SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જિનાલયમાંથી લાવેલી વિશાળકાય શ્રી આદિનાથની ત્રણ પ્રતિમાઓને પધરાવી. આજે એ ત્રણ પ્રતિમાઓ તેમાં બિરાજમાન છે. આ ઉપરના ઈતિહાસમાં અને વૃદ્ધવાણીમાં ઘણું સત્ય છુપાયેલું છે પરંતુ વિશેષ તપાસને અંતે જાણવા મળે છે કે – શેઠ ખુશાલચંદ વિ.સં. ૧૭૯માં કે ૧૮૦૦માં મુસલમાને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયને તોડી-ફોડી નાખશે એ ભયથી અગમચેતી વાપરી તે જિનાલયની બધી પ્રતિમાઓ ઝવેરીવાડમાં લઈ આવ્યા. તેમાંની ૩ જિનપ્રતિમાઓ શેઠ ખુશાલચંદન દેરાસરમાં, એક પ્રતિમા શ્રીપાલ ઝવેરીએ બંધાવેલા જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં, અને શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથની એક મૂળનાયક પ્રતિમાને શેઠ સૂરજમલે બંધાવેલા નવા દેરાસરમાં પધરાવી હોય એ હકીકત બરાબર લાગે છે. વિશેષમાં બીબીપુર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં ત્રણ શિખરોના ત્રણ ગભારા હતા. ત્રણ મૂળનાયકે હતા તે પૈકીના બે બાજુમાંની એક મૂળનાયક પ્રતિમાને પ શ્રીપાલ ઝવેરીના દેરાસર જગવલ્લભ પાર્શ્વનાથના ઉપરના ભાગમાં પધરાવી હોય એમ લાગે છે. એકંદર આ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રાસાદની સં. ૧૬૮૨ની પ્રતિમાઓની ઘણી પ્રતિમાઓ આજે શેઠ ખુશાલચંદના શ્રી આદીશ્વરના જિનપ્રાસાદમાં, શેઠ શ્રીપાલ ઝવેરીના જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયમાં, શેઠ વખતચંદના છઠ્ઠા પુત્ર શેઠ સૂરજમલના જિનાલયમાં તેમજ શેઠ વખતચંદ, ધર્મપ ની તથા પુત્રોએ સં. ૧૮૫૫ના ફાગણ સુદ ૨ ના રોજ અમદાવાદની વાઘણપોળમાં બંધાવેલા શ્રી અજિતનાથના જિનાલયમાં અને સરસપુર ગામમાં બનેલા નવા જિનાલય, વગેરેમાં વિદ્યમાન છે. વૃદ્ધો કહે છે કે, શેઠ વખતચંદ શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી અજિતનાથનાં જિનાલયે ઊજમબાઈની હવેલી (ઉજમફઈની ધર્મશાળા) વચ્ચે ગુપ્ત સુરંગ બનાવી રાખી હતી કે આસમાની સુલતાનના સમયમાં એ કામ લાગે. ઉપર જણાવેલ શ્રી. મગનલાલ વખતચંદનો ઇતિહાસ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy