યા હતા. એટલે અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, કાવી વગેરે સ્થળેના જનસંઘે ત્યાં આવ્યા હતા. આ. વિજયદેવસૂરિએ સં. ૧૭૧૦ના વૈ૦ સુ. ૧૦ ને શુક્રવારે પુષ્પ નક્ષત્રમાં ગંધાર બંદરમાં ભ૦ મહાવીરસ્વામીના જિનાલયની પાસે બાંધેલા મેટા મંડપમાં વિવિધ શહેરોના શ્રીસંઘની સાક્ષીમાં ૫૦ વીરવિજયગણીને આચાર્યપદવી આપવામાં આવી. પદવી પ્રદાનની વિધિ થયા પછી વૃદ્ધ સ્થવિર પં. કમલવિજયગણિવરે મંડપમાં ચતુર્વિધ સંઘની વચ્ચે જાહેર કર્યું કે, ભટ્ટાવિજયદેવસૂરિએ પં. વીરવિજય ગણિવરને આચાર્ય બનાવ્યા છે અને તેમનું નામ વિજયપ્રભસૂરિ રાખવામાં આવ્યું છે. આ સાંભળી શ્રીસંઘે વિર ભગવાન, જૈન શાસનની અને પૂજ્ય ગચ્છાચાર્ય તેમ જ નવા આચાર્યની જય બોલાવી એકત્ર થયેલા બધાય શ્રીસંઘાએ સાદર સ્વીકૃતિ આપી. મહો. કમલવિજયની દીક્ષા સં. ૧૬૧૧માં ખંભાતમાં ભટ્ટા વિજયદાનસૂરિના હાથે થઈ હતી અને તેઓ સં. ૧૭૧૦ પછી કાળધર્મ પામ્યા હશે એટલે સંભવ છે કે તેમની ઉંમર સવાસે વર્ષની અને દીક્ષા પર્યાય સો વર્ષને હશે ! (૬૦) પં. કમલવિયગણિવરના શિષ્ય પં. કીર્તિવિયે સં. ૧૬૮૭ના કા. સુ. ૧૦ના રોજ દેલવાડામાં ભટ્ટાવિજ્યદેવસૂરિના રાજ્યમાં સાધ્વી હેમદ્ધિ શિષ્યા કલ્યાણદ્ધિ માટે પખીસૂત્રની પ્રત લખી. (શ્રી. પ્રશરિતસંગ્રહ ભા. ૨, પ્ર. નં. ૬૮૫) ૧. આ સમયે કમલવિજયગણ નામના ધણ મુનિઓ થયા છે તે આ પ્રમાણે (૧) મહા લક્ષમીભદ્રીય શાખાની વાચક પરંપરામાં થયેલા પં૦ અમરવિજયગણના શિષ્ય (૫૭) પં. કમલવિજયગણી (૨) જગદગુરુ આ૦ વિજયપ્રભસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય તયા મહેતુ સોમવિજય ગણના શિષ્ય મુનિ કમલવિજયગણી. (૩) ભદ્રા વિજયાનંદસૂરિના મહ૦ કમલવિજયગણું–તેમણે ભટ્ટાવિજયદાનસૂરિ, ભવ્ય વિજયહીરસૂરિ, ભ૦ વિજયસેનસૂરિ, ભ૦ વિજયદેવસૂરિ અને ભ૦ વિજય પ્રભસૂરિનું શાસન જોયું હતું. જે ૧૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ (૬૦) મહેકમલવિજ્યગણિવર. (૬૧) પં. સત્યવિજયગણ તે સં૧૭૧ન્ના પિ૦ વ૦૧૪ના રોજ સ્વર્ગે ગયા. (૬૨) પં. સૌભાગ્યવિજયગણ – તે મેડતાના શા. નરપાલની પની શ્રી. ઈન્દ્રાણીના પુત્ર હતા. તેનું નામ હતું શામળદાસ. તેણે સં. ૧૭૧લ્માં પં. સત્યવિજયગણી પાસે દીક્ષા સ્વીકારી અને તેમનું નામ સૌભાગ્યવિજય રાખવામાં આવ્યું. તેઓ પંન્યાસ થયા હતા. પં. સૌભાગ્યવિજયગણીએ “જિનસ્તવન ચેવિશીબનાવી છે. તીર્થમાળા–પં. સૌભાગ્યવિજયગણીએ સં. ૧૭૪૭ થી સં. ૧૭૭૨ સુધી વિચરી વિવિધ જન તીર્થોની યાત્રા કરી હતી. તેમણે સં. ૧૭૭૩ના કા(માત્ર ) વ૭ ને શનિવારે પુષ્ય નક્ષત્રમાં વીશમાં રવિયેગમાં પહેલા પ્રહરમાં અવરંગાબાદ નગરમાં સૌ જીવો સાથે ખમતખામણાં કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. (– જૈન સત્યપ્રકાશ, ક્ર. ૧૧, પૃ. ૪૧૭) તપાગચ્છની રત્નશાખાના (૫૯) ભ૦ વિજય રત્નસૂરિ શિષ્ય (૬૦) પં. સેમવિમલગણ શિષ્ય (૬૧) પં યુગવિમલગણી શિષ્ય (૬૨) પં. રામવિમલગણ વગેરે પં. સૌભાગ્યવિમલ ગણીની સાથે તીર્થયાત્રામાં હતા. પં. રામવિમલ ગણીએ “તીર્થયાત્રાવર્ણન રાસ” લખાવ્યો હતો. તેમણે તેમાં રસ્તામાં તીર્થો, ગામે વગેરેનું વિશદ વર્ણન આપ્યું હતું. પરંપરા બીજી – (૫૯) ભટ્ટાવિજયસેનસૂરિ (૬૦) ૫૦ મેરુવિજયગણી મારવાડના રોહા ગામના શેઠ શ્રીવંત ચૌહાણ પિરવાડના કુટુંબના દશ ભાઈ-બહેનોએ લોકાગચ્છની ચતિ દીક્ષા છેડી તપાગરછના આ વિજયહીરસૂરિ પાસે સં. ૧૯૨૮ થી સં. ૧૬૫૧ સુધીમાં સગી દીક્ષા સ્વીકારી હતી. આચાર્યશ્રીએ તે સૌને પોતાના હાથે દીક્ષા આપી પોતાના પરિવારના જુદા જુદા ગીતાર્થોના શિષ્ય બનાવ્યા. Page #284 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ) ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૪૩ શેઠ શ્રીવંતને ત્રીજો પુત્ર મેઘા નામે હતો. તેનું લોકાગચ્છમાં મેઘજી ઋષિ નામ હતું. જગદ્દગુરુએ તેનું નામ મેરુવિજ્ય રાખી આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય બનાવ્યા. આ મેરુવિજય મુનિ બુદ્ધિમાન હતા, તેથી આચાર્યે તેમને પંન્યાસ પદવી પ્રદાન કરી હતી. તેમણે યમકમય બે ચતુર્વિશતિ તેત્રો રચ્યાં હતાં. નોંધ – મહ કલ્યાણવિજયગણીની પરંપરાના પંનયવિજય ગણીએ સં. ૧૬૯૨માં અમદાવાદમાં પોતાના શિષ્ય બાલમુનિ જશવિજય (યશવિજય)ને ભણવા માટે બે સ્તોત્રોની પ્રતિ લખી હતી. ૬૧ ૫૦ લાવણ્યવિજ્યગણી. ૬૨ મુનિ માણેકવિજ્યજી – તેઓ ચાંપાનેરથી આવી અમદાવાદની હાજા પટેલની પળમાં વસ્યા હતા. વાલેલા ગોત્રના દોશી લહુઆ (લવજી) શ્રીમાલી જનની પત્ની શા. ચાંપાદેના પુત્ર દો. પનજી (પનિયા)ના બીજા પુત્ર હતા. તેનાં મનરાજ, મનિયા શેઠ વગેરે બીજાં નામે પણ હતાં. તેમનું કુટુંબ મનિયાના નામથી વિખ્યાત હતું. તેની પત્નીનું નામ સં૫ર હતું. તેને સં૦ ૧૬૪૦ના અ૦ સુ. ૧૧ના રોજ જન્મ થયો હતે. તેણે સાધર્મિક જેનોની વિવિધ પ્રકારે ભક્તિ કરી હતી. વીશાશ્રીમાલી જ્ઞાતિમાં સૌને મહાસુદી ગોઠવીને ખાંડ ભરેલી થાળી વહેચી હતી. તેણે પાંચપવીનાં પારણું કરાવ્યાં હતાં. અમદાવાદમાં સર્વ જિનાલમાં પૂજા ભણાવી હતી અને પાર્શ્વનાથને જિનપ્રાસાદ બંધાવ્યો હતો. તેણે સં. ૧૭૦૨ના દુકાળમાં જનતાને વિવિધ જાતની મદદ આપી જગડુશાહની ઉપમા મેળવી હતી. તેણે ભ> વિમલનાથ વગેરે જિનપ્રતિમાઓ ભરાવી હતી. રત્નની ૨૧ જિનપ્રતિમાઓ ભરાવી હતી. આજે તેમના વંશજો પાસે રફટિકની જિનપ્રતિમા વિદ્યમાન છે. તેણે રાણકપુર, હમીરગઢ, અચલગઢ, કુંભારિયાજી, મોઢેરા વગેરે સાત જન તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમાં કેઈ કોઈ પ્રતિમાલેખ આ પ્રકારે જોવા મળે છે. - Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૧. શેઠ મનિયાએ સં. ૧૭૧૦ના જેઠ સુદને ગુરુવારે ભ૦ વિમલનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ૨. શેઠ મનિયાના કુટુંબીઓએ સં. ૧૭૧૦ ના જે. સુ૬ને ગુરુવારે ગુરુપુષ્યાગમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાની ભટ્ટા જયાનંદસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. શેઠ મનિયાએ શત્રુતીર્થનો છરી પાળતે સંઘ કાઢયો. ભ૦ વિમલનાથની પ્રતિષ્ઠા કરાવી. યતિઓને પ્રતિલાલ્યા. ૮૪ જન ગોમાં રૂપિયાની લહાણ કરી. મેટી જિનપૂજાએ ભણાવી. સાત ક્ષેત્રને પુષ્ટ કર્યા. – આ રીતે ધર્મકાર્યમાં સાત લાખ રૂપિયા વાપર્યા. શેઠ મનિયા ૭૦ વર્ષની ઉંમરે બીમાર થયા. આથી વૈરાગ્યભાવે પંમેરુવિજયગણીના હાથે દીક્ષા લીધી. ૫૦ મેરુવિજયગણીએ તેનું નામ મુનિ માણેકવિજય રાખ્યું અને તેમને ૫૦ લાવણ્યવિજયના શિષ્ય બનાવ્યા. મુનિ માણેકવિજય શુદ્ધ ચારિત્ર પાળી સં. ૧૭૧૧માં અમદાવાદમાં અનશન સ્વીકારી આરાધના કરતાં શુદ્ધિપૂર્વક કાળધર્મ પામ્યા. (૬૩) મુનિ વિનયવિજય. (–દેશી મનિયા વંશ નં. ૧). પરંપરા ત્રીજી – (૫૯) ભટ્ટાવિજ્યસેનસૂરિ (૬૦) મહ૦ નયવિયગણું. લંકાગચ્છના અમદાવાદની ગાદીના શ્રીપૂજ ઋષિ મેઘજી વગેરે ૧૮ યતિઓએ સં. ૧૬૨૮માં અમદાવાદમાં તપાગચ્છના ભટ્ટારક વિજયહીરસૂરિ પાસે સંવેગી દીક્ષા લીધી. આ૦ વિજયસેનસૂરિએ તેમને દીક્ષા આપી પોતાના કે પોતાના ગુરુભાઈ એના શિષ્ય બનાવ્યા. તે બધામાં નાની ઉંમરને એક બાલ ઠષિ – નાના મુનિ હતા ત્યારે વિજયસેનસૂરિ ૨૪ વર્ષની ઉંમરના હતા. તેમણે ગુરુઆજ્ઞાથી ઋષિનું મુનિ નયવિજય નામ આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. Page #286 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૪૫ આ. વિજયસેનસૂરિએ સં ૧૬૫૭ના માહ મહિનામાં શંખેશ્વરતીર્થમાં પં. નયવિજયગણીને ઉપાધ્યાય બનાવ્યા હતા. (૬૧) પં૦ જ્ઞાનવિજયગણી. (૬૨) પં. વીરવિજ્યગણું. (૬૩) પં. વિદ્યાવિજ્યગણ–તેઓ મહ૦ નયવિજયગણીના હસ્તદીક્ષિત શિષ્ય હતા. તેમણે પાંચ કલ્યાણકનું સ્તવન રચ્યું છે. (૬૪) પં. લબ્ધિવિજયગણ. (૬૫) પં. ખીમાવિજયગણું પરંપરા ચોથી – (૬૦) મહા નવિજ્યગણ. (૬૧) પં. કુંઅરવિજ્યગણ તેમણે સં૧૯પરમાં “હીરવિજ્યસૂરિ શલોકો ર. પરંપરા પાંચમી – (૫૯) આ. વિજયસેનસૂરિ (૬૦) પંદ હંસવિજ્યગણી–તેમનાં બીજાં નામે પં૦ હર્ષવિજય અને પં. વિજયહંસ પણ મળે છે. ૧ વિરમગામના મહ૦ સેમવિજયગણું વગેરે ત્રણ ભાઈ–બહેને તથા ૧૮ ભાઈ–બહેનની સં૦ ૧૬૦૦ થી ૧૬૭ સુધીમાં આવે વિજયહીરસૂરિ પાસે દીક્ષા થઈ. તે ૧૮માંથી એક મુનિ વિજયહર્ષ નામે હતા. તેઓ સં. ૧૬પ૦ના પ્ર. ચૈત્ર સુ. ૧૫ની શત્રુંજયયાત્રામાં જગદગુરુની સાથે હતા. અને તે તપાગચ્છની હર્ષ, સુંદર કે કુશલ શાખાના હતા. તેમના ગુરુનું નામ જાણવા મળતું નથી પણ તેઓ આ૦ વિજયહીરસૂરિના હસ્તદીક્ષિત હતા તેથી તેમને જ પેતાના ગુરુ તરીકે બતાવે છે. સંભવ છે કે, તેમણે તપાગચ્છના બે પક્ષે પડ્યા ત્યારે પોતાને તે બંનેથી નિરાળા અને મધ્યસ્થ ૧. આ૦ વિજયસેનસૂરિ સં૦ ૧૬૬૭ના ચાતુર્માસ માટે લખે છે કે– ૧. ૫૦ વિજયહંસસૂરિ ૫૦ જયવિજયગણીનું ચોમાસું સાંગાનેર, ( – ક્ષેત્રાદેશપટ્ટક. પ્રક૦૫૫ પૃ. ૧૯૫) પં. જયવિજય આ૦ હીરવિજયસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ બતાવવા માટે આ નીતિ સ્વીકારી હેય. (૬૧) પં. વિજયસુંદરગણું–તેમનું બીજું નામ વિજયકુશળગણું પણ મળે છે. તે આ. વિજયસેનસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. પં. કનકકુશળગણીએ સં. ૧૬૫૫માં મેડતામાં પં. વિજયકુશલગણની વિનંતીથી “જ્ઞાનપંચમી કથા ” ( ગં૧પર)રચી. પં. વિનયસુંદરે તેની પહેલી પ્રતિ લખી. (૬૨) પં. વિનયસુંદરગણું– તેમનું બીજુ નામ વિનયકુશળગણું પણ મળે છે. તે પ૦ વિજયહસના હરતદીક્ષિત શિષ્ય હતા અને ભટ્ટા. વિજયદેવસૂરિની આજ્ઞામાં હતા. ૫વિનયકુશલે સં. ૧૯પરમાં પણ વૃત્તિવાળું “મંડલપ્રકરણ” રચ્યું છે. તેનું મહ૦ લાભવિજયગણુએ સંશોધન કર્યું હતું, તેમણે સં. ૧૬પ૩માં વિજયપુરમાં “તપાગચ્છ ગુર્નાવલી” કડી : ૨૭ રચી છે. વળી સં૦ ૧૬૫૩ના વૈ૦ સુ. ૪ ને બુધવારે મેડતામાં ગાદરિયા પદમશીએ ભરાવેલી ભ૦ શાંતિનાથની પ્રતિમાની ભટ્ટા. વિજયસેનસૂરિની આજ્ઞાથી પ્રતિષ્ઠા કરી. (પ્રાજે. લે, ભા. ૨ લે. ૪૪૧) તેમણે તે “ગુર્નાવલીમાં આ વિજ્યસેનસૂરિ સુધીના પટ્ટધરેનું વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે, અત્યારે તપાગચ્છમાં ૧ ઉપા, ધર્મસાગરગણું ૨ ઉપા૦ વિમલહર્ષગણું અને ૩ ઉપાઠ કલ્યાણ વિજયગણી એ ત્રણ ઉપાધ્યાયો છે. (કડી : ર૬) પં. વિનયસુંદરગણીએ સં. ૧૭ર૧ને માત્ર સુ. ૧૫ના રોજ સુરતમાં સુશ્રાવિકા વરીબાઈને ભણવા માટે કવિ....... સેવકે બનાવેલ ભ૦ ઋષભદેવના ૧૩ ભનું રતવન (ગા૦ ૨૪૫)ની ૧૪ પાનાની પ્રતિ લખી છે અને સં૦ ૧૬૭૨માં આગરામાં “વિચારસપ્તતકો ની પ્રતિ લખી છે. ( –– શ્રી. પ્રશસ્તિ સંગ્રહ ભા-૨, પ્રશસ્તિ નં. ૭૧૫). તેમના શિષ્ય (૬૩) પં. શાંતિકલશગણીએ સ્તવન–સજઝાય વગેરે રચ્યાં છે. તે ઉપરથી તારવી શકાય છે કે, પં. વિનયસુંદરગણ વિજયદેવસૂરિસંઘના ભટ્ટા. વિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. (૬૩) પં. કીર્તિકુશલગણું–તે સં. ૧૭૯૧માં વિદ્યમાન હતા. Page #288 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટારક વિજયસેનસૂરિ [૨૪૭ તેમના ગુરુભાઈ પં શાંતિકુશલે સ્તવન–સઝાય રચ્યાં છે. -- શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા- ૨, પ્રનં. ૭૧૨) (૬૪) મહો. પદ્મસુંદરગણી– તેમણે સં૦ ૧૭૯ના આ૦ સુત્ર ૧૫ ને રવિવારે સુરતમાં “નવવાડની સક્ઝાય રચી છે. પં. માનકુશલગણું અને પં. શાંતિકુશલગણ સં. ૧૭૯૯૫માં દેવપત્તનમાં હતા. પરંપરા છઠ્ઠી– ૫૯ આ. વિજયસેનસૂરિ ૬૦ પં. હંસવિજયગણી ૬૧ પં. વિજયસુંદરગણુ–પં. વિજ્યકુશલગણું–તે મહાપંડિત હતા. ૬૨ ૫૦ ઉદયરુચિગણી – મેડતાથી નૈઋત્ય ખૂણામાં ૧૪ માઈલ દૂર રહેલ કિષ્ક્રિધાનગર–કેકંદના શા૦ નાપાજી ઉછતવાલ એશવાલે કેકંદમાં સં. ૧૬૬૫માં સલાટ તેડર પાસે પોતાના ન્યાયસંપન્ન દ્રવ્યથી ભ૦ આદિનાથને નવો માટે જિનપ્રાસાદ બંધાવ્યું. તેમાં મેટે મંડપ અને બે બાજુએ બે ચેકી બનાવી. તપાગચ્છના ભટ્ટા વિજ્યદેવસૂરિ, જે ઓશવાલ ગાત્રના શણગારસમા ઓશવાલ જન હતા તેમની આજ્ઞાથી ઉપા૦ લબ્ધિસાગરગણું તથા પં. વિજયકુશલગણ વગેરે કેકંદમાં પધાર્યા. ઉપાટ લબ્ધિસાગરગણીએ તે ઋષભદેવના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. મહાપંડિત વિજ્યકુશલગણના શિષ્ય પં. ઉદયરુચિગણીએ તેની ૪૬ શ્લોકાત્મક પ્રશસ્તિ રચી. પં. સહજસાગરગણુના શિષ્ય પં. જયસાગરે તેને શિલા ઉપર લખી અને સલાટ તેડરે તેને ઉત્કીર્ણ કરી. ( –-પ્રા. જે. લેભા-૨, લે. ન. ૩૮) તેમની પરંપરામાં ૧લ્મી શતાબ્દીમાં પં. રૂપરુચિગણુ થયા. ૧. પં. શાંતિકુશલે સં૦ ૧૬૬૭માં ભટ્ટાવિજયસેનસૂરિના રાજ્યમાં “ગોડી પાર્શ્વનાથ સ્તવન કડી ૩૨ બનાવ્યું છે. ( –ગેડીઝ સ્મારક ગ્રંથ, પૃ. ૨૯ ) Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ પં. દયારુચિગણું– તેમણે તપાગચ્છના ભટ્ટા. વિજયધર્મસૂરિની આજ્ઞાથી ૫૦ દેવવિજયગણીએ બતાવેલ વર્ણનના આધારે સંવે ૧૮૩૫ના મહા સુદિ પના રોજ શિવપુરીમાં (છીપરી કે સિરોહીમાં) સંમેત શિખરરાસ” ઢાળઃ ૨૧ (ગ્રં૦ ૯૦૧) રચ્યો છે. તપાગચ્છની રુચિપરંપરાના પં. માણેકચિ ઈંદોરમાં વિદ્યમાન છે. પં. દોલતરુચિ મગરવાડામાં માણિભદ્રવાળી ગાદીએ હતા. ૬૦ ભટ્ટા, વિજયદેવસૂરિ ૬૧ ૫૦ ગુણહર્ષગણી – તેમણે “વીર નિર્વાણુ મહિમા–દિવાળી સ્તવન” ઢાળ : ૧૦ રચ્યું છે. “દીવાળી સક્ઝાય” કડી : ૧૧ રચી છે. પરંપરા સાતમી– પ૯ આ. વિજયસેનસૂરિ ૬૦ પં. સોમકુશળગણ – તે તપાગચ્છની વિમલકુશલ કે સુંદરશાખાના હતા પણ તેમના ગુરુનું નામ મળતું નથી. તેઓ આ વિજયસેનસૂરિના હરતદીક્ષિત શિષ્ય હતા. તેમની આજ્ઞામાં જ હતા. તે તેમને પોતાના ગુરુ તરીકે બતાવે છે. સંભવ છે કે, તેમણે તે વખતે તપાગચ્છના બે પક્ષે પડ્યા ત્યારે પિતાને તે બંનેથી નિરાશા થતાં મધ્યસ્થ બતાવવા માટે આ નીતિ સ્વીકારી હેય. ૧ તેમને ૧. પં૦ કનકકુશલગણું અને ૨. ૫૦ પુણ્યકુશલગણી એમ બે વિદ્વાન શિષ્યો હતા. ૬૧ પં૦ કનકકુશલગણી – તે પં. કમલવિજયગણના વિદ્યા શિષ્ય હતા. તેમ જ મહ૦ શાંતિચંદ્રગણના પણ વિદ્યાશિષ્ય હતા. (–રહિણું કથા) તેમણે ઘણુ ગ્રંથ રચ્યા છે.– ૧ જિનસ્તુતિ ( ગ્રં૦ ૨૮) સં. ૧૬૪૧ ૨ ઋષભનપ્રસ્તોત્ર (. ૪પ૭) સં. ૧૬૫ર ૧. વૈરાટનગરના સંઘપતિ ઇન્દ્રરાજ શકચાન શ્રીમાલીએ સં. ૧૬૪૪ના કા. સુ. ૧ ને રવિવારે ભ૦ વિમલનાથને ઇન્દ્રવિહાર જિનપ્રાસાદ બનાવી તેની મહેક કલ્યાણવિજયના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેની પ્રશસ્તિ પં૦ લાભવિજયગણીએ રચી. પં. સોમકુશલે શિલા ઉપર લખી. Page #290 -------------------------------------------------------------------------- ________________ એગિણસાઈઠ] ભદાર વિજ્યસેનસૂરિ [૨૪૯ ૩ કલ્યાણમંદિરતેત્ર–વૃત્તિ (ગ્રં ૬૦૦) સં. ૧૬પર ૪ ભક્તામરસ્તુત્ર–વૃત્તિ સં. ૧૬પર સાદડી ૫ ગોડીજી પાર્શ્વનાથ સ્તવન ૬ ચતુર્વિશતિજિન સ્તોત્ર–વૃત્તિ (ચં. પ૧) સં. ૧૬પર ૭ પંચમી પર્વ સ્તુતિ–વૃત્તિ સં. ૧૬પર ૮ વિશાલલોચન ચૈત્યવંદન વૃત્તિસંગ્રહ સં. ૧૬પર સાદડી. ૯ જેવા કાગ ૦ ઑત્રવૃત્તિ. ૧૦ શેભનસ્તુતિ–વૃત્તિ. ૧૧ સકલાર્હત્ ચૈત્યવંદન–વૃત્તિ સં. ૧૬૫૪ ૧૨ જ્ઞાનપંચમી કથા ૧ (ચં૧પર) સં. ૧૬૫૫ મેડતા. ૧૩ દાનપ્રકાશ પ્ર. ૮.શ્લો૦ ૭૯૦. સં. ૧૬પ૬ ૧૪ રત્નાકર પંચવિંશતિ–વૃત્તિ સં. ૧૬પ૬ ૧૫ સાધારણ જિનસ્તવનવૃત્તિ સં. ૧૯૫૬ ૧૬ સુરપ્રિયમુનિકથા– . ૧૬૫૬ ૧૭ રોહિણુકથા-લે. ૨૦૨, સં. ૧૬પ૭ ૧૮ સ્નાતસ્યા, સ્તુતિ–વૃત્તિ–સં. ૧૬૫૮ ૧૯ જ્ઞાનપંચમી–બાલાવબોધ–સં. ૧૬૮૦ ૨૦ વરદત્ત—ગુણ મંજરી બાવની શ્લેટ પર ૨૧ હરિશ્ચંદ્રરાજાને રાસ– . ૧૬૯૭ ૨૨ દિવાળી ક૫ – (– એપિગ્રાફિક ઈડિકા ૨/ ૫૯; પ્રા. જે. લે ભા. ૨, બેડ નં. ૧૩નું વિવરણ; જેનયુગ–નવું વર્ષ બીજુ, અંક: ૩; જિન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૫૬ ) પરંપરા આઠમી (૫૮) ભવ્ય વિજયહીરસૂરિ (૫૯) ભ૦ વિજયસેનસૂરિ (૬૦) પં૦ સેમકુશલગણ ૧. પં. કનકકુશલગણીએ ૫૦ વિજયસુંદરગની વિનંતીથી “જ્ઞાન પંચમીકથા ' રચી, જેનું પ૦ પદ્ધવિજયગણું અને પં. જયવિજયગણુએ સંશોધન કર્યું તથા પં વિજયસુંદરગણીએ પહેલી પ્રતિ લખી. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ (૬૧) ૫૦ પુણ્યકુશલગણું–તેમણે સં. ૧૬૫ત્ના માઘવદિ ૧૩ ના રોજ “ભરત–બાહુબલી મહાકાવ્ય” સર્ગઃ ૧૮ (ગ્રં. ૧૫૩૪) રચ્યું છે. ગ્રંથકારો આ સમયે ઘણા મુનિઓ-ગ્રંથકારો થયા હતા. ૧ પં. કુશલરાજકીતિગણુએ સં. ૧૬૩૩માં વીરપુરમાં આવે વિજયસેનસૂરિના રાજ્યમાં “વિજયચંદ્રકેવલિચરિત્ર” (શ્લેટ ૪૯૦૦) રચ્યું છે. ૨ તપાગચ્છની કમલકલશશાખાના પ૯ ભદ્રા નર્મદાચાર્યે સં. ૧૬૬પમાં “કોકશાસ્ત્ર” ચાપાઈબંધ કાવ્ય રચ્યું છે. ૩ તપાગચ્છની સમશાખાના ૫૦ લફર્મકુશલગણુએ સં. ૧૬૮૪માં “વૈદ્યકારોદ્ધાર” રચે છે. ૪ તપાગચ્છની સમશાખાના પં. દેવશીલ ગણીએ સં. ૧૬૧ન્ના બીજા શ્રાવણમાં વડગામમાં “વેતાલપચીસી' રચી. ૫ પં. હેમાનંદ સં. ૧૯૪૬માં “વેતાલપચીસી' રચી. ૬ ૫૦ વરતાણું ભ્રાતા પં૦ યાદવગણ શિષ્ય મુનિ વિજય (મુનિ જિનવિજય ) સં. ૧૬પરના આ૦ વ૦ રને ગુરુવારે આ૦ વિજયસેનસૂરિના રાજ્યમાં વિદ્યમાન હતા. (-શ્રી પ્રસાસ્ત સંગ્રહ ભા. ૨ પ્ર૦ નં૦ ૫૮ ) ૭ (૧) પં. ચતુરવિજયજી, ર પં. વિવેક વિજ્યજીગણ, ૩ પં. પ્રમોદવિજયગણિ, ૪ પં. નમવિજયગણી સં૦ ૧૬પ૯ માં સમીમાં હતા. ૮ વડગછના ભટ્ટા, ભાવદેવસૂરિના શિષ્ય મુનિદેવે ગ્રંથ રચે છે. ૯ ઉપાડ રવિવર્ધન ગણીએ સં. ૧૭૩માં પાટણમાં “તપગચ્છ પટ્ટાવલી” રચી છે. આ૦ જિનપ્રભસૂરિને સંસ્કૃત ક૫ લખ્યા છે. ૧૦ ૫૦ પદ્મસાગરગણી સં. ૧૬પ૭માં પીપાડથી મુનિ પ્રેમ સાગરની વિનંતીથી ભટ્ટા. વિજયસેનસૂરિના રાજ્યમાં “ઉત્તર WWW.jainelibrary.org Page #292 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૫૧ ઝણસુત્ત”ની બહદવૃત્તિની પ્રાકૃત કથાઓને સંસ્કૃતમાં ઉતારી. ૧૧ ભટ્ટાર લમીસાગરસૂરિ શિષ્ય મહા જ્ઞાનકીર્તિગણએ આ૦ મુનિસુંદરસૂરિને પૂછી પૂછીને “ઉતરાધ્યયનસૂત્ર” ની બૃહદવૃત્તિની પ્રાકૃત કથાઓને ધારી રાખી સં. ૧૫૨૦માં માંડવગઢમાં તેને સંસ્કૃતમાં લખી. (– ભાંડારકર જે પ્રશ૦ ૦ ભા. ૧, પ્ર. નં. ૬૯૩) ૧૨ પં. નગર્ષિગણીએ સં. ૧૬૫૭ના વૈ સુત્ર ૭ને શુક્રવારે હર્ષણ વેગમાં ભટ્ટા. વિજયસેનસૂરિના રાજ્યના આ૦ વિજયદેવસૂરિના યૌવરાજ્યમાં સંસકૃતમાં “સ્થાનાંગસૂત્ર”ની દીપિકા (ગ્રં ૧૮૦ ) રચી. તેનું પ૦ વિમલહર્ષગણીએ સંશોધન કર્યું હતું. ૧૨ ૫૦ ગુણહર્ષગણુએ ભટ્ટાર વિજ્યદેવસૂરિના રાજ્યમાં “દિવાળી સ્તવન” ઢાળઃ ૧૦ રચ્યું. તીર્થસ્થાપના– આ. વિજ્યસેનસૂરિએ ઘણાં તીર્થોનાં જિનાલના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. ઘણું જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. ઘણું તીર્થોની સ્થાપના કરી હતી. તેમના સમયમાં વરકોણું તીર્થને જીર્ણોદ્ધાર થયો હતો. નોંધ-–તેમણે પ્રતિષ્ઠા કરેલી પંચતીર્થ ધાતુ મૂર્તિઓમાં કલાભરી વિશેષતા જોવા મળે છે. તેમણે સ્થાપેલાં તીર્થો આ પ્રકારે જાણવા મળે છે– ૧. ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથ–ખંભાતમાં શ્રી આહણસી શ્રીમાલીના વંશમાં અનુક્રમે ૧ આહાણસી, ૨ દેહુણસી, ૩ ધનરાજ ૪ ઉહણસી, ૫ ચમરસી, ૬ અર્જુન, ૭ ભીમરાજ ૮ જર્કસન, ૯ વજિયા અને ૧૦ મેઘજી પારેખ થયા હતા. (-પ્રક૪૫, પૃ. ૭૩) વજયા પારેખને વિમલદેવી નામે પત્ની અને મેઘજી નામે પુત્ર હતો. પુત્રવધૂનું નામ મયગલદેવી હતું. આ પારેખ કુટુંબ ૫૮ જ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨પર 3 જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ગુ. આ. વિજ્યહીરસૂરિ ૫૯ આ. વિજયસેનસૂરિ, ૬૦ આ. વિજ્યતિલકસૂરિ અને ૬૧ આ. વિજયાનંદસૂરિનું ઉપાસક હતું. સમગ્ર કુટુંબ ધર્મપ્રેમી હતું. વજિયા અને રાજ્યિા બંને ભાઈઓ અસલમાં ગંધારના વતની હતા. તેઓ ખંભાત જઈને વસ્યા. ત્યાં વેપાર દ્વારા ધનપતિ બન્યા. તેઓએ દાનપુણ્યમાં પિતાની લક્ષ્મીનો ઘણે ઉપયોગ કર્યો. પછીથી તેમણે ગોવામાં દુકાન ખેલી તે દ્વારા પણ તેમને ઘણે માટે વેપાર ચાલ્યા. તેઓ ગંધાર, ખંભાત અને ગાવામાં અવારનવાર રહેતા હતા. - દિલહીનો બાદશાહ અકબર, ખંભાતને નવાબ તથા ગેવાને ફિરંગી મલેક પરત કાલમશાહ બંને ભાઈઓનું બહુમાન કરતા હતા. તેઓએ તેમના તીર્થયાત્રાના સ્થળના યાત્રાકર માફ કર્યા હતા. તે ભાઈઓએ આબુ, રાણકપુર, ગોડીજી વગેરે તીર્થોના છરી પાળતા યાત્રાસંઘ કાઢયા હતા અને એ રીતે સંઘપતિ બન્યા હતા. ખંભાતની સરકારે તેમની વિનંતીથી દીવબેટ પાસેના ઘઘલા ગામની જીવહિંસા બંધ કરાવી હતી. તેઓ ખંભાતમાં હતા ત્યારે આ વિજયસેનસૂરિને પધરાવી સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૨ ને સેમવારે ખંભાતમાં માટે પ્રતિષ્ઠાઉત્સવ ઊજવ્યો હતો અને તેમના હાથે મેટી ધામધૂમથી જિનપ્રતિષ્ઠાએ કરાવી હતી. ૧. ખંભાતમાં સાગવટપાડામાં ભય ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય. ૨. ખંભાતમાં શ્રી. મહાવીર સ્વામીનું જિનાલય ૩. ખંભાતથી એક કેશ દૂર નેજા ગામમાં ભ૦ ઋષભદેવનું - જિનાલય. ૪. કાવીબંદરના સાર્વજિનપ્રાસાદ માટે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ૫. ગંધારના જિનપ્રાસાદ માટે નવવલ્લભ પ્રાર્થનાથની પ્રતિમા. ૬. વરડાલામાં કરહેડા પાર્શ્વનાથનો જિનપ્રાસાદ. ૭. વરડોલા માટે ભદ નેમિનાથની પ્રતિમા વગેરે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૫૩ ખંભાતમાં આચાર્યદેવના હાથે માટે જિનપ્રાસાદ અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ખંભાતના ચિંતામણિ જિનપ્રાસાદમાં ઉપરનો ભાગ અને ભેંય પણ બનાવી તેમાંયે મૂળનાયક ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની ૪૧ આંગળી ઊંચી અને ૭ ફણાવાળી પ્રતિમા પધરાવી હતી. તેની બંને બાજુએ ધરણેન્દ્ર તથા પદ્માવતીની મૂતિઓ બિરાજમાન હતી. ઉપરના ભાગમાં આ સિવાય મૂળ દેરાસરમાં ભ૦ શાંતિનાથની ૨૭ આંગળ ઊંચી નવી જિનપ્રતિમા વગેરે પ્રતિમાઓ પધરાવી હતી. ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મૂળ જિનપ્રાસાદમાં નીચેના ભાગમાં ભોંયરામાં જિનાલય બંધાવ્યું હતું. ભોંયરું ખંડું હતું. દશ હાથ ઊંચું હતું. ભેંયરામાં ઊતરવા માટે પંદર પગથિયાં હતાં. ભોંયરાના દરવાજા ઉપર ગણેશ (અથવા શ્રી. પાર્શ્વનાથ ભ.)ની પ્રતિમા હતી. ભેાંયરામાં છ દરવાજા હતા. વીશ દ્વારપાલ હતા. પ્રતીહારો હતા. બાર થાંભલા હતા. સાત નાની દેરીઓ હતી. ભોંયરામાં જિનપ્રતિમા બેસાડી હતી. ધ્વજાદંડ પણ હતો. સાત દેરીઓમાં પચીસ જિનપ્રતિમાઓ પધરાવી હતી. આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૨ ને સેમવારે ખંભાતના સાગવટપાડામાં ભઇ ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં આ પ્રતિમા; ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા, ભ૦ શાંતિનાથની પ્રતિમા, ભોંયરાની સર્વજિન પ્રતિમાઓ, દેવ-દેવીઓ વગેરેની પ્રતિષ્ઠા કરી હતી. વિશેષ ઈતિહાસ મળે છે કે, આ વિજ્યસેનસૂરિએ સં. ૧૯૫૭ માં અમદાવાદની કોઠારી પળમાં ભ૦ મહાવીર સ્વામીના જિનાલયના ભોંયરામાં શા. પુણ્ય પાપ વગેરે ત્રણ ભાઈઓએ ભરાવેલ ભ૦ શીતલનાથ અને ભ૦ સંભવનાથની પ્રતિષ્ઠા કરી ત્યારે ખંભાતના શેઠ વજિયા-રાજિયા પારેખે ભરાવેલા ભ૦ ઋષભદેવની ૩૭ આગળ ઊંચી જિન પ્રતિમાની પણ અંજનશલાકા કરી હતી. આ પ્રતિમાને ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદના ભેંયરામાં પધરાવી હતી. ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદની ૬૨ લોકાત્મક પ્રશસ્તિ પં. કમલવિજયગણના શિષ્ય મહાકવિ પં. હેમવિજય Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ગણીઓ બનાવી છે. પં લાભવિય ગણીએ તેનું સંશોધન કર્યું હતું. તેમના ગુરુભાઈ મહા કીતિ વિજય ગણના શિષ્ય ૫૦ કાંતિ વિજયગણીએ તેને આરસની શિલા ઉપર લખી અને શિલ્પી શ્રીધરે તેને ઉત્કીર્ણ કરી. ( – પ્રક. ૪પ, પૃ. ૭૭) ૨. અમદાવાદના શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ તપાગચ્છના નાયક આ. વિજયસેનસૂરિએ સં૧૬૫૪ના મહા સુદિ ૫ ના રોજ અમદાવાદના અકમીપુરમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી અને પિતાના પરિવારના મુનિઓને પદવીઓ પણ આપી. અને ત્યાં જ ચાતુર્માસ નિર્ગમન કર્યું. એ ચોમાસા પછી સં. ૧૬૫૫માં અમદાવાદના કૃષ્ણપુર (કાળુપુર)માં પધાર્યા ત્યારે અમદાવાદમાં બાદશાહ અકબર તરફથી કાજી હુસેન સૂબે હતો. ત્યારે શિષ્યો પૈકી કેટલાક અગ્રણે મુનિઓને સ્વપ્ન આવ્યું કે, તમે ઢીગવાવાડાની પાસેની અમુક જમીન ખેદજો. તે પુરુષેએ સૂબાને આ વાત જણાવી. તેની પરવાનગી મેળવી તે જમીન ખોદાવી. ખેદતાં ખેદતાં ત્યાંથી ચિંતામણિ પાર્શ્વનાથની કૃષ્ણ રંગની ભવ્ય જિન પ્રતિમા નીકળી આવી. આ વિજયસેનસૂરિએ ત્યાં આવી સૂબાની પરવાનગી મેળવી તે જિનપ્રતિમાને બહાર કઢાવી અને સં૦ ૧૬પપમાં અમદાવાદના સિકંદરપુરમાં પધરાવી. ગચ્છનાયકે તેનું નામ શ્રી. વિજયચિંતામણિ પાર્શ્વનાથ રાખ્યું. આચાર્યશ્રીએ સં. ૧૯૫૫માં સિકંદરપુરમાં ચાતુર્માસ કરી શ્રીસંઘને માટે જિનપ્રાસાદ બંધાવવાનો ઉપદેશ આપ્યા અને શ્રીસંઘે ત્યાં મેટા જિનપ્રાસાદ બંધાવ્યું. - આ. વિજયસેનસૂરિ સં ૧૬૫૬ના મા. સુ. ૫ ના રોજ અમદાવાદમાં સિદરપુર (બીબીપુર)માં શ્રીસંઘે બંધાવેલા ભવ્ય જિનાલયમાં શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. તથા તે જ દિવસે શેઠ લહુઆ ( લવજી) મનિયા શ્રીમાલે ભરાવેલા શ્રી. શાંતિનાથના ઘરદેરાસરની, કાલીબંદરના ગાંધી કુંઅરજી નાગરે કાવમાં બનાવેલ રતિલક પ્રાસાદના મૂળનાયક ભ૦ ધર્મનાથની પ્રતિમાની અને ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં જ ગુ. આ. વિજય Page #296 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૫૫ હરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી. અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરી પં. શ્રી. મુક્તિસાગરગણીની કૃપાથી સુખી થયા હતા, ગુજરાતના સૂબા બન્યા હતા, તેને ૧ ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદનો માટે જીર્ણોદ્ધાર કરાવી તીર્થધામ બનાવવું. ૨ પં. રાજસાગરગણીને આચાર્ય બનાવવા અને તેમના હાથે ઉક્ત નવા જિનાલયની પ્રતિષ્ઠા કરાવવી અને ૩ પ્રતિષ્ઠા ઉત્સવ અને આચાર્યપદવીના ઉત્સવો મેટા પાયે ઊજવવા – એમ ત્રણ મનોરથે હતા. તેણે આ કામે પાર પાડવા માટે સં૦ ૧૬૭૮થી સક્રિય પ્રયત્ન શરૂ કર્યો. ભટ્ટા. વિજયદેવસૂરિએ સં. ૧૬૭લ્માં અવદાવાદમાં ૫૦ મુક્તિસાગરગણીને આચાર્ય નહીં પણ ઉપાધ્યાયની પદવી આપી. શેઠે બીજી વાર બીબીપુરમાં વિજયચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો મેટે જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમાં એ જિનાલય વિશાળ બનાવ્યું. તેમાં ૩ શિખર, ૩ ગભારા, ૩ રંગમંડપ, ૩ ખેલામંડપો એમ ૬ મંડપ, ૩ શંગારચોકી બનાવી. ચારે બાજુએ શિખરવાળાં નાનાં બાવન જિનાલયો બનાવ્યાં, તેમાં ભેાંયરું બનાવ્યું. તેની ફરતે મોટો ગઢ બનાવ્યો, ને એ રીતે તેને તીર્થધામ બનાવ્યું. એ તીર્થધામમાં નવી મોટી જિનપ્રતિમાઓ ભરાવી. પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકાઓ કાઢી. જન સંઘને અમદાવાદ નોતર્યો. અને સંવ ૧૬૮૨ના જે. વ. ૯ ને ગુરુવારે બાદશાહ જહાંગીર તથા બેગમ નૂરજહાંના રાજ્યમાં અમદાવાદના સિકંદરપુરના નવા જિનાલયમાં તપાગચ્છના ભટ્ટારક વિજયદેવસૂરિના ઉપાધ્યાય, મહ૦ વિવેકહર્ષગણુ અને મહ૦ મુક્તિસાગરગણીના હાથે પ્રતિષ્ઠા કરાવી. એ તીર્થધામનું નામ વિજય ચિંતામણિ પાર્શ્વનાથ રાખ્યું. આ પ્રતિષ્ઠાની પ્રશસ્તિ અને પ્રતિષ્ઠા પણ મળે છે. આમાં પ્રતિષ્ઠા કરાવેલી ઘણી જિનપ્રતિમાઓ અમદાવાદની વાઘણપિળમાં આવેલા શ્રી. અજિતનાથ જિનાલયમાં બિરાજમાન છે. આ જિનપ્રાસાદ અમદાવાદના સિકંદરપુરાના બીબીપુરામાં હતો. તે ઉત્તરાભિમુખ હતો. તેમાં ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામ વર્ણની ભવ્ય જિનપ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપના કરી હતી. શેઠે બીજી ચાર ભવ્ય જિનપ્રતિમા બનાવી ભોંયરામાં સ્થાપન Page #297 -------------------------------------------------------------------------- ________________ જૈન પરંપરાના ઇતિહાસ ૨૫] કરી હતી. આ તી ધામ બનાવવામાં શેઠે દ્વીષ્ટિથી કામ લીધું હતું. તે જાણતા હતા કે આવા મુસ્લિમયુગમાં આવા જિનપ્રાસાદની રક્ષા કરવી એ વિકટ કામ છે. કાઈ આસમાની સુલતાની કયારે થાય એ કઈ કલ્પી ન શકાય; પણ એવા પ્રસંગ આવે તે આ બધી જિનપ્રતિમાઓને સરળતાથી સુરક્ષિત સ્થાને પહેાંચાડી દેવાય એવી વ્યવસ્થા ગેાઠવવી જોઈ એ, તેથી શેઠે આ જિનપ્રાસાદથી લઈ પેાતાની હવેલી સુધી મેાટા રથા આવી જઈ શકે તેવી સુરંગ બનાવી અને જિનપ્રતિમાઆને રથમાં પધરાવી પેાતાની હવેલીમાં લઈ જવાય તેવા પ્રભુધ કર્યો. [ પ્રકરણ શેઠ શાંતિદાસે આ જિનપ્રાસાદ, તેની સુર'ગ, નવી પ્રતિમાએ, તથા તેના પ્રતિષ્ઠા ઉત્સવમાં ૯ લાખ રૂપિયા ખરચ્યા હતા. વળી, ખીજા પ્રતિષ્ઠા ઉત્સવમાં ૧૧ લાખ ખરચી વેલિયા ( સેાનાની વીંટી ) વગેરેની પ્રભાવના કરી હતી. બાદશાહ જહાંગીર (સ. ૧૬૬૩ થી ૧૬૮૪ ભાદરવા વદઅમાવાસ્યા પછી બાદશાહ શાહજહાં તા. ૪-૨-૧૬૨૮ થી ૯-૫૧૬૫૮ (વિ૦ સ’૦ ૧૬૮૪ થી સ૦ ૧૭૧૫) દિલ્હીના ખાદ્દશાહ બન્યા. તેણે પેાતાના તરફથી ગુજરાતમાં ૧૩ સૂબાએ મેકલ્યા હતા. તે પૈકીના ૮મે સૂબા શાહજાદા ઔરંગઝેબ (ઈ૰ સ૦ ૧૬૪૪ થી ૧૬૪૬), ૯મા સૂમે શાયસ્તખાન (ઈ૦ સ૦ ૧૬૪૬ થી ૧૬૪૮ ), ૧૦ મા સૂત્રેા શાહજાદો મહમ્મદ દ્વારાશીકેાહ (ઈસ૦ ૧૬૪૮ થી ૧૬૫૨ ) ૧૧ મે સૂત્રેા શાયસ્તખાન અને ૧૨ મા સૂમે શાહજાદા મુરાદમક્ષ (૧૬૫૪ થી ૧૬૫૭) ગુજરાતના છેલ્લા સૂખા બનીને આવ્યા હતા. શાહજાદો ઔરંગઝેબ ધર્મઝનૂની હતા. તેને વિચાર થયા કે અમારા માગલ રાજ્યમાં આવું ભવ્ય હિંદુ મદિર અને તે કાઈ રીતે ઠીક નથી. તેના પાસવાનાએ પણ તેને ચડાવ્યા, આથી તેણે સં૦ ૧૭૦૧ માં સિકન્નુરપુરના આ જિનપ્રાસાદને તેાડાવી તેમાં થાડા ફેરફાર કરી તેને મસ્જિદરૂપે બનાવી દીધા. આ વાત ગુજરાતમાં ખૂણે ખૂણે પ્રસરી ગઈ. ગુજરાતમાં માઢુ ખંડ જાગ્યુ. શેડ શાંતિકાસ ઝવેરીએ બાદશાહ જહાંગીરને અરજ Page #298 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૫૭ કરી આ દુઃખદ અહેવાલ જણાવ્ય, અમદાવાદના મુલ્લા અબદુલ હકીમે પણ બાદશાહને આ હિચકારી ઘટના હોવાનું જણાવ્યું. બાદશાહ જહાંગીરે શાહજાદા મહમ્મદ દારાશિ કેહના હાથે લખાવી જુલસી સન ૨૨, હીજરી સન ૧૦૫૮ જમાઉદ્દીન (ઉસ્સાની) બીજે તા. ૨૧ સને ૧૬૪૮ જુલાઈ વિ.સં. ૧૭૦૫ના શ્રાવણ માસમાં ગુજરાતના ૮ મા સુબા શાયસ્તખાન ઉપર ફરમાન લખી મોકલી હુકમ કર્યો કે – શાહજાદાએ જે મકાન તોડ્યું છે તે શેઠ શાંતિદાસ ઝવેરીના તાબાનું હતું છતાં તેમાં સૂબાએ ફેરફાર કર્યો છે તે ઠીક કર્યું નથી. તે તેમાં જે નવા મહેરાબો બનાવ્યા હોય તેને હવે કાઢી નાખવા અને તે મકાન શેઠને હવાલે કરવું, એટલે કે બાદશાહ શાહજહાં શેઠ શાંતિદાસનું આ દેવળ તેને પાછું સેપે છે ને તેની ઉપર પહેલાંની જેમ પિતાને કબજો રાખે અને તેને પોતાની ધર્મમર્યાદા મુજબ વાપરે. તેમાં કોઈએ દખલ કરવી નહીં. તે મકાનમાં ફકીરે આવી વસ્યા હોય તો તેમને ત્યાંથી બહાર કાઢવા. બીજા મુસલમાનો તેને સરસામાન, કમાન વગેરે લઈ ગયા હોય તે સામાન તેઓ પાસેથી મંગાવી શેઠને અપાવજે. પણ જો તેઓની પાસે તે સામાન ન હોય તે તેઓ પાસેથી તેની રકમ લઈ શેઠને અપાવજે.” – પ્રક. ૪૪, બાઇ શાહજહાંનાં ફરમાને પૂ૦ ૧૪૪ The Journal of the Uuiversity of Bombay માં એસ. એમ. કામીસરીએટને લેખ – The Imperial Mughal Farmans in Gujrat) પ્રસિદ્ધ ઇતિહાસકાર મગનલાલ વખતચંદ લખે છે કે સૂબા ઔરંગઝેબે રાજ્યના ખરચથી ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન દેરાસર જે પહેલાં હતું તેવું બનાવી શેઠ શાંતિદાસને સોંપ્યું. પણ ફરી આફત આવી. એક મુસલમાન અમલદારને થયું કે આ દેરું વટલાવી. તેમાં પ્રવેશ કરી નમાજ પઢવી જોઈએ. શેઠ વખતચંદે આ વાત સાંભળી અને ત્યાંની પ્રતિમાઓને ઉઠાવી ગાડા મારફત ઝવેરીવાડમાં લઈ આવ્યા. તેમાંની ત્રણ મોટી પ્રતિમાઓને શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસની જે. ૧૭ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ યાદીમાં બનાવેલ ભ૦ આદીશ્વરના ભોંયરામાં પધરાવી. જેથી મોટી પ્રતિમાને નીશાપોળના જગવલભના દેરાસરના ભોંયરામાં પધરાવી, અને મૂળનાયક શામળા ચિંતામણિ પાર્શ્વનાથને ઝવેરીવાડના શેઠ વખતચંદના પુત્ર સૂરજમલના દેરામાં પધરાવી. આ દેરાસર આજે વાઘણપોળમાં ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે. મુસલમાનોએ સરસપુરના દેરાસરને વટલાવ્યું. રંગમંડપ, ધૂમટ, પૂતળીઓ તોડી-ફોડી બગાડ્યાં. આ દેરાસર સરસપુરની પશ્ચિમે બિસ્માર હાલતમાં વિદ્યમાન છે. શેઠ શાંતિદાસના પૌત્ર શેઠ ખુશાલચંદ ઝવેરીએ વાઘણપોળમાં સં. ૧૮૦૦માં ભ૦ ઋષભદેવને મોટો જિનપ્રાસાદ કરાવ્યો હતો. તેમાં ભટ્ટાવ કલ્યાણસાગરસૂરિના હાથે ભોંયરામાં ભ૦ ઋષભદેવ તથા ભ૦ ધર્મનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. શેઠ વખતચંદ તથા શેઠાણી જડાવબાઈ એ ભટ્ટા ઉદયસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૮૫૫ના ફા. સુ. રના રોજ અમદાવાદની વાઘણપોળમાં ભગવે અજિતનાથને જિનપ્રાસાદ બંધાવ શરૂ કર્યો. તેમાં વિવિધ તીર્થ પટ્ટો અને વિવિધ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. આજે તેની દેરીઓમાં સં. ૧૬૮૨ની પ્રતિષ્ઠા કરેલી જિનપ્રતિમાઓ વિદ્યમાન છે. સરસપુરના ચિંતામણિ પાશ્વનાથની જિન પ્રતિમાઓ ઉપરના ભ૦ આદીશ્વરના અને ભ૦ અજિતનાથના તથા જગવલ્લભ જિનપ્રાસાદમાં પધરાવવામાં આવી છે. મૂળનાયક ચિંતામણિ પાશ્વનાથની પ્રતિમા ચામુખથી નાની હતી તેને શેઠ વખતચંદે હાલતુરત માટે કેાઈ ગુપ્ત સ્થાનમાં પધરાવી રાખી. શેઠ વખતચંદને સાત પુત્રો હતા. તે પછીના છઠ્ઠા પુત્ર સૂરજમલે વાઘણપોળમાં વિશાળ જિનપ્રાસાદ બનાવ્યો હતો અને તેમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા તેમણે કરાવી. વૃદ્ધો કહે છે કે, શેઠ વખતચંદે ચિંતામણિ પાર્શ્વનાથ. ભ૦. અજિતનાથ તથા ભ૦ આદિનાથના જિનપ્રાસાદે અને શ્રી. ઉજમ www.jainelibrary:org Page #300 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૫૯ બાઈની હવેલી વચ્ચે મેટી ગુપ્ત સુરંગ બનાવી રાખી હતી. કેઈ અકસ્માત પ્રસંગે તે જિનપ્રતિમાઓનાં દર્શન-પૂજન માટે આવેલ શેઠ-શેઠાણી, શ્રાવક-શ્રાવિકાઓનું રક્ષણ થાય એવો પ્રબંધ કર્યો હતે. સરસપુરના મૂળ જિનપ્રાસાદમાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની સાથે બીજી પણ જિનપ્રતિમાઓ હતી. સંભવ છે કે શેઠે તે ત્રિગડાની ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રતિમાને નીશાપોળના જગવલ્લભ પાશ્વનાથના ઉપરના ભાગમાં સ્થાપન કરી હોય ! એ પણ ઉલ્લેખ મળે છે કે શેઠ વખતચંદ, શેઠાણી જડાવબાઈ, તેમના સાત પુત્ર, સાત પુત્રવધૂઓ, પુત્રીઓ વગેરેએ સં૦ ૧૯૦૩માં (૧) ભ૦ ચિંતામણિ જિનપ્રાસાદ, (૨) શ્રી. આદીશ્વર જિનપ્રાસાદ, અને (૩) સં. ૧૮૫૫માં અજિતનાથ જિનપ્રાસાદને માટે જીર્ણોદ્ધાર કરાવ્યો. ભંહેમસાગર તથા ચમત્કારી યતિવર પં. અમૃતવિજય ગણિવરના હાથે તે સૌની ફરીથી પ્રતિષ્ઠા કરાવી ત્યારે જિનપ્રતિમાઓ, દેવ-દેવીઓની મૂતિઓ, જિનચરણપાદુકાઓ વગેરેની પણ પ્રતિષ્ઠા કરી હતી અને શેઠ-શેઠાણુની યુગલમૂર્તિ પણ બનાવી ઊભી રાખી હતી. ભ, આદિનાથના ભોંયરામાંથી ભ૦ ધર્મનાથને સં. ૧૮૬૦માં ઉપર પધરાવ્યા હતા. આ જીર્ણોદ્ધાર વખતે તે જિનાલયેની વચ્ચેની સુરગ બંધ કરી દીધી હતી. આજે ગટરો થવાથી ત્યાં ઉપરના ભાગોમાં પાકા રસ્તા બની ગયા છે. જૂનું ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર અમદાવાદમાં વાઘણપોળમાં વિદ્યમાન છે અને તે નામથી ઓળખાય છે, જે તીર્થરૂપ મનાય છે. જિનોને આ સ્થાન માટે એવો વિશ્વાસ છે કે કઈ પણ પુરુષ કે સ્ત્રી લાગલાગેટ ચિંતામણિ પાર્શ્વનાથનું છ મહિના સુધી અખંડ દર્શન કરે તે તેમનાં મનોવાંછિત ફળે છે. આથી દૂર દૂરના જેને-અજેનો અહીં નિરંતર દર્શન કરવા આવે છે. અમદાવાદની રતનપળની વાઘણપોળમાં (૧) ભ૦ મહાવીરસવામી, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦] જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ (૨) ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ, (૩) ભ॰ આદીશ્વર અને (૪) ભ૦ અજિતનાથના મોટા જિનપ્રાસાદો છે. વચ્ચે પૂ. મુક્તિવિજયજી ણિવર ( પૂ. મૂલચંદજી મહારાજ)ના ઉપદેશથી નગરશેઠ પ્રેમાભાઈનાં ફ્રાઈ શ્રી. ઉજમબાઈ એ પેાતાનું ઘર ચતુર્વિધ સંઘને ધક્રિયા કરવા માટે આપ્યું હતું તે ઉજમબાઈની ધર્મશાળા છે. તેની સામે જ સાગરશાખાના ભટ્ટારકાના ઉપાશ્રય છે, જેમાં આજ વમાન તપ આયખિલ ખાતું ચાલે છે. (૩) અમદાવાદમાં જગવલ્લભ પાર્શ્વનાથ – ભટ્ટા॰ વિજયસેનસૂરિએ સં૦ ૧૬૫૮માં અમદાવાદમાં શેઠ શ્રીપાલ ઝવેરીએ ભરાવેલા ભ॰ પાર્શ્વનાથની ૬૩ આંગળ ઊંચી ૧૧ ફણાવાળી ભ॰ પાર્શ્વનાથની જિન પ્રતિમાની શામળિયા પાર્શ્વનાથના ભેાંયરામાં પ્રતિષ્ઠા કરી તેનું નામ જગવલ્લભ પાર્શ્વનાથ રાખવામાં આવ્યું. ૪ રાજપર ૫. ગંધાર ખંદર તી ગધારના રહેવાસી શેઠ વજિયા-રાજિયા પારેખ શ્રીમાલીએ સ ૧૬૫૫ના જેઠ સુદિ ૧૨ ને સેામવારે ખંભાતના સાગરપાડામાં ભ॰ ચિંતામણિ જિનપ્રાસાદમાં આ વિજયસેનસૂરિના હાથે માટી જિનપ્રતિષ્ઠા કરાવી. (-જુએ પ્રક૦ ૪૫, રોડ રાજિયા–વજિયા ) - આચાય શ્રીએ તેમાં ૧ ખંભાત, ૨ ખંભાત, ૩ નેજા, ૪ કાવી, ૫ ગધાર બંદર, ૬ વડાલાના કરહેડા પાર્શ્વનાથ પ્રાસાદે અને ૭ વડાલા ગામનાં જિનાલયેા માટે મૂળનાયક શ્રી. નેમિનાથ જિન પ્રતિમાઆની અંજનશલાકા કરી હતી. એ રીતે આ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૪૫ના જેઠ સુદ ૧૨ ને સામવારે ખંભાતમાં ગંધાર અને નવપલ્લવ પાર્શ્વનાથની પ્રતિમાની અંજનશલાકા કરી અને તે પછી પેાતે ખભાતથી વિહાર કરી ગંધાર મંત્તૂર જઈ સ’૦ ૧૬૪૫માં ગંધારના જિનપ્રાસાદમાં નવપલ્લવ Page #302 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૬૧ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી અને સં૦ ૧૬૪પમાં ગંધારમાં ચાતુર્માસ કર્યું. ત્યારથી ગંધાર બંદર તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તપાગચ્છના આ સૌભાગ્યહર્ષસૂરિના શિષ્ય પં. કલ્યાણહર્ષે સં. ૧૫૯૪માં ગંધારમાં “કૃતવર્મા રાસ રચ્યા. ગંધાર બંદર પહેલેથી જ જૈન વરતીથી ભરપૂર હતું. આભુ રિવાડના વંશજ વ્ય પરબત અને વ્ય, કાનજીએ સંડેરથી આવી ગંધારમાં મેટી જિનપ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે અચલગચ્છના આ જયાનંદસૂરિ તથા આ૦ વિવેકસૂરિ પાસે સમ્યકત્વપૂર્વક બાર વ્રત અને ચોથું બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યા. ત્યારે તેમણે ત્યાંના દરેક ઉપાશ્રયમાં કલ્પસૂત્રની પ્રતિઓ આપી હતી. દરેક ઉપાશ્રયમાં ગુરુઓની રૂપાનાણથી પૂજા કરી, જૈનોને જમાડી, વસ્ત્રોની પ્રભાવના કરી. સં. ૧૫૭૧માં જિનાગમ ગ્રંથભંડાર બનાવ્યા. તેમણે આ ભંડાર માટે સં. ૧૬૬માં ૪૦ ગુ. આ૦ હીરવિજયસૂરિના શિષ્ય પાસે નિશીથચૂર્ણિ'ની પ્રતિ લખાવી. એ સમયે ગંધારમાં વ્ય પરબત, વ્ય. કાનજી, વ્ય સહસવીર, વ્ય૦ પોઈયા, વ્ય ઉદયકરણ, શ્રાવિકાઓ બાઈ વીકા, બાઈક, બાઈ રહી, બાઈ પિસી વગેરેએ ઘણુ ગ્રંથો લખાવ્યા. - ગંધારના શ્રી વર્ધમાન, રામજી શ્રીમાલી, સં૦ જીવંત પોરવાડ, વ્ય૦ વઈચા પરવાડ, વ્ય૦ સમસિયા પોરવાડ, દો કરણ, દો. હંસરાજ ગૂર્જર, દો. પચાણ, પરીખ મૂથા વગેરે પોરવાડ, શ્રીમાલી. તથા શ્રીમાલી પરીખ જનાઓ સં૧૬૨માં શત્રુંજય તીર્થમાં તપાગચ્છના ભટ્ટાવિજયદાનસૂરિ અને ભવ્ય વિજયહીરસૂરિ પાસે ઘણી દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. (- પ્રાજે. લેસંભા -- ) જ આ. વિજ્યહીરસૂરિ સં. ૧૯૩૮માં ગંધારામાં રામજી ગંધારિયાના આગ્રહથી પિતાના મોટા પરિવાર સાથે ચોમાસુ રહ્યા હતા. તેમને ત્યાં જ સિકરી પધારવા માટે બાદશાહ અકબરનું આમંત્રણ મળ્યું અને તેઓ ત્યાંથી સં૧૬૩૯ના માગશર વદિ ૭ ના રોજ ગંધાર બંદરથી વિહાર કરી સં. ૧૬૩લ્માં ફતેપુર સિકી પધાર્યા. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] જૈન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ આ વિજયસેનસૂરિએ સં. ૧ ૬૪૩ના જે. સુત્ર ૧૦ને શુક્રવારે ગંધારમાં શેઠ ઇંદરજીએ ભરાવેલા ભ૦ મહાવીરસ્વામીના ઘર દેરાસરની પ્રતિષ્ઠા કરી. તથા સં૦ ૧૬૪પના જેસુ. ૧૨ને સેમવારે ખંભાતમાં ગંધાર બંદર માટે નવપલ્લવિયા પાર્શ્વનાથની અંજનશલાકા કરી. તે જ સાલમાં ગંધાર બંદરમાં પધારી પ્રતિષ્ઠા કરી અને ત્યાં ચાતુર્માસ કર્યું. આ. વિજયસેનસૂરિએ તે પછી સં૧૯૫૯માં ગંધારના સંઘે ભરાવેલ બીજી ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. આ. વિજયદેવસૂરિએ સં. ૧૬૭૭ના મા સુઇ ૭ને રવિવારે ખંભાતમાં ગંધારના સંઘે ભરાવેલ ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી તથા ભ૦ મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. ભટ્ટાવિજયદેવસૂરિએ સં. ૧૭૧૦ના વૈ૦ સુ. ૧૦ને શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં ગંધારમાં ભ. મહાવીરસ્વામીના જિનાલય પાસેના પદવી ઉત્સવમંડપમાં અમદાવાદ, ખંભાત, પાટણું, સુરત, કાવી અને ગંધારના જૈન સંઘની સભામાં પોતાના શિષ્ય ૫૦ વીરવિજયગણીને આચાર્ય બનાવી તેમનું નામ વિજયપ્રભસૂરિ રાખ્યું. પદવી પ્રદાનને વિધિ પૂર્ણ થયા પછી વૃદ્ધ રથવિર પં. કમલવિજય ગણીએ મંડપમાં ચતુર્વિધ સંઘની સભામાં જાહેર કર્યું કે ભટ્ટા. વિજયદેવસૂરિએ ૫૦ વીરવિજયગણને આચાર્ય બનાવ્યા છે અને તેમનું વિજયપ્રભસૂરિ નામ રાખવામાં આવ્યું છે. મહા ગુણવિજય ગણીએ સં. ૧૬૮૮ લગભગમાં આ. વિજયસિંહસૂરિના સમયે ગંધારના જૈન માલજીને ખુશ કરવા માટે “શ્રી. તપગણપતિ ગુણપદ્ધતિ” રચી. મહોવિનયવિજય ગણીએ સં. ૧૭૧૩માં ગંધારમાં ભટ્ટા વિજયપ્રભસૂરિના રાજ્યમાં “શાન્તસુધારસ” નામક કાવ્યગ્રંથ રચ્યો. ૬. કાવીતીર્થ – વિ૦ નં૦ ૮૮૪ના ગેવિંદરાજના તામ્રપત્રમાં કાપિકાને ઉલ્લેખ છે કે તાંબર જૈન ગચ્છામાં નાગરગછ પ્રાચીન છે. (પ્રક. ૪૨, Page #304 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટાર વિજયસેનસૂરિ [૨૬૩ પૃ. ૭૧૨) તેમજ નાગરવંશ પણ તાંબર જૈન જ્ઞાતિ હતી. (પ્રક. ૪૨, પૃ૦ ૭૧૩, ૭/૪, ૭રર) શા. દેપાલજી વડનગરના ભદ્રસિયાણું ગોત્રના દશાનાગર હતા. તેની પરંપરામાં અનુક્રમે ૧ શા. દેપાલજી, ૨ અલુમે, ૩ તાડકચંદ, ૪ બાડુકચંદ જિન, ૫ ગાંધી કુંઅરજી નાગર જન અને ૬ કાનજી નાગર જૈન થયા હતા. ( પ્રક. ૪, પૃ ૭૧૩) કાવી એ ખંભાતના અખાતને જ મહી નદી મળે છે તેના સંગમ સ્થાને આવેલું છે. બાહુઆ ગાંધીએ સં. ૧૬૪લ્માં લાકડાના મંદિરના સ્થાને પાકું મંદિર બંધાવ્યું. બાદ્ધઆના પુત્ર કુંવરજી ગાંધીએ વિ. સં. ૧૬૫૪ ના શ્રા વર ૯ ને શનિવારે આ વિજયસેનસૂરિના હાથે ભ૦ ધર્મનાથની પ્રતિષ્ઠા કરાવી. (–જે. તીઈપૃ. ૨૫૪) આ તીર્થની વ્યવસ્થા જંબુસરના સંધના હાથમાં છે. બાડુકચંદ જૈન (બાહુઆ)-તે નાગર વેપારીઓ સાથે વડનગરથી નીકળી ખંભાતમાં આવીને વસ્યા. જ૦ ગુઆ હીરવિજયસૂરિના ઉપદેશથી દઢ જૈન બન્યા. ને પરિવાર અને ધનથી સંપન્ન થયા. તેને પિપટી અને હીરા નામે બે પત્નીઓ હતી. તેમને ત્રણ પુત્રો હતા. પિપટીને ૧ કુંવરજી અને હીરાને ૧ ધર્મદાસ તથા ૨ વીરદાસ નામે પુત્રો હતા. કાવમાં ઈંટ, લાકડાં અને માટીથી બનાવેલું શ્રી શત્રુંજય તરીકે ઓળખાતું શ્રી આદીશ્વરનું પ્રાચીન જિનાલય હતું. તેને પિતાની લક્ષમી વાપરી જીર્ણોદ્ધાર કરવાની શ્રી. બાહુઆને ભાવના થઈ જીર્ણોદ્ધાર કરાવતાં શેઠ બાટુઆએ પૂર્વ–પશ્ચિમમાં ૯ ફૂટ અને ઉત્તર-દક્ષિણમાં ૬૧ ફૂટ પરિમાણ ભૂમિમાં બાવન જિનાલયવાળે ભ૦ ઋષભદેવને સર્વજિનપ્રાસાદ તૈયાર કરાવ્યો. આ વિજ્યસેનસૂરિએ સં૦ ૧૬૪૫ના જેઠ સુદિ ૧૨ ને સેમવારે ખંભાતમાં શેઠ વજિયા-રાજિયા પારેખ શ્રીમાળીના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી, તે જ ઉત્સવમાં ગાંધી WWW.jainelibrary.org Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ મોઢુક નાગર જૈનના કાવીના સજિનપ્રાસાદ માટે ભ॰ મહાવીર સ્વામીની પ્રતિમાની પણ પ્રતિષ્ઠા કરી હતી. " આ વિજયસેનસૂરિએ જ ગુ આહીરવિજયસૂરિની આજ્ઞાથી સં ૧૬૪૯ના મા૦ શુ૦ ૩ ના રાજ રાધનપુરથી લાહાર તરફ વિહાર કર્યો અને શેઠ માઢુંકે પેાતાના ત્રણ પુત્રાને સાથે રાખીને આચાર્ય - શ્રીના વાસક્ષેપથી તેમના શિષ્યાની પાસે સં ૧૬૪ના. મા. સુ. ૧૩ ને સેામવારે કાવીમરમાં સજિનપ્રાસાદ્યની પ્રતિષ્ઠા કરાવી. તેમાં પ્રાચીન મૂળનાયક ભ॰ ઋષભદેવની અને સ૦ ૧૬૪૫ના જે સુ॰ ૧૨ સેામવારના રાજ ભ॰ મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ સજિનપ્રાસાદ ભવ્ય બન્યા હતા. વિશાળ પણ હતા. તેના દરવાજો નાના હતા. એ વખતે મદિરાને મુસલમાની સૈનિકાનાં ધાડાંથી બચાવવા માટે દરવાજો નાના બનાવવાની પ્રવૃત્તિ હતી. સરંભવ છે કે, શેઠ બાહુક સં ૧૬૫૪માં સ્વસ્થ થયા હાય, કેમકે તેના ત્રણે પુત્રએ સ. ૧૯૫૬ના વૈ સુ ૭ ને બુધવારે ખભાતમાં ઠક્કર કીકાના ઘરદેરાસરના પ્રતિષ્ઠા ઉત્સવમાં તે જ મદિર માટે આ॰ વિજયસેનસૂરિના હાથે ભ ઋષભદેવની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી. ( “પ્રા॰ જૈ લે॰ ભા. ર, લેખાંક : ૪૫૧ ) ', ગાંધી કુંવરજી—તેને તેજલદે નામે પત્ની હતી અને કાનજી નામે પુત્ર હતા. શેઠ કુંવરજી એ કાવીતીમાં ખીજુ વિશાળ મંદિર બંધાવ્યું. 66 કવિમહાદુર પ* દ્વીવિજયજી આ મદિરના ઇતિહાસ આપતાં જણાવે છે કે— તેજલદેના શરીરના બાંધા ઊંચા હતા. સવજનપ્રાસાદમાં પ્રવેશ કરતાં તેનું મસ્તક દરવાજાના ઉત્તરંગ સાથે અથડાયું. ત્યારે તે તેની સાસુને કહેવા લાગી : ‘ ખાઈજી ! દેરાસર તે ભવ્ય બનાવ્યું. પણ દરવાજો નાના બનાવ્યા.' ત્યારે હીરાદેએ મહેણું માયુ" કે ‘એવી વાત છે તા તું એવું દેરાસર બંધાવજે.’ તેજલદેએ આ વાતની ગાંઠ વાળી કે હું... મેટા દરવાજાવાળું દેરાસર બંધાવીશ. સેાહમ્ કુલ પટ્ટાવલી ઉલ્લા૦ ૪, ઢાળ : ૪૭; સં. ૧૮૮૬ નું કાવી તીર્થં વર્ણન ઢાળ : ૩ ) ( Page #306 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૬૫ આ ઘટના સાચી હોય કે કપિત હોય પણ એ ચોક્કસ વાત છે કે પિતા-પુત્રે પોતાની જાતમહેનતની કમાણીથી કાવીમાં સાથે સાથે બે દેરાસર બંધાવ્યાં. ત્યાંના શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે, શેઠ કુંવરજી ગાંધીએ સં. ૧૬૫૪ના શ્રાવણ વદિ ૯ ને શનિવારે શ્રી. ધર્મનાથને બાવન દેરીવાળે “રત્નતિલક” નામે જિનપ્રાસાદ બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી. આ વિજયદેવસૂરિએ સં. ૧૯૫૫માં અમદાવાદના સિકંદરપુરમાં શ્રીસંઘે બંધાવેલા મેટા જિનપ્રાસાદમાં શ્રી. વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી તથા જ. આ૦ વિજયહીરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા પણ કરી, તે જ દિવસે શેઠ લહુઆ (લવજી) મનિયારે બનાવેલા શ્રી. શાંતિનાથના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. તથા ગાંધી કુંઅરજી નાગરે કારમાં બનાવેલા “રત્નતિલક” જિનપ્રાસાદ માટે ભરાવેલા શ્રી. ધર્મનાથ ભગવાનની પ્રતિમાની અંજશલાકા કરી. તથા એ જ મહોત્સવમાં પં૦ નંદિ વિજયગણીને ઉપાધ્યાય અને મુનિ વિદ્યાવિજયને પંન્યાસ બનાવ્યા. તથા ગીતાને મોકલી કાવી બંદરમાં ગાંધી કુંવરજી નાગરે બનાવેલા રત્નતિલક જિનપ્રાસાદમાં ભ૦ ધર્મનાથની પ્રતિમાને પ્રવેશ કરાવ્યો. આ. વિજ્યસેનસૂરિએ સં. ૧૬૫૬ના વૈ૦ સુ૪ ને સોમવારે મૃગશીર્ષ નક્ષત્રમાં ખંભાતમાં શેઠ મલજી તથા તેના ભાઈ સમજીએ કંકેતરી મોકલી સૌને બોલાવી કરેલ પદવી મહત્સવમાં ઉપા૦ વિદ્યાવિજ્યને આચાર્ય બનાવી પોતાની પાટે સ્થાપન કર્યા, તેનું નામ આ. વિજયદેવસૂરિ રાખ્યું. ૫૦ મેઘવિજયજી (૫૦ ઉદ્દદ્યોતવિજયજી)ને ઉપાધ્યાય બનાવ્યા. આ. વિજયસેનસૂરિએ સં. ૧૬પ૬ના વૈ૦ સુ ૭ ને બુધવારે ખંભાતમાં ઠકુર કીકાના ઘરદેરાસરના પ્રતિષ્ઠા-ઉત્સવમાં માત્ર નેમિનાથની પંચતીથીની શ્રી. કાનબાઈ મોઢની ભ૦ પાર્શ્વનાથની પંચતીથીની તથા ગાંધી કુંવરજી નાગર જૈન, ધર્મદાસ અને વીરદાસ વગેરે ત્રણ ભાઈઓએ કાવી માટે બનાવેલ ભવ્ય ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરાવી તથા આ જ ઉત્સવમાં સં૦ ૧૬૫૬ના વૈ૦ સુ ૭ ને બુધવારના રોજ પં. રાજવિજયને ઉપાધ્યાય પદવી આપી. ગાંધી કુંવરજીએ પિતાની પત્ની તેજલદે તથા પિતાના પુત્ર કાનજીના નામથી ભ૮ ધર્મનાથનું પરિકર ભર શાંતિનાથની પ્રતિમા Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ તથા ભ૦ સંભવનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી, ખંભાતમાં આ ઉત્સવ ઉપર ૭૦૦ મુનિવરો મળ્યા હતા. (–વિજયપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગઃ ૧૭, શ્લો૦ ૬) આ બંને જિનાલયોમાં શિલાલે તેમ જ પ્રતિમાલેખ વિદ્યમાન છે. બધામાં પ્રતિષ્ઠાપક તરીકે આ. વિજયસેનસૂરિનું નામ છે. વિશેષતા એ છે કે આચાર્યશ્રીના વાસક્ષેપથી તેમના શિષ્યોએ પ્રતિષ્ઠા કરી અને તેમાં તે આચાર્યને નમસ્કાર પણ કર્યા છતાં પ્રતિષ્ઠાપક તરીકે તે જ આચાર્યને બતાવ્યા છે. પ્રતિષ્ઠાને આવો નિયમ હોય છે. નગરસ્થાપના– જોધપુરના રાઠેડવંશમાં અનુક્રમે ૧૪ રાવ જોધાજી, ૧૫ રાવ સૂરજમલજી, ૧૬ રાવ ગંગદેવજી. આ અરસામાં તથા તે પહેલાં ઘણું નવાં નગરો વસ્યાં હતાં. સમી – વિ. સં. ૧૫૧૪માં સમી ગામ વસ્યું હતું. મેડતા – વિ. સં. ૧૫૧૭, ૧૫૯૬ કે ૧૫૯ રાવ વિંદે મેડતા ફરી વસાવ્યું. કિસનગઢ – ૧૫ રાવમાલદેવજી, ૧૮ રાવ ઉદયસિંહજી,૧૯ રાવ કિસનસિંહજી થયા. રાજા કિસનસિંહ રાઠોડે વિ. સં. ૧૯૬૯માં કિસનગઢ વસાવ્યું. કિસનગઢમાં સં. ૧૭૦૦ લગભગમાં રૂપસિંહ રાઠોડ રાજા હતે. તેને રાયચંદ નામે જન મહામાત્ય હતો. આ વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૧માં મંત્રી રાયચંદની વિનંતીથી કિસનગઢમાં ચોમાસું કર્યું. મંત્રી રાયચંદે તેમના ઉપદેશથી અહીં મોટો જિનપ્રાસાદ બંધાવ્યા. આ. વિજયસિંહસૂરિએ સં. ૧૭૦રના માગશર મહિનામાં મંત્રી રાયચંદે બંધાવેલા શામળિયા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેમ જ તેમાં મણિભદ્રવીરની પણ સ્થાપના કરી. Page #308 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૬૭ આ પ્રતિષ્ઠા ઉત્સવમાં આહણપુરના વજા મહેશદાસને મંત્રી સુગુણ અહીં આવ્યું હતું. તેણે આચાર્યશ્રીને વંદન કરી સેનામહોરથી નવ અંગે પૂજા કરી હતી. અહીં ઉપર્યુક્ત મંત્રી રાયચંદે બંધાવેલા શામળિયા પાશ્વનાથને જિનાલય ઉપરાંત બીજાં ૪ જિનાલયો છે. કિસનગઢ તપાગચ્છના ભટ્ટારકેના કેટવાલની ગાદીનું ગામ છે. અહીં તપાગચ્છને જૂને મેટો ઉપાશ્રય છે, જેમાં હસ્તલિખિત પ્રાચીન ગ્રંથભંડાર છે. આ વિસિંહસૂરિના શિષ્ય પં. ઉદયવિજ્યગણીએ સં. ૧૭૨૮માં અહીં ચોમાસું કરી સં. ૧૭૨૮ના દિવાળીના દિવસે કિસનગઢમાં “શ્રીપાલરાજાને રાસ” રચ્યો. તેમણે આ ગ્રંથની પ્રશસ્તિમાં સમકાલીન ઘણી ઐતિહાસિક વિગતો આપી છે. તેઓ ભટ્ટા, વિયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. તે પછી સં. ૧૭૨લ્માં સેજિતમાં પંન્યાસ બન્યા પછી ચોગ્ય સમયે મહોપાધ્યાય બન્યા. મહોપાધ્યાય ઉદયવિજયગણીએ ભટ્ટા. વિજયસિંહસૂરિની આજ્ઞાથી કિસનગઢમાં શામળિયા પાર્શ્વનાથ જિનપ્રાસાદમાં આવે વિજયસિંહસૂરિની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી. કિસનગઢના સોની પન્નાલાલજી સિમલજી એશિવાલ જૈન હતો. તે તપાગચ્છનો વિવેકી શ્રાવક હતો. તે શામળિયા પાર્શ્વનાથ વગેરે ત્રણ જિનપ્રાસાદનો વહીવટ કરતો હતો. તેણે અમને એકવાર જણાવ્યું કે, “અહીના એક ગચ્છપ્રેમી ગુરુદ્રોહી જેને રાતે ત્રણ વાગે પરોઢિયે આ જિનાલયને ઉઘાડી સલાટને લઈને એમાં પ્રવેશ કર્યો અને તે ચરણપાદુકાઓ ઉખેડી નાખી ફેંકી દેવા સલાટને જણાવ્યું, પરંતુ તે જ સમયે મને સેની પન્નાલાલને મણિભદ્ર મહાવીરે બાલરૂપે સ્વપ્નમાં પ્રત્યક્ષ આવી અવાજ આપ્યો કે, “ઊઠ, શામળિયા પાર્શ્વનાથના જિનાલયમાં તરત પહોંચી જા, ઢીલ કરીશ તે મેટો અનર્થ થશે.” “હું તરત ચાવીઓ લઈ જિનાલયમાં ગયો ત્યારે મને આવતા જોઈ તે ગુરુ દ્રોહી ખસિયાણ પડી ગયો અને જિનાલયમાંથી ચાલ્યો Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ગયે. મેં સલાટને ધમકાવીને કાઢી મૂક્યો. પછી તે દિવસે જનસંઘને બોલાવી બધાની આગળ આ હકીકતની રજૂઆત કરી અને હવે પછી આવું ન બને તેની પાકી વ્યવસ્થા કરી. કિસનગઢને રાજા રાઠોડ છે. વૈષ્ણવ ધર્મ પાળે છે. તેના પૂર્વજોએ અહીં પ્રાચીન કૃષ્ણમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે. તેથી યાત્રાધામ છે. યાત્રાળુઓ એમ માને છે કે કિસનગઢની વિષ્ણુમૂર્તિનાં દર્શન કરીએ તો જ વિષ્ણધામની યાત્રા સફળ થાય. જ ગુ. આ હીરવિજયસૂરિના મહ૦ સેમવિજયગણીની પર પરાના પં. ભીમવિજયજી ગણુ થયા, જેઓ વિદ્વાન અને ચમત્કારી પુરુષ હતા. તેમને બાટ ઔરંગઝેબ, નવાબે અને રાજાએ બહુ માનતા હતા, જે વિજયદેવસૂરિસંઘના ભવ્ય વિજય રત્નસૂરિ (સં ૧૭૩ર થી ૧૭૭૩)ની આજ્ઞામાં હતા. (–પ્રક. ૪, પૃ. ૧૦૫) તે પં. ભીમવિજયજીએ સં. ૧૭૭૧માં કિસનગઢમાં ચોમાસું કર્યું અને સં. ૧૭૭૧ના ભાદરવા વદ અમાવાસ્યા ને રવિવારે મધ્ય રાતે કિસનગઢમાં કાળધર્મ પામી સ્વર્ગે ગયા. જૈન સંઘે કિસનગઢની બહાર એક રથાનમાં તેમને અગ્નિસંરકાર કરી ત્યાં દેરી બનાવી તેમને ત્યાં સમાધિરતૂપ બનાવ્યું. ત્યાં જગદગુરુની વિશાળ દાદાવાડી કરી તેની ચારે બાજુએ મેટે કિલ્લે બંધાવ્યો. કિસનગઢના નવાબને આ શાનદાર સ્થાન જઈ તેને પિતાના કબજા હેઠળ લઈ લેવાને લોભ લાગે પરંતુ પં. ભીમવિજયગણના મેટા શિષ્ય પં. મુક્તિવિજયગણીએ નવાબને મળી, ઉપદેશ આપી સમજાવીને આ સ્થાન સદાને માટે પિતાના અને જૈન સંઘના કબજામાં રહે એ પાકે બંદોબસ્ત કર્યો અને પોતે કિસનગઢના તપાગચ્છના જનસંઘને આ સ્થાન અર્પણ કર્યું. (- જૈ૦ સ૦ પ્ર. કમાંકઃ ૧૫૦) આ સ્થાન આજે નિર્જન પ્રદેશમાં છે અને “હીરવિજયસૂરિની Page #310 -------------------------------------------------------------------------- ________________ આગણુસાઈડ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૬૯ દાદાવાડી’નામથી પ્રસિદ્ધ છે. શ્રીપૂજ સંસ્થા, યતિ સંસ્થા રહી નહી તેથી આ સ્થાનની કેાઈ ભાળ-સાઁભાળ રાખતું નથી. જૈનધર્મપ્રેમી રાજાએ — — બાદશાહ હેમૂ વિક્રમાદિત્ય, ખાદશાહ અકબર, બાદશાહ જહાંગીર, ખાદશાહ શાહજહાં, ખાદશાહ ઔરંગઝેબ, સૂબા અજીજ કાકા, સૂએ ઔરંગઝેબ, સૂબેા મહમ્મદ દ્વારાશિકાહ, સૂબા મુરાદઅક્ષ અને સૂબા પૂરમ વગેરેના પરિચય અગાઉ ( પ્રકરણ ૪૪માં ) આવી ગયા છે. સૂક્ષ્મ પૂરમ – તે ગુજરાતના સૂબા અજીજ કાકાના પુત્ર હતા. તે અને જ॰ ગુ॰ આ॰ હીરવિજયસૂરિના ભક્ત હતા. પૂરમ સેારઠના પણ સૂબેા હતેા. તે ઉગ્ર સ્વભાવના હતા. તેણે કાઈની ચડવણીથી શંત્રુજય તીર્થના જિનપ્રાસાદને ખાળી નાખવા તેની ચારે બાજુએ લાકડાં ગેાઠવ્યાં. ખા૦ અકબરે ઉપા॰ ભાનુચંદ્રગણી પાસેથી આ હકીકત જાણી તાકીદના હુકમ કર્યા અને તેને રાકી લીધેા. આચાય વિજયસેનસૂરિ સ૦ ૧૬૭૦ લગભગમાં ગિરનારની યાત્રાએ પધાર્યા હતા ત્યારે તેમણે પૂરમને ઉપદેશ આપી શાંત કર્યાં અને પ્રજાપ્રેમી બનાવ્યા. ૧૬મા રાવ માલદેવ ને જોધપુરના ૧૫મા રાવ સૂરજમલના પૌત્ર હતા. રાજા માલદેવ – તે નાગરના રાજા હતા. મહા॰ ધસાગરગણી અને જ॰ શુ આ॰ હીરવિજયસૂરિના ભક્ત હતા. રાવ રાજિસંહ રાઠોડ-તે જોધપુરના ૨૧મા રાજા હતા ને વિજયદેવસૂરિના ભક્ત હતા. આ સુલતાન દેવડા – તે સરાહીના રાજા હતા, ઉગ્ર સ્વભાવના હતા. તે જ ૩૦ હીરવિજયસૂરિના ધર્મોપદેશ સાંભળી શાંત બન્યા, પ્રજાપ્રેમી બન્યા. તે તેમના ભક્ત થયેા. કાલાવશ – તે પોર્ટુગીઝના દીવદરના ફિરંગી સૂબે હતા. આ વિજયસેનસૂરિના ઉપદેશથી દયાપ્રેમી બન્યા. જામ નરેશ તે જામનગરના રાજા હતા. સ૦ ૧૬૬૯-૭માં આ વિજયસેનસૂરિના ઉપદેશથી પ્રજાપ્રેમી અને દયાપ્રેમી બન્યા હતા. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ પ્રભાવક જેનો અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી, શેઠ શાંતિદાસ, મનિયા શ્રીમાલી વગેરેને પરિચય અગાઉ આવી ગયા છે. શેઠ કલ્યાણમલ–તે મેડતાનો વતની હતો. માટે વેપારી હતો. રાજમાન્ય હતો. ધર્મપ્રેમી અને સત્યને પક્ષપાતી હતો. સમ્યકત્વપૂર્વક બાર વ્રતધારી હતી. તપાગચ્છને આગેવાન જૈન હતો. પણ તે મહાક્રોધી હતો. તેણે સં. ૧૬૧૬માં મહોત્ર ધર્મસાગરગણીના ઉપદેશથી અને ખમત ખામણાથી બંધ પામી અનંતાનુબંધી ક્રોધને છોડી પોતાના વિરોધી દીવાન હસનલ જિન સામે સાચા દિલથી ખમતખામણું કર્યા હતાં. અને તેને પિતાનો સાચે ભાઈ બનાવ્યો હતો. મંત્રી ગલરાજ–તે અમદાવાદને વતની હતો. દિશાવાળ જ્ઞાતિના મંત્રી વસુઈગનો પુત્ર હતો. તેને મંગૂ નામે પની હતી. મંત્રી વીરદાસ નામે પુત્ર હતા. અમદાવાદના સુલતાન મહમ્મદ (સં. ૧૫૯૪ થી ૧૬૧૦) ચેથાને માનીતે મંત્રી હતો. તેને બાદશાહે “મલેક મગદલ'નું બિરુદ આપ્યું હતું. તે માટે વાર હતો. તેના હાથ નીચે ૫૦૦ ઘોડેસવાર હબસીઓની સેના હતી. તે વિજયદાનસૂરિનો ભક્ત હતો. તેણે સં. ૧૬૧૮માં મહા ધર્મસાગર ગણિવરને અમદાવાદમાં પધરાવ્યા. તેમના પ્રવેશ ઉત્સવમાં બે હજાર નારિયેળની પ્રભાવના કરી હતી. તેમને અમદાવાદમાં માસું કરાવી જુદી જુદી વસ્તુઓની પ્રભાવના કરી હતી, ત્યારે તેમના વ્યાખ્યાનમાં ૫૦૦થી વધુ શ્રોતાઓ આવતા હતા. મંત્રી ગલરાજે સં. ૧૯૨૦ના વિ૦ સુત્ર ૫ ને ગુરુવારે શંત્રુજયતીર્થમાં ભ૦ આદીશ્વરની દેવકુલિકાની ભટ્ટા. વિજયદાનસૂરિ અને આ૦ હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ( – તપાગચ્છ પટ્ટાવલી ગા. ૧૯ની ટીકા; હીરસૌભાગ્ય કાવ્ય સર્ગઃ ૪, . ૧૪૭ની ટીકા) સં. ૧૬૧૮માં મહો ધમસાગરગણના ચાતુર્માસમાં પાટણના Page #312 -------------------------------------------------------------------------- ________________ આગણુસાઈડ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૭૧ વીશા શેઠે શિવજી મહેાપાધ્યાયને વાંઢવા આવ્યા ત્યારે મંત્રી ગલરાજ અને શેઠે શિવજી વચ્ચે ગાઢ મૈત્રીસ બધ બધાયા હતા. > આ॰ વિજયદાનસૂરિએ સં૦ ૧૬૧૯માં મહા ધર્મ સાગરગણીના ‘કુમતિકુદ્દાલ ” નામક ગ્રંથને અપ્રામાણિક જાહેર કર્યાં હતા. તે પછી મહા॰ ધર્મસાગરગણી અમદાવાદ પધાર્યાં ત્યારે ગલા મહેતાએ તેની નવી પ્રરૂપણાના પક્ષકાર તરીકે ઉપા॰ રાજવિમલગણીને ત્રાસ આપ્યું. પરિણામે મહા॰ ધર્મસાગરગણી સંઘ બહાર મુકાયા. ગલા મહેતાએક પ્રભાવક જૈન હતા પણ ઉપરની ઘટનામાં પક્ષકાર બનવાથી તેમની મહત્તા સદાને માટે ઘટી ગઈ. ગલા મહેતા રાજમાન્ય હતા તેના પુરાવા સ્પષ્ટ છે કે, અમદાવાદમાં ગલા મહેતાની પાળ – હાજાપટેલની પેાળમાં કાળુપુર વિભાગમાં આજે વિદ્યમાન છે. (– અમદાવાદને ઇતિહાસ) સંઘપતિ સહજપાલ – તે માટા પુણ્યશાલી હતા. તેને મંગા નામે પત્ની હતી. તે સતીઓમાં શિરામણ ગણાતી હતી. બંને ધર્મપ્રેમી હતાં. ૧. ૧ સંઘપતિ 'અરજી ૧ – તે નાનપણથી પુણ્યાત્મા હતા. નિરંતર આ સમયે અરજી બે થયા હતા. (૧) સેની કુ’અરજી એશવાલ તે સેાની આભ એશવાલના વંશના ૭મા શા, વિચા અને પદ્માના પુત્ર હતા, સેાની તેજપાલના ભાઈ હતા. તેમણે સ૦ ૧૬૪માં શત્રુ જચ ઉપર ૮, જસુની દેખરેખ નીચે અષ્ટાપદાવતાર જિનપ્રાસાદ બધાન્ય, અને જ૦ ૩૦ આ॰ હીરવિજચરના હાથે રા૦ ૧૬૫૦માં તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) શા. દેધર શ્રીમાલીને બારમેા વશ જ ગાંધી કુ અરજી નાગર જૈન તે વડનગરથી આવેલા ભદ્રસિયાણા ગાત્રના દશાનાગર શા॰ દેપાલજી નાગરની પરંપરાના અને કાવી આવી વસેલા શા. ખલુકચંદ ગાંધી નામર ચૈતની પત્ની પાપડીના પુત્ર હતા. ગાંધી કુંઅરજીને તેજલદે નામની પત્ની અને કાનજી નામે પુત્ર હતેા. શા, ખાલુકે આ વિજયસેનરના હાથે સ૦ ૧૬૪૫ના જે૦ ૩૦ ૧૨ને સામવારે ખ'ભાતમાં ભ૰ મહાવીર સ્વામીની પ્રતિમાની અંજનશલાકા રા′૦ ૧૬૪૯ ના મા૦ સુ॰ ૧૩ ને સેમવારે ક.વીમાં સતિપ નામદેવ અને ભટ્ટ મહાવીરસ્વામીની Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ધર્મક્રિયા કરતો હતો. સાતે ક્ષેત્રમાં દાન દેતો હતો. તેણે આ વિજયદાનસૂરિના વરદ હસ્તે ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી અને માટી નામના મેળવી હતી. તેણે દેવવિમાન જે જિનપ્રાસાદ બંધાવ્યો. આ. વિજયદાનસૂરિના ઉપદેશથી સંઘપતિ બની શત્રુંજય મહાતીર્થને છરી પાળતા યાત્રા સંઘ કાઢયો હતો. આથી તે સંઘપતિ કહેવાય. તેણે શત્રુંજય તીર્થમાં દેવવિમાન જે જિનપ્રાસાદ બનાવ્યો અને દેરી બંધાવી. તાલધ્વજતીર્થ તથા ગિરનાર તીર્થમાં જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેને પડ્યા નામે પત્ની હતી અને વિમલદાસ નામે પુત્ર હતો. તે ત્રણેએ ગુરુદેવના ઉપદેશથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે ‘કલ્પસૂત્ર”ની “કિરણાવલી”ની સેંકડો પ્રતિઓ લખાવી હતી. શેઠ વિમલદાસ – તેણે ગુરુદેવોના ઉપદેશથી મહોધર્મસાગરગણુ રચિત “કલ્પસૂત્ર” ઉપરની “કિરણાવલી” ટીકાની સેંકડે પ્રતિ લખાવી હતી. (– કલ્પકિરણાવલી પ્રશસ્તિ શ્લો૧૫ થી ૨૪) શેઠ રામજી ગંધારિયો–તે ગંધારને વતની હતો. વર્ધમાન શ્રીમાલીને પુત્ર હતો. કોટિધ્વજ વેપારી હતો. પરમ જિન હતો. વહાણવટું કરતો હતો. વહાણ અને વહાણને લગતો સામાન વેચતો હતે. તે તપાગચ્છના ભટ્ટાવિજયદાનસૂરિ, આ વિજયહીરસૂરિ આ વિજયસેનસૂરિને ભક્ત હતો. તેણે સં. ૧૬૧૯-૨૦માં આ૦ વિદાનસૂરિના ઉપદેશથી શત્રુંજય મહાતીર્થનો છરી પાળતો યાત્રાસંઘ કાઢયો હતો. શા પ્રતિષ્ઠા તથા તેમના પુત્રએ સં. ૧૯૫૬ના વૈ૦ સુત્ર ૭ને બુધવારે ભ૦ ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરાવી હતી. શા કુંઅરજી ગાંધીએ આ૦ વિજયસેનસૂરિના હાથે સં. ૧૬૫૪ના શ્રાવ વ૦ ૯ ને શનિવારે કાવીમાં રત્નતિલક પ્રાસાદની પ્રતિષ્ઠા સં૦ ૧૬૫૬ના મા૦ સુલ ૫ ના રોજ અમદાવાદમાં ભ૦ ધમનાથની પ્રતિમાની અંજનશલાકા, સં૦ ૧૬૫૬ના વિ૦ સુ૦ ૭ને બુધવારે અમદાવાદમાં ભ૦ ઘર્મનાથનું પરિકર, ભ૦ શાંતિનાથ, ભ૦ સંભવનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા વગેરે અને અંજનશલાકા કરાવી હતી. એકંદરે આ પિતા-પુત્રે આ૦ વિજયસેનસૂરિના હાથે કાવીતીર્થની સ્થાપના કરાવી હતી, તે આજે પણ એક તીર્થ ધામ તરીકે પ્રસિદ્ધ છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટાર વિજયસેનસૂરિ [૨૭૩ રામજી ગંધારિયાએ તળાજા તીર્થ અને ગીરનાર તીર્થના મેટા જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. શેઠ રામજી આ૦ વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિને ગંધાર બંદરમાં પધરાવવા વારંવાર વિનંતી કરતો હતો. આ. વિજયહીરસૂરિએ સં. ૧૬૩૭માં ખંભાતમાં ચોમાસું કર્યું. સં. ૧૬૩૮ના મા. સુ ૧૩ના રોજ ખંભાતમાં સં૦ ઉદયકરણના ભ, ચંદ્રપ્રભના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી ત્યારે શેઠ રામજીએ ત્યાં આવી આચાર્યશ્રીને ગંધાર પધારવા વિનંતી કરી પણ તેને આશા નહોતી કે ગચ્છનાયક ગંધાર પધારે; પરંતુ ગચ્છનાયકે પોતાના પરિવાર સાથે ખંભાતથી ગંધાર તરફ વિહાર કર્યો. સંઘપતિ ઉદયકરણે શેઠ રામજીને ગંધારમાં એક માણસ દ્વારા આ વિહારના સમાચાર જણાવ્યા. શેઠ રામજી ગુરુદેવના ગંધાર પધારવાના ખબર સાંભળી ઘણે ખુશ થયો અને તેણે આ શુભ સમાચાર લાવનારને પ્રીતિદાન–ઈનામ આપવાનું નકકી કર્યું. શેઠે પોતાની વખારોના તાળાઓની ચાવીઓને જૂડે તે માણસને આપી જણાવ્યું કે, તેને પસંદ પડે તે ચાવી આ જૂડામાંથી લઈ લે. તે ચાવી જે વખારની હશે તે વખાર કે પેટીમાં જે જે વસ્તુઓ હોય તે તને ઈનામમાં આપીશ. ખબર લાવનાર માણસ ભેળ હતો. તેણે ચાવીના જડામાંથી મેટી હતી તે ચાવી લીધી. શેઠે તે ચાવીવાળી વખાર ઉઘાડી તો તેમાં વહાણના કામમાં આવતાં દોરડાઓ હતાં. શેઠે તે ભદ્રિકને દોરડાં આપી દીધાં. ભદ્રિકને એ દોરડા વેચવાથી લાખ રૂપિયાની પ્રાપ્તિ થઈ (– જે.સ.પ્ર. વર્ષ ૧૪, અંક: ૧૦ ક્રમાંકઃ ૧૬૬ ) આચાર્યશ્રીએ પોતાના પરિવાર સાથે સં. ૧૬૩૮નું ચોમાસું ગંધારમાં કર્યું. દિલ્હીના બાદશાહ અકબરે આ ચોમાસામાં આ૦ વિજ્યહીરસૂરિને ફતેહપુર સિક્રી પધારવા આમંત્રણ મોકલ્યું. આથી આ૦ વિજય જે, ૧૮ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૪] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ હીરસૂરિએ પિતાના પરિવાર સાથે સં ૧૬૩ન્ના માગશર વદિ ૭ ના રોજ ગંધારથી ફત્તેહપુર સિકી જવા માટે વિહાર કર્યો. શેઠ રામજીએ શત્રુજ્ય તીર્થમાં શ્રી. શાંતિનાથ ભ૦ને ચમુખ જિનપ્રાસાદ, દેરી વગેરે કરાવ્યાં હતાં અને સં. ૧૬૫માં ચૌમુખને મોટે જિનપ્રાસાદ બનાવી આ. વિજયહીરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. - શા. વર્ધમાન–તે ગંધારના શ્રીમાલી શા- પાસવીરનો પુત્ર હતો. તેને ૧ રામજી, ૨ હંસરાજ, ૩ મનજી એમ ત્રણ પુત્રો હતા. તેણે સં. ૧૬૨૦ ના કા2 સુ. રના રોજ શત્રુંજય મહાતીર્થમાં ભટ્ટા વિજયદાનસૂરિ અને આ 2 વિજયહીરસૂરિના હાથે ભ૦ શાંતિનાથના ચૌમુખ પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી. (આ દેરાસર ભંડારની ઓરડી પાસે છે. ). (– શ્રી શત્રુંજયનું મોટું વર્ણન ) શેઠ મૂલાશાહ–તે અમદાવાદના અહમદપરામાં રહેતો હતો. ધનાઢય જૈન વેપારી હતા. આ. વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિને ભક્ત હતો; આ૦ વિજયહીરસૂરિએ સં. ૧૬૨૮ ના ફાવે સુ, ૭ને સોમવારે અમદાવાદના અહમદપરામાં શેઠ મૂલાશાહે કરાવેલા પદવી મહોત્સવમાં પં. જયવિજયગણીને ઉપાધ્યાય બનાવ્યા. પછી આચાર્ય બનાવ્યા અને તેમનું નામ રાખ્યું વિજયસેનસૂરિ. | ( વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ગઃ ૭, લે. ૬૭ થી ૭૨ ) તથા તે જ મુહૂર્તમાં ઉપા. વિમલહર્ષગણિવરને મહોપાધ્યાય બનાવ્યા. અને મુનિ પસાગરગણી, મુનિ લબ્ધિસાગરગણું વગેરે છે ગણિવરને પંન્યાસ બનાવ્યા. શેઠ મૂલાશાહે સં. ૧૯૫૦ માં શત્રુંજય તીર્થમાં આદીશ્વરની ટ્રકમાં મોટો જિનપ્રાસાદ બનાવી આ. વિજયહીરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. જસુ ઠક્કર–તેને વધુ પરિચય મળતો નથી. સંભવ છે કે તે પં. સિંહવિમલગણીએ જૈન બનાવેલ કાયસ્થ વંશનો હોય. તે સં” ૧૬૫ભાં શત્રુંજય તીર્થમાં ભ૦ આદીશ્વરની ટ્રકમાં ખંભાતના સોની Page #316 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૭૫ તેજપાલ ઓશવાલે જે મોટો નંદિવર્ધન જિનપ્રાસાદ બંધાવ્યો અને સેની કુંઅરજીએ અષ્ટાપદાવતાર જિનપ્રાસાદો બંધાવ્યા તે આ ઠક્કરની દેખરેખ નીચે બનાવ્યા હતા. સેની તેજપાલ ઓશવા–ને ખંભાતનો વતની હતે. સેની વછિયાનો પુત્ર હતો તે સં ૧૬૫૦માં શંત્રુજય તીર્થમાં દોશી કર્મશાહે કરાવેલા મોટા જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવી તેને “નંદિવર્ધન જિનપ્રાસાદ” એવું નામ આપ્યું હતું. તથા સં. ૧૬૫૮માં અમદાવાદની ઝવેરીવાડમાં જગવલ્લભ પાર્શ્વનાથના પ્રતિષ્ઠા ઉત્સવમાં આ વિજયસેનસૂરિના હાથે ભ =હષભદેવની ૭૧ આગળ ઊંચી જિન પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી. સંઘવી તેજપાલની પત્ની તેજલદેએ સં. ૧૬૬૧ના વૈ૦ વ. ૭ ના રોજ ખંભાતમાં આ વિજયસેનસૂરે પાસે પોતાના સેંયરાવાળા ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી. સોની તેજપાલે સં ૧૯૪૬માં ખંભાતમાં ભ સુપાર્શ્વનાથ અને ભ૦ અનંતનાથની આ૦ વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. શેઠ વજિયા–રાજિયા શ્રીમાલી–તે ગંધાર, ખંભાત અને ગોવાના વતની હતા. બંને સગા ભાઈઓ હતા. તેમણે સં. ૧૬૪૫ના જે સુ. ૧૨ ને સોમવારે ખંભાતના સાગવટપાડામાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બનાવી આ. વિજયસેનસૂરિના હાથે તેની તથા બીજી જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. સં૧૬૪૫માં આ વિજ્યસેનસૂરિના હાથે ગંધાર બંદરમાં તીર્થની સ્થાપના થઈ. સં. ઉદયકરણ–તે ખંભાતને વતની હતે. ધનાઢય જૈન હતો. તેણે સં. ૧૯૩૭માં ખંભાતમાં આ વિજયહીરસૂરિને ચોમાસું રાખ્યા. સં. ૧૬૩૮ ના મ0 સુ૧૩ના રોજ ખંભાતમાં પોતે બનાવેલ ચંદ્રપ્રભ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. આ વિજયહીરસૂરિ પાસે તથા સં ૧૬પર-પ૩માં ખંભાતમાં તે જ જિનાલયમાં આ૦ વિજયસેનસૂરિના હાથે જ ગુઆ વિજયહીરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ તેણે જ ગુ. આ૦ વિજ્યહીરસૂરિના ઉપદેશથી મારવાડ-મેવાડનાં જૈન તીર્થોને છરી પાળતો યાત્રા સંઘ કાઢ્યો હતો. ચંપા માં અને શેઠ થાનમલજી–શેઠ રાજમલજી (રાજસિંહજી) ફત્તેહપુર સિકી પાસેના અભિરામાબાદ (ઈબ્રાહીમાબાદ)માં રહેતા હતો. ધનાઢય ઓશવાળ જૈન હતો. તેને ચંપા નામે પત્ની હતી અને થાનમલ (થાનસિંહ) નામે પુત્ર હતો. ચંપાબેન ધર્મપ્રેમી હતી. પવિત્ર જીવન ગાળતી જૈન શ્રાવિકા હતી. મેટી તપસ્વિની હતી. તેણે બાદશાહ અકબરના દિલમાં શ્રદ્ધાને હથોડો મારી તપસ્યા રૂપી ટાંકણા વડે પાર્શ્વનાથ અને વિજયહીરસૂરિ એમ બે અક્ષરો કોતર્યા હતા. બાદશાહ આ અક્ષરોના ચમત્કારોથી ધીમે ધીમે હિંદુ (જૈન) બની ગયો હતો. શેઠ રાજમલ અને ચંપાદેવીને થાનમલ નામે પુત્ર હતો. તેમાં ધર્મશીલ માતાના ગુણો ઊતર્યા હતા. તે માતૃભક્ત હતો. વિવેકી જૈન હતો. બાદશાહ અકબરને માનીતો હતો. બાદશાહ અકબર ગુજરાત જીતવા ગયા ત્યારે તેને સાથે લઈ ગયે હતો. તે વખતે સં. ૧૬૨૮માં અમદાવાદમાં તપાગચ્છના આ. વિજયહીરસૂરિ પાસે લોકાગચ્છના ઋષિ મેઘજી વગેરે ૧૮ યતિઓએ સંવેગી દીક્ષા સ્વકારી હતી. શેઠ થાનમલજીએ આ ઉત્સવમાં બાદશાહી વાજાં લાવી શાસનની પ્રભાવના કરી દીક્ષા–ઉત્સવ ઊજવ્યો હતો. શેઠ થાનમલ અને આગરાના જૈન સંઘે બાદશાહ અકબરની પ્રેરણાથી સં. ૧૬૩૮માં આ૦ વિજ્યહીરસૂરિને ફત્તેહપુર સિક્રી પધારવા ગંધાર વિનંતીપત્ર મોકલ્યો હતો. આ. વિજયહીરસૂરિ ગંધારથી વિહાર કરી સાંગાનેર પધાર્યા ત્યારે શેઠ થાનમલ તેમની સામે સાંગાનેર ગયે અને ગુરુદેવને બહુ માનપૂર્વક ફત્તેહપુર સિકી લઈ આવ્યા. બા અકબરે સં૦ ૧૬૪૦માં ફરહપુરમાં આ૦ વિહરસૂરિને જગદ્ગુરુ'ની પદવી આપી. આથી આગરા અને ફત્તેહપુરના જૈન સંઘે તે પદવીને આનંદ ઉત્સવ ઊજવ્યો. એ વેળાએ મેડતાના શા. સદારંગે એક જૈન ભેજકને દાનમાં હાથી આપ્યો. અ3 ભાટને બીજે Page #318 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ ૨૭૭ હાથી આપ્યો. શેઠ થાનમલે તે હાથીને શણગાર પહેરાવ્યો અને તે શણગાર અફ઼ ભાટને દાનમાં આપ્યો. શેઠ થાનમલજીએ સં. ૧૬૪૦માં ફત્તેહપુરમાં જિનપ્રાસાદ બનાવી તેની જ ગુડ આ હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. જ ગુ. આચાર્ય આ પ્રતિષ્ઠા ઉત્સવમાં પં. શાંતિચંદ્રગણીને ઉપાધ્યાય બનાવ્યા અને મુનિ ભાનચંદ્ર ગણીને પંન્યાસ બનાવ્યા. તથા બાદશાહ અકબરના પ્રીતિપાત્ર જેતા શાહને દીક્ષા આપી મહો૦ લાભવિજયના શિષ્ય બનાવી મુનિ જીતવિજય નામ આપ્યું. શેઠ થાનમલજીએ સં. ૧૬૪૧માં અભિરામાબાદ (ઈબ્રાહીમાબાદ)માં જ૦ ગુ. આ. વિજયહીરસૂરિ પાસે પોતાના ઘર દેરાસરની પ્રતિષ્ઠા કરાવી અને સં. ૧૬૪૧માં અભિરામાબાદમાં તેમને ચાતુર્માસ રાખ્યા. શેઠ થાનમલજી અને ભાનુમલ તથા કલ્યાણમલે લાહોરના ઉપાશ્રયમાં મહો. ભાનુચંદ્રગણીના ઉપદેશથી શાહજાદા જહાંગીર (સલીમ)ની વિષકન્યાની શાંતિ માટે શાંતિ અભષેક-શાંતિપાઠ કરાવ્યો. શાભાનુમલ, કલ્યાણમલ–તે બંને ભાઈઓ હતા. આગરાના રહેવાસી હતા. ચારડિયા ગોત્રના ઓશવાલ જન હતા. ચારડિયાઓ શરૂઆતથી જ ઉપકેશગચ્છના અને વેતાંબર જન રહ્યા છે. બંને ભાઈ ઓ બાદશાહ અકબરના માનીતા હતા. આ બંને ભાઈઓ જ ગુ૦ આ. વિજયહીરસૂરના ભક્ત હતા. તેઓ પણ આચાર્યશ્રીને ફત્તેહપુર સિકી લઈ આવવા શા થાનમાલની સાથે સાંગાનેર સામે ગયા હતા. તે ભાઈઓએ સં. ૧૯૪૦માં આગરાના રોશન મહોલ્લામાં ચિંતામણિ પાર્શ્વનાથનું ચૈયાલય બનાવી તેમાં આ હીરવિજયસૂરિના હાથે ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામ રંગની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તે પછી મહાભાનુચંદ્રગણુના પ્રયત્નથી બા. અકબરની પરવાનગી મેળવી તેને રંગમંડપ, શિખર વગેરે બનાવી માટે જિનપ્રાસાદ બનાવ્યો. જોકે તે જિનાલયના ચાલુ કામકાજમાં મુસ્લિમ અમલદારોએ દખલ કરી હતી પરંતુ મહો. ભાનુચંદ્રગણીએ તે બધાને કુનેહથી સમજાવી લીધા હતા. ( જુઓ પ્ર. પ૭) Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ બનતાં ધીમે ધીમે આ જિનપ્રાસાદમાં નાનાં-મોટાં નવાં દેરાં ગયાં. શ્રી.સ`ધે બીજા જિનપ્રાસાદોની પ્રતિમા લાવીને તેમાં સ્થાપન કરી હતી. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ખરચ માટે બાદશાહે રાશનમહાલ્લા ભેટ આપ્યા હતા. એકવાર અંગ્રેજી રાજ્યમાં આગરાના કિલ્લા પાસે ખેાતાં જમીનમાંથી ભ॰ શીતલનાથની શ્યામ રગની પ્રાચીન પ્રતિમા મળી આવી હતી. આથી આગરાના કલેક્ટરે જાહેર કરેલ કે જેની આ પ્રતિમા હેાય તે ખાતરી આપીને લઈ જાય. શવા, વવા વગેરે ત્યાં ગયા. સૌએ કહ્યું કે આ તા જનાના દેવ છે આથી દિગંબરના ભટ્ટારક શાસ્ત્રી અને જેના ત્યાં પ્રતિમા લેવા ગયા. તેમાએ ઘણી મહેનત કરી પણ તે પ્રતિમાને કાઈ ઉઠાવી શકયું નહીં. ત્યારે આ જ॰ શુ વિજયહીરસૂરિની પરપરાના (૬૩) મહે। મેઘવિજય ગણી, ( ૬૪ ) ૫૦ મેરુવિજયગણી, (૬૫) ૫. માણેકવિજય ગણી, ( ૧૬ ) ૫ ભાણુવિજયગણીના શિષ્ય ( ૧૭) ૫૦ કુશલ વિજયગણી અને ૫૦ તત્ત્વવિજયગણી હતા. શૈવા, દિગંબર જૈના વગેરેએ તેમની પાસે આવીને કહ્યું : તે જૈન પ્રતિમા છે પણ કેાઈથી ઉઠાવી શકાતી નથી. કદાચ આપના ત્યાં જવાથી ભગવાન ઊઠે તા આપ પધારી અને પ્રતિમાને લઇ આવા.’ પન્યાસજી મહારાજ ત્યાં ગયા અને સૌને કહ્યું : ‘ મહાનુભાવા! તમે સૌ ઉઠાવવા પ્રયત્ન કરી, ન ઊઠે તે પછી હું યાગ્ય કરું.. કાઈ ને મનમાં એમ ન થાય કે હું ઉઠાવી લાવત. પછી સૌએ પ્રયત્ન કર્યા. પણ નિષ્ફળ ગયા. પન્યાસજીએ આઠે આઠ વર્ષનાં બાળકોને સ્નાન કરાવી, પૂજાનાં કપડાં પહેરાવી ઊભાં રાખ્યાં અને પછી પ્રતિમા ઉપર વાસક્ષેપ નાખી પ્રતિમાને ઉપાડી. પ્રતિમાજી અહાર નીકળી આવ્યાં. ચાર બાળકા પાસે પડાવી ભ૦ પાતામણ પાર્શ્વનાથના જિનાલયમાં લાવી સ` ૧૮૧૦માં ૫ કુશલવજચગણીએ આગરામાં ભ॰ ચિંતાર્માણ પાર્શ્વનાથના જિનાલયમાં ડાખી તરફના ચોકમાં એક સ્વતંત્ર વેઢી તથા સિહાસન તૈયાર કરાવી એ ભ” શીતલનાથની પ્રતિષ્ઠા કરી. જૈન-અજન સૌ કોઈ આ ચમત્કારી પ્રતિમાનાં દર્શને આવવા લાગ્યાં, માનતા માનવા લાગ્યાં અને સૌની શ્રદ્ધા વધવા લાગી. Page #320 -------------------------------------------------------------------------- ________________ આગણુસાઇઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ | ૨૭૯ વારતવમાં ગ્વાલિયર અને કનાજના રાજા નાગવલેાકના રાજગુરુ આ અપ્પટ્ટિસૂરિએ પ્રતિષ્ઠા કરેલી આ પ્રાચીન જિનમૂર્તિ છે. એમ આ પ્રતિમા અસલમાં શ્વેતાંબરાચાય —પ્રતિષ્ટિત છે, તેથી જ તા શ્વેતાંખર મુનિની વિનંતી સ્વીકારી તે પ્રતિમા ઊપડી શકી અને અહી લાવી શકાઈ. ભગવાનનાં દર્શન કરવાની સૌને છૂટ છે પણ તેની પૂજા તા શ્વેતાંબર જૈન વિધિ પ્રમાણે જ થાય છે. તેના અભિષેક, ચંદનપૂજા, પુષ્પપૂજા વગેરે થાય છે. ચક્ષુ, મુગટ, આંગી વગેરે પણ ચડાવાય છે; છતાં ચમત્કારી હાવાથી દિગંબર અને સ્થાનકવાસી જૈના પણ તેમના પેાતાના દેવ માનીને દન કરે છે. ૫૦ કુશલવિયગણીએ તે જ ચાકમાં, તે જ મુતમાં ચૌમુખજીની પણ પ્રતિષ્ઠા કરી હતી. સાથેાસાથ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં તથા પાછળના ઉપાશ્રયમાં મણિભદ્ર વીરની પણ પ્રતિષ્ઠા કરી હતી. ચાકમાં ચૌમુખજી અને ભ॰ શીતલનાથની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠાના શિલાલેખ ીવાલમાં ચાડેલા વિદ્યમાન છે. આગરાના રાશનમહાલ્લામાં ચેારાથી કુટુંબનાં ઘણાં ઘરા છે. તે સૌ તપાગચ્છના ભાવિક જૈના છે. - મંત્રી સૉંગ્રામસિ ́હ – મહા ગુણવનયગણી લખે છે કે, મંત્રી સગ્રામસિંહ તે વછાવત ગાત્રના ઓશવાલ જૈન હતા. ખરતરગચ્છના શ્રાવક હતા. તે બિકાનેરના રાજા રાવ કલ્યાણમલના મહામાત્ય હતા. તેણે ખતરગચ્છના ( ૫૫ ) જિનમાણકથસૂરિને ક્રિયાદ્વાર કરવા વિનતિ કરી હતી. જોકે તે ક્રિયાહાર કરવા તત્પર હતા પણ ક્રિયાન્દ્રાર કરી શકવા નહીં, તેમના તરતમાં સ્વર્ગવાસ થયે. આથી તેમના (૫૬) પટ્ટધર જિનચ`દ્રસૂરિએ કિયેાદ્વાર કર્યો હતા. - મંત્રી કર્માં ચંદ્ર વળાવત – બિકાનેરના રાવ કલ્યાણમલે મહામાત્ય સંગ્રામસિંહના મરણ બાદ કચદ્રને પેાતાના મંત્રી બનાવ્યા અને તેના પુત્ર રાજા રાવ રાયસિ ંહૈં (સ. ૧૬૩૮ થી ૧૬૬૮) મંત્રી ક ચંદ્રને મહામાત્ય બનાવ્યા. મત્રી કચદ્ર બુદ્ધિમાન, ચતુર અને જૈનધર્મ પ્રેમી હતા પણ ખરતરગચ્છના વિશેષ રાગી હતા. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ તેણે રાવ કલ્યાણમલને કહી બિકાનેર રાજ્યમાં જીવદયા પળાવી. આબુના જિનાલયને સમરાવ્યું. સં. ૧૬૩૫ના દુકાળમાં ગરીબોને મોટી મદદ આપી. સાધર્મિકોને વિવિધ જાતની સહાય આપી. સેનાધિપતિ તરસેમખાન સિરોહીની લૂંટમાં હજારો જિનપ્રતિમાઓ ઉઠાવી લાવ્યો હતો. મંત્રી કર્મચંદ્ર તેને છોડાવી. મંત્રીએ તેના બંદીવાનોને પણ છોડાવ્યા. શેઠ સારંગશાહને પણ મદદ કરી. મંત્રીએ ઘણું જૈન તીર્થો, જિનાલનો જીર્ણોદ્ધાર કરાવ્યું. જિનાગમ વ્યાખ્યાનમાં સાંભળ્યાં, આગમે અને વિવિધ ગ્રંથ લખાવ્યા. નવાં જિનાલય બંધાવ્યાં. બિકાનેર રાજ્યમાં ચાર પવી પળાવી. સતલજ નદી, ડેક નદી અને રાવી નદી ની મરછી જાળ બંધ કરાવી. તે ખરતરગચ્છનો અતિરાગી શ્રાવક હતો. આથી તેણે બિકાનેરની વસતિમાં ખરતરગચ્છના આચાર્યોને પ્રવેશ ખુલ્લે રાખી બીજા જૈનાચાર્યોને પ્રવેશ બંધ કરાવ્યો. બીજા ગચ્છના કુલગુરુની વહીવંચાની વહીઓનો નાશ કરાવ્યો અને સર્વ જાતના ઓશવાલ, પોરવાડ જેને માત્ર ખરતરગચ્છના આચાર્યો વડે પ્રતિબંધિત લેખાની નવી વહી તથા પટ્ટાવલી તૈયાર કરાવી. આથી જ માનવું પડે છે કે, ખરતરગચ્છને ઇતિહાસ હશે ત્યાં સુધી મંત્રી કર્મચંદ્ર વછાવતનું નામ અમર રહેશે. મંત્રી કર્મચંદ્ર આર જિનકુશળસૂરિનો સ્તૂપ બનાવ્યું તે જ ફલોધિમાં આ૦ જિનદત્તસૂરિને પણ સ્તૂપ બનાવ્યો. તેને ૧ ભાગ્યચંદ અને ૨ લક્ષમીચંદ એમ બે પુત્રો થયા. રાવ રાયસિંહને જસવંત નામે રાણીથી ૧ દલપત રે કૃષ્ણસિંહ, ૩ સૂરજસિંહ એમ ત્રણ પુત્રો થયા; પરંતુ રાવ રાયસિંહની નારાજગીથી મંત્રી કર્મચંદ્ર પોતાના પરિવાર સાથે બિકાનેર છોડી મેડતામાં જઈ વસ્યા. બા. અકબરને આ વાતની ખબર પડી તેથી તેણે રાવ રાયસિંહને કહી મંત્રી કર્મચંદ્રને લાહોર પોતાની પાસે બોલાવી પિતાના જનાનખાના વિભાગના મંત્રી બનાવીને રાખ્યો. Page #322 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૮૧ લાહોરમાં શાહજાદા જહાંગીરની બેગમે મૂળ નક્ષત્રમાં એક કન્યાને જન્મ આપ્યો. મંત્રી કર્મચંદ્ર શાંતિપાઠ ભણાવી તેનું અભિષેકજળ છંટાવ્યું. આથી સૌને વહેમ નીકળી ગયે. મંત્રી કર્મચંદ્રે આ જિનચંદ્રસૂરિને ખંભાતથી લાહોર બોલાવ્યા. આચાર્યશ્રી ફાગણ સુદિ ૧૨ના રોજ લાહોર પધાર્યા. બાદશાહે નગરપ્રવેશ વખતે શાતા પૂછી. બા અકબરે આ જિનચંદ્રસૂરિના ઉપદેશથી દ્વારકા પ્રદેશની અને શત્રુંજય તીર્થની રક્ષાનું સૂબા અજમખાનને ફરમાન લખી મે કહ્યું. કાશ્મીરથી અગિયારે સૂબામાં અષાડ સુદિ ૯ થી ૧૫ સુધીની અમારિનું ફરમાન આપ્યું. ઉ૦ માનસિંહને બાદશાહે પિતાની સાથે રાખ્યા. મંત્રી રોહિતાગમાં રહ્યો. બાદશાહ કાશ્મીર જીતી લાહોર આવ્યો. આ જિનચંદ્રસૂરિ પણ લાહોર આવ્યા. અહીં આ૦ જિનચંદ્રસૂરિને યુગ પ્રધાનપદ મળ્યું. ફાગણ સુદ બીજના રોજ અમારિ પળાવી. ખંભાતના દરિયામાં એક વર્ષ સુધી મસ્યની જાળ બંધ કરાવી, આ જિનચંદ્રસૂરિએ આ ઉત્સવમાં શ્રુતસાગર જ્યસેમરત્નગણીને પાઠકપદ પ્રદાન કર્યું. તેમ જ ગુણવિજય અને સમયસુંદરગણુને પણ ઉપાધ્યાયપદ આપ્યું. આ બધું મંત્રી કર્મચંદ્રના પ્રયાસથી થયું. આથી સંઘે મંત્રી કર્મચંદ્રને યશનું તિલક કર્યું, તેમનું બહુમાન કર્યું. પછી મંત્રી કર્મચંદ્ર અબુલફજલને સાથે લઈ તેની મારફત બા” અકબરને ૧૦,૦૦૦ રૂપિયા, ૧૦ હાથી, ૧૨ ઘેડા તથા વિવિધ જાતનાં વસ્ત્રો ભેટ કર્યા તેમ જ શાહજાદા સલીમને મહેલે જઈ તેની સામે ભટણું ધરી તેને પણ સંતુષ્ટ કર્યો. મંત્રી કર્મચંદ્ર આ યુગપ્રધાન આ જિનચંદ્રસૂરિની યાદીમાં સંવત્સરી, ચોમાસી, પકખીમાં “જયતિહુઅણ” સ્તોત્ર દાખલ કર્યું. મંત્રીએ ઘણી શાસનપ્રભાવના કરી. વાચક ગુણવિનય મંત્રીની પ્રેરણાથી વિ. સં. ૧૬૫૫ના મહા વદિ ૧૦ (પોષ વદિ ૧૦ )ને ગુરુવારે અનુરાધા નક્ષત્રમાં રાધરનગરમાં ચોમાસુ રહેલા પાઠક જયસમગણીની આજ્ઞાથી આ જિનકુશલ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સૂરિના સ્તૂપની નિશ્રામાં મંત્રીરાજ શ્રી. કર્મચંદ્રવંશાવલી પ્રબંધ” ર . (– જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંગ્રહ રાસ ૮ મે પૃ. ૧૦૬ થી ૧૩૩, શ્રી જિનવિજય સંગૃહીત રાસસાર – પૃ૦ ૦૨ થી ૭૪) સંઘ દુર્જનશલ્ય જડિયો જૈન – આગરામાં જગુશાહ નામે જડિયા ગોત્રને ઓશવાળ જૈન હતો. તેને ત્રણ પુત્રો હતા. ૧ સંઘવી વિમલદાસ, ૨ સંઘવી હીરાનંદ – તે આગરામાં જન સંઘમાં આગેવાન હતો. રાજમાન્ય હતો. તેની પત્ની મણિદેવીએ મેડતામાં સં. ૧૭૦૦ થી ૧૭૦પ લગભગમાં આ વિજયસિંહસૂરિના હાથે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ( પટ્ટા સમુ ભા–૧, પૃ. ૯૬) આગરાના રેશન મહોલ્લામાં હીરાનંદના નામની હોરાનંદગલી પ્રસિદ્ધ છે. ૩ સંઘવી નાનુ - તે સંઘપતિ હતું. તેને દુર્જનશલ્ય નામે પુત્ર હતો. સંઘવી દુર્જનશલ્ય જ આ૦ હીરવિજયસૂરિના ઉપદેશથી ઘણું જિનાલયના જીર્ણોદ્ધાર કરાવ્યા. જિનપ્રતિષ્ઠા, સંઘપૂજા, છરી પાળતા તીર્થયાત્રાના સંઘે કાઢયા હતા. કવિ કૃષ્ણદાસે સં. ૧૬૧૫ના વૈશાખ માસમાં તેના વર્ણનમાં દુર્જનશાલ બાવની” બનાવી છે. શાહ સદારંગ – તે મેડતાને વતની હતા. આગરામાં રહે તે હતો. બાદશાહ અકબરે સં. ૬૪૦માં ફત્તેહપુરના બાદશાહી દરબારમાં આ૦ વિજયહીરસૂરિને “જગદગુરુ”ને ખિતાબ આપ્યો. આથી આગરા, ફત્તેહપુર, અભિરામાબાદના જેનેએ તે પદવીઉત્સવ ઊજવ્યા. અકૃ નામનો ભાટ તે સભામંડપમાં આવ્યું હતું. તેને તેની ભાભીએ મહેણું માર્યું હતું કે “શું હાથી ઉપર બેસીને આવો છે કે ઊંચા-નીચા થઈ રહ્યા છે !” અએ આ સભામાં સૌની વચ્ચે Page #324 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ 3 ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૮૩ જ ગુ. આ વિજ્યહીરસૂરિની ઘણી પ્રશંસા કરી તથા ઘણુ નવાં નવાં કવિતે તેમની પ્રશંસામાં બનાવ્યાં. શા૦ સદારગે ખુશ થઈને કહ્યું : “દેવીપુત્ર! માંગે માંગે, જે જોઈએ તે માંગે.” દેવગુરુની કૃપાથી તમારી આશા પૂરી થશે. અકૂ તરત જ બોલી ઊઠ્યો : “જગદગુરુ અને મહાજન મારા ઉપર ખરેખર તુષ્ટ થયા હોય તે મારે એક હાથી જોઈએ.” શા સદારગે તરત જ એક હાથી મંગાવી તેના વડે જગદગુરુનું લૂંછણું ઉતારી તે હાથી અફ઼ ભાટને આપ્યો ત્યારે આ મંડપમાં એક જન ભોજક બેઠા હતા તે બોલી ઊઠયોઃ “ગુરુદેવના લૂંછણું ઉપર તો જન ભેજકને હક છે. તો તે હાથી મને જ મળે જોઈએ. બીજાને તે અપાય જ નહીં.” શા. સદારગે આ વાત સ્વીકારી, તે હાથી જૈન ભેજકને આપી દીધે, અને ગુમાસ્તાને મોકલી બીજે હાથી વેચાતે મંગાવ્યો, જે અફ઼ ભાટને તુષ્ટિદાનમાં આપી દીધો. અભિરામાબાદના શાથાનમલ જૈન ઓશવાલે પોતાના ગુમાસ્તા પાસે હાથીનો શણગાર મંગાવી તે હાથીને પહેરાવ્યા. તેણે હાથી સાથે તે શણગાર પણ અક ભાટને પ્રીતિદાનમાં આપ્યો. અફ઼ ભાટ તે ખુશ ખુશ થઈ ગયા. તે ત્યાંથી હાથી ઉપર બેસીને નીકળ્યો ને પોતાને ગામ પોતાના ઘેર પહોંચ્યો. તેણે રસ્તામાં જગદગુરુની ઘણી પ્રશંસા કરી હતી. અકની ભાભી તો હાથી દેખી ખુશ ખુશ થઈ ગઈ. અદ્દ ભાટને હાથી મળે ને ભાભીનું મહેણું ભાંગ્યું. પણ હવે હાથીને રાખો કયાં ? અને ખવડાવવું શું? એ પ્રશ્ન ઊઠયો. અંતે તેણે ભાભીની પરવાનગી લઈ એક મોટા જાગીરદારને આ હાથી વેચી દીધું. અક ભાટને તેના બદલામાં ૦ ૦ સે રૂપિયા મળ્યા ને તેણે આ રીતે સંતોષ માન્યો. શા સદારગે આ ઉત્સવમાં બીજા બાવન ઘડાનું દાન કર્યું અને આગરા- દિલ્હીના પ્રદેશમાં બધા જૈનોના ઘર દીઠ બબ્બે શેર પ્રમાણ સાકર-મીઠાઈની પ્રભાવના કરી. (– મહા 9 રવિવધન કૃત "પટ્ટાવલી સારદ્વાર ') Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શ્રીમાલી શક્યાને વંશ૧. સંઘવી નાહા –તે પાંડવોની ગુપ્ત નિવાસ ભૂમિ વેરાટનગરને વતની હતા. તેને શ્રીદેવી નામે પત્ની હતી. ૨. સં. ઈશ્વર, પત્ની ઝબકૃ. ૩. સં. રત્નપાલ, પત્ની મેદાઈ. ૪. સં. દેવદત્ત, પત્ની ધમૂ. ૫. સં. ભારમલ્લ – તે બા, અકબરનો પ્રીતિપાત્ર અને રાજા - ટેડરમલને માનીતો હતો. રાજા ટોડરમલે તેને ઘણું ગામનો રક્ષક નીમ્યો હતો. ૬. સં. ઈંદ્રરાજ – તેને બે પત્નીઓ હતી. ૧ જયવંતી અને ૨ દમયંતી. તેને ચૂહડમલ્લ નામે પુત્ર હતે. સં. ઈંદ્રરાજને બીજો ભાઈ અજયરાજ નામે હતે. તેને વિમલદાસ નામે પુત્ર હતો. જેને નગીના નામે પત્ની હતી. ત્રીજો ભાઈ સ્વામીદાસ નામે હતું, તેને પુત્ર સં૦ જગજીવન (પત્ની મોતી) પુત્ર સં૦ કચરા નામે હતો. - સંઘવી ઈંદ્રરાજને ચતુર્ભુજ નામે બીજો પુત્ર હતો. સં. ઈંદ્રરાજ વેરાટ ગામનો માલિક હતા. તેણે વિરાટમાં “ઈંદ્રવિહાર” નામે જિનપ્રાસાદ બંધાવ્યું. શાકે ૧૫૦૯ (સને ૧૬૪૪)ના ફાગણ સુદિ ૨ ને રવિવારે વૈરાટનગરમાં મૂળનાયક ભ૦ વિમલનાથ તથા ભ૦ પાર્શ્વનાથ, ભચંદ્રપ્રભ, ભ૦ ઋષભદેવ વગેરે પ્રતિમાઓ ભરાવી અને માટે ઉત્સવ કરી તેની જ ગુ. આ હીરવિજયસૂરિના શિષ્ય મહા કલ્યાણવિજ્ય ગણીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ જિનપ્રાસાદની પ્રશસ્તિ પં. લાભાવિયે રચી. પં. સેમકુશલગણિએ શિલા ઉપર લખી અને તેને સરરફ ભગતે ઉત્કીર્ણ કરી. (પ્રા. જે. લે, લેખાંકઃ ૩૭૯) થિર શાહ ભણશાલી – તે લોદ્રવાને વતની હતો. ઘીનો મેટ વેપારી હતા. તેને કૃષ્ણવેલી મળી જવાથી ધન વધતું ગયું. દ્રવામાં Page #326 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ [૨૮૫ ત્યાંના રાજા ધીરસિંહ ભારીએ સં. ૧૧૯૬ પછી સહસ્ત્રફણા પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બંધાવેલો તેનો આ થિરશાહે જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમાં મેટી જિનપ્રતિમાઓ સ્થાપના કરી. તેની બે પત્નીઓ અને બે પુત્રોના શ્રેય માટે ચાર દેરી બનાવી. અને આ જિનરાજસૂરિના હાથે સં. ૧૯૭પમાં પ્રતિષ્ઠા કરાવી. નવરત્નોની જિનપ્રતિમાઓ કરાવી. ગ્રંથભંડારો સ્થાપન કર્યા. કરોડો રૂપિયાનો પુણ્યકાર્યમાં ખર્ચ કર્યો. સં. ૧૬૮૨માં શંત્રુજયતીર્થને છરી પાળ યાત્રા સંઘ કાઢો. તેણે બાદશાહ અકબરને ૯ હાથી અને પ૦૦ ઘેડા આપ્યા. અકબરે તેને રાયજાદાનો ખિતાબ આપી બહુમાન કર્યું, તેના વંશજો રાય ભણશાલી કહેવાય છે. ભણશાલીને અર્થ ભાંડશાલી – વાસણના વેપારી એ થાય છે. (– જૈન સાહિત્યસંશોધક ખંડ : ૧, અંક: ૩, પૃ. ૧-૧૭) સંઘવી એક ફિરોજશાહ – તે આગરા પાસેના ફિરોજાબાદનો વતની હતો. ધનાઢય, બુદ્ધિશાળી અને ચતુર જૈન હતો. જટ ગુઆ હીરવિજયસૂરિને ભક્ત હતા. સં. ૧૬૪૦માં હીરવિજયસૂરિ ફિરોજાબાદ પધાર્યા ત્યારે અકશેઠની ઉંમર ૧૬ વર્ષની હતી છતાં ત્યારે પણ એમની આંખમાં ચમક હતી. દાંતમાં યુવાનની મજબૂતાઈ હતી. તેના શરીરને બાંધો મજબૂત હતો. તેણે પોતાની હયાતીમાં પોતાના કુટુંબના પા પાઘડીબંધ પુરુષોને જોયા હતા. તેના કુટુંબને પરિવાર ઘણે વિશાળ હતે. ચંદુ સંઘવી – તેનું પૂરું નામ સંઘવી ચંદ્રપાલ મળે છે. તે આગરાનો વતની હતા. રાજમાન્ય હતો. બાદશાહ અકબર તથા બાદશાહ જહાંગીરનો માનીતો હતો. બાદશાહ જહાંગીર જ્યાં જાય ત્યાં તેને સાથે લઈ જતો. ૧. અમે ઈ. સ. ૧૯૩૨-૩૩માં નાથનગરથી ચંપાપુરી જતા હતા. ત્યારે રસ્તામાં અમને ભારતને પ્રસિદ્ધ ઐતિહાસિક નરવીર નાના ફડનવીસ મળ્યો હતો. તેના કહેવા પ્રમાણે ત્યારે તેની ઉંમર ૧૨૨ વર્ષની હતી. તેણે અમને પાસેના કબ્રસ્તાનમાં લઈ જઈ બહુમાનથી બેસાડી ઈ.સ. ૧૮૫૭ના બળવાને ઇતિહાસ કહી સંભળાવ્યો હતો. ત્યારે તેનું શરીર યુદ્ધ છતાં બાંધી દડીનું ડીંગણું હતું. રૂપાળું હતું. તેની આંખ અને દાંતની પંક્તિ સાબૂત હતી. આંખ ચમકદાર હતી. બુદ્ધ સતેજ હતી. તેના કહેવા પ્રમાણે તેને જન્મ ઈ.સ. ૧૮૧૦માં થયો હતો અને બળવાના સમયે તેની ઉમર ૪૮ વર્ષની હતી. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ તે જ ગુ. આ હીરવિજયસૂરિ, આ. વિજયસેનસૂરિ અને આ વિજયદેવસૂરિને શ્રાવક હતો. બાદશાહ જહાંગીર તેને પરિચય આપે છે કે, ચંદુ સંઘવી છે. તેના પિતાનું નામ... છે. દાદાનું નામ વરજી છે. તે આગરાને વતની છે. સેવાનો ઉપાસક છે. તેનું કપાલ પહોળું છે. ભવાં પહોળાં છે. ઘેટાના જેવી આંખે છે. રંગે તે શ્યામ છે. તેની દાઢી મુંડેલી છે. તેના મોં પર શીતળાનાં ચાઠાં છે. તેના બંને કાનમાં ઘણા છેદ પડેલા છે. તેની ઊંચાઈ મધ્યમ કદની છે. તેની ઉંમર ૬૦ વર્ષની છે. તેણે પહેલાં એકવાર ઈલાહી સન્ ૧૦, ઈલાહી મહિને અમરદાદ, અફેંદા, હીજરીસન્ ૧૦૨૪ રજબે ઉલપુરજબ તા.૧૧મી ગુરુવારે બાદશાહને વિનંતી કરી હતી. વળી, તેણે ઈલાહી વર્ષ ૧૮ના રજબ મહિનાની ૨૧મી તારીખે બાદશાહના ચરણમાં રત્નજડિત વીંટીનું નજરાણું ધર્યું હતું અને પછી તેણે માગણી કરી હતા કે, “અમારા ગુરુદેવ આ. વિજયસેનસૂરિ સં. ૧૬૭૧ ના જેવ ના રોજ ખંભાત પાસે વીસ પરગણાના મહમ્મદપુરામાં કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા છે તેમના અગ્નિસંસ્કારના સ્થાને સમાધિમંદિર બનાવવું છે. ત્યાં બાગ બનાવવો છે. દરસાલા મેળા ભરી શકાય એવો પ્રબંધ ગોઠવવો છે. ખંભાતના મહમુદપુરાની તે જમીન આ સેવકને ભેટ રૂપે મળે એ હુકમ કરી તેનું ફરમાન આ સેવકને આપવા મહેરબાની કરવી જોઈએ.” તેની આ વિનંતીને ધ્યાનમાં લઈ બાદશાહે તા. ૧૭ રજબઉલમુજબ, હિજરીસન ૧૦૨૪, ઈ.સ. ૧૬૧૫ (વિ.સં. ૧૬૭૧)ના રોજ બાદશાહી ફરમાન આપવામાં આવે છે કે – સંઘવી ચંદુના ગુરુ સદ્દગત આ. વિજયસેનસૂરિના અગ્નિસંસ્કારને સ્થાને તેમના સન્માનની યાદગીરી માટે મંદિર, મેળા, બાગબગીચા બનાવવા માટે અકબરપુરામાં 1 વીઘા જમીન કાયમને માટે ભેટ આપવામાં આવે છે. વિશેષ સૂચના એ છે કે, કેઈએ આ હુકમને તોડવો નહીં. તે જમીન માપીને ચંદુ સંઘવીને સેપી દેવી, તેમાં કોઈ એ બીજી કઈ જાતની દખલ કરવી નહીં. તેના બદલામાં કંઈ રકમ માગવી Page #328 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઈઠ) ભકારક વિજયસેનસૂરિ [૨૮૭ નહીં, તે જમીન ઉપરના ખર્ચની કિંમત, સરકારી કર, સર્વજાતની ફિક વગેરે હમેશને માટે માફ કરવામાં આવે છે.” (– પ્રક૪૪, બ૦ જહાંગીરનું ફરમાન પૃ. ૧૦ થી ૧૫) આ. વિજયસેનસૂરિના સ્વર્ગગમન બાદ આ. વિજયદેવસૂરિ તપાગચ્છમાં નાયક બન્યા. પરંતુ તપાગચ્છમાં ૧ વિજયદેવસૂરિ સંઘ અને ૨ વિજયાનંદસૂરિ સંઘ એ બે પક્ષે પડયા હતા. બીજા પક્ષવાળાઓએ પં. સિદ્ધિચંદ્ર ખુલ્ફહમને મહોપાધ્યાય બનાવ્યા હતા અને તેમની દ્વારા પહેલા પક્ષને હલકો પાડવા બાદશાહ જહાંગીરના કાન ભંભેર્યા હતા કે આ૦ વિજયદેવસૂરિ આ વિજયસેનસૂરિની ગાદીએ છે તે તે પદને લાયક નથી આથી બા જહાંગીરે સં. ૧૯૭૪માં આ. વિજયદેવસૂરિને માંડવગઢમાં લાવી તેમની પરીક્ષા કરી તો તેમને ખરા સાધુ જાગી “મહાતપા'નું બિરદ આપ્યું હતું અને ચંદુ સંઘવીને આજ્ઞા કરી કે ગુરુજીને રાજદરબારમાં બાદશાહી વાજાં સાથે સ્વાગત કરી તમારા ઉપાશ્રયે લઈ જવા. ? સંઘવી ચંદ્રપાલ (ચંદુ ) ગુરુદેવને સપરિવાર બાદશાહી વાજાંગાજાં સાથે ઉપાશ્રયે લઈ ગયા. સં ચંદ્રપાલે આ ગુરુસ્વાગતમાં આચાર્યશ્રીને પગલે પગલે સેનામહોર મૂકી લુંછણું કર્યું હતું અને યાચકને ઘણું દાન આપ્યું હતું. (-તપાગચ્છ પટ્ટાવલી સમુ. ભા-૧, પૃ. ૮૩) બા, જહાંગીરે હીજરીસન્ ૧૨૭માં પં. કુશલવિજ્યગણી મારફત આ. વિજયદેવસૂરિને આનંદ-કુશળનો પત્ર લખી મોકલ્યો હતો તેમાં આચાર્યશ્રીને મોટા જ્ઞાની બતાવ્યા હતા. શેઠ મેઘજી અને શ્રી લાડકીબાઈ – શેઠ મેઘજી તે દીવબંદરનો વતની હતો. રાજમા. મોટા વેપારી હતો. તે જન સંઘનો આગેવાન હતા. તેને લાડકીબાઈ નામે પ-ની હતી. તે બંને જ૮ ગુ. આ૦ વિજયહીરસૂરિનાં પરમ ઉપાસક હતાં. લાડબાઈ ધર્મપ્રેમી હતી. વિવેકી શ્રાવિકા હતી. તેની જીવનચર્યા જેઈ ફિંગી અને યવનો વગેરે પણ નમ્ર બની તેનાં ચરમ મસ્તક ઝુકાવતા હતા. તેના Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] સમય જેન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ પ્રત્યે સોને પૂજ્યબુદ્ધિ હતી, વાત્સલ્યભાવ હતો. સી તેનું ભારે સમ્માન કરતા હતા. તેણે દીવબંદરમાં માટે જિનપ્રાસાદ બંધાવ્યું. સં. ૧૬પરમાં તેની પ્રતિષ્ઠા કરાવી. ઉનામાં જ ગુ. આ. વિજયહીરસૂરિની ચરણપાદુકાની અને તેમના સ્તૂપની પ્રતિષ્ઠા કરાવી હતી. શત્રુંજયતીર્થમાં જ ગુ. આ૦ હીરવિજયસૂરિની પાદુકાની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૬૪માં ઉનામાં આ. વિજયસેનસૂરિના હાથે ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. કવિ સારંગ – તે મડાહડા ગોત્રના આ જ્ઞાનસાગરસૂરિને ઉપાસક શ્રાવક હતો. વિદ્વાન્ હતો. મહા કવિ હતું. તેણે સં. ૧૬૩૮માં જાહેરમાં “બિહણુ પંચાશિકા ચોપાઈ', સં. ૧૬૫૧માં ભેજપ્રબંધપાઈ” અને સં૦ ૧૬૭૮માં પાલનપુરમાં “કૃષ્ણરુકિમણવેલી ”ની સંસ્કૃત ટીકા રચી હતી. (-પ્રક. ૩૭, પૃ૦ ૨૬૮, ૨૬૯) વિદ્ય – તેમણે સં. ૧૬૯૨માં વૈદ્યકનો ‘નયનસુખ” ગ્રંથ બનાવ્યા. શેઠ સારંગના પુત્ર કવિવર ઋષભદાસ – તેમણે પોતાનો જીવન પરિચય તથા દિનચર્યા સ્વરચિત “હીરવિજયસૂરિ રાસમાં આપ્યાં છે – તે કવિને કાળ સં. ૧૬૬૨ થી સં. ૧૬૮૭ને છે. કવિ ઋષભદાસે સં. ૧૬૮૫ના પિષ સુદિ ૧૩ ને રવિવારે મલ્લિનાથ રાસ” રચ્યો. તેમાં તેણે ખંભાતના ઘણા જૈનેને પરિચય આપે છે. વળી, તેમણે ૮૪ રાસા, ૫૮ સ્તવનો, વિવિધ સ્તુતિઓ, ગીતે વગેરે રચ્યાં છે. તેણે સં. ૧૬૭૮ના ભા. સુરના રોજ વિજ્યાનંદસૂરિ ગરછમાં “બાર આરાનું સ્તવન રચ્યું છે. સં. ૧૬૯૨માં અભયકુમાર રાસ રચ્યો, વગેરે ઘણું રચનાએ આજે સુલભ છે. (– આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૫, પૃ૦ ૩૨૨) Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાઈઠમું આ૦ વિજયદેવસૂરિ (સં. ૧ 9૧૩ના અષાઢ સુદિ ૧) तथा चाहार्य गाम्भीर्य शौर्य शौण्डीर्य वीर्यवान् । अभङ्ग भाग्यसौभाग्यवैराग्यादिगुणार्णवः ॥ ४५ ॥ राजते विजयश्रीभिजिष्णुर्भुवनाद्भतः ।। श्रीमद्विजयदेवाह्नः सूरीन्द्रश्चन्द्रनिर्मलः ॥ ४७ ॥ (–વિજયપ્રશરિતમહાકાવ્ય, સર્ગઃ ૧૧) તરપટ્ટદુધનઋનિશ્ચિઃ શ્રીવિજ્ઞવતૂ I गौतमतः प्रति संप्रति जयति भारतभूषणः भगवान् ॥६॥ (—વિપ્ર. મની દીપિકા વ્યાખ્યા પ્રશસ્તિ ) તત્પટાધર ગુણનિલે એમાં, શ્રી વિજયદેવસૂરી, સુણે શીલ સત્ત્વગુણ આગતો એમાં, ઊગીય અભિનવચંદ, સુણે ૪૫ (- ધર્મદાસ કૃત “હીર વિહાર સ્તવન” જેટ સત્ર પ્ર ક્રમાંક – “સૂર્યપુરને સુવર્ણયુગ') તાસ પાટિ ઉદયાચલ, નિર્મળ ભાનુ સમાન, શ્રી વિજયદેવસૂરિ, ઉદય યુગપ્રધાન; શ્રી વીર જિણસર, શાસન શેભાકાર, ઈણ પંચમ આરઈ, ગુરુ ગૌતમ અવતાર. (– વિનયવિજય ઉપા, ગણધર, પટ્ટાવલી સજઝાય - પટ્ટાવલી સમુચ્ચય ભાગ ૨, પૃ. ૧૮૩ થી ૧૮૫) ભટ્ટારક વિજયદેવસૂરિ– તેમનો સં. ૧૬૩૪ના પિષ સુદિ ૧૩ ના રોજ રવિવારે ઈડરમાં જન્મ થયો હતો. તેમના પિતાનું નામ સ્થિરપાલ અને માતાનું નામ રૂપાઈ. તેમનું પોતાનું નામ વાસણ, વાસ કે વાસે, સં. જે ૧૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ ૧૬૪૩ના મહા સુઢિ ૧૦ ના રાજ અમદાવાદમાં આ વિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેમનું નામ વિદ્યાવિજય રાખવામાં આવ્યું. સ’૦ ૧૬૫૬માં અમદાવાદના સિકંદરપુરામાં – બીબીપુરામાં શા લહુઆ શ્રીમાલીએ બનાવેલા શ્રી. શાંતિનાથના ઘરદેરાસરની પ્રતિષ્ઠામાં ભટ્ટા॰ વિજયસેનસૂરિના હાથે પ૰ન'ક્રિવિજયગણીને ઉપાધ્યાયપદ અને મુનિ વિદ્યાવિજયને પંન્યાસપદ આપવામાં આવ્યું. એ જ વર્ષે લાટાપલ્લી ( લાડોલ )માં ભટ્ટા॰ વિજયસેનસૂરિના હાથે પ૦ શ્રી વિદ્યાવિજયગણીને ઉપાધ્યાયપદ અને એ જ વર્ષમાં સ૦ ૧૬૫૬ના ૐ સુ॰ ૪ ને સેામવારે ખંભાતમાં શેઠ સાધુમલજીના પ્રતિષ્ઠા ઉત્સવમાં આચાર્ય પદ આપ્યું. તે પછી સ૦ ૧૬૫૭ના પાષ સુદિ ૬ રવિવારે પાટણમાં પારેખ સહસ્રવીરે કરેલા વંદના ઉત્સવમાં ભટ્ટારકની પદ્મવી આપવામાં આવી. સ. ૧૭૧૩ના અષાડ સુદ ૧૧ ના રાજ ઉનામાં તેમના સ્વર્ગવાસ થયા. ગ્રહેાની દૃષ્ટિએ તેમના જન્મ રાહિણી નક્ષત્રમાં વૃષભ લગ્નમાં થયા હતા. તેમની જન્મ કુંડલી આ મુજબ મળે છેઃ પહેલે સ્થાને વૃષભના ચંદ્ર, પાંચમે સ્થાને કન્યાના ગુરુ તથા કેતુ, છઠ્ઠું તુલાના શનિ, સાતમે વૃશ્ચિકના મંગલ તથા શુક્ર, આઠમે ધનના રવ, બુધ ( તથા શિન ) અને અગિયારમે મીનના રાહુ હતા ત્યારે ઈડરમાં સ્થિરપાલ આશવાલને ઘેર સં ૧૬૩૪માં વાસણ નામના બાળકના જન્મ થયેા હતા. ( – વિજયપ્રશસ્તિ મહાકાવ્ય, સ ઃ ૧૦, શ્લા ૫૩ થી ૫૬ ) શેઠ સ્થિરપાલ મરણ પામ્યા. પછી શેઠાણી રૂપાઈ પેાતાના પુત્ર વાસણને સાથે લઈ ઈડરથી નીકળી અમદાવાદ જઈ ભ॰ વિજયસેનસૂરિને વાસણ નામના બાળકને વહેારાવ્યા અને તેને દીક્ષા આપવાની રજા આપી. શેઠાણી રૂપાઈ એ પેાતે દીક્ષા લીધી કે કેમ ? તેના ઉલ્લેખ મળતા નથી. દીક્ષા - ~ ભ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૪૩ના મહા સુદ્ઘિ ૧૦ના રાજ અમદાવાદમાં સંઘે કરેલા દીક્ષા ઉત્સવમાં વાસણને દીક્ષા આપી, Page #332 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ. વિજયદેવસૂરિ [ ૨૯૧ પિતાના શિષ્ય બનાવ્યો અને તેનું નામ વિદ્યાવિજય મુનિ રાખવામાં આવ્યું. પ્રતિષ્ઠા – ભટ્ટા, વિજયસેનસૂરિએ સં. ૧૬૪૩ના ફા. સુર ૧૧ના રોજ અમદાવાદમાં અહિવદેવીને ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૪૩ના જેઠ સુદ ૧૦ ને શુકવારે ગંધારમાં શેઠ ઇંદરજીના ભ૦ મહાવીરસ્વામીના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૪૩ના જેઠ વદિ ૧૧ના રોજ ખંભાતમાં ચોમાસું કર્યું, સં. ૧૬૪૪માં સિરોહી જઈ ફત્તેહપુરસિકીથી પધારેલા જ ગુ આ હીરવિજયસૂરિને વંદન કર્યું અને ગુરુદેવની આજ્ઞાથી પાછા ફરી સં. ૧૬૪૪માં ખંભાત આવી ચોમાસું કર્યું. સં. ૧૯૪૫માં જેઠ સુદિ ૧૨ ને સોમવારે ખંભાતમાં સાગવટવાડાના શેઠ વજિયા–રાજિયા શ્રીમાલીએ બનાવેલ ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથના મેટા જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. સં. ૧૯૪૫માં ગંધારમાં નવપલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી ગંધાતીર્થની સ્થાપના કરી. સં. ૧૬૪૫માં તેમણે ગંધારમાં ચેમાસું કર્યું, સં. ૧૬૪૬માં ગુરુદેવની સાથે રાધનપુરમાં ચોમાસું કર્યું, સં. ૧૬૪૯-૫૦માં લાહોરમાં ચોમાસાં કર્યા. સં. ૧૬પ૬ના મહા સુદિ ૫ ના રોજ અમદાવાદના સિકંદર– પુરમાં – બીબીપુરામાં ભઇ વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, ત્યાં જ ગુ. હીરવિજયસૂરિની ચરણપાદુકાની પણ પ્રતિષ્ઠા કરી. શેઠ લહુઆ શ્રીમાલીના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. પંન્યાસપદ– ભટ્ટાવિજયસેનસૂરિએ આ પ્રતિષ્ઠા ઉત્સવમાં પં નંદિવિજયગણીને ઉપાધ્યાય બનાવ્યા અને મુનિ વિદ્યાવિજયને તથા મુનિ ઉદ્યોતવિજ્ય (ઋષિ મેઘજી ને પંન્યાસ બનાવ્યા. ઉપાધ્યાયપદ– ભટ્ટા. વિજયસેનસૂરિએ સં. ૧૬પ૬માં લાડોલ જઈ સૂરિમંત્રનું આરાધન કર્યું. સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે ભદ્રા વિજયસેનસૂરિને જણાવ્યું કે, પં. વિદ્યાવિજ્યગણ ગચ્છનાયકપદને યોગ્ય છે. ભટ્ટા, વિજયસેનસૂરિએ સં. ૧૬૫૬માં લાડેલમાં પં. વિદ્યા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] જૈન પરંપરાનો ઇતિહાસ [પ્રકરણ વિજયગણને ઉપાધ્યાય બનાવ્યા. તે પછી સૌ ઈડર, તારંગા, શત્રુંજયતીર્થ, ઉનામાં જગદગુરુની ચરણપાદુકા વગેરેની યાત્રા કરી ખંભાત પધાર્યા. આચાર્ય પદ – ભટ્ટાવિજયસેનસૂરિએ સં. ૧૬૫૬ના વૈ૦ સુત્ર ૪ ને સોમવારે મૃગશીર્ષ નક્ષત્રમાં અમૃતસિદ્ધિગમાં ચોથા રવિયેગમાં વૃષભ લગ્નમાં પહેલે વૃષભને ચંદ્ર, ત્રીજે કર્કને મંગળ તથા ગુરુ, છઠું તુલાનો શનિ, નવમે મકરને રાહુ, દશમે કુંભને શુક અને બારમે મેષ રવિ તથા બુધ હતા એટલે રવિ, ચંદ્ર, ગુરુ, શુક તથા શનિ ઉચ્ચના હતા ત્યારે ખંભાતમાં શેઠ સાધુમલજી તથા સેમચંદ્ર કરેલ પ્રતિષ્ઠા ઉત્સવમાં તથા સૂરિપદના સમારોહમાં ઉપા. વિદ્યાવિજયગણીને આચાર્ય બનાવી તેમનું નામ આ. વિજયદેવસૂરિ રાખ્યું. સં. ૧૬૫૬ના વૈ૦ સુ૦ ૭ ને બુધવારે ખંભાતમાં ઠા. કીકાના ઘરદેરાસરની પ્રતિષ્ઠામાં ઘણું જિનપ્રતિમાઓ તથા જિનપાદુકાઓની પ્રતિષ્ઠા કરી, તથા રાજવિજયને ઉપાધ્યાય બનાવ્યા. (- વિજયપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગઃ ૧૭, ૦ ૬ ) આ પ્રતિષ્ઠા–ઉત્સવ તથા આચાર્યપદ મહોત્સવ ખંભાતમાં ઊજવાયા ત્યારે ત્યાં તપાગચ્છના ૭૦૦ મુનિરાજે પધાર્યા હતા. બંને આચાર્યોએ સં. ૧૬૫૬માં ખંભાતમાં ચાતુર્માસ કર્યું. ભટ્ટારકપદ – ભટ્ટારક વિજયસેનસૂરિએ સં. ૧૬૫૭ના પો. વ૦ ૭ ને રવિવારે હસ્તનક્ષત્રમાં હસ્તાકમાં પાટણમાં પારેખ સહસવીરે પચાસ હજાર મહમુદ ખરચી ઊજવેલા વંદના મહોત્સવમાં આ વિજયદેવસૂરિને ભટ્ટારક બનાવી પોતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા અને તેમને ગચ્છની અનુજ્ઞા આપી. ગચ્છનાયકયાત્રા – આજથી વિજયદેવસૂરિ ગરછનાયક બન્યા. ત્યાંથી સૌ શંખેશ્વરતીર્થની યાત્રાએ પધાર્યા. અહીં લોકાગચ્છના ઋષિએ સં. ૧૯૨૮માં સંવેગમાર્ગ સ્વીકાર્યો હતો, તેમાંના ગણી જ્યવિજયને ઉપાધ્યાયપદવી આપી. અહીં મારવાડને સંઘપતિ હેમરાજ છરી પાળા યાત્રા સંઘ Page #334 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું] આ. વિજયદેવસૂરિ ૨૯૩ લઈ આવ્યો હતો. તે સંઘે અહીં બંને આચાર્યોને વંદન કર્યું. બંને આચાર્યો સં. ૧૯૫૭માં અમદાવાદના અમીપુરમાં ચોમાસું કરવા પધાર્યા. ભ૦ વિજયદેવસૂરિએ ભવ વિજયસેનસૂરિની આજ્ઞાથી સં. ૧૬૬૬ના પિ૦ વ. ૮ ને ગુરુવારે અમદાવાદના શા. જયતમાએ બનાવેલ ભ. શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. (–પ્રા. લે. સં૦ ભા. ૨, લેટ નં. ૯૭) ભ૦ વિજ્યદેવસૂરિ તથા ઉપાટ લબ્ધિસાગરગણુએ સં. ૧૯૬૫માં મેડતા પાસે કેકીંદ ગામમાં ભ૦ આદિનાથ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. (– પ્રા. લે. સં૦ ભા૨, લેટ નં. ૩૭) આચાર્ય વિજયદેવસૂરિએ સં. ૧૬૫ત્ના માત્ર સુપ ને બુધવારે વીજાપુરના દોશી મેઘજી વગેરે બનાવેલ ચાવિશી જિનવિટાની પ્રતિષ્ઠા કરી. ( આ પટ વીજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં છે.) ભ, વિજયસેનસૂરિ અને મહા સેમવિજયગણી વગેરેએ સં. ૧૬૬રના વૈ૦ સુ. ૧૫ ને સોમવારે પાટણમાં દોશી શંકર વીશા પિરવાડની પત્ની વહાલીએ બનાવેલ ભ૦ હીરવિજયસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (– પ્રા. જે. લેભા૨, લે નં. ૫૧૧) ભ૦ વિજયદેવસૂરિએ સં. ૧૬૬૪ના ફા. સુ૮ ને શનિવારે પાટણમાં શ્રાવિકા વહાલીએ બનાવેલ ભવ્ય વિજયસેનસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (– પ્રા. . લે, ભા. ૨, લેટ નં. ૫૧) તપાગચ્છના ગીતાએ સં. ૧૬૬૪ના ફા૦ સુ૮ ને શનિવારે પાટણમાં શ્રાવિકા વહાલીએ બનાવેલ યુવરાજ આ વિજયદેવસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (- પ્રા. લે. ભા૨, લેટ નં૫૧૩) Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ ભટ્ટા॰ વિજયહીરસૂરિ-પટ્ટાલંકાર ભટ્ટા૦ વિજયસેનસૂરિ–પટ્ટાલ કાર ભ॰ વિજયદેવસૂરિની આજ્ઞાથી ૫- જવિજયગણીએ સ૦ ૧૬૮૨ના વૈ સુ૦ ૧૦ ને સેામવારે માંડવગઢના વીશા ઓશવાલ સપર્ટન્દેએ બનાવેલ ભ૦ મલ્લિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેમણે કન્નડના ખીજાપુરમાં પ્રતિષ્ઠા કરાવી હતી તેના લેખ આ પ્રકારે મળે છે. " ( -- તા ૩-૮-૧૯૭૭ના રાજ માંડવગઢમાંથી નીકળેલી ૯ પ્રતિમામાંથી એક પ્રતિમા ઉપરના લેખ – લેખ નં૦ ૧૫) 'दक्षिणस्यां च कनडीवीजापुरे पुरे तथा प्रतीच्यां च कच्छदेशे प्रतिष्ठा येन निर्ममे " ॥ १९ ॥ ( - વિજયપ્રશસ્તિ – વિજયદીપિકા ટીકા –) તેમણે સ૦ ૧૭૦પના ફા॰ ૧૦ ૬ નેબુધવારે સિરપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથના જિનાલયમાં અજનશલાકા કરાવી હતી. 66 ભ॰ વાસુપૂજ્યની ધાતુ પ્રતિમા ઉપર આ પ્રમાણે પ્રતિમાલેખ મળે છે – बाइ संवत् १७०५ वर्षे फागण वदि ६ बुधे श्रीमदवरङ्गबादવાસ્તવ્ય પ્રા' વાટજ્ઞાતીય-ધ્ર (?) જ્ઞાવાાં સાવ अमीचन्दभार्या इन्द्राणीनाम्न्या स्वकुट ( टु ) म्बश्रेयसे स्वकारितप्रतिष्ठायां श्री वासुपूज्यजिनबिम्ब कारित प्रतिष्ठित च तपाजच्छाधिराज श्री विजय सेन सूरीश्वरपट्टाल' कारभट्टारक श्रीश्रीश्री विजयदेवसूरिभिः श्री अन्तरीक्ष पार्श्वनाथप्रतिमालकृत श्री सिरपुरनगरे || शुभ મતુ | શ્રી || વિ॰ સ` ૧૭૦૫ના ફાગણુ વિશ્વ ૬ ને બુધવારે ઔર’ગાબાદના વતની, પારવાડ જ્ઞાતિના, દ્વેગ (?) શાખાના અમીચંદની પત્ની ઇંદ્રાણી નામની ખાઈ એ પેાતાના કુટુંબના કલ્યાણ માટે પેતેિ કરાવેલી પ્રતિષ્ઠામાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિંબ કરાવ્યું અને તપાગચ્છાધિરાજ શ્રી વિજયદેવસૂરિએ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ Page #336 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમુ ] આ॰ વિજયદેવસૂરિ [ ૨૯૫ ભગવાનની પ્રતિમાથી અલકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી. (– મુનિ શ્રી. જમૂવિજયજી, · અંતરીક્ષ પાર્શ્વનાથ’ જૈન આત્માનદ પ્રકાશ પા॰ ૯૯ ) : મહેા ભાવવિજયજીગણીએ સં૦ ૧૭૧૫ના ચૈત્ર સુ૦ ૬ ને રવિવારે અંતરીક્ષ પાર્શ્વનાથના દેરાસરના ભોંયરામાં એ મણિભદ્રવીરની સ્થાપના કરી તથા ભોંયરામાં (૧) ભ॰ વિજયદેવસૂરિ પાદુકા અને (૨) ૫૦ ભાવવિજયગણીએ પાદુકાની પ્રતિષ્ઠા કરી. મહા॰ ભાવિજયજીગણીએ સ’૦ ૧૭૦૮ના આ૦ ૩૦ ૧૦ના રાજ વિજાપુરમાં વિજયાનંદસૂરિ રાજ્યમાં ‘ચપકમાલાચરિત્ર’ રચ્યું. આ॰ વિજયદેવસૂરિ સ૦ ૧૬૭૧ના જે સુદિ ૧૧ના રાજ પાટણમાં ગચ્છનાયક ભટ્ટારક બન્યા, પરંતુ સં૦ ૧૬૭૩ના પોષ સુદ ૧૨ ને બુધવારે સિરાહીમાં તપાગચ્છમાં નવા ‘ ઉપાધ્યાયમત ’ નીકળ્યા. તેના ગચ્છનાયક ભ॰ વિજયતિલકસૂરિ થયા. ભ૦ વિજયસેનસૂરિએ આ વિજયદેવસૂરિને પન્યાસ, ઉપાધ્યાય, આચાર્ય, અને ભટ્ટારક બનાવ્યા હતા. ખંભાતમાં સ૦૧૬૫૬માં ૭૦૦ મુનિવરા વગેરે ચતુર્વિધ સંઘની હાજરીમાં આચાર્ય મનાવ્યા હતા. તે સૌની સમ્મતિથી પેાતાની પાર્ટ ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા હતા. આથી ભટ્ટારક વિજયસેનસૂરિના પિતા સ્થવિર ૫ (ઉ॰ ) કમલવિજયગણી, ખીજા પં॰ કમવિજયગણી, મહા॰ કલ્યાણવિજયગણી, ઉપા॰ ઉદ્યોવિજયગણી, ઉપા॰ નયવિજયગણી, ઉપા॰ રાજવિજયગણી, તપાગચ્છની વિજયશાખા, સાગરશાખા, વનશાખા, સૌભાગ્યશાખા, કુશલશાખા, વિમલશાખા વગેરેના ગીતાર્થો વગેરે ભટ્ટા॰ વિજયદેવસૂરિને ખરા ગચ્છનાયક માનતા હતા અને તેમના પક્ષમાં રહ્યા હતા. ત્યારથી તપાગચ્છમાં બે મતા ચાલ્યા. તે ખને વચ્ચે સઘ ચાલુ થયા; પરંતુ ભટ્ટા॰ વિજયદેવસૂરિને પેાતાની જવાબદારીનુ પૂરુ' ભાન હતું. આથી તેમણે પેાતાનું વિહારક્ષેત્ર વિશાળ મનાવ્યું. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] જૈન પરંપરાને ઈતિહાસ [[પ્રકરણ તેઓ જૈનધર્મની સેવામાં જ મસ્ત હતા. તેમને વિહાર અને ધર્મકાર્યોની નેધ– ભ૦ વિજ્યસેનસૂરિના પટ્ટધર ભ૦ વિજયદેવસૂરિએ સં. ૧૯૧૩ના પોષ વદિ ૫ ને શુક્રવારે પાટણના મણિયાતી પાડામાં ઉજમચંદ, મૂલચંદ, લલ્લચંદ અને મગનચંદના ઘરદેરાસરમાં પાટણના વીશાશ્રીમાલી શા. ધનજીની પત્ની ચરણના પુત્ર શા૦ સંતોષીએ બનાવેલ ભ૦ ઋષભદેવની સ્ફટિકની જિન પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. (આ ઘર દેરાસરમાં સુંદર કારણે કરેલી છે.) (- પ્રા. જે. લેભા. ૨, લેખાંકઃ પ૩૨) આચાર્યશ્રીએ આ ઉત્સવમાં ૫૦ કનકવિજયજીને ઉપાધ્યાય પદવી અર્પણ કરી. મહાતપા – આ. વિજયદેવસૂરિ સં. ૧૯૭૩માં ખંભાતમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા પણ બા, જહાંગીરના આમંત્રણથી તેઓ માંડવગઢ પધાર્યા. બાદશાહે આચાર્યશ્રીની જીવનચર્યા જોઈ—જાણીને તેમને ત્યાં મહાતપાનું બિરુદ આપ્યું. ભ૦ વિજયદેવસૂરિએ સં૦ ૧૬૭૪ના મવ. ૧ ને ગુરૂવારે પુષ્યનક્ષત્રમાં નાડલાઈ તીર્થમાં ભ૦ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (– પ્રાજે. ભા. ૨, લે, લેખાંકઃ ૩૩૭) ભ૦ વિજયદેવસૂરિએ અને પં. કુશલસાગરગણીઓ સં. ૧૬૭૫ના મહાસુ. ૪ને શનિવારે આરાસણ તીર્થમાં ભ૦ નેમિનાથ જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરી. ભવ્ય વિજયદેવસૂરિ તથા પં૦ કુશલસાગરણીએ સં. ૧૬૭પના મ. સુ. ૪ ને શનિવારે આરાસણ તીર્થમાં અમદાવાદના વીશા શ્રીમાલી શા રંગની પત્ની કીલાટી, તેના પુત્ર લહુઆ, તેના પુત્ર મનિયા, તેના પુત્ર હીરજીએ ભરાવેલી ભ૦ આદિનાથની જિનપ્રતિમાની તેમજ ભ૦ પાર્શ્વનાથની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (– પ્રા. જે. લેભા. ૨, ૯૦ ૭૭, ૨૯૩). Page #338 -------------------------------------------------------------------------- ________________ સાઈટમુ] આ વિજયદેવસૂરિ [ ૨૯૭ સ૦ ૧૬૭૬ના વૈ॰ ૧૦ ૬ ને શુક્રવારે શ્રી શત્રુંજયતી માં આદિનાથના મેટા જિનપ્રાસાદ પાસે એક ઢીમાં શ્રીમાલી મંત્રી વાછાએ શેઠ ભણશાલી શિવજીની મદદથી ભ॰ વિજયદેવસૂરિની નિશ્રામાં પેાતે પ્રતિષ્ઠા કરી. ( પ્રા જૈ લે॰ ભા, ૨, લે૦ નં૦ ૨૫) c દેવવાણી ભટ્ટા॰ વિજયદેવસૂરિએ સ’૦ ૧૬૭૬માં સામલીમાં ચાતુર્માસ કર્યું.... તેમણે વિજયાનંદસૂરિના પક્ષ અને સાગરમતવાલા વચ્ચેના કલેશથી દુઃખ પામીઉપાય શેાધવા સૂરિમ`ત્રના જાપ તથા ધ્યાન કર્યું, સૂરિમંત્રના અધિષ્ઠાયકદેવે ભટ્ટારકને જણાવ્યુ કે, C આપના પછી થનાર ભટ્ટારકના જન્મ થયા છે. હજી ઢીક્ષા થઈ નથી. દીક્ષા લઈ ચેાગ્ય સમયે ગચ્છનાયક ભટ્ટારક બનશે તેા હમણાં ભાવી ગચ્છનાયકના વિચાર કરવા નહીં. છતાં હાલ ઉપા॰ કનવિજયગણીને આચાય બનાવા તેથી શાસનને લાભ જ થશે. તેએ ત્યાગી, સચમી, સ`વેગી અને ગીતા છે. સાધુ-સાધ્વીએ માટે ચેગ્ય સમયે શુદ્ધ માની પ્રરૂપણા કરશે. ( ભટ્ટારક વિજયપ્રભસૂરિના સ’૦ ૧૬૭૩ના મ॰ સુ॰ ૧૧ના જન્મ થયા અને સ૦ ૧૬૮૬માં દીક્ષા થઈ.) ભટ્ટા વિજયદેવસૂરિ અને આ૰ વિજયસિ‘હસૂરિએ ( ઉપા॰ કનકવિજચગણીએ,) સં૦ ૧૬૭૭ના મસુ ૫ ને રવિવારે ખંભાતમાં ખભાત માટે ભ॰ પાર્શ્વનાથ તથા ગધાર માટે ભ પાર્શ્વનાથ તથા ભ॰ મુનિસુવ્રતરવામીની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. (-પ્રા જૈ॰ લે॰ ભા. ૨, લે૦ નં૦ ૪૫૭, ૪૫૮, ૪૫૯) ભટ્ટા વિજયદેવસૂરિએ સ‘૦ ૧૬૭૭ના વૈ૦ ૩૦ ૩ ના રાજ મેડતામાં પ્રતિષ્ઠા ઉત્સવમાં મેડતા માટે ભ॰ મુનિસુવ્રતસ્વામી તથા સમડિયા શા એશવાલની ભ॰ મુનિસુવ્રતસ્વામીની બીજી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ...... ( –પ્રા॰ જે લે॰ બા. ૨, લે॰ નં. ૪૩૯, ૪૬૦) ت ભટ્ટા॰ વિજયદેવસૂરિએ સ’૦ ૧૬૭૭ના વ૦ સુ ૭ ને બુધવારે સાખલીમાં ગીતાર્થા, સાધુ-સાધ્વીઓ માટે ૫૮ બેલના પટ્ટક બનાવ્યા. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] જૈન પર પરાને ઇતિહાસ [ પ્રકરણ ભટ્ટા॰ વિજયદેવસૂરિના આજ્ઞાવતી પ૦ જયવિજયગણીએ સ ૧૬૭૮માં માલપુરામાં ભ॰ ચંદ્રપ્રભની પ્રતિમાના પરિકરની અને સ ૧૬૯૦માં માલપુરામાં જગદ્ગુરુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ભટ્ટા૦ વિજયદેવસૂરિએ સ૦ ૧૬૭૯માં ખભાતથી શાંતિદાસ ઝવેરી ઉપર વાસક્ષેપ માકલી અમદાવાદમાં ૫૦ મુક્તિસાગરગણીને ઉપાધ્યાય અનાવ્યા. ભટ્ટા વિજયદેવસૂરિની આજ્ઞાથી ૫૦ જયસાગરગણીએ સં ૧૬૮૧ના પ્ર૦ ૨૦ ૧૦ ૫ ને ગુરુવારે જાલેારમાં શા॰ જેતા મણેાત આશવાલ જૈનની પત્ની જસમાદેના પુત્ર શા॰ જયમલ મુણેાત ( પત્ની સાદે)ની ભ॰ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (– પ્રા॰ જૈ લે॰ ભા ૨, લે૦ નં૦ ૩૫૮ ) ભટ્ટા॰ વિજયદેવસૂરિએ અને ભ વિજયાનંદસૂરિએ સ’૦ ૧૬૮૧ના ૨૦ ૩૦ સુ૦ ૯ ને વિયેાગમાં અમદાવાદમાં કાળુપુરના જૈન ઉપાશ્રયમાં તપાગચ્છના શ્રમણાનુ' સમ્મેલન કર્યું.. જો કે તે સમ્મેલન નિષ્ફળ નિવડયું પરંતુ ભટ્ટા॰ વિજયદેવસૂરિએ ત્યારે ઉપા॰ કનકવિજયને આચાર્ય બનાવવાની વાત મૂકી અને સૌની સમતિ લીધી. ભટ્ટા” વિજયદેવસૂરિએ સ૦ ૧૬૮૧ના વૈ૦ ૩૦ ૬ અથવા સં૰ ૧૬૮૨ના મ॰ સુ॰ ૬ ના રાજ ઇડરમાં શા॰ સહજૂએ કરેલા પઢવીમહાત્સવમાં ઉપા॰ કનવિજયગણીને આચાય બનાવી પેાતાના યુવરાજ તરીકે સ્થાપન કર્યા અને તેમનું નામ વિજયસિંહસૂરિ રાખવામાં આવ્યું. (– પટ્ટા॰ સભા. ૧, પૃ॰ ૯૩ ) ભટ્ટા॰ વિજયદેવસૂરિના સમયમાં મહા॰ વિવેકગણી અને મહા॰ મુક્તિસાગરગણી (ઉપા૦ રાજસાગરગણી )એ સં૦ ૧૬૮૨માં અમદાવાદના ખીખીપુરામાં શેઠ શાંતિદાસ ઝવેરીએ ભ॰ ચિંતામણિ પાર્શ્વનાથના વિશાળ અને ભવ્ય જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. ભટ્ટા વિજયદેવસૂરિ તથા આ॰ વિજયસિ‘હસૂરિએ સ’૦ ૧૬૮૩ ના અ૦ ૧૦ ૪ (જે ૧૦ ૪)ને ગુરુવારે જાલારમાં ભ૦ ધનાથની Page #340 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું] આ. વિજયદેવસૂરિ [૨૯૯ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સં. ૧૯૮૩નું ચાતુર્માસ જાહેરમાં કર્યું. ભટ્ટા. વિજયદેવસૂરિએ સં. ૧૬૮૪ના મહા સુદિ ૧૦ ને સેમવારે જાહેરમાં મંત્રી જયમલ મુણાતે કરેલ વંદના મહોત્સવમાં આવે વિજયસિંહસૂરિને ભટ્ટારક બનાવી પોતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા અને તેમને ગચ્છની અનુજ્ઞા આપી. એટલે ભવ્ય વિજયસિંહસૂરિને ગચ્છનાયક બનાવ્યા અને બંને આચાર્યોએ મેડતાના સં. શામકરણ માટે ભ૦ કુંથુનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (- પ્રા. જે. લેભા૦ ૨, ૯૦ નં૦ ૩૫૯, ૪૩૭) કમલદલની પ્રતિષ્ઠા – ભટ્ટા, વિજયદેવસૂરિ અને આ૦ વિજ્યસિંહસૂરિએ સં. ૧૬૮૫ના આસે વદિ ને ગુરુવારે સિરોહીમાં શા, પૂજા અને ઉછરંગના પુત્ર સંઘપતિ તેજપાલ પિરવાડના ભ૦ પાર્શ્વનાથના સમવસરણના કમલદલની પ્રતિષ્ઠા કરી અને સં૦ ૧૬૮૫માં સિરોહીમાં ચાતુર્માસ કર્યું. (– જેનયુગ – નવું વર્ષ ઃ ૩, અંક ત્રીજો) મેડતાના રાણી જગતસિંહે સં. ૧૬૮૬ના પેવ૮ ના રોજ ભટ્ટા. વિજયદેવસૂરિના ઉપદેશથી વરકોણ તીર્થના મેળામાં મહેસૂલ માફ કર્યું. ભટ્ટા. વિજયદેવસૂરિએ તથા વિજયસિંહસૂરિએ સં. ૧૬૯૬ના વૈ૦ સુત્ર ૮ના રોજ પાલીમાં મેડતામાં સુરાણું કર્મણ તથા તેની માતાની ભરાવેલ ભ૦ સુમતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (–પ્રાઃ જૈ લેભા૨, લે ૪૪૨) ભટ્ટા. વિજ્યદેવસૂરિએ સં. ૧૯૮૬માં સાદડીમાં ઉદયપુરના રાણા કર્ણસિંહની સભામાં ગીતાર્થોને મેકલી લોકાગચ્છવાળાઓને શાસ્ત્રમાં હરાવ્યા. (– પદાસર ભા. ૧, ૫૦ ૯૩) પાલી – સં. ૧૬૯૬ના વ૦ સુત્ર ૮ ને શનિવારે પુષ્ય નક્ષત્ર અને અતિપુષ્યોગમાં જોધપુરનરેશ ગજસિંહ, યુવરાજ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ અમરસિંહના પ્રસાદપાત્ર પાલીરાજ જગન્નાથ નગરા ચૌહાણના રાજ્યમાં પાલીમાં પાલીના શ્રીમાલી ચંડાતેયા શા મહિલ, તેની પત્ની સૌભાગ્યના પુત્ર શા ડુંગર અને ભાખર એ બંને ભાઈઓએ ૨૪ દેરીવાલા નવલખા પાર્શ્વનાથ જિનપ્રાસાદને સવા પાંચ હજાર ખરચી મેટ જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેની ભટ્ટા. વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમાં ભ૦ પાશ્વનાથ તથા ભ૦ મહાવીરસ્વામીની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી ૨૪ દેરીઓમાં ૨૪ જિનેશ્વરની પ્રતિમાઓ ભરાવી સ્વર્ણ કળશ-ધજા–દંડ અને વજા ચડાવ્યાં. (– પ્રા. જે. લેભા. ૨ લેટ નં. ૩૮૩, ૩૮૪, ૩૯૫) આ જિનપ્રતિમા આજે પાલીના લેઢાવાસના ભ૦ શાંતિનાથના જિનપ્રાસાદમાં મૂળનાયક તરીકે વિરાજમાન છે. ભટ્ટાવિજયદેવસૂરિએ અને આ વિજયસિંહસૂરિએ સં. ૧૬૮૬ના વિ. સુત્ર ૮ ને શનિવારે પાલીમાં મેટી અંજનશલાકા કરી હતી. તેમાં આગરાનિવાસી કુહાડ ગોત્રના શાક જસવંત એશિવાલે ભટ્ટા. વિજયદેવસૂરિ અને આ૦ વિજયસિંહસૂરિના ઉપદેશથી ભય પાર્શ્વનાથની જિનપ્રતિમા ભરાવી અને વિધર ગામના જૈન સંઘે વિધર ગામના જિનપ્રાસાદને બીજે માળે શિખરમાં ભ૦ વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિના હાથે આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ( – પ્રા. શૈ. લેભા. ૨, લેટ નં. ૩૯૯) ભદ્રા વિજ્યદેવસૂરિએ સં. ૧૯૮૬ (હિંદી સં. ૧૬૮૭)ના જેઠ સુદિ ૧૧ ને ગુરુવારે ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (- પ્રા. જે. લે, ભા. ૨, ૯૦ નં૦ ૩૬૬) તેમણે સં. ૧૬૮૬માં મેડતામાં ચાતુર્માસ કર્યું. બંને મહાતપા આચાર્યોએ સં. ૧૬૯૬ના પ્રઅ. વ. ૫ ને શુકવારે જાલોરમાં જોધપુરનરેશ ગજસિંહે સકલ રાજ્યવ્યવહારમાં નિયુક્ત કરેલ અને જેતા મુહણેતના પુત્ર મંત્રી જ્યામલ મુહeતે જાલોરમાં મેટે પ્રતિષ્ઠા Page #342 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ. વિજયદેવસૂરિ [૩૦૧ મહોત્સવ કર્યો, તેમાં ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી. મહાતપ ભટ્ટા, વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિએ તેમાંની (૧) ભ૦ પદ્મપ્રભ તથા (૨) ભ૦ શાંતિનાથની પ્રતિમાને ઉદયપુરના રાણુ જગતસિંહના રાજ્યમાં નાફૂલના રાજવિહારમાં બિરાજમાન કરી. (– પ્રાજે. લેભાવ ૨, લેટ નં. ૩૬, ૩૬ ૭) શાસ્ત્રાર્થ – બંને આચાર્યોએ સં. ૧૬૮૭માં સુરતમાં નવાબ માજર મલિકની રાજસભામાં પિતાના સાધુઓને મેકલી “સર્વજ્ઞશતકની પ્રામાણિક્તા અંગે શાસ્ત્રાર્થ કર્યો અને તેમાં વિજય પ્રાપ્ત કર્યો. બંને આચાર્યોએ સં૦ ૧૬૮૭ થી સં. ૧૬૯૪ સુધી એટલે સાત વર્ષ સુધી વિજાપુર અને કન્નડ પ્રદેશમાં વિહાર તથા ચોમાસાં કર્યા, ત્યારે તેઓએ ત્યાં સાત જિનપ્રતિષ્ઠા કરી. વિજાપુરમાં ચાર ચોમાસાં, અવરંગાબાદમાં એક ચમારું કર્યું, અને ખાનદેશના બુરહાનપુરમાં ચાર ચાતુર્માસ પસાર કર્યો. વિજાપુરના બા ઈદલશાહે ગચ્છનાયકને વિજાપુરમાં ઘણા દિવસે સુધી વિનંતી કરી ક્યા હતા અને તેઓ રહ્યા ત્યાં સુધી ગેવધ વગેરે હિંસા બંધ કરાવી હતી. આથી જન શાસનની પ્રભાવના થઈ હતી. ગચ્છનાયકે વીજાપુરના સંઘ સાથે સમુદ્ર કિનારે કરાડ પાર્શ્વનાથ અને કલિકુંડ પાર્શ્વનાથ વગેરે યાત્રા કરી. બુરહાનપુરમાં કિસનગઢથી વિજ્ઞપ્તિ- ગરછનાયકે બુરહાનપુરમાં આંતરે આંતરે બે બે ચોમાસા કર્યા હતાં અને બુરહાનપુરના સંઘ ૧. બુરહાનપુરના એક ચેસાસામાં ઉપા૦ અમરચંદ્ર, ઉપા૦ લાવણ્યવિજય, મહેસેમવિજયની પરંપરાના પં. ભીમવિજય, પં૦ ઉત્તમવિજય, શાંતિવિજય, લક્ષ્મીવિજય વગેરે ચોમાસું હતા. (- તા. ૨૯-૧ર-૧૯ ૨. જૈન, વર્ષ: ૬૧, ખંડ ૬૦ ) તે સાલ કિસનગઢમાં તેમના આજ્ઞાધારક પં. નયવિજય, પં. હસ્તિવિજય, પ૦ ઋદ્ધિવિજય, ઉદયવિજય (વિજયસિંહસૂરિના શિષ્ય), મુક્તિવિજય (વિજયપ્રભસૂરિવા શિષ્ય) હતા, તેમણે શાસુ૫ ના રોજ વિજ્ઞાનપત્ર મોકલો, Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] જૈન પરંપરાને તિહાસ [ પ્રકરણ સાથે અતરીક્ષજી તી, માણેકસ્વામી તીથ, તિલંગનુ* ગાલકુડી પાસેનુ‘ ભાગ્યનગર વગેરે સ્થળે પધાર્યા હતા. અને ત્યાં ભાગ્યનગરના બાદશાહ કુતુબશાહને ઉપદેશ આપ્યા હતા. તેની રાજસભામાં ભટ્ટોની સાથે શાસ્ત્રા કરી તેમને હરાવી જૈનધર્મના સારા પ્રચાર કર્યાં હતા. આથી ભટ્ટોને ગચ્છનાયક ઉપર બહુમાન થયું હતું. બાદશાહ પ્રતિબેાધ પામ્યા હતા. અને આચાર્યએ સ’૦ ૧૬૮૭માં વિજાપુરમાં શા॰ દેવચંદની પહેલી જિનપ્રતિષ્ઠા કરી હતી અને ત્યાં જ ચામાસુ કર્યું હતું. શા દેવચંદે પ્રતિષ્ઠા ઉત્સવમાં સેાળ હજાર રૂપિયા ખચ્યા હતા અને તેણે સ૦ ૧૭૦૧માં વિજાપુરની બીજી પ્રતિષ્ઠામાં આઠ હજાર રૂપિયા આપ્યા હતા. ગચ્છનાયકે આ પ્રતિષ્ઠા ઉત્સવમાં જ મુનિ વીરવિજયગણીને પન્યાસપદવી અર્પણ કરી. ભટ્ટારક વિજયદેવસૂરિ કુલપાકજી પધાર્યાં. ઉલ્લેખ મળે છે કે ૫૦ કૃષ્ણવિજયગણી તેમની સાથે હતા. તેમણે કુપાકમાં ‘કુલ્પાકમ’ડન ઋષભદેવ જિન સ્તવન ’ કડી : ૨૧ રચ્યું હતું. (–જન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૮૮) મહા॰ ધ સાગરગણી લખે છે કે, ભ॰ વિજયદેવસૂરિએ ઔર‘ગાબાદમાં ચામાસું કર્યું, બીજો એવા ઉલ્લેખ મળે છે કે, ભ॰ વિજયદેવસૂરિ ઔર’ગાબાદમાં ચામાસું હતા ત્યારે મુનિ વિનીતવિજય તેમની સાથે હતા. ( – શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા॰ ૨, પ્ર૦ ૦ ૭૬૧) પઢવીએ ગચ્છનાયકે દક્ષિણમાં એક નવા ઉપાધ્યાય અને ૮ પન્યાસા બનાવ્યા હતા. પછી તેએ ગુજરાતમાં પધાર્યા. તેમણે ત્યાં સૌં૦ ૧૬૯૩ના ફા॰ સુ૦ ૩ના રાજ મેાટી જિનપ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી ત્યાં ઘણી જિનપ્રતિમાએ બની હતી અને તેની ૧ સંભવ છે કે, તેએ સ૦ ૧૬૯૯માં નહીં પણ સ૦ ૧૬૮૬માં ઔરગાબાદમાં ચે!માસુ હોય, કેમકે તે સ૦ ૧૬૮૭ થી ૧૬૯૪ સુધી દક્ષિણમાં વિચર્યાં હતા અને સ૦ ૧૬૯૯માં તે ઉદયપુરમાં ચામાસુ હતા. ખીજી વિચારણીય વસ્તુ એ છે કે, ભા॰ ઔરગઝેબે સ૦ ૧૭૦૭માં ઔર ગામાદ વસાવ્યું હતું. તે સભવ છે કે, ગચ્છનાયક તે શહેરની જૂની વસ્તીવાળા ગામમાં ચામાસુ રહ્યા હોય. દક્ષિણમાં વર ́ગલ ગામ છે તેનું પ્રાચીન નામ રગલ છે Page #344 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ. વિજયદેવસૂરિ [ ૩૦૩ અંજનશલાકા કરી તે પછી તેઓ વિહાર કરી ગયા. બંને આચાર્યોએ સં. ૧૬૫માં માંડવગઢમાં ચોમાસું કર્યું હતું. તે પછી પાયચંદગચ્છના આ જયચંદ્ર કર્મવાસમાં કેઈ કેઈની પ્રતિષ્ઠા કરી હતી. (-પ્રક. ૫૩ “પાયચંદમત ”) આ જ સમયે સં. ૧૬૯ના વૈ૦ સુહ ૫ ને રવિવારે તેમની (ભટ્ટારકની) આજ્ઞા મેળવી તેમના શિષ્યોના હાથે દીવબંદરના સંઘવી ગોવિંદજીએ શત્રુતીર્થમાં મોટો નવે જિનપ્રાસાદ બનાવી તેમાં તેમના શિષ્યોના હાથે ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. તેમણે સં. ૧૬૯૭માં વિધ્યનગર (વીજાનગર–ગોલવાડ)માં જિનપ્રતિષ્ઠા કરી અને ભ૦ વિજયદેવસૂરિ વિધ્યનગરમાં તથા આ. વિજયસિંહસૂરિએ ઉદયપુરમાં ચોમાસું કર્યું અને રાણાને ઉપદેશ આપી વરકાણું તીર્થને મેળામાં કર, જકાત માફ કરાવ્યાં. પછી સં. ૧૯૯૮માં અમણેરમાં પ્રતિષ્ઠા દેલવાડામાં ૧ પ્રતિષ્ઠા તથા નહીગગામ (ગોગુંદા)માં પ્રતિષ્ઠા અને આઘાટમાં ૧ પ્રતિષ્ઠા એમ પાંચ પ્રતિષ્ઠા કરી હતી તથા મેડતામાં બે જિનપ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૯૯૮ત્માં ઉદયપુરમાં ચોમાસુ કરી રાણા જગસિંહને ઉપદેશ આપી તેને જિનપૂજાપ્રેમી બનાવ્યો તથા તેની પાસે ઘણું અહિંસા પળાવી. સં. ૧૭૦૦માં શેઠ શાંતિદાસ ઝવેરીએ ભટ્ટા, વિજયાનંદસૂરિગચ્છના ગીતાર્થોને હાથે અમદાવાદના બાબીપુરામાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. કમલદલ પ્રતિષ્ઠા – ભટ્ટા. વિજયદેવસૂરિ તથા આ. વિજયસિંહસૂરિની આજ્ઞાથી ઉપા. સપ્તમચંદ્રગણી (સકલચંદ્રગણું – આલમચંદ્રગણી)એ સં. ૧૭૦૦ના મ૦ સુ૧૨ ને રોજ પાલીમાં જોધપુરમાં જયરાજ મુહણેતના કમલદલવાળા ૨૪ જિનસમવસરણની પ્રતિષ્ઠા કરી. (–પ્રાજિ. લે. ભાગ ૨, ૯૦ નં૦ ૩૯૦) Page #345 -------------------------------------------------------------------------- ________________ ' ૩૦૪ ] જૈન પર પરાનેા ઈતિહાસ [ પ્રકરણ અને આચાર્ચીએ સં૦ ૧૭૦૦માં પાલીમાં ચામાસુ` કર્યુ.. આ જિનસિંહૈ સ૦ ૧૭૦૧માં મેડતામાં આગરા નિવાસી મણિમેનની ભરાવેલ જિનપ્રતિમાની ભગવાનની પ્રતિષ્ઠા કરી. આ॰ વિજયદેવસૂરિએ સ૦ ૧૭૦૨માં મેડતામાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી ચામાસું કર્યું. અને સ૦ ૧૭૦૩માં જાલારમાં કર્યું. પછી તેઓ ત્યાંથી વિહાર કરી આજીની યાત્રાએ પધાર્યા. આ॰ વિજયસિહસૂરિ પણ ત્યાં આવી મળ્યા. આ દરમિયાન ભ॰ વિજયદેવસૂરિ, આ વિજયસિંહસૂરિ, પં॰ સત્યવિજય, ૫૦ વીરવિજય, મહા વિનયવિજયગણી, મહે। ભાવવિજયગણી પરસ્પર મળ્યા. સૌએ સવેગી ક્રિયાદ્વાર કરવાના નિર્ણય કર્યો અને સૌ ભ વિજયદેવસૂરિની આજ્ઞામાં રહી સંવેગી અને એવી ગાઠવણ કરી. જો આ વિજયસિ’હસૂરિ ક્રિયાદ્ધાર કરી સંવેગી અને તેના ૫૦ સત્યવિજયગણીને ગચ્છનાયક બનાવવા અને તે પણ સંવેગી નેતા ૫. વીરવિજયને ગચ્છનાયક મનાવવા. આવી વ્યવસ્થા ગાઠવી હતી. こ આ મુલાકાતમાં એક પ્રસંગે ૫૦ વીરવિજયગણીએ મહા૦ વિનયવિજયજીને માલેાચિત ભાષામાં કહ્યુ કે, ‘ આપ જ્ઞાની છેા, સાચાખાટાની પરખ છે, ભ॰ વિજયદેવસૂરિને મહાન્ માના છે। પણ તેમની આજ્ઞામાં નથી એનું કારણ સમજાતું નથી.’ મહા વિનયવિજયજી ગણીએ ‘ ઈંદુત ’ના શ્લા ૧૨૫-૧૬ની ત્યારે યાદ આપી હતી. અને આચાર્યાએ સં ૧૬૦૪માં ઈડરમાં ધામાસુ` કર્યું, અહીં પાટણની શ્રાવિકા અવંતીએ ભરાવેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં ૬૪ ઈંદ્રોના જન્માભિષેક વગેરે માટા વિધ કરવામાં આવ્યા હતા. અને આચાર્યા તથા મહા॰ ભાવિજયજીગણી સ૦ ૧૭૦૫માં પાટણના છ'રી પાળતા યાત્રાસંઘ સાથે શ્રી અંતરીક્ષજી તીની યાત્રાએ પધાર્યાં. ભટ્ટા॰ વિજયદેવસૂરિએ અહીં સ૦ ૧૭૫ના ફા॰ ૧૦ ૬ ને બુધવારે ઔરગાબાદના શા॰ અમીચંદ વીશા પેારવાડની પત્ની ઇંદ્રાણીએ ભરાવેલ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી અને પાટણ તથા દક્ષિણના સંઘને અંતરીક્ષ પાર્શ્વનાથના જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરવાના ઉપદેશ આપ્યા. Page #346 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું] આ. વિજયદેવસૂરિ [ ૩૦૫ જેનું જીવન પવિત્ર છે એવી શ્રાવિકા ફૂલોએ શત્રુજ્ય ગિરનાર વગેરે મેટાં તીર્થોનો સંઘ કાઢી સંઘવણનું તિલક ધારણ કર્યું, સંo ૧૭૦૫ના વૈ૦ સુરના રોજ ખંભાતમાં સંઘવણ ફૂલાંબાઈ એ બંને આચાર્યોને “વિવાગસુત્ત” તથા “ અત્તરોવવાઈસુત્ત”ની પ્રતિએ વહરાવી. ( –શ્રી, પ્રશસ્તિસંગ્રહ ભા૦ ૨, પ્ર. નં ૦ ૭૯૦ તથા ભાંડારકર ઇસ્ટીટયૂટ જ પ્ર સં૦ ભા. ૧, પ્ર. નં. ૧પર) તેમણે સં૧૭૦૫માં ખંભાતમાં ચોમાસું કર્યું. આ. વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૬(૧૭૧૧)ના મહા સુદિ ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં – શ્રવણનક્ષત્રમાં પાટણમાં ગુરુનિશ્રામાં સંવેગી સાધુ-સાધ્વી યોગ્ય આઠ બેલનો પટ્ટક બનાવ્યો. બંને આચાર્યોએ સં. ૧૭૦૬માં પાટણમાં ચોમાસું કર્યું અને સં. ૧૭૦૭માં અમદાવાદમાં ચાતુર્માસ કર્યું. આ. વિજયદેવસૂરિએ સં. ૧૭૦૮માં ખંભાતમાં ચોમાસું કર્યું. આ. વિજયસિંહસૂરિએ ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૭૦૮ના અષાડ સુદિ રના રોજ અમદાવાદના રાજપરા પાસે નવીનપુરામાં ૨૮ વર્ષની ઉંમરે ગીતાર્થો પાસે અતિચાર આલોવી અનશન સ્વીકારી સમાધિથી કાળધર્મ પામ્યા. ભ૦ વિજયદેવસૂરિની આજ્ઞાથી મહ૦ ભાનુચંદ્રગણીના શિષ્ય પં. વિવેકચંદ્રગણુએ સં. ૧૭૦૯ના ફા૦ સુત્ર ૩ ને રવિવારના રોજ પાટણમાં એશવાલ જન સંઘે મેદપાટ દેશાધિરાજ રાણું જગતસિંહને પ્રતિબોધદાયક આ. વિજયસિંહસૂરિની ચરણપાદુકા બનાવી હતી તેની પ્રતિષ્ઠા કરી. (– પ્રાજ લે ભા. ૨, લે નં. ૫૧૪) ભટ્ટારક— ભ૦ વિજ્યદેવસૂરિએ સં. ૧૭૧૦ના વેસુ. ૧૦ ને શુક્રવારે પુષ્યનક્ષત્રમાં સુમુહૂર્તમાં ગંધારમાં પં. વીરવિજયગણેને આચાર્ય જે ૨૦ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ બનાવી તેમની પાટે રથાપન કર્યા અને તેમનું નામ આ૦ વિજયપ્રભસૂરિ રાખ્યું. આ૦ વિજ્યસેનસૂરિના પિતા સ્થવિર પં. કમલવિજયજીગણ વગેરેની સંમતિથી તેમને આચાર્ય બનાવ્યા. તપાગચ્છના મૌલિમાણિક્ય આ. વિજયસિંહસૂરિના ઉપદેશથી આગરાના વીશા ઓશવાલ કુહાડ ગેત્રના શાક વર્ધમાન પત્ની આહાદેના પુત્ર શા રાયસિંહ મેડતાવાળાએ શત્રુંજય તીર્થની મેટી ટૂંકમાં ભ૦ આદીશ્વરના મેટા જિનપ્રાસાદની જમણી બાજુમાં ૧૦૦૮ જિનપ્રતિમાવાળ સહસ્ત્રકૂટ બનાવ્યો હતો તેની મહોવિનયવિજયજી ગણિવરે ભવ્ય વિજયદેવસૂરિ અને આ. વિજયપ્રભસૂરિની આજ્ઞાથી સં. ૧૭૧૦ ના જેસુ૧૦ ને ગુરુવારે શ્રી શત્રુંજય તીર્થમાં પ્રતિષ્ઠા કરી. આ સમયે ત્યાં પં. શાંતિવિજય, પં. દેવવિજયગણ પં. મેઘવિજયગણી શ્રી શત્રુંજય મહાતીર્થના કાર્યકરો હતા. તેઓએ આ કાર્યમાં મોટી મદદ આપી હતી. (- પ્રારા જ લેભા૦ ૨, લેટ નં. ૩૧, પદ્ય ૪, ૩૨ ગદ્ય) બંને આચાર્યોએ સં. ૧૭૧૦માં સુરતમાં ચોમાસું કર્યું. સંવેગી – પં. સત્યવિજયગણીએ સં. ૧૭૧૧ના મહા સુ. ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં આ૦ વિજ્યસિંહસૂરિએ દોરેલ બેલ ૪પના પટ્ટક પ્રમાણે ભ૦ વિજયદેવસૂરિ આ. વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહી કિયોદ્ધાર કરી શુદ્ધ સંવેગી માર્ગ પ્રવર્તાવ્યો. ૫૦ દ્ધિવિમલગણું મહ૦ વિનયવિજયગણી મહો. યશોવિજયગણ, પં. નયવિજયગણ વગેરે ૧૮ મુનિઓ તથા સાધ્વી શ્રી સહજશ્રી વગેરે સાધ્વીઓએ સંવેગીપણું સ્વીકાર્યું હતું. બંને આચાર્યોએ સં. ૧૭૧૧માં અમદાવાદમાં ચોમાસું કર્યું. ભ૦ વિજયદેવસૂરિએ સં. ૧૭૧રના માગશર માસમાં અમદાવાદમાં અમદાવાદના સંઘમુખ્ય શા૦ સૂરાના પુત્ર ધનજીએ આઠ હજાર મહમ્મદી ખરચીને કરેલ વંદના મહોત્સવમાં આ૦ વિજયપ્રભસૂરિને ભટ્ટારક પદવી આપી પોતાની પાટે ગચ્છનાયક સ્થાપન કર્યા, Page #348 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમુ ] આ વિજયદેવસૂરિ [ ૩૦૭ આ ઉત્સવમાં શા॰ ધનજીએ સર્વ સંઘને પહેરામણી તથા સંઘપૂજા કરી. ખ'ને આચાર્યોએ સ૦ ૧૭૧૨માં અમદાવાદમાં ચાતુર્માસ કર્યું. અને આચાર્યા સ૦ ૧૭૧૩માં સેારડમાં પધાર્યા અને દીવદરના ભણશાળી રાયચંદ પ્રમુખ સઘ સાથે શત્રુંજયતીર્થની યાત્રા કરી અને સેારકીસધની વિનતીથી ચામાસા માટે ઉના પધાર્યા. આ સમયે દીવમાં ફિરંગી હાકેમના હુકમથી દીવમાં સૌ ધર્મચાર્યને ઉપદેશ આપવાના પ્રતિબંધ ચાલુ હતા. આચાર્યાએ અમલદારાને ઉપદેશ દ્વારા સમજાવી દીવમાં સૌને ધર્મોપદેશ આપવાની છૂટ અપાવી. અને આચાર્ચીએ સ ૧૭૧૩નું ચાતુર્માસ ઉનામાં કર્યું. સ્વર્ગ વાસ ભ॰ વિજયદેવસૂરિએ સ૦ ૧૭૧૩ના અષાડ સુદિ ૧૧ના રાજ પ્રાતઃકાળે ઉનામાં ભટ્ટા॰ વિજયપ્રભસૂરિ પાસે નિર્યામા કરી, આરાધના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ― હવે આ વિજયપ્રભસૂરિ સઘનાયક બન્યા. સિરાહી – રાજ્યમાં એ વથી જન તિઓના વિહારના પ્રતિબંધ હતા. ભટ્ટા૦ વિજયપ્રભસૂરિ ગચ્છનાયક બન્યા તે જ ઉત્સવમાં આ વિહાર ઉપરના પ્રતિખંધ ઊઠી જવાના શુભ સમાચાર મળ્યા હતા. - ભટ્ટા॰ વિજયપ્રભસૂરિ સં૦ ૧૭૧૪માં દીવમાં શા નેમિદ્રાસના છ”રી પાળતા યાત્રાસંઘ સાથે શત્રુંજયતીર્થની યાત્રા માટે પધાર્યા. શા॰ મિદાસે આ સધમાં ૮૦૦૦ મહમ્મુદ્રિકા વાપરી હતી. ભટ્ટા॰ વિજયપ્રભસૂરિએ ત્યારથી સં ૧૭૧૪ થી ૧૭૨૩ એટલે ૧૦ વ સુધી ચાતુર્માસ કર્યા* હતાં. સભવ છે કે, આ સમયે તપાગચ્છમાં બે શાખાએ બની હતી પરંતુ ભટ્ટા॰ વિજયદેવસૂરિએ સૌને પેાતાના જ માની કુનેહથી તથા સૌંપૂર્ણ શાંતિથી કામ લઈ સઘની એકતાને ટકાવી રાખી હતી, ભ વિજયપ્રભસૂરિ તેમની નીતિ પ્રમાણે જ સંઘની રક્ષા કરવા ઉત્સુક હતા; પરંતુ ચાર વર્ષીમાં જ ગુરુદેવ સ્વર્ગે ગયા. આથી તેમણે સેારઠમાં થાડાં વર્ષો પસાર કરી પછી જ ગુજરાત તરફ જવા ઉચિત ધાયુ... હાય. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ સં. ૧૭૦૫, સં. ૧૭૧૫, સં. ૧૭૧૭ અને સં. ૧૭૨૦માં બધે સ્થળે મેટા દુકાળ પડયા હતા. તેઓ સેરઠમાં દસ વર્ષ રહ્યા તેનું આ પણ એક કારણ હોય; પરંતુ તેમની ચરણકૃપાથી સી જનતાને અનાજ–પાણીની સગવડ થતી હતી. તેમના ઉપદેશથી સં. ૧૭૨૧ના પિષ વદિ ૧૦ ના રોજ જૂનાગઢમાં શા૦ પાસવીર પોરવાડે આગમન જૈન ગ્રંથભંડાર સ્થાપન કર્યો હતે. ઈન્દુત” વિજ્ઞપ્તિપત્ર – ભટ્ટા. વિજયપ્રભસૂરિ સં. ૧૭૨૨૨૩માં સુરત પધાર્યા અને મહો. વિનયવિજયગણીએ સં. ૧૭૨૩માં સુરતમાં તેમની ઉપર “ઈન્દૂત કાવ્ય”ની વિજ્ઞપ્તિ પત્ર રૂપે મેકલી. ભટ્ટા, વિજયદેવસૂરિનો પરિચય – તેઓ શાંત સ્વભાવી, અલ્પભાષી, વિદ્વાન, જ્ઞાનગંભીર, ત્યાગી, તપસ્વી, સંયમી અને સંવેગી હતા. બધા તેમને ગૌતમાવતાર માનતા હતા. તેમનામાં આચાર્યના ૩૬ ગુણે હતા. (– વિજયદીપિકાવૃત્તિ-પ્રશસ્તિ ક્ષેત્ર ૬ થી ૧૮) તેઓ તપાગચ્છની વિભિન્ન શાખાઓ પિકી વિજય, સાગર, વિમલ, ચંદ્રના મુનિવરોને પોતાના ભાઈની જેમ માનતા હતા. વિરોધ પક્ષવાળા તેમની વિરુદ્ધમાં કંઈ બોલે તો તેઓ માન રહી શાંત રહેતા અને પોતાની સાથેના મુનિવરોને “સત્યને સદા જય છે એમ કહી આશ્વાસન આપી શાંત રાખતા હતા. તેમની આ ઉદાર ભાવનાનું એ પરિણામ આવ્યું કે વિજયાનંદસૂરિસંઘના ઘણા શ્રમણ અને શ્રાવકો વગેરે તેમની પરંપરા તરફ વળ્યા હતા. આથી જ બંને શાખાના (૬૬) ભર વિજયધર્મસૂરિ, તથા (૬૭) ભ. વિજયલફમસૂરિએ નવાનગરમાં એકબીજા સાથે ભાઈ-ભાઈનો વ્યવહાર રાખી મેળ બનાવી રાખ્યો હતો. (- પ્રક. ૨૮, પૃ ૧૨૯) છેવટે આજે એ પક્ષભેદ રહ્યો નથી અને બંને પક્ષે મળી એક ભ૦ વિજયદેવસૂરિસંઘ જ બની ગયે. Page #350 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ. વિજય દેવસૂરિ [ ૩૦૯ ભ, વિજયદેવસૂરિ ગંભીર વિચારક હતા. સમકાલીન મેટા વિર ગીતાર્થો જેવા કે – મહ૦ કમલવિયેગણ, મહ૦ કલ્યાણવિજ્યગણ, મહોરા ઉદ્યોતવિજયગણ વગેરે વૃદ્ધ મુનિઓનું બહુમાન કરતા અને સંઘના હિતકાર્યમાં તેમની સલાહ મુજબ વર્તતા હતા. આ. વિજયસિંહસૂરિ અને આ૦ વિજ્યપ્રભસૂરિને તેમની સમ્મતિથી જ ગચ્છનાયક બનાવ્યા હતા. તેઓ સંગી જીવન ગાળતા હતા. તેમની “નિત નિત વંદું રે, મુનિવર એહવા” એ સઝાય તેમના સંગી જીવનની સાક્ષી આપે છે. તેઓ પોતે જ ક્રિોદ્ધાર કરી સંવેગી મુનિ બનવા તૈયાર હતા. પરંતુ એમ કરવાથી કદાચ દેવસૂરસંઘ, આનંદસૂરસંઘ, ભટ્ટારકસંઘ અને સંવેગીસંઘ એવા ભેદો કાયમી વહેંચાઈ જાય. આથી જ તેમણે સં. ૧૬૭૭ના ચૈત્ર સુદ ૭ ને બુધવારે સાબલીમાં ૫૮ બોલને પટ્ટક તથા સં. ૧૭૦૬ અથવા સં. ૧૭૧૧ના મહા સુદિ ૧૩ ને રોજ પાટણમાં સંવેગી સાધુ–સાદવી ગીતાર્થો ચોગ્ય ૪૫ બેલનો પટ્ટક બનાવ્યો હતો. તેમણે પિતાના પટ્ટધર ભટ્ટાવિજયસિંહસૂરિ, પં. સત્યવિજયવગેરેને સંવેગી બનવાને તૈયાર કર્યા હતા. આથી જ પં. સત્યવિજયગણીએ સં. ૧૭૧૧માં કિયોદ્ધાર કર્યો હતો. ભટ્ટા. વિજ્યદેવસૂરિ બીજ ગ૭વાળાઓ સાથે સમભાવે વર્તતા હતા. જો કે બીજા ગચ્છવાળા મહા ધર્મસાગરગણું પ્રત્યે નારાજ હતા, આથી વિજયાનંદસૂરિ ગચ્છવાળાએ ભટ્ટાવિજયદેવસૂરિને તેમના મળતિયા બતાવવાથી તેમના પ્રત્યે નાખુશ રહેતા હતા, પરંતુ સં૦ ૧૬૮૭માં સુરતના શાસ્ત્રાર્થમાં ભટ્ટા, વિજયદેવસૂરિએ સત્ય પ્રકાશિત વિજય મેળવ્યો આથી બીજા ગ૭વાળા તેમના પરિચયમાં આવ્યા. શ્રી શ્રીવલ્લભ પાઠક જેઓ ખરતરગચ્છના મુનિ હતા છતાં વિજયદેવસૂરિના આદર્શ જીવનથી આકર્ષાઈને તેમના ચરિત્ર વિષયક વિજયદેવ માહાસ્ય” નામે મોટો કાવ્યગ્રંથ રચ્યો છે. - આ. વિજયસેનસૂરિ શત્રુંજયતીર્થની યાત્રાએ ગયા ત્યારે આ વિજયદેવસૂરિ વગેરે ૩૫૦ મુનિવરો હતા. સોરઠમાં ચાર ચાતુર્માસ કર્યા અને પછીનું સં. ૧૬૭૨નું ચાતુર્માસ ખંભાતમાં કર્યું. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ ૫૦ સાધુવિજયગણી શિષ્ય પ॰ સૌભાગ્ય વિજયગણી લખે છે– ‘ મેવાડના રાણા જગતસિંહ અને દક્ષિણના સુલતાન તેમના ભક્તા હતા.’ તેમણે એ આચાર્યા, ૨૫ ઉપાધ્યાયા, ૫૦૦ પન્યાસા અને ૨૦૦ રવિશષ્યા બનાવ્યા હતા. તેમના સઘમાં ૨૫૦૦ યતિઓ અને ૧૦૦ સાધ્વીજીએ ને ૭ લાખ શ્રાવક-શ્રાવિકાઓ ભક્ત હતાં. તેમના એક શ્રાવકે ૧ લાખ ૫૯ હજાર સાધિ કાને જમાડયા હતા. તેમણે રાજનગર પાસેના અહમદપુરામાં ચામાસુ કરી તે ખીખીપુરામાં પધાર્યા હતા ત્યારે આગરાથી તેમને વંદન કરવા આવેલા શા॰ ગારધનદાસે ૯ હજાર ત્યાહરી ખરચી ૮૪ ગુચ્છામાં માટી પ્રભાવના કરી હતી. ભટ્ટારક વિજયદેવસૂરિએ , અદ્ભૂમ, ઉપવાસ, આયંબિલ વગેરે વિવિધ તપેા ઘણી સંખ્યામાં કર્યાં હતાં. તેમણે પાંચ કરોડ પ્રમાણ સઝાય—રવાધ્યાય કર્યા હતા. તેમને રાજ પાંચ વિગઈ ના ત્યાગ હતા, ૧૧ દ્રવ્યેાથી વધુ દ્રવ્યા વાપરતા નહાતા, દિવસે સૂતા નહેાતા. તેમને કષ્ટ પ્રસંગે ૧૮ યક્ષ્ા આવી સહાય આપી તેમનું કષ્ટ નિવારતા હતા. તેમણે અમદાવાદમાં માસકલ્પ કરી વિહાર કર્યા. દીવ, શત્રુંજય તીર્થ, અજારા પાર્શ્વનાથ અને ઉનામાં ાજનપાદુકાની યાત્રા કરી હતી. ઉનામાં આ॰ વિજયપ્રભસૂરિ સાથે હતા. ભટ્ટારકે જિનપ્રતિમાની સામે આરાધના શરૂ કરી. સં ૧૭૧૩ના અષાડ સુદિ ૮ના રાજ તિવિહાર અનશન સ્વીકાર્યું. અંતિમ સમયે સિદ્ધાંતના પાઠા સાંભળતા હતા. અષાડ સુદિ ૧૦ની રાતે ચવિહાર અનશન સ્વીકાર્યું. અને છેવટે સ્વર્ડંગમન કર્યું. ગુપ્ત પ્રયાગના સન્યાસીએ જાહેર કર્યું કે, ભટ્ટા॰ વિજયદેવસૂરિ દેવ અન્યા છે. સ્વર્ગ વાસના સ્થાને ભણશાલી ગૃહસ્થે સ્તૂપ બંધાવ્યા ને તે પછી આ વિજયપ્રભસૂરિ ગચ્છના નાયક બન્યા. ( -- અતિહાસિક સજ્ઝાયમાલા, જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંગ્રહ પૃ૦ ૧૭૫ થી ૧૭૮; વિજય દેવસૂરિ નિર્વાણુ રાસ) Page #352 -------------------------------------------------------------------------- ________________ સાઈડમું] આ. વિજયદેવસૂરિ [ ૩૧૧ તેઓએ તેમને યુગપ્રધાન નિહાળ્યા અને તેમના બની તેમનું ચરિત્ર બનાવ્યું. આચાર્ય વિજયદેવસૂરિ મેટા પ્રભાવક હતા. ઉદયપુરને રાણે કર્ણસિંહ, રાણે જગતસિંહ, ઈડરનરેશ કલ્યાણમલ, જોધપુરનરેશ ગજસિંહ અને દીવના ફિરંગી અમલદારો તેમના ભક્ત હતા. (– દયાકુશલગણું કૃત “વિજયદેવસૂરિ સજઝાય', – પંસૌભાગ્યવિજયકૃત “વિજયદેવસૂરિ નિર્વાણરાસ ', પં૦ લાલકુશલગીકૃત “આ૦ વિજયસિંહસૂરિ સજઝાય,” ઐતિહાસિક રાસમાળા નં. ૩૩, ૩૪, ૩૫, વિજ્યપ્રશસ્તિ મહાકાવ્ય, તેની વિજયદીપિકા વૃત્તિ, તપાગચ૭ પટ્ટાવલી, તપગણપતિ ગુણ પદ્ધતિ, દેવાનંદાયુદય મહાકાવ્ય, વિજયદેવ માહાત્મ્ય, લેખસંગ્રહ, ગુરુમાલા આદિ ગ્રંથે.) વિશેષ જિન પ્રતિષ્ઠાઓ – તેમણે પાટણમાં ૪ જિનપ્રતિષ્ઠાઓ કરી, જેમાં જન સંઘે અડધે લાખ રૂપિયા ખરચ કર્યો હતો. ખંભાત મહાતીર્થમાં ૩ જિનપ્રતિષ્ઠા કરી, જેમાં જનોએ ૧૪ હજાર રૂપિયા ખરચ્યા હતા. અમદાવાદમાં ૨ જિનપ્રતિષ્ઠા કરી, જેમાં જેનેએ લાખ રૂપિયા ખરચ્યા હતા. આ ઉપરાંત નડિયાદમાં ૧, શરદંગમાં ૧, વડનગરમાં ભ૦ મહાવીરસ્વામીની ૧, ઈટાદરામાં યવનોએ ભ૦ ઋષભદેવની પ્રતિમા ભેદી નાખી હતી ત્યાં નવી ભ૦ ઋષભદેવની પ્રતિમા સ્થાપન કરી. સં. ૧૯૭૭માં સાલડીમાં ૨, સં. ૧૬૮૫માં આરાસણમાં મૂળનાયકની પ્રતિષ્ઠા, સેનગઢમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા, માલવામાં ૨, ઉજજૈનમાં ૧, રામપુરમાં ૧, દક્ષિણમાં કન્નડના વિજાપુરમાં શા વીરચંદે કરાવેલી પ્રતિષ્ઠા ૧, કચ્છમાં ૧, મેડતામાં ૨, તથા સં. १. दक्षिणे पञ्च कनडी वीजापुरे पुरे तथा । प्रतीच्यां कच्छदेशे च प्रतिष्ठा येन निर्म मे ॥ ११ ॥ – વિજયદીપિકા – વૃત્તિ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૧૬૪૧ના માત્ર સુર ૬ ના રોજ પુષ્યનક્ષત્રમાં ઈડરમાં પ્રતિષ્ઠા, સં. ૧૭૦પના માગશર માસમાં ઈડરમાં પ્રતિષ્ઠા, સં. ૧૭૦૫ના ફા. વક ૬ ને બુધવારે અંતરીક્ષમાં પ્રતિષ્ઠા કરી. ભટ્ટા. વિજ્યદેવસૂરિએ સં. ૧૬૫ત્ના માત્ર સુ. ૫ ને બુધવારે ગુજરાતના વિજાપુરમાં દારુ મેઘજી વગેરેના વીશ જિન પટ્ટ વગેરેની પ્રતિષ્ઠા કરી. (આ પટ્ટ વીજાપુરના ચિંતામણિના દેરાસરમાં વિદ્યમાન છે.) ગચ્છભેદ – શાખા – (૧) આ સમયે ૧૬૭૨ થી તપાગચ્છનું ચોથું નામ “વિજયદેવસૂરિસંઘ” પડ્યું. તેનું બીજું નામ “ઓશવાલસંઘ” પણ મળે છે, જેની બે પરંપરા ચાલી હતી. (૧) શ્રી પૂજ પરંપરા, (૨) સંગી પરંપરા. તપાગચ્છના ભટ્ટારકની આજ્ઞામાં ૧૩ ગાદીઓ હતી. (-શ્રમણવંશ વૃક્ષ પૃ૦ ૩૯; પટ્ટાવલી – સમુર પય ભા. ૨. પૃ૦ ૨૫૬ ) આ રીતે વિજયદેવસૂરિસંઘમાં ઘણું ગ છે આવી મળ્યા હતા. આથી તપાગચ્છ વિશાળ બન્યા હતા. (૨) સં. ૧૯૭૩માં સિરોહમાં ભટ્ટાર વિજયતિલકસૂરિથી તપાગચ્છમાં સાતમી વિજયાનંદસૂરિસંઘશાખા નીકળી, જેનાં બીજાં નામ ઉપાધ્યાયમત” અને “પરવાડગચ્છ” પણ મળે છે. (૩) સં. ૧૬૮૬ના જેઠ સુદિ ૧૪ ને રવિવારે અમદાવાદમાં ભટ્ટા રાજસાગરસૂરિથી તપાગચ્છના દેવસૂરિસંઘમાં આઠમી “સાગરશાખા”નીકળી. ( – આત્માનંદ પ્રકાશ, અં૦ ૪, પૃ. ૧૫, કુમતા હિવિષ જાંગુલી. પ્રક. ૫૮ ) (૪) સં. ૧૭૧૧માં ભટ્ટાવિજ્યપ્રભસૂરિથી તપાગચ્છમાં નવમી ‘શ્રીપૂજ” યતિપરંપરા ચાલી અને મૂળ પરંપરા “સંવેગી” તરીકે પ્રસિદ્ધિ પામી. (૫) સં. ૧૭૪૮ના ફા. સુ. પના રોજ સંડેર ગામમાં Page #354 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ૦ વિજયદેવસૂરિ [ ૩૧૩ ભટ્ટા જ્ઞાનવિમલસૂરિથી તપાગચ્છની સેળમી “વિમલશાખા નીકળી. આ ગચ્છભેદો પ્રસંગે વિવિધ ઘટનાઓ બની હતી, (1) હિતેપદેશ, (૨) વિજ્યાનંદસૂરિપત્ર, (૩) વિજયદેવસૂરિપત્ર વગેરે. વિક્રમની ૧૭–૧૮મી શતાબ્દીમાં તપાગચ્છમાં ઉપર મુજબ ભેદોઅંચલગચ્છ, ખરતરગચ્છમાં વિવિધ ભેદો, નાગેરી લંકાગચ્છ, ઢુઢિયા, બ્રહ્મર્ષિમત, તેરાપંથી, દિગંબર તેરાપંથી વગેરે નીકળ્યા હતા. ભટ્ટા, વિજયદેવસૂરિની આજ્ઞામાં હેમરદ્ધિજી તથા સાધ્વી કલ્યાણઋદ્ધિજી વગેરે સાધ્વીઓ હતાં. ભટ્ટાવિજયાનંદસૂરિની આજ્ઞામાં સાધ્વીજી લાભશ્રીજી, સાધ્વી સહજશ્રીજી વગેરે સાધ્વીઓ હતાં. પં. સત્યવિજયગણની સાથે સાથ્વી સહજશ્રીજી વગેરે સાધ્વીજીઓએ કિદ્ધાર કરી સંવેગી માર્ગ સ્વીકાર્યો. ખરતરગચ્છની આચાર્યાય શાખામાં ભટ્ટાજિનસિંહની પછી ભ૦ જિનચંદ્ર થયા. ભર જિનચંદ્રને સં. ૧૯૭૩માં ચોમાસામાં જોધપુરમાં સ્વયંભૂ પાર્શ્વનાથ વિશે સ્વપ્ન આવ્યું. તથા પં. દયારનગણ નામે વિદ્વાને “ન્યાયરત્નાવલી” નામે ગ્રંથની રચના કરી, તેમજ સં. ૧૬૯૫માં તેમણે “કાપડહેડારાસ” રચેલો મળે છે. સં. ૧૬૮૨, સં. ૧૭૭માં અમદાવાદમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૬...માં રાજપુરમાં શામળિયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ. જૈન તીર્થો– (૧) કાપરડા સ્વયંભૂ પાર્શ્વનાથ તીર્થ – પીપાડ સ્ટેશનથી બિલાડા જતી રેલ્વે લાઈનમાં શલાટી સ્ટેશનથી ૪ માઈલ દૂર અને પીપાડથી ૮ માઈલ દૂર તેમજ બિલાડાથી ૧૬ માઈલ દૂર કારપડા નામે ગામ છે, જેનાં બીજાં નામે કર્પટહેટક, કાપડહેડા વગેરે હોવાનું જાણવા મળે છે. ઐતિહાસિક રાસસંગ્રહ” ભા૩માં શ્રી. દયારત્નમુનિએ ' Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ સં. ૧૬૯૫માં “શ્રી કાપડહેડા રાસ' રચેલ જોવા મળે છે. તેમાં જણાવ્યું છે કે, ખરતરગચ્છીય શ્રી. જિનચંદ્રસૂરિને આવેલા સ્વપ્ન મુજબ-ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસ ભૂમિની નીચે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાં હોવાનું જાણવા મળ્યું. આચાર્યશ્રીએ એ ભૂમિમાંથી સં. ૧ ૬૭૪ના પોષ વદિ ૧૦ ના રોજ સ્વયંભૂ પાર્શ્વનાથની પ્રાચીન ભવ્ય પ્રતિમા બહાર કઢાવી. આચાર્યશ્રીએ એ મૂર્તિને સંઘના મંદિર કે યતિજીના ઉપાશ્રયમાં સ્થાપન કરી. જેતારણના રાય લાખણની પરંપરામાંથી ઉતરી આવેલા ઓશવાલજ્ઞાતિના ભંડારીગેત્રના શાઅમરજી ભંડારીને ભાણજી નામે પુત્ર હતો. તેને ભક્તાહ નામે પત્ની હતી તથા ૧ રતનજી, ૨ નારાયણ, ૩ નરસિંહ અને ૪ સેઢા નામે પુત્રો હતા. ભંભાણજી જોધપુરના રાજા ગજસિંહનો જેતારણનો હાકેમ હતો. તે રાજવ્યવસ્થા ખૂબ કુશળતાથી ચલાવતો હતો. એક ચાડિયાએ હાકેમ વિરુદ્ધ રાજાના કાન ભંભેર્યા. રાજાએ ભાણજીને તાબડતોબ જોધપુર આવવા હુકમ કર્યો. ભાણજી તારણથી નીકળી જોધપુર જતાં વચ્ચે કાપરડા ગામ આવ્યો. તેને “જિનદર્શન કર્યા વિના અનાજ-પાણી નહીં લેવાની પ્રતિજ્ઞા હતી. આથી તેણે ગામના ઉપાશ્રયમાં યતિજી હસ્તક રહેલી સ્વયંભૂ પાર્શ્વનાથની પ્રતિમાને પત્તો મળતાં ત્યાં દર્શન કરવા ગયે. દર્શન કરીને એણે આમસંતોષ અનુભવ્યો. યતિજીને વાત કરતાં યતિએ જણાવ્યું કે, “મહાનુભાવ! ચિંતા કરવા જેવું નથી, તમે રાજા પાસે નિર્દોષ ઠરશે.” ભાણજી જોધપુર પહોંચ્યો અને થયું પણ એમ જ. રાજા આગળ તે નિર્દોષ ઠર્યો એટલું જ નહીં ભાણજી ઉપર રાજાનો ભાવ વધ્યો. પછી તે પાછા ફરતાં કાપરડા આવ્યો. યતિજીએ ભાખેલા ભવિષ્યથી તેમના ઉપર એને શ્રદ્ધા થઈ હતી. ત્યાં આવી યતિજીનાં ભાવથી દર્શન કર્યા. યતિજીએ તેને કાપરડામાં સ્વયંભૂ પાર્શ્વનાથનું જિનાલય બંધાવવાનો ઉપદેશ આપ્યો. ભાણજીએ સં. ૧૬૭૫માં પોતાના પુત્ર નારાયણને ત્યાં રાખી માટે જિનપ્રાસાદ બંધાવવાને આરંભ કર્યો. ભાણજીને યતિજીના મંત્રપ્રભાવથી ઋદ્ધિ પ્રાપ્ત થઈ. તેણે ચાર માળને સમતલ ભૂમિથી Page #356 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું] આ. વિજ્યદેવસૂરિ [[ ૩૧૫ ૯૮ ફૂટ ઊંચા ચૌમુખ જિનપ્રાસાદ બંધાવ્યો ભાણજીએ સં. ૧૬૭૮ના વૈદ સુવ ૫ ને સેમવારે કાપરડામાં ખરતરગચ્છના ભટ્ટા, જિનચંદ્રસૂરિના હાથે આ ચૌમુખ જિનપ્રાસાદમાં સ્વયંભૂ પાર્શ્વનાથ વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી અને તે આચાર્યના વાસક્ષેપથી સં. ૧૬૮૧ના વેવ સુર ૩ના રોજ તેને ધ્વજાદંડ, કળશ, અને ધ્વજા ચડાવ્યાં તથા સં૦ ૧૬૮૬માં સ્વયંભૂ પાર્શ્વનાથનું નવું પરિકર બનાવી ભવ્ય જિનચંદ્રસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી અને પરિકરમાં તે અંગેનો લેખ લખાવ્યું. આ જિનપ્રાસાદ ચાર માળનો ઉત્તરાભિમુખ છે. નીચે ભોંયરું છે. મંદિરમાં પાંચ ખંડ અને ચાર મંડપની એની રચનાથી એની વિશાળતા અને ઊંચાઈ અસાધારણ લાગે છે. વિસ્તાર તો તારંગાના મંદિર કરતાં વધારે જણાય છે. ત્રણે માળમાં ચૌમુખજીની રથાપના છે. નીચે ઉત્તરમાં રવયંભૂ પાર્શ્વનાથ, પૂર્વમાં શાંતિનાથ, દક્ષિણમાં અભિનંદન સ્વામી અને પશ્ચિમમાં મુનિ સુવ્રતસ્વામી બિરાજમાન છે. બીજે માળે અનુક્રમે ભ૦ ઋષભદેવ, ભ૦ અરનાથ, ભ૦ મહાવીરસ્વામી અને ભ૦ નેમિનાથ બિરાજમાન છે. ત્રીજે માળે અનુક્રમે ભ૦ નેમિનાથ, ભ૦ અનંતનાથ, ભ૦ નેમિનાથ અને ભ૦ મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે. તથા ચોથે માળે અનુક્રમે ભ૦ પાર્શ્વનાથ, ભ, મુનિસુવ્રતસ્વામી, ભ૦ શીતલનાથ અને ભ પાર્શ્વનાથ બિરાજમાન છે. આ પ્રતિમાઓમાંની સ્વયંભૂ પાર્શ્વનાથની પ્રતિમા ત્યાં પ્રગટ થઈ હતી. તે અને ભ શાંતિનાથની પ્રતિમા સંપ્રતિરાજાએ ભરાવેલી પ્રતિમાઓ જેવી પ્રાચીન જણાય છે. તપાગચ્છીચ આ. વિજયનેમિસૂરિ મહારાજે આ તીર્થને અજેનોની કનડગતમાંથી બચાવી તીર્થોદ્ધાર કરાવ્યો. સને ૧૯૭૫ના મ. સુત્ર પને બુધવારે તીર્થની સમગ્ર પ્રતિમાઓની પ્રતિષ્ઠા તેમણે કરી હતી. અહીં દર સાલ ચે સુ. ૧૫નો મેળો ભરાય છે. આ વિજ્યનેમિસૂરિના ઉપદેશથી અમદાવાદના સંઘવી શા. માણેકલાલ મનસુખભાઈએ મંદિરને ફરતી વિશાળ ધર્મશાળા બનાવી છે. (– જુઓ અમારે “જૈન તીર્થોને ઈતિહાસ પૃ૦ ૩પ થી ૩૫૪ ) Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન પરંપરાનો ઈતિહાસ { પ્રકરણ ૨. વરકાણું તીર્થ – મારવાડમાં રાણું સ્ટેશનથી ૩ માઈલ દૂર અને નાડોલથી ૬ માઈલ દૂર વરકાણા નામે ગામ છે. એનું પ્રાચીન નામ હતું વરકનકપુર અથવા વરકનકનગર. “સકલતીર્થસ્તોત્ર”માં બીજા તીર્થોની સાથે જ “અંતરિક વકાણે પાસ” એ પદ દ્વારા વંદન કરવામાં આવ્યું છે. આજે આ ગામ પડી ભાંગ્યા જેવું નાના ગામડારૂપે છે, પણ ગોલવાડ પ્રાંતની પંચાયતનું મુખ્ય સ્થાન છે. અહીં જનનું એક પણ ઘર નથી. ગામની વચ્ચે બાવન જિનાલયવાળો વિશાળ જિનપ્રાસાદ છે, જેમાં રંગમંડપ અને નવચેકીના એક થાંભલા ઉપર સં. ૧૨૨૧નો લેખ છે. એટલે આ સમય પહેલાં અહીં જિનાલય હોવાનું સ્પષ્ટ થાય છે. મૂળનાયક તરીકે ભવ પાર્શ્વનાથની ધાતુની પ્રાચીન ભવ્ય પ્રતિમા છે. અહીં માટે સં. ૧૫૪ને પ્રશસ્તિલેખ છે. મૂળનાયકનું પરિકર સં. ૧૭૦૭માં બન્યું છે. જિનાલયમાં બીજી બસે જિનપ્રતિમાઓ છે. જિનાલયના દરવાજામાં પેસતાં ડાબી બાજુના હાથી પાસે શિલાલેખ છે. તેમાં સં. ૧૬૮૬ના ૫૦ વ૦ ૮ ને શુક્રવારે મેવાડના રાણુ જગતસિંહે ભટ્ટા, વિજયદેવસૂરિના ઉપદેશથી જાહેર કર્યું હતું કે, “વરકોણમાં દરસાલ પોષ વદિ ૮ થી ૧૧ સુધી રોજ મેળો ભરાય છે તેમાં રાજ્ય યાત્રાળુનો કઈ પ્રકારનો કર ન લેવો.' અહી આ વિજયવલ્લભસૂરિ તથા તેમના શિષ્ય આ. વિજયલલિતસૂરિના ઉપદેશથી ગોલવાડના જૈન સંઘે વરકાણું પાર્શ્વનાથ જિન વિદ્યાલય ગુરુકુલ બનાવ્યું છે. (– જૈન તીર્થોને ઈતિહાસ, પૃ. ૩રર ) જનધર્મના પ્રભાવકો – ધર્મપ્રેમીઓ – ભ૦ વિજ્યદેવસૂરિ. રાણો કર્મસિંહ, રાણે જગતસિંહ. ઈડરનરેશ રાયમલજી. બાદશાહ જહાંગીર. Page #358 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ વિજયદેવસૂરિ નગરશેઠ શાંતિદાસ ઝવેરી. શેઠ શાંતિદાસ મનિયા. સં૰ તેજપાલ પેારવાડ ( સિરાહી રાજ્યના મહામાત્ય) ધનજી સૂરા ( સૂરા રતના) નથમલજી ઉતવાલ. શેઠ સવા સેામજી. સઘવણ ફૂલાંખાઈ. જય મુહણેાત. (જાલેાર રાજ્યના મંત્રી ) – તેમની પરંપરા ૧ મંત્રી જય મુહણાત ૨.. [ ૩૧૭ ૩ રાવ શિએજી – એનાં શિવજી અને સિંહજિત્ એવાં ખીજા નામેા મળે છે. સ’૦ ૧૬૨૮. તેને ત્રણ પુત્રા હતા. ૧ આસ્થાન, ૨ સેાનિગ, ૩ અજ. ―――――― ૪ આસ્થાન – તેનું અશ્વત્થા એવું બીજું નામ હતું. તેને ૧ વ્યૂહડ, ૨ રાયમલ, ૩ ધાંધલ, ૪ ચામિગ વગેરે ૧૩ પુત્રા હતા. - ૫ રાયમલ – પિતાની પછી તે રાજા થયેા. તેનું બીજુ નામ રાવમલ હતું. તેને તેર પુત્રા હતા. ( – ટાડ રાજસ્થાન ) ૬ કુહુલ માહનસિંહ – પિતાની પછી કુહુલ રાજા બન્યા. સ ૧૩૫૭. મ ડાવરમાં ગાદી સ્થાપન કરી. તેના સૌથી નાના ભાઈ તપાગચ્છના જનાચાયના ઉપદેશથી જૈન ખચેા. તેના વશો મુહણાત (ગેાત્ર)ના ઓશવાલ જૈન કહેવાયા. (- ક્ષેમસિંહ મા॰ રાઠાડ, ૮ ઓશવાલ – વાના ઇતિહાસ' પૃ૦ ૧૬ ) ૭ થી ૨૨ મુહણાત. ૨૩ સૂજા મુહણાત. ૨૪ અચલિસ’હ મુહણાત – તે સુભટસેનથી ૧૭મી પેઢીએ થયા, ૨૫ જેસાજી મુહણાત – તેને બે પત્નીઓ હતી. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] જૈન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ ૨૬ જયમલજી મુહણાત તે જેસાજી મુહણાત અને જયવંતા માતાને પુત્ર હતો. તેને સં. ૧૯૩૮ના મહા વદિ ૮ના રોજ જન્મ થયો. તેને ૧ સરૂપદેવી અને ૨ સહાગદેવી એમ બે પત્નીઓ હતી. તેને સર્પદેવીથી નેણસી, રે સુંદરદાસ, ૩ આસલણ અને સોહાગદેવીથી ૪ નરસિંહ અને ૫ જગમાલ એમ પાંચ પુત્રો હતા. જયમલ મુહણાત જોધપુરના ર૭માં રાજા રાવ સુરસિંહજી અને ૨૧માં રાજા રાવ ગજસિંહ (સં. ૧૬૭૬ થી ૧૬૮૪)ના સમયે રાજ્યના પ્રતિષ્ઠિત પદે રહ્યો હતો. તેને રાવ ગજસિંહે સં. ૧૬૯૬માં મારવાડનો દીવાન બનાવ્યો. મહારાજ ગજસિંહને જાગીરમાં સાચાર મળ્યું હતું. કચ્છને પણજી એકાએક સાચાર ઉપર ચડી આડ્યા ત્યારે જયમલ મુહણાત ત્યાં હાકેમ હતો. તેણે લડાઈ આપી કાછાઓને ત્યાંથી નસાડ્યા. પછી તે ફલધી અને જાહેરને પણ હાકેમ બન્યા. એ પછી રાવ ગજસિંહે સં. ૧૬૯૬માં પોતાનો દીવાન બનાવ્યો. મંત્રી જયમલ મુહણાત ભારે દાનેશ્વરી હતો. તેણે સં. ૧૬૮૧ના પ્ર૦ ચ૦ ૦ ૫ ને ગુરુવારે જાલોરના પર્વત ઉપર કિલ્લામાં તપાગરછના ૬૦મા ભટ્ટાવિજયદેવસૂરિના આઝાવતી મહ૦ વિદ્યાસાગરગાણીના શિષ્ય પં. (મહોર ) સહજસાગરગણીના શિષ્ય પં. (મહા) જયસાગરગણીના હાથે નવા જિનાલયની તથા ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. તેમ જ કિલ્લા ઉપરનાં ત્રણ જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યા. મંત્રી જયમલ મુહણાતે સં• ૧૬૮૬ના પ્ર. અ. (ગુજરાતી જેઠ વદ) ૫ ને શુક્રવારે ભટ્ટા વિજયદેવસૂરિના હાથે ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી. | ( – પ્રક. ૩૬, પૃ. ૨૩૧ થી ૨૩ ૩ જાલેરગઢ ) જાલોરમાં આજે શ્વેતાંબર જૈનોનાં ૨૦૦ ઘર છે. કિલ્લા અને શહેરમાં થઈને ૧૪ જિનાલયે છે. ૨૭. નેણસી મુહણાત અને સુંદરદાસ મુહણાત – આ બંને ભાઈએ શૂરવીર, લડવૈયા, દેશપ્રેમી અને ટેકીલા હતા. Page #360 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ વિજયદેવસૂરિ [૩૧૯ મુહણાત નેણુસીને સં૦ ૧૬૬૭માં જન્મ થયો હતો. તેણે સંતુ ૧૬૮૦માં ૨૨ વર્ષની ઉંમરે રાજસેવામાં પ્રવેશ કર્યો. તે જોધપુરના રાજા ૨૧માં રાવ ગજસિંહ (સં. ૧૬૭૬ થી ૧૬૮૪) તથા મહારાજા જસવંતસિંહ (સં. ૧૬૯૦ થી ૧૭૧૭)ના સમયે હતે. સેનાપતિ નેણસીએ સં. ૧૬૮૦માં મહારાજાના ઉપદ્રવીઓને ખતમ કરી તેમનાં ગામ બાળી નાખ્યાં. પછી તો તે સં. ૧૬૮૪માં ફલોપીને હાકેમ બન્યો. તેણે રાડધરના મહેચા મહેશદાસ ઉપર ચડાઈ કરી તેને કિલ્લો તથા મકાને પાડી નાખ્યાં. તેને ગામને રંજાડ કરતા રોક્યો. બીજી તરફ સુંદરદાસે સં. ૧૭૦૨માં જતવિભાગનાં ગામોને લૂંટનારા રાવત નારાયણ ઉપર ચડાઈ કરી. તેના કુકડા, કેટ, કટાણું, માંકડ વગેરે ગામ ભાંગી નાંખ્યાં. સેનાપતિ નેસીએ સં. ૧૭૦૬માં જેસલમેરના ભઠ્ઠીએાના પક્ષમાં સહાયક બની પિકરણ પરગણું ભટ્ટીઓને અપાવ્યું. બા ઔરંગજેબના પક્ષવાળા સાથે યુદ્ધ કર્યું. રાજા જસવંતે સં. ૧૭૧૪ થી ૧૭૨૩ સુધી બેસીને પોતાને દીવાન બનાવ્યો. મહારાજા જસવંતસિંહ સં૦ ૧૭૧૫માં અમદાવાદ ગયા. દીવાન નસીએ તેના હુકમથી પોકરણ ફલોધીને દબાવી બેઠેલા જેસલમેરના રાજા રાવળ સબલસિંહ ઉપર ચડાઈ કરી. પિકરણ કબજે કર્યું. તેનાં ૧૨ ગામ બાળ્યાં. અસભકોટ લૂંટયું. નેણુસીએ આવાં ઘણું યુદ્ધો કર્યા. મહારાજા જસવંતસિંહ સં. ૧૭૨૩માં ઔરંગાબાદ ગયો. દીવાન નેણસી અને સુંદરદાસ તેની સાથે હતા. સૌ કોઈ આ બે ભાઈ ની શૂરવીરતાના વખાણ કરતા હતા. - પણ ઈર્ષારોએ મહારાજાના કાન ભંભેર્યા. મહારાજા જસવંતે સં. ૧૭૨૩ના પો. સુત્ર ૯ ને રોજ બંને ભાઈઓને કેદ કરી લીધા ને સં. ૧૭૨૫માં છેડી દીધા. પણ એક લાખ રૂપિયાનો દંડ કર્યો. બંને ભાઈઓએ દંડનો એક પેસે પણ આપવાને ઈન્કાર કર્યો. (- મેગલ ઈતિહાસ, પૃ. ૧૮૯) Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ભાટે કહે છે કે – “લાખ લખારો નિપજે, ખરૂ બડ પીપલડી સાખ; નટી મૂત નેણસી, લેબોરણ તત્વક. ૧ લેસે પીપલ લાખ, લાખ લખારા લાવતી; લાં દેણ તલાક, નટીયા સુંદર નેણશી. ૨” આથી મહારાજાએ બંને ભાઈઓને ફરી કેદ કરી ઔરંગાબાદથી જોધપુર મેકલી દીધા. રરતામાં સિપાહીઓએ બંને ભાઈઓને બહુ ત્રાસ આપ્યો. આથી બંને ભાઈઓ સં. ૧૭૨૭ના ભાવે વ૦ ૧૩ (ગુજરાતી આ વદિ અમાસ) ફૂલપરી ગામમાં પિતાના હાથે જ પેટમાં કટાર કી મરણ પામ્યા. આથી મહારાજાની બહુ બદનામી થઈ દીવાન નેણસી બહુ બહાદુર હતો. તે કવિ પણ હતો. ઈતિહાસપ્રેમી હતો. આથી તેણે ભાટ, ચારણ પાસેથી કછાવા, રાઠોડ, પરમાર, સિસોદિયા, પડિહાર, ચૌહાણ, સેલંકી, ચાવડા, જાડેજા, ભટ્ટ વગેરે રાજપૂતવશેની પ્રધાન શાખાઓ તથા પ્રસિદ્ધ કમેન ઈતિહાસ મેળવી “મૂતા નેણસીરી ખ્યાત” નામે મોટો ઇતિહાસગ્રંથ ઢે છે, જે ગ્રંથને કાશીની નાગરીપ્રચારિણી સભાએ હિંદી ગ્રંથના સંપાદન વિભાગ તરફથી પ્રકાશિત કર્યો છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વપ્રેમી પં. ગૌરીશંકર ઓઝા નેણસી મુહણાત અને તેના ઈતિહાસ પ્રેમથી ખુશ થઈ તેને મારવાડને અબુલફજલ કહીને નવાજ્યો છે. (પૃ. ૧૯૩) કવિ નેણસી અને કવિ સુંદરદાસે પિતાની દુઃખદ અવસ્થામાં વેદના સહન કરતાં સુંદર શબ્દોમાં કાવ્યો ઉચ્ચાર્યા છે. તેને નમૂને આ છે – “નેણસી દહાડે જિતરે દેવ, દહાડે વિન નહી દેવ રે, સુરનર કરતાં સેવ, નેડા ન આવે નેણુસી. ૧. સુંદરદાસ નર પે નર આવ્યા નહીં, આવા નહી ધનપતિ, સે દિન કેળવી છાણીએ, કહે તે સુંદરદાસ. ૨. Page #362 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું]. આ૦ વિજયદેવસૂરિ [૩૨૧ નેણસી મુહણાતને ૧ કરમશી, ૨ વેરશી અને ૩ સમરસિંહ એમ ત્રણ પુત્રો હતા. ૨૮. કરમસી વગેરે– આ ત્રણે ભાઈ એ રાજસેવામાં દાખલ થયા. મહારાજા જસવંતસિંહે એ ત્રણે ભાઈઓ તથા સુંદરદાસના પુત્રને પણ કેદમાં નાખ્યા. દીવાન નેણસી અને સુંદરદાસના મરણ બાદ તેમને છોડી દીધા. આથી તે બધા જોધપુરને પ્રદેશ છોડી નાગર જઈ વસ્યા અને રાવ રામસિંહની સેવામાં દાખલ થયા. રાવ રામસિંહ તે સં. ૧૭૩૨માં દક્ષિણના સેલાપુરમાં યે ત્યારે કરમસીને સાથે લઈ ગયો હતો. તે રાજા સં. ૧૭૩૨ના અષાડ વદિ ૧૨ના રોજ અચાનક બીમાર પડ્યો અને ચાર ઘડીમાં જ મરણ પામ્યો. તેની દવા ત્યાંને હિંદુ વિદ્ય કરતો હતું, જે માત્ર મરાઠી કે ગુજરાતી ભાષા જાણતો હતો. રાજાના કર્મચારીએ તેને પૂછયું: “મહારાજાનું અચાનક મરણ કેમ થયું ?” વૈદ્ય કહ્યું : “કરમાને દેષ છે.” (કર્મને દોષ છે. ) પણ કર્મચારીએ એ ઉત્તરનો સાર એ કાઢયો કે, “કરમસી, મુહeતે ઝેર આપવાથી રાજાનું મરણ થયું છે.” આમ માની કર્મચારીએ કરમસી મુહણાતને જીવતો દીવાલમાં ચણ દીધો. ૨૯. સામંતસિંહ અને સંગ્રામસિંહ મુહણત – રામસિંહના પુત્ર રાવ ઇંદ્રસિંહે કરમસી મુહણાતના પુત્ર પ્રતાપસિંહ મુહણાત તથા તેના કુટુંબના ઘણાને ઘાણીમાં પિલાવી મારી નાખ્યા. આમ બનવાથી કરમસી મુહતની સ્ત્રીઓ પોતાના પુત્ર સામંતસિંહ અને સંગ્રામસિંહને લઈને નાસી અને કિસનગઢ જઈને વસી. પછીથી તે બધાં બિકાનેરમાં જઈ વસ્યાં. જોધપુરનો ૨૩ અજિતસિંહ (સં. ૧૭૫૧ થી ૧૭૮૧ સુધી) રાજા થયે. તેણે સામંતસિંહ અને સંગ્રામસિંહને જોધપુર લાવી વસાવ્યા, તેમને નોકરી આપી ને જાગીર આપી. ૩૦. ભગવતસિંહ મુહણેત. સવાઈરામ, સવાઈકરણ, શુભકરણ, ત્તિકરણ મુહણાત. ૩૧. સુરતરામ મુહણેત – તેને જોધપુરના ૨૬માં મહારાજા વિજય Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ સિંહ રાઠેડે (મૃત્યુ સં. ૧૮૫૦) સં. ૧૮૨૦માં મારવાડને દીવાન બનાવ્યા, જાગીર આપી અને મુસાહબ બનાવી “રાવ” પણ બનાવ્યા. ૩૨. જ્ઞાનમલ મુહણાત – તે જોધપુરના રાજા વિજયસિંહ, ભીમસિંહ અને માનસિંહને ઉચ્ચ પદાધિકારી હતો. માનસિંહને પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર હતો. ૩૩. નવલમલ મુહણાત– તે રાવ માનસિંહનો માનીતો હતો. તેણે સં. ૧૮૬૧માં સિરોહીના રાવ વરરાવને જીતવા મોકલ્યા હતો. નેણસી મુણેતના વંશજો હાલ કિસનગઢ, જોધપુર અને માળવના મૂલથાણુમાં મેટી સંખ્યામાં છે, જે ત્યાં જાગીરદારો તથા રાજમાન્ય અધિકારીઓ છે. ઓશવાલનાં વિવિધ ગાત્રો અને શાખાઓ – ૧ માલાણી ૧૨ લાંગા ૨૩ છડિયા ૨ (ચૌહાણ) ૧૩ રામસેની ૨૪ સામડા ૩ નીલખા ૧૪ ઝામડ ૨૫ શ્રીશ્રીમાલ ૪ ભૂતેડિયા ૧૫ ઝબક ૨૬ દૂધડ ૫ પીપાડા ૧૬ છજલાણી ૨૭ સૂરિયા ૬ સિસોદિયા ૧૭ છડાણી ૨૮ મિહા ૭ હીરણ ૧૮ હીરાઉ ર૯ જેધડ ૮ ગેગડ ૧૯ કેલાણ ૩૦ નક્ષત્ર ૯ રૂવાલ ૨. ગેખરુ ૩ નહાર ૧૦ વેગણું ૨. ચૌધરી ૩૨ પડિહાર ૧૧ હીંગડ ૨૨ રાજવહારા ૩૩ ઝડિયા (- ક્ષેત્ર માઇ રાઠેડને “એ શવાલનો ઈતિહાસ' પૃ. ૧૬૯, ૧૭૦. વધુ માટે જુઓ પ્રક. ૪, ૫૦ ૫૯) મુહણેત વંશ – શત્રુંજય તીર્થમાં વિમલવસહીમાં પહેલી ટ્રકમાં મુહeતગોત્રના એશવાલેએ ઘણાં જિનાલય બનાવ્યાં છે તેમ જ www.jainelibres-org Page #364 -------------------------------------------------------------------------- ________________ સાઈટમું ] આ૦ વિજયદેવસૂરિ [ ૩૨૩ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી છે. તે આ પ્રકારે જાણવા મળે છે– ૧. હાથીપળ પાસે પીપળાના ઝાડ નીચે વાઘણનું સ્થાન છે. તેની પાસે ભ૦ આદીશ્વરનું દેરું છે, જેને રતલામના મુહeતે સં ૧૮૮૬ના મ. સુન ૫ ને શુક્રવારે બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેની પાસે પટવાનું દેરું છે. ૨. વિમલવસહીમાં ભ0 આદીશ્વરનો જિનપ્રાસાદ છે, જેમાં ૧૪ પ્રતિમાઓ બિરાજમાન છે. મુહતગેત્રના વિશા ઓશવાલજ્ઞાતિના ૧ શા. દેયાચંદ, ૨ શા. મયાચંદ. ૩ શા. ખેમચંદ અને ૪ શા. જીગજીવનદાસે પોતાના પરિવાર સાથે સં૧૮૬૦ના વૈ. સુ. ૫ ને સેમવારે આ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. ૩. વિમલવસહીમાં ઘણુ થાંભલાવાળે ચોતરો છે. ત્યાં ચૌમુખઅને જિનપ્રાસાદ છે, જેમાં ભ૦ મહાવીર, ભ૦ ધર્મનાથ, ભ૦ ઋષભદેવ અને ભ કુંથુનાથની ચૌમુખ મૂર્તિઓ બિરાજમાન છે. જોધપુરના મુહણાત વીશા શ્રીમાલી જયમલે સં૦ ૧૬૮૬ ના જે. વ૬ ૫ (હિંદી– પ્રથમ અષાડ વદિ ૫)ને શુક્રવારે આ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલ છે. આ ચૌમુખ જિનાલયની પાસે ભવ ધર્મનાથનું જિનાલય છે, જેમાં બાદશાહના પરિવારની મૂર્તિ બિરાજમાન છે. ૪–૫. ભઆદીશ્વરની ટ્રકમાં એટલે પુંડરીક પોળની ભમતીમાં ભo ધર્મનાથની બે દેરીઓ છે, જેમાં મુહણાત જયમલે સં. ૧૬૮૩ માં અંજનશલાકા કરેલી જિનપ્રતિમાઓ બિરાજમાન છે. ૬. પુંડરીક પિળની પહેલી પ્રદક્ષિણ પૂરી થતાં ભ૦ વિમલનાથની દેરી છે, જેમાં જેસાજી મુહણાતના પુત્ર જયમલ મુહણેતે સંa ૧૬૮૬ના પ્રથમ અષાડ વદિ ૫ ના રોજ ભરાવેલી જિનપ્રતિમા છે. આ દેરીમાં બીજી પણ પાંચ જિનપ્રતિમાઓ છે. (-શત્રુંજય ફરમ–મોટું વર્ણન) શ્યામાચાર્યની પરંપરાના કાલિકાચાર્યગચ્છ–શાંડિલ્યગરછના દશમી સદીના ભાવાચાર્ય ગચ્છના આ ભાવદેવસૂરિના ઉપદેશથી સં૦ ૯૧૨માં Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ માં બાઠિયાગાત્ર થયું. તેમાંથી સં. ૧૩૪માં કવાડશાખા નીકળી તથા સં. ૧૬૩૧માં શાહશાખા અને સં. ૧૯૭૧માં હરખાવતશાખા નીકળી. (- પ્રક. ૩૪, પૃ. ૫૫૬) કુહાડગેત્ર વંશ વિશા ઓશવાલ–શત્રુ જય તીર્થમાં વિમલવસહીમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા છે, જેને મેડતાના કુહાડ ગેત્રના ઓશવાલ શા. હરખચંદ ભાર્યા મનરંગદેવના પુત્ર ૧ નેમિદાસ, ૨ શામલદાસ, ૩ વિમલદાસે ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા સં૦ ૧૬૮૩ના જેવ૦ ૫ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરાવી હતી. (–શત્રુંજયતીર્થ મોટું વર્ણન પા૦ ૩૨) પુંડરિક પિળમાં મેટા દેરાસરના દક્ષિણ બારણે સહસ્ત્રકૂટ છે. તેને આગરાના કુહાડગોત્રના વિશા ઓશવાલ શા. વર્ધમાન ભાર્યા વહાલબાઈના પુત્રે ૧ માનસિંહ, ૨ થાનસિંહ, ૩ રાયસિંહ, ૪ કનકસિંહ તથા ૫ ઉગ્રસેન, ઋષભદાસ, જગતસિંહ, જીવણદાસ પ્રમુખ પરિવાર સાથે રાયસિંહે સં. ૧૭૧૦ના જે. સુત્ર ૯ ને ગુરુવારે પ્રતિષ્ઠા કરાવી. વિમલવસહીના ભ૦ ધર્મનાથના દેરાસર પાસે ભ૦ પદ્મપ્રભુનું અને તેની પાસે ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરું છે. આ વિમલવસહીનું છેલ્લું દેરું છે. નાડેલગેત્રના વિશા ઓશવાલ ભંડારી દીપાજી, તેના પુત્ર ભંડારી પ્રેમસિંહજી, તેના પુત્ર ભંડારી ઉદયકરણજી (ભાર્યા ઉદયવંતી) પુત્ર ભંડારી મહામંત્રીએ ગુજરાતમાં અમારિ પ્રવર્તાવી. શેઠ જગમલ ઉછતવાલ– જોધપુરમાં રાઠોડવંશના રાજાએ આ પ્રકારે થયા હતા. ૧. મલદેવ, ૨ ઉદયસિંહ (બાદશાહ અકબરને માનીતે વૃદ્ધરાજ) ૩ સૂરસિંહ– તેણે રામરાજ્ય પ્રવર્તાવ્યું. તે માટે દાની હતો. તેણે પિતાના રાજ્યમાં ૭ કુવ્યસને નિવાર્યા, અમારિ પ્રવર્તાવી તથા Page #366 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું] આ૦ વિજ્યદેવસૂરિ F૩૨૫ જિનપૂજા માટે ખરચ આપ્યો. ૪. ગજસિંહ યુવરાજ ૧ જગમલ – મેડતાથી નૈઋત્ય ખૂણામાં ૧૪ માઈલ દૂર રહેલ કિર્કિંધા (કેકિંદ)ને વતની હતો. ઉછતવાલ ગાત્રને ઓશવાલ હતે. ધનાઢય હતો. જૈનધમી હતો. ભટ્ટા, હેમલવિમલસૂરિના શિષ્ય પં. વાર્ષિગણ (પં. વિજયવિમલ)ના શિષ્ય ઉપાય વિદ્યાધરવાચકનો એ શિષ્ય હતો. તેણે તેમની પાસે ૩૨ વર્ષની ઉંમરે જોધપુરમાં ચોથું વ્રત સ્વીકાર્યું હતું. ૨ નથમલ – તે પુણ્યાત્મા હતા. મેદાની હતે. રાજમાન્ય હતે. તેને ગુર્જરદે નામે પત્ની હતી, જે ઘરકાર્યમાં પ્રવીણ હતી. તે સુશીલ અને દેવ-ગુરુ-ધર્મમાં ભક્તિવાળી હતી. ૩ નાપાજી–તે લોકપ્રિય હતો. ધમ હતો. તેને નવલદે નામે પત્ની હતી. તેમને ૧. આશરાજ (પની સરૂપાદેવી), ૨. અમૃત (પત્ની સૌલિકાદેવી) ૩. સુધર્મ (પત્ની ધારકા), ૪. ઉદય (પત્ની ઉછરંગદેવી) અને ૫ શાર્દુલ એમ પાંચ પુત્રો હતા. આશરાજને ૧ વીરમ અને ૨ જીવરાજ એમ બે પુત્રો હતા. અમૃતને ૧. મનહર અને ૨. વર્ધમાન પુત્રો હતા. શેઠ નાપાએ ઉપર બતાવેલા પોતાના પરિવાર સાથે સં. ૧૬૫માં શત્રુજતીર્થની યાત્રા કરી. સં. ૧૬૬૪માં આબુ, રાણકપુર, નાડલાઈ અને શિવપુરી ( સિરોહી)ની યાત્રા કરી. શેઠ નાપા અને શેઠાણી નવલદેએ સં. ૧૬૬૬ના ફારુ શુ. ૩ના રોજ ચેાથું વ્રત સ્વીકાર્યું ત્યારે મોટો મહોત્સવ કરતાં ઘણું ખરચ કર્યું હતું. આ રીતે શેઠ નાપામાં દાન, શીલ અને પરોપકાર એમ ત્રણે ગુણેને મહાગ હતો. શેઠ નાપા જાતમહેનતથી ન્યાયસંપન્ન વૈભવશાળી હતા. તેનું ફળ લેવા કેકિંદનગરમાં સં૦ ૧૬૬૫માં સલાટ તેડર પાસે ભ૦ આદિનાથને ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યા. તેમાં મેટે મંડપ અને બંને બાજુએ બે ચોકીઓ બનાવી. ભટ્ટા, વિજયસેનસૂરિના પટ્ટધર બ૦ વિજયદેવસૂરિ ઉછતવાલ ગેત્રના ઓશવાલવંશના શણગાર હતા. Page #367 -------------------------------------------------------------------------- ________________ ક૨૬ ] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ તેમની આજ્ઞાથી પધારેલા ઉપાય લધિસાગરણના હાથે પ્રતિષ્ઠા કરાવી. મહાપંડિત પં. વિજયકુશલગણુના શિષ્ય પં૦ ઉદયરુચિ ગણુએ તેની ૪૬ કલેકપ્રમાણ પ્રશરિત રચી અને પં. સહજસાગર ગણી શિષ્ય ૫૦ જયસાગરે તેને શિલા ઉપર લખી અને તેને સલાટ તેડરે શિલા ઉપર ઉત્કીર્ણ કરી. (– પ્રા. જે.સં ભા ૨, લે નં. ૩૭૭) શેઠ સૂરા રતના, શેઠ ધનજી સૂરા – અમદાવાદના શા. સૂરાના પુત્ર શા. ધનજીએ સં. ૧૭૧૨ના માગશરમાં અમદાવાદમાં આઠ હજાર મહમ્મદ ખરચી ભટ્ટાવિજયદેવસૂરિનો વંદના મહોત્સવ કર્યો ત્યારે આ૦ વિજ્યપ્રભસૂરિને ભટ્ટારક પદવી આપી. શેઠ શિવા સમજી – અમદાવાદની ધના સુતારની પિાળના સં૦ જોગીદાસની દશા પોરવાડ પની જસમાદેને એમજી મામે પુત્ર હતો. મહો. ક્ષમાકલ્યાણજી “ખરતરગચ્છની પટ્ટાવલીમાં” લખે છે કે શિવા અને સમજી તે બંને ભાઈઓ હતા. તેઓ ચીભડાને વેપાર કરતા હતા. ભ૦ જિનચંદ્રસૂરિની કૃપાથી ધનવાન બન્યા. કિંવદંતી એવી મળે છે કે શિવા સૌરાષ્ટ્રનો વેપારી હતા. તેણે વિપત્તિમાં અમદાવાદના શેઠ સામજી ઉપર રૂા. ૬૦૦૦૦ સાઈઠ હજારની હુંડી લખી મોકલી. તેમાં તેની આંખનાં આંસુનાં ટપકાં પડ્યાં હતાં. શેઠ સમજીએ તેને ભારે આબરદાર વ્યક્તિ હશે એવું અનુમાન કર્યું, આ વ્યાપારી વિપત્તિમાં આવીને ફસાઈ ગયા લાગે છે એમ સમજી તેની હુંડી સ્વીકારી ૧. આ મુનિચંદ્રસૂરિ (સં. ૧૧૩૯ થી ૧૧૭૮ ના શિષ્ય આ અજિતવિસરિ તથા શેઠ ધાંધલે સં૦ ૧૧૯૧માં જીરાવલતીર્થ સ્થાપન કર્યું. આ વાદિદેવસૂરિએ અને શેઠ પારસદાસે કલોધીતીર્થ સં. ૧૨૦૪ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે સ્થાપન કર્યું. આ મુનિચંદ્રના સગાઓમાં ગુરભાઈ આ૦ આનંદ થયા. આ૦ આનંદે સં૦ ૧૨૩૦ ના અષાડ સુદિ ૯ને રેજ કિકિધામાં શેઠ ધાંધલના વંશજોએ બનાવેલ વિધિચત્યની પ્રતિષ્ઠા કરી. (-પ્રા૦ જે. લે. ભા. , લે. નં. ૩૭૮) Page #368 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ વિજયદેવસૂરિ [૩૨૭ લીધી. તેના લેણદારને રૂા. ૬૦૦૦૦ સાઈઠ હજાર ગણું આપ્યા. થોડા દિવસ પછી શિવાને વેપારમાં ધન આવતું ગયું. ત્યારે તે શેઠ સમજીને અમદાવાદ રૂા. ૬૦૦૦૦ સાઈઠ હજાર આપવા આવ્યો. શેઠ સમજીએ તેને સાધર્મિક સમજ આપત્તિમાં આપેલી એ રકમને તેના ખાતે ઉધારી નહોતી, પણ સાધાર્મિકની મદદ ખાતે લખી હતી. આથી તે રકમ પાછી લેવા શેઠ સામજીએ ના પાડી. શિવાએ રકમ આપવા હઠ પકડી. પંચે ન્યાય કર્યો કે, “આ રકમનું બનેના નામથી મેટું જિનાલય બનાવવું. એવું કહેવાય છે કે, પછી શત્રુ તીર્થ ઉપર નવમી ટૂક શેઠ શિવા સમજીની બની. કેઈ કહે છે કે, અમદાવાદમાં ભ૦ શાંતિનાથનું મંદિર બન્યું ત્યારથી બંને ભાઈઓ-મિત્રો બન્યા અને સાથે સાથે જ ધર્મકાર્યો કરતા રહ્યા. તેમણે કરેલાં ધર્મકાર્યોની નેધ આ પ્રકારે જાણવા મળે છે– ૧. સંઘવી જોગીદાસ અને સંવ સમજીએ સં. ૧૬૪૪માં ભટ્ટા. વિજયચંદ્રસૂરિની અધ્યક્ષતામાં શત્રુંજય તીર્થને છરી પાળતો સંઘ કાઢ્યો. તેમાં રૂા. ૩૬૦૦૦ છત્રીસ હજાર ખરચ્યા. ૨. સં. ૧૯૫૭માં અમદાવાદમાં ભટ્ટા. વિજયચંદ્રસૂરિના હાથે ભ૦ આદીશ્વર જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી. ૩. તેમણે જુદા જુદા તીર્થોના યાત્રાસંઘે કાઢયા, નવાં જિનાલયો બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યા, પ્રતિષ્ઠા કરાવી, મુનિવરોને પદવીએ અપાવી ઉત્સવ કર્યા, સાધર્મિકવાત્સલ્ય કર્યા, લહાણીએ વહેચી ગ્રંથોની પ્રતિએ લખાવી. ૪. અમદાવાદમાં ધના સુતારની પળમાં શિવા શોમ જીની પળમાં ભગઆદિનાથનું જિનાલય ભવ જિનચંદ્રસૂરિની ચરણપાદુકા. ૫. અમદાવાદના ઝવેરીવાડના ચૌમુખજીની પિળમાં ભ૦ શાંતિનાથનું ચૌમુખજીનું મંદિર (જેનો જીર્ણોદ્ધાર શ્રી. મોહનલાલ મગનલાલ ઝવેરીએ સં. ૧૯૨૦માં કરાવ્યા.) ૬. અમદાવાની હાજા પટેલની પોળમાં ભ. શાંતિનાથનું Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જિનાલય. ૭. સં. શિવા સમજીએ શત્રુંજય તીર્થમાં શિવા સમાજની ટ્રક અને ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યા, તેમાં ૫૮ લાખ રૂપિયા ખરચ્યા. આ ટ્રક પાસે ખરતરવસહીનાં નાનાં નાનાં જિનાલય બન્યાં. શેઠ સમજીના મરણ પછી તેમના પુત્ર રૂપજીએ સં. ૧૯૫૭ માં ભટ્ટાવિજય રત્નસૂરિ, ભ૦ જિનસાગરસૂરિના હાથે શિવા સમજની ટૂંકની પ્રતિષ્ઠા કરાવી હતી. (–પ્રક. ૪૦, ૫, ૪૮૯, ૪૯૪) સંવે રૂપજીની પરંપરામાં છેલ્લા શેઠ બાલાભાઈ સાંકળચંદ થયા હતા. (–યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ. ૨૪૦) સંઘવણ ફૂલબાઈ – તે ખંભાતની વતની હતી. સુખી હતી, દાની હતી. સમ્યકત્વ સાથે બાર વ્રતની ધારક શ્રાવિકા હતી. તે જ ગુ. આ૦ હીરવિજયસૂરિ, ભટ્ટા. વિજયસેનસૂરિ, ભ૦ વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિની ભક્ત-ઉપાસિકા શ્રાવિકા હતી. તેણે શત્રુ જ્ય, ગિરનાર વગેરે જૈન તીર્થોના છ'રી પાળતા યાત્રાસંઘે કાઢ્યા હતા. તેથી તેણે સંઘપતિનું તિલક કરાવી “સંઘવણ” બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેણે સં૧૭૦૫ના વૈ૦ સુ0 રના રોજ ખંભાતમાં મેટા મુનિ પરિવાર સાથે પધારેલા ભટ્ટા. વિજયદેવસૂરિ આ૦ તથા વિજયસિંહસૂરિને “વિવાગસુર” તથા “અણુત્તરોવાઈ સુર”ની પ્રતિએ વહેરાવી. (-ભાંડારકર ઈ-સ્ટીટયટ-પૂના પ્રશસ્તિસંગ્રહ ભા. ૧, પ્ર નં ૭૯૦) તેણે સં. ૧૭૧૦ના વૈ૦ સુઇ ૩ના રોજ ખંભાતમાં પિતાને ભણવા માટે “ઉપદેશમાલા” લખાવી. (શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્ર. નં. ૭૯૮) દુકાળે–ગુજરાતમાં સં. ૧૬૨@ી ૧૬૩૨ એમ ચાર વર્ષો સુધી દુકાળ પડ્યો હતો. સં. ૧૬૩૩માં સુકાળ થયો. શત્રુંજયતીર્થ ચાર વર્ષ સુધી ઉજજડ બની રહ્યું. www.jainelibraryorg Page #370 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું ] આ૦ વિજયદેવસૂરિ [ ૩૨૯ વળી, આ અરસામાં સં૦ ૧૬૬૧, સં. ૧૬૮૬, સં. ૧૭૦૨, સં. ૧૭૦૫, સં. ૧૭૧૫ અને સં. ૧૭૨૦માં ગુજરાત, મેવાડ, મારવાડ, મેવાતમાં મોટા દુકાળ પડ્યા ત્યારે ભટ્ટા વિજયદેવસૂરિ, આ. વિજયસિંહસૂરિ, ભવ્ય વિજયપ્રભસૂરિ, ભ૦ વિજયાનંદસૂરિ વગેરેના ઉપદેશથી મંત્રી જયમલ મુહાત, શેઠ શાંતિદાસ ઝવેરી, શેઠ શાંતિદાસ મનિયા અને શેઠ વજિયારાજિયા વગેરે જૈન મહાજનોએ પ્રજાને અનાજ-પાણી કપડાં વગેરે વિવિધ પ્રકારની મદદ આપી હતી ત્યારે સોરઠમાં દુકાળની અસર થઈ નહોતી. શેઠ વજ્યિા –રાજિયા પારેખે સં. ૧૬૬૧ના દુકાળમાં ચાર હજાર મણ અનાજ આપી ઘણુ માનવ-કુટુંબોને બચાવ્યાં હતાં. મંત્રી જયમલ મુહણેતે સં૦ ૧૬૮૬ના દુકાળમાં સૌને મેટી મદદ આપી હતી. (- પદાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણું પૃ૦ ૭૭૩) નવું નવું – ભટ્ટા. વિજયદેવસૂરિ તથા આ. વિજયસિંહસૂરિ એવા જૈનાચાર્યોના ઉપદેશથી વિકમની ૧૭–૧૮મી શતાબ્દીમાં વિવિધ, આકર્ષક, પ્રશસ્ય, કલામય વસ્તુઓનું નિર્માણ કર્યું છે તે આ પ્રમાણે છે – ૧ ચેત્યાલય – પાટણના મણિયાતીપાડામાં શેઠ લલ્લચંદ મગનલાલ દાંતીના ઘરમાં બારીક કેરણવાળું લાકડાનું સુંદર જિનાલય છે. તેમાં ભ૦ ઋષભદેવની સ્ફટિકારત્નની બનેલી પરિકરવાળી જિનપ્રતિમા છે. તેના પરિકર ઉપર પડીમાત્રામાં સંસ્કૃત ભાષામાં ભ૦ વિજયદેવસૂરિનાં લેખ નીચે મુજબ છે – ___ " संवत् १६७३ वर्ष पौषकृष्ण पञ्चमी शुक्र श्रीपत्तननगरवास्तव्यवृद्धशाखायां श्रीमालीज्ञातीय दोधनजीभार्यामरघाइसुतदोसतोषीकेन भार्यासहगलदेप्रमुखकुटुम्बयुतेन स्वश्रेयसे श्रीऋषभदेवपरिकरः कारितः प्रतिष्ठितश्च तपागच्छे भट्टारकपुरन्दर भट्टारकत्रीविजयहीरसूरीश्वरशिष्य-भट्टारक श्रीविजयसेनसूरीश्वरपट्टाल कारहारानुकारि भट्टारकप्रमु भट्टारकश्रीविजयदेवसूरिभिरिति भदम् ॥" (- પ્રા. જે. લે. ભા. ૨, ૯૦ નં૦ ૩૨૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ જૈન પર ંપરાને ઇતિહાસ [ પ્રકરણ સૌંસ્કૃત સાહિત્યમાં કમલદલછત્ર વગેરે શબ્દાલંકારવાળાં પદ્યો મનાવાય છે. શીઘ્રકવિ ૫ હેવિજયગણીએ આવાં કેટલાંક પદ્યો રચ્યાં છે. & ' ] ૩૩૦ આ વિજયસિંહસૂરિએ એ કાવ્યકલામાંથી શિલ્પકલાને જન્મ આપ્યા હતા. શબ્દનિક્ષેપેામાંથી સ્થાપના નિક્ષેપેા જન્માવ્યા હતા અને સમવસરણ તૈયાર કરાવી તેમાં તીર્થંકરાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે આ પ્રકારે. ૧. ભટ્ટા॰ વિજયદેવસૂરિએ અને આ વિજયસિંહસૂરિએ સ૰ ૧૬૮૫ના અષાઢ વ૦ ૪ ને ગુરુવારે શિરેાહીમાં સં॰ પૂજા પારવાડના પુત્ર મંત્રી તેજપાલના ભ॰ પાર્શ્વનાથના સમવસરણ કમલદલની પ્રતિષ્ઠા કરી હતી. તેના શિલાલેખ આ પ્રકારે હતેા શિરાહીમાં ભ॰ અજિતનાથના મંદિરમાં સમવસરણ કમલકુલ સહિત છે. તેના લેખ આ પ્રકારે છે - " श्री पार्श्वनाथ समवरण कारितम् । शा. तेजपालनाम्ना संवत् १६८५ आषाढ वदि ४ गुरौ श्रीसिरोही वास्तव्य प्राग्वाट ज्ञातीय सा. पूञ्जा भार्या उछरङ्गदेपुत्र सा. तेजपाल तत्पुत्र... वसता वर्धमान पौत्र धर्मदास ऋषभदास कुटुम्बयुतेन स्वश्रेयस श्री पार्श्वनाथ समवसरण का । प्रतिष्ठित तपागच्छे भ श्री तपागच्छे भ० श्री विजयसेन सूरिपट्टे भ० विजयदेवसूरिभिः आचार्य श्री विजयसिंहसूरि प्रमुख परिवार परिवृतैः ॥ " こ સિરાહીનાં વિવિધ માંદેરો તથા લેખ વગેરેના ફાટાએ ‘જૈનયુગ ’ નવુ' વર્ષ: ૩, અંકઃ ૩માં પ્રકાશિત થયા છે. ૨. પાલીના જિનપ્રાસાદમાં ૨૪ તીર્થંકરાનું કમલસહિત સમવસરણના લેખ આ પ્રકારે છે - ---- 66 ' स ंवत् १७०० वर्षे माघसितद्वादश्यां बुधे श्रीयेोधपुर वास्तव्य - ओसवाल ज्ञातीय मुहणे तगात्रे जयराज ( जयमल ) भार्यामनोरथदे पुत्रसुभा पु० ताराचन्द - भोजराजादियुतेन श्री शीतल पार्श्व-वीर Page #372 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું] આ૦ વિજયદેવસૂરિ [૩૩૧ નૈમિતિ-ર્તાિક વિંશતિ વિજ્ઞવિશ્વ વિનિતર વશ ચતુર્થ शातजिनकमल कारित प्रतिष्ठित तपागच्छे भट्टारक श्री विजयसि हसूर निदेशात् ३० सप्तमचन्द्रगणिभिः ॥ (– પ્રા. . લેભા. ૨, લેટ નં. ૩૯૦) ઉપરના બંને આચાર્યોની આજ્ઞાથી ઉપાટ સપ્તમચંદ્રગણીએ સં. ૧૭૦૦ના મહા૦ સુ. ૧૨ ને બુધવારના રોજ પાલીમાં મંત્રી જયમલ મુહeતે ભરાવેલ ભગવાનના સમવસરણ કમલદલની પ્રતિષ્ઠા કરી. પહાડી ઉપર જિનપ્રાસાદ– ઈડરને પરિચય અગાઉ આપવામાં આવ્યા છે. ભટ્ટાવિજયદેવસૂરિની જન્મભૂમિ ઈડર છે. આથી ઈડરના રાજાઓ તેમની પ્રત્યે વિશેષ ભક્તિવાળા હતા. ભ. વિજ્યદેવસૂરિએ સં. ૧૬૮૧-૮૨માં ઈડરમાં સહજૂએ કરેલ ઉત્સવમાં આ૦ વિજયસિંહસૂરિને આચાર્ય બનાવ્યા. ભટ્ટા, વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિએ સં. ૧૬૦૪માં ચોમાસું કર્યું અને સં૦ ૧૬૫માં ઈડરમાં પાટણની શ્રાવિકા અવંતીએ કરાવેલ જિનપ્રતિમાના પ્રતિષ્ઠા ઉત્સવમાં ૬૪ ઇદ્રોના જન્માભિષેક વગેરે મેટે જન્મોત્સવ ઊજવાયે. ઈડરના રાજા રણમલે ભ૦ વિજયદેવસૂરિના નામ ઉપરથી ઈડરની પહાડી ઉપર રાજમહેલની ઉપરના ભાગમાં મેટો જિનપ્રાસાદ બનાવી તેની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. તેની પાસે જ “રણમલચાકી” પણ બનાવી હતી. ૪. ગ્રંથભંડાર – પાટણના જૈને સુરતમાં જઈ વસ્યા તે જ્યારે પાટણમાં આવે ત્યારે સુરતવાળા તરીકે ઓળખાતા હતા. તે પૈકીના શા મહીપા જૈનના કુટુંબના શા- રત્નો...તથા દોશી સમાચા ઓસવાલના વંશના દો. ઉદયસિંહની પત્ની મરઘા વગેરે સં૦ ૧૬૭૨ના પોષ સુ ૨ ને મંગળવારે ઘણું જિનાગમે તથા ઘણુ ગ્રંથ લખાવ્યાં હતાં. (– શ્રી. પ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨, ન૦ ૭૦૯ થી ૭૧ ૪) Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] જૈન પરંપરાગૈા ઇતિહાસ [ પ્રકરણ પ. સહસ્રાંકકૂટ – આ॰ વિજયસિ’હસૂરિએ જન જગતને સહસ્રાંકફ્રૂટનું નવું વિધાન આપ્યું હતું. સહસ્રાંકફ્રૂટમાં એકી સાથે ૧૦૦ થી વધુ જિનપ્રતિમા બનાવાય છે. તેની સંખ્યા એ પ્રકારે મળે છે. (૧) દસ ક્ષેત્રાની ત્રણ ચેાવીશીના ૭૨૦ + દશ ચાવીશીના પાંચ-પાંચ કલ્યાણકા ૧૨૦ + ઉત્કૃષ્ટા જિન ૧૬ + વિરહરમાન જિનના ૨૦ + શાશ્વતજિન ૪= ૨૦૧૪. (૨) ૧૦૨૪ ત્રણ સહસ્રકૂટા પ્રસિદ્ધ છે. આ વિજયસિંહસૂરિ સં૦ ૧૭૦૧માં મેડતામાં ચામાસુ હતા ત્યારે તેમણે મેડતાના વતની વીશા એશવાલ કુહાડ ગાત્રના શા વમાનની પત્ની શ્રી. વહાલદના પુત્ર રાયસંહ જૈન આગરામાં વેપાર કરતા હતા. તેને ઉપદેશ આપી શત્રુંજયતીમાં માટી ટૂંકમાં ભ૰ આદીશ્વરના મુખ્ય જિનપ્રાસાદની દક્ષિણ બાજુએ મુખ્ય દરવાજાની સામે ૧૦૨૪ જિનપ્રતિમાના સહસ્રકૂટના જિનપ્રાસાદ બનાવવાના ઉપદેશ આપ્યા ત્યારે પાલિતાણાની તપાગચ્છની શ્રીપૂજની ગાદીએ શત્રુ જયતીની રક્ષા માટે આ વિજ્યાનંદસૂરિના શિષ્ય ૫૦ શાંતિવિજયગણી, ૫૦ દેવવિજયગણી, ૫૦ મેઘવિજયગણી વગેરેને નીમ્યા હતા. તેમને પણ આ ફૂટ શાસ્ત્રાનુસાર અને તેમ કરવા ધ્યાન રાખવા આજ્ઞા આપી હતી. સહસ્રકૂટ તૈયાર થયા પરંતુ આ॰ વિજયસિંહસૂરિ સં ૧૭૦૯ના અ૦ સુ૦ રના રાજ અમદાવાદમાં સ્વર્ગવાસી થયા. આથી ભટ્ટા॰ વિજયદેવસૂરિ અને આ॰ વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહા વિનયવિજયગણીએ સં૰૧૬૧૦ના જે સુ॰ ૧૦ (૯) ને ગુરુવારે શત્રુંજયતીમાં તે સહસ્રકૂટની પ્રતિષ્ટા કરી હતી. એ સહસ્રકૂટના થાંભલા ઉપર પદ્યમાં ૪ શ્લાકે અને ગદ્યમાં આ પ્રકારે લેખા છે. - ― 64 ני प्रत्यतिष्ठपदिदं खलु तीर्थ रायसिंह इह वर्धमानभूः । शासनाद् विजय देवगुरेराः सद्वाचकेन विनयाद विजयेन || 11 श्री विजयसिंहसूरे स जयतु तपगच्छमौलिमाणिक्यम् । अजनिष्ट यदुपदेशात् सहस्रकूटाभिघ तीर्थम् ॥ २ ॥ વિો || રૂ || યવનયતિ || 9 | ( – એપ્રિપ્રાક્રિયા ઈંડિકા ભા॰ ૨, પૃ॰ ૭૩, પ્રા॰ જ લે ભા૦ ૨, લે૦ નં૦ ૩૧) Page #374 -------------------------------------------------------------------------- ________________ સાઈઠમું] આ. વિજયદેવસૂરિ [૩૩૩ अहम् ॥ ॐ स्वस्ति श्री संवत् १७१० वर्षे ज्येष्ठ शुक्लषष्ठीतिथी शुरुवारे श्रीउन लेनपुर वास्तव्य-उकेशशातीय-वृद्धशाखीय कुहाडमात्र स० वर्धमान भा० वल्हादे पु० (१) समान. સિં (૨) થનારસંહ (૨) દયાસિંહૂ (૪) જાનાd૬ (૧) માહિઃ सा० जगतसिह जीवणदास प्रमुखपरिवार युतैः स्वपितृवचनात् तत्पुण्यार्थ श्रीसहस्रकूटतीर्थ कारित स्वप्रतिष्ठायां प्रतिष्ठा. पिता, तपाग भ. विजय हीरसूरिपट्टप्रभावक भ० विजयसेनसूरि पट्टाल कार पातिसाहि श्री जहांगीरप्रदत्त महातपाबिरुदधारि. अनेक राजाधिराजप्रतिबाधकारि भट्टारक श्रीविजयदेवसूरिआ० श्री विजयप्रभसूरि निर्देशात् श्रीहीरविजय सूरि शिष्यरत्न महोपाध्याय श्री पू० कीति विजयग. शिष्योपाध्याय श्री विनय રૂિિદ તિષ્ઠિતમ્ | શ્રીરતુ | શ્રી શગુલામહાઈकार्य करपण्डित श्री पू शान्तिविजय ग. देवविजय ग० मेघविजय ग० साहाय्यतः सिद्धमिदम् ।। सूत्रधार मनजी ।। (– એપ્રિઝાફિયા ઇંડિકા ભાર ૨, પૃ. ૭૩, પ્રારા - જે. લેભા૦ ૨, લેનં. ૩૨) આ સહસ્ત્રકૂટ સૌથી પ્રાચીન છે. તે પછી જ બીજા સહસ્ત્રકૂટ બન્યા છે. બીજે સહસ્ત્રકૂટ – ખરતરગચ્છના સમર્થ વિધાતા મહ૦ દેવચંદ્ર ગણિવર મરોટથી વિહાર કરી ગુજરાતના પાટણમાં પધાર્યા. તેમણે પાટણમાં શાહની પોળમાં ચૌમુખજીની વાડી પાસેના જિનપ્રાસાદમાં આ જ્ઞાનવિમલસૂરિ અને પાટણના નગરશેઠ દો. તેજસી શ્રીમાલીને સહસ્ત્રકૂટના ૧૦ ૨૪ તીર્થકરોના નામ સંભળાવ્યાં. શેઠ તેજસીએ સં. ૧૭૭૪માં સહસકટનું દેરાસર બનાવ્યું, જે નગરશેઠના દેરાસર તરીકે વિખ્યાત છે. શેઠ તેજસીએ સં. ૧૭૭૪માં ભ૦ પાર્શ્વનાથ વગેરેની પિત્તળની હજારો પ્રતિભાવાળા સહસ્ત્રકૂટને ત્રિગડો કઠા બનાવી. તેની પૂનમિયાગચ્છના ભટ્ટા, ભાવપ્રભસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. મહ૦ દેવચંદ્રગણીએ “સહસ્ત્રકૂટરતવન”ની રચના કરી. નગરશેઠનું ઘરદેરાસર – ( સહકુટનું દેરાસર, મણિયાતી પાડે, પાટણ) સહસ્ત્રકૂટના ત્રિગડાની કિનારી (બેર્ડ૨) ઉપરનો લેખ – જે. ૨૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ "" ॥ संवत् १७७४ वर्षे ज्येष्ठ शुदि ८ सोमे पत्तनमध्ये श्री श्रीमालज्ञातीय वृद्धशाखायां दो० श्री वीरासुत-दोसी शिवजीसुत दो० श्री मेघजीभार्या शहिजवहूसुत- दो० श्री जयतसीभार्या रामवसुत - दोसी श्री तेजसीभार्या देवबाइसुता पुञ्जी सुत गुलाब - द्विभार्या राधावहूसुता लाइरसी सुत मुलुकचन्द प्रमुख सपरि• वारयुतः दो० तेजसीकेन सुखश्रेयोर्थ श्री पार्श्व नाथदि बिम्ब सहस्रपित्तलमय कोष्ठः कारितः पूर्णिमापक्षे भ० श्रीभावप्रभसूरिभिः પ્રતિતિઃ ॥ (-પ્રશ્ન॰ ૪૦, પૃ॰ ૫૦૪) સહસ્રકૂટની ત્રિગડાની નીચેની પિરિધ ઉપરના લેખ – “॥ सं० १७७४ ज्ये० सुदि ८ श्रीतेजसीभार्या देववहूसुता पुञ्जीसुत गुलाब - द्विभार्या राधासुता लहीरसी... सुतमलुकचन्द सपरिवार तेजसीकेन सुखश्रेयोर्थ श्रीपार्श्वनाथादि बिम्ब सहस्र पित्तलमय कोष्ठः कारितः, श्रीपूर्णिमापक्षे भ० श्री महिमाप्रभसूरिस्तत्पट्टे મ श्रीभावप्रभसूरीणामुपदेशात् कृतमहोत्सवेन प्रतिष्ठापितश्च ढण्ढेरकस' बन्धितः ॥ ત્રીજો સહસ્રકૂટ – શત્રુંજયતીર્થમાં પાંચ પાંડવના દેરાસરમાં સં ૧૮૬૦માં સહષ્કૃત બન્યા હતા. તેના લેખ આ પ્રકારે છે– “શા ગટ્ટાભાઈ લલ્લુભાઈ એ શત્રુંજયતી માં પાંચ પાંડવાના દેરાસરમાં સહસ્રકૂટ બનાવ્યા. તપાગચ્છના ભટ્ટારક વિજયજિનેન્દ્રસૂરિએ સ. ૧૮૬૦ના વૈ॰ સુ॰ પના રાજ શત્રુંજયતીર્થાંમાં તે સહસ્રકૂટની પ્રતિષ્ઠા કરી. ” (– પ્રા॰ જૈ લે ભા॰ ૨, લે૦ નં૦ ૪૮, ૪૯ ) ચેાથેા સહસ્રકૂટ – શત્રુંજયતીમાં મેાતીશાહની ટૂંકમાં વીશા આશવાલ શા॰ જેઠા ખાલચંદના સ* ૧૮૯૩ના વૈ વરના રાજ પ્રતિષ્ઠા કરેલા ૧૦૨૪ જિનપ્રતિમાવાળા સહસ્રકૂટ છે. ( – શત્રુ ંજયતીર્થં હુ॰ લિ॰ મેટું તીથ યાત્રા વર્ણન ) સાકરવસહીમાં સુરતના શ્રી યાચના સ′૦ ૧૮૬૦ના વૈ॰ સુ૦ પના ૧૦૨૪ના સહસ્રકૂટ છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકસમુ આચાય વિજયસિંહસૂરિ “ તાપ પાટ પ્રતપ, જયવંતા યુવરાજ; શ્રીસૂરિશિરામણિ, વિજયસિંહ મુનિરાજ.” ( મહે।॰ વિનયવિજયગણી, ‘ ગણુધર પટ્ટાવલી સજઝાય ' પટ્ટાવલી સમુચ્ચય ભા.૨, પુરવણી પૃ ૧૮૩ થી ૧૮૫) આ॰ વિજયસિ’હસૂરિના સ૦ ૧૬૪૪ના ફાગણ સુદિ ર ને રવિવારે મેડતામાં જન્મ થયા હતા. તેમના પિતાનું નામ નથમલજી એશવાલ અને માતાનું નામ હતુ. નાયકદેવી. તેમનું પેાતાનું નામ કરમચંદ હતુ. સ’૦ ૧૬૫૪ના મહા સુદિ ૨ ના રોજ અમદાવાદના અકમીપુરામાં ભટ્ટા॰ વિજયસેનસૂરિના હાથે દીક્ષા થઈ ને તેમનુ નામ મુનિ કનવિજય રાખવામાં આવ્યું. સ૦ ૧૬૭૦માં આ॰ વિજયસેનસૂરિએ તેમને પન્યાસપદ આપ્યું. સં. ૧૬૭૩ના પાષ વિંદ પને શુક્રવારના રાજ પાટણમાં શેઠ સાષીએ ભરાવેલા ભ૦ આદિનાથની સ્ફટિકની જિનપ્રતિમાના પરિકરના પ્રતિષ્ઠા ઉત્સવમાં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. ભ વિજયદેવસૂરિના હાથે સ૦ ૧૬૮૧ના વૈ૦ ૩૦ ૬ના રાજ અથવા સં૰૧૬૮રના મહા સુદિ ૬ ના રાજ ઈડરમાં શાહ સહજૂ પારેખે કરેલા પઢવી મહાત્સવમાં આચાર્ય પદ પ્રાપ્ત કરી તેમનુ વિજયસિંહસૂરિ નામ રાખ્યું. સ૦ ૧૯૮૪માં જાલેારમાં સંઘપતિ મંત્રી જયમલ મુહણેાતે કરેલા પ્રતિષ્ઠાઉત્સવમાં, વંદના મહેાત્સવમાં ભટ્ટારકપદ્મ આપવામાં આવ્યું. અને સં૰૧૭૦૮ના અષાડ સુદિ રના રાજ અમઢાવાદમાં રાજપુરા પાસેના નવાપુરા (નવીનપુરા )માં સ્વગમન થયું. (– પટ્ટ વલી સમુચ્ચય ભાર, પુરવણી થ્રુ ૯૬) Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ૬૧મા આચાર્ય વિજયસિંહસૂરિ જન્મ–મેડતામાં શેઠ નથમલ નાથજી શાહ ઓસવાલ જૈન અને તેમનાં પત્ની નાયકદેવીએ કુલ પાંચ પુત્રને જન્મ આપ્યો. ૧ જેઠે, ૨ જશે, ૩ કેશવજી, ૪ કરમચંદ અને ૫ કપૂરચંદ એમ પાંચ પુત્રો હતા. દીક્ષા – શેઠ નથમલ, શેઠાણું નાયકદે અને છેલ્લા ત્રણ પુત્રેએ ભટ્ટા. વિજનસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. ૧-૨ શેઠ નથમલે જેઠા અને જેસાને ગૃહકાર્યભાર સોંપીને આ વિજયસેનસૂરિ પાસે સં. ૧૬૫૪ના મહાસુદિ રના દિવસે દીક્ષા લીધી પણ તેમનું દીક્ષિત અવસ્થાનું નામ જાણવામાં આવ્યું નથી. વળી, શેઠાણી નાયકએ પણ દીક્ષા લઈ સારી રીતે ચારિત્ર પાવન કર્યું. ૩ કેશવજી –તે શેઠ નથમલને ત્રીજો પુત્ર હતા. તેણે માતાપિતાની દીક્ષા પહેલા જ આશરે સં. ૧૬૪૪ પહેલાં નાની ઉંમરમાં દીક્ષા લીધી. ભ૦ વિજયસેનસૂરિએ તેને દીક્ષા આપી. મહ૦ કીર્તિ વિજયગણીના શિષ્ય બનાવ્યા અને તેમનું નામ મુનિ કાંતિવિજય રાખવામાં આવ્યું હતું. એટલે મુનિ કાંતિવિજય ભ૦ વિજ્યસેનસૂરિના હરતદીક્ષિત શિષ્ય હતા. તેઓ અત્યંત ગુરુભક્ત હતા. ગુણના પક્ષપાતી ને મળતિયા સ્વભાવના હતા. વિદ્વાન અને કવિ હતા. તેઓ પંન્યાસપદ મેળવીને ઉપાધ્યાય બન્યા હતા. તેમના હસ્તાક્ષરો સુંદર હતા. આથી તેમના હાથે ઘણા શિલાલેખે અને ગ્રંથો લખાયા હતા. ભટ્ટા. વિજયસેનસૂરિએ સં. ૧૬૪૫ના જેઠ સુદિ ૧૧ને સોમવારે ખંભાતના સાગવટ પાડામાં શેઠ વજિયા-રાજિયા પારેખના શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. મહાકવિ હેમવિજયગણીએ તેની પ્રશસ્તિ રચી. ૫૦ લાભવિજયગણુએ તેનું સંશોધન કર્યું. પંકાંતિવિજયગણીએ તેને શિલા ઉપર લખી અને સ્થપતિ શ્રીધરે તેને ઉત્કીર્ણ કરી. મહ૦ કીતિવિજયગણીએ સં. ૧૬૯૦ના આ૦ સુ૦ ૪ના રોજ વડોદરામાં “વિચાર રત્નાકર” નામે ગ્રંથની રચના કરી. પં. કાંતિ Page #378 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ [ ૩૩૭ વિજ્યગણીએ તેની પ્રતિ લખી વડોદરાને જૈન ભંડારમાં મૂકી હતી. તે ગ્રંથની પુષ્પિકા આ પ્રકારે છે – श्रिवटपद्रपुरस्थित चित्कोषे प्रतिरिय मुक्ता ॥ १ ॥ (– શ્રી. પ્રશસ્તિસંગ્રહ ભા૨, પ્ર. નં. ૭૧૧) મહટ વિનયવિજયગણએ સં. ૧૭૧૦માં પોતાના ગુરુભાઈ કાંતિવિજયને ભણવા માટે “હેમલઘુપ્રકિયા”નામે સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના કરી. ( – પાટણના જૈન ગ્રંથભંડારમાં રહેલી સં૦ ૧૭૫રમાં લખેલી ગ્રંથની પુપિકા) ઉપાય કાંતિવિજયગણએ ઘણા ગ્રંથ રચ્યા છે તે આ પ્રમાણે – ૧ જિનસ્તવન ચોવીશી, ૨ જિનસ્તવનવીશી, ૩ પાંચ મહાવ્રતની સક્ઝાય ઢાળઃ ૪, ૪ રાત્રિભેજન ત્યાગ સક્ઝાય, ૫ શીલપચ્ચીસી ૬ સંવેગ રસાયણ બાવની, કડી : પ૩, ૭ સં. ૧૭૪૫માં પાટણમાં “સુજશવેલી” ઢાળ : ૪, ૮ “શ્રી રે સિદ્ધાચલ ભેટવા સ્તવન” ૯ આતમ-જ્ઞાન પંચમીની સજ્જાય, સ્તવને, સજ્જા, પદો વગેરે. ૪ કરમચંદ–તે શેઠ નથમલનો ચોથે પુત્ર હતા. દીક્ષા વખતનું નામ કનકવિજય હતું અને આચાર્ય પદ પ્રાપ્ત થતાં વિજ્યસિંહસૂરિ નામથી ખ્યાતિ પામ્યા. ૫ કપૂરચંદ– તે નથમલને પાંચ પુત્ર હતો. ભટ્ટા, વિજયસેનસૂરિએ તેને સં. ૧૬૫૪ના મહા સુદિ ૨ ના રોજ દીક્ષા આપી. તેમનું મુનિ કૃષ્ણવિજય નામ રાખી આ૦ વિજયદેવસૂરિના શિષ્ય બનાવ્યા. ભટ્ટા, વિજયદેવસૂરિ જ્યારે દક્ષિણમાં કુલપાકતીર્થની યાત્રાએ પધાર્યા ત્યારે પં. કાંતિવિજય તથા મુનિ કૃષ્ણવિજય વગેરે Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન પર`પરાના ઇતિહાસ [ પ્રકરણ મુનિપરિવાર તેમની સાથે હતા. મુનિ કૃષ્ણવિજયે ત્યાં ‘કુલ્પાક મંડન ભ॰ ઋષભદેવનું સ્તવન' રચ્યું. (– જન સત્યપ્રકાશ, ક્રમાંક : તેમના વધુ પરિચય મળતા નથી. અગાઉ જણાવેલા પુ કનકવિજયજી શાંત હતા. વિજયસેનસૂરિને તેમને માટે માટી આશા હતી કે તેએ ભવિષ્યમાં મેટા પ્રભાવક બનશે. આથી આ॰ વિજયસેનસૂરિએ તેમને પન્યાસ બનાવ્યા અને તે પછી ઉપાધ્યાય બનાવે તે પહેલાં જ આ૦ વિજયસેનસૂરિના સ૦ ૧૬૭૧ના જે॰ સુ॰ ૧૧ના રાજ સ્વર્ગવાસ થયેા. પછી આ વિજયદેવસૂરિ પાટણમાં ગચ્છનાયક ભટ્ટારક બન્યા. બીજી તરફ્ તપાગચ્છના અમુક ઉપાધ્યાયેાએ સં ૧૬૭૩ના પેાષ વિક્રે ૧રને બુધવારે સિરાહીમાં ભ॰ વિજયતિલકસૂરિને નવા ભટ્ટારક બનાવી ઉપાધ્યાય ગચ્છ જુદો પાડી ગચ્છભેદ કર્યા અને બીજો ગચ્છ પડે એવી ચેાજના બની હતી. ) આ સ્થિતિમાં ભ॰ વિજયદેવસૂરિએ સ૦ ૧૬૭૩ના પાષ વિદ ૫ ને શુક્રવારે પાટણમાં શેઠ સંતાષીએ બનાવેલા ભ॰ આદિનાથની સ્ફટિકની જિનપ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠાના ઉત્સવમાં ગીતાર્થીની પ્રેરણાથી પ’૦ કનકવિજયગણીને ઉપાધ્યાયપદ્વવી આપી. ૧ ૧ ઉપા, કનવિજયગણી ઘણા થયા છે. (૧)૬૦ માં મહા૦ કૅનવિજયગણી – તેમની શિષ્યગર પરામાં મહેા૦ મેધવજયગણી થયા હતા. (– પ્રક॰ ૫૫, ૪૦ ૧૨૮; પ્રક૦ ૫૮, પૃ॰ પર૪) (૨) ઉપા૦ કનવિજયના શિષ્ય અમવિજયગણી સ૦ ૧૫૫૩-૫૪માં વિદ્ય માન હતા. ( ૩ ) ૯૦ કનકવિજચગણી ને આ॰ વિજયંસ હરિ, (૪) તપાગચ્છની વિજયાન દસૂરિશાખાના ભ૦ વિજયાન ંદસૂરિના ૧ ૫૦ કનવિજય ગણી ૨ ૫૦ શાંતિવિજયગણી, ૩ ૫૦ શિવવિજયગણી, એમ ત્રણ શિષ્યો હતા. તે ત્રણે અસલમાં ગૃહસ્થપણામાં સહેાદર (ભાઈઓ) હતા. અને દીક્ષિત અવસ્થામાં ગુરુભાઈઓ હતા. ' ) ( શ્રી. પ્રશસ્તિ સંગ્રહુ ભા॰ ૨, પ્ર” નૢ૦ ૯૦૧) Page #380 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ [ ૩૩૯ દેવવાણ – હવે ભટ્ટા. વિજ્યાનંદસૂરિની પાટે નો ગરછનાયક વારસદાર બનાવવાની વાત ચાલી. ભવ્ય વિજયદેવસૂરિએ સં. ૧૬૭૬ના ચોમાસામાં સાબલીમાં વિજયાનંદસૂરિપક્ષ અને સાગરશાખા વચ્ચેની અથડામણ થતી હતી તેને રોકવાનો ઉપાય મેળવવા અને નવો ગચ્છનાયક જાણવા ત્રણ મહિના સુધી સૂરિમંત્રનું ધ્યાન કર્યું. સૂરિમંત્રના અધિષ્ઠાયકે ગચ્છનાયકને વિનયભાવે જણાવ્યું કે તમારા શિષ્ય પરિવારમાં એ કાઈ પુણ્યશાલી નથી કે જે ગચ્છનાયક બની શકે. એ પુણ્યાત્મા અવસરે જન્મ લેશે ને તમારા પરિવારમાં દાખલ થશે. દીક્ષા લેશે અને અવસરે તમારા હાથે જ ગચ્છનાયક બનશે. પરંતુ હાલ તરતને માટે ઉપાઠ કનકવિજયગણીને તમારી પાટે સ્થાપન કરો. આથી જૈનશાસનને ઘણે લાભ થશે. તમે પણ શ્રમણસંઘને માટે શુદ્ધ સાધુમાર્ગ પ્રવર્તે એવી મર્યાદા બનાવે. આથી પણ શ્રમણવંઘને લાભ થશે. પટ્ટક – ભ૦ વિજ્યદેવસૂરિએ સં. ૧૬૭૭ના ચૈત્ર સુ. ૭ને બુધવારે સાબલીમાં શ્રમણુસંઘની હાજરીમાં ૫૮ બેલવાળે ગીતાર્થ સાધુ-સાધ્વી મર્યાદા પટ્ટક બનાવ્યો. પછી પં મુક્તિસાગર સં૦ ૧૬૭માં અમદાવાદમાં ભ૦ વિજ્યદેવસૂરિના ખંભાતથી આવેલા વાસક્ષેપથી ઉપાધ્યાય બન્યા. સમેલન – સં. ૧૬૮૧ના પ્રથમ ચૈત્ર સુદિ ૯ ને રોજ રવિગમાં અમદાવાદના કાલુપુરમાં આવેલા જૈન ઉપાશ્રયમાં તપાગચ્છનું મોટું મુનિસંમેલન મળ્યું. ( – પ્રક. ૫૫, પૃ. ૮૪) આ સંમેલનમાં બે બાબતમાં સૌ એકમત થયા. (૧) સર્વજ્ઞશતક” અપ્રમાણ ગ્રંથ છે તેને પ્રમાણ નહીં માનવો. (૨) ભ. વિજયદેવસૂરિ પોતાની પાટે જેને સ્થાપન કરે તેને બધાએ ગચ્છનાયક તરીકે મંજૂર રાખવા. આ સંમેલનમાં સૌને અનુભવ થયો કે ઉપા૦ કનકવિજયગણી શાંત, સંવેગી, ત્યાગી, વેરાગી, તપસ્વી, જ્ઞાની, શાસનપ્રેમી, મળતા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ વડા અને બધા પ્રત્યે સમભાવ રાખનારા છે, ગંભીર છે, ભવિષ્યમાં મેાટા પ્રભાવક થશે. આમ હાવાથી સૌ તેમને આચાર્ય પદ મળે તેમાં ખુશ હતા. આચાય પદ્ય – ભ॰ વિજયદેવસૂરિએ સ. ૧૯૮૧ના વૈ સુ ૬ અથવા સ’૦ ૧૬૮૨ના મહા સુદિ ૬ ના રાજ ઇડરમાં શા. સહજૂએ કરેલ પદવી મહાત્સવમાં ઉપા૦ કનકવિજયગણીને આચાય - પદ આપી પોતાની પાટે સ્થાપન કર્યો અને તેમનું નામ વિજયસિહસૂરિ રાખ્યું. ( --પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણી પૃ॰ ૯૩) તે સ’૦ ૧૬૬૪ થી લગભગ સં॰ ૧૯૯૫ સુધી ગુરુદેવની સેવામાં રહી તેમની સાથે જ વિચર્યાં હતા. તે પછી આ પ્રમાણે વિચર્યાં. અને આચાર્યએ સ૦ ૧૬૯૭માં વિધ્યનગર ( વીજાપુર )માં જિનપ્રતિષ્ઠા કરી અને ભટ્ટા॰ વજયદેવસૂરિએ સ’૦ ૧૬૯૭માં ત્યાં જ ચામાસું કર્યું અને આ॰ વિજયસિંહસૂરિને ઉદયપુર માકલ્યા. તેમણે રાણા જગતિસંહને ઉપદેશ આપી વરકાણાના મેળામાં લેવાતા કર માફ કર્યાં. મને આચાર્ચીએ સ૦ ૧૬૯૮માં આમણેારમાં, દેલવાડામાં એક તથા નાડીગામમાં એક એમ એ પ્રતિષ્ઠા કરી. રાણા જગતસિંહે જીવદયાપ્રેમી બની અહિંસાની આણુ પ્રવર્તાવી. મેવાડનાં જૈન તીર્થમાં જિનેશ્વરાની ૧૭ પ્રકારી પૂજા થતી રહે તેવા પાકા બંદોબસ્ત રાજ્ય તરફથી કર્યા. રાજ્યભ‘ડારમાં ધર્માદા વિભાગ ખાવ્યેા. તે રાણે! જૈનધર્મ પ્રેમી બન્યા. અને આચાર્યાંની આજ્ઞાથી ઉપા· સપ્તમચંદગણીએ સ૦ ૧૭૦૦ ના મહા સુ॰ ૧૨ ને રાજ પાલીમાં સં૰ જયરાજ મુહણે તે બનાવેલ કમલદળવાળા જિનસમવસરણની પ્રતિષ્ઠા કરી અને તે બંને આચાર્યાએ સં. ૧૭૦૦માં પાલીમાં ચામાસું કર્યું, વિશેષ વિહાર – આ॰ વિજયસિ’હસૂરિએ ગુરુદેવની આજ્ઞાથી Page #382 -------------------------------------------------------------------------- ________________ એકસઠમુ] આચાય. વિજયસિંહસૂરિ સં. ૧૯૦૧માં વિહાર કરી મારવાડ-મેવાત તરફ પધાર્યાં. તેમણે સ૦ ૧૭૦૧માં મેડતામાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તથા એ જ સાલમાં મેડતામાં બાદશાહના માનીતા શેઠ હીરાનંદ ઝવેરી આગરાવાળાની પત્ની શ્રાવિકા મણિએને ભરાવેલ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આગરાના ઘણા જૈના આ ઉત્સવમાં એન સાથે મેડતા આવ્યા હતા. આ॰ વિજયસિહસૂરિએ સ૦ ૧૭૦૧માં મેડતામાં કુહાડ ગાત્રના વીશા ઓશવાલ જૈન શેઠ વમાન પત્ની વહાલદેના પુત્ર રાયસિંહને શત્રુજયંતીમાં સહસ્રકૂટનું દેરાસર બનાવવાના ઉપદેશ આપ્યા હતા, અને તે વખતે પાલીતાણામાં શ્રીપૂજની ગાદીએ શત્રુંજયતીની રક્ષા માટે નીમેલ ૧ ૫૦ શાંતિવિજયગણી, (આ॰ વિજયાનંદસૂરિના શિષ્ય ), ૨૫ દેવવિજયગણી અને ૩ ૫૦ મેઘવિજયગણી વગેરેને આજ્ઞા આપી હતી કે તમારે સૌએ ધ્યાન રાખી શાસ્ત્રાનુસાર સહસ્રફૂટ ખનાવવા. ત્યારથી શત્રુંજયમાં તે ફૂટ બનાવવાના આરંભ થયા. (– એપિગ્રાફ્રિ ઇડિકા, ૨. ૭૩) [ ૩૪૧ અને આચાર્યાએ સં૦ ૧૬૯૮-૯૯માં ઉયપુરમાં ચામાસમાં કર્યો. રાણા જગતસિંહને ઉપદેશ આપી જિનપૂજાના પ્રેમી બનાવ્યા, મેવાડ માટે અહિંસાનાં ફરમાન લખાવ્યાં. આ વિજયસિ‘હસૂરિએ સ૦ ૧૭૦૧માં કિસનગઢના રાજા રૂપસિંહ રાઠોડના મહામાત્ય રાયસિંહની વિનંતિથી કિસનગઢમાં ચામાસું કર્યું. સં૦ ૧૭૦૨માં કિસનગઢમાં મહામાત્ય રાયચંદ તથા સંધે બનાવેલ ભ॰ શામળિયા પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. આહ્વણુપુરના રાજા મહેશદાસના મંત્રી સુગુણચંદ આ પ્રતિષ્ઠાઉત્સવમાં કિસનગઢ આવ્યા. તેણે અહી આવી આચાય શ્રીને મહાત્સવપૂર્વક વન કર્યું.... ગડુલી કાઢી સેાનામહારા ચઢાવી. આચાય શ્રીએ સ′૦ ૧૭૦૨માં કિસનગઢમાં ચામાસું કર્યું' અને સ’૦ ૧૭૦૩માં કિસનગઢના છરી પાળતા યાત્રાસંઘ સાથે માલપુર, ખુદી અને ચવલેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી. તેમણે સ૦ ૧૭૦૩માં Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ જયારણમાં ચોમાસું કર્યું અને તે પછી સં. ૧૭૦૪માં જાલોરમાં ગુરુ પાસે ગયા હતા. બંને આચાર્યો જાલોરથી વિહાર કરી આબુતીર્થની યાત્રા કરી ઈડર પધાર્યા. ભવ્ય વિજયદેવસૂરિ, આ. વિજયસિંહસૂરિ, પં. સત્યવિજ્યગણી, ૫૦ વીરવિજ્યજી, મહો. વિનયવિજયગણ આ વિહારમાં સાથે થઈ ગયા. તેઓએ કિયોદ્ધાર કરી સંવેગીમાર્ગ પ્રકાશવાને નિર્ધાર કર્યો. અહીંથી સં. ૧૭૦૪માં ઈડરમાં સંવેગીમાર્ગના પુનરુદ્ધારનો પાયે નાખે. આચાર્યશ્રીએ સં. ૧૭૦૪માં ઈડરમાં ચોમાસું કર્યું હતું. અહીં પાટણની શ્રાવિકા અવંતીની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સંભવ છે કે તેમણે આ સમયે રાજા જયમલના જયમલકીના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. આ ઉત્સવમાં ૬૪ ઇદ્રોના જન્માભિષેક વગેરેને માટે વિધિ કરાવવામાં આવ્યા. બંને આચાર્યોએ સં. ૧૭૦૫માં પાટણના છરી પાળતા યાત્રાસંઘ સાથે શ્રીપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી. સં. ૧૭૦૫ના કા. વ. ૬ ને બુધવારે ઔરંગાબાદના શા૦ અમીચંદ વીશા પરવાડની પત્ની ઇંદ્રાણુનાં જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં૧૭૦૫ના વિ. સુ. ૧ માં ખંભાતમાં સંઘવણ ફુલબાઈ એ બંને આચાર્યોને સૂત્રો વહેરાવ્યાં. (- શ્રી. પ્રશસ્તિ સંગ્રહ ભા૨, પ્ર. નં. ૭૯૦) સં. ૧૭૦૫માં બંને આચાર્યોએ ખંભાતનગરમાં ચોમાસું કર્યું. આ. વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૬ (સં. ૧૭૧૧) મહા સત્ર ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ગુરુદેવની નિશ્રામાં સંવેગી સાધુ-સાદેવી ચગ્ય ૪૫ બોલને પટ્ટક બનાવ્યો અને સં. ૧૭૦૬માં પાટણમાં ચોમાસું કર્યું. સં. ૧૭૦૭માં ગુરુદેવની સાથે અમદાવાદમાં ચોમાસું કર્યું, ભવ્ય વિજયદેવસૂરિએ સં. ૧૭૦૮માં ખંભાતમાં ચોમાસું કર્યું. અને આ વિજયસિંહસૂરિને સં. ૧૭૦૮માં અમદાવાદમાં રાજપુરા પાસે નવાપુરા (નવીનપુર)માં ચોમાસું કરવાની આજ્ઞા આપી. Page #384 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ [ ૩૪૩ આ. વિજયસિંહસૂરિ સં. ૧૭૦૮ના અષાડ સુદિ ના રાજ ૨૮ વર્ષ સૂરિપદ પામી અમદાવાદના નવાપુરામાં ગીતા પાસે આવી અતિચાર આવી અનશન સ્વીકારી સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. શબના અગ્નિસંસ્કારમાં શ્રીસંઘે ઘણું દ્રવ્ય ખરચ્યું. ગુરુસેવામાં શેઠ ઘેલાના પુત્ર આખા નામના અગ્રણી શ્રાવકે સારે ભાગ લીધે. પાટણના ઓશવાલ જન સંઘે સં. ૧૭૦૯ના ફા સુત્ર ૩ ને રવિવારે પાટણમાં ભ૦ વિજયદેવસૂરિના રાજ્યમાં મેદપાટદેશાધિરાજ રાણુ શ્રી જગતસિંહ પ્રતિબંધદાયક આચાર્યશ્રી. વિજ્યસિંહસૂરિની ચરણપાદુકા બનાવી અને તેની મહો. ભાનુચંદ્રગણુના પ્રશિષ્ય પં. વિવેકચંદ્રગણુએ ભ૦ વિજ્યદેવસૂરિની આજ્ઞાથી પ્રતિષ્ઠા કરી. (– પ્રાજે. લે ભાગ ૨, લેટ નં. ૫૧૪) રાસ – મહ૦ ઉદ્દદ્યોતવિજયગણીની પરંપરાના પં. દયાકુશલગણીએ સં. ૧૬૮૫માં “ભ૦ વિજયસિંહસૂરિ પદ મહોત્સવ તથા આ૦ વિજયસિંહસૂરિ રાસ રચ્યો છે. તેમજ વીરવિજય નામના મુનિએ “શ્રી વિજયસિંહસૂરીશ્વર નિર્વાણ સ્વાધ્યાય” રચે છે. (- પ્રક. ૫૫, પૃ૦ ૧૭૭) સ્વભાવપરિચય – આ૦ વિજયસિંહસૂરિ શાંત, ગુરુભક્ત, પરમસંવેગી, અને શુદ્ધ સંયમ માર્ગના પક્ષપાતી હતા. તેમનો ઉપદેશ મીઠે અને અસરકારક હતો. મેવાડના રાણે જગતસિંહ તેમના ઉપદેશથી જૈનધર્મપ્રેમી બન્યો. રાણાએ વરકાણના મેળામાં સવજાતના કર માફ કર્યા. પિતાના રાજ્યમાં દર ચૌદશે શિકાર કરવાનો પ્રતિબંધ કર્યો તથા ગોવધ વગેરે બંધ કરાવ્યા અને તેનાં ફરમાન આપ્યાં. જિનપ્રતિષ્ઠા – ભટ્ટા, વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિ સં. ૧૭૦૦ સુધી સાથે વિચર્યા હતા. એટલે તે દરમિયાન થયેલી જિનપ્રતિષ્ઠાએમાં બંને સાથે જ હતા. આ૦ વિજ્યસિંહસૂરિએ ત્યારે અને તે પછી આવિજયદેવ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] સૂરિની આજ્ઞાથી ઘણી જિનપ્રતિષ્ઠા પ્રકારે મળે છે – જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ કરી હતી. તેના ઉલ્લેખા આ આ વિજયસિ ંહસૂરિએ સ૦ ૧૬૯૩ના ફા॰ સુ” ૩ના રાજ માટી અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરી હતી. ભાંકતીમાં નાગપુરના ઝવેરીના જિનપ્રાસાદમાં ભ॰ કુંથુનાથની પ્રતિમા બિરાજમાન છે તે ઉપર્યુંક્ત પ્રતિષ્ઠા સમયની છે. ( – જૈનસત્ય પ્રકાશ, ક્ર૦ ૨૫૫, ૨૫૬) આચાય શ્રીએ સં૦ ૧૭૦૧માં મારવાડમાં એક, મેડતામાં એક અને સ૦ ૧૭૦૨માં કિસનગઢમાં એક જિનપ્રતિષ્ઠા કરી હતી. આ વિજયસિંહસૂરિએ જૈન પ્રતિમાવિધાન અને સ્થાપત્ય વગેરેમાં શાસ્રાનુસાર નવુ... નવુ શેાધી આવશ્યક વધારો કરી કલાપ્રેમીઓ માટે નવા નવા આદેશ રજૂ કર્યા. તે આ પ્રમાણે ૧ પ્રાચીન પ્રતિમાઓનાં પરિકરા. ૨ લાકડાનાં કલામય જિનાલયેા તથા કમળવાળાં તીર્થંકરાનાં સમવસરણ. ૩ સહસ્રકૂટની રચના. ૪ સવેગીમાગ પ્રકાશન વગેરે. સહસ્રકૂટ—સહસ્રકૂટની રચના તે આ વિજયસિંહસૂરિના શાસ્ત્રમાંથી તારવીને સૌની સામે રજૂ કરેલા નવા આવિષ્કાર છે. તેમણે સહસ્રકૂટના આદર્શ રજૂ કર્યાં ત્યારથી ત્રણ સહસ્રકૂટો બન્યાં દીસે છે. ―― ૧ સ૦ ૧૭૧૦માં શા. રાયસિંહ આશવાલે શત્રુજયતી માં સહસ્રકૂટ મનાવ્યા. ૨ પાટણના દોશી તેજસી વીશા શ્રીમાલીએ પાટણમાં પેાતાના નગરશેઠના દેશમાં ત્રિગડા બનાર્વ્યા. ૩ સં. ૧૮૬૦ના વૈ૦ સુ॰ પના રાજ શત્રુંજયતી માં પાંચ પાંડવાના દેરાસરમાં અમદાવાદના મચાભાઈ લાલભાઈ એ બનાવ્યા. સહસ્રકૂટમાં જિનેશ્વરાની સંખ્યા એ પ્રકારે હાવી સભવે છે. ' Page #386 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ [૩૪૫ (૧) ૧૦ ક્ષેત્રની ૩ ચેવીશીના ૭૨૦ + દશ ક્ષેત્રેની ચાવીશીના પાંચ પાંચ કલ્યાણકે ૧૨૦ + ઉત્કૃષ્ટ જિનવર ૧૬૦ ૧૦૦૦ + શાશ્વત જિન ૪ + મહાવિદેહક્ષેત્રના કલ્યાણક ૪ = ૧૦૦૮ થાય (૨) દશ ક્ષેત્રની ૩ વીશીના જિન ૭૨૦ + ૧૨ ક્ષેત્રની ચિવીશીના પાંચ પાંચ કલ્યાણકે ૧૨૦+ઉત્કૃષ્ટા જિનવર ૨૦મહાવિદેહ ક્ષેત્રનાં કલ્યાણક = ૪ + (અથવા શાશ્વત જિન ૪ +) એમ ગણતાં ૧૨૪ થાય. શિષ્યો અને શિષ્ય પરંપરા આ. વિજયસિંહસૂરિ અને ઉપાઠ કનકવિજયગણીને ઘણું શિષ્યો હતા. ૧ મહ૦ ઉદયવિજયગણી ૨ મહો. સત્યવિજયગણી ૩ પં. વીરવિજયગણું ૪ પં. ભાણુવિજયગણ ૫ પં. હર્ષવિજયગણું. સંવેગી શ્રમણ પટ્ટક – ભવ્ય વિજયદેવસૂરિએ સમકાલીન નવાનવા ગચ્છભેદકેની પોતાની વાડ વધારવાની અભિલાષા અને પોતાના પરિવારના યતિઓની માનલાલસા તથા બીજી શિથિલતા દેખી શુદ્ધ સંવેગી માર્ગ પ્રવર્તાવવા નક્કી કર્યું હતું. તે પોતે શાંત, સંયમી, સંવેગી અને તપસ્વી હતા પરંતુ તપાગચ્છમાં સં૦ ૧૬૭૩માં વિજયાનંદસૂરિસંઘ જુદો પડ્યો અને સંવે ૧૬૮૬માં ભટ્ટા) રાજસાગરસૂરિની શાખા જુદી પડી. ભટ્ટા. વિજયાનંદસૂરિ આ છિન્નભિન્ન દશામાં પિતાના સંવેગી મુનિવરોને સાથે લઈ ક્રિાદ્ધાર કરી સંવેગી બને તો વિજયગચ્છ અને સાગરગચ્છ અથવા સંવેગી શાખા અને શ્રીપૂજ શાખા હમેશાં માટે જુદા જુદા વહેંચાઈ જાય એ ડર હતો. ભટ્ટા. વિજયદેવસૂરિએ ભયંકર નુકસાનીમાંથી જૈન શાસનને બચાવવા માટે આ વિજયસિંહસૂરિ તેમના શિષ્યો અને તપાગચ્છના બીજા ગ્ય યતિએને કિયોદ્ધાર કરી સંવેગી બનવા માટે તૈયાર કર્યા. ૧. અમારી પાસે એક “કાલચક્રસજઝાયનું પાનું છે. તેને પ્રારંભમાં લખ્યું છે કે – " ॥६०॥ भट्टारक १९ श्री विजसिहसूरिशिष्य पंडित श्री प વિવિના મુદ્દા નો નમઃ” આમાં ૧૯ અને ૫ એ બે અંક તેમનાં પદસૂચક છે, --- - Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ આ વિજયસિંહસૂરિ સૌને પરિચય કરી જાણી ચૂકથા હતા કે ઘણા ગીતાર્થી અને સાધ્વીઓ સવેગી બનવા ઉત્સુક હતાં. સ૦ ૧૬૭૭ના ૧૦ સુ૦૭ બુધવારે સાબલીમાં ગીતા સાધુસાધ્વી અને યતિએ માટે ૫૮ મેલના પટ્ટક બનાવ્યા. પટ્ટક—આથી આ વિજયસિંહસૂરિએ સં૦ ૧૭૦૬ના મહા સુ” ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં ગચ્છનાયક ભટ્ટા વિજયદેવસૂરિની નિશ્રામાં સ’વેગી શુદ્ધમા પક્ષી અને મધ્યસ્થ યતિએ માટે ૪૫ ખેલના મર્યાદાપટ્ટક બનાવ્યા અને સવેગીમા` પ્રકાશ્યા. તેમાં શુદ્ધ જીવન ગાળવા ઇચ્છનારે કેમ વર્તવું તેની મર્યાદા બાંધી હતી. તેમાં તેમણે સ`વેગી મુનિઓએ કેાની કાની સાથે વ્યવહાર રાખવા તેના પણ ખુલાસા કર્યાં હતા. તે આ પ્રમાણે = માલ ૪૧ મા— તપાગચ્છની સામાચારી ઉપર, પંચાંગી ઉપર તથા વીતરાગ ભગવંતની પૂજા ઉપર જેને અવિશ્વાસ હાય તેની સાથે સ થા વ્યવહાર ન કરવા. આ ૪૧મા બાલમાં શુદ્ધ જૈનમાર્ગનું જ નિર્ભેળ પ્રતિપાદન છે. તેમણે ૪૫ બેલના પટ્ટક પણ બનાવ્યા હતા. ( − જૈનધર્મ પ્રકાશ ' સં ૧૯૭૨, માગશરને અંક, ‘ જૈનસત્યપ્રકાશ' ૪૦ ૧૪૯, ' > ય ભા, ૨ ‘ પુરવણી ' પૃ૦ પટ્ટાવલી સમુ૨૫૮ થી ૨૬૨, શા. બાલાભાઈ કકલભાઈ નાગજી ભૂધરની પેાળવાળાએ સં૰૧૯૭૨માં પ્રકાશિત કરેલ સવિજ્ઞસાધુ યેાગ્ય નિયમ સૌંગ્રહ ' ) આ પટ્ટકની બીજી એક નકલ મળે છે, જેમાં ૧ થી ૪૨ ખાલ બતાવ્યા છે. : સવેગી સાધુસમુદાય ચૈાગ્ય વ્યવહાર મર્યાદાપટ્ટક ખેલ ૧ થી ૪૨—તેની નીચે આ પ્રમાણે પુષ્પિકાલેખ હતા. “ ઇત્યાદ્ઘિક મર્યાદાપટ્ટક સર્વાં સર્વે...ગીસમુદાયે પાળવા– પળાવવા વિશેષ ખેાલ શ્રી જગચ્ચંદ્રસૂરિષ્કૃત માટા પટ્ટકથી જાણવા. તદનુસાર આ॰ આણુ વિમલસૂરિ પ્રસાદીકૃત્ય ૫૭ બાલ Page #388 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું ] આચાર્ય વિજયસિંહસરિ [ ૩૪૭ શ્રી હરવિજ્યસૂરિ કૃત ૧૬ બેલ. શ્રી. વિજયદાનસૂરિકૃત ૩૫ બોલ. એવં ભલી રીતે મર્યાદા પાળવી. અત્ર ૫૦ સેમગણિમતમ પં. વિજયગણિમતમ. પં. સત્યવિજયગણિતમ્ ગણી ઋદ્ધિવિમલ, ઝડષિ મણિચંદ્ર, ઋષિ વીરવિજ્ય. (– શ્રી. વિજયાનંદસૂરિ જન્મ શતાબ્દી અંક: પૃ૦ ૨૨૧ થી ૨૨૪) ઈતિહાસના પરિશીલનથી જણાય છે કે, આ વિજયસિંહસૂરિ શમ-સવેગ-સંયમ ગુણેથી રંગાયેલા હતા. ગીતાર્થોના પ્રીતિપાત્ર હતા. શ્રમણગણસંઘના વિશ્વાસભાજન હતા. આથી જણાય છે કે તેઓ વધુ જીવ્યા હોત તો તપાગચ્છમાં દેવસૂરસંઘ, આનંદસૂરસંઘ, વિજયસંઘ, સાગરસંઘ, વિમલસંઘ, સંગીશાખા કે યતિશાખા વગેરે શાખાઓનો આગ્રહ ન જ રહેત. આ. વિજયસિંહસૂરિએ એવી વ્યવસ્થા ગોઠવી હતી કે આપણેસી ઘર છોડી નીકળ્યા છીએ તે હવે તે ખરેખર છેડવાં. ત્યાગ અને સંયમના આચરણ દ્વારા આદર્શ જીવન બનાવવું. જેને જેને આવો મન-વચન-કાયાને ઉલ્લાસ હોય તેણે કિયોદ્ધાર કરીને સંવેગી મુનિ બનવું, અને બીજાઓએ યતિ રહેવું. મુનિ અને અતિ સૌએ ગચ્છનાયકની આજ્ઞા પાળવી. સૌએ આપસ આપસમાં હળીમળીને રહેવું. અને ધર્મની પ્રભાવનાનાં કામમાં સૌએ પૂરક બની રહેવું. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] જૈન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ પં. નયવિજયગણ તથા મહા યશવિજયગણી ગુજરાતમાં પધારે પછી આ ચેોજનાને તરતમાં અમલમાં મૂકવાની હતી. પણ પાંચમા આરાને દુષ્પભાવને લીધે તેમાં એકાએક રૂકાવટ આવી પડી. આ. વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ના અષાડ સુદિ રના રોજ અમદાવાદમાં સંવેગી ભાવનામાં જ સ્વર્ગગમન થયું. આથી સૌમાં નિરાશાનું મેજું ફરી વળ્યું. હવે તો મુખ્ય પ્રશ્ન એ ઊઠયો કે નવા ગચ્છનાયક કોને બનાવવા ? છેવટે ભટ્ટા. વિજયદેત્રસૂરિએ સં. ૧૭૧૦ના વૈ૦...૧૦ને ગુરુવારે હસ્ત નક્ષત્રમાં ગંધાર બંદરમાં ૧૨૫ વર્ષની ઉંમરના અને ૯ વર્ષના દીક્ષિત વૃદ્ધ સ્થવિર મહો. કમલવિજયગણી અને ચતુર્વિધ સંઘની હાજરીમાં આ વિજયસિંહ સૂરિના શિષ્ય ૫૦ વીરવિજયગણીને આચાર્ય બનાવી આ૦ વિજયસિંહસૂરિની પાટે સ્થાપન કર્યા. આથી સંઘમાં આનંદ પ્રવર્યો. પછી ફરીવાર ક્રિયા દ્વારનું વાતાવરણ ફેલાયું. આ વિજયસિંહસૂરિના રવર્ગગમન પછી તેમના શિષ્યો અને બીજા ગીતાર્થોએ તેમનું કામ ઉપાડી લીધું. તેમણે સં. ૧૭૧૧ના મ. સુ. ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ભટ્ટા. વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી તેમની જ નિશ્રાની પ્રધાનતા રાખી ક્રિાદ્ધાર કરી સંવેગીપણું સ્વીકાર્યું. તે સૌ તપાગચ્છના વિજ્યદેવસૂરિ સંઘમાં જ રહ્યા હતા. એવો ઉલ્લેખ મળે છે કે, તે જ વખતે ૧૮ મુનિઓએ એક સાથે ક્રિોદ્ધાર કર્યો હતો અને રેહાના શેઠ જેવંત પોરવાડ, પં શુભવિજયગણીની પુત્રી તથા ભટ્ટા. વિજયાનંદસૂરિની બહેન સાધવી સહજશ્રી વગેરે સાધ્વીઓએ પણ કિદ્ધાર કરી સંવેગીપણું સ્વીકાર્યું હતું.૧ શિષ્ય અને શિષ્ય પરંપરા – આ. વિજયસિંહસૂરિ અને ઉપા૦ કનકવિજયગણીને ઘણા શિષ્યો હતા, એ અગાઉ જણાવી દીધું છે. તેમાંથી કોઈ કઈ સંવેગી મુનિ ૧. સાવ સહજશ્રી માટે જુએ પ્રક૫૮ અને શ્રી. પ્રશસ્તિ સંગ્રહ ભ૦ ૨, પ્ર૦ નં૦ ૭૦૩. Page #390 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું ] આચાર્ય વિજયસિંહસર [ ૩૪૯ બન્યા અને કેટલાક યતિ બની રહ્યા. તે સૌની શિષ્ય પરંપરા ચાલી હતી. તે આ પ્રકારે– ૧. ભ૦ વિજયસિંહસૂરિની સંવેગી વિજય શિષ્ય પરંપરા પહેલી – ૬ આ. વિજ્યસિંહસૂરિ સ્વ. સં. ૧૭ ૮ ૬૨ પં. સત્યવિજ્યગણી. ૬૩ પં૦ કપૂરવિજયગણી. ૬૪ પં. ક્ષમાવિજયગણી. ૨. યતિ શિષ્ય પરંપરા બીજી – ૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬. પં. સત્યવિજયગણું ૬૩ ૫૦ જયવિજયગણ – સંભવ છે કે યતિ રહ્યા હેય. ૬૪ પં. મેઘવિજયગણ – તે શત્રુ તીર્થની રક્ષામાં નિમાયા હતા. ૬૫ પં. સુખવિજય – ૬૬ પં. ચંદ્રવિજયગણી – તે સં૧૭૭૮ના આ૦ સુપના રોજ વડેદ ગામમાં ચોમાસું હતા. ૩. યતિ શિષ્ય પરંપરા ત્રીજી ૬૧ મહે. કનકવિજ્યગણ –તે આ૦ વિજયસિંહસૂરિના હસ્તદિક્ષિત શિષ્ય હતા. મહ પુણ્યવિજ્યગણ – તે ભટ્ટાવિજ્યાનંદસૂરિ પક્ષના યતિ રહ્યા હોય. - ૬૩ ૫૦ ગુણવિજ્ય – તે મહો. કનકવિજયગણના હસ્તદીક્ષિત શિષ્ય હતા. તેમણે સં૦ ૧૬૭૨માં “વિજયસેનસૂરિનિર્વાણ સક્ઝાય”; સં. ૧૬૮૩માં ‘જયચંદદાસ”, સં. ૧૬૮૭ (સં. ૧૬૯૩)ના આ૦ જે ૨૨, Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ વ• «ા રોજ ડીસામાં “કેચર વ્યવહારિયા રાસ” રચે છે. ૬૪ પં માનવિય–તે મેટા વિદ્વાન હતા. ૬૫ પં. વિમલવિજયગણી. (૬૫) પં સુરવિજયગણી ૬૬ ૫૦ વિનીત વિજ્યગણી – તેમણે સં. ૧૯૭૧ના મહા વદિ ૩ ને રવિવારે ભવ્ય વિજયદ્ધિસૂરિના શાસનમાં જાહેરમાં શ્રી. ગેડી પાર્શ્વનાથની કૃપાથી રામચંદ્ર શ્રમણ રચિત “સિદ્ધાંતચંદ્રિકા” લખી. ૬૭ પં. વિનીતવિજ્યગણીના શિષ્ય મહે. રત્નવિજયગણ – તેઓ સં. ૧૭૩૦માં વિદ્યમાન હતા. (- શ્રી. પ્રશસ્તિ સંસહ ભા. ૨, પ્ર. નં. ૯૨૦) ૬૭ પં. ખીમાવિજયગણી. ૬૮ પં. અમરવિજય – તેમણે સં. ૧૭૮૮ના કા૦ સુ. પના રોજ બાલુસણમાં “ચઉસરણ પઈન્નય ”ની પ્રતિ લખી. ૬૫ પં. સુરવિજયગણું. ૬૬ ૫૦ વીરવિજયગણી. ૪ ભ૦ વિજયસિંહસૂરિની વિજયભટ્ટારક પરંપરા ચોથી ૬૧ આ. વિજ્યસિંહસૂરિ સ્વ. સં. ૧૭૦૮ ૬૨ ભ૦ વિજયપ્રભસૂરિ (પંવીરવિજ્યગણી)- તે ક્રિાદ્ધાર કરવા તૈયાર હતા પણ ભટ્ટા. વિજયદેવસૂરિએ તેમને ભટ્ટારક બનાવ્યા. - ૬૩–થી– ૬ ની પરંપરા વિશે માહિતી મળતી નથી. ૭૦ ભ૦ વિજયરાજેન્દ્રસૂરિ ૭૧ ભવ્ય વિજયમુનિચંદ્રસૂરિ ૭૨ ભ૦ વિજ્યકલ્યાણસૂરિ. તપાગચ્છના ગચ્છનાયકે અને ગીતાર્થો યોગ્ય મુનિ કે યતિને ગચ્છનાયક બનાવતા હતા. જેમ કે ભવ્ય વિજયદેવસૂરિએ પં. વર Page #392 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું ] આચાર્ય વિજયસિંહસૂરિ [૩૫૧ વિજ્યને ભ૦ વિજયપ્રભસૂરિ બનાવ્યા. વિમલશાખાના ભટ્ટારકે મુનિ કીતિવિમલને ગચ્છનાયક બનાવ્યા. વાચનાચાર્ય માણેકસિંહસૂરિને ગરછનાયક બનાવ્યા, જે ફરી વાર સંવેગી મુનિ બન્યા હતા. સંઘે મુનિ મેતીવિજયજીને ગચ્છનાયક બનાવ્યા હતા. ૫. શિષ્ય પરંપરા પાંચમી ૬૧ આ. વિજયસિંહસૂરિ સ્વ સં. ૧૭૦૮ ૬૨ મહા ઉદયવિજયગણી–તેમને ભટ્ટા, વિજયદેવસૂરિએ દીક્ષા આપી ને ઉપાઠ કનકવિજયગણીના શિષ્ય બનાવ્યા. તેમણે સં. ૧૭૨૮માં કિસનગઢમાં દિવાળીને રોજ “શ્રીપાલરાસ” રચ્યો. તેની પ્રશસ્તિમાં તેમણે સમકાલીન ઐતિહાસિક હકીકતે નેંધી છે. ભ૦ વિજ્યપ્રભસૂરિએ સં. ૧૭૨માં સેજિતમાં તેમને પચાસ બનાવ્યા અને તે પછી મહોપાધ્યાય બનાવ્યા. તેમણે કિસનગઢમાં શામળિયા પાર્શ્વનાથના જિનાલયમાં ભ૦ વિજયસિંહસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી. (કિસનગઢ અને આ પાદુકાના ઈતિહાસ વિશે જુઓ પ્રક. ૫૭) તેમણે દિવાળીનાં પાંચ-પાંચ કડીનાં બે પદો બનાવ્યા હતાં, જે સક્ઝાય તરીકે પ્રસિદ્ધ છે. ૬૩ પં. દેવવિજયગણ સં. ૧૭૬૦ ૬૪ પં. રવિવિજય–સં. ૧૭૨૫ આ સુ૦ ૮ ૬૩ પં. નયવિજયગણ તેમણે “સિદ્ધચક્રસ્તુતિ રચી. ૬૪ મુનિ કલ્યાણવિજય-સં. ૧૭૮૧ ૬. ભ. વિજયસિંહસૂરિની શિષ્ય પરંપરા છઠ્ઠી ૬૧ ભવ્ય વિજયસિંહસૂરિ ૬૨ ભ૦ વિજ્યપ્રભસૂરિ ૬૩ પં. ભાણુવિજ્યગણી–તેમના શિષ્ય પં. નયવિજયગણીએ “સિદ્ધચક્રસ્તુતિ રચી. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર] જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ તેઓ ભટ્ટા, વિજયસિંહસૂરિના શિષ્ય હતા. વિ. સં. ૧૭૩૨૩૫માં મહોવિનયવિજયગણીની સાથે ચોમાસું હતા. ૬૪ મહા લાવણ્યવિજયગણું – તે ભટ્ટા, વિજયદેવસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. પં. ભાણુવિજયના દીક્ષાશિષ્ય હતા. ભટ્ટાવિજયદેવસૂરિએ તેમને ઉપાધ્યાય બનાવ્યા હતા. તે ભ૦ વિજયદેવસૂરિ, ભવ્ય વિજયસિંહસૂરિ, ભ૦ વિજયપ્રભસૂરિના ઉપાધ્યાય હતા. તે શાંત, તપસ્વી, ત્યાગી અને મેટા વિદ્વાન હતા. તપાગચ્છના ગીતાર્થોમાં તેમનું ઊંચું સ્થાન હતું. મહે. માનવિજયગણું તેમને આ પ્રકારે પરિચય આપે છે. – “તિiારત-પાકા દર્શાવ્યાતાનિ તિઃ | માવાણવિષયવાર તમારા મિત્ર છે રૂ . (- ધર્મસંગ્રહ પ્રશસ્તિ ) એટલે મહ૦ લાવણ્યવિજયગણું સમકાલીન તપાગચ્છના ઉપાધ્યાયેમાં સૌથી મેટા હતા. સર્વમાન્ય હતા. મેટા વિદ્વાન હતા. તેમણે સં. ૧૭૩૧ના વૈ૦ સુત્ર ૩ના રોજ મહો. માનવિજયગણુકૃત “ધર્મ, સંગ્રહ ”નું સશેધન કર્યું હતું. ૬૫ ૫૦ મેરુવિજયગણું ૬૬ પં. વિનીતવિજ્યગણી – તેઓ ભટ્ટા, વિજયદેવસૂરિ સાથે ઔરંગાબાદમાં હતા. તેમણે “જિનરતવન ચોવીશી” રચી હતી. ૭. શિષ્ય પરંપરા સાતમી – ૬૧ ભ૦ વિજ્યસિંહસૂરિ ૬૨ ભવ્ય વિજયપ્રભસૂરિ ૬૩ ભ૦ પંભાણુવિજયગણી ૬૪ મહ૦ લાવણ્યવિજયગણી ૬પ ઉપાલક્ષ્મીવિજયગણી –તે ભવ્ય વિજયસિંહસૂરિના શિષ્ય પં. હર્ષવિજયગણ અથવા પં. ભાણવિજયગણના દીક્ષા શિષ્ય હતા અને મહ૦ લાવણ્યવિજયગણના વાચને શિષ્ય હતા. ૬૬ ૫ તિલકવિજયગણ – તેમણે સં. ૧૭૩૩ના કાસુ૯ Page #394 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહરિ [૩૫૩ ને શનિવારે રોહિણી નક્ષત્રમાં રચના કરી. ૬૭ ૫૦ હસ્તિવિજયગણું ૬૮ પં. નેમવિજયગણું – લઘુભ્રાતા પં૦ રૂપવિજયગણું તે સં. ૧૭૬પમાં વિદ્યમાન હતા. ૮. શિષ્ય પરંપરા આઠમી – ૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬૨ ભવ્ય વિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણુવિજયગણું ૬૪ મહ૦ લાવણ્યવિજયગણી ૬૫ ઉપા૦ લક્ષમી વિજયગણું ૬૬ ૫૦ અમરવિજયગણ તેમણે સં. ૧૭૭૦માં ચોમાસામાં નડિયાદમાં “સુરતના સં• પ્રેમના સંઘને રાસ” કડીઃ ૧૬૧ રચે છે. ૬૭ ૫૦ સૌભાગ્યવિજયગણું ૬૮ મુનિ જિતવિજય – તેમણે સં. ૧૮૧૦ને કા૦ સુ૧૩ ને ગુરુવારે સુરતમાં “ધન્ના – શાલિભદ્ર રાસ” લખ્યો, જે પં. જિનવિજયગણુએ સં. ૧૭–ા શ્રાવ વવ ૧૦ના રોજ સુરતમાં રચ્યો હતે. ૯. શિષ્ય પરંપરા નવમી – ૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણુવિજયગણું ૬૪ મહ૦ લાવણ્યવિજયગણું ૬૫ ૫૦ મહિમાવિજ્યગણું ૬૬ ૫૦ કવિ નીત્ય (નીતિ) વિજયગણ – જેઓ મહ૦ લાવણ્યવિજયના હસ્તદીક્ષિત શિષ્ય હતા. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ - ૬૭ ૫′૦ જવિજયગણી – તે સં૰૧૮૧ના ચૈ॰ સુ॰ ૧ના રાજ વિદ્યમાન હતા. - ૬૮ ૫′૦ ચ‘દ્રવિજયગણી −તે ૫૦ નીતિવિજયના દીક્ષા શિષ્ય હતા. સં૦ ૧૮૬૫ના પ્રથમ જેઠ સુદિ ૩ના રાજ સેવાડી ગામમાં ગેાલવાડમાં વિદ્યમાન હતા. આ વિજયદેવસૂરિના — ૬૪ મહા॰ લાવણ્યવિજયગણી ૬૫ ૫૦ મહિમાવિજય ૬૬ કવિ ૫૦ નિત્યવિજય. ૬૭ ૫.૦ ગ’વિજય – તેમણે સ′૦ ૧૭૭ના કા॰ સુ॰ ૧૩ ને શનિવારે માતરમાં ચામાસામાં ભ॰ વિજયક્ષમાસૂરિના રાજ્યમાં તેમના મોટા બંધુ ૫. દેવવિજયગણીથી અક્ષરજ્ઞાન પામી દાન પ્રબંધના આધારે ‘વીરસેન-કુસુમરાસ’ રચ્યા છે. ૧૦ શિષ્ય પરંપરા દશમી – ૬૧ આ॰ વિજયસિંહસૂરિ ૬૨ આ॰ વિજયપ્રભસૂરિ ૬૩ ૫′૦ ભાણુવિજયગણી ૬૪ મહા॰ લાવણ્યવિજયગણી ૬૫ ૫૦ મહિમાવિજયગણી ૬૬ પ નિત્ય ( નીતિ )વિજયગણી – તેમણે સ૦ ૧૭૪પના વે. • સુ. રને શુક્રવારે સુરત ખદરમાં સાધ્વી માણેકશ્રીજીની શિષ્યા સાધ્વી પ્રેમશ્રીની વિનંતીથી ‘નવસ્મરણના ટોા' લખાવ્યા. ૬૭ ૫૦ દેવવિજયગણી – તેઓ ભટ્ટા॰ વિજયક્ષમાસૂરિના મોટા ભાઈ હતા. તેમણે ૫૦ ગ‘વિજયજીને જ્ઞાન આપ્યું. તે સં૦ ૧૭૮૧માં ઘેાઘામાં વિદ્યમાન હતા. (પ્ર૪૦ ૩૮, પૃ૦ ૪, ૧૪) Page #396 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહરિ [૩૫૫ ૬૮ પં. કપૂરવિજયગણું ૬૯ મુનિ ખીમાવિજય–તે સં. ૧૭૭૭માં સિદ્ધપુરમાં ચોમાસું હતા. સં. ૧૭૮૧માં તક્ષનગરમાં અને સં. ૧૭૮૩માં પાટણમાં ચોમાસું હતા. ૬૯ મુનિ ઋદ્ધિવિજયજી – તે મુનિ ખીમાવિજયજીના ગુરુભાઈ હતા, સં. ૧૭૭૬માં સાંતલપુરમાં હતા. ૧૧ શિષ્ય પરંપરા અગિયારમી – ૬૧ આ. વિજયસિંહસૂરિ દર આ. વિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણવિજયગણી – સંભવ છે કે તેમનું બીજું નામ ભાનુવિજય હેય. ૬૪ પં• જિનવિજ્યગણું – તેમણે સં. ૧૭ન્ના શ્રાવ વ૦ ૧૦ ને ગુરુવારે સુરતમાં “ધન્ના - શાલિભદ્રારાસ રચ્યો છે. ૧૨ શિષ્ય પરંપરા બારમી – ૬૧ આ. વિજયસિંહસૂરિ ૬ર આવિજયપ્રભસૂરિ ૬૩ પં. ભાણુવિજયગણું ૬૪ પં. રાજવિજયગણ – તે સં. ૧૭૮૨માં રાનેરમાં હતા. તેમણે ૧ મેતાર્થ મુનિ સક્ઝાય, ૨ કિમણુની પૂર્વભવની “વિચરતા ગામે ગામ.આ છે લાલ” એ સઝાય રચી છે ને તે બહુ લોકપ્રિય બની છે. ૧૩ શિષ્ય પરંપરા તેરમી ૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] જૈન પરપરાના ઇતિહાસ [ પ્રકરણ ૬૩ ૫.૦ હ`વિજયગણી - તે ૫ં કનકવિજય ( ભ॰ વિજયસિંહસૂરિ)ના હસ્તીક્ષિત શિષ્ય હતા. ભ॰ વિજયસેનસૂરિના હાથે પન્યાસ બન્યા હતા; પરંતુ તે ભ॰ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહેતા હતા. તેથી તેમના શિષ્ય મનાતા હતા. ૧૪ શિષ્યપર પરાની ચૌદમી ૬૧ આ૦ વિજયસિ‘હરિ ૬૨ આ૦ વિજયપ્રભસૂરિ ૬૩ ૫′૦ હ་વિજયગણી ૬૪ ૫૦ લક્ષ્મીવિજયગણી—તે ૫૦ હ‘વિજયગણીના શિષ્ય હતા. મહેા લાવણ્યવિજયગણીના વિદ્યાશિષ્ય હતા તેથી તેઓ બંનેના શિષ્ય મનાતા હતા. ૬પ......... ૬૬ ૫.૦ રામવિજયગણી ૬૭ ૫૦ પ્રેમવિજયગણી—તે ૫′૦ રામવિજયગણીના શિષ્ય હતા. તેઓ સ. ૧૭૭૧માં ધમકડામાં હતા. તેઓ તથા તેમના ગુરુભાઈ મુનિ હેમવિજય સં૦ ૧૮૦૬માં નંગી ગામમાં હતા. ૧૫ શિષ્યપરપરા પંદરમી– ૬૧ આ॰ વિજયસિંહસૂરિ ૬૨ આ૦ વિજયપ્રભસૂરિ ૬૩ ૫′૦ હ વિજયગણી ૬૪ ૫૦ પ્રીતિવિજયગણી-સૌંઘપતિ રંગજી વીશા પારવાડ બુરહાનપુરના વતની હતા. તેણે મગશી, લેાધિ, રાણકપુર, વરકાણા, આબુ, અચલગઢ અને ગાડી પાર્શ્વનાથ તીના છરી પાળતા યાત્રાસઘ કાઢયો હતા. આથી તે સંઘપતિ કહેવાયા. તેને સં૦ ગેાડીદાસ નામે પુત્ર હતા. ૫ પ્રીતિવિજયે સ’૦ ગાડીદાસને માટે નલ ચાપાઈ ’ લખી હતી. માધવા Page #398 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું ] આચાર્ય વિજયસિંહસૂરિ [૩૫૭ ૧૬ શિષ્ય પરંપરા સેળમી ૬૧ આ. વિજ્યસિંહસૂરિ ૬૨ આ. વિજ્યપ્રભસૂરિ ૬૩ પં. લબ્લિવિય–તેઓ તથા તેમના શિષ્ય પં. તપવિજયગણું સં. ૧૭૭૭માં ધમકડામાં હતા. ૬૪ ૫૦ દીપવિજયગણી ૧૭ શિષ્ય પરંપરા સત્તરમી ૬૧ આ. વિજયસિંહસૂરિ દર આ. વિજયપ્રભસૂરિ ૬૩ ૫૦ દ્ધિવિજયગણ–તેમણે સં. ૧૭૫૭ના આ વરના રોજ મુનિ દેવપાલને ભણવા માટે વીસનગરમાં “ભુવનદીપક'નામક ગ્રંથ લખ્યો. ૬૪ ૫૦ ગુણવિજયગણી–તેમણે સં૦ ૧૭૪પના ચૈત્ર સુ. પના રોજ “સાદડી”માં “ભુવનદીપકને ટ” ર. ૬૫ પં. યશોવિજયગણી–સં. ૧૭૭૦ ૧૮ શિષ્ય પરંપરા અઢારમી ૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ ૬૩ પં. પ્રેમવિજ્યગણ–તે સં ૧૬૬૧માં રંગાબાદમાં હતા. ૬૪ પંકાંતિવિજયગણ – તેમણે સં. ૧૭૬લ્માં ડભાઈ માં “એકાદશી રતવન, સં. ૧૭૭૫માં પાટણમાં “મહાબલ-મલયાસુંદરીરાસ...સં. ૧૭૯૯૯માં રાધનપુરમાં “સૌભાગ્યપંચમી માહાસ્ય સ્તવન, હીરાવધબત્રીશી”, “આઠમનું સ્તવન”, “જિનસ્તવનચાવીશી” વગેરે કૃતિઓ રચી હતી. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] જેન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ૧૯ શિષ્ય પરંપરા ઓગણીસમી– ૬૧ આ. વિજયસિંહસૂરિ ૬૨ આ. વિજયપ્રભસૂરિ ૬૩ મહ૦ વિમલવિયગણ–તેઓ ભટ્ટાવિજ્યપ્રભસૂરિના શિષ્ય હતા. તથા ૬૩માં ભવ્ય વિજયરત્નસૂરિના બંને રીતે ભ્રાતા હતા. ૧ ૬૪ પં શુભવિગણ–તેઓ ભ૦ વિજિનેન્દ્રસૂરિના ઉપધ્યાય હતા. ૬૫ પં. રામવિજયગણી–તેઓ મહેo વિમલવિજ્યના હસ્તદિક્ષિત તથા વિદ્યાશિષ્ય પણ હતા. (પં. રામવિજયજી પણ ઘણા થયા છે. મહ૦ વિમલવિજયગણીના શિષ્ય પં. રામવિજયગણીએ ઘણુ ગ્રંથો રચ્યા છે.). ૨૦ શિષ્ય પરંપરા વીસમી ૬૧ આ. વિજયસિંહસૂરિ દર આવિજયપ્રભસૂરિ ૬૩ મહે. વિમલવિયગણી–તેઓ ૬૩મા ભટ્ટાવિજયરત્ન સૂરિના મોટા સહોદર હતા. દીક્ષાવસ્થામાં ગુરુભ્રાતા હતા. તેમ જ તેમના ઉપાધ્યાય હતા. તે સં૦ ૧૭૩૨ થી ૧૭૩પ સુધી પંન્યાસ હતા. તે સં. ૧૭૩૫ના ચિ. સુ૭ના રોજ આગરામાં હતા. ૬૪ મહા શુભવિજયગણું–તે ૬૭માં ભ૦ વિજય જિનેન્દ્રસૂરિના ઉપાધ્યાય હતા. ૧. પંવિમલવિજયજી ઘણા થયા છે. તે આ પ્રમાણે– (૧) વિજયદેવસૂરિસંધના ભ૦ વિજયપ્રભસૂરિના શિખ્ય મહે. વિમલવિજય. (૨) વિજયાનંદસૂરિ સંધના ભટ્ટા, વિજયમાનસૂરિના શિખ્ય મહ૦ વિમલવિજય. (૩) મહ૦ ધનવિજ્યગણીના શિષ્ય પં. વિમલવિજય (પ્રક. ૫૮), (૧) મહાઇ કનકવિજયગણીની પરંપરાના પં૦ માનવિજયગણના શિષ્ય પં. વિમલ વિજય Page #400 -------------------------------------------------------------------------- ________________ એસ&પુ”] આચાર્ય વિજયંસ હરિ ૬૫ ઉપા૰ નયનવિજયગણી—૫* હસ્તિવિજયગણી ૬૬ ૫૦ ભક્તિવિજચગણી—તે ૫* હિત( હસ્તિ )વિજયગણીના શિષ્ય હતા. ૬૭ ૫* શુવિજયગણી—તે ૫૦ હસ્તિવિજયગણીના હસ્તદીક્ષિત શિષ્ય હતા. ૨૧ શિષ્ય પર પરા એકવીસમી– ૬૧ ભ॰ વિજયસિ‘હસૂરિ ૬૨ ભ॰ વિજયપ્રભસૂરિ ૬૩ મહા વિમવિજયગણી ૬૪ મહેા॰ શુભ વિજયગણી-તે વિજિનેન્દ્રસૂરિના ઉપા– ધ્યાય બન્યા. ૬૫ ૫′૦ હિતવિજયગણી ૬૬ ૫’૦ માણિકયવિજયગણી ૬૭ ૫' પદ્મવિજયગણી ૬૮ ૫′૦ જિતવિજયગણી ૨૨ શિષ્ય પરપરા બાવીસમી ૧ ૬૧ ભ॰ વિજયસિંહસૂરિ ૬૨ ભ૰ વિજયપ્રભસૂરિ ૬૩ મહા॰ વિમલવિજયગણી [ ૩૫ ૬૪ મહા॰ શુભવિજયગણી ૬૫ ૫૦ હિત ( હસ્તિ )વિજયગણી ૬૬ ૫.૦ માણિકથવિજયગણી – તથા તેમના ભાઈ ૬૬મા ઉત્તમસુંદરગણી હતા. ૧ ૫′૦ જિતવિજયગણી તથા તેમના શિષ્ય ૬૯માં ૫૦ જ્ઞાનવિજયગણી સ′′૦ ૧૭૭૮માં જૂનાગઢમાં હતા. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ ૬૭ ૫.૦ વિવિજયગણી – તે સ’૦ ૧૭૮૩માં અમદાવાદમાં ના-ગારીશાળામાં હતા. ૨૩ શિષ્ય પરપરા ત્રેવીશમી– ૬૧ ભ॰ વિજયસિંહસૂરિ ૬ર ભ॰ વિજયપ્રભસૂરિ ૬૩ મહા॰ વિમલવિજયગણી ૬૪ ૫*૭ વીરવિજયગણી ૬૫ ૫૦ અમીવિજયગણી સ’૦ ૧૭૯૫ ૨૪ શિષ્ય પરપરા ચેાવીશમી ૬૧ ભ॰ વિજયસિંહસૂરિ ૬ર ભ॰ વિજયપ્રભસૂરિ ૬૩ મહે।૦ વિમલવિજયગણી ૬૪ ૫′૦ અમૃતવિજયગણી ૬૫ ૫′૦ જયવિજયગણી ૬૬ ૫* દેવેન્દ્રવિજયગણી—તેમણે સ‘૦ ૧૭૮૯માં લેાહિયાણામાં “ હેમીનામમાલા ” રચી. ૨૫ શિષ્ય પરંપરા પચીસમી ૬૧ ભ॰ વિજયસિ‘હરિ ૬૨ ભ॰ વિજયપ્રભસૂરિ ૬૩ ભ૦ વિજયરત્નસૂરિ ૬૪ ઉપા॰ દેવવિજયગણી – તેમણે ઘણા ગ્રંથા રચ્યા છે, તે આ પ્રકારે – ૧ સ૦ ૧૭૬૦માં ‘ નેમ-રાજુલ મારમાસ સ્તવન', ૨ સ. ૧૭૬૯માં માંડવી બંદરમાં ‘શીતલનાથ સ્તવન ”, ૩ સ ૧૭૬૯માં પાદરમાં 6 નેમરાજુલ–બારમાસ સ્તવન ', ૪ સં Page #402 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ [ ૩૬૧ ૧૭૭૮માં કડીગામમાં “રૂપસેન રાસ.”૫ સં. ૧૭૭૮ના ચોમાસામાં સુરતમાં “જિનસ્તવન ચોવીશ.” ર૬ શિષ્ય પરંપરા છવ્વીસમી – ૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬૨ ભર વિજયપ્રભસૂરિ ૬૩ પં. મુક્તિવિજયગણી ૬૪ પં. ભક્તિવિજ્યગણી ૬૫ ૫૦ વિદ્યાવિજયગણ (૬૫ ૫૦ ડુંગરવિજયગણી) ૬૬ પંરૂપવિયગણી – તેઓ ભ૦ વિજય જિનેન્દ્રસૂરિની આજ્ઞામાં હતા. તેમની વિનંતીથી પં. વિનીતસાગરગણુના શિષ્ય મુનિ જસાગરે સં. ૧૭૯ના ફા. સુ. ૧ના રોજ સૂર્યપુરમાં આ રત્નશેખરસૂરિના “આચારપ્રદીપ” ગ્રંથ પર ગુજરાતીમાં “બાલાવધ” રચ્યો છે. ( – પ્રક. ૫૫ પૃ૦ ૧૨૨) ૬૭ પંરંગવિજયગણું – તેઓ મેટા પુણ્યપ્રભાવક પુરુષ હતા. ૬૮ ઉપા. વલભવિજયગણી – તે મેટા વિદ્વાન હતા. ભ૦ વિજ્યધરણે દ્રસૂરિની આજ્ઞામાં હતા. તેમણે “ભ૦ વિજયધરણંદ્રસૂરિ સક્ઝાય” બનાવી છે. (જે. સ. પ્ર. ૪૦ ૯૭) ૬૯ ૫૦ પ્રેમવિજયગણ – તેમણે સં. ૧૯૪ત્રા મ. સુ. ૧ ને બુધવારે ભવ્ય વિજયરાજસૂરિના રાજ્યમાં શત્રુંજયતીર્થમાં ભવ્ય વિજયજિનેન્દ્રસૂરિ વસતી (ટૂક)માં ૧૨ ઈંચને એક આરસપટ્ટ બનાવ્યો. તેમાં પિતાના પૂર્વજ ગુરુદેવ પં. મુક્તિવિજયગણીથી ઉપા૦ વલ્લભવિજયગણ સુધીના મુનિઓની ૭ ચરણપાદુકાઓ બનાવી તેની પ્રતિષ્ઠા કરી. (જ. સ. પ્ર. ક્ર. ૯૨ ૫૦ ૨૪૯) Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] જેન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ શિષ્ય પરંપ સત્તાવીશમી ૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬૨ ભ૦ વિજયપ્રભસૂરિ ૬૩ પં. મુક્તિવિજયગણું ૬૪ પ૦ ભક્તિવિજ્યગણી ૬૫ પં. વિદ્યાવિજયગણું ૬૬ ૫૦ રૂપવિજયગણું ૬૭ ૫૦ માનવિજયગણું ૬૮ પં. કસ્તૂરવિજયગણ – તેઓ સં. ૧૮૧૫ના વૈ૦ સુ૭ ને રવિવારે સુરતમાં હતા. શિષ્ય પરંપરા અઠ્ઠાવીસમી – ૬૧ ભવ્ય વિજયસિંહસૂરિ ૬૨ ભ૦ વિજયપ્રભસૂરિ ૬૩ ૫૦ મુક્તિવિજયગણ ૬૪ પં. ભક્તિવિજયગણી ૬૫ ૫૦ ગંગવિજયગણું ૬૬ પં. નરોત્તમવિજયગણું સં૧૮૯૪ ૬૭ પં• વિવેકવિજયગણ – સં. ૧૮૯૩ ૨૯ શિષ્ય પરંપરા ઓગણત્રીશમી – ૬૧ ભવ્ય વિજયસિંહસૂરિ ૬૨ ભ૦ વિજયપ્રભસૂરિ ૬૩ પં૦ મુક્તિવિજયગણું ૬૪ પં, ભક્તિવિજયગણી ૬૫ પં. ગંગવિજયગણી Page #404 -------------------------------------------------------------------------- ________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહરિ [૩૬૩ ૬૬ પં૦ રૂપવિયગણી ૬૭ પં, રંગવિજયગણી ૬૮ પં. અમૃતવિજ્યગણી – તેમણે “જિનસ્તવન વીશી” રચી. નોંધ – તેમના વિશેષ પરિચય માટે જુઓ પ્રક. ૫૫, “માણિભદ્ર મહાવીર.” ૩૦ શિષ્ય પરંપરા ત્રીશમી – ૬૧ ભ૦ વિજ્યસિંહસૂરિ ૬૨ ભ૦ વિજ્યપ્રભસૂરિ ૬૩ પં. હેમવિજયગણી, પં૦ દીપવિજયગણી ૬૪ પં. પ્રતાપવિજ્યગણી. ૬૫ પં૦ રૂપવિજયગણ – તેમના વિશેષ પરિચય માટે જુઓ શિષ્ય પરંપરા છવ્વીસમી” ૬૬ ૫૦ માનવિજયગણી. ૬૭ ૫૦ કસ્તૂરવિજયગણી ૩૧ શિષ્ય પરંપરા એકત્રીશમી – ૬૧ ભ૦ વિજ્યસિંહસૂરિ ૬૨ ભ૦ વિજ્યપ્રભસૂરિ ૬૩ મુનિ સુમ (હેમ)વિજયગણું ૬૪ મુનિ ગજવિજયગણી ૬પ મુનિ રૂપવિજયગણી ૬૬ મુનિ હેમવિજ્યગણી ૬૭ મુનિ અમૃતવિજયગણ – વિશેષ પરિચય માટે જુઓ “શિ. પ૦ ૨૯ મી” ૬૮મા મુનિ અમૃતવિજયગણી” તેમણે ઘણું લખ્યા હતા. તેમણે સં. ૧૮૮૫થી ૧૦૩ સુધીમાં લખેલા ગ્રંથ બાલાપુરના જૈન ગ્રંથભંડારમાં વિદ્યમાન છે. (જે. સ પ્રત્ર ક્ર. ૬૨, ૫, ૭૪ થી ૦૬) Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ ૩ર શિષ્ય પરંપરા બત્રીશમી – ૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬૨ ભ૦ વિજ્યપ્રભસૂરિ ૬૩ પં. ગંગવિજ્યગણી ૬૪ પં. મેઘવિજ્યગણી – તેમણે સં. ૧૭૩૮માં વજીરપુરમાં ધર્મામાં શા. આશકરણ પારેખની વિનંતીથી “રતવન ચોવીશી” રચી. Page #406 -------------------------------------------------------------------------- ________________ 46 પ્રકરણ - બાંસઠમું ૫૦ સત્યવિજય ગણિવર सौंयमवाङ्मयकुसुमरसैरति नुरभय निजमध्यवसाय | चेतनमुपलक्षय कृतलक्षणज्ञान चरणगुण पर्यायम् ॥ वदनमल कुरु पाघनरसनं जिनचरितं गाय गायम् । सविनयशान्तिसुधारसमेन चिरं नन्द पाय पायम् ॥ (સચમના પ્રતિપાદક જૈન વાઙમયરૂપ પુષ્પના રસવડે પેાતાના અધ્યવસાયને—પરિણતિને-મનેાવૃત્તિને અતિ સુગંધિત કર ! જ્ઞાનચરણુ ગુણુપર્યાયરૂપ લક્ષણને કરનારા તારા ચેતનને તુ' ઓળખ ! જીભને પવિત્ર કરનારા પ્રભુના ચરિતને ગાઈ ગાઈ ને હું વિનયશીલ આત્મા! આ શાંતિરૂપી સુધારસને પી પીને લાંબા કાળ સુધી આનદમાં મગ્ન રહે !) ( – વિનયવિજય, શાંતસુધારસ - સંવરભાવના – વિભાવન અષ્ટમ પ્રકાશ – છેલ્લાં બે પદ્ય) – જન્મ – લાડણુના, દુગડ ગેાત્રના શા॰ વીરચંદ ઓશવાલ જૈનની પત્ની વીરમદેવીએ સંભવતઃ સ` ૧૬૫૬માં લાડણુમાં એક માળકને જન્મ આપ્યા ને તેનું નામ શિવરાજ રાખ્યું. - દીક્ષા —— ભ॰ વિજયસેનસૂરિની આજ્ઞાથી ભ॰ વિજયદેવસૂરિએ સંભવતઃ સ. ૧૬૭૧માં માતા વીરમદેવીની સમ્મતિથી ૧૪ વર્ષના શિવરાજને દીક્ષા આપી આ વિજયસિ’હસૂરિના શિષ્ય બનાવ્યા. અને તેમનું નામ રાખ્યુ. મુનિ સત્યવિજય. તેમના જન્મસ વત્. અને દીક્ષાસ વત્ મળતા નથી પણ અમે અહી' અનુમાનથી ખતાવ્યા છે. ૧૪ વર્ષની ઉંમરે દ્વીક્ષા લીધા પછી સ* ૧૭૧૦ સુધી ભ॰ વિજયદેવસૂરિ અને આ॰ વિજયસિંહસૂરિ સાથે જ તેઓ વિચરતા હતા. અભ્યાસ – તેઓએ ગીતા મુનિ પાસે શાસ્ત્ર સિદ્ધાંતના ઊ અભ્યાસ કર્યાં હતા. જે ૨૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તે પરમ શાંત, સંવેગી, સંયમી, વિદ્વાન, તપસ્વી, ધ્યાની હતા અને શાસનની પ્રભાવના કરવામાં સદા તત્પર રહેતા. તેમને દાદાગુરુ અને ગુરુદેવ તરફથી સાચા ત્યાગી બનવાને ઉપદેશ મળેલો તે તેમની રગેરગમાં વ્યાપી ગયો હતો. તેઓ આ 2 વિયસિંહસૂરિ સાથે કિદ્ધાર કરી સંવેગી મુનિ બનવા તૈયાર હતા. ક્રિોદ્ધાર– ભટ્ટાવિજયદેવસૂરિની તીવ્ર અભિલાષા હતી કે, તપાગચ્છમાં કિદ્ધાર કરી ફરી સંવેગી માગ પ્રવર્તાવો. આથી તેમણે પોતાની સાથેના મુનિઓ અને યતિઓને વૈરાગ્યને ઉપદેશ આપી કિદ્ધાર માટે તૈયાર કર્યા. પરિણામે આ વિજયસિંહસૂરિ, પ. સત્યવિજ્યગણી, પં. વીરવિજયગણી, પંઋદ્ધિવિજ્યગણ વગેરે સંવેગી મુનિ બનવાને ઉત્સુક થયા હતા. પટ્ટક – આ. વિજયસિંહસૂરિએ ઉપરના કારણે સં. ૧૭૦૬ના મહા સુદિ ૧૩ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં સંવેગી સાધુ-સાધ્વીને પાળવાના નિયમોનો ૪૫ બેલનો પટ્ટક ગુરુદેવની નિશ્રામાં બનાવ્યો. તેમાં પં. સત્યવિજયગણી, ૫૦ વીરવિજયગણું, ૫૦ ઋદ્ધિવિજય ગણું વગેરેના હસ્તાક્ષર થયા છે. પરંતુ દેવયોગે આ. વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ના મ. સુત્ર ૨ ના રોજ અમદાવાદના નવાપરામાં સંવેગીભાવનામાં જ સમાધિપૂર્વક સ્વર્ગગમન થયું. આથી નવા ગચ્છનાયક બનાવવા પ્રશ્ન પહેલો ઊઠો. - વ્યવસ્થા – પં. સત્યવિજયગણ અને પં. વીરવિજયગણ એ બંને એશવાલ હતા. એ બંને સંવેગી મુનિ બનવાને સર્વ રીતે તૈિયાર હતા. બંને જણું ગચ્છનાયક બનવાને તથા સંવેગી મુનિઓના અગ્રણું બનવાને ચગ્ય હતા. ભટ્ટા વિજયદેવસૂરિએ નિર્ણય કર્યો કે આ બેમાંથી એકને ગચ્છનાયક અને બીજાને મુનિઓના આગેવાન બનાવવા. તેમણે સર્વ પ્રથમ પં. સત્યવિજયગણીને ગચ્છનાયક ભટ્ટારક બની શાસનસેવા કરવાને સમજાવ્યા. પણ તે તો આત્મરંગી હતા. અભુત ત્યાગી અને ધ્યાની મહાત્મા હતા. તેમણે પોતે ગચ્છનાયક બનવાની સાફ ના પાડી અને પં. વીરવિજયગણ ગચ્છનાયક બને તેમાં સમ્મતિ આપી. Page #408 -------------------------------------------------------------------------- ________________ બાસઠમું ] પં. સત્યવિજય ગણવર [ ક ૨૭ આથી ભ૦ વિજયદેવસૂરિએ ગીતાર્થોની તથા સંઘના આગેવાનની સમ્મતિ મેળવી. સં. ૧૭૧૦ના વેસુ૧૦ને શુકવારે ગંધાર બદરમાં ભ૦ મહાવીર સ્વામીના જિનપ્રાસાદ પાસેના મંડપમાં વિવિધ નગરોના સંઘની હાજરીમાં ૫૦ વીરવિજયગણુને આચાર્યપદ આપી તેમનું વિજયપ્રભસૂરિ નામ રાખવામાં આવ્યું. તે પછી સં. ૧૭૧૨ના માગશર મહિનામાં અમદાવાદમાં આ. વિજયપ્રભસૂરિને ભટ્ટારકપદ આપવામાં આવ્યું અને આ વિજયદેવસૂરિએ તેમને પોતાની પાટે સ્થાપન કરી તેમને ગ૭નાયક તરીકે જાહેર કર્યા. શ્રી આચારજ પૂછીને, કરૂં કિયા ઉદ્ધાર; નિજ આતમ સાધન કરૂં, બહુને કરૂં ઉપગાર.” પછી પં. સત્યવિજયગણિવરે સં. ૧૭૧૧ના મ. સુ. ૧૩ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ભવ્ય વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી ભ૦ વિજયસિંહસૂરિએ નકકી કરેલી યોજના મુજબ ભ૦ વિજયદેવસૂરિની નિશ્રાની પ્રધાનતા રાખી ક્રિયા દ્વાર, સંગીપણું સ્વીકાર્યું. તેઓ તપાગચ્છના વિજયદેવસૂરિ સંઘમાં જ રહ્યા. એ વખતે પં. સત્યવિજયગણી, મહ૦ વિનયવિજયગણી, મહ૦ યશોવિજયગણી અને ઋષિ ઋદ્ધિવિમલ ગણી વગેરે ૧૮ મુનિવરો અને શેહાના શેઠ જેવંત પોરવાડ (પં. શુભવિજયગણની ગૃહસ્થપણાની બેન સહજ) તે સાધ્વી લાભશ્રાની શિષ્યા સાવ સહજશ્રી વગેરે ઘણી સાધ્વીઓએ ક્રિોદ્ધાર કરી સંવેગી મુનિપણું સ્વીકાર્યું હતું. યોજના – ભવ્ય વિજયસિંહસૂરિએ જાહેર કર્યું હતું કે આપણે સૌ ઘરબાર છેડી આવ્યા છીએ તે હવે જેને જેને ખરેખર તે મેહ છોડીને જીવનમાં ત્યાગને આદશ વણી લેવા ત્રણ યોગે ઉત્કટ ભાવના હોય તે કિયોદ્ધાર કરીને સંવેગી મુનિ બને અને જેને આ વિલાસ ન હોય તે યતિ બની રહે, પણ મુનિ તથા યતિ સૌએ ગચ્છનાયકની આજ્ઞા પાળવાની છે, આપસ આપસમાં હળીમળીને રહેવાનું છે અને ધર્મની પ્રભાવનામાં એકબીજાના પૂરક બની રહેવાનું છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] જેન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ૪૧ મે બેલ – આ• વિજયસિંહસૂરિએ જપ બેલને પટ્ટક જાહેર કર્યો હતો તેમાં ૪૧મ બેલ બહુ મહત્ત્વનું હતું. તે આ પ્રમાણે હતે –“૪૧. તપાગચ્છની સામાચારી ઉપર, પંચાંગી ઉપર તથા વીતરાગની પૂજા ઉપર અવિશ્વાસ હોય તેની સાથે સર્વથા વ્યવહાર ન કરે.” (– .સ – પ્ર ક્રમાંક : ૧૪૯) આ ૪૧મા બેલમાં શુદ્ધ જૈન માર્ગનું પ્રતિપાદન કરેલું છે. ચતિ અને મુનિ બંનેએ આ પ્રમાણે વર્તવામાં કોઈ બાધ આવતે નહોતો. અને કેની કોની સાથે વ્યવહાર ન રાખવો ? તેની સ્પષ્ટ વ્યવસ્થા બતાવવામાં આવી હતી. વસ્ત્ર – તપાગચ્છના ભટ્ટારક આણંદવિમલસૂરિ વગેરેએ સં. ૧૫૮૭માં કિદ્ધાર કર્યો હતો ત્યારે વ્યવસ્થા બનાવી હતી કે, કિદ્ધાર કરેલા સંવેગી મુનિઓ કાથા રંગથી રંગેલું વસ્ત્ર પહેરે. (- પ્રક. ૫૫, પૃ૦ ) એટલે ત્યારથી મુનિઓ માટે કાથિયા રંગનાં વસ્ત્રોની પ્રવૃત્તિ ચાલુ થઈ. સં. ૧૭૧૧માં પં. સત્યવિજયગણ વગેરેએ ક્રિાદ્ધાર કરી સંવેપણું સ્વીકાર્યું ત્યારે તેમણે પણ ઉપર મુજબ વસ્ત્રને કાથાથી રંગવાનું જારી રાખ્યું હતું. મહ. ક્ષમાકલ્યાણજીએ ખરતરગચ્છમાં ક્રિાદ્ધાર કર્યો ત્યારે તેમણે પણ કાળારંગથી પીળાં વસ્ત્ર કરવાનું જાહેર કર્યું હતું. (- પ્રક. ૪૦, પૃ. ૪૯૩) એટલે મુનિ અને યતિમાં આ વસ્ત્રોથી ધોળિયા તે શ્રીપૂજ અને કેશરિયા તે સંવેગી સાધુ એવી ઓળખાણ સહેજે થતી હતી. પરંતુ વિકેમની વીશમી સદીમાં આમાં પરિવર્તન આવ્યું ત્યારથી સંવેગી મુનિએ પોતાના મુખ્ય વસ્ત્રને કાથાના રંગને બદલે પીળા રંગથી રંગવા લાગ્યા. કેસરિયો-પીળો રંગ એ તે કેસરિયા-આદિનાથ ભગવાનના ૧ સાધ્વી સહજ શ્રી માટે જુઓ પ્રક. ૫૮, પ્રકા ૬૧ તથા “ શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા – ૨ પ્ર. નં. ૭૦૩ Page #410 -------------------------------------------------------------------------- ________________ બાસઠમુ‘1 ૫. સત્યવિજય ગણિવર [ ૩૨ ૯ ભક્ત, જૈન શાસન માટે કેસરિયાં કરવાનું સાહસ તથા શાંતિભાવનાનુ' પ્રતીક છે એમ સમજવામાં આવતું હતું. ૫૦ સત્યવિજયગણીએ ક્રિયાન્દ્રાર કર્યાં ત્યારે ભ૦ વિજયપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષા પર્યાયમાં, પંન્યાસપઢવીમાં અને અનુભવમાં પણ સૌથી નાના હતા, પણુ ભ॰ વિજયદેવસૂરિએ તેમના સ્વભાવ અને વ્યક્તિત્વ જોઈ ને તેમને ગચ્છનાયક બનાવ્યા. પણ શરૂઆતમાં તેઓ નવાસવા હેાવાથી ગરવ્યવહારના અનુભવ મેળવવા ૧૧ વર્ષો સુધી સેારમાં વિચર્યા અને સં ૧૯૨૨ – ૨૭માં સુરત પધાર્યા. તેમણે ગચ્છનાયકની લગામ હાથમાં લીધી એટલે બધા ગીતાર્થો, બધા તિઓ અને મુનિઓ તેમની આજ્ઞામાં આવી ગયા. મર્યાદા ગચ્છમર્યાદા એવી હાય છે કે, નાના—મેટા સૌ યતિવરે – મુનિવરે ગચ્છનાયકની આજ્ઞા માને. જેમ કે મેટા મહેા. વિમલહ ગણી, મહે।૦ ધસાગરગણી, મહા॰ સામવિજય ગણી, મહે।૦ પ્રીતિ વિજયગણી, મહા૦ કલ્યાણવિજયગણી, મહા કેવલવિજયગણી, મહા॰ કનકવિજયગણી, વગેરે ગીતાર્થો પેાતાનાથી નાના કે મોટા એવા ગચ્છનાયકા ભ॰ વિજયહીરસૂરિ, ભ॰ વિજયસેનસૂરિ, ભ॰ વિજયદેવસૂરિ, ભ॰ વિજયપ્રભસૂરિની આજ્ઞા લેતા અને માનતા હતા અને તે ભટ્ટારકા પણ તે તે ગીતાર્થોનુ - ખૂબ માન-સન્માન કરતા હતા. ――― આ રીતે ૫૦ સત્યવિજયગણી, મહા વિનયવિજયગણી, ઉપા૦ ૫૦ અÀાકવિજયગણી વગેરે ભટ્ટા॰ વિજયપ્રભાસૂરિની આજ્ઞા માનતા હતા. અને ભ॰ વિજયપ્રભસૂરિ તે સૌનું બહુમાન કરતા હતા. ખીજી રીતે એમ પણ કહી શકાય કે ભટ્ટા॰ વિજયપ્રભસૂરિ સર્વથા ૫૦ સત્યવિજયગણિવરની સલાહ લઈ ને આજ્ઞાએ ફરમાવતા. આવી મર્યાદા હેાવાથી સવેગી મુનિવરો અને તિએમાં સુમેળ બની રહ્યો હતા. પરિણામે તપાગચ્છનુ મજબૂત એકમ બની ગયું હતું. ઇતિહાસ કહે છે કે,— “ભુ॰ વિજયપ્રભસૂરિ સં૦ ૧૭૩૨ થી ૧૭૩૫ સુધી મારવાડમાં Page #411 -------------------------------------------------------------------------- ________________ ઉ૭૦] જેન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ વિચર્યા હતા. સં.....માં બગડી ગામમાં ચાતુર્માસ રહ્યા હતા ત્યારે તેમની સાથે ૫૦ હેમવિજ્યગણી, પં. વિમલવિજય, પં. ઉદયવિમલ, ૫૦ સત્યવિજયગણ અને પ્રતાપવિજયગણ વગેરે ગીતાર્થો તથા મુનિવરો હતા અને તે જ સાલમાં ઉપા૦ વિનયવિજ્યગણું ઉજજૈનમાં ચાતુર્માસ રિથત હતા. તેમની સાથે પં૦ માનવિજયગણી, પં. હર્ષવજયગણી, ઋષિ ભાણજી, મુનિ ભાણુવિજયગણું, મુનિ કેવલવિજય, મુનિ પુષ્પવિજય વગેરે ગીતાર્થો તથા મુનિવરો તેમજ સાધ્વીજી સહજશ્રી વગેરે સાધ્વીજીઓ હતાં. ( – ઉજજૈન સંઘનું વિજ્ઞપ્તિપત્ર) જીવનપરિચય – પં. સત્યવિજ્યગણિવર શાંત, ત્યાગી, વૈરાગી અને વિદ્વાન હતા. સાચા જ્ઞાની–અનુભવી પુરુષ હતા. શુદ્ધ કિયાના પ્રેમી હતા. અધ્યાત્મયોગી હતા. તેમની ઉપદેશશક્તિ અમેઘ હતી. તેઓ ઉપદેશમાં ત્યાગ અને વૈરાગ્યને જ ખૂબ પષતા હતા. તે મેડતા, નાગોર, જોધપુર, સેજત તથા સાદડી વગેરે પ્રદેશોમાં વધુ પ્રમાણમાં વિચરતા હતા અને તેમણે એ તરફ જ વધુ ચાતુર્માસે નિર્ગમન કર્યા હતાં. શ્રીયુત મતીચંદ ગિરધરલાલ કાપડિયા જણાવે છે કે, – આ વિચાર અને દાખલાઓની તે યુગના સાહિત્ય પર અસર થઈ જણાય છે. સત્યવિજયજી પંન્યાસ જેવા મૂળ પાટ છોડી વિજ્યસિંહસૂરિના સમયમાં બહાર નીકળી જઈ ક્રિોદ્ધાર કરે કે આચાર્યપદ લેવાની આનાકાની કરે એમાં ઊંડે એગ કારણ જણાય છે.” શ્રીમાન્ આ મારામજી મહારાજે “જૈન દર્શનના પૃત્ર ૬-૮માં જણાવ્યું છે કે – શ્રી સત્યવિજયજીગણ કિદ્ધાર કરી શ્રી. આનંદઘનજી સા બહુ વર્ષો સુધી વનવાસમાં રહ્યા હતા, તથા મહાતપયા, ગાભ્યાસ પ્રમુખ કર્યું. જ્યારે બહુ જ વૃદ્ધ થઈ ગયા અને પગમાં ચાલવાની શક્તિ પણ ન રહી ત્યા અણહિલપુર પાટણમાં આવી રયા.” Page #412 -------------------------------------------------------------------------- ________________ બાસઠમું ] ૫. સત્યવિજય ગણિવર [૩૭૧ આ ઘટના ઉપરથી ગમાર્ગને માટે શ્રી આનંદઘનજીની કેટલી અસર તે યુગ ઉપર થઈ હતી તે જણાય છે. છતાં આ બાબતમાં દિગંબરોના શુષ્ક અધ્યાત્મવાદની જે પ્રરૂપણા બનારસીદાસે કરી હતી અને જેને માટે તેમને જીવનના ઉત્તરભાગમાં ખેદ થયે હતો તેની રિથતિ વેતાંબર સમાજની થઈ નહોતી. (- જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિ. પૃ. ૫૭૮ ) શ્રી સત્યવિજય પંન્યાસ અત્યંત અધ્યામી છતાં અને વનવાસમાં આનંદઘનજી સાથે રહ્યા હોવા છતાં ખૂબ કિયા-તત્પર હતા, એમ એમના જીવનથી અનેક સાત્ત્વિક ક્રિયાઓ જળવાઈ રહી છે તે ઉપરથી જણાય છે. એ સર્વ વાતને સમવય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે “૩પ૦ ગાથાના સ્તવન”માં સીમંધરસ્વામીને વિનંતી રૂપે કર્યો છે. એ એકાંત કિયાગ કે જ્ઞાનયેગમાં સાર નથી એમ બતાવી, જ્ઞાન-ક્રિયાને સહકાર કરવા ભલામણ કરી છે. ( – ઢાળઃ ૧૬, ગા. ૫૪ ) આ વિશેષતાના રવીકારથી જૈન શ્વેતાંબર સમાજ ટકી રહેલ જણાય છે. આ જ્ઞાન-ક્રિયાને સહકાર બતાવનાર તે કાળના ગ્રંથમાં જસવિલાસ, વિનયવિલાસ જ્ઞાનવિલાસ વગેરે કૃતિઓ છે. (–મ ગિઈ કાપડિયા કૃત “શાંતસુધારસ ' ગ્રંથનું ગુજરાતી વિવેચનનું અવલોકન, પૃ. ૧૫૦, ૧૫૧ ) પં. સત્યવિજયજીગણીએ સં. ૧૭૫૪માં અમદાવાદમાં ચોમાસું કર્યું, સં. ૧૭૫૫માં પાટણમાં ચોમાસું કર્યું અને સં૦ ૧૭૫૬ના પિષ મહિનામાં તેઓ બીમાર પડયા. પાંચ દિવસ બીમાર રહ્યા. પં. સત્યવિજયગણ સં. ૧૭૫૬ના પોષ સુદિ (વદ) ૧૨ ને શનિવારે સિદ્ધિગમાં પાટણમાં અનશન સ્વીકારી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. મહ. વિવેકહર્ષગણિવરના શિષ્ય પં. જિનહર્ષગણીએ સં... ..માં “સત્યવિજયગણિ નિર્વાણરાસ” રચે છે. સંભવ છે કે, પં. જિનહર્ષગણુનું બીજું નામ પં. જિનવિજયગણું હોય.' ૧. પં. સત્યવિજય ગણુ બીજા પણ થયા છે. તેમનું સં. ૧૭૭૯ ના પોષ વદ ૧૪ ના રોજ રવ ગમન થયું હતું એમ ગ્રંથપ્રશરતની નોંધથી જણાય છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ફેર | જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ ૫૦ સત્યવિજય ગણીએ સં૦ ૧૭૧૧માં સવેગીમાગ સ્વીકાર્યા હતા તેમ આ॰ વિજયાળુ દસૂરિની પર‘પરાના ૫૦ ઋદ્ધિવિમલગણીએ સં. ૧૭૧૧માં ધાણુધારના પાલનપુર પાસેના ગાલા ગામમાં ભ॰ મહાવીરસ્વામીના જિનપ્રાસાદમાં મહા॰ યશેાવિજયગણીની મદદથી ક્રિયાકાર કર્યા. તેમની પરંપરામાં અનુક્રમે સ‘વેગી વિમલમુનિ શાખા ચાલી હતી. ( પટ્ટાવલી સમુચ્ચય ભા – ૨, પુરવણી, પૃ॰ ૧૭૧, રહર ) આ આણુ વિમલસૂરિની પર‘પરાના મુનિ નવિમલે એટલે આ॰ જ્ઞાનવિમલસૂરિએ સ’૦ ૧૭૪૯માં પાટણમાં મહે। યશેાવિજયજીએ ખતાવેલી રૂપરેખા મુજબ ક્રિયાદ્વાર કરી સ`વેગી મુનિપણું સ્વીકાર્યું”. - પૂર્વ આનંદઘનજી મહારાજ આ સમયે પ્રસિદ્ધ અધ્યાત્મયેાગી લાભાનંદજી થયા. તેમનું લેાકપ્રસિદ્ધ નામ હતું શ્રી આનંદઘનજી. - વિ॰ સ’૦ ૧૯૨૭માં રચેલા ‘ સમેતશિખરરાસ' માં ૫૦ રગવિજયગણી લખે છે કે, ‘ તે ( આન'ધનજી) અસલમાં મેડતાના ૫૦ સવિજયગણીના નાના ભાઈ હતા. , ર ( : જૈ સ॰ પ્ર૦ વર્ષ : ૧૩, અંક : ૮, પૃ ૧૬૫) ચાવીશી ’સ્તવન ૨૪ અને શ્રી. આન ધનજીના · જિનસ્તવન આન ઘન પદા ૧૮ રચેલાં મળે છે. મહે॰ યશે વિજયગણીએ તેમની ‘અષ્ટપદી સ્તુતિ’ રચી છે. પ્રભાવ કા—આ સમયે નીચે મુજબ ઘણા જૈન જયેાતિ રા થયા હતા. ૧. અધ્યાત્મ મહાચેાગી પૂ॰ આન ધનજી મ૰ર્મહા॰ વિનયવિજયજી ગણી ૩ મહે।૦ યશેાવિજયજી ગણી, ૪ મહા૦ મેઘવિજયજી ગણી, ૫ મહે। માનવિજયજીગણી (ભટ્ટા॰ વિજયમાનસૂરિ), ૬ ૫૦ મેરુવિજયગણી ૭ મહેા॰ લાવણ્યવિજયજીગણી ૮ મહા૦ વિમલવિજય ગણી, ૯ ૫૦ ભાણુવિજયગણી, ૧૦ ઉપા૰ રવિન ગણી, ૧૧ ૫૦ ભીવિજયગણી (મહા સામવિજયગણીની પરપરાના ) ૨. સંભવ છે કે, તેએ તપાગચ્છની હતું કે આનંદ શાખાના મુનિ હતા, ૫૦ પરમાનંદગણીના શિષ્ય હતા, જે દીક્ષાવસ્થામાં ૫૦ સત્યવિજયગણીથી નાના અને મરા॰ ચાવિજચગણીથી મેાટા હતા, Page #414 -------------------------------------------------------------------------- ________________ ૫. સત્યવિજય ગણિવર આ સમયે તપાગચ્છની વિવિધ પટ્ટાવલીએ રચાઈ. જૈન ગ્રંથભડાર ખાસમુ ] જૂનાગઢના શા પાસવીર પેારવાડે ભટ્ટા॰ વિજયપ્રભસૂરિના ઉપદેશથી સ૦ ૧૭૧૧ના પાષ વિદ ૧૦ના રાજ જૂનાગઢમાં આગમાના જૈન ગ્રંથભડાર બનાવ્યા. (– શ્રી. પ્રશસ્તિસંગ્રહ ભાર, પ્ર૦ નં ૮૬૦) ― વિશેષ ઘટનાઓ – ( પાંચમુ' નામ ) – ---- [ ૩૭૩ સ૦ ૧૯૧૧ના વૈ॰ સુ૦ ૧૩ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ૫૦ સત્યવિજયગણીથી તપાગચ્છની સ‘વેગીશાખા નીકળી. આથી તપાગચ્છનું પાંચમું નામ ‘ સંવેગી ’ પડયુ. ’ - શાખાઓ — સ’૧૭૧૦ના વૈ॰ સુ॰ ૧૦ને શુક્રવારે ગંધારમાં ભ॰ વિજયદેવસૂરિએ ભટ્ટા॰ વિજયપ્રભસૂરિને આચાય બનાવ્યા ને સ. ૧૯૧૨ના માગશર મહિનામાં અમદાવાદમાં ગચ્છનાયક બનાવી ભટ્ટારક બનાવ્યા. તેમની પર પરા ‘ શ્રપૂજ ' તરીકે પ્રસિદ્ધિ પામી. સં૦ ૧૯૧૨ થી તપાગચ્છમાં નવમી તિશાખા નીકળી. સં૦ ૧૭૪૯માં સાંડેર ગામમાં ભ૦ જ્ઞાનવિમલસૂરિથી તપાગચ્છમાં દશમી ‘વિમલ શાખા નીકળી. આ અરસામાં લાંકામતના ભટ્ટા૰ મેઘરાજ ( સ્વ. સ′૦ ૧૭૨૫ )ના શિષ્ય ઋષિ આણુદે પેાતાના શિષ્ય યતિ તિલકને શ્રીપૂજ બનાવી ખભાતની લેાંકાગચ્છની ગાદીએ શ્રીપૂજ તરીકે સ્થાપન કર્યાં. આ ગાદીમાં માત્ર ૧૮ તિએ જ હતા તેથી આ શાખાનું નામ ‘ અઢારિયા’ પડયું હતું. ખરતરગચ્છના ભટ્ટા॰ જિનચંદ્રસૂરિના ઉપા॰ સુમન મેરુગણીના શિષ્ય તિ માનજી બિકાનેરવાળાએ સં. ૧૭૪૫ના વૈ॰ સુ૦ પના રાજ લાહેારમાં વૈદ્યકના વિવના ” નામે ગ્રંથ રચ્યા. Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ –સઠમું પં. કવિજયજી ગણી ગુજરાતના પાટણ પાસે વાગરાડ ગામના વતની શાભીમજી પોરવાડની પત્ની વીરાએ સં. ૧૭૦૪માં એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ કાનજી રાખવા આવ્યું હતું. માતા-પિતાના મરણ પછી કાનજીને પાટણમાં કુઆને ત્યાં આવવું પડયું. - પં. સત્યવિજયજીગણ વિહાર કરતા પાટણ આવ્યા. તેમની ઉપદેશવાણું સાંભળીને કાનજીને વૈરાગ્યભાવ જાગૃત થયો. તેણે કુઆની સંમતિ મેળવી ગુરુ પાસે દીક્ષાની યાચના કરી. - પં સત્યવિજય ગણીએ સં. ૧૭૨૦ના માગશર સુદિમાં ૧૪ વર્ષના કાનજીને દીક્ષા આપી, પોતાને શિષ્ય બનાવ્યા, જેનું મુનિ કપૂરવિર્ય નામ રાખવામાં આવ્યું. તેઓ રાતદિવસ સાધુના ચાર પાળી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા અને ગુરુ સાથે રહી વિહાર કરતા રહ્યા. તેમણે આવશ્યક સૂત્રોનું પઠન કર્યું. વિજ્યપ્રભસૂરિએ કપૂરવિજયને યોગ્ય જાણી આનંદપુરમાં પંડિત પદ આપ્યું. " સં. ૧૭૫૭ના પિષ માસમાં તેમના ગુરુ પં. સત્યવિજય ગણી સ્વર્ગસ્થ થયા તેમના પટ્ટધર તરીકે પં૦ કપૂરવિજય થયા. પં. કપૂરવિજયે વઢીયાર, મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, રાધનપુર, સાચેર, સાદરા, સોજીત્રા, વડનગર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા. વૃદ્ધાવસ્થાના કારણે છેલે પાટણમાં ચાતુર્માસ રહ્યા. તેમણે ઉપધાન માલારોપણ અને બિંબપ્રતિષ્ઠા વગેરે અનેક ઘર્મકૃત્ય કરાવ્યાં. એકંદરે તેઓ ત્યારે સરવશાળી અને કીર્તિશાળી હતા. પાટણમાં સં. ૧૭૭૫ના શ્રાવણ વદિ ૧૪ ને સોમવારે કપૂર Page #416 -------------------------------------------------------------------------- ________________ સેંસઠમું ] પં. કવિજયજી ગણી [ ૩૭૫ વિજય કાળધર્મ પામ્યા. શ્રીસંઘ બહુમાન સાથે તેમની મરણેત્તર ક્રિયા કરી. સં૧૭૭૫ના શ્રાવ વવ ૧૪ ને સેમવારે તેઓ સ્વર્ગસ્થ થયા. તેમને ૧ વૃદ્ધિવિજય અને ૨ ક્ષમાવિજય નામે બે ઉત્તમ શિષ્ય હતા. તેઓ સારી પ્રસિદ્ધ પામ્યા. ૧ ૫૦ વૃદ્ધિવિજય ગણી ગુજરાતના વડનગર પાસે આવેલા ડાભલા ગામમાં શેઠ આનંદસાગર રહેતા હતા. તેમની પત્નીનું નામ ઉત્તમદે હતું. તેમને બઘા નામે પુત્ર હતો. માતા ઉત્તમદે અને બે વીસનગરમાં આવીને વસ્યા. પં. સત્યવિજ્યગણિએ બાઘાને ઉપદેશ આપી, વૈરાગ્ય પમાડી સં. ૧૭૩૫માં ચાણમા ગામમાં દીક્ષા આપી. પં. કપૂરવિજ્યના શિષ્ય બનાવી તેમનું નામ મુનિ વૃદ્ધિવિજય રાખ્યું. ભટ્ટા. વિજયપ્રભસૂરિએ તેમની યોગ્યતા જોઈ પંન્યાસ પદવી આપી. તેમણે સં. ૧૭૬માં પાટણમાં ચાતુર્માસ કર્યું. તેઓ સં. ૧૭૭૦ ના કા૦ વદિ અમાવાસ્યાના રોજ પાટણમાં કાળધર્મ પામ્યા. પં. જિનવિજ્યગણીએ તેમની જીવનનેધ લખી રાખી હતી. ગ્રંથરચના – પં. વૃદ્ધિવિજયગણીએ સં. ૧૭૨૩ના આ૦ સુ ૧૫ ને ગુરુવારે સુરતમાં મહ. યશવિજયગણુની કૃપાથી “ઉપદેશમાલાને બાલાવબેધ” અને “રતવનચોવીશી” બનાવ્યાં. તે ચોવીશીની ૬ નકલ – પ્રતિ-સુરતમાં શ્રાવિકા ફૂલબાઈને ભણવા માટે લખી. તેમણે “જીવવિચાર રતવન” રચ્યું છે. તેમને પં, રંગવિજય નામે શિષ્ય હતા. ૨. પં. ક્ષમાવિજ્યગણ – (જુએ પ્રકટ ૬૪ મું) ૩. પં. મણિવિજયગણ તેમણે “૧૫૮ કર્મપ્રકૃતિની સક્ઝાય” કડીઃ ૨૨ રચી છે. તે ભવ્ય વિજયપ્રભસૂરિના ઉપાટ ઉદયવિજયગણની આજ્ઞામાં હતા. તેમના શિષ્ય મુનિ ભાગ્યવિજયે સં૦ ૧૭૬૬ના ચોમાસામાં પાટણમાં “નવતત્ત્વરતવન” કડી ઃ ૧૬૭ બનાવ્યું. વિશેષ ઘટનાઓ – આ સમયે સંઘે તપાગચ્છના ભટ્ટાવિજય પ્રભસૂરીના ઉપદેશથી સં. ૧૭૬૦માં શંખેશ્વરતીર્થને જીર્ણોદ્ધાર Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ કરાવ્યો. ભ૦ વિજય રત્નસૂરિ અને પં. ભીમવિજયગણીના ઉપદેશથી બાદશાહ ઔરંગઝેબે સં. ૧૭૩૬માં અજમેરમાં ફરમાન લખી આપ્યું હતું. મુસલમાનેએ અત્યાર પહેલાં અજમેર, મેડતા, જત, જયતારણ અને જોધપુર વગેરે સ્થાનોના ઉપાશ્રયે દબાવ્યા હતા તે તે ઉપાશ્રયે તેની પાસેથી જૈન સંઘને પાછા અપાવ્યા હતા. ભ૦ વિજય રત્નસૂરિના રાજ્યમાં પં. ઉત્તમસાગર શિષ્ય પં ન્યાયસાગરગણીએ સં. ૧૭૬૬ના ભાવ સુ. પના રોજ “સમ્યકૃત્વવતસ્તવન’ રહ્યું છે. તપગરછની સેમસૂરિશાખાના પં. ધનવિમલ ગણીએ સં. ૧૭૭૧ માં “પન્નાવણુસૂત્રનું વાતિક બનાવ્યું. ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિના ઉપા. સુમનમેરુગણીના શિષ્ય યતિવર માનજી બિકાનેરવાળાએ સં. ૧૭૪૫ના વૈ૦ સુત્ર ૫ના રોજ લાહોરમાં વિદ્યકનો “કવિવિનોદ” નામે ગ્રંથ બનાવ્યો. શેઠ નાગજી ભૂધર દશા પોરવાડે સં. ૧૭૬૦ના શ્રા. સુ. ૨ ના રોજ અમદાવાદમાં નાગજી ભૂધરની પોળ બનાવી હતી. તેમના વંશના બાર વ્રતધારી શેઠ કચરાભાઈ અમૃતલાલ સં. ૨૦૧૫ના કા. સુત્ર ૧૧ તા. ૨૧–૧૧–૧૯૫૮ને શુકવારે અમદાવાદમાં મરણ પામ્યા હતા. આજે તેમના પુત્રો ૧ શાંતિલાલ, ૨ ૫૦ માનવિજયગણ અને ૩ જયંતિલાલ વિદ્યમાન છે. (– સં. ૧૯૦૮ના પિ૦ સ૦ ૩ તા. ૨૫-૧૨૧૮૫૧ ગુરુવારે અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં પ્રકાશિત કરેલ “ અમદાવાદને ઈતિહાસ.) Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચેાસઠમું ૫૦ ક્ષમાવિજય ગણી જૈનાના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલા આબુના રમણીય પર્યંત પાસે પાયંદ્રા નામે ગામ છે, જ્યાં શ્રી. પાર્શ્વનાથ પ્રભુનુ મનાહર ચૈત્ય શૈાભી રહ્યુ છે ત્યાં એશવાલવંશીય ચામુંડા ગેાત્રના શાહ કલા નામે શ્રેષ્ઠી વસતા હતા. તેમની પત્નીનું નામ વનાં. તેનાથી એક પુત્ર જન્મ્યા, જેનુ નામ ખેમચંદ રાખવામાં આવ્યું હતુ. પ્રેમચઢને માતાપિતાના ધાર્મિક સૌંસ્કાર મળવા લાગ્યા. તેણે વ્યાવહારિક શિક્ષણ પણ લીધું. સં૦ ૧૭૨૨ લગભગમાં આ ખેમચંદને કાઈ કારણસર અમદાવાદ આવવાનું થયું. તે પેાતાના સંબંધીને ત્યાં અમદાવાદના પ્રેમાપુરા નામના પરામાં ઊતર્યાં હતા. આ જ સમયે ૫૦ કપૂરવિજયજીગણીના શિષ્ય પ૦ વૃદ્ધિવિજયગણી પ્રેમાપુરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તેમની દેશના રાજ સવારે થયા કરતી. ખેમચંદ પણુ એક દિવસ આ મુનિની દેશના સાભળવા આવી ચડયો. ૫૦ વૃદ્ધિવિજયની વૈરાગ્યભરી વાણી સાંભળતાં ખેમચના હૃદયમાં વૈરાગ્યભાવ જાગૃત થયેા. તેણે ગુરુને દીક્ષા આપવા વિન`તી કરી. ૨૨ વર્ષની ઉંમરે સ′૦ ૧૭૪૪ ના જેષ્ઠ સુદિ ૧૩ના દિવસે શ્રી. વૃદ્ધિવિજયગણીએ પ્રેમચંદને દીક્ષા આપી અને તેનું નામ ક્ષમાવિજય રાખવામાં આવ્યું. તેમણે સિદ્ધાંતશાસ્ત્રના અભ્યાસ શરૂ કર્યાં. તેમણે યાત્રાધામામાં વિહાર કરવાના વિચાર કર્યાં. તેથી આબુ, અચલગઢ, સિરાહી વગેરે સ્થળામાં વિહાર કર્યાં અને ત્યાંનાં બધાં ચૈત્યાનાં દર્શન કર્યાં. ત્યાંથી વસંતપુર, સાદડી, રાકપુર, ઘાણુરાવ, લેાઢાણા, વરકાણા વગેરે તીર્થોનાં ભાવથી વંદન કર્યા.. ત્યાંથી નાડાલ, નાડલાઈ વગેરે તીર્થાંનાં દૃન કર્યાં. ત્યાંથી ઉદ્ભયપુર, ડુંગરપુર, સાગવાડી, લેવા, ( કેશરિયાજી ), ઈડર, વડનગર અને વીસલપુર વગેરે સ્થળામાં વિહાર કર્યાં. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ ગુરુ કપૂરવિજયજી અમાવાઇ હતા. ત્યાં સરસપુરમાં શ્રી ક્ષમાવિજયજીને પેાતાની પાર્ટ મેસાડી ગુરુએ પાટણ તરફ વિહાર કર્યાં. પછી તેા ક્ષમાવિજયજી પણ પાટણ પધાર્યા. તેમને પન્યાસપઢવી આપવામાં આવી. ૫૦ ક્ષમાવિજયગણીએ ત્યાંથી શખેશ્વરની યાત્રા કરી ત્યાંથી પાછા પાટણ આવ્યા, અને શ્રેષ્ઠી ઋષભશાહની વિનતિથી જિનબિંખાની પ્રતિષ્ઠા કરાવી. સ. ૧૭૭૪માં લગભગ ૯૦૦ જિનેશ્વરાની પ્રતિષ્ઠા કરી. સ‘૦ ૧૭૭૫માં ૫’૦ કપૂરવિજયજીએ સ્વર્ગ વાસ કર્યાં. ૫૦ ક્ષમાવિજયગણી ત્યાંથી સિદ્ધપુર, મહેસાણા, ચાણુસમા, રાધનપુર, સાચાર, સમી, સાંતલપુર, વાવ, વીસલનગર, વડનગર, વઢવાણ, તારંગા વગેરે થળે વિહાર કર્યો અને પ્રભુ-પ્રતિષ્ઠાએ કરાવી. ત્યાંથી તે અમદાવાદ આવ્યા. ત્યાંથી સુરતના શ્રીસ ધની વિનતિથી તે તરફ વિહાર કર્યાં. પ્રથમ ખંભાત આવ્યા. અહીનાં ૪૮ જિનાલયાનાં દર્શન કર્યા. ત્યાંથી કાવી આવ્યા. ભેાંયરામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી જ બૂસર, ભરૂચ થઈ સુરત પધાર્યા. સ’૦ ૧૭૮૦નું ચાતુર્માસ સુરતમાં કર્યું.... સુરતથી તેઓ અમદાવાદ આવ્યા. તેમના વિદ્વાન શિષ્ય તે દોશીવાડાનીપાળમાં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે જિનવિજયજીને અહી ખાલાવ્યા. તેમને સઘ ભળાવ્યા. સ. ૧૭૮૬ના આસા મહિનાની ૧૧ના દિવસે કાળ કર્યો. શ્રીસ`ઘે સાબરમતીના કિનારે તેમના દેહના અગ્નિસ`સ્કાર કર્યાં. તેમના સ્મરણાર્થે શૂભ કરવામાં આવ્યા. ૫૦ ક્ષમાવિજયજીએ ‘ પાનાયસ્તવન 'ની રચના કરી છે. બીજી કૃતિએ જાણવામાં આવી નથી. આ સમયે અમદાવાઢમાં ઘણા રાજપલટા થયા હતા. જોધપુરના મહારાજા અભસિંહ રાઠાડે પિલાજીરાવ ગાયકવાડને મારી અમદાવાદ પેાતાને કબજે કર્યુ. દિલ્હીના ૧૭મેા બાદશાહ મહમુદ Page #420 -------------------------------------------------------------------------- ________________ ચેસઠમું ] પં. ક્ષમા વિજય ગણું [૩૩૯ તથા મહારાજા અભયસિંહે રતનસિંહ ભંડારી (સં. ૧૭૮૯ થી ૧૭૯૩)ને અમદાવાદનો નાયબ સૂબા ની. રતનસિંહ ભંડારીએ સં. ૧૭૮૧ના વિ૦ સુદ ૮ના રોજ શત્રુજયતીર્થ પર વિમલવસહીમાં જિનાલય બંધાવી તેમાં ભ૦ વિજયક્ષમાસૂરિના પટ્ટધર ભ૦ વિજયદયાસૂરિના હાથે સહસ્ત્રફણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આ સમયે સુરતના સંઘપતિ પ્રેમજી પારેખે બાદશાહ ફરુખશિયરની પરવાનગી મેળવી તપાગચ્છના ભટ્ટા જ્ઞાનવિમલસૂરિના ઉપદેશથી સં. ૧૭૭૦ના ચૈત્ર સુ. ૧૦ના રોજ સુરતથી શત્રુંજયતીર્થનો છરી પાળા યાત્રા સંઘ કાઢ્યો હતો. તેણે સંઘમાં ભ૦ જ્ઞાનવિમલસૂરિ, ૫૦ દીપસાગર, પં. સૂર્યાસાગર, તપાગચ્છની સાગરશાખાના ભ૦ લક્ષમીસાગરસૂરિ, તપાગચ્છના ભવ્ય વિજય રત્નસૂરિ, આ. વિજય ઋદ્ધિસૂરિ, મહ૦ લાવણ્યવિજય ગણીની પરંપરાના પં. અમરવિજય ગણી, તપાગચ્છની રત્નશાખાના પં. દાનરનગણના શિષ્ય પં૦ જ્ઞાનરત્નગણી, પં. ઉદયરત્નગણી વગેરેને સાથે લીધા હતા. ( – પ્રક. પ૭) સંઘે વિશાખ સુદિ ૬ થી વિશાખની અમાવાસ્યા સુધી તીર્થયાત્રા કરી. સંઘપતિએ સં. ૧૭૭૦ના જેઠ સુદ ૧૦ ના રોજ તીર્થમાં ભ૦ જ્ઞાનવિમલસૂરિના હાથે તીર્થમાલા પહેરી. પં. ખીમાવિજયગણના શિષ્ય ૫૦ જસવિજયગણીએ સં. ૧૭૮૪ના ભાવ વવ ૫ ને ગુરુવારે પાટણમાં નારંગા પાર્શ્વનાથની કૃપાથી “જિનસ્તવનચાવીશી” રચી હતી, ૬૪ ૫૦ ખીમાવિજયગણી, ૬૫ પં. જસવિજયગણ, ૬૬ ૫૦ શુભવિજ્યગણી, ૬૭ (૧) ૫૦ ભાણુવિજયગણ, (૨) પં. ધીરવિજયગણી, (૩) ગુરુભાઈ પં. વીરવિજયગણે. શત્રુંજ્યતીર્થના એક શિલાલેખ (નં. ૧૦૨)માં ૫૦ વીરવિજ્યને પં. ધીરવિજ્યગણના શિષ્ય બતાવ્યા છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] જૈન પરંપરાના ઇતિહાસ ૫૦ વીરવિજયગણીના ઉપદેશથી અમદાવાદના જૈન સ`ઘે સ...૦ ૧૯૦૮ના ફા૦ ૩૦ પના રાજ ઉજમણામાં નાના ૪ પૂ ડિયાં બનાવ્યાં હતા, તેમાંનું એક પૂર્કિયુ. હાલ શ'ખેશ્વરતી માં છે. (- જૈન સ॰ પ્ર૦ વર્ષ : ૭ અંક : ૮, પૃ૦ ૪૩૦) ૫૦ રંગવિજયગણીએ સ’૦ ૧૮૧૦માં ‘સમ્મેત શિખર તી રાસ ’ અને ૫૦ વિરવીજય રાસ • ચેા છે. 6 - ( − પૃ૦ ' જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સૌંચય ’ - ૮૬ થી ૧૦૫, સાર – પૃ૦ ૩૬ ) - ' Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંસઠમું પં. જિનવિજયગણી “સદા ળેિ વિરતા બિજનેશનશિતઃ વા જાહ્નવિકાન વેત્તા રાહgrrrવિતા || વિનાશિના વાઢાનત શિષ્યઃ માત્ર દા – પં. પદ્મવિજય, “વરસ્તુતિહુ ડી સ્તવનના ટબાની પ્રશસ્તિ') અમદાવાદમાં શ્રીમાલી શા. ધર્મદાસ નામે શ્રેષ્ઠી વસતા હતા. તેમની પત્ની લાડકુંવરબાઈ થી સં ૧૭પર લગભગમાં એક પુત્રને જન્મ થયો. તેનું નામ ખુશાલ રાખવામાં આવ્યું. ખુશાલને સાત વર્ષની વયે નિશાળે ભણવા મૂક્યો હતો. તેણે સારી રીતે વ્યાવહારિક શિક્ષણ લીધું. પં. ક્ષમાવિજ્યગણ વિહાર કરતા અમદાવાદમાં આવ્યા. તેમના રાયચંદ નામના શ્રેષ્ઠી ભક્ત હતા. શામળાની પળમાં રહેતા હતા. તેઓ દેશ-વિદેશને વેપાર ખેડતા. પણ પગે પગરખું પહેરતા નહતા. હંમેશાં ગરમ પાણી પીતાઆ રાયચંદભાઈની પ્રેરણાથી ખુશાલ તેમની સાથે પં. ક્ષમાવિજયજીગણને ઉપદેશ સાંભળવા ગયે. ગુરુના ઉપદેશથી ખુશાલનું મન વિરાગ્યવાસિત થયું. તેણે ગુરુને દીક્ષા આપવા વિનંતી કરી. ગુરુએ સંયમની કઠોરતા સમજાવી. ચારિત્રના કઠોર માર્ગ પર વિચરવાની ખુશાલે તૈયારી બતાવી. તેણે માતાપિતાની રજા લઈ સં. ૧૭૭૦ના કાર્તિક વદિ ૬ ને બુધવારના રોજ દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મુનિ જિનવિજય રાખવામાં આવ્યું. અમદાવાદથી તેઓ ગુરુ સાથે વિહાર કરતા પાટણ આવ્યા. પાટણના અગ્રણે શ્રાવક ઋષભે સં. ૧૭૭૪માં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ સમયે પં. ઉત્તમવિજયજી વિદ્યમાન અને પં. ક્ષમાવિજયજી વિદ્યમાન હતા, તેમની સાથે મુનિ જિનવિજયજી હતા. તેમણે પાટણમાં ચાતુર્માસ કર્યું. સં. ૧૭૭૫ના શ્રાવણ વદિ ૧૪ ને સેમવારના રોજ પં. કપૂરવિજયજી સ્વર્ગસ્થ થયા, Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] જૈન પરંપરાનો ઇતિહાસ [પ્રકરણ તેઓ પાટણથી અમદાવાદની માંડવીની પોળમાં ચાતુર્માસ રહ્યા. તે પછી અનેક ગામોમાં ચાતુર્માસ કર્યો. છેવટે તેઓ અમદાવાદ આવ્યા. શ્રી જિનવિજયજીને સંઘનો ભાર સેપી પં. ક્ષમાવિજય ગણી સં ૧૭૮રના આ સુદિ ૧૧ના દિવસે સ્વર્ગસ્થ થયા. પં. જિનવિજયજી અમદાવાદથી વિહાર કરતા ભાવનગર થઈ ઘોઘા આવ્યા. ઘોઘામાં ચાતુર્માસ સ્થિત રહ્યા. ત્યાંથી શત્રુંજયની યાત્રા કરી, શંખેશ્વરની યાત્રા કરી પાટણ આવ્યા. પાટણથી આબુની યાત્રાનો સંઘ નીકળે તેમાં તેઓ મુખ્ય હતા. ત્યાંથી સિરોહી, સાદડી, રાણકપુર, ઘાણેરાવ, નાડેલ, નાડલાઈની યાત્રા કરી. નાડલાઈમાં ચાતુર્માસ ગાળ્યું. પછી વરકાણ વગેરે તીર્થોની યાત્રા કરતા તેઓ પાટણ આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. પછી શખેશ્વરની યાત્રા કરી નવાનગર, ગિરનાર, શત્રુંજય, ભાવનગર વિહાર કર્યો. અહીં અમદાવાદથી ત્રણ જણ દીક્ષા માટે આવ્યા. તેમને દીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ આવી ચાતુર્માસ કર્યું. ત્યાંથી સુરતમાં ચાતુર્માસ અથે પધાર્યા. સુરતથી ગંધાર, આમેદ, જબુસર થઈ પાદરા ચાતુર્માસ માટે આવ્યા. અહીં આવી આઠ દિવસ બીમાર રહ્યા ને ૪૭ વર્ષની ઉંમરે સં. ૧૭૯૯ ના શ્રાવણ સુદિ ૧૦ ને મંગળવારના રોજ તેઓ સ્વર્ગસ્થ થયા. અહીં કિસન નામના શ્રાવકે તેમના અગ્નિસંસ્કારના સ્થળે શૂભ કરાવ્યો. તેમના જીવનની ટૂંકી નોંધ પં ઉત્તમવિજયે રાખી હતી. તેઓ ૫૨ ખીમાવિજયના શિષ્ય હતા અને મોટા કવિ તરીકે ખ્યાતિ પામ્યા હતા. સાહિત્ય – તેમણે સં. ૧૭૧૯માં વડનગરમાં “કપૂરવિજ્યગણી રાસ”. સં. ૧૭૮૬માં “પં. ક્ષમાવિજયરાસ, સં. ૧૭૮લ્માં અમદાવાદમાં બે “જિનસ્તવનવીશીએ તથા જિનરતવન બાવીશી,” સં. ૧૭૮૩માં પાટણમાં “જ્ઞાનપંચમીસ્તવન”, “મહાવ્રતની ૨૫ ભાવનાની સક્ઝાય” ઢાળ : ૫ તથા “મેં તો આણું વહસ્યાંજી” અને પર્યુષણ પર્વની સ્તુતિ વગેરે રચ્યાં હતાં. Page #424 -------------------------------------------------------------------------- ________________ પાંસઠમું] ૫૦ જિનવિજય ગણી [૩૮ પં. જિનવિજ્યગણુ મહાસમર્થ જ્ઞાની પુરુષ હતા. તેમણે પોતાના સાહિત્યમાં પ્રાચીન તિર્ધરોની સંસ્કૃત વાણીને ગુજરાતી કવિતામાં ઝીલી છે. દા. ત. કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિએ વીતરાગસ્તોત્રમાં આ શ્લોકો મૂક્યો છે. " सुषमाते। दुःषमायां कृपा फलवती तत्र । मेरुतो मरुभूमौ हि श्लाध्या कलातरु स्थितिः ॥" આના સ્થાને પં. જિનવિજયગણ આ રીતે રજૂઆત કરે છે.– ઉત્તમ આચારજ મુનિ, શ્રાવક શ્રાવિકા અચ્છજી; લવણ જલધિમાં મીઠું જલ, પીવે શૃંગી મચ્છજી. વીર જિર્ણોદ. ૧ મારે તે સુષમાથી દુઃષમાં, અવસર પુણ્યનિધાન; ક્ષમાવિજય જિન વીર સદાગમ, પામ્ય સિદ્ધિ નિધાન જી. વીર જિણંદ૦૨ (- દિવાળી સ્તવન) તેમનું ભ૦ અરનાથનું “મેં તે આણાં વહેચ્યાંજી” સ્તવન અને પર્યુષણ પર્વ સ્તુતિ” વગેરે રચનાઓ બહુ લોકપ્રિય છે. તેમની પરંપરા આ પ્રકારે છે. ૬૪. ૫૦ ખીમાવિજયજીગણી ૬૫, પંચ પદ્ધવિજ્યગણી, પં. રત્નવિજય વગેરેએ જુદી જુદી સ્તવન ચેવશી રચી છે. આ સમયે પં. સુરચંદ્રગણુના શિષ્ય પં. હેમચંદ્રગણીએ ક્રિયાદ્ધાર કરી સંવેગીમાગ સ્વીકાર્યો હતો. આશરે સં. ૧૮૧૦માં ભ૦ વિજ્યાનંદસૂરિ શાખાની ઐતિહાસિક “વીરવંશાવલી” રચાઈ છે. તાર-ટપાલ – લોર્ડ ડેલહીસી (ઈ. સ. ૧૮૪૮ થી ૧૮૫૬ સુધી) ભારતને વૈયસરોય હતા ત્યારે ભારતમાં નહેરો અને પુલમાં સુધારા થયા હતા. તેમ તાર-ટપાલ-શિક્ષણખાતું વગેરે શરૂ થયાં હતાં. ( – પ્રક. ૪૮, પૃ. ૧૧૨) Page #425 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છાસઠમું પં. ઉત્તમવિજયગણું “ વર્ષાતિરસ્કૃતિરાતરાવિવાર उत्तमाद् विजयस्तस्य शिष्योऽभूत् भूरिशिष्यकः ॥ ७ ॥ અમદાવાદની શામળાની પળમાં શેઠ બાલચંદને પૂંજાશાહ નામે પુત્ર હતો. તેનો જન્મ સં. ૧૭૬૦માં થયો હતો. યાત્રા – પૂજાશાહે વ્યવહારજ્ઞાન મેળવી પિતાની આજ્ઞાથી સં. ૧૭૭૮માં ૧૮ વર્ષની ઉંમરે ખતરગચ્છના ૫૦ દેવચંદ્રગણુ પાસે જૈન વિધિ – વિધાન જ્ઞાન પ્રાપ્ત કર્યું. પિતાની આજ્ઞાથી ભણવા માટે પં. દેવચંદ્ર સાથે તે સુરત ગયો. સુરતના શેઠ કચરા કિકા શ્રીમાલી પટણીએ પં. દેવચંદ્રગણુના ઉપદેશથી સં. ૧૭૯૪માં સમેતશિખર તીર્થને જળરસ્ત, વાહનરસ્તે અને રેલવે રસ્તે યાત્રા સંઘ કાઢ્યો. પં. દેવચંદ્રગણુની સૂચનાથી તેમણે વિધિવિધાન માટે પૂજાશાહને યાત્રામાં સાથે લીધે. પૂંજાશાહને મધુવનમાં દેવે રાત્રે નંદીશ્વર દ્વીપ, સીમંધર સ્વામીનું સમવસરણ વગેરેનાં દર્શન કરાવ્યાં. શ્રીસંઘ સંમેતશિખર તીર્થની યાત્રા કરીને સુરત પાછો ફર્યો. પૂંજાશાહે માતાપિતાની આજ્ઞા લઈ સં. ૧૭૮૬ના વૈ૦ સુત્ર ૬ ના રોજ અમદાવાદમાં પં. જિનવિજયગણી પાસે દીક્ષા લીધી. ગુરુદેવે તેમનું નામ મુનિ ઉત્તમવિજય રાખ્યું. (- પદ્મવિજય, “પ૦ ઉત્તમવિજય રાસ’–સ, ૧૮૨૮) પં. જિનવિજ્યગણી તથા પં૦ ઉત્તમવિજયગણીએ અમદાવાદ અને સુરતમાં પં. દેવચંદ્રજી ગણીની પાસે રહી જૈન ધર્મનાં શાસ્ત્રો તથા દ્રવ્યાનુયોગનો મુખ્ય અભ્યાસ કર્યો. જ્ઞાન–પં. ઉત્તમવિજયે અને પં, પદ્મવિજયે સં. ૧૮૦પથી સં. ૧૮૧૦ સુધી સુરતમાં રહી ચતિવય સુવિધિવિજય પાસે અધ્યથન કર્યું. સુરતના સં૦ તારાચંદ કચરા કીકાએ આ બંને મુનિઓને Page #426 -------------------------------------------------------------------------- ________________ છાસઠમું ] પં ઉત્તમવિજયગણી [૩૮૫ ભણાવવાને સર્વ પ્રકારનો ખર્ચ કર્યો. સંવ તારાચંદે સં. ૧૮૧૩-૧૪માં સુરતમાં પં. ઉત્તમવિજયગણુ પાસે ઉપધાન વહન કર્યા અને માલારે પણ મહોત્સવ કર્યો. સં. ફત્તેચંદની પત્ની રતનબાઈ તથા સં. તારાચંદ સં. ૧૮૨૧ના માટે વ૦ ૨ ને ગુરુવારે સુરતથી ગેડી પાર્શ્વનાથનો છ'રી પાળતો ચાત્રા સંઘ કાઢયો હતો. તેણે અંચલગચ્છના ઉપા) જ્ઞાનસાગર ગણી, તપાગચ્છના સાગરશાખાના ભ૦ પુણ્યસાગર ગણી, આગમગચ્છના આચાર્ય સિંહરત્નસૂરિશિષ્ય પં. હેમચંદ્ર ગણી અને તપાગચ્છના સંવેગી કવિ પં. ખુશાલવિજયગણીએ સુરતથી સાથે લીધા હતા અને પં. ઉત્તમવિજયજીગણ વગેરે સંવેગી મુનિ. એને રાધનપુરથી સાથે લીધા હતા. (- જેસપ્ર. ક્ર. ૮૪ થી ૮ ) સાહિત્ય – ૫૦ ઉત્તમવિજયગણ વિદ્વાન હતા. મેટા કવિ હતા. તેમણે સં. ૧૮૦૯ આ૦ સુત્ર રના રોજ રાધનપુરમાં “મહાવીર સ્તવન” કડી : ૨૦, સં. ૧૭૯૯ ના વૈ૦ સુ૦ ૩ના રોજ સુરતમાં સંયમણિનું ભ૦ મહાવીરસ્વામીનું સ્તવન તથા પંજિનવિજય ગણના જીવનચરિત્રની ટૂંકી નોંધ લખી હતી. સુરતના સં. તારાચંદ સં. ૧૮૨૬માં સુરતથી શંત્રુજય તીર્થને છરી પાળતો યાત્રા સંઘ કાઢયો. તેમાં તેમણે ભ૦ ઉદયસાગરશિષ્ય તિલકચંદજી, પં. જિનવિજયજી તથા પં. ઉત્તમવિજયજી વગેરે સંવેગી મુનિઓને સાથે લીધા. પં. જિનવિજયજી ગણી (પં ઉત્તમવિજયજી ગણીએ સં૧૮૨૭ના પિષ સુદિ ૧૪ના રોજ શત્રુજયમાં શત્રુંજય તીર્થનું રતવન” બનાવી તેમાં આ સંઘનું ઐતિહાસિક વર્ણન કર્યું. (– જૈનયુગ, પુ. ૧, પૃ. ૨૫૮) મહ૦ દેવચંદ્ર ગણી – આ સમયે ખરતરગચ્છમાં મેટા અધ્યાત્મજ્ઞાની મહેક દેવચંદ્ર ગણુ થયા. તેમનો સં. ૧૭૪૬માં ચંગ ગામમાં જન્મ થયો હતો. દીક્ષા ક્યારે થઈ અને પંન્યાસપદ ક્યારે મળ્યું, તેની તારીખ મળતી નથી. Page #427 -------------------------------------------------------------------------- ________________ જૈન પર‘પરાના ઇતિહાસ [ પ્રકરણ તેમણે સં. ૧૭૭૭ માં પાટણમાં ક્રિયાદ્ઘાર કરી સંવેગી મુનિપદ સ્વીકાર્યું. સ’૧૮૧૧માં અમદાવાદમાં ઉપાધ્યાયપદ્ય અને સ’- ૧૮૧૧ ના ભા ૧૦. અમાવાસ્યાએ ૬૬ વર્ષની ઉંમરે અમદાવાદમાં સ્વરથ થયા. તેમની ગુરુપર′પરા આ પ્રકારે મળે છે ૩૮૬ ખતરગચ્છના ભટ્ટા॰ જિનચંદ્રસૂરિ, ઉપા॰ પુણ્યપ્રધાન સુમતિસાગર ગણી, ઉપા॰ રાજસાગર ગણી, ઉપા॰ જ્ઞાનધર્મ ગણી, ઉપા દીપચ’દ્રગણી અને ઉપા॰ દેવચંદ્રગણી તેમણે મુલતાન, બિકાનેર, મરાટ, પાટણ, અમદાવાદ, પાલિતાણા, રાણાવાવ, સુરત, લીંબડી, ધ્રાંગધ્રા, અમદાવાદ વગેરે સ્થળે ચાતુમાસ કર્યા હતા અને એ પ્રદેશમાં વિહાર કર્યા હતા. તેમણે બિલાડાનગરમાં એકાંતમાં બેસી સરસ્વતીદેવીની આરાધના કરી હતી. તેમણે જૈન વિધિપાઠ, સંસ્કૃત વ્યાકરણ, પંચકાવ્ય, કાશ, ચંપૂ-નાટક, દર્શન, જ્યાતિષ, સ્વરાદયગ્રંથિ, તત્ત્વાર્થ સૂત્ર તથા જિનાગમાના અભ્યાસ કર્યાં હતા. તેઓ દ્રવ્યાનુયાગના સમ વ્યાખ્યાતા હતા. તે મરાટથી પાટણ આવ્યા ત્યારે ભટ્ટા જ્ઞાનવિમલસૂરિના પરિચયમાં આવ્યા. ને વચ્ચે અરસપરસ ખૂમ પ્રેમસ બધ ખધાયે. તેમણે પાટણમાં શાહની પાળમાં ચૌમુખજીની વાડી પાસેના જિનાલયમાં આ જ્ઞાનવિમલસૂરિ તથા પાટણના નગરશેઠ જેતસીના પુત્ર શેઠ તેજસીને સહસ્રકૂટના ૧૦૨૪ તીર્થંકરોનાં નામ સંભળાવ્યાં. શેઠ તેજસીએ મહેા॰ દેવચંદ્રગણીના ઉપદેશથી પાટણમાં પેાતાના દેરાસરમાં સહસ્રકૂટનુ પિત્તળનું ત્રિગડું બનાવી તેની સં૦ ૧૭૭૪ ના જે॰ સુ॰ ૮ ને સામવારે પૂનમિયાગચ્છના ભટ્ટારક ભાવપ્રભસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ( - પ્રક॰ ૪, પૃ૦ ૫૦૪) આજે જૈન મંદિરોમાં સાધારણ રીતે ત્રણ સહસ્રચ્છુટા પ્રસિદ્ધ છે. રતન સહ ભડાની (સ’૦ ૬૭૮૯ થી ૧૭૯૩ સુધી ) અમદાવાદમાં નાયબ સુબા હતા તે પ૦ ચંદ્રગણીના ઉપદેશથી વિશેષ ધર્મ પ્રેમી બન્યા. Page #428 -------------------------------------------------------------------------- ________________ છાંસઠમું ] પં ઉત્તમવિજય ગણું (૩૮૭ મુસલમાનોએ સં. ૧૭૨૫માં જામનગર ઉપર ચડાઈ કરી. આથી જૈન સંઘે એ સમયે “મુસલમાને જૈન મંદિર તથા જિનપ્રતિમાએને તોડી નાખશે” એવા ભયથી બધી જિનપ્રતિમાઓને ભોંયરામાં પધરાવી દીધી અને બધાં જિનાલયોને સર્વથા બંધ કરી દીધાં. એ પછી જામનગરમાં તલકશી શ્રેષ્ઠી મંત્રી બન્યો. તેણે પં દેવચંદ્રજી ગણના ઉપદેશથી જામનગરનાં બંધ રાખેલાં સવ જિનાલોને સં. ૧૭૮૮ના શ્રા સુo ૭ ને ગુરુવારે ઉઘડાવ્યાં અને બધી જિનપ્રતિમાઓને બરાબર સ્થાને સ્થાપન કરી બધાની પૂજા ચાલુ કરી. શ્રીસંઘે અંચલગચ્છના ભટ્ટા ઉદયસાગરસૂરિના ઉપદેશથી જામનગરનાં બધાં જિનાલયને સં. ૧૭૯૦માં મોટો જીર્ણોદ્ધાર કરાવ્યા. ( – પ્રક. ૪૦. પૃ. ૫૩૬) મહે. દેવચંદ્રજી ગણીએ પાલિતાણા, લીંબડી, ધ્રાંગધ્રા, ચૂડા, શત્રુંજયતીર્થ, અમદાવાદ, પાટણ વગેરે રથાનોમાં જિનપ્રતિષ્ઠા કરી. પાટણમાં સં. ૧૭૭૪માં શેઠ તેજસીએ બનાવેલા સહસ્ત્રકૂટની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૧ ના મહા સુદિ ૧૩ના રોજ શત્રુંજય તીર્થમાં સુરતના સં૦ કચરા કીકા શ્રીમાલી પટણીએ ૬૦ હજાર રૂપિયા ખરચીને પ્રતિષ્ઠાઉત્સવ કર્યો, તેમાં ભાગ સુમતિનાથ વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. અમદાવાદમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પં. દેવચંદ્રગણીએ અમદાવાદમાં છૂટાં છૂટાં પાંચ ચાતુર્માસ કર્યા, સુરતમાં ચોમાસાં કર્યા. પં. જિનવિજય ગણીએ અમદાવાદમાં અને સુરતમાં તેમની પાસેથી દ્રવ્યાનુયોગનું જ્ઞાન સંપાદન કર્યું. પં ઉત્તમવિજય ગૃહસ્થાવસ્થામાં અને મુનિપણામાં પણ તેમની પાસે ભણ્યા હતા. પં. દેવચંદ્રજી જે રથાને ઊતરતા તે એ સમયે દેવચંદની ડેલી” તરીકે ખ્યાત હતું, જે પાછળથી ડહેલાના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધિ પામ્યું, પં. દેવચંદ્રજીને ૧. પંમતિરત્ન અને ૨. રાયચંદજી વગેરે Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શિષ્યો હતા. પં. મતિરને “યાત્રારાસ” પ્રચ્ચે છે. બીજા મુનિ રાયચંદજીની પ્રેરણાથી સં. ૧૮૨૫માં “દેવવિલાસરાસ” (મહ જીવનચરિત્ર) બન્યા છે. યાત્રાસંઘે – પં. દેવચંદ્રજી ગણના ઉપદેશથી ઘણું યાત્રાસંઘે નીકળ્યા હતા. ૧. સુરતના શા. કચરા કીકાએ સં. ૧૭૯૪માં સુરતથી વહાણ તથા રેલવે રસ્તે સંમેતશિખર તીર્થ યાત્રા સંઘ કાઢયો હતે. - ૨. સં. કચરા કાકા તથા રૂપચંદ શ્રીમાલીએ સં. ૧૮૦૪ના કા. સુ. ૧૩ને મંગળવારે સુરતથી જળમાર્ગો તથા સ્થળમાર્ગે શત્રુંજયતીર્થ યાત્રાસંઘ કાઢયો હતે. સંઘ સુરતથી ડમરી થઈ વહાણ દ્વારા ભાવનગર ગયે અને ત્યાં આશરે પખવાડિયું રોકાયો. આ સંઘમાં અંચલગચ્છના ભટ્ટા ઉદયસાગરસૂરિ, ખરતરગચ્છના ૫૦ દેવચંદ્રજી ગણી, મુનિ મતિરત્નગણી, તપાગચ્છના મહોયશોવિજ્યજી ગણીની યતિપરંપરાના ઉપા સુમતિવિજય ગણીના શિષ્ય ૫૦ ઉત્તમવિજય ગણું વગેરે સુરતથી સાથે આવ્યા હતા. તથા તપાગચ્છના યતિવર્ય પં. જિનવિજયજી ગણના શિષ્ય ૫૦ ઉત્તમવિજયજીગણ વગેરે તથા સંવેગી મુનિવરો તેમજ ભ, ઉદયસાગરસૂરિના સંવેગી પં. સોમવિજ્ય ગણી વગેરે ભાવનગર આવી સંઘમાં જોડાયા. સંઘ સં. ૧૮૦૪ના કાવ. ૧૩ના રોજ ભાવનગરથી પગરસ્તે ચાલ્યો. સંઘમાં પંદેવચંદ્ર ગણી અને ૫૦ ઉત્તમવિજય ગણી વ્યાખ્યાન આપતા હતા. સંઘે સં. ૧૮૯૪ના પિષ સુદિ ૧૫ ને સોમવારે શત્રુંજય તીર્થની યાત્રા કરી. ભટ્ટા ઉદયસાગર ગણીએ સં. ૧૮૦૪ના પેષ સુદિ ૧૫ની સવારે શત્રુજયતીર્થમાં “સ્નાત્રપંચાશિકા” રચી. તેમણે નીચે મુજબ રચેલા ગ્રંથોની માહિતી મળે છે – ૧ સં ૧૭૬ માં મુલતાનમાં ધ્યાનદીપિકા ચતુષ્પદી,” ૨ સં ૧૭૬૭માં બિકાનેરમાં દ્રવ્યપ્રકાશ,” ૩ સં. ૧૭૭૬માં મોટમાં “આગમસારોદ્ધાર, Page #430 -------------------------------------------------------------------------- ________________ છાસઠમું] પં. ઉત્તમવિજય ગણું [૩૮૯ ૪ સં. ૧૭૮માં “વિચારસાર” તથા “જ્ઞાનમંજરીટીકા,” ૫ “અધ્યાત્મગીતા” ૬ “વિચારરત્નાકર,” ૭ સં. ૧૮૦૪માં પાલિતાણામાં “સ્નાત્ર પંચાશિકા,” “જિનસ્તવનવીશી” તેને “ટ,” “જિનસ્તવનવીશી,” “સહસફૂટ સ્તવન,” “સ્નાત્રપૂજા,” “વીરનિર્વાણ સ્તવન, સિદ્ધાચલનાં સ્તવને, પદો, સક્ઝાયો, પ્રભંજના સક્ઝાય, પાંચ પાંડવ સન્મા. પ્રભાવક – એ સમયે તપાગચ્છના (૬૫) ભs વિજયદયાસૂરિના પટ્ટધર ભવ્ય વિજયધર્મસૂરિ (સં. ૧૮૬૩ થી ૧૮૪૧) થયા. ભવિજયધર્મસૂરિએ સં. ૧૮૨૨ના જે. સુત્ર ૧૧ ને બુધવારે તારંગા તીર્થમાં કેટિશિલાની દેરીમાં ભ૦ આદિનાથની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨પના મહા સુદિ ૫ ના રોજ સમેતશિખર મહાતીર્થ તથા મધુવનમાં જિનપ્રતિમાઓ તથા જિનચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૫ના વૈ૦ સુ૨ ના રોજ ડાઈ માં ગણધરપ્રતિમા અને ભવ્ય વિજયપ્રભસૂરિની ચરણપાદુકાવાળી ચૌમુખ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ભ૦ વિધર્મસૂરિ સં. ૧૮૨૫ તથા ૧૮૩ના પ્રતિમાલેખોમાં પોતાને વિજયદેવસૂરિગરછના બતાવે છે. ( –આ. બુદ્ધિસાગરસૂરિ, ધાપ્રલે. સં૦ ભા. ૧, લેટ નં. ૧, ૧૧) નાડોલ ગેત્રના વિશા ઓશવાલ ભં, દીવાનજીના પુત્ર ભં ચેનસિંહજી, તેમના પુત્ર ભં, ઉદયકરણજી, તેમના પુત્ર ૧ ભં ગોરધનદાસ, ૨ ભ૦ રતનસિંહ. ભંડારી રતનસિંહ – સં. ૧૭૮૯ થી ૧૭૯૩ સુધી જોધપુરના રાઠે રાજા વતી તે ગુજરાતને સૂબે હતો. મહામંત્રી હતો. તેણે ગુજરાતમાં અમારિ પ્રવર્તાવી. તેણે શત્રુંજયની વિમલવસહીમાં છેડે સ. ૧૭૯૧ના વૈ૦ સુ૦ ના રોજ રવિ પુષ્ય નક્ષત્રમાં ભ૦ વિજયદયાસૂરિના હાથે ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ તપાગચ્છની વિજયાનંદસૂરિ શાખામાં ભટ્ટાવિજયલક્ષમીસૂરિ થયા. તપાગચ્છમાં (૫૯) મહેક કલ્યાણવિજ્ય ગણ, (૬૩) મહત્વ યશવિજ્ય ગણીની પરંપરામાં સંવેગી પં. દેવવિજય ગણ, (૬૮) પં. ખુશાલવિજય ગણે થયા. તથા પં. રૂપરુચિ ગણુ થયા. તેમણે સં. ૧૮૩૫ના મ. સુ. પના રોજ સિરોહીમાં ‘સમેતશિખરરાસ ઢાળ : ૨૧, ગં૮૦૧ રચ્યો છે. તપાગચ્છના (૫૯) મહાઇ કલ્યાણવિજય ગણી, (૬૦) ૫૦ શુભવિજય ગણી, (૬૧) પં. ભાવવિજય ગણું (૬૨) પં. સિદ્ધિવિજ્ય ગણી, (૬૩) પં૦ રૂપવિય ગણી, (૬૪) પં કૃષ્ણવિજ્યગણી, (૬૬) પં. રંગવિજય ગણી, (૬૭) પં. નેમવિજય ગણી થયા. પં. નેમવિજ્ય ગણીએ સં. ૧૮૦૭ના ભાવ સુવ ૧૩ ને સેમવારે ૬ ડીજી પાર્શ્વનાથ સ્તવન (ઢાળ : ૧૫,) સં. ૧૮૧૧ના ફા૦ સુત્ર ૧૩ ને સેમવારે “સ્તંભન -સેરિસા – શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન” ( ઢાળઃ ૨૮, ગા. ૩૫૦) તથા સં. ૧૮૨૧ના વૈ૦ સુ૫ ને ગુરુવારે વીજાપુરમાં “ધર્મપરીક્ષા રાસ (ખંડ = ૯, ઢાળઃ ૧૧૦, ગ્રં ૫૦૦૫) રચ્યો હતે. ખરતરગચ્છમાં મહ૦ ક્ષમાકલ્યાણ ગણી, ખરતરગચ્છીય મહોત્ર દેવચંદ્ર ગણી અંચલગચ્છીય ભ૦ ઉદયસાગરસૂરિ, તેમના સંવેગી શિષ્ય પં. ગવિમલ ગણ, પં. ઉત્તમવિજય ગણીના શિષ્ય પં. કુંઅર વિજયે સં. ૧૮૮રના મહા સુદિ પ ને રવિવારે પાલીમાં અધ્યાત્મસાર પ્રશ્નોત્તર” ગ્રંથ રચ્યો છે. પં. ઉત્તમવિજય ગણી – એ સમયે આ નામના ઘણા વિદ્વાનો થયા તે આ પ્રમાણે જાણવા મળે છે. ૧. તપાગચ્છની સંવેગી શાખામાં (૬૫) પં. જિનવિજ્ય ગણી, (૬૬) પં. ઉત્તમવિજય ગણી, (૬૭) પં. પદ્મવિજય ગણી. ૨. તપાગચ્છની શ્રીપૂજ પરંપરામાં (૬૨) ભ૦ વિજ્યપ્રભસૂરિ શિષ્ય (૬૩) ઉ૦ શુભવિમલ ગણ (૬૪) પં. માણેકવિજય ગણી, તે ગીતમાવતાર જેવા મનાતા હતા તેમને ૧. પં. હેમવિજ્ય, Page #432 -------------------------------------------------------------------------- ________________ છાસઠમું] ૫૦ ઉત્તમવિજય ગણું [૩૯૧ ૨. પં. ખુશાલવિજય, ૩. ઉપાય કલ્યાણચંદ્ર એમ શિષ્યો હતા. (૬૫) પં. ખુશાલવિજય ગણી – તેમને ભવ્ય વિજયદયાસૂરિ ઉપાધ્યાય બનાવ્યા હતા. તેમની સં. ૧૮૭૫ના ફા. વ. ૩ ના રોજ શત્રુંજયતીર્થમાં જિનેન્દ્રટૂંકમાં પ્રતિષ્ઠિત કરેલી ચરણપાદુકા છે. (–જે. સ. પ્ર. કo ૯૨) (૬૬) પં. ઉત્તમવિજય ગણી – તેમણે સં. ૧૮૮૦ની ફાઇ સુત્ર ૫ ના રોજ “પંચતીથીની પૂજા રચી છે, તથા સં. ૧૮૮૦ના શ્રા સુ૦ ૭ને બુધવારે બીજાપુરમાં શિષ્ય રત્નવિજ્ય માટે કઈ કૃતિ રચી છે. (૬૬) મહ૦ ખુશાલવિજય ગણના ભ્રાતા ઉપાઠ કલ્યાણચંદ્ર ગણુના શિષ્ય પં. ધર્મચંદ્રગણીએ સં. ૧૮૯૬ના ભા૦ સુત્ર ના રેજ “નંદીશ્વર દ્વીપની પૂજા” રચી છે. ૩. (૬૩) મહા યશોવિજ્ય ગણી, (૬૪) પં. જિનવિજય ગણી સં૦ ૧લ્પર, (૬૫) મુનિ દર્શનવિજય. ૪. (૬૩) મહા યશેવિય ગણ, (૬૪) ૫૦ ગુણવિજય ગણી, (૬૫) પં. કેશરવિજ્ય ગણી (૬૬) પં. વિનીતવિજય ગણ (૬૭) પં. દેવવિજય ગણી, (૬૮) પંn કવિ ખુશાલવિજય ગણી, સં ૧૮૮૯. ( – પ્રક. ૫૮ ) ૫. (૬૩) મહા યશવિજય ગણ, (૬૪) ૫૦ ગુણવિજય ગણું, (૬૫) ઉપા. સુમતિવિજ્ય ગણી, (૬૬) પં. ઉત્તમવિજય ગણું – તેમણે સં. ૧૮૩૦માં “નવપદપૂજા” બનાવી. સં. ૧૮૩૩ના મા સુઇ ૫ ને બુધવારે સૂરતમાં મહ૦ સુમતિવિજય ગણ, પં. વિનીતવિજય ગણી અને દેવવિજય ગણુની ચારણપાદુકાની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૯૪ના કા. સુ. ૫ ને બુધવારે સુરતમાં સં. તારાચંદ શ્રીમાલીની પત્ની રતનબાઈના જ્ઞાનપંચમીના ઉજમણુમાં “૪૫ આગમની પૂજા” રચી. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણુ સ’૦ ૧૮૪૧ થી ૧૮૮૪ સુધીમાં ‘ શ્રાદ્ધવિધિની વૃત્તિના માલાવખાધ’ રમ્યા છે. છૂટક ભટ્ટારકા – વિજયગચ્છના ભ॰ સુમતિસાગરની પાટે ૧. ભટ્ટા॰ ઉયસાગર અને ૨. ભ૦ વિનયસાગરસૂરિ એમ બે ભટ્ટારકા થયા. આ ખ'નેની ભટ્ટારક પરરંપરા વ્યવસ્થિત રીતે મળતી નથી, તેથી અમે અહીં વિજયગચ્છના ભટ્ટારકાનાં જે છૂટાંછવાયાં નામ મળે છે તે નામેાનાં એક પછી એક સાલવારી ક્રમે આપીએ છીએ. (૧૫) ભ૦ મહાનંદસાગરસૂરિ – તેઓ ભટ્ટા॰ જ્ઞાનસાગરસૂરિની પાટે થયા. તેના ઉલ્લેખ મળતા નથી, છતાં સાલવારી જોતાં તેમના પટ્ટક ૧૫ મેા લાગે છે. તેમણે ચંદન ગામમાં મહાવીરજી તીર્થની સ્થાપના કરી હતી. ચંદનગામ મહાવીરજી તી – વિક્રમની ૧૯મી સદીના પ્રારંભમાં જોધરાજ પલ્લીવાલ નામે થયા. તેને વિસ′૦ ૧૭૯૦ના કા૦ સુ॰ પના રાજ તા. ૧૪–૧૧– ૧૭૩૩ ને સેામવારે કન્યા લગ્નમાં જન્મ થયા હતા. કન્યા લગ્નમાં, મંગળ તુલામાં, રવિ-બુધ અને ગુરુ વૃશ્ચિકમાં, શુક્ર અને રાહુ ધનમાં, ચંદ્ર મેષમાં, અને શનિ વૃષભમાં હતા. ત્યારે તે હરસાણા નગરમાં રહેતા હતા. તેની જ્ઞાતિ પલ્લીવાલ અને ગેાત્ર ડિગયા હતું. તે ત્યાંના ચેાધરી હતા અને ડિગનગરના ભરતપુરમાં મહારાજા કેશરીસિંહના દીવાન હતા. જયપુર રાજ્યના ચંદન ગામ પાસેના ટીબા ઉપર એક ચમાર (મેાચી )ની ગાયનું દૂધ ઝરી જતું હતું. આથી ચમારે આશ્ચય પામી તે જમીન ખેાદી તા તેમાંથી ભ॰ મહાવીરસ્વામીની ભવ્ય પ્રતિમા નીકળી આવી. આ ઘટના સાંભળી અનેક યાત્રિકા ત્યાં દર્શનાથે આવ્યા. ભરતપુર રાજાના દીવાન જોધરાજ પલ્લીવાલ હતા, જે હરસાણાના વતની હતા. રાજાએ તેના કેાઈ માટા ગુના થવાથી Page #434 -------------------------------------------------------------------------- ________________ છાસઠમું ] પં. ઉત્તમવિજય ગણું [ ૩૯૩ તેપના ગળે ઉડાવી દેવાને હુકમ કર્યો હતે. દીવાને આપત્તિના દિવસે ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા પાસે આવી; દર્શન-પૂજન કરી બે હાથ જોડી પ્રતિજ્ઞા કરી કે, “જે હું આ આફતમાંથી ઊગરી જાઉં તો આપને (ભ૦ મહાસ્વામીને) વિશિખરી જિનપ્રાસાદ બનાવી તેમાં આપને (પ્રભુને પધરાવીશ. દીવાન ભરતપુર ગયે. રાજાએ તેને તેપને માંએ ઊભે રખાવ્યો જામગરી સળગાવી, પણ તે ઠરી જવા લાગી અને ગોળ પણ છૂટતો નહોતો. આ પ્રમાણે ત્રણવાર બન્યું. રાજાએ દીવાનને આનું કારણ પૂછ્યું. ( – પ્રક. ૫૩, પૃ. ૬૧૫) દીવાને કહ્યું : “મેં ચંદન ગામના ભ૦ મહાવીરસ્વામીને અરજ કરી છે કે, હું બચી જઈશ તે તમારો ત્રિશિખરી પ્રાસાદ બનાવીશ. એ પ્રભુની કૃપાથી આ ગોળ છૂટતા નથી.” રાજાએ દીવાનને તેની ભૂલની માફી આપી. દીવાને ત્યાં મોટે જિનપ્રાસાદ બંધાવ્યા અને તેની સં. ૧૮૬૨ના મહા વદિ ૭ ને ગુરૂવારે ડિગના રાજા કેશરીસિંહના રાજ્યમાં વિજય રછના ભટ્ટારક મહાનંદસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, કેસરિયાજી, કુલ્પાકજી, ભોયણીની જેમ આ મહાવીરજી ચમત્કારી વેતાંબર જૈન તીર્થ છે અને ઉક્ત તીર્થોની જેમ જૈન, અજૈન, મીણા, ગૂર્જર વગેરે સૌ માને છે. તેનાં દર્શન કરી ભેટ ચડાવે છે, આ લેવાયકા તીર્થની કમિટીએ પ્રકાશિત કરી છે ને રિપોર્ટમાં દર સાલ તે પ્રકાશિત થાય છે. (– કલ્યાણ, વ. ૩૧, તીથક : ૧ લો) આ પ્રતિમાનાં ચક્ષુ શ્વેતાંબર પ્રતિમાની જેમ ખુલ્લાં છે, કેડે લંગોટ છે, વાંસાની કરોડમાં ખાડો છે. તે કમરના લંગોટ સુધી છે. લંગોટના સ્થાને આડી પટ્ટી છે. નીચેના સ્થાનમાં દિગંબર જૈન પ્રતિમાની જેમ જુદા બે ભાગ નથી. - આ પ્રતિમા જ્યાંથી નીકળી છે ત્યાં દીવાને ચરણપાદુકા પધરાવી. તેની ઉપર છત્રી બનાવી છે. આ પ્રતિમા ઉપર જે ચડાવે ચડે તે તે ચમાર (મચી)ના વંશજો લે છે, Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ચૈત્ર સુદિ ૧૫ ને બીજે દિવસે એટલે ચિત્ર વદિ ૧ ના રોજ મહાવીરસ્વામીને રથ નીકળે છે. તેને પ્રથમ તે ચમારનો વંશજ ધક્કો મારે તો જ તે ચાલે છે. રથના સારથિના સ્થાને હાલ સરકારી અમલદાર બેસે છે. આ જોધરાજ પલ્લીવાલ તાંબર જૈન હતો. તેણે ત્રણ વેતાંબર જૈન દેરાસર બંધાવ્યાનું પ્રમાણ મળે છે. – ૧. મહાવીર તીર્થમાં, ૨. ભરતપુરમાં પલ્લીવાલેનું મંદિર, તેમાં મૂળ નાયકની જિન પ્રતિમાની પલાંઠી નીચે ગાદીમાં સં. ૧૮૨૬નો દિવાન ધરાજજીનો પ્રતિમાલેખ છે. ૩. ભરતપુર રાજ્યના ડિગ ગામમાં મોટો શ્વેતાંબર જૈન પ્રાસાદ બંધાવ્યો છે. ભરતપુર રાજ્ય તરફથી આ ભરતપુર તથા ડિગનાં જિનમંદિરની સેવા-પૂજા માટે વાર્ષિક ખરચ મળે છે. મથુરાના પ્રદર્શનાગાર (મ્યુઝિયમ)માં દિવાન જોધરાજજીના લેખવાળી જિનપ્રતિમા છે, તેમાં સં. ૧૮૨૬ના મ0 વ૦ ૭ ને ગુરુવારને ભ૦ મહાનંદસૂરિની પ્રતિષ્ઠાને પ્રતિમાલેખ છે. શ્વેતાંબર પલ્લીવાલ જેન આ તીર્થનો વહીવટ કરતા હતા. પછી તેમની તરફથી દિગંબર ભટ્ટારકે તેને વહીવટ કર્યો છે. તે ભટ્ટારક તેમના ચેલાની ખટપટથી મરણ પામ્યા. આથી આ તીર્થને વહીવટ કૅર્ટ ઓફ વોર્ડથી શરૂ થયે. સં. ૧૯૩૦માં જયપુર રાજ્યમાં પ્યારેલાલ જૈન દિગંબર જૈન જયપુર રાજ્યની કાઉન્સિલનો મેમ્બર બન્યા, તેણે દિગંબર જનોની કમિટી બનાવી. અમુક શરત તથા બાંહેધરી સાથે તેને આ તીર્થને વહીવટ સેપ્યો. આ પ્રદેશના પલ્લીવાલ જેન નિર્ધન હતા. વ્યવસાયી હતા. દિગંબરોએ તેમની નબળાઈનો લાભ લઈ આ તીર્થમાં પિતાની વધુ સત્તા જમાવી. દિગંબર જૈનાએ ભ૦ મહાવીરસ્વામીની જિનપ્રતિમાનો કંદોરો કેરી નાખ્યો અને તેમને રથ ચલાવવા તથા ચડાવો લેવામાં જે ચમારના વંશજોને હક હતો તેમાં ફેરફાર કરવા ધા. તથા ભ૦ મહાવીરની પ્રતિમાને રત્સવમાં ફૂલની માળા પહેરાવાય છે તે તાંબર જૈનવિધિનું પ્રતીક છે, તેને પણ બદલી નાખવા વિચાર Page #436 -------------------------------------------------------------------------- ________________ છાસઠમું] ૫૦ ઉત્તમવિજય ગણ [ ૩૯૫ કર્યો. પરંતુ ત્યાંની આસપાસના છે અને ઉત્સવમાં આવતા હતા તેમણે વેતાંબર વિધિને જ કાયમ પાળવા આગ્રહ બતાવ્યો. આથી દિગંબરોએ મૌન પકડ્યું. ગભારાના આગળના ભાગમાં દર્શનાથીઓને ઊભા રહેવાના સ્થાને રંગમંડપમાં નવી વેદી (ચેતરો) બનાવી તેની ઉપર ગભારાની આડે દિગબરી નવી પ્રતિમા બેસાડી, ભ, મહાવીરની મૂળ પ્રતિમાને ઢાંકી દીધી છે. જનતા મૂળ પ્રતિમાને ભૂલીને દિગંબર પ્રતિમા તરફ ખેંચાય તે માટેની આ રમત છે. તા. ૨૪–૧–૧૯૬૯ના રોજ આ તીર્થનો દિગબર શ્વેતાંબર કેસ ચાલ્યો છે. વિશેષ ધટના (નવે પંથ) સ્થાનકમાગને પૂજ રઘુનાથજીના શિષ્ય ઋષિ ભિખમજીએ સં. ૧૮૧૮માં બગડીનગરના સ્મશાનમાંથી ૧૩ ઋષિઓને સાથે લઈ તેરાપંથમત ચલાવ્યો. સ્થાનકવાસમાં ત્યારથી તેરાપંથ અને બારાપંથ એવા બે મોટા ભેદ થયા. ( – પ્રક. ૫૩) ગિરનાર–ગોરધનનિવાસી શેઠ જગમાલે સં. ૧૮૪૮ના વિ. વ. ૬ને શુક્રવારે ગિરનાર તીર્થમાં શ્રી નેમિનાથની ટ્રકમાં ભ૦ નેમિનાથના મુખ્ય જિનપ્રાસાદની પાછળ ભ૦ આદીશ્વરના જિનાલયની તપાગચ્છના ભ૦ વિજયજિનેન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. શેઠ જગમાલ તીર્થની વ્યવસ્થા કરતા હતા. વડનગરના ગૂર્જર શેઠ દેવચંદ જૈન અને તેની વિધવા બહેન લક્ષ્મીબાઈએ જૂનાગઢ આવી નિવાસ કર્યો. બંનેને કંઈ સંતાન નહોતું. બંનેએ પિતાની સર્વસ્વ મૂડી આપી તીર્થની વ્યવસ્થા માટે જૂનાગઢમાં શેઠ દેવચંદ લક્ષમીચંદની પેઢી થાપન કરી. ( – પ્રવાટ ઈતિહાસ ખંડઃ ૩, પૃ. ૫૬, ૫૧૭) Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ અંગ્રેજ રાજ્ય અને નગરશેઠને માનવપ્રેમ અંગ્રેજોએ સં. ૧૮૩૬ના મહા સુદિ ૧૧ની સવારે અમદાવાદમાં પોતાનું રાજ્ય સ્થાપન કર્યું. અંગ્રેજ સેનાના જનરલ ગાર્ડને અમીર ઉદ્દૌલાને સાથે રાખી અમદાવાદ ઉપર સવારી કરવા માટે ભીખનના ટેકરા ઉપર પડાવ નાખ્યો ત્યારે અમદાવાદમાં સરસૂબા પેશવાનો પંડિત બાપુજી હતો. તેણે અમદાવાદના દરવાજા બંધ કરાવ્યા, અંગ્રેજ સેનાએ સુદિ ૮, ૯, ૧૦ એમ લાગલગટ ત્રણ દિવસ સુધી અમદાવાદના કિલ્લા ઉપર તેપને મારો ચલાવ્યો. અંગ્રેજ સેનાના કર્નલ હીટલીએ મહા સુદિ ૧૧ની સવારે અમદાવાદમાં પ્રવેશ કર્યો. કર્નલ હીટલીએ પિતાની સેનાને અમદાવાદને ત્રણ દિવસ સુધી લૂંટવાને હુકમ કર્યો. ત્યારે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ નથુશાહ ખુશાલચંદ અમદાવાદના નગરશેઠ હતા. તે તથા કાજી શેખ મહમ્મદસાલે દીવાન અને મિયાં મિરઝાએ જનરલ ગાર્ડન પાસે જઈ તેને અમદાવાદને લૂંટવાને હુકમ પાછો ખેંચી લેવા સમજાવ્યું. જનરલ નગરશેઠની વાત સમજાવવાની રીતભાત અને જનતા પ્રત્યેનો પ્રેમ જોઈ પ્રભાવિત થયો. વળી તેમણે ભટણામાં મૂકેલી મોટી રકમ જોઈ ખુશ થઈને (જુલસી સન્ ૨૨, હીજરી સન્ ૧૧૯૪,) સં. ૧૮૩૬ના મહા સુદિ ૧૩ તા. ૧૭–૨-- ૧૭૮૦ના રોજ અમદાવાદને લૂંટવાને હુકમ પાછા ખેંચી લીધો અને શાંતિને ઢંઢેરો પિટાવ્યો. આથી જનરલ ગાર્ડન અને અમદાવાદની જનતામાં આનંદ આનંદ પ્રવર્યો. પછી તો અંગ્રેજ સરકાર અને અમદાવાદની જનતાએ અમદાવાદની થતી આવકમાંથી ચોથા ભાગની રકમ નગરશેઠ નથુશાહ ખુશાલચંદના વંશવજેને આપવાનો કાયમ લેખ કરી આપ્યો. (–ગુજરાતનું પાટનગર અમદાવાદ પ્ર. ૧૩, પૃ૦ ૧૪૭, પ્રક૪૪, ફ. ને ૨૮ ) સંઘપતિ શેઠ વોરા ડોસાને પરિવાર– લીંબડીમાં વોરા રવજી પોરવાડના વંશમાં અનુક્રમે ૧, રવજી, ૨. દેવીચંદ, ૩. ડોસાભાઈ, ૪. જેઠમલ અને પ. જેરાજ થયા. Page #438 -------------------------------------------------------------------------- ________________ છાસઠમુ ] ૫૦ ઉત્તવિજય ગણી [ ૩૮૭ દેવીચંદને પૂજા નામે નાના ભાઈ હતા. શેઠ ડેાસાભાઈ પુણ્યશાળી હતા. તેને હીરાબાઈ નામે ઉદાર પત્ની હતી. જેઠમલ અને કસલચંદ નામે બે પુત્રા હતા. શેઠ જેઠમલને પૂજીબાઈ નામે પત્ની હતી તથા જેરાજ (પત્ની મૂલી ) અને મેરાજ ( પત્ની અમૃતબાઈ) નામે પુત્રા હતા. શેઠ કસલચંદને સાનબાઈ નામે પત્ની તથા લક્ષ્મીચંદ અને ત્રિકમચંદ નામે બે પુત્રા થયા. ડાસાભાઈના સમયે લીબડીમાં હરભમજી નામે રાજા હતા. શેઠ ડેાસાભાઈ એ સ૦ ૧૮૧૦માં આમંત્રણ પત્રિકા મેાકલી ગામાગામના જૈનાને મેલાવી ઉપા॰ દેવચંદ્રજી મહારાજના હાથે ભ સીમધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. આ ઉત્સવમાં અઠ્ઠાઈ મહાત્સવ, સાધર્મિક ભક્તિ-જમણુ, સાહમી વાત્સલ્ય, પુણ્યપ્રદાન, વગેરે કર્યાં. શેઠ જેમલજી સં. ૧૮૧૦માં મરણ પામ્યા. શેઠ ડાસાભાઈ એ સ૦ ૧૮૧૪માં શત્રુ જયતીર્થ ના છરી પાળતા યાત્રાસંઘ કાઢયો. શેઠાણી હીરામાઈ અને શેઠાણી પૂજીબાઈ એ સ’. ૧૮૧૭માં ૫૦ ઉત્તવિજયજી ગણીના હાથે ઉપધાન વહન કરી માલા પહેરી. શેઠ ડાસાભાઈએ સં૦ ૧૮૨૦માં પ’૦ માહનવિજયજી ગણીના હાથે વિહરમાન તીથ કર શ્રી. અજિતવીયની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી તથા ગામેાગામ કુંકુમપત્રિકા મોકલી સūાને ખેાલાવી શત્રુ’જય તીના છ'રી પાળતા યાત્રાસ'ઘ કાઢયો. શેઠ ડેાસાભાઈ એ ધર્મકા માં જ જીવન વિતાવ્યુ' તથા અધ્યાત્મગીતા ’ની પ્રતિ સેાનાની શાહીથી લખાવી. તે સ’૦ ૧૮૩રના પેાષ વદ ૪ના રોજ સ્વસ્થ થયા. શેઠાણી પૂજીખાઈ એ સ’૰૧૯૩૨માં પેાતાના સાસરાના મરણુ ખાદ ૮૪ જ્ઞાતિઓનું જમણુ કર્યું. લીબડી સઘના આગેવાનાને માકલી પ૦ પદ્મવિજય ગણી અને મુનિ વિવેકવિજય ગણીને લીબડી ખેલાવી ચામાસું કરાવ્યુ. ચામાસામાં દાન, પુણ્ય, તપ, પૂજા, પ્રભાવના, આંગી વગેરે ધર્મકાર્યા કર્યાં. 6 શેઠાણી પૂજીબાઈ એ પખવાસેા, માસક્ષમણુ, વીશસ્થાનક તપ; વમાન તપની ૩૨મી ઓળી, રાહિણી વગેરે વિવિધ તપેા ફર્યાં. જે ૨૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] જૈન પરંપરાને ઈતિહાસ તેણે તપસ્યાથી શરીરને સૂકવી નાખ્યું અને દરેક જાતનાં ઘણું ધર્મકાર્યો બરાબર નિરંતર ચાલુ રહ્યાં. પંપદ્મવિજયજી ગણીએ સં. ૧૮૩૯માં લીંબડીમાં ચોમાસું કર્યું ત્યારે સેનબાઈએ પાંત્રીશ ઉપવાસ, મૂલીબાઈ તથા અમૃતબાઈએ માસક્ષમણ અને પૂંજીબાઈએ ૧૩ ઉપવાસ કર્યો. તે વખતે લી બડીમાં ૭૫ માસક્ષમણ થયાં હતાં. પુજીબાઈ સં. ૧૮૩૯ત્ના શ્રાવ. ૧૧ના રોજ તેરમા ઉપવાસે મરણ પામી. શેઠ કસલચંદે પૂજીબાઈના મરણ બાદ ઉત્સવ-મહોત્સવ, સંઘભેજન, સંવત્સરીદાન, ધુમાડાબંધ ગામજમણ વગેરે કર્યા. શેઠ કસલચંદ સં. ૧૮૨૧ના શ્રા. વ. ૮ને સોમવારે “સુયગડાંગસુત્તનિજજુત્તિ'ની પ્રતિ લખાવી. તેમ જ પં, પદ્મવિજ્યજી ગણુને વિનંતી કરી તેમની પાસે “સમરાદિત્ય રાસ”ની રચના કરાવી. શેઠ કસલચંદ કર્મગ્રંથોના મેટા અભ્યાસી હતા. તેમના વંશમાં ઘણે પરિવાર વિદ્યમાન છે. (- લીંબડી જેને જ્ઞાનભંડાર હ૦ વિ. સુચિપત્ર પૃ૦ ૧૫ થી ૧૯; પ્રાગ્વાટ ઈતિહાસ, ખંડ ૩, ૫૦ ૫૧૫) Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સડસઠમું પં. પદ્મવિજય ગણી જેનોની નગરી તરીકે ખ્યાતિ પામેલા અમદાવાદ નગરમાં શામળાની પળમાં ગણેશ નામે શ્રીમાળી શ્રાવક રહેતો હતો. તેમની પત્નીનું નામ હતું ઝમકુબાઈ. તેનાથી સં. ૧૭૯૨ના ભાદરવા સુદિ બીજના રોજ એક પુત્રનો જન્મ થયે, તેનું નામ પાનાચંદ રાખવામાં આવ્યું હતું. તેને સાત વર્ષની વયે નિશાળમાં બેસાડવામાં આવ્યા ને અગિયાર વર્ષની ઉંમરે તે ભણી-ગણીને વ્યવહારકુશળ બન્યો. આ પાનાચંદને જીવીબાઈ નામે માસી હતી, તે ધર્મક્રિયામાં ખૂબ કુશળ હતી. જીવવિચાર, નવતત્ત્વ તેમ જ ચરિત્રો વગેરે શાસ્ત્રજ્ઞાનમાં નિષ્ણાત હતી. તેણે પોતાના ભાણેજ પાનાચંદને ધાર્મિક સંસ્કાર આપવા માંડ્યા. તેરમે વર્ષે તે તેના માસાની સાથે પં. ઉત્તમવિજયજી ગણીનું વ્યાખ્યાન સાંભળવા જતો હતો. વ્યાખ્યાનમાં પ્રજ્ઞાપના સૂત્ર” અને ચરિત્રમાં “ઋષભદેવનું ચરિત્ર” વંચાતું હતું. તેમાં મહાબલ મુનિને અધિકાર આવ્યો. એ સાંભળીને પાનાચંદનું હૃદય વરાગ્યવાસિત બન્યું. માતા-પિતાને સમજાવી છેવટે આજ્ઞા મેળવી. સં. ૧૮૭૫ના મહા સુદિ પના રોજ અમદાવાદની પાતશાહની વાડીમાં પાનાચંદે ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી ગુરુએ તેનું નામ પવિજય રાખ્યું. મુનિજીવનમાં આચાર પાળવા સાથે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. અનેક ધર્મગ્રંથો વાંચ્યા. વ્યાકરણાદિ શાસ્ત્રોમાં નિષ્ણાત મુનિ સુવિધિવિજયે શ્રી પદ્મવિજયજીને શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, છંદઅલંકાર શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યા. ગીતાર્થ મુનિ પાસે અંગઉપાંગ આગમગ્રંથ, પાંચ કર્મ ગ્રંથ, કમ્મપયડી વગેરે શાસ્ત્રો ભણી પ્રવીણતા પ્રાપ્ત કરી. તપાગચ્છના પટ્ટધર આ૦ શ્રી વિજયે ધર્મસૂરિએ સં. ૧૮૧૦માં રાધનપુરમાં મુનિ પદ્મવિજયજીને પંડિત પદવી આપી તેમની યોગ્યતાની કદર કરી, Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ તેઓ રાધનપુરથી સંઘ લઈ ગિરનાર ગયા. પછી નવાનગરની યાત્રા કરી. શત્રુંજય ગયા ને ભાવથી પ્રભુને ભેટયા. ત્યાંથી ભાવનગરમાં શેઠ કુંવરજી લાધાના આગ્રહથી ચાતુર્માસ કર્યું. અહીં તેમના ગુરુએ તેમને બૃહત્ક૯પસૂત્રની ટીકાની વાચના આપી. પછી સ. ૧૮૧૩ અને ૧૮૧૪માં સુરતમાં ચાતુર્માસ નિર્ગમન કર્યું. સુરતના શેઠ તારાચંદ સંઘવીએ ઉપધાન વહેવરાવ્યાં. ત્યાં બરહાનપુરને સંઘ વિનંતિ કરવા આવ્યા, તેથી ૫૦ ઉત્તમવિજયજીએ પં. પદ્યવિજયજીને ચાતુર્માસ કરવા મોકલ્યા. બરહાનપુરમાં સ્થાનકવાસી સાધુઓ સાથે વાદ કરી જય મેળવ્યો. સં. ૧૮૧૫ અને સં. ૧૮૧૬માં બરહાનપુરમાં ચાતુર્માસ ગાળ્યો, ત્યાંથી વિહાર કરી તેઓ ખંભાત આવ્યા. સંઘના આગ્રહથી ત્યાં ચોમાસુ રહ્યા. ત્યાં આચારાંગસૂત્રની દેશના આપી, ત્યાંથી શત્રુંજયમાં સ્થિત ગુરુ પાસે આવ્યા. તીર્થયાત્રા કરી. પાલિતાણામાં શેઠ રૂપચંદ ભીમે સુંદર જિનપ્રાસાદ કરાવ્યો હતો તેમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. ઘોઘાના સંઘે આવી પ્રભુ ચંદ્રપ્રભના દેરાસરની પ્રતિષ્ઠા કરાવવા વિનંતિ કરી. પં. પદ્મવિજ્યજીને ત્યાં મોકલવામાં આવ્યા. અહીંના નવખંડા પાર્શ્વનાથનાં દર્શન કર્યા અને ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી તેઓ પાટણ આવ્યા ને ચાતુર્માસ કર્યું. ત્યાંથી સિદ્ધપુર, પાલનપુર વગેરે ગામ-નગરોમાં થઈને આબુની યાત્રાએ સંઘ સાથે આવ્યા. ત્યાંથી રાધનપુર આવી બે ચાતુર્માસ નિર્ગમન કર્યા. પછી સિદ્ધપુરમાં સં. ૧૮૨૧માં ચાતુર્માસ કર્યું. ત્યાંથી અમદાવાદ થઈ તેઓ સુરત આવ્યા. ત્યાં શેઠ તારાચંદને ૨૫ જિનબિંબની સિદ્ધાચલમાં પ્રતિષ્ઠા કરાવવાની ભાવના થઈ તેથી તેઓ શત્રુંજય આવ્યા. પછી તો તેમણે સમેતશિખરની યાત્રા કરી. ત્યાં ઓશવાલ સગાચંદે (મક્ષુદાબાદવાસીએ) જિનાલય કરાવ્યું તેની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી તેઓ નવસારી આવ્યા. ત્યાં ચોમાસુ કરી તેઓ અમદાવાદ આવ્યા. સં. ૧૮૨૭ના મહા સુદિ ૮ ને રવિવારના રોજ પં. ઉત્તમવિજયજી ગુરુ કાળધર્મ પામ્યા. સં. ૧૮૩૦માં તેમણે સાણંદમાં ચોમાસુ કર્યું. પછી અમદા www.jainelibracy.org Page #442 -------------------------------------------------------------------------- ________________ સડસઠમું] પં. પદ્મવિજય ગણું [૪૦૧. વાદમાં ત્રણ ચાતુર્માસ, વિસનગરમાં બે ચાતુર્માસ ગાળ્યાં. ત્યાં ભગવતી સૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. ત્યાં પાટણના સંઘની વિનંતિ આવતાં ત્યાં ચાતુર્માસ કર્યું. ત્યાં “અનુગદ્વારસૂત્ર”ની દેશના આપીને ઉપધાન વહેવરાવ્યાં. ત્યાંથી શેઠ પ્રેમચંદ લવજી મેદીએ સિદ્ધાચલને સંઘ કાઢ્યો. તેમાં સાથે ગયા ને શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૮૩૮માં લીંબડીમાં ચોમાસુ કર્યું, ત્યાં ઉપધાનતપ કરાવ્યું. સં૧૮૩૯માં પણ લીંબડીમાં જ ચોમાસુ ગાળ્યું. તેમના પ્રભાવથી ત્યાં ૧૦૯ માસક્ષમણની તપસ્યાઓ થઈ. અહીંથી વીસલનગરમાં ચોમાસું કર્યું, ત્યાં શ્રાવિકાઓને ઉપધાનતપ કરાવ્યું. ત્યાં સમવસરણની રચના કરાવી. સં. ૧૮૪૩માં તેઓ રાધનપુરમાં ચોમાસુ રહ્યા, ત્યાં ભગવતીસૂત્રનું વ્યાખ્યાન કર્યું. ત્યાંથી વિરમગામ આવી ત્યાંના ચિત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૪૩ના જેઠ મહિનામાં રાધનપુરના દેવરાજ મસાલિયાએ ગોડીજીની યાત્રાનો સંઘ કાઢ્યો હતે. સં. ૧૮૪૪માં તેઓએ પાટણમાં માસુ કર્યું, ત્યાં “આચારાંગસૂત્ર'નું વ્યાખ્યાન કર્યું. એ સમયે પાટણમાં ૮૦ જિનાલયો હતાં. ત્યાં તેમણે પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી તેઓ રાધનપુર આવ્યા. ત્યાં ચોમાસુ કરી પાછા પાટણ આવ્યા. અહીં “આવશ્યક નિર્યુક્તિ”નું વ્યાખ્યાન આપી શ્રીસંઘને ખુશ કર્યો. અહીં રાધનપુરમાં બે ચાતુર્માસ કર્યા. ત્યાં “પન્નવણુસૂત્ર”નું વ્યાખ્યાન આપ્યું. ત્યાંથી તેઓ પાટણ આવ્યા. ત્યાંથી સં. ૧૮૪૮નું ચોમાસુ રાધનપુરમાં ગાળી શત્રુંજય ગયા. ત્યાંથી તેમણે સુરત માટે વિહાર કર્યો. સુરતમાં સંઘવી પ્રેમચંદ લવજીએ તેમનું દબદબાભર્યું સામૈયું કર્યું, ત્યાં “પન્નવણાસૂત્ર પૂરું કરી મહાભાષ્યનું વ્યાખ્યાન શરૂ કર્યું. ઉપધાનતપ કરાવ્યું. ત્યાંથી રાંદેર ગયા. ત્યાં સ્થાનકવાસી મુનિ સાથે શાસ્ત્રાર્થ થયે, Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ તેમાં જ્ય મેળવ્યું. શ્રી હૃદયરામ દીવાને ગોડીજીની યાત્રા માટે સંઘ કાઢો, તેમાં તેઓ સાથે ગયા. ત્યાં તેઓ લીબડી આવ્યા અને ચોમાસું કર્યું. ત્યાં “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર” વાંચ્યું. પછી સં. ૧૮૫૩માં અમદાવાદમાં ચાતુર્માસ કર્યું. ત્યાં સુયગડાંગસૂત્ત” સૂત્રનું વ્યાખ્યાન કર્યું. અહીં સં. ૧૮૫૪ના મહા વદિ અને સેમવારના રોજ શ્રીમાલી જ્ઞાતીય લક્ષ્મીચંદ શેઠે સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા તેમની પાસે કરાવી. તેમાં ૪૭૨ જિનપ્રતિમાઓ અને ૪૯ સિદ્ધચક્રયંત્રની પ્રતિષ્ઠા કરાવી. અમદાવાદના ઓશવાલ શેઠ હર્ષચંદ્ર સંઘવીએ સિદ્ધાચલન માટે સંઘ કાઢયો. તેમણે સંધને સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવવા સં. ૧૮૫૭માં ઉપદેશ આપ્યો. તેથી શ્રીસંઘે અને એમા બાલાની મદદથી સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યા. સં. ૧૮૫૮માં લીંબડીમાં, સં. ૧૮૫૯ અમદાવાદમાં ચાતુર્માસ કર્યા. ૫૦ પદ્યવિજયજીને અમદાવાદમાં મસ્તકના અર્ધ ભાગમાં વ્યાધિ લાગુ પડ્યો છતાં તેમને સમાધિ રહી. ૨૮ દિવસ સુધી “ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરી. સં. ૧૮૬રના ચત્ર સુદિ ૪ ને બુધવારના રોજ અનશન કરી દેહત્યાગ કર્યો. તેમણે ગૃહસ્થાવાસમાં ૧૪ વર્ષ રહી પ૭ વર્ષ દીક્ષા પાળી હતી. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. કવિ હતા. ગ્રંથકાર હતા. તેમણે ૫૫૦૦ નવા કેની રચના કરી હતી. વિશેષ ઘટનાઓ તપાગચ્છના ભટ્ટાવિજયજિનેન્દ્રસૂરિએ સં. ૧૮૪૩ના મહા સુદિ ૧૧ ને સેમવારે શત્રુંજયતીર્થમાં સુરતના સં. પ્રેમચંદ લવજીએ અમદાવાદવાળા શ્રી પ્રેમચંદ મેદીની ટ્રકની પ્રતિષ્ઠા કરી. વળી ભ૦ જિનેન્દ્રસૂરિએ. સિદેહીમાં અને શત્રુંજયતીર્થમાં જિનેન્દ્ર ટ્રકની સ્થાપના કરી હતી. Page #444 -------------------------------------------------------------------------- ________________ સડસઠમું 1 [ ૪૦ ૩ ૪૦૩ ૫૦ પદ્મવિજય ગણું બિકાનેરને સુરાણાવંશ મૂળચંદજી સુરાણા કસ્તૂરચંદ ફૂલચંદ તારાચંદ લક્ષ્મીચંદ રાવ અમરચંદ હુકમીચંદ, (સં૦ ૧૮૬૦ થી ૧૮૭૨ ) હરિ હરિચંદ કિસનચંદ માણેકચંદ લાલચંદ કેશરીચંદ ફતેહચંદ ઉદેચંદ ઉત્તમચંદ પૂનમચંદ જયચંદ સેસકરણ જતનમાલજી શ્રી માણેકચંદ સં. ૧૮૯૭માં સરદારશહેર વસાવ્યું ને ત્યાં જિનાલય બંધાવ્યું. તેને કાંગડા ગામ ભેટ મળ્યું. શિષ્યપરંપરા– ૬૭ ૫૦ પશ્ચવિજયજી ગણી ૬૮ મુનિ તિવિજયતેમણે સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યા પછી તરત જ ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૮૪પના મ૦ સુ૦ ૮ના રોજ અણહિલપુર પાટણમાં સંસ્કૃતમાં “તત્ત્વામૃત” નામનો ગ્રંથ ૩૩૨ કેમાં રચ્યો છે. સાહિત્ય પં. પદ્વવિજય ગણી સમર્થ વિદ્વાન હતા. ચતુર વ્યાખ્યાતા હતા. તેઓ તેમના સમકાલીન કવિઓમાં “પદ્મદ્રહ” તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે નીચે મુજબ કૃતિઓ રચ્યાનું જાણવા મળે છે– ૧. તેમણે “જ્યાનંદ કેવલિચરિતને સંસ્કૃત ગદ્યમાં સં. Page #445 -------------------------------------------------------------------------- ________________ જૈન પર પરાને ઇતિહાસ ૪૪ ] ૧૮૫૯માં અવતાર્યું”. " - ૨. ‘ વીરજિનસ્તુતિ ગર્ભિત–ચાવીશ દંડક સ્તવન ઢાળ – ભાવનગરમાં રચ્યું. ૩. સ. ૧૮૧૪માં ભ॰ વિજયધર્મસૂરિના રાજ્યમાં સુરતમાં ભ॰ પાર્શ્વનાથની કૃપાથી ચામાસામાં ‘ સિદ્ધ ડિકા રતવન પ રચ્યું. " ઢાળ ઃ 6 ૪. સં૦ ૧૮૩૭ના મહા વિદ ૨ ને શનિવારે ચાવીશ જિનકલ્યાણક રતવન (જિન ચાવીશી) રચ્યું. " ૫. સં૦ ૧૮૪૨માં ‘સમરાદિત્ય કેવલી રાસ’ રચ્યા. ૬. સં૦ ૧૮૪૯ના મ॰ સુ” પને બુધવારે ભટ્ટા. વિજયજિનેન્દ્ર સૂરિના રાજ્યમાં રાધનપુરમાં મહા॰ યશૈાવિજય ગણીએ રચેલા જિન રતુતિરૂપ હુંડી રતવનનું આગમપાઠાની સાક્ષીવાળું ગુજરાતીમાં વિસ્તૃત વર્ણન કર્યું છે. તે સિવાય અનેક સ્તવના, સજ્ઝાયા, સ્તુતિ પૂજાએ, અને દેવવંદનમાલા રચી છે, · નેમિનાથરાસ ’ અને • ઉત્તમવિજય રાસ 'ની રચના કરી છે. અહિંસાનાં ફરમાના—વટહુકમ વિક્રમની એગણીસમી અને વીસમી શતાબ્દીમાં જુદા જુદા મુનિરાજોના ઉપદેશથી ભારતના વિભિન્ન રાજાએ—શાસકેાએ પેાતાના પ્રદેશમાં પ્રાણીઓની રક્ષા માટે જુદા જુદા વટહુકમા બહાર પાડવા હતા. તે આ પ્રમાણે હતા ... ૧. વડાદરા રાજ્યમાં અમારિપાલન દસ્તાવેજ સં૦ ૧૮૪૮ના માનાજીરાવ ગાયકવાડના સિક્કો [ પ્રકરણ સવંત ૧૮૪૮ના શ્રાવણ વદ ૧૧ વાર ભેામે દિને કસ્બે વડાદરાના શેઠ મહાજન સમસ્ત જોગ તથા કસબે મજકૂરના ખાટકીનાં મહેત્તર ફૅજુર તારજી તથા જમાલ લાલન તથા કમાલ નૂરણ તથા રહીમ યારુ તથા અહેમદ નસીર તથા મીયાંજી કાસમ તથા રાજો મહમદજી વગેરે ખાટકી પંચ સમસ્ત-જત અમે સરવે મલીને રાજી રજાનંદ થઈ ને મહાજનને લખી આપીએ છીએ, જે આજ પુઠી વરસ ૧ મધે માસ ૧ શ્રાવણના તહેના ટ્વીન ૩૦ Page #446 -------------------------------------------------------------------------- ________________ અત્રે----- સડસઠમું ] પં. પદ્મવિજય ગણું [૪૦૫ તથા બારે માસની એકાદશી ૨૪ તથા બારે માસના સોમવારે ૪૮ તથા પયસણ દિવસ તે શ્રાવણ સુદિ ૧ થી ભાદરવા સુદિ ૧૨ લગી તથા મોટી શીવરાત ૧, તથા રામનામી ૧ આટલા દિવસ અમે જીવની હિંસા કરીએ તથા અમારો કસબ કરીએ તો સરકારના તથા મહાજનના ગુનેગાર અને ખુન ૧ જનાવરનું કરીએ તો ગુખેંગારી રૂા. ૨૭૦૧ અંકે સત્તાવીશે ને એક પુરા સરકારમાં ભરીએ ને કેઈને રૂપિયા ન મલે તે તેનાં ઘરબાર ખાલસાઈ થાએ તથા નાક, કાન કપાએ એ પરમાણે અમે સરવે પંચ મળીને રાજી રજાનંદ થઈને મહાજન સમસ્ત લખી આપે છે. તથા ઈદને દિવસ આટલા અણુંજા માંહાં આવે તો સરકારનો હુકમ લઈને દિવસ ૨ કામ કરીએ એ લખું બાપના બેલ સાથે પાળીએ. મતુ ૧ અત્રે શાખ (ખાડકી પંચ સમસ્ત) (મહાજનની સહીઓ) ( – આચાર્ય વિજયવલભસૂરિ સ્મારક ગ્રંથ, હિંદી વિભાગ, પૃ૦ ૧૩૬) ૨. તેલની ઘાણી બંધ રાખવાને સં. ૧૮૫૧ ને દસ્તાવેજ राजश्री अखेसिहजीका राजमें घाणां चौमासां की रहीइ माफक सुरुसु सुजा नाथा नाना राढा समस्त बांधनवाडाका तेलीका कहेवासु बास्का एक्ट समट आया जोधराजजी मेधराजजी उमेदजी सुरवा पोखरणां कस्बा बांधनवाडा मांफी चोमासो राख्यो, सावन वद १ सुलगाम कातिक सुदि १५ तांय घाणां राखी सा. संडाजीकी चमस्त चौदशका छे. मास १मां सुद वद चौदस दोनो राखी घाणामें मांकी खुशीस राखी घाणां दोन लख्या माफक पालस्यां. समेरजी जोधराजजी मेघराजजी प्रेमराजजी संडाजीका पेट परवार बेटा पोताई माफक कीदा बारांका जीमणार हेासी जो में तो घांणी सारू जीमणे लहेण लहेणों पांचा माफक लेस्यां। इन सिवाय माना खाती और पंचां आकर दीनी चोको होसी तोमें तो खटलार आदमी एक जीमस्यां, गांवका पंच बारा जासी जदां खट दीठ आदमी Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ जासी बारली गामाइ लेण हेासी, जो जिण माफिक खूट दीठ तेलियांने देसी । दस्खत पंचोली शंभु रामदत्त तेल्यांका कहेवासु मांडयो छै । संवत् १८५१ मीती वैज्ञाख बदी ९ गुरूवार । નોંધ – મેવાડમાં મેવાડ તથા મારવાડની સરહદ ઉપર ચિત્તોડ તથા અજમેરની વચ્ચે વિજયનગરથી ૧૪ માઈલ ઉત્તરમાં બાંદનવાડા ક (ગામ) છે. ત્યાં શ્વેતાંબર જૈનેનાં ૨૫ ઘર છે. ભગવાન કેશરિયા આદિનાથનો શિખરવાળો મોટો જિનપ્રાસાદ છે. મૂળનાયકની પ્રતિમાને લેખ નથી. મંદિરમાં બીજી પાષાણની જિન પ્રતિમાઓની ગાદીમાં સં. ૧૫૪૫, સં. ૧૬૭૧, સં. ૧૬૭૭ (૭૮)ના પ્રતિમાલે છે. ત્યાં વિવિધ સ્થાનના લેખેવાળી પંચતીથી ધાતુ પ્રતિમાઓ પણ ઘણી છે. જિનપ્રાસાદની દીવાલમાં સં. ૧૮૫૧ની સાલને મેવાડી ભાષામાં એક મેટા શિલાલેખ છે. તે ઉપર પ્રમાણે છે. આ લેખની અક્ષરશઃ નકલ જૈનસંઘના ચોપડામાં પણ લખી રાખી છે. સુરતના શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરી જૈનને પૂ. ગુરુદેવે પાલિતાણામાં યશોવિજયજી જૈન ગુરુકુળ તૈયાર કરી વહીવટ માટે સેપ્યું હતું. તેમણે સં. ૧૯૭ (ગુજરાતી) મહા વદિ ૧૦ ના રોજ બાંદનવાડામાં ત્રિપુટી મુનિઓ પાસે દીક્ષા લીધી હતી. તેમનું નામ મુનિ જિનભદ્રવિજયજી રાખવામાં આવ્યું હતું. બાંદનવાડાના જૈન-જૈનેતર પચે એકઠા થઈને આ દીક્ષાની ખુશાલીમાં દર સાલ માટે મહા વદિ ૧૦ અને ભા૦ સુ૪ના રોજ પાખી પાળવાનું નકકી કર્યું હતું. (–જે. સ. પ્ર. ૪૦ ૭૦, પૃ. ૩૭૪) ૩. કચ્છના ખાટકીઓને પ્રતિબંધ-સેનૈયા કીડા કચ્છના રાવે કચ્છમાં હરણ તથા મેરને શિકાર કરવાનો પ્રતિબંધ કરી તે અંગે રાજ્ય તરફથી વટહુકમ કાઢઢ્યો હતો તથા કરછના અખાતમાં સેનૈયા કીડા થતા હતા તેને માછીમારો મારી Page #448 -------------------------------------------------------------------------- ________________ ससमु] પં. પદ્મવિજય ગણું [४०७ નાખી પરદેશ મકલી વેચતા હતા. રાવે તે સેનયા કીડા મારવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો.' ગુરુદેવ શ્રી. ચારિત્રવિજયજી મહારાજના ઉપદેશથી લાકડિયાના રાજાએ, માલિયાનરેશે તથા અંગિયાના ગાદીધર પીર બાવાએ જૈનધર્મપ્રેમી બનીને પિતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી. આગદ્વાર પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિના ઉપદેશથી સેલાના રાજા જેન ધર્મના પ્રેમી બન્યા હતા અને પિતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી. ४. स२चनामा सानु -पालन जैनधर्मप्रचारक पूज्य गुरूदेव श्री दर्शनविजयजी महाराज, पूज्य गुरूवर श्री ज्ञानविजयजी महाराज (त्रिपुटी) वि. सं २०१२ (गुजराती संवत् २०११) का चातुर्मास करने सरधना ( जिल्ला - मेरठ यू. पी. ) में बिराजमान हैं । आपने श्री नाटिफाइड एरिया कमेटीके चेरमेन श्री अब्दुल वहीद वगैरह जनगण को अहिंसाका उपदेश दिया । मंत्री श्वेतांबर जैन सरधनाने वि. सं २०१२ प्रथम भाद्रपद कृण्णा ११ रविवार दिनांक १४-८१९-५५ इ० को नोटिफाइड एरिया कमेटीको प्रार्थना की कि, भारत में (१) १५ अगस्त, (२) भादो शुकला ४ संवत्सरी, (३१ भादो शुक्ला १४ अनन्त चतुर्दशी, (४) भादो कृष्णा ८ श्री. कृष्ण - जन्माष्टमी (५) २ अक्तूबर गांधी जयन्ती और (६) चैत्र सु० १३ भगवान श्री महावीर स्वामीका जन्मदिन ये सब पवित्र दिन है। हम चाहते हैं कि ये ६ दिन हरसाल सरधनाके सब मजवाखाने (बयडखाने, कसाइखाने, मांसविक्री) बन्ध रहे । किसी भी प्राणीका वध न हो और भविष्यमें भी इसका अमल होता रहे और प्रस्ताव पास किया जाय वगैरह ।। ૧. સોનું અને વૈજ્ઞાનિક યંત્ર માનવજાતના ભયંકર શત્રુઓ છે. સોના જેવી ચામડી હોવાથી સેનેચા કીડાઓનો અને સોનેરી પીંછાવાળાં પક્ષીઓનો અર્થલોલુપીઓ સંહાર કર્યા કરે છે. સોના માટે રશિયામાં મૂડીદાર ચહદીએનાં અગણિત ખૂને થયાં છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ४०८ ] જેન પરંપરાનો ઈતિહાસ श्री नाटिफाइड एरिया कमेटी सरधनाने उक्त प्रार्थना को वि. सं. २०१२ मिगसिर कृष्णा १० गुरुवार दि ८-१२-१९५५ को प्रस्तास पास करके स्वीकृति दे दी है। जीवदयाका फरमान - Copy of the Matter passed against resolution no. 9, 8/12/1955 by N. A. C. Suradhara. सर्व सम्भतिसे तय हुआ कि, इन दिनों पर मजनाखाना बन्ध रहे, लेकिन श्री जमील अहमद. श्री अब्दुल हमीदीवांजी. श्री हमीदुल्लाजी, श्री हामसीतुल्लाजी. इसके साथ साथ यह याचते हैं कि - अगर इन दिनों में कोइ मुस्टिम त्यौहार आ जाय तो उस दिन मजबाखाना खलना चाहिये लेकिन बहमत इससे खिलाफ हैं इस लिये ६ त्यौहारों पर मजवखाना बन्ध होना पास हुआ । Copied Compared by K. P. Sharma R. P. Varma. 15/i/1956 15/1/1956 मुपरिन्टेन्डन्ट नोटिफाइड एरिया, A. Wohid सरधना जिल्ला प्रेसिडन्ट नोटिफाइड एरिया जिल्ला मेरठ । (- नियोन हिन्दी रिता, पृ० १८, २०) Page #450 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અડસઠમું ૫૦ રૂપવિજયજી ગણી “ શ્રીનરTછે ઘરજ્ઞાનગુorgar રમૂર થી સ્નાન મુનિgRા ” ( – પં. લકમવિજય, “પ્રશ્નોત્તર પ્રદીપ' પ્રશસ્તિ ) પં. રૂપવિજયજી ગણીની ગૃહસ્થાવસ્થાની કોઈ માહિતી મળતી નથી. તેમણે ક્યારે દીક્ષા લીધી, પંન્યાસ ક્યારે બન્યા અને છેવટે સ્વર્ગવાસ કઈ સાલમાં થયે એ હકીકતો પણ પ્રાપ્ત થઈ નથી. આમ છતાં તેઓ ૧૯મી સદીમાં વિદ્યામાન હતા, મેટા વિદ્વાન હતા, સારા કવિ હતા અને વૈદ્યકશાસ્ત્રમાં નિપુણતાથી નામના મેળવી હતી. તેમણે સં. ૧૮૮૦માં વિક્રમ રાજાના સમયના ગણાતા અંબડ વિશે રાસ (જેમાં વિકમના પરાક્રમ પંચદંડ વગેરેની અદ્ભુત વાતે છે) મળી આવે છે. સં. ૧૮૮૦માં તેમણે પૃથ્વીચંદ્ર ચરિત્ર', સં૦ ૧૮૬૨માં “પદ્મવિજય નિર્માણ રાસ અને સં. ૧૯૦૦માં “વિમલમંત્રી રાસ” વગેરે કૃતિઓ રચેલી મળી આવે છે. વળી, તેમણે નીચેની પૂજા-કૃતિઓ આપી છે. ૧. સ્નાત્રપૂજા, ૨. પંચકલ્યાણક પૂજા, ૩. પંચજ્ઞાનપૂજા ૪. વીશસ્થાનક પૂજા, પ. પિસ્તાલીસ આગમપૂજા, વગેરે અને આત્મબોધ સઝાય, મન સ્થિરીકરણ સઝાય વગેરે રચનાઓ કરી છે. ગ્રંથકારો અચલગચ્છના (૫૭) ભ૦ ધર્મમૂતિ, (૫૮) ભ. કલ્યાણસાગરસૂરિ, (૫૯) ભ૦ અમરસાગરસૂરિ વગેરેનો પરિચય અગાઉ આવી ગયે છે. ( – પ્રક. ૪૦, પૃ. ૪૩૩, ૪૩૫, ૪૩૬.) તેમના વિશે વિશેષ હકીકત આ પ્રકારે મળી આવે છે.– Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ ભ॰ ધ મૂર્તિને ૭ મહેાપાધ્યાય, ૮ ઉપાધ્યાયેા હતા જેમાં મહે।૦ રત્નસાગરજી મુખ્ય હતા. તેમના સમયે વિવિધ શાખાઓ નીકળી હતી. ( - પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૪) સંભવ છે કે, મહારત્નસાગરજી (૫૮) ભ૦ ગુણરત્નસૂરિ અન્યા હાય, તેમની પરપરા આ પ્રકારે જણાય છે ઃ — (૫૮) ભ॰ ગુણરત્નસૂરિ, (૫૯) ૫૦ લલિતસાગર ગણી (૬૦) ૫૦ માણેકસાગર ગણી (૬૧) ૫′૦ જ્ઞાનસાગર ગણી—તેમણે સ૦ ૧૭૧૯ના આ૦ સુ ખીજના રાજ શંખપુરમાં ‘ઈલાયચી ચેાપાઈ’ પા. ૯ રચી છે. ઉપા૦ જ્ઞાનસાગરે સ’૦ ૧૮૨૮માં સુરતમાં અંચલગચ્છ પટ્ટાવલી’ રચી છે. ( - પ્રક॰ ૪, પૃ૦ ૫૩ ) C (૫૮) ઉપા૰ કલ્યાણનિધાન ગણી. (૫૯) ૫૦ લબ્ધિચંદ્ર ગણી તેમણે સ`૦ ૧૭૫૧ના કા॰ સુ૦ ૩ ના રાજ વેરાવળમાં ફળાદેશના લાલચંદ્ર પત્ર પદ્ધતિ” નામક જ્યાતિષના ગ્રંથ રચે. એના આધારે ‘માનસાગરી પદ્ધતિ ’ નામે ગ્રંથ બન્યા. પૂ. લબ્ધિચંદ્ર ગણીના શિષ્યનું નામ કદાચ ૫૦ લાલચંદ્રગણી હાય. (૬૦) ભ॰ વિદ્યાસાગરસૂરિ (સ’૦ ૧૭૬૨ થી ૧૭૯૭) (૬૧) ઉપા૦ મેરુલાભ ગણી (૬૨) ઉપા૦ સહજસુંદર ગણી (પ′૦ નિત્યલાભ ગણી ) – તેમણે સ’૦ ૧૭૮૧ માહ સુદિ ૭ ને બુધવારે સુરતમાં ‘સદેવંત સાવલ’ગા રાસ’ જ્ગ્યા છે. (૬૧) ભ૦ ઉદયસાગરસૂરિ (સં૰ ૧૭૯૭ થી ૧૮૪૩) " સુરતના સં॰ કચરા કીકાએ સ* ૧૭૯૪માં ઉપા૦ દેવચ’દ્રજી મહારાજના ઉપદેશથી શ્રી શત્રુંજય તીના જળ-સ્થળ માના સંઘ કાઢવો. તેમ જ ભ યસાગરસૂરિના ઉપદેશથી સં॰ તારાચંદે સ‘૦ ૧૮૨૧માં સુરતથી શ્રી ગેાડીજી પાર્શ્વનાથ તીના સઘ કાઢયો. (– પ્રક॰ ૫૭ ′ સુરતના સધપતિ') Page #452 -------------------------------------------------------------------------- ________________ અડસઠમું] પં. રૂપવિજયજી ગણું [૪૧૧ ( – પ્રક. ૫૭ “સૂરતના સંઘપતિઓ ) (૬૨) ઉપ૦ દર્શનસાગર - તેમણે આગમિક ગચ્છના ભ૦ સિંહરત્નસુરિના શિષ્ય પં. હેમચંદ્ર ગણીના આગ્રહથી સં. ૧૮૨૪ મ. સુ. ૧૩ના રોજ સુરતમાં “આદિનાથ રાસ રચ્યો. (-પ્રક૦ ૫૭) (૬૫) ભ૦ મુક્તિસાગરસૂરિ (સં. ૧૮૯૨ થી ૧૯૧૪)–તેમણે સં. ૧૮૯૩માં શ્રી શત્રુંજય તીર્થમાં શેઠ મોતીશાહની ટૂકની અને સં. ૧૮૯૭માં નરશી નાથાની ટૂક વગેરેની પ્રતિષ્ઠા કરી ( – પ્રક. ૪૦, પૃ. ૫૩૭) મોટા કવિઓ અને પ્રભાવક– આ સમયે કવિ મેહનવિજય લટકાળા, કવિ બહાદુર પં. દીપવિજય ગણી, લોકપ્રિય મહાકવિ પં. વીરવિજય ગણી, પં. દેવવિજય ગણી, ઈતિહાસપ્રેમી પં, ખુશાલવિજ્ય ગણુ, મહા અધ્યાત્મી ચિદાનંદજી મહારાજ વગેરે થયા. શિષ્ય પરંપરા– તેમની બીજી શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે. ૬૮ ૫૦ રૂપવિજય ગણી ૬૯ પં. અમીવિજય ગણી ૭૦ ૫૦ સૌભાગ્યવિજય ગણી ૭૧ ૫૦ રત્નવિજયે ગણું ૭૧ ૫૦ ભાવવિજય ગણી ૭૨ આ. વિજયહર્ષસૂરિ આ. વિજ્યહર્ષસૂરિ ૭૬ વર્ષની ઉંમરે ૫૮ વર્ષને દીક્ષા પર્યાય પાળી, સં. ૨૦૧૬ના પિષ સુદિ ૭ ને મંગળવારે રાતે ૧૨ ને ૧૫ મિનિટે અમદાવાદની લુહારની પળના ઉપાશ્રયે કાળધર્મ પામી ગયા. વિવિધ ઘટનાઓ – આ સમયે વિવિધ ઘટનાએ આ પ્રકારે બની હતી. તપાગચ્છના ૬૬માં ભ૦ વિજયધર્મસૂરિ (સં. ૧૮૦૩ થી ૧૮૪૧)ના પટ્ટધર ભ૦ શ્રીપૂજ વિજય જિનેંદ્રસૂરિ (સં. ૧૮૪૧ થી ૧૮૮૪)- તેમણે સં. ૧૮૬૩ના મ વ પ ને બુધવારે શ્રી Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શત્રુંજયતીર્થમાં પ્રેમચંદ મોદીની ટ્રકની પ્રતિષ્ઠા કરી. તથા સંo ૧૮૭૫માં શ્રી શત્રુંજયતીર્થ ઉપર, છાલાકુ ડની ઉપર શ્રીપૂજની ટ્રકની પ્રતિષ્ઠા કરી. તેનું બીજુ નામ જિનેટ્રિક પણ હતું. ભ, વિજયજિદ્રસૂરિએ સં. ૧૮૯૩મા રાંતેજમાં બાવન દેરીવાળા જિનાલયને જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરી હતી. તેઓ અંતે શિહેરમાં સ્વર્ગસ્થ થયા. શિહોરના જન સંઘે તેમના અગ્નિસંસ્કારના સ્થાને મારુદેવા ટ્રકમાં શુભદેવ મહાદેવની પાસેની ભૂમિમાં પહાડમાં શિહેરમાં સં. ૧૯૧૨ના કા. સુ. ૬ ને ગુરૂવારે જિનેંદ્રિક બનાવી હતી. (– પટ્ટાવલી સમુચ્ચય ભાવ ૨, “પુરવણું” પૃ૦ ૨૬૧, જૈ. સપ્ર. ૦ ૯ર) તપાગચ્છમાં આણંદસૂરિશાખાના કવિ બહાદુર ૫૦ દીપવિજયજી ગણીએ સં. ૧૮૭૭ના વૈ૦ વ૦ ૩ ને રવિવારે સુરતમાં “સેહમકુલપટ્ટાવલી રાસ’ (ઉલ્લાસ ૪) રચ્યો હતો. - તેમાં તેમણે ભ૦ વિજયજિતેંદ્રસૂરિ સુધીનો ઈતિહાસ આપ્યો છે. તેમાં તેમણે આ ગ્રંથને પ્રામાણિક બનાવવા માટે સુબુદ્ધિવિજય ગણું", સંવેગી ખુશાલવિજય ગણું, ૫૦ રૂપવિજ્ય ગણ, પં. વીરવિજય ગણી, ભ૦ શાંતિસાગરસૂરિ અને પં. વિનયવિજય ગણું વગેરેના હસ્તાક્ષર કરાવ્યા હતા, એટલે આ બધા વિદ્વાનો સમકાલીન હતા એમ જાણવા મળે છે. તપાગચ્છની વિજ્યદેવસૂરિશાખાના મહેo યશવિજય ગણીની પરંપરાના સંવેગી પં. દેવવિજય ગણીના ઉપદેશથી જગતશેઠ ખુશાલચંદ તથા શેઠ સુશાલચંદે સં. ૧૮૦૫ના મહા સુદિ પના રોજ સમેતશિખર મહાતીર્થને મોટે ૨૧મે જીર્ણોદ્ધાર કરાવ્યો હતે. તેમના શિષ્ય ઇતિહાસપ્રેમી ખુશાલવિય ગણીએ સં. ૧૮૭ન્ના ૧. સંભવતઃ આ સુબુદ્ધિવિજય ગણ મોટા વિદ્વાન હતા, તેમનું બીજું નામ પં સુવિધિવિજય ગણી હોય, જેમણે પ૦ ઉત્તમવિજય ગણી અને પ૦ પવિજયગણીને સં૦ ૧૮૦૫ થી સં. ૧૮૧૦ સુધીમાં સુરતમાં અભ્યાસ કરાવ્યો હતો. ( – પ્રક. ૬૬) Page #454 -------------------------------------------------------------------------- ________________ અડસઠમું ] ૫૦ રૂપવિજયજી ગણી [ ૪૩ જેઠ વ૦ ૧૩ ને ગુરુવારે સિરોહમાં તપાગચ્છની ગદ્ય ગુજરાતી પટ્ટાવલીઓ રચી છે. પ્રભાવક મહાજનો – આ સમયે જેનામાં ઘણું નરવીરે થયા છે. તેમાં સૂરતની મહાસતી સુભદ્રાનું નામ સૌથી મોખરે આવે છે. તે વિ. સં ૧૯૧માં વિદ્યમાન હતી. ( – પ્રક. ૫૭) શેઠ મોતીશાહ – ખંભાતના નાહટા ગોત્રના વિશા ઓશવાલ જૈન શેઠ સાંકળચંદના પુત્ર શેઠ અમીચંદની ભાર્યા રૂપબાઈના પુત્ર શેઠ મોતીચંદ થયા. શેઠ અમીચંદ વિ. સં. ૧૮૧૪માં ખંભાતથી મુંબઈ આવ્યા. તેની પત્ની રૂપાબાઈને મુંબઈમાં પાંચ સંતાને થયાં હતાં. તેઓમાં સં. ૧૮૩૪માં નેમચંદ, (૨) સં. ૧૮૩૮માં મેતીચંદ અને (૩) સં. ૧૮૪૦માં દેવચંદ નામના પુત્રો હતા અને બે પુત્રીઓ હતી. (– શેઠ રતનજી ફરામજી વાંછા; “મુંબઈને બહાર' શે. મોતીચંદની ઉત્પત્તિ પ્રકરણ : ૬ ) શેઠ અમીચંદ કટમાં રહેતા હતા. તેમણે પોતાને ત્યાં ઘર દેરાસર કરાવ્યું હતું. શેઠ મોતીશાહ પણ મુંબઈમાં રહ્યા. તે શાહ સેદાગર હતા. તેમને દિવાળીબાઈ નામે પત્ની હતી અને ખીમચંદ નામે પુત્ર હતો. તેઓ વહાણવટાને ધંધો કરતા હતા. તેમની પાસે ૮ વહાણે હતાં. તેઓ વારંવાર દરિયાઈ ખેડ કરતા હતા. શેઠ મોતીશાહે મુંબઈ વગેરે સ્થાનમાં ધર્મશાળા, પાંજરાપોળ, દવાખાનાં બનાવ્યાં હતાં. સં. ૧૮૮૫ના મહા સુદિ ૬ ને રોજ મુંબઈ-ભાયખલામાં આદીશ્વર જિનપ્રાસાદ બંધાવીને તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમજ મુંબઈમાં પાયધુની ઉપર ગેડી પાર્શ્વનાથનો વિશાળ જિનપ્રાસાદ તેમણે તૈયાર કરાવ્યો હતો, જે, ૨૬ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ એમ જાણવા મળે છે કે, મુંબઈમાં કેટમાં વિસં. ૧૬૩૧ થી ૧૬૩૫માં ગોડી પાર્શ્વનાથનું જિનાલય બન્યું હતું, પરંતુ સં. ૧૮૫૯માં કેટમાં આગ લાગતાં ત્રણ દિવસ સુધી તે આગ રહી હતી. તેમાં ઘણાં મકાને ભસ્મીભૂત થયાં, તેમાં ચાલીશેકનું નુકસાન થયું હતું. - ત્યાં વસતા ઘણુ જેનો, ઘરે બળી જવાથી કાલબાદેવી, ભૂલેશ્વર, પાયધુની વિભાગમાં આવીને વસ્યા. એ જૈનોએ પાયધુની ઉપર ગોડીજીનું જિનાલય બંધાવવાને નિશ્ચય કર્યો. શેઠ નેમચંદ સં. ૧૮૬૨માં ૪૨૦૦ રૂપિયામાં પાયધુની ઉપર મકાન ખરીદ્યુ અને સં. ૧૮૬૮ના બીજા વૈ૦ સુ. ૧૦ ને બુધવારના રોજ સ્ટે. ટા ક ૮ ને ૩૦ મિનિટે શ્રી ગેડી પાW. નાથને ગાદીએ બેસાડયા. ઘેઘાવાળા શેઠ કલ્યાણજી કાનજીએ રૂા. ૧૦ ૦૧. ની બોલી બોલીને પ્રભુજીને ગાદીએ બેસાડયા. શેઠ નેમચંદ, મેતીચંદ, દેવચંદ ઉત્સવમાં જુદી જુદી બેલી બેલીને લાભ લીધો. સં. ૧૮૬૨ થી ૧૮૭૨ સુધીમાં જિનાલય તૈયાર થયું અને તેને વહીવટ શરૂઆતમાં શેઠ અમીચંદ સકરચંદની પેઢી કરતી હતી. સંભવતઃ આ પ્રતિષ્ઠા તપાગચ્છના ભવ્ય વિજયદેવેન્દ્રસૂરિના હાથે થઈ હશે, કેમકે ગવર્નર ઈન કાઉન્સીલ ડબલ્યુ હારે તેમને ગુજરાત, કાઠિયાવાડમાં ફરવા માટે પરવાનગી પત્ર આપ્યો હતો. સં. ૧૮૬માં શેઠ નેમચંદભાઈ તથા તેમનાં માતુશ્રી રૂપાબાઈ મરણ પામ્યાં. હવે કુટુંબને ભાર શેઠ મોતીચંદ ઉપર આવી પડ્યો. શેઠ મોતીચંદ દેવચંદ સૂરતની પેઢીના ટ્રસ્ટી નિમાયા. સંઘે સં૦ ૧૮૯૧ના જે. સુ. પના રોજ ગોડીજીના દેરાસરના નીચેના ભાગમાં મણિભદ્ર વીરની સ્થાપના કરી. શેઠ મોતીશાહનાં મરણ બાદ સં. ૧૮૯૨માં તેમના ૩૨ વર્ષની ઉંમરના પુત્ર ખીમચંદભાઈ ટ્રસ્ટી નિમાયા. શેઠ મોતીશાહની ટૂંક બંધાવવા વગેરેમાં શેઠ અમરચંદ દમણી, શેઠ કલ્યાણજી કાનજી ઘેઘાવાળા, તેના પુત્ર બાલાભાઈ ઘેઘાવાળા, Page #456 -------------------------------------------------------------------------- ________________ અડસઠમું] પં૦ રૂપવિજયજી ગણું [૪૧૫ દીપચંદ, કલ્યાણજી, શેઠ મોતીશાહના મિત્ર શેઠ ફૂલચંદ કપૂરચંદ ઘોઘાવાળા વગેરેએ અંજનશલાકા, સંઘવ્યવસ્થા, પ્રતિષ્ઠા મહોત્સવમાં મેટો ભાગ લીધે. મોતીશાહની ટ્રકની પ્રતિષ્ઠા વખતે જ બાલાવતી ટૂંકની પણ પ્રતિષ્ઠા થઈ. (– “ગોડીજી ગ્રંથ', પૃ૦ ૧૩૩ થી ૧૩૯) વિ. સં. ૧૯૧૩ના પર સુવ રને સેમવારે વિજયદેવસૂરિસંઘનું ટ્રસ્ટ બંધારણ તૈયાર થયું. કેટમાં સં. ૧૮૬૫ના મહા વદિ ૫ના રોજ શ્રી શાંતિનાથ જિનાલય બન્યું. એકદા શેઠ મેતીશાહે ૮ વહાણ માલથી ભરી ચીનમાં મેકલ્યાં. તેમાં તેમને ૧૨–૧૩ લાખ રૂપિયાને નફો થયો. તેમણે તે રકમ શ્રી શત્રુંજયતીર્થમાં ખરચવાનું નક્કી કર્યું અને તે રકમ જુદી રાખી મૂકી. તેમણે અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ પાસે શ્રી શત્રુંજય પહાડ ઉપર મંદિર બંધાવવા જમીન માગી પણ કોઈ જગ્યા ખાલી નહોતી એટલે શેઠ મોતીશાહ જાતે તપાસ કરવા સંધ લઈ પાલિતાણું ગયા. તેમણે જોયું કે શ્રી શત્રુંજય ઉપર પહેલી ટૂંક અને આઠમી ટૂંક વચ્ચે માટે ખાડે હતા, જે કુંતાસરની ખાઈ નામે પ્રસિદ્ધ હતો. શેઠ મેતીશાહે આ જગ્યા પૂરાવીને ત્યાં જિનાલ બંધાવવાનું નક્કી કર્યું. તેમણે શેઠ હેમાભાઈની રજા મેળવી તેને પુરાવવાની શરૂઆત કરી. આમાં રૂા. ૮૦૦૦૦ એંશી હજાર રૂપિયાનાં દોરડા વપરાયાં. અહીં શેત્રુંજી નદીથી મજૂરો પાસે એક હાંડી પાણી ભરાવી લાવવાના ચાર આના લેખે રકમ આપતા હતા. એ સમયે અંચલગચ્છના (૬૫) ભટ્ટા, મુક્તિસાગરસૂરિ (સં. ૧૮૯૨ થી ૧૯૧૪) થયા. તેમણે સં. ૧૮૯૩માં મેતીશાહની ટૂંક વગેરેની પ્રતિષ્ઠા કરી. શેઠે આ ખાડો પુરાવી જમીનને સપાટ બનાવી. એ જમીન ઉપર ટૂંક બંધાવવાનું કામ શરૂ કર્યું. બીજી તરફ પાલિતાણા Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ શહેરમાં મોતીશાહની ધર્મશાળા તૈયાર થઈ ગઈ. શેઠ મોતીશાહ સં. ૧૮૯૨ના ભાદરવા સુદિ ૧ના રોજ મરણ પામ્યા. સર્વત્ર શેક છવાઈ ગયો. પછી તો શેઠાણી દિવાળીબાઈ, પુત્ર ખીમચંદ, શેઠના મિત્રો અમરચંદ દમણી, ફૂલચંદ અને કસળચંદે મળીને ટંકનું કામ આગળ વધાર્યું. ટૂંક બની ગઈ, બધાં જિનાલયે તૈયાર થઈ ગયાં એટલે શેઠાણ દિવાળીબાઈ એ આમંત્રણ પત્રિકા કાઢી બધા સંઘને પાલિતાણે લાવ્યા અને તે મુંબઈ થી શત્રુંજયને મેટા સંઘ કાઢી ભાવનગર થઈ સં. ૧૮૯૩ના પિ૦ વ૦ ૧ના રોજ પાલિતાણે પહોંચ્યા. તેમની વિનંતીથી અમદાવાદથી શેઠ વખતચંદ, શેઠ હઠીભાઈ વગેરે શ્રેષ્ઠીઓ અને બીજા લાખ જેને ત્યાં એકઠા થયા. શેઠ ખીમચંદ પોષ વદિ ૧ થી ૧૮ દિવસ સુધી બધા યાત્રિકે અને શહેરના બધા માણસના ઝાંપે ચોખા મૂકી નૌકારસી કરી જમાડયાં. એ સમયે એક નૌકારસીએ રૂા. ૪૦૦૦૦. ચાલીસ હજાર રૂપિયા ખર્ચ થતો હતો. આ પ્રસંગે એક મારવાડી વૃદ્ધ ડોસીમાએ એક નૌકારસી કરવાની રજા માગી, ત્યારે તેને રૂપિયા કયાં છે ? એમ પૂછયું. ડોસીમાએ ગોદડીમાંથી સેનામહાર કાઢીને ઢગલો કર્યો. સંઘે તેને નકારસીને આદેશ આપ્યો. આ ઉત્સવમાં ખૂબ શાંતિ હતી. શેઠ ખીમચંદે સં. ૧૮૯૩ના માહ મહિનામાં શ્રી શત્રુંજય ઉપર મોતીશાહની ટૂંકની તથા ૭૦૦ જિનપ્રતિમાઓની ભટ્ટા, મુક્તિસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમાં રૂા. એક લાખનો ખર્ચ થયો. શેઠ મોતીશાહના શેઠ વખતચંદ, શેઠ હેમાભાઈ અને શેઠ હઠીભાઈ ત્રણે મિત્ર હતા. તેથી તેઓ ત્યાં આવ્યા હતા. પછી શેઠ ખીમચંદ ગમે તે કારણે તેમનું માન જાળવ્યું નહીં હોય તેથી તેઓ પાલિતાણાથી નારાજ થઈ અમદાવાદ પરત આવ્યા. શેઠાણું દિવાળીબાઈ તે પછી મુંબઈમાં મરણ પામ્યાં. શેઠ ખીમચંદ પણ સં. ૧૯૨૫માં મૃત્યુ પામ્યા. (– પ્રકn ૪૦, પૃ. ૫૩૭, પ્ર સ. “ પુરવણ' પૃ. ૭૭૪, ૭૭૫,' Page #458 -------------------------------------------------------------------------- ________________ અડસઠમું] પં. રૂપવિજયજી ગણિવર [૪૧૭. શેઠ કલ્યાણજી કાનજી તેઓ ઘોઘાના વતની હતા. શેઠ અમીચંદ સાકરચંદ મુંબઈ આવ્યા. તે પછી તેઓ પણ વેપાર માટે મુંબઈ આવ્યા. તેઓ લેકપ્રિય અને ધર્મનિષ્ઠ હતા. તેમના પુત્ર ત્રિકમજીએ કોટમાં સં. ૧૮૬૫માં ભ૦ શાંતિનાથનું જિનાલય બંધાવ્યું, તેમાં વિશેષ ભાગ લીધો. શરૂઆતમાં ત્યાંના તે વહીવટદાર હતા. કલ્યાણજીભાઈને કુંવરબાઈ નામે પત્ની હતી, જેનાં બીજાં નામ રામકુંવર રામકેર પણ હતાં. તેને બે પુત્રો હતા. ૧ ત્રિકમભાઈ તે કાર્યદક્ષ, સાહસી, વ્યાપાર નિષ્ણાત, ધમી અને દાની હતો. ૨. દીપચંદ ઉર્ફે બાલાભાઈ તે સં૦ ૧૯૦૩માં મૃત્યુ પામ્યા. શેઠ ત્રિકમભાઈ શેઠ મેહશાહના વિશ્વાસપાત્ર મિત્ર હતા. સં. ૧૮૮૮ સુધી તેઓ વિદ્યમાન હતા. શેઠ કલ્યાણભાઈ પછી ત્રિકમભાઈ અને તે પછી બાલાભાઈ મૃત્યુ પામ્યા. કુંવરબાઈ એ જિનાલયને વહીવટ ચલાવ્યો. પ્રેમચંદ રંગજી પટણી, તારાચંદ મોતીચંદ માંગરોલી પણ કેટવિરતારના જેને ના આગેવાન હતા. નગરશેઠ વખતચંદ ( તેમના માટે જુઓ પ્રક. ૫૮) સં. ૧૮૩૮માં ગુજરાતમાં અને મારવાડમાં અતિવૃષ્ટિના કારણે ધાન્ય કેહવાઈ ગયું. તીડો ઊતરી આવ્યાં. સં૧૮૬૯માં ગુજરાત અને મારવાડમાં અગણેત્તરો દુકાળ પડ્યો, સાથેસાથે ગુજરાતમાં ઝેરી તાવ ફેલાયો. પરિણામે જાનમાલની માટી નુકસાની થઈ. આ બધા મુશકેલીના સમયમાં અમદાવાદના નગરશેઠેએ જનતા પ્રત્યે પ્રેમ દાખવી સહાયતા પહોંચાડી હતી. એ જ રીતે નગરશેઠ વખતચંદ તથા સુબા રવચંદ, શેઠ કરસન વગેરે જેને કાળજી રાખી જનતાને બધા પ્રકારની મદદ આપી હતી. (– ગુજરાતને ઇતિહાસ) નગરશેઠ વખતચંદ સં૧૮૭૦માં સ્વર્ગવાસી થયા. (- ૫૦ સ૦ ભા. ૧, ૫૦ ૧) Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] જે પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ શેઠ હઠીસિંહ કેશરીસિંહ વિશા ઓશવાલ જ્ઞાતિમાં જન વંશમાં અનુક્રમે ૧. શેઠ નિહાલચંદ, ૨. શેઠ ખુશાલચંદ, ૩. શેઠ કેશરીસિંહ અને ૪ શેઠ હઠીસિંહ થયા હતા. શેઠ હઠીસિંહને સં. ૧૮૫રમાં જન્મ થયો હતો. તેઓ બુદ્ધિશાળી, દિલાવર અને પરગજુ જૈન હતા. શેઠ વખતચંદ સાથે તેમને ગાઢ મિત્રી હતી. અને શેઠ વખતચંદને મુંબઈના મેતીશાહ શેઠ સાથે મત્રી હતી એટલે આ ઓળખાણથી મુંબઈના શેઠ મોતીશાહે શેઠ હઠીસિંહને વેપારમાં મોટી સહાયતા કરી. તેમણે જાતમહેનતથી ખંત રાખીને વેપાર ખેડ્યો. ધીમે ધીમે આગળ વધતાં તે લખપતિ થયા. શેઠ મેતીશાહના પુત્ર શેઠ ખીમચંદે પિતાના મરણ પછી સં. ૧૮૯૩ના મહા મહિનામાં શત્રુંજયતીર્થમાં મેતીશાહની ટૂંકની રૂ. ૧ લાખ ખરચીને અંચલગચ્છના ભટ્ટામુક્તિસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં શેઠ હઠીસિંહે મિત્રદાવે ભારે સહકાર આપ્યો હતો. શેઠ હઠીસિંહે સં. ૧૮૯૩ના ફાવ. ૧૦ ના રોજ અમદાવાદથી કેશરિયાજી તીર્થને છરી પાળા યાત્રાસંઘ કાઢયો હતો. તેમાં તપાગચ્છના ભટ્ટા. વિજયજિતેંદ્રસૂરિ, પં. સુબુદ્ધિવિજયગણું તથા ૫૦ રૂપવિજયગણું અને તેમના શિષ્ય મુનિ અમીવિજયજી વગેરેને આ યાત્રામાં સાથે લીધા હતા. મુનિ અમીવિજયે આ “કેશરિયાજી સંઘને રાસ રચ્યું છે. શેઠ હઠીસિંહે સં. ૧૮૯માં ગોલવાડની પંચતીર્થીને છરી પાળા યાત્રા સંઘ કાઢયો હતો. તેમાં તેમણે નગરશેઠ હેમાભાઈ વગેરેને સાથે લીધા હતા. તે સંઘ પાછો વળતાં વચમાં શંખલપુર ગર્યો હતો, ત્યાં બહુચરાજીના પૂજારીને માગ્યા મુજબ રકમ ન મળતાં કોધે ભરાઈને શેઠના વિરુદ્ધ નિંદા કરવા માંડી હતી. આથી શેઠનું મન ગ્લાનિ પામ્યું હતું. ત્યાંથી શેઠ સંઘ સાથે અમદાવાદ આવ્યા હતા. શેઠ હઠીસિંહને ત્રણ પનીઓ હતી. એક નગરશેઠ હેમાભાઈની Page #460 -------------------------------------------------------------------------- ________________ અંડસઠમું ] પં૦ રૂપવિજય ગણું [ ૪૧૯ પુત્રી રુકિમણી જે થોડા કાળમાં આંધળી બની હતી. બીજી નગરશેઠ હેમાભાઈની બીજી પુત્રી પ્રસન્નકુમારી જે લગ્ન પછી થોડા જ સમયમાં મરણ પામી હતી અને ત્રીજી ઘોઘાના શેઠની પુત્રી હરકોર બાઈ, જે બુદ્ધિશાળી, ચતુર અને કાર્યદક્ષ હતી. પણ શેઠને કંઈ સંતાન થયું નહીં. આથી શેઠાણું રુકિમણ અને શેઠાણી હરકોરબાઈ એ ૧. શ્રી જેસિંગભાઈ અને ૨. શ્રી. ઉમાભાઈને પિત પિતાના ખેાળે લીધા હતા. શેઠ હઠીભાઈએ વિ. સં. ૧૯૦૧ના મહા કે વૈશાખ મહિનામાં અમદાવાદમાં પેતાની વાડીમાં જે ઘર દેરાસર હતું તેના બદલે ત્યાં મોટો જિન પ્રાસાદ બનાવવા માટે પાયે નાખ્યો અને કામ શરૂ કરાવ્યું. તેમણે ત્રિશિખરી મેટે ૭૨ દેરીઓવાળા મોટો જિનપ્રાસાદ તૈયાર કરાવ્યા. તેમાં બે રંગમંડપ, ઠેર ઠેર કળા – કારીગરી ને પૂતળીઓથી સુશોભિત બનાવ્યા હતા. પરંતુ શેઠ આ મંદિરને પૂરેપૂરું બંધાયેલું જોવા ન રહી શક્યા. સં. ૧૯૦૨ના શ્રા, સુ૨ ૫ ને શુક્રવારે શેઠ હેમાભાઈ સ્વર્ગવાસ કરી ગયા. તેમની માતા સૂરજબાઈ પણ તે પછી અમદાવાદમાં જ મરણ પામ્યાં. પછી બંને શેઠાણીઓએ શેઠના આ જિનાલયને બંધાવવાનું કામ પૂરું કરાવ્યું. અને તપાગચ્છની સાગરશાખાના ભટ્ટા, શાંતિસૂરિના હાથે સં. ૧૯૦૩ના મ૦ વ૦ ને શુક્રવારે સૂર્યોદયથી ઘડી ૧૪ અને પળ પાંચના સમયે વૃષભ લગ્નમાં મૂળના ભ૦ ધર્મનાથ વગેરે સર્વ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી તથા સં. ૧૯૯૩ના મહ વ૦ ૧૧ને ગુરુવારે તે જ ભટ્ટારકના હાથે તે બધી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પં. વીરવિજયજીગણએ સં. ૧૯૩ના મ૦ વ૦ ૧૧ના રોજ ત્યાં જ તે ‘પ્રતિષ્ઠાને રાસ” બનાવ્યો. (- જે. સ. પ્ર. વર્ષ : ૧૩, અંક: , પૃ. ૨૦) આ પ્રતિષ્ઠા ઉત્સવમાં એક લાખથી વધુ સ્ત્રી-પુરુષ હાજર થયાં હતાં, શેઠ-શેઠાણીએ આ જિનપ્રાસાદના નિર્માણમાં તથા પ્રતિષ્ઠા ઉત્સવમાં આશરે ૨૦ લાખ રૂપિયા ખરચ્યા હતા. અને આ જિનપ્રાસાદના નિભાવ માટે વાડીમાં જ હઠીપરું વસાવ્યું હતું. Page #461 -------------------------------------------------------------------------- ________________ ક૨૦] જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ શેઠાણી હરકોરબાઈ શેઠ હઠીસિંહનાં પત્ની હરકેરબાઈ બાહોશ અને કાર્યદક્ષ સ્ત્રીરત્ન હતાં. તેણે મહાકવિ પં. વીરવિજ્યજીગણીના ઉપદેશથી સં૦ ૧૯૨૦ના કા. વ. રના રોજ સમેતશિખર તીર્થનો સંઘ કાઢયો. આ સંધ સ૧૯૨૦ના મહા વદિ ૧૩ના રોજ સમેતશિખર પહોંચે હતા અને જેઠ વત્ર અને શુકવારે અમદાવાદ પાછો ફર્યો હતો. શેઠાણ હરકોરબાઈએ ટંકશાળમાં જિનમંદિર બંધાવ્યું હતું. ( પ્રક. ૪૪ પૃ– ) પં. વીરવિજયજીગણીના શિષ્ય પં. રંગવિ સં. ૧૨૭ માં “સમેતશિખર સંધ રાસ રચ્યો છે તેમાં તેમણે આ સંઘનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. સાથોસાથ એક નવીન વાત ઉપર પ્રકાશ પાડડ્યો છે. કે, મુનિ શ્રી લાભાનંદજી, જેઓ આનંદઘનના નામથી ખ્યાત છે તે પંસત્યવિજ્યગણના નાના ભાઈ (સહેદર) થતા હતા. શેઠ હઠીભાઈની પત્નીઓએ શેઠ જેસિંગભાઈ અને શેઠ ઉમાભાઈને ખોળે લીધા હતા. (– જુઓ જ. સ. પ્ર૦ વર્ષ : ૧૩, અંક ૯માં પૃ. ૧૪૬ થી “સમેતશિખર તીર્થ ઢાળિયા” : ગુજરાત વર્નાકયુલર પ્રકાશિત અમદાવાદને ઇતિહાસ પૃષ્ઠ ૨૫૪ થી ૨૬૫ ; હઠીભાઈની વાડીના જિનાલયના શિલાલેખ; મુનિ અમવિજયજી કૃત કેશરિયાજી સંઘરાસ” અજનશલાકા આમંત્રણ પત્રિકા; ૫૦ વીરવિજયજી કૃત “પ્રતિષ્ઠા રાસ, પં. રંગ વિજ્ય કૃત “સમેતશિખર તીર્થરાસ” અને . વીરવિજયજી રાસ – જૈ. સ. પ્ર ક્રમાંક : ૮૦, ૧૩૬, ૧૪૦, ૧૫૦, ૧૫૩) શેઠ જેસિંગભાઈ શેઠ હઠીભાઈના વારસ તે ઉદાર દિલના, ગંભીર અને સંગીત શેખીન પુરુષ હતા. દૂર દૂર દેશના ગવૈયાએ તેમને ત્યાં આવતાં અને અમદાવાદની જનતાને સંગીતનો લાભ અપાવતા. Page #462 -------------------------------------------------------------------------- ________________ અઢસઠમું] પં. રૂપવિજ્યજી ગણી [ ૪૨૧ તેમની પુત્રી લક્ષ્મીબેન હતી. તેનું નગરશેઠ ચીમનલાલ લાલભાઈ સાથે લગ્ન થયું હતું. તે ઉદાર, ધર્મપ્રેમી, ચતુર, પુણ્યશાલિની અને પ્રભાવક હતી. સં. ૧૯૦માં અમદાવાદમાં નગરશેઠના વંડામાં શ્રમણ સંમેલન મળ્યું ત્યારે લક્ષ્મીબેને સાધુભક્તિનો મેટો લાભ લીધો હતો. તેને સાયનમાં નામે એક પુત્રી હતી. અને તેને પણ હંસા નામે પુત્રી હતી. શેઠાણી લક્ષ્મીબાઈએ બાબા સાહેબસિંહને ગોદ લીધા હતા. તેમને પ્રભાવતી નામે પત્ની છે. શેઠ ઉમાભાઈ તેમને શેઠ પન્નાલાલ નામે પુત્ર છે. જે પુણ્યવાન અને ભાવિક ધર્મપ્રેમી છે. તે વિવિધ ધર્માચાર્યોના પરિચયમાં આવ્યા છે. તે ભાવિક હોવાથી બધા ફિરકાના ધર્માચાર્યોને ધર્મગુરુ માને છે. શેઠ પન્નાલાલને અરવિંદભાઈ નામે પુત્ર છે. શ્રી અરવિંદભાઈ પણ ધર્મપ્રેમી–સમાજસેવી, ને રાષ્ટ્રપ્રેમી હોઈ નિખાલસતાભર્યા – સેવાના રંગે રંગાયેલા અને ધર્મનું કોઈ પણ કાર્ય કરવામાં સદાય તત્પર રહે છે. તેઓ ઘણું મેટી સંસ્થાઓમાં જવાબદારીભર્યા સ્થાન ધરાવે છે. વિક્રમશી ભાવસાર વિકમશી ટિમાણાને વતની હતા. તે ભાભીના મહેણાંથી શત્રુજય ઉપર ઘાટ કરાવવા તીર્થ ઉપર ગયો. તેણે વાઘણને મારી ઘંટ વગાડ્યો ને સૌને યાત્રા કરાવી. તેને પાળિયે કુમારપાલના મંદિર પાસે છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અગણે તેરમું ૫૦ કીતિ વિજયગણી “ન્દ્રિય : નીતિમાન વિજ્ઞચૈા વિનિતન્દ્રિય : 1 शिष्यसमूह युक्तोऽभूत् निर्ग्रन्थेो मुनिसत्तम: ॥ ( – લક્ષ્મીવિજય, ‘ પ્રશ્નોત્તરપ્રદીપ પ્રશસ્તિ ' ક્ષેા. ૨ ) ૫૦ કીતિ વિજયજીના ગૃહસ્થજીવન વિશેની ઉપયેાગી માહિતી મળતી નથી. તે પાલનપુરના વતની હતા. વીશા એશવાલ જ્ઞાતિના હતા. તેમનું નામ કપૂરચંદ હતુ. તેમણે ૪૫ વર્ષની ઉમરે દીક્ષા લીધી એટલી જ માહિતી મળે છે. તે રૂપાળા, તેજસ્વી, ત્યાગી, યાની અને તપસ્વી પુરુષ હતા. તેઓ અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયથી નીકળી લુહારની પાળનાં ઉપાશ્રયે જઈ ને રહ્યા હતા. તે સમયથી લુહારની પાળના ઉપાશ્રય વધુ પ્રસિદ્ધિમાં આવ્યા. સ’૦ ૧૮૮૦માં તેઓ અમદાવાદની લુહારની પાળના ઉપાશ્રયે ચામાસુ રહ્યા. ત્યારે તેમની સાથે બીજા ૧૧ મુનિવરા હતા. ૧. મુનિ કસ્તૂરવિજયજી. ૨. મુનિ ઉદ્યોતવિજય, ૩. મુનિ લક્ષ્મીવિજય, ૪. મુનિ શાંતિ વિજય, ૫. મુનિ ચતુવિજય, ૬. મુનિ લાભવિજય, ૭. મણિવિજય દાદા ૮. મુનિ મેઘવિજય ૯. મુનિ મનાહરવજય, ૧૦. મુનિ મેાતીવિજય અને ૧૧. મુનિ વૃદ્ધિવિજય નામે હતા. ૫૦ મુનિ કીર્તિવિજયગણી ગુજરાત, મારવાડ, મેવાડમાં વિચર્યા હતા. અને ત્યાંની જૈન પ્રજા ઉપર ઉપદેશથી માટેા ઉપકાર કર્યા હતા. ૫૦ કીતિ વિજયને ૧૫ શિષ્યા હતા. તેમાંના કેટલાકનાં નામ આ પ્રકારે છે— ૧. તપસ્વી કસ્તૂર વિજયગણી ર. મુનિ ઉદ્યોતવિજય ગણી—તેમની પર પરામાં અનુક્રમે (૭૧) મુનિ અમરવિજય; (૭૨) મુનિ ગુમાનવિજય, (૭૩) મુનિ પ્રતાપવિજય (૭૪)......(૭૫ ) મુનિ બુદ્ધિવિજય. Page #464 -------------------------------------------------------------------------- ________________ અગણેતર] પં. કીર્તિવિજય ગણી [૪૨૩ ૩. મુનિ જીવવિજ્ય – તેમણે ઘણું સ્તવને, સજ્જા અને પદો રચ્યાં છે, જે લોકપ્રિય બન્યાં છે. ૪. મુનિ માણેકવિજય – તેમણે “માતા મરુદેવીના નંદ” અને “શ્રી આદીશ્વર અંતરયામી વગેરે સ્તવન, સક્ઝાયા અને પદો રચ્યાં જે લોકપ્રિય બન્યાં છે. પં. મણિવિજય દાદાના શિષ્ય મુનિ શુભવિજય, તેમના શિષ્ય પં. લક્ષમી વિજયગણુએ – સંસ્કૃતમાં ગદ્યમાં “અઠ્ઠાઈ વ્યાખ્યાન રચ્યું છે તે આજે મેટે ભાગે પર્યુષણના આગળના ત્રણ દિવસમાં વંચાય છે. તેમણે ભર ઋષભદેવ, ભ૦ શાંતિનાથ, ભ૦ નેમિનાથ, ભ૦ પાર્શ્વનાથ અને ભ૦ મહાવીરસ્વામીની સંસ્કૃતમાં સ્તુતિઓ બનાવી છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સિત્તેરમું પં. કસ્તુરવિજયગણી " विनेयस्तस्य कस्तूरविजयोऽभून्महामुनिः । तपः प्रभृतिभिर्युक्तो गुणौद्यैर्विगतस्पृहः । (- પં૦ લમી વિજય, પ્રશ્નોત્તર પ્રદીપ પ્રશસ્તિ લેકઃ ૩) પં. કસ્તુરવિજય ગણીના જીવન વિશે કોઈ માહિતી મળતી નથી. તેમણે સં. ૧૮૭૦માં દીક્ષા લીધી અને વડોદરામાં કાળધર્મ પામી ગયા એટલી જ હકીક્ત જાણવા મળે છે. તેઓ ત્યાગી, વૈરાગી, જ્ઞાની અને તપસ્વી મહાત્મા હતા. તેઓ આહારમાં બહુ ઓછાં દ્રવ્યો વાપરતા હતા. તેઓ તપસ્વી અને લોકમાં પ્રભાવક પુરુષ તરીકે નામના નોંધાવી ગયા. તેમની આરસની મૂર્તિઓ ૧. વડોદરાના કોઠારીપળના ભ૦ પાશ્વનાથના જિનાલયમાં છે. આ. વિજયપ્રતાપસૂરિના ઉપદેશથી તે મૂર્તિને શ્રીસંઘે નવી દેરી બનાવી ફરીથી પ્રતિષ્ઠા કરાવી છે. ૨. અમદાવાદમાં લુહારની પિળના ઉપાશ્રયમાં છે. મુનિ ચિદાનંદજી મહારાજ – તેમનું મૂળ નામ કપૂરવિજયજી હતું. તેઓ મસ્ત અભ્યાસી હતા. તેમણે અધ્યાત્મ કૃતિઓ પદ્યમાં રચી છે. આ કૃતિઓ હિંદીમાં ઢળતી એવી મિશ્ર ગુજરાતીમાં રચી છે. તેમને જે અનુભવગમ્ય થયું તે તેમણે ઉપર્યુક્ત સાહિત્યમાં આપ્યું છે. તેમણે સ્વરોદય” રચ્યો છે. તેઓ સં. ૧૯૧૦ સુધી વિદ્યમાન હતા. તેમની ચરણપાદુકા જૂનાગઢમાં ધર્મશાળાના પાછળના ભાગમાં છે. સંભવ છે કે તેઓ તપાગચ્છમાં મહ૦ ભાનચંદ્રગણુની પરંપરાના ૫૦ દેવચંદ્રની સંવેગી પરંપરાના મુનિ રહ્યા હોય. મુનિ બુટેરાયજી, મૂલચંદજી અને વૃદ્ધિચંદ્રજી પંજાબથી સંવેગી દીક્ષા લેવા ગુજરાત આવ્યા ત્યારે તેઓ કપૂરવિજયજીની કીતિ સાંભળી Page #466 -------------------------------------------------------------------------- ________________ સિત્તેરમું ) પં. કસ્તુરવિજયજી ગણી [ ક૨૫ તેમને મળવા ભાવનગર આવ્યા હતા. પણ કપૂરવિજયજી તે વખતે ગિરનાર તીર્થમાં હતા, તેથી તેમને મળી શક્યા નહી પછી તેઓએ અમદાવાદ આવી પૂ. મણિવિજય દાદા પાસે સંવેગી દીક્ષા લીધી હતી. નોંધ- વીરમગામ અને માંડલની વચ્ચે ધાકડી ગામ છે. ત્યાં લક્ષમીચંદ હઠીચંદ નામે શ્રાવક રહેતો હતો. તે ખૂબ ભક્તિવાળો પુરુષ હતો. Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ એકેતેરમું પ૦ મણિવિજય દાદા તઘાણી વિશે ટિ wvnmવિના જુથ ! તપશ્ચરિન પત્તો મૂરિષ્ણ-કથિનાર છે ” (- પ્રશ્નોત્તર પ્રદીપપ્રશસ્તિ, ક્ષેત્ર ૪) પંઇ મણિવિજ્યજી ગૃહસ્થાવસ્થામાં વિરમગામ અને રામપુરા (ભ કેડા) વચ્ચે પાંચ કાશ દૂર આવેલા આધાર ગામના વતની હતા. તેમના પિતાનું નામ જીવણદાસ અને માતાનું નામ ગુલાબદેવી હતું. જ્ઞાતિએ તેઓ વીશા શ્રીમાલી હતા. તેમનો જન્મ સં. ૧૮૫રમાં થયો હતો. તેમને માતર તીર્થમાં પંઇ કીર્તિવિજયગણના ઉપદેશથી વૈરાગ્ય થયે અને સં. ૧૮૭૭માં પાલીમાં પં. કીર્તિવિજયજીગણ પાસે તેમણે દીક્ષા લીધી, સં. ૧૮૯૪ના જેઠ સુદિ ૧૩ના રોજ અમદાવાદમાં પંસૌભાગ્યવિજયગણુએ તેમને પંન્યાસપદવી આપી. સં. ૧૯૩૫ના આ સુત્ર ૮ના રોજ અમદાવાદમાં ચઉવિહાર ઉપવાસ અને આરાધનાની સાથે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને શિષ્ય પરિવાર માટે થયો તેથી તેઓ દાદા તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મેટા તપસ્વી હતા. તેમણે દીક્ષાના દિવસથી જિંદગી પર્યત ચઉવિહારા એકાસણું જ કર્યા હતાં. કોઈ દિવસ બે વખત આહાર લીધો નથી. એકાસણ સિવાય પાણી પણ લીધું નથી. ઉપવાસ કર્યા તે પણ ચઉવિહારા જ કર્યા. તેમણે આ સિવાય માસક્ષમણ વગેરે તપ કર્યા અને અત્તરવાયણે તથા પારણે ચઉવિહાર એકાસણું જ કર્યા હતાં. વિહારનયાત્રા – તેઓ ઉગ્ર વિહારી હતા. તેઓ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મેવાડ, રાજપૂતાના તથા પૂર્વ ભારતના પ્રદેશમાં વિચર્યા હતા. Page #468 -------------------------------------------------------------------------- ________________ એકેતેરમું ] પં. મણિવિજય દાદા [ ક૨૭ શત્રુંજય, ગિરનાર, સમેતશિખર વગેરે તીર્થોની તેમણે યાત્રા કરી હતી. તેમણે કિસનગઢ, પુષ્કરણ, જામનગર, વાંકાનેર, ભાવનગર, વરતેજ, લીંબડી, પાલિતાણા, વિસનગર, અને ભૂજ વગેરે સ્થાનોમાં કુલ ૫૯ માસાં વીતાવ્યાં હતાં, તથા અમદાવાદમાં ૧૪ ચોમાસાં કર્યા હતાં તેમણે પં. સુમેરુવિજયગણી તથા પં. હર્ષવિજયગણુને પંન્યાસ પદવીઓ આપી હતી. પોતાના શિષ્ય-પ્રશિષ્ય મૂલચંદજી (મુક્તિવિજયજી) મહારાજને ગણીપદ આપ્યું હતું. તેમણે ઘણુ જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા અને ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી. શિષ્ય પરિવાર – પૂ. પં. શ્રી મણિવિજયદાદાને શિષ્ય પરિવાર આ પ્રકારે જાણવા મળે છે. – ૧. મુનિ અમૃતવિજય. (વિ.સં. ૧૮૯૮માં દીક્ષા) ૨. મુનિ પદ્યવિજય – તેમની પરંપરામાં (૭૩) મુનિ પ્રેમવિજયજી, (૭૪) મુનિ શ્રીજિતવિજયજી દાદા. ૩. પં શ્રી બુદ્ધિવિજયજીગણી. ( પૂ. બુટેરાયજી મ.) જ. પંગુલાબવિયગણી – તે મોટા વિદ્વાન હતા. જ્યોતિષ અને આગમના સમર્થ જાણકાર હતા. ૫. મુનિ હીરવિજયજી – તે સી ગુરુભાઈએથી નાના હતા. એ ઉલ્લેખ મળે છે. ૬. (૭૨) પં. શુભવિજયજીગણી, તેમના શિષ્ય (૭૩) મુનિ લક્ષમીવિજયજી – તેઓ મેટા વિદ્વાન હતા. તેમણે (૧) સં. ૧૯૫૯માં પ્રશ્નોત્તર પ્રદીપ” પ્રકાશ પ - ગુજરાતી, (૨) સંસ્કૃતમાં ગદ્યમાં “શ્રી પર્યુષણાલિકા વ્યાખ્યાન ગ્રંથ અને સંસ્કૃતમાં ભ૦ આદિનાથ, ભ૦ શાંતિનાથ, ભ, નેમિનાથ, ભ૦ પાર્શ્વનાથ અને ભ૦ મહાવીરસ્વામીની સ્તુતિઓ રચી છે, Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૭. આ. વિજયસિદ્ધિસૂરિ દાદા – અમદાવાદની ખેતરપાળની પળમાં શેઠ મનસુખલાલ અને તેમનાં પત્ની ઉજમબાઈથી સં. ૧૯૧૧માં જન્મ થયે હતો. તેમણે સં. ૧૯૩૪ના જે. વ. ૨ના દિવસે અમદાવાદમાં દીક્ષા લીધી, સં. ૧૯૫૭માં સૂરતમાં પંન્યાસપદવી મેળવી અને સં. ૧૯૫૭માં અમદાવાદમાં આચાર્ય પદવી પ્રાપ્ત કરી. સં. ૨૦૧૫ના ભાવે વ૦ ૧૪ ને ગુરુવારે તા. ૧-૧૦-૧૯૫૯ના રોજ બપોરે ક૦ ૧ અને ૨૨ મિનિટે અમદાવાદમાં વિદ્યાશાળામાં કાળધર્મ પામ્યા. તેમણે સં. ૧૫૭માં આચાર્યપદવી મળી ત્યારથી તે જિંદગી પર્યત એકાંતરે ઉપવાસે કર્યા હતા. તેઓ દીર્ધાયુષી હતા. લગભગ ૧૦૫ વર્ષ જીવ્યા હતા. તેમનાં પત્નીએ પણ દીક્ષા લીધી હતી, જેમનું સાદેવી અવસ્થાનું નામ ચંદન શ્રી હતું. [ભાગ ચોથો સંપૂર્ણ ] બિન કો. આખામાં (આગળ વધતે ઈતિહાસ ભાગ પાંચમામાં) Page #470 -------------------------------------------------------------------------- ________________ ર હિંથી ર કા જૈન પરંપરાને ઇતિહાસના પ્રકાશન માટે દ્રવ્ય સહાયતા કરનારા. પુજ્ય ગુરુ ભગવંતોના ઉપદેશથી સહાયક બનતા શ્રી સંઘો, ટ્રસ્ટ, તથા સગૃહરની શુભ નામાવલી. ત્તિ જ્ઞાન ખાતામાંથી વહેલ સહાયતાની સરિતા - શ્રી કફપરેડ જૈન સંઘ – મુંબઈ શ્રી દેવચંદનગર જિન સંઘ (ભાયંદર – મુંબઈ) શ્રી ચિંતામણુ પાર્શ્વનાથ મૂ. પૂ. જૈન સંઘ ભાયંદર-વેસ્ટ શ્રી ભાંડુપ વેતામ્બર મુ. પૂ. તપગચ્છ જૈન સંધ. - શ્રી જૈન સોસાયટી જન સંઘ-અમદાવાદ - થી જૈન પ્રાપ્ય વિદ્યા ભવન-અમદાવાદ. D Bરક સેવાભાવિ મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મ. – શ્રી નેમિસૂરી જૈન જ્ઞાન મંદિર, પાંજરાપોળ – અમદાવાદ L] પ્રેરક : પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય મેરૂપ્રભસૂરિશ્વરજી મ. સા. - શ્રી ભાવનગર જૈન કમિ.પૂ. તપાસંઘ (શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી) - શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ, વાલકેશ્વર મુંબઈ. [] પ્રેરક : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરિશ્વરજી મ. સા. [] પૂજ્ય આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. પં શ્રી રાજ્યશ વિજયજી મહારાજના સદ્દઉપદેશથી શ્રી વાડજ છે. મૂ. પૂ. જૈન સંધ. અમદાવાદ ] પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. ના શિષ્યરન પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાના સર્વપદેશથી, Page #471 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૦ ] પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયપ્રિય કરસૂરીશ્વરજી મ, ના શિષ્ય મુનિરાજ શ્રી નદિષેણુવિજયજી મહારાજના સદ્ઉપદેશથી [] શ્રી વાડીલાલ સારાભાઈ ટ્રસ્ટ દેરાસર પ્રાથનાસમાજ મુંબઈ. ( પ્રેરક : પૂજ્ય આયાય શ્રી દુલ ભસાગરસૂરીશ્વરજી મ. સા.ના ત્રિનેય શિષ્ય મુનિરાજ શ્રી પ્રેમપ્રભસાગરજી મ. ) પરમ પૂજ્ય ઉપા. શ્રી ધર્મ સાગરજી મ. ના શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી મ. ના સઉપદેશથી શ્રી હીરસૂરી નૂતન જૈન ઉપાશ્રય – પાલનપુર [] પ. પુ. આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ની ૩૩મી સ્વ -તિથિની નિમિત્તે પ્રવ`ક મુનિ શ્રી યશેાભદ્રવિજયજી મ. ની પ્રરણાથી (ગોરેગામ-મુ`બઈ ) પુજ્ય પન્યાસ પ્રવર શ્રી પુર્ણાનંદવિજયજી મ. સા. ની પ્રેરણાથી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયભક્તિસૂરીજી સમુદાયના મુનિરાજ શ્રી જયચન્દ્ર વિજયજી મ. ના ઉપદેશથી શ્રી શુકનરાજ હીંમતમલજી કુરલાવાળા, [] પૂજ્ય સાહિત્ય ભૂષણુ સ્વ. મુનિરાજ શ્રી જિનેન્દ્રવિજયજી મ.ના શિષ્યરત્ન પૂજય પ્રવર્તીક મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મ. પ્રેરણાથી પૂજ્ય પંન્યાસ શ્રી સૂર્ય સાગરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી મિત્રાનંદુ સાગરજીની પ્રેરણાથી શ્રી સાંડેરાવ જિનેન્દ્ર ભવન -પાલીતાણાતરફથી પરમ પુજ્ય મુનિરાજ શ્રી રત્નપ્રભવિજયજી મ. ની શુભ પ્રેરણાથી શ્રી ધર્મજ જૈન સૌંધ - ધર્માંજ ( ગુજરાત ). [] પ. પૂ. યાગનિષ્ઠ આચાર્ય દેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના સાધ્વીજીશ્રી સૂર્ય પ્રભાશ્રીજી મ. ની પ્રેરણાથી, [] પૂજ્ય સાધ્વીજી શ્રી પુણ્યદર્શનાશ્રીજી મ. ની પ્રેરણાથી શ્રી સુનીલભાઈ બી. શાહ આદિ પરીવાર [] પૂજ્ય સાધ્વી શ્રી પ્રજ્ઞપ્તાશ્રીજી મ. ના તપસ્વી શિષ્યા સાધ્વીશ્રી ઋજુપ્રજ્ઞાશ્રીજી મ, ના ૪૫ ઉપવાસ નિમિત્તે – કાંદીવલી. મુબઈ Page #472 -------------------------------------------------------------------------- ________________ [૩૧] જ્ઞાનભક્તિ માટે સહાયક બનેલા સહભાગીઓ પરમ પુજ્ય સેવાભાવિ મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મ. ની પ્રેરણાથી | શ્રી કફ પરેડ જૈન સંધના જુદા જુદા ભાઈઓ તરફથી | શ્રી રસીકલાલ અમથાલાલ શાહ-મુંબઈ | શ્રી રતિલાલ જેઠાલાલ સલોત ] શ્રી ઘેલીબેન છોટાલાલ શાહ 3 શ્રી ચંદનબેન મણિલાલના પ૦૦ આયંબિલની તપશ્ચર્યા નિમિત્તે ] શ્રી હસમુખલાલ નાથાલાલ તેલી (ભાયંદર – વેસ્ટ) | સ્વ: મણિલાલ જેઠાલાલના સુપુત્ર શ્રી સુમતીલાલ તથા શ્રી બાબુભાઈ આદિ. | શ્રીમતિ ભાનુબેન ગુલાબચંદ શાહના સિદ્ધગિરીના ચાતુર્માસ-નવ્વાણું યાત્રા નિમિત્તે, [] શ્રી બાબુલાલ નરપતલાલ પારેખ વાવવાળા [] શ્રી ચંપકલાલ ગીરધરલાલ અમરેલીવાળા. શ્રી સ્વ. કુલીબેન છોટાલાલના મરણાર્થે શ્રી રતિલાલ છોટાલાલ શાહ (ઉમતા નિવાસી) ગેરેગામ-મુંબઈ શ્રી રાજેન્દ્રભાઈ ફુલચંદ શાહના ધર્મપત્ની શ્રીમતિ મંજુલા બેનની ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા નિમિત્તે. ભાયંદર, | શ્રી રમણલાલ મુળચંદ શાહ સિરવાળાના ધર્મપત્ની શ્રીમતિ શારદાબેનની અઠ્ઠાઈ નિમિત્તે ભાયંદર [ શ્રી જયંતિલાલ હરગોવિંદદાસ કેશરીચંદ સેનેથાવાળાના ધર્મપત્ની શ્રી નયનાબેનને સ્મરણાર્થ હ : જીજ્ઞાબેન (મલાડ – મુંબઈ) ] શ્રીમતી રંભાબેન જયંતિલાલ ગાંધી હઃ શ્રી રમેશભાઈ – મલાડ |િ શ્રી નંબકલાલ કુલચંદ ના ધર્મપત્ની સ્વ. શ્રી કાન્તાલક્ષમીબેનના સ્મરણાર્થે O શ્રી દેવરાજ માવજી શાહ કાંદિવલી – મુંબઈ. ] એક સંગ્રહસ્થ, હસ્ત ઃ શ્રી રમેશભાઈ ગાંધી, મલાડ – મુંબઈ. [] એક સગ્રહથ. (ભાયંદર) [] એક સંગ્રહસ્થ, [] એક સંગ્રહસ્થ, [] એક સબ્રહસ્થ. મુંબઈ Page #473 -------------------------------------------------------------------------- ________________ B - - [૪૩૨ ] જ્ઞાનભક્તિમાં અગાઉથી કાપી લખાવી સહાયક બનેલા. ભાગ્યશાળી સગૃહથાના નામ. પરમ પૂજ્ય મુનિ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજની મંગળ પ્રેરણાથી કાપી લખાવનાર ભાગ્યશાળી. શ્રી શવસાલ મગનલાલના સુપુત્રાના ધર્મપત્ની શ્રીમંત નસુખેન રમણુલાલ તથા શ્રીમતિ ઉર્મિલાખેન મનહરલાલની અટ્ટાઈની તપશ્ચર્યા નિમિત્તે - શ્રી ભાગચંદભરાજી બાલીવાળાના સુપુત્રના ધર્મપત્ની શ્રીમતિ પુષ્પાબેન વિમલય દની વર્ધમાન તપની પાયાની તપશ્ચર્યા નિમિત્તે શ્રી ચંદુલાલ પુંજાલાલ શાહ-મુંબઈ - શ્રૌ જોકમલ પુનઃચંદજી ( તખતગઢાળા) ગોરેગામ શ્રી પોપટલાલ ભીખાભાઇ ભાલુસણવાળા શ્રી જસવ"તલાલ શીવલાલ ડાઈનિવાસીના ધર્મપત્ની શ્રીમંત મંજુલાબેનના વર્ધમાન તપની તપશ્ચર્યા નિમિત્તે, - શ્રી શાંતિલાલ જેઠાલાલ શાહુ - શ્રી ધીરજલાલ વીરચંદ વેરા ( જામનગરવાળા) હસ્તે : શ્રીતિ હેમાંગીખેન કાંદિવલી – મુંબઈ. શ્રી કાંતિલાલ ગભીરદાસ સાનૈથા –ભાયંદર શ્રો રણકલાલ કુંવરજી વૈશ્વરા પાલીતાણુાવાળાના સુપુત્ર અતુલકુમાર તથા સુપુત્રી મીતાબેનની અઠ્ઠાઈ નિમિત્તે શ્રી સ્વ. કેશવલાલ ગગલચંદના ધર્મ પત્ની શ્રી મોંગુબેનના સ્મણુાથે તેમના કુટુંબીજના તરફથી. શ્રી રમણુલાલ મુલય દશાહના ધ`પત્ની શ્રી મ જુબેન . શ્રીમતિ દલસીએન મગનલાલ ગાંધી – ભાયંદર Zil શ્રી બાવચંદભાઈ જગજીવનદાસ પારેખના ધર્મપત્ની શ્રીમતિ લીલાવતીબેનના વર્ષીતપ નિમિત્તે શ્રી ફુલબાઈ રૂપ૬૭ જૈન સેવાડીવાળા-ભાંડુપ Page #474 -------------------------------------------------------------------------- ________________ । । । 1 - - - Bom H - -ED Z શ્રી છનાલાલ છગનલાલ શાહ શ્રી રમણુલાલ ચુનીલાલ શાહ શ્રી રતિલાલ સકરચંદ શાહ - શ્રી મફતલાલ કંકુચંદ શાહ શ્રી દુર્લભજી શામજી શાહ — - ભાયંદર શ્રી બળવંતરાય કુંદનમલજી શી`ગ — [ ૪૩૩ ] ભાયંદર -- ભાય દર ભય દર શ્રી મહાવીર કૃપા બીડીંગની બહેનેા તરફથી શ્રી ડાહ્યાભાઈ ફકીરચંદજી રૂપાલ ભાદર શ્રી રસીકલાલ સ્વરૂપચૌંદ મહેતા ખેડબ્રહ્માવાળા શ્રી પ્રેમચંદ જાહેરાજજી વારૈયા ભાય કર શ્રી ભાઈચંદ્ર વિરચંદ શાહ ગઢકા વાળા ભાયંદર - --- ભાદર ભાયંદર શ્રી ચુનીલાલ લલ્લુભાઈ શાહ - ભાયંદર શ્રી લક્ષ્મીચંદ લલ્લુભાઈ શાહ તલેાદવાળા શ્રી અરવિંદકુમાર સેમદ શાહ ભાય દર શ્રી દેશલાલ નાથાલાલા વખારીયા ભાયંદર શ્રી કૅાદરલાલ નાનચંદ શાહ હું ઢરવાળા હું ધીરજભાઈ — ભાયંદર શ્રી મતિ લીલાવંતીખેન બાબુલાલ મહેતાના સ્મરણુાથે હઃ ચિ. નિમેષ, ચિ વિકાસ - મલાડ – મુંબઈ. ATK ભાયંદર ભાદર શ્રી મૂળખેન તિલેાકચંદજી જૈનના ૫૦૦ આયંબિલ નિમિત્તે તેમના ભાઈ શ્રી હસ્તિમલ ચેતાજી પરિવાર શ્રી ગુલાઞયંદ દેવચંદ શેઠ જૈનવાળા – ભાવનગર - ― ભાયંદર શ્રી સુભદ્રાખેન કાંતિલાલ શાહ વિસનગરવાળા હ : ભુપતભાઈ - ભાયંદર શ્રી રણીકલાલ માઁગળદાસ શાહ ઔઢાડ નિવાસી હૈ : કાંતાબેન શ્રી મતિ મણિબેન ચુનીલાલ પારેખની ૫૪ મી ઓળી નિમિત્તે શ્રી મતિ જાસુબેન પ્રેમચંદ્ર શાહ. પાટણવાળા શ્રી કાન્તિલાલ અચલજી વેરા ( ખાંડવાળા ) અમદાવાદ Page #475 -------------------------------------------------------------------------- ________________ Page #476 -------------------------------------------------------------------------- ________________ જેને પરપરાના ઇતિહાસના સર્જક Mwaibalibratorg Oprivate & Personense only Education International પૂજયમુનિ શ્રી જ્ઞાનવિજયજી મ. પૂજ્યમુનિશ્રીદશે નવિજયજી મ, પૂજ્યમુનિશ્રીન્યાયવિજયજી મ.