SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું ] આ. વિજયદેવસૂરિ [૩૦૧ મહોત્સવ કર્યો, તેમાં ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી. મહાતપ ભટ્ટા, વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિએ તેમાંની (૧) ભ૦ પદ્મપ્રભ તથા (૨) ભ૦ શાંતિનાથની પ્રતિમાને ઉદયપુરના રાણુ જગતસિંહના રાજ્યમાં નાફૂલના રાજવિહારમાં બિરાજમાન કરી. (– પ્રાજે. લેભાવ ૨, લેટ નં. ૩૬, ૩૬ ૭) શાસ્ત્રાર્થ – બંને આચાર્યોએ સં. ૧૬૮૭માં સુરતમાં નવાબ માજર મલિકની રાજસભામાં પિતાના સાધુઓને મેકલી “સર્વજ્ઞશતકની પ્રામાણિક્તા અંગે શાસ્ત્રાર્થ કર્યો અને તેમાં વિજય પ્રાપ્ત કર્યો. બંને આચાર્યોએ સં૦ ૧૬૮૭ થી સં. ૧૬૯૪ સુધી એટલે સાત વર્ષ સુધી વિજાપુર અને કન્નડ પ્રદેશમાં વિહાર તથા ચોમાસાં કર્યા, ત્યારે તેઓએ ત્યાં સાત જિનપ્રતિષ્ઠા કરી. વિજાપુરમાં ચાર ચોમાસાં, અવરંગાબાદમાં એક ચમારું કર્યું, અને ખાનદેશના બુરહાનપુરમાં ચાર ચાતુર્માસ પસાર કર્યો. વિજાપુરના બા ઈદલશાહે ગચ્છનાયકને વિજાપુરમાં ઘણા દિવસે સુધી વિનંતી કરી ક્યા હતા અને તેઓ રહ્યા ત્યાં સુધી ગેવધ વગેરે હિંસા બંધ કરાવી હતી. આથી જન શાસનની પ્રભાવના થઈ હતી. ગચ્છનાયકે વીજાપુરના સંઘ સાથે સમુદ્ર કિનારે કરાડ પાર્શ્વનાથ અને કલિકુંડ પાર્શ્વનાથ વગેરે યાત્રા કરી. બુરહાનપુરમાં કિસનગઢથી વિજ્ઞપ્તિ- ગરછનાયકે બુરહાનપુરમાં આંતરે આંતરે બે બે ચોમાસા કર્યા હતાં અને બુરહાનપુરના સંઘ ૧. બુરહાનપુરના એક ચેસાસામાં ઉપા૦ અમરચંદ્ર, ઉપા૦ લાવણ્યવિજય, મહેસેમવિજયની પરંપરાના પં. ભીમવિજય, પં૦ ઉત્તમવિજય, શાંતિવિજય, લક્ષ્મીવિજય વગેરે ચોમાસું હતા. (- તા. ૨૯-૧ર-૧૯ ૨. જૈન, વર્ષ: ૬૧, ખંડ ૬૦ ) તે સાલ કિસનગઢમાં તેમના આજ્ઞાધારક પં. નયવિજય, પં. હસ્તિવિજય, પ૦ ઋદ્ધિવિજય, ઉદયવિજય (વિજયસિંહસૂરિના શિષ્ય), મુક્તિવિજય (વિજયપ્રભસૂરિવા શિષ્ય) હતા, તેમણે શાસુ૫ ના રોજ વિજ્ઞાનપત્ર મોકલો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy