SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવન | રાજનગરને નગરશેઠ વંશ [૧૬૯ શાંતિસાગરસૂરિ તથા સંવેગી ગીતાર્થ શ્રી મુક્તિવિજયજી ગણના લઘુ ગુરુભાઈ શ્રી આત્મારામજી મહારાજ અને શ્રી આણંદવિજયજી મન્ના ઉપદેશથી સં. ૧૯૪૧ના ફાગણ સુદિ ૫ ના રોજ રાજનગરમાં ઊજમફઈના જૂના ઝવેરાતના પૂઠિયાં, રૂમાલ, ચંદરવાનો જીર્ણોદ્ધાર કરાવી તેમાં સાચા મોતીનો શિલાલેખ ભરાવ્યા. અમદાવાદના જમાલપુરમાં શા ટેકરશી શાહના નામની પોળ છે, તેમાં જિન પ્રાસાદ પણ તેમણે બનાવેલું છે. તેના પૌત્ર ચાંપશી શાહ સં. ૧૬૭૭ના મહાસુદિ ૫ ના રોજ વિદ્યમાન હતા. શેઠ પ્રેમાભાઈએ તે જિનપ્રાસાદનો મોટો જીર્ણોદ્ધાર કરાવ્યો. અમદાવાદને જૈન સંઘ દર સાલ કાર્તિક સુદિ ૧૫ ના રોજ ત્યાં યાત્રા કરવા જાય છે, તે સિવાય દેરાસરની વર્ષગાંઠના દિવસે પણ કેટલાક ભક્તો યાત્રા કરે છે. શેઠ પ્રેમાભાઈએ વિસં. ૧૯૦૭ના માગશર માસમાં શ્રી શત્રુંજય તીર્થમાં સગાળપોળ ઉપર નવું મકાન બનાવી ત્યાં ટકરખાનું બેસાડયું. (- શત્રુંજય ફરમે, ૫૦ ૨૧૧) તેમ જ વિસં. ૧૯૧૦માં શ્રી શત્રુંજ્યતીર્થના ચડાવમાં માનમાડિયાની ઉપરના કરમતોડિયાની ઉપર વિસામે બનાવ્યો. (– શત્રુંજય ફરમ, પૃ ૮) નગરશેઠ પ્રેમાભાઈ વંશ –– તેમનું ગોત્ર કુંકુમરોલ, વંશ સિદિયા, જ્ઞાતિ ઓશવાલ, કુલદેવી – આશાપુરી, અને ક્ષેત્રપાલ – બરડી – તેને તેઓ પૂજતા હતા. વંશાવલી –– (૧) કુત્પત્તિ- રાજા સામંતસિંહ રાણા. (૨) પૌત્ર-કિરપાલ – આ૦ ધર્મઘોષસૂરિએ તેને જૈન બનાવ્યો. (૩) પુત્ર – હરપતિ જે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy