SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪] જન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ (૧) સં. ૧૮૦૦માં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિમા લાવી ગુપ્ત સ્થાને પધરાવી. તે પ્રતિમા રસ્તામાં કંઈ ખંડિત થતાં તેને ઉચિત ન્યાય આપ્યો હોય અગર તે જ માપની નવી પ્રતિમાઓ ભરાવી હોય. એ પ્રતિમાઓની ભટ્ટા શ્રી કલ્યાણસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. (૨) સં. ૧૮૫૫ના ફાગણ સુદિ ૨ ના રોજ વાઘણપોળમાં શ્રી અજિતનાથને જિનપ્રાસાદ બનાવવો શરૂ કર્યો અને સંવે ૧૮૬૦ના બીજા ચૈત્ર સુદ ૧૧ના વિજયમુદ્દતે ભટ્ટા) શ્રી ઉદયસાગરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. ( –નગરશેઠ શાંતિદાસને રાસ, પૃ. ૮૪) (૩) સં. ૧૮૬૮ના વૈશાખ સુદિ ૩ને બુધવારે શેઠ ખુશાલચંદે બનાવેલ શ્રી આદીશ્વરના જિનપ્રસાદના ભંયરામાં આદીશ્વરની ત્રણ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી અને સં. ૧૬૮૨ના લેખવાળી બીજી જિનપ્રતિમાઓને તે જિનાલયમાં પધરાવી. (૪) સં. ૧૮૬૮માં શેઠ વખતચંદના છઠ્ઠા પુત્ર સૂરજમલે બનાવેલ જિનાલયમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (પ) શ્રી ચિંતામણિ જિનપ્રાસાદમાં શ્રી સંભવનાથ અને શ્રી શાંતિનાથનાં નાનાં નાનાં જિનાલયો બનાવ્યાં. (૬) શેઠ વખતચંદની પત્ની જડાવબાઈએ શ્રી મહાવીરસ્વામીનો જિનપ્રાસાદ બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) શેઠ વખતચંદ શ્રી અજિતનાથ, શ્રી. આદીશ્વર અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં જિનાલ તેમજ પિતાની ઊજમબાઈ વાળી હવેલીની વચ્ચે એકબીજામાં જઈ શકાય તેવું ભોંયરું બનાવ્યું. સંભવતઃ તેમના પુત્રોએ સં. ૧૯૦૨માં આ ત્રણે જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ ભોંયરું પૂરી દીધું. (૮) શેઠ વખતચંદે શ્રી અજિતનાથના જિનપ્રાસાદની પાછળ સાગરગરછની મેટી પેશાબ બનાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy