SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૭૧ શાહજાદા જહાંગીરે ત્યાં જ જહાંગીરપરું વસાવ્યું. શાહજાકા જહાંગીરે સૂરજ નામની વેશ્યાને રાખી હતી. તેણે સં. ૧૬૧પમાં શાહજાદાની રજા મેળવી ત્યાં સૂરત નામે નગર વસાવ્યું. તે સમયે ત્યાં ગેપી શાહ નામે જેન ઓશવાલ રહેતો હતો. તેણે સૂરતમાં ગોપીપરું અને ગોપી તળાવ બનાવ્યાં અને ચૌમુખી વાવ પણ બંધાવી. ( –સેહમકુલ પટ્ટાવલી પૃ૦ ૫૯, સં૧૮૭ના આ૦ સુત્ર પના રાજ રચેલી સૂરત ગઝલ, કડી ૭૮, ગ્રં૦ ૮૩; કેશરીચંદ હીરાચંદ ઝવેરી સંગૃહીત સૂરતને ઇતિહાસ. પૃ૦ ૪) સમજી શકાય એમ છે કે સૂરતનું ગોપીપરું, ગોપીતળાવ વગેરે સ્થળે ગોપી નામની સાથે સંબંધ બતાવે છે, તે પિકીના ગેપીશાહ એશિવાલનું નામ પણ આપણે ઉપર જોઈ ગયા છીએ. બીજે વડનગરને મંત્રી ગેપી થયે છે, જેને ઈતિહાસ આ પ્રકારે જાણવા મળે છે. સગત સાક્ષર શ્રી, ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે ગોપીના પૂર્વજો વિશે સંસ્કૃતમાં લેકબદ્ધ વર્ણન મેળવ્યું હતું. અને તે “ધિ લાઈશ્રેરી મિસેલેનિયસ'નામક અંગ્રેજી સૈમાસિકના સને ૧૯૧૪ના ફેબ્રુઆરી માસથી મે સુધીના વર્ષ ૨–૩ ના અંકમાં પસિદ્ધ કરવા સાથે ગોપી કોણ?” એ શીર્ષક હેઠળ લેખ આપ્યો હતો. એના આધારે માનવું પડે છે કે— મંત્રી ગોપીને પૂર્વજ (૧) મંત્રી રામજી વડનગરનો નાગર હતો. તેની પરંપરામાં અનુક્રમે (૨) મંત્રી ભાલણ (૩) મંત્રી દામોદર (૪) મંત્રી ગોવિંદ, (૫) મંત્રી માધવ, (૬) મંત્રી કીકરાજ અને (૭) મંત્રી ગોપીનાથ થયા. મંત્રીઓની વિશેષ હકીકતમાં જણાવ્યું છે કે (૧) મંત્રી રામજીએ તાપી નદી ક્યાં સમુદ્રમાં જઈને મળે છે ત્યાં સંગમસ્થાને સમુદ્ર કિનારે સૂર્ય પુર નગર વસાવ્યું. (૬) મંત્રી કકરાજે સમુદ્ર અને તાપી નદીના સંગમસ્થાને સૂર્યપુરમાં નીલકંઠનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy