SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ પં. ઉદયધર્મ બે હાથ જોડી બલ્યા, “ગુરુદેવ! આપની કૃપા છે, તે જ મારે મન બધું છે. આ આહાર કાંબળી માટે વાપર્યો નથી. આપની ઈચ્છા હતી કે આ આહાર પરઠવો નથી, આથી જ મેં આપની એ ઈચ્છા જાણીને જ આહાર વાપર્યો છે. બાકી કપડાં, કાંબળી, પુસ્તક કે પાનાંપેથી અને આહાર એ સૌ આપની કૃપામાં જ રહેલાં છે, મારે કાંબલીની જરૂર નથી.” પદવીઓ – ગુરુદેવે પ્રસંગ આવતાં તેમને ગણી–પંન્યાસ બનાવ્યા, તેમજ ઉપાધ્યાય ઉદયધર્મગણિ પણ બનાવ્યા. ક્રિોદ્ધાર – તપાગચ્છના આઠ આણંદ વિમલસૂરિવરે પિતાની સાથેના ઋષિમુનિવરો સાથે સં. ૧૫૮૨ના વૈસુરુ ૩ ના રોજ વડાલીમાં કિયોદ્ધાર કરી, સંવેગમાર્ગનો સ્વીકાર કર્યો. ઉપાઠ ઉદયધર્મ ગણિવરે પણ તે સમયે ગુરુદેવની સાથે જ ક્રિોદ્ધાર કરી સંવેગી માર્ગ આદર્યો હતો. ઉપાટ ઉદયધર્મગણીએ જાવજજીવ સુધી દૂધ, દહીં, ઘી, તેલ, મીઠાઈ (ગળપણ), તેલની વસ્તુઓ કડા–વિગઈ (તળેલી) વસ્તુઓ વગેરેનો ત્યાગ કર્યો હતો. બીજા સહયોગીઓ – તપાગચ્છની મશાખાના ભટ્ટારક સૌભાગ્યહષસૂરિ વીસનગરથી અને ઉપકેશગચ્છની દ્વિવંદનીક-શાખાના ઉમરેઠની ગાદીના ભટ્ટારક આ૦ કસૂરિ બારેજાથી આ ક્રિયેદ્વારમાં જોડાવા માટે વડાલી આવ્યા હતા, પણ તેઓ પોતપોતાની ગાદીએ પાછા ચાલ્યા ગયા. આ પિકીના આઠ કક્કસૂરિ કિદ્ધાર કરવાની તીવ્ર ભાવનાવાળા હતા. તેમણે ઉમરેઠ જઈ જેમ બને તેમ વહેલા ગાદી છેડી, કિદ્ધાર કરી, સંવેગી બની શકાય એવી યોજના ઘડી. આ૦ આણંદવિમલસૂરિ અને ઉપાય ઉદયઘમગણી વગેરે કિદ્ધાર કરી, વડાલીથી વિહાર કરી ચિત્તોડ પધાર્યા. તેમણે ત્યાં દોશી કર્મશાહ ઓશવાલને ભાવવાહી ઉપદેશ આપી શત્રુંજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy