SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ શેઠ શાંતિદાસે સં. ૧૭૨૦ના જીવલેણ દુકાળમાં દાનશાળાઓ તથા પરબ બનાવી ગરીબોને અનાજ-પાણ પૂરાં પાડ્યાં હતાં. ઘી સાકર, ખાંડ, ગોળ, વગેરે આપ્યાં. કપડાં આપ્યાં તથા વાસણ, દવા વગેરે આપ્યાં, અને સૌને દુકાળના ભયથી વિમુક્ત કર્યા. શેઠ શાંતિદાસે હમીરપુર, તારંગા, કુંભારિયા, નાંદિયા, રાણકપુર, ભીલડિયાજી, શંખેશ્વર વગેરે સાત તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવી શ્રી શાંતિનાથ વગેરે તીર્થકરોની સ્ફટિકરત્નથી ૧૧ જિન પ્રતિમાઓ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. કવિબહાદુર દીપવિજ્યજી લખે છે કે – ગુજરાતિ શાંતિદાસ મનિયાના, અચલગઢે છે પ્રાસાદ વાવ ચૌદસેહે ચુમાલીશ મણ ધાતુની પ્રતિમા પૂરે આશ વા (-સહમ કુલ પટ્ટાવલી ઉલ્લાસ: ૪ ઢાળઃ ૫૦, જય૦ ૬ કડી : ૬, પૃ૦ ૧૦૦) સં. ૧૭૨૧માં આબુ તીર્થમાં અચલગઢમાં શ્રી ઋષભદેવનો નવો જિનપ્રાસાદ બનાવી ભટ્ટા. શ્રી વિજયરાજસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ( – પ્રક. ૩૭, પૃ૦ ૨૯૨ ) સં. ૧૭૨૫માં આબૂ ઉપર પોતાના નામથી શ્રી શાંતિનાથને જિનપ્રાસાદ બનાવ્યો. શ્રી શાંતિનાથ વગેરે તીર્થકરોની સ્ફટિક રનની ૧૧ જિનપ્રતિમાઓ ભરાવી, તેની પ્રતિષ્ઠા કરાવી હતી. (– પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પૃ. ૨૬ ૬ ) શેઠ શાંતિદાસે ધર્મકાર્યમાં પિતાના દાદા કરતાં વધુ રકમ વાપરી હતી. મહાપાધ્યાય ભાવવિજય ગણું લખે છે કે – દોશી શાંતિદાસે મોટાં મેટાં તીર્થોના છ'રી પાળતા ઘણુ યાત્રાસંઘે કાઢ્યા હતા. દોશી સુમતિદાસ વગેરે તેના પરિવારમાં હતાં. ૬. દેશી સૌભાગ્યચંદ – તેનું બીજું નામ દોશી સુરચંદ પણ મળે છે. ઉપા. શ્રી સત્યવિજય ગણીવરે સં. ૧૭૮૭ના વૈશાખ વદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy